पतिर्हि देवता नार्याः पतिर्बन्धुः पतिर्गुरुः
प्राणैरपि प्रियं तस्माद्-भर्तुः कार्य विशेषतः |
અર્થાત્ :
“નારીને માટે પતિ એ જ દેવતા છે, એ જ એનો એકમાત્ર સગો છે અને એ જ એનો ગુરુ છે. તેથી જ નારીએ પોતાના પતિનું પ્રિય કાર્ય પોતાના પ્રાણના ભોગે પણ કરવું જ જોઈએ.”
(વાલ્મીકિ રામાયણ, ઉત્તરકાંડ, સર્ગ ૪૮, શ્લોક ૧૭)
રામધૂન ઉપર ડોલતા મનુષ્યોએ એ જાણવું કે રામ દ્વારા તરછોડાયેલી સીતા જ્યારે આવું કહે, ત્યારે તે સૂચવે છે કે રામ-રાજ્યમાં પણ સ્ત્રીઓએ કન્સેન્ટ આપવો કે નહિ, આપવો તો ક્યારે આપવો અને કેટલો આપવો એ પુરુષો જ નક્કી કરતા હતા. અને આજે પણ આપણા બૌદ્ધિકો (મુખ્યત્વે પુરુષો), ૨૧મી સદીની એસી કી તેસી કરીને, આ જ વાતને ચીલ્લાવી-ચીલ્લાવીને ચગાવે છે, અને સમજાવે છે કે કઈ ઉમરે સ્ત્રીઓએ કન્સેન્ટ આપવો જોઈએ.
મીનીમમ એઈજ ઓફ કન્સેન્ટની ચર્ચા એ માત્ર સ્ત્રીઓની ચર્ચા છે, આ મુદ્દા અંગેનો નિર્ણય માત્ર સ્ત્રીઓ લે, એ જ ઉચિત ગણાય. પુરુષોને આવી વાતમાં ખુજલી આવવી, એ પરંપરા સ્વાભાવિક અને નિયમાનુસાર જ છે, પણ એ અંગેના વિચારોને રજૂ કરવામાં જરાક સંયમ રાખવો, એ જ ઔચિત્ય ગણાય … ! કન્સેન્ટ એ સંબંધ અંગેની સ્વતંત્રતાની વાત છે, સ્ત્રીઓ કઈ ઉમરે શું કરે, એ સ્ત્રીઓ ઉપર છોડીએ. બળાત્કારીઓ સાથે આને સંબંધ રહેતો નથી, સ્ત્રીની ઉમર ૧૬/૧૮થી વધુ હોય કે ઓછી હોય, કન્સેન્ટ વગરનો સેક્સ એ બળાત્કાર જ ગણાય.
19 March 2013 : https://www.facebook.com/nihar.meghani?ref=ts&fref=ts