Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિની ચોકી

રમેશ કોઠારી|Opinion - Opinion|3 March 2019

‘કારણ કે તેણે ઝડપથી નાસી છૂટવું પડશે’

આસામના સિલ્ચર પ્રાંતમાં ‘એશો બોલી’ સંસ્થા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્‌ઘાટક તરીકે ઉપસ્થિત બંગાળી કવિશ્રી બંદોપાધ્યાય સાથે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતાં, અસામાજિક તત્ત્વો દ્વારા જે દુર્વ્યવહાર થયો, તેમના હાથમાંથી માઇક ખેંચી લેવામાં આવ્યું. તોડફોડ કરવામાં આવી, ધમકી આપવામાં આવી, તે ઘટનાને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(જાન્યુઆરી ૧૪)માં આવરી લેતી અખબારી નોંધ આપણે આપણી મહામૂલી જણસ જેવા કવિને કેટલા સાચવીએ (!) છીએ તે અંગે ઘણું કહી જાય છે. ભગતસાહેબ કહેતા હતા ‘સમાજમાં કવિનું હોવું અને કવિતાનું થવું મનુષ્યજાતિનું સદ્‌ભાગ્ય છે.’ આ સદ્‌ભાગ્યની આપણને કદાચ પડી નથી.

શ્રી બંદોપાધ્યાયનો ગુનો એટલો જ કે એમણે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે રચેલી કવિતા ઘણાને માફક આવી નહોતી અને ત્યારે ય ખાસ્સો વિરોધ થયો હતો. બિચારા ભોળા કવિને એમ કે આટલા અંતરાલ બાદ બધું ભુલાઈ ગયું હશે. પણ આ અંગે જે તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા, ખુલાસા મંગાયા અને છેવટે વાતાવરણ તંગ બન્યું, ત્યારે તેમને આસામ સશસ્ત્ર પોલીસદળની મદદથી સલામત સ્થળે લઈ જવાયા.

ત્રિદીપ સુહૃદના પુસ્તક ‘કવિની ચોકી’માં જણાવાયું છે તેમ, કવિનું કામ ચોકી કરવાનું છે. જ્યાં ખોટું થતું જણાય, તેનો પ્રતિકાર કરવાનું છે. ટાગોર કવિ તરીકે ગાંધીજીની ક્ષતિઓ તરફ ધ્યાન દોરતા હતા. અલબત્ત બંનેનો એકમેક પ્રત્યે આદર અકબંધ રહેતો.

સિલ્ચર ઘટનાના વિરોધમાં બંગાળના સર્જકો બંદોપાધ્યાયની પડખે નિર્ભિકપણે ઊભા રહ્યા. તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો, મમતા બેનરજીએ કવિને સંપૂર્ણ સલામતી પૂરી પાડી. આ ભોગ બનેલા કવિના મતે મારા પોતાના દેશમાં હું અસલામતી અનુભવું છું. વાણીસ્વાતંત્ર્યનો અભાવ છે. અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સર્જકોએ વારંવાર દેશના અન્ય ભાગોની મુલાકાત લેવી પડતી હોય છે. જો સિલ્ચરમાં બન્યું તેમ અન્યત્ર બનવાનું હોય, તો કોણ બહાર જશે ?

એક કવિને જે સૂઝે અને શોભે એવો વિરોધ કર્યો સુબોધ સરકારે – બીજી ફેબ્રુઆરીએ યોજાનારા કવિ-સંમેલનમાં તેમણે, પોતાની કવિતાઓનું પઠન કરવાને ઘોષણા કરી. Moral Courage V/S. Physical Courage.

વિલ ડ્યુરાંએ ‘ધ સ્ટોરી ઑફ ફિલોસૉફી’માં પ્લેટો વિશેના પ્રકરણમાં, તેના શાસકો પ્રત્યેની અપેક્ષાઓની નોંધ લેતાં કહ્યું છે તેમ, તેના મતે, જો આપણે બીમાર હોઈએ, તો અનુભવી, પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત, ઉચ્ચ પદવીધારી તબીબી પાસે સારવાર માટે જઈએ છીએ – તે દેખાવડો છે કે નહીં, સારો વક્તા છે કે નહીં તે બાબત ગૌણ બની રહે છે. તો પછી આખો સમાજ બીમાર હોય, ત્યારે શ્રેષ્ઠ, સૌથી શાણા, ઈમાનદાર શાસકોનું નેતૃત્વ અને માર્ગદર્શન મેળવતાં આપણને કોણ રોકે છે?

વ્યંગમાં તે કહે છે, પગરખાં બનાવવા માટે જેને ફાવટ હોય, તેની પાસે જઈએ છીએ પણ નગર, રાજ્ય કે દેશના વહીવટની વાત આવે, ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે જે વોટ ખેંચી લાવે તે ઉત્તમ શાસક.

મારા એક મિત્ર કહેતા હતા, ‘સાચું બોલનારને ઘોડો આપો, કારણ કે તેણે ઝડપથી નાસી છૂટવું પડશે.’ કવિ બધું જુએ છે, નાના માણસનું શોષણ તેને કહે છે, તે બધું યાદ રાખે છે (સચ્ચિદાનંદના પુસ્તકની પ્રારંભિક પંક્તિઓ) આપણા અન્યથા દરિદ્ર દેશને – એક બોલનારો સર્જક સમયાંતરે મળતો રહે તો ય ઘણું.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 16

Loading

3 March 2019 રમેશ કોઠારી
← ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ : ભવ્ય ઇતિહાસ છતાં …
રાખનાં રમકડાં … આ તારું આ મારું કહીને એકબીજાને ભાંડે રે ….. →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved