રાષ્ટ્રપિતા ગાંધીજી
વિશે બોલવા તૈયારી કરતી
બીજા ધોરણની બાલિકાએ આવી
દાદાને પૂછ્યું :
‘કેમ મારી ગોળીઓ, બાપુને!?
ઘરડા હતા તો ય !?
…… એ તો આમે ય મરી જ જવાના હતાને!’;
નિરુત્તર દાદા :
પછી બોલ્યા મનમાં –
‘હા, આઝાદીની અમૂલ્ય જણસ
મેળવી લીધા પછી
ફસકી રહેલા મિત્રો, કાયર સાથીઓ અને
કૃતધ્ની સમૂહોને જોઈ જોઈ
ગાંધી આમે ય રોજ રોજ
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 12