Opinion Magazine
Number of visits: 9521469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રક્ષક જ ભક્ષક અને સંરક્ષક મૂકબધિર

રમેશ સવાણી|Opinion - Opinion|16 April 2021

મહિલાના ગુપ્તાંગમાં જે પોલીસ અધિકારીએ પથ્થર ભર્યા; તેને રાષ્ટ્રપતિએ ગૅલેન્ટ્રી ઍવોર્ડ આપ્યો !

આદિવાસી એક્ટિવિસ્ટ હિમાંશુકુમારની ફેસબૂક પોસ્ટ રૂંવાડા ઊભા કરી મૂકે તેવી છે. છત્તીસગઢના બિજાપુરમાં ૨૨ જવાનો ૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ શહીદ થઈ ગયા. તે ગરીબ પરિવારના કિસાનોના પુત્રો હતા; બંદૂકધારી મજૂર જ કહેવાય. પોતાના બાળકોના પેટ ભરવા બંદૂક ટાંગીને નેતાઓની યોજના અનુસાર ગરીબ લોકોને મારવા માટે ગામડાંમાં મોકલી દેવાય છે. દલીલ એવી કરાય છે કે અશાંતિ માટે માઓવાદી દોષી છે; માઓવાદી ન હોત તો દેશમાં શાંતિ જ શાંતિ હોત. આરોપ એ પણ મૂકવામાં આવે છે કે માઓવાદી વિકાસનાં કામો થવા દેતા નથી! શું જ્યાં માઓવાદી નથી ત્યાં શાંતિ છે? ત્યાં ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ ગયો છે? શું ત્યાં વિકાસ થઈ ગયો છે? સવાલ એ છે કે જે લોકો આદિવાસીઓના માનવાધિકારના હનનના મુદ્દા ઉઠાવે છે; વિકાસના ખોટા મોડલ, પર્યાવરણ, આદિવાસીઓની આજીવિકા અને જળ/જમીન/જંગલના મુદ્દાઓ ઉઠાવે છે તેમને સરકાર શા માટે જેલમાં પૂરે છે?

અદાણી દ્વારા છત્તીસગઢમાં અવૈધ રીતે ખાણો હડપવા અને ૨૦,૦૦૦ વૃક્ષો કાપવા બાબતે લખી રહ્યો છું. હું પાછલા બે વરસથી આદિવાસીઓએ તેમની સામે આંદોલન કર્યું જેથી સરકારે મજબૂર થઈને હાલે અદાણીને રોકી દીધેલ છે. આ આંદોલનમાં જોડાયેલ ચાર યુવાનો-પોદિયા/લચ્છૂ/ગુડ્ડી/ભીમાને ઘેરથી પોલીસ ઉપાડી ગઈ અને ફેઈક એન્કાઉન્ટરમાં મારી નાખ્યા! આદિવાસી મહિલા કાર્યકર્તા હિડમેને જેલમાં પૂરી દીધી અને તેની ઉપર UAPA લગાડી દીધો; જેથી ૧૦ વરસ સુધી જામીન ન મળે. છત્તીસગઢના મુખ્ય મંત્રીએ ઘોષણા કરી છે કે હવે આખરી યુદ્ધ લડીશું અને માઓવાદને સમાપ્ત કરીશું! આ પ્રકારની ઘોષણા અનેક વખત થઈ ચૂકી છે. એટલે આવી ઘોષણાથી ડર વધે છે; કેમ કે હવે માઓવાદ વધુ વકરશે! વાસ્તવમાં થાય છે શું? CMની ઘોષણા બાદ SP ઉપર બહાદુરી દેખાડવાનું દબાણ વધશે. માઓવાદી તો એમને મળતા નથી એટલે એમના જવાનો જઈને નિર્દોષ આદિવાસીઓને મારશે. અમારી જેવા સામાજિક કાર્યકર્તા તેના વિરુદ્ધ બોલશે તો અમને માઓવાદી સમર્થકનો સિક્કો મારી દેશે!

માઓવાદીને આદિવાસીઓથી તાકાત અને સમર્થન મળે છે. આદિવાસીઓ ઉપર જેટલો વધુ જુલમ થાય એટલા વધુ તેઓ માઓવાદીને પોતાના દોસ્ત સમજશે. આદિવાસીઓને સન્માન આપો; એમની વાત સાંભળો; એમની સાથે અન્યાય થાય તો ન્યાય આપો. સમસ્યા દૂર થઈ જશે ! પરંતુ આપણું વહિવટી તંત્ર/આપણી સરકાર/કોર્ટ આદિવાસી વિરુદ્ધ કામ કરે છે. ‘સલવા જુડૂમ’ મુવમેન્ટમાં આદિવાસીઓના ૬૫૦ ગામો પોલીસે સળગાવી દીધા. હજારો મહિલાઓ સાથે જવાનોએ બળાત્કાર કર્યા. હજારો નિર્દોષ આદિવાસીઓને માઓવાદી ચીતરીને જેલમાં ઠૂંસી દીધાં. ૧૨ વરસની આદિવાસી છોકરીઓનાં સ્તન/ગુપ્તાંગો ઉપર વીજળીના તાર વડે ડામ દીધા અને તેને જેલમાં પૂરી દીધી. આ બધું મેં ઉજાગર કર્યું ત્યારે મારા સમર્થનમાં જેલર વર્ષા ડોંગરેએ લખ્યું કે ‘હિમાંશુકુમાર સાચું કહે છે. મેં પણ જેલમાં આવી આદિવાસી છોકરીઓ જોઈ હતી અને હું ધ્રૂજી ગઈ હતી.’ એ પછી સરકારે આદિવાસીઓને ન્યાય આપવા અને દોષી પોલીસવાળાને સજા કરવાને બદલે જેલર વર્ષા ડોંગરેને જ સસ્પેન્ડ કરી દીધા! આદિવાસીઓ ઉપર થતા સરકારી જુલમ સામે અમે સુપ્રિમ કોર્ટમાં ગયા ત્યારે સુપ્રિમ કોર્ટે ‘સાલવા જુડૂમ’ને ગેરબંધારણીય ઠરાવ્યું અને છત્તીસગઢ સરકારને આદેશ કર્યો કે ૬૫૦ ગામોને ફરી વસાવો/દોષી પોલીસ સામે એફ.આઈ.આર. કરો / આદિવાસીઓને વળતર આપો. પરંતુ સરકારે એક પણ આદેશનું પાલન ન કર્યું. સુપ્રિમ કોર્ટના આ આદેશ બાદ અમારી સંસ્થાના કાર્યકર્તાઓએ ૪૦ ગામને ફરી વસાવી દીધા અને પોલિસના ગુનાઓ અંગે ૫૧૯ ફરિયાદો કલેક્ટર/એસ.પી. અને સુપ્રિમ કોર્ટને સોંપી પરંતુ બદલામાં સરકારે અમારા આશ્રમ ઉપર બુલડોઝર ચલાવી દીધું અને મારા કાર્યકર્તાઓને જેલમાં પૂરી દીધા. જે રાતે પોલીસ દ્વારા મારું એન્કાઉન્ટર થવાનું હતું; તે રાત્રે મારે છત્તીસગઢ છોડવું પડ્યું.

ભારતના બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. બંધારણે રાષ્ટ્રપતિને આદિવાસીઓના સંરક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે સરકારને પૂછ્યા વિના આદિવાસીઓના હિતોની રક્ષા માટે સીધી કાર્યવાહી કરી શકે છે. પરંતુ આદિવાસીઓના ૬૫૦ ગામો સળગાવીને ઉઝાડી નાખ્યા હોય; પોલીસોએ હજારો આદિવાસી મહિલાઓ સાથે બળાત્કાર કર્યા હોય; આજ સુધી રાષ્ટ્રપતિએ આદિવાસીઓના પક્ષમાં એક વખત પણ પોતાના એ અધિકારનો ઉપયોગ કર્યો નથી. ઊલટાનું દંતેવાડા એસ.પી. અંકિત ગર્ગે આદિવાસી માનવાધિકાર કાર્યકર્તા સોની સોરીના ગુપ્તાંગોમાં પથ્થર ભરી દીધા ત્યારે રાષ્ટ્રપતિએ તેને ગૅલેન્ટ્રી-વીરતા પુરસ્કાર આપ્યો! છત્તીસગઢની અગાઉની સરકારે કોઈ કાર્યવાહી ન કરી; પરંતુ હાલની કૉન્ગ્રેસ સરકારે પણ તેમની સામે કોઈ કાર્યવાહી ન કરી! જ્યાં અન્યાય છે ત્યાં શાંતિ હોઈ શકે નહીં. જવાનોની બંદૂકના દમ પર બસ્તરમાં શાંતિ સ્થાપી શકાય નહીં. બસ્તરમાં સી.આર.પી.એફ.ની વધુ બટાલિયન ડીપ્લોઈ કરવાથી શાંતિ સ્થપાઈ જાય, એ શક્ય નથી. માઓવાદ વિકાસના ખોટા મોડલ/સરકારી જુલમ/અન્યાયના કારણે મજબૂત થઈ રહ્યો છે. ન્યાય આપો શાંતિ આવી જશે! પરંતુ આપણી સરકાર તો ન્યાયની વાત કરનારને જ જેલમાં પૂરે છે. જેણે આખી જિંદગી ગરીબ શ્રમિકો માટે વિતાવી એ સુધા ભારદ્વાજને જેલમાં પૂરેલ છે. ઝારખંડની જેલમાં ૪,૦૦૦ નિર્દોષ આદિવાસીઓ છે; તેની યાદી ફાધર સ્ટેન સ્વામીએ પ્રકાશિત કરી એટલે એમને જેલમાં પૂર્યા !

મારા પિતાએ ગાંધીજી સાથે કામ કર્યું હતું. હું અને મારી પત્ની લગ્નના વીસ દિવસ બાદ ૧૯૯૨માં દંતેવાડા આવી ગયા હતાં અને ગામમાં ઝૂંપડી બાંધી રહેતાં હતાં. વિનોબા ભાવેની માનસપુત્રી નિર્મલા દેશપાંડેએ મને બસ્તર જવા પ્રેરિત કર્યો હતો અને કહ્યું હતું કે ‘હિંસાગ્રસ્ત વિસ્તારમાં ગાંધીની અહિંસાની શક્તિને સાબિત કરો !’ મારો દાવો છે કે જો સરકાર સામાજિક કાર્યકર્તાઓને જેલોમાંથી મુક્ત કરે/આદિવાસી નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ સાથે વાત કરીને; આદિવાસી વિસ્તારમાં ન્યાય અને વિકાસના કામ કરે તો નિર્દોષ જવાનોની હત્યા રોકી શકાય. અમે જ્યારે બસ્તરમાં ૪૦ ઉઝડેલા ગામ ફરી વસાવ્યા ત્યારે છ મહિના સુધી એ વિસ્તારમાં એક પણ જવાનની હત્યા થઈ ન હતી. મેં આ વાત દંતેવાડાના તત્કાલિન એસ.પી. રાહુલ શર્માને કહી હતી; પરંતુ તેમના મનમાં અમારા પ્રયાસ માટે માન ન હતું; તેમણે જ અમારા આશ્રમ ઉપર બુલડોઝર ફેરવી દીધું. સિંગારમમાં ૧૯ આદિવાસીઓને લાઈનમાં ઊભા રાખી ગોળીથી ઉડાવી દીધાં ! થોડાં વર્ષો બાદ રાહુલ શર્માએ પોતાની રીવોલ્વરથી ખુદને ગોળી મારી દીધી. ૧૯ આદિવાસીઓને રહેંસી નાખ્યા તે કેસ ૧૨ વરસથી કૉર્ટમાં પેન્ડિંગ છે; કોઈને સજા નથી થઈ ! વાંક સરકારનો છે. મિનિસ્ટર પૂંજીપતિઓના દલાલ તરીકે કામ કરે છે. જેના ઈશારે આદિવાસીઓને એમની જમીનથી ખસેડવામાં આવી રહ્યા છે. આદિવાસીઓનો અવાજ બુલંદ કરનાર સામાજિક કાર્યકર્તાઓ સરકારને આંખના કણાની જેમ ખટકે છે ! સરકારોને જવાનોની મોતથી કોઈ ફરક પડતો નથી; સરકારને તો ઇન્વેસ્ટમેન્ટ/પૂંજીપતિઓની કૃપા અને તેમાં મળનાર કમિશનમાં જ રુચિ હોય છે ! પરંતુ અમને કિસાનના દીકરા જવાનોના મોતથી દુઃખ થાય છે અને ઊંડો ફરક પડે છે; એટલા માટે અમે શાંતિની સાચી કોશિશ કરતા રહીશું અને ન્યાય માટે અવાજ ઉઠાવતા રહીશું; ભલે સરકાર અમને જેલમાં પૂરે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 13

Loading

16 April 2021 admin
← અડધું અને અડધું
લૂઝ કનેક્શન (8) : પ્રેમ અને ફિલસૂફી →

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૯ (સાહિત્યવિશેષ : ગાયત્રી સ્પિવાક)
  • કામના કલાકો વધે, ઉત્પાદન વધે, કામદારો ઘટે
  • જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ – આરુષિ અને મેઘાની વાર્તા
  • દલિત સાહિત્ય અંગે પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન
  • ટ્રમ્પ, ગુલામીનો ઇતિહાસ, ભેરપ્પા અને ‘આવરણ’ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved