Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9330492
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોચરબ આશ્રમ, નિયમાવલિનું નિમિત્ત અને નરહરિ મહાદેવ 

કેતન રૂપેરા|Gandhiana|5 October 2024

મે 1915માં ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ આશ્રમની સ્થાપના કરી. પ્રારંભે તે સત્યાગ્રહ આશ્રમ અને પછીથી અત્યારે જે નામ છે તે કોચરબ આશ્રમથી ઓળખાયો. આ આશ્રમની સ્થાપના 20મી, 22મી કે 25મી મેએ થઈ, તેની ટપ ટપ કરતા જો આશ્રમની સ્થાપનાએ ગાંધીજી પ્રેરિત સ્વાતંત્ર્ય ચળવળમાં શો મહત્ત્વનો ભાગ ભજવ્યો એ મમ મમમાં વધારે રસ હોય તો આશ્રમની નિયમાવલી સાથે જોડાયેલો ઘટનાક્રમ વધુ રસપ્રદ થઈ પડશે. ગાંધીજીને મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ મળ્યા તેનું નિમિત્ત જ આ નિયમાવલિ … 

પોતાના દરેક પ્રયોગ વિશે જાહેરમાં વ્યક્ત થનાર અને નવાસવા ભારતમાં આવેલા મોહનદાસ ગાંધીએ ભારતમાં પોતાના પ્રથમ આશ્રમના નિયમો માટે પણ જાહેરક્ષેત્રમાંથી અભિપ્રાયો-ટીકા મંગાવ્યા હતા. એ માટે ‘આશ્રમના ઉદ્દેશ અને એની નિયમાવલિ સમજાવતી એક પત્રિકા કાઢીને તેમણે દેશભરમાં પ્રસારિત કરી હતી.’

અમદાવાદમાં વકીલાત કરતા નરહરિ પરીખ અને મહાદેવ દેસાઈ ખાસ મિત્રો. તેમણે આ પત્રિકા વાંચી. બંનેને લાગ્યું કે ‘ફરજિયાત બ્રહ્મચર્યમાંથી અનેક દોષો પેદા થવા સંભવ છે તથા હાથઉદ્યોગનો જ આગ્રહ રાખવાથી દેશની આર્થિક પ્રગતિ રોકાઈ જવાનો ભય છે …’ બંનેએ સાથે મળી, નરહરિભાઈના શબ્દોમાં કહીએ તો, ‘અમારું પુસ્તકપાંડિત્ય અમે ઠાલવ્યું હતું.’ પત્રનો લેખિત જવાબ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર જો ગાંધીજીને યોગ્ય લાગે તો રૂબરૂ મળવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી. પાંચછ દિવસ સુધી ગાંધીજીનો જવાબ ન આવતા બંનેએ માન્યું કે ગાંધીજીને તેમનો કાગળ મહત્ત્વનો નહીં લાગ્યો હોય.

એવામાં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં એક જાહેર સભા યોજાઈ. જેમાં ગાંધીજી મુખ્ય વક્તા હતા. સભા પૂરી થતાં ગાંધીજીની પાછળ ઝડપભેર ચાલીને તેમણે ગાંધીજીને એલિસબ્રિજ ઉપર પકડી પાડ્યા અને એમના કાગળની વાત કરી. ગુજરાતમાંથી મળેલા થોડા જ કાગળોમાંનો તેમનો એક કાગળ હતો. ગાંધીજીને એ કંઈક અંશે ઠીક લાગ્યો હતો. તેમણે કહ્યું, ‘તમને હું જરૂર વખત આપીશ. અત્યારે જ જો તમને વખત હોય તો ચાલો મારી સાથે આશ્રમમાં, આપણે વાતો કરીશું.’

બંને મિત્રોએ રાજી થઈને ગાંધીજી સાથે ચાલવા માંડ્યું. નરહરિભાઈ લખે છે, ‘આશ્રમમાં પહોંચ્યા પછી અમારો કાગળ કાઢ્યો. તેમાંથી વાંચતા ગયા અને વિવેચન કરતા ગયા. લગભગ દોઢ કલાક સુધી પોતાના આદર્શો અને વિચારસરણી સમજાવી. અમે વચ્ચે ક્યાંક ક્યાંક દલીલ કરતા, પણ અમારે વિશેષે તો સાંભળવાનું જ હતું. આ દોઢ કલાકની વાગ્ધારાની અમારા બંનેના ચિત્ત ઉપર ઊંડી છાપ પડી. લગભગ દસેક વાગ્યાના સુમારે અમે આશ્રમમાંથી નીકળ્યા. મેઘલી રાત હતી. ઝરમર ઝરમર છાંટા પડતા હતા. અમે બંને એકબીજા સાથે કશું બોલ્યા વગર ચાલતા હતા. જો કે અમારા બંનેનાં દિલમાં વિચાર તો એક જ ચાલી રહ્યો હતો. એલિસબ્રિજ પર આવતાં મહાદેવ બોલ્યા, ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ મેં જવાબ આપ્યો, ‘એમ કરી શકીએ તો આપણાં ધનભાગ્ય, પણ અત્યારે તો કશો નિર્ણય થઈ શકતો નથી.’ પાછા અમે શાંત થઈ ગયા અને કશું બોલ્યા વિના જ પોતપોતાને ઘેર પહોંચ્યા. આ અમારી પહેલી દીક્ષા. આશ્રમમાં જોડાવાના સંકલ્પનો પ્રથમ ઉદય.’ 

[સંકલન – માહિતી સૌજન્ય : અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (લે. નારાયણ દેસાઈ) અને ગાંધીજીની દિનવારી (સં. ચંદુલાલ ભગુભાઈ દલાલ)] 
(“नवजीवनનો અક્ષરદેહ”, મે 2013માંથી સાભાર)

Loading

5 October 2024 કેતન રૂપેરા
← હિંદુ-મુસ્લિમ સંબંધો : ચાર મુખ્ય પરિબળોનું આંતરદ્વંદ્વ
ચલ મન મુંબઈ નગરી—267 →

Search by

Opinion

  • પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો
  • ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ
  • મોંઘા ગુલાબના ઉપવનો
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક
  • પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 
  • ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

Poetry

  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…
  • એક ટીપું

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved