Opinion Magazine
Number of visits: 9560747
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એન્થની’માંથી ‘એન’નાં અલગ થવાની પીડા : ’ધ ફાધર’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 August 2023

રવીન્દ્ર પારેખ

એન્થની એંશીએકનો લંડનમાં રહેતો પિતા છે. તેને બે દીકરીઓ છે. એક એન અને બીજી લ્યુસી. લ્યુસીને  એક્સિડેન્ટ થયો છે ને એનને કોઈ મળી ગયું છે એટલે તે પેરિસ જવા ઈચ્છે છે, પણ જઇ શકે એમ નથી, કારણ, એન્થની સખણો રહેતો નથી. તેણે છેલ્લી કેરટેકર એન્જેલાને ઝઘડીને કાઢી મૂકી છે. ઝઘડો ઘડિયાળને કારણે થયો હતો. એન્થનીને હતું કે ઘડિયાળ એન્જેલાએ ચોરી લીધું છે ને એનનું માનવું હતું કે ઘડિયાળ એ ઘરમાં જ ક્યાંક  ભૂલી ગયો હશે. એન્થની ઉતાવળે બાથરૂમમાં જાય છે અને ઘડિયાળ પહેરતો બહાર આવે છે. તેને હવે એ યાદ નથી કે ઘડિયાળને લીધે તે એન્જેલા જોડે ઝઘડ્યો હતો. સાવ નિર્દોષતાથી તે હાથમાંનું ઘડિયાળ એનને બતાવે છે. તે દવા નથી લેતો તેવી એનની ફરિયાદ છે ને એન્થની દીકરીની વાત ઉડાવતાં કહે છે, ’EVERYTHING IS FINE. THE WORLD IS TURNING. તે પોતાની સંભાળ રાખી શકે તેમ છે ને તેને કોઇની જરૂર નથી.’

આ દૃશ્ય છે ફ્લોરિયન ઝેલરનાં નાટક પર આધારિત 2020ની અંગ્રેજી ફિલ્મ ‘ધ ફાધર’નું. ‘ધ ફાધર’ને બેસ્ટ પિક્ચર સહિત 93માં એકેડેમિક એવોર્ડ્સમાં 6 નૉમિનેશન્સ મળ્યાં હતાં. એન્થની હોપકિન્સને પહેલો ઓસ્કાર 1991માં આવેલી ‘ધ સાઇલન્સ ઓફ ધ લેમ્બ્સ’ માટે મળ્યો હતો ને બીજી વખત ‘ધ ફાધર’ માટે 2021માં ઓસ્કાર મળતાં, 83 વર્ષે સૌથી વયોવૃદ્ધ એકટર તરીકેનું બહુમાન પણ તેમને નામે ચડ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન ફ્લોરિયન ઝેલરનું છે ને તેણે જ ક્રિસ્ટોફર હેમ્પટનની સાથે સ્ક્રીન પ્લે પણ લખ્યો છે. એ સ્ક્રીન પ્લે માટે બંનેને એકેડેમિક એવોર્ડ પણ મળ્યો છે. ફાધરની મુખ્ય ભૂમિકા એન્થની હોપકિન્સે ભજવી છે. આ ભૂમિકા હોપકિન્સને ધ્યાનમાં રાખીને જ લખાઈ છે. એ જ કારણ છે કે મુખ્ય પાત્રનું નામ પણ એન્થની રાખવામાં આવ્યું છે. તેની દીકરી એનની ભૂમિકા ઓલિવિયા કોલમેને ભજવી છે. એને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનું આ ફિલ્મમાં બીજી વખત નોમિનેશન મળ્યું હતું. પહેલું નોમિનેશન 2018માં આવેલી ફિલ્મ ‘ધ ફેવરિટ’ માટે મળ્યું હતું.

‘ધ ફાધર’ ચિત્તભ્રમની ફિલ્મ છે. તે પ્રેક્ષકને માત્ર ડિમેન્શિયાની જાણકારી જ નથી આપતી, અનુભવ પણ આપે છે. આખી ફિલ્મ એન્થનીની આંખે બતાવાઈ છે. દોઢેક કલાકની આ ફિલ્મની શરૂઆતમાં એન કહે છે કે તે વીક એન્ડમાં આવતી રહેશે, પણ હવે તે જેમ્સ જોડે પેરિસ રહેવા જવાની છે. એ સાથે જ એન્થની જુએ છે કે એક અજાણ્યો માણસ સોફા પર બેઠો છે. તે પૂછે છે કે તે કોણ છે ને એના ફ્લેટમાં શું કરે છે? પેલો પોતાની ઓળખાણ પોલ તરીકે આપતાં કહે છે કે એ ફ્લેટ તેનો છે. તે, એને તેના ફ્લેટમાં લાવ્યો છે. એન્થની એનને બોલાવે છે. એક સ્ત્રી સામે આવે છે તો એન્થની તેને પૂછે છે કે એન કયાં છે? પેલી કહે છે કે તે જ એન છે. એન્થની, તે પેરિસ જવાની છે એ વાત યાદ અપાવે છે તો પેલી કહે છે કે તે જવાની નથી.

એન ના કહે તેનું આશ્ચર્ય નથી, કારણ કે વીતેલા સમયમાં તો તે પોલ સાથે રહી જ છે ને પેરિસ જવાનું  વર્ષો પછી બનવાનું હોય તો એ સવાલનો જવાબ તે વીતેલા સમયમાં કેવી રીતે આપે? વર્તમાનમાં કહેવાયેલી વાત એન્થની ભૂતકાળમાં પૂછતો બતાવાય છે. જો કે, એન પછી ડિવોર્સ લે છે ને પાંચ વર્ષ સુધી લગ્ન કરતી નથી. ફિલ્મ જોનાર પ્રેક્ષકને તમ્મર આવી જાય તેવી સ્થિતિ છે, પણ એન્થની તો એનો ડગલેને પગલે સામનો કરે છે. બને છે એવું કે પ્રેક્ષક થિયેટરમાંથી ઊંચકાઈને સીધો જીવતાં સ્ક્રીન પર મુકાય છે. એન્થની જીવે છે વર્તમાનમાં ને જૂની સ્મૃતિ પ્રગટ થતી રહે છે. સ્મૃતિ પ્રગટ જ નથી થતી, તરત જ જીવાય પણ છે. એન્થની (અને ઓડિયન્સ પણ) એકસાથે વર્તમાન અને સ્મૃતિમાં સંડોવાય છે. મુશ્કેલી એ છે કે વર્તમાન અને ભૂતકાળને જુદા પાડનારી કોઈ ભેદરેખા જ નથી ને એમાં જીવનનો તાળો મળતો નથી. ભૂત અને વર્તમાન એકાકાર થતાં રહે છે. એન્થનીની મૂંઝવણ એ પણ છે કે ન જોઈતી સ્મૃતિ પણ, વર્તમાનમાં ધસી આવે છે, એટલે ગૂંચ ઑર વધે છે. તેનું ચિત્ત, નથી એ સમય પણ જુએ છે. ઘણીવાર તો એ નકકી નથી થતું કે દીકરી તેનાં ફ્લેટમાં છે કે તે દીકરીનાં ફ્લેટમાં છે? તેના ફ્લેટમાં તો દીવાલ પર લ્યુસીનું પેઇન્ટિંગ હતું, તે નથી દેખાતું તો તેને સવાલ થાય છે કે તે કોણે ખસેડ્યું? આમ તો બંને ફ્લેટ જુદા છે, પણ તેનું સામ્ય એન્થનીનો ભ્રમ વકરાવે છે, એટલે સ્થતિ વધુ કફોડી થાય છે. એક તબક્કે તે બારણું ખોલે છે તો તે, એ હોસ્પિટલમાં ખૂલે છે, જ્યાં લ્યુસી કણસતી પડી છે, તો બીજી વખત બારણું ખોલતાં તે પોતાને નર્સિંગ હોમમાં અનુભવે છે. કેમેરા, બારણાંઓને વારંવાર ને જુદા જુદા કલર ટોનમાં ક્લોઝઅપ્સમાં લાવે છે. એ ઉપરાંત જુદા જુદા સમયે રૂમનું શાંત ફર્નિચર પણ સૂચક રીતે બોલતું દેખાય છે.

શરૂઆતમાં એન્થનીને ઇયરફોન સાથે મ્યુઝિક સાંભળતો બતાવાયો છે. એને કારણે ઘરમાં પ્રવેશીને બોલાવતી દીકરી તેને સંભળાતી નથી. એમ જ એક પ્રસંગે તે સીડી સાંભળે છે, પણ તેનો કર્કશ અવાજ આવતાં તે સીડી બહાર કાઢે છે અને રૂમાલથી સાફ કરે છે, પણ સીડી તેની જેમ જ ઘસાઈ ગઈ છે એટલે કર્કશતા કેટલી ઘટે એ પ્રશ્ન જ છે. વોશબેઝિનનો પણ અસરકારક ઉપયોગ થયો છે. નળ ટપકવાનો અવાજ આવે છે ને એન્થની મોઢે છાલક મારે છે તે સાથે જ સ્મૃતિઓ ધોવાઇને નોખાં રૂપે પ્રગટે છે.

ફિલ્મમાં ઘડિયાળનો પણ સૂચક રીતે ઉપયોગ થયો છે. શરૂઆતમાં જ ઘડિયાળ ચોરાયાની વાત આવે છે ને પછી એન્થની હાથમાં પહેરીને એનને બતાવતો દેખાડાય છે. જાણે ચોરાયેલો સમય હાથ લાગ્યો ! એ એનો સમય છે. એ પછી એનું ઘડિયાળ પોલના હાથ પર હોવાનું એને લાગે છે. એ ટોળમાં પૂછે છે, ’ખરીદ્યું છે? એમાં રમૂજની સાથે કરુણતા પણ છે. કરુણતા એ કે એનું ઘડિયાળ બીજાના હાથમાં છે ને એણે હવે એના સમયમાં ગોઠવાવાનું છે. એક વાર એન્થનીને ઘડિયાળ જડતું નથી ને એણે સમય પૂછ્યા કરવો પડે છે. ઘડીભર તો તેને લાગે છે કે તે સમય વગરનો થઈ ગયો છે ! સમયની જ નહીં, કાળની પણ સેળભેળ થતી રહે છે. એમાં પાત્રોનાં નામ તો એ જ રહે છે, પણ વ્યક્તિઓ બદલાતી રહે છે, તે ત્યાં સુધી કે તે પોતાને વિષે પણ શંકા કરતાં નર્સ કેથરિનને પૂછે છે, ‘WHO EXACTLY AM I?’ ફિલ્મમાં રૈખિક સમય-વાસ્તવિક્તા – એ જ છે કે દીકરી શરૂઆતમાં પેરિસ જવાની વાત મૂકે છે ને અંતે દુ:ખી હૈયે પેરિસ જવા નીકળી જાય છે. એ સિવાયનો જે સમય ફિલ્મમાં દેખાય છે તે કેવળ ઉંમરને લીધે ગૂંચવાતાં વૈચારિક દૃશ્યો જ છે.

ફિલ્મમાં હૈયું ભીંજવનારી ક્ષણો પણ છે. એન જવાની છે. એન્થની એને ક્યારે જોવા પામશે એ નક્કી નથી. અત્યાર સુધી તો તે જ માતાની જેમ એન્થનીની કાળજી લેતી આવી છે. પિતાની સામે તે રડતી બેઠી છે ને પિતા એને ચહેરે એટલી સલુકાઈથી હાથ ફેરવે છે કે એની રેખાએ રેખા ટેરવાંમાં ઊતરી આવે ને એ જ પછી ભાવિ સ્મૃતિ બની રહે, પણ હાથ ફરે છે તેમ તેમ દીકરી છૂટતી પણ જાય છે. એમ લાગે છે જાણે ‘એન્થની’માંથી ‘એન’ અલગ થાય છે. પિતાનો હાથ ફરતો રહે છે તેમ તેમ એ સ્પર્શ દ્વારા પિતા પણ એનને હૈયે ઊતરતો જાય છે. આમ તો બહુ રહ્યું નથી, પણ એન્થનીનું ભાવિ નક્કી થઈ ગયું છે, તેણે કેથરિનની સંભાળમાં, નર્સિંગ હોમમાં જ રહેવાનું છે. આ યુગની એ કરુણતા છે કે વૃદ્ધત્વ હવે સંતાનો દ્વારા નહીં, પણ અજાણ્યા સ્વજનો દ્વારા ઉછરવાનું છે. સામે કેથરિન છે ને એકાએક દીકરીનાં આવેલાં કાર્ડ પરથી તે તેની માતાના સમયમાં મુકાય છે. એંશી વર્ષનો એન્થની આઠ વર્ષનો થઈ ઊઠે છે. માતાની તીવ્ર ઝંખના કરતો તે લોહીનાં આંસુ રડે છે ને રડતાં રડતાં હૃદયસ્પર્શી રીતે બોલે છે, ’મને લાગે છે કે હું મારાં પાન ખોઈ બેઠો  છું…’

કેથરિન તેને આશ્વસ્ત કરતાં, બહાર જવા તૈયાર થવાનું કહે છે. એન્થની આનાકાની કરે છે, તો બહુ અર્થસભર રીતે કહેવાય છે, ‘IT’S SUNNY OUTSIDE. WE HAVE TO GO WHILE IT’S SUNNY. WE HAVE TO TAKE THAT CHANCE. ‘CAUSE IT NEVER LASTS LONG WHEN THE WEATHER’S THAT GOOD, DOES IT?’

છેલ્લે, દૃશ્ય ખસે છે. બહાર પવનમાં હાલતાં ઝાંખાં પર્ણો ધોવાયાં હોય તેમ લીલું લીલું ચમકે છે ને એની ઉપરથી તડકાતું આકાશ ડોકાય છે …

આખી ફિલ્મ છવાયેલી રહી. અંતે બતાવાતાં વૃક્ષો સૂચવે છે કે મનુષ્યનું પણ વૃક્ષ જેવું જ છે. સો વર્ષ જૂનું વૃક્ષ, સો વર્ષ પહેલાંના સમયમાં હોય છે, એ સાથે જ વર્તમાનની દરેક ક્ષણોમાં પણ તે હોય છે. એનાં પર્ણો બદલાય છે, પણ જૂનાં ફરી આવતાં નથી. થડની પીડા એ છે કે નવાંનો ઉમંગ તો તે ઉછાળે છે, પણ જૂનાંને તે સાચવી શક્તું નથી. કરુણતા એ છે કે નવાં પર્ણો ઉગાડવા જતાં, વૃક્ષ તો ઘરડું થતું જ આવે છે. પછી એ જીવતું તો હોય છે, પણ એમાં જીવન હોતું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઑગસ્ટ 2023

Loading

किस दिशा में जा रही है भारतीय राजनीति

Opinion - Opinion|27 August 2023

राम पुनियानी

गत 15 अगस्त को भारत ने अपने 77वां स्वाधीनता दिवस मनाया. यह एक मौका है जब हमें इस मुद्दे पर आत्मचिंतन करना चाहिए कि हमारी राजनीति आखिर किस दिशा में जा रही है. आज से 76 साल पहले हमारे प्रथम प्रधानमंत्री जवाहरलाल नेहरु ने दिल्ली के लालकिले की प्राचीर से अपना ऐतिहासिक भाषण दिया था. उस समय देश बंटवारे से जनित भयावह हिंसा की गिरफ्त में था और ब्रिटिश शासकों की लूट के चलते आर्थिक दृष्टि से बदहाल था. हमारा स्वाधीनता संग्राम ने केवल ब्रिटिश औपनिवेशिक सत्ता की खिलाफत नहीं की वरन भारत के लोगों को एक भी किया. उन्हें भारतीय की एक साझा पहचान के धागे से एक सूत्र में बंधा.

संविधान सभा ने एक अभूतपूर्व ज़िम्मेदारी का निर्वहन किया. उसने भारत के लोगों की महत्वाकांक्षाओं और भावनाओं को समझा और उन्हें देश के संविधान का हिस्सा बनाया. हमारा संविधान एक शानदार दस्तावेज है. उसकी उद्देशिका न केवल स्वाधीनता आन्दोलन के मूल्यों का सार है वरन वह आधुनिक भारत के निर्माण की नींव भी है. नेहरु की नीतियों का लक्ष्य था आधुनिक उद्यमों और संस्थानों की स्थापना. भाखड़ा नंगल बाँध के निर्माण की शुरुआत करते हुए नेहरु ने स्वतंत्रता के बाद देश में स्थापित किए जा रहे वैज्ञानिक शोध संस्थानों, इस्पात और बिजली के कारखानों और बांधों को “आधुनिक भारत के मंदिर बताया” था. इनका लक्ष्य भारत को वैज्ञानिक और औद्योगिक प्रगति की राह पर अग्रसर करना था.

भारत आधुनिक देश बनने की राह पर चल पड़ा. औद्योगिकरण हुआ, आधुनिक शैक्षणिक संस्थाएं स्थापित की गईं, स्वास्थ्य के क्षेत्र में प्रगति हुई, दूध और कृषि उत्पादन बढ़ा और परमाणु व अंतरिक्ष सहित विज्ञान के लगभग सभी क्षेत्रों में शोध कार्य प्रारंभ हुआ. इसके साथ ही संवैधानिक प्रावधानों के चलते दलितों का उत्थान हुआ और शिक्षा व अन्य क्षेत्रों में महिलाओं की भागीदारी को प्रोत्साहित किया गया जिससे वे सामाजिक, राजनैतिक और आर्थिक क्षेत्र में अपनी उपस्थिति दर्ज करा सकीं. यह एक बेजोड़ और कठिन यात्रा थी जो 1980के दशक तक जारी रही.

सन् 1980 के दशक में देश को प्रतिगामी ताकतों ने अपनी गिरफ्त में ले लिया और साम्प्रदायिकता, राजनीति के केन्द्र में आ गई. शाहबानो के बहाने लोगों के दिमाग में यह बैठा दिया गया कि भारत की सरकारें अल्पसंख्यकों का तुष्टिकरण करती रही हैं. मंडल आयोग की रपट को लागू करने से भी साम्प्रदायिक राष्ट्रवाद को बढ़ावा मिला. ‘आधुनिक भारत के मंदिर’ निर्मित करने की बजाए हम मस्जिदों के नीचे मंदिर खोजने लगे. मस्जिदों को गिराना और उन्हें नुकसान पहुंचाना एक बड़ा मकसद बन गया. इससे सामाजिक विकास की प्रक्रिया बाधित हुई और आम लोगों को न्याय सुलभ करवाने और उनके जीवन को समृद्ध बनाने का सिलसिला रूक गया. महात्मा गांधी का ‘‘आखिरी पंक्ति का आखिरी आदमी‘‘ राजनैतिक सरोकारों से ओझल हो गया.

मंदिर की राजनीति के कारण जो हिंसा हुई उससे समाज ध्रुवीकृत हुआ और राजनीति में साम्प्रदायिक ताकतों का दबदबा बढ़ने लगा. मुसलमानों के अलावा ईसाईयों के खिलाफ भी हिंसा शुरू हो गई और जैसे-जैसे साम्प्रदायिक हिंसा बढ़ती गई वैसे-वैसे साम्प्रदायिक ताकतें भी ताकतवर होती गईं.

मंदिर के बाद गाय राजनैतिक परिदृश्य पर उभरी. मुसलमानों और दलितों की लिंचिंग होने लगी. घर वापसी का सिलसिला शुरू हुआ और लव जिहाद के मिथक का उपयोग मुस्लिम युवकों को निशाना बनाने के साथ-साथ लड़कियों और महिलाओं के अपने निर्णय स्वयं लेने के अधिकार को सीमित करने के लिए भी किया गया.

सामाजिक विकास की दिशा पलट गई. आर्थिक सूचकांकों में गिरावट आने लगी, भुखमरी का सूचकांक बढ़ने लगा और धर्म, अभिव्यक्ति और प्रेस की स्वतंत्रता को सीमित किया जाने लगा. सार्वजनिक क्षेत्र के बेशकीमती उद्यमों को सत्ताधारियों के चहेतों को मिट्टी के मोल बेचा जाने लगा. सत्ता के करीबी कई अरबपति जनता के पैसे चुराकर विदेश भाग गए. गरीबों और अमीरों के बीच की खाई और चौड़ी होने लगी. वैज्ञानिक सोच को बढ़ावा देने की बजाए प्रधानमंत्री हमें यह बताने लगे की प्राचीन भारत में प्लास्टिक सर्जरी इतनी उन्नत थी  कि हाथी का सिर मनुष्य के शरीर पर फिट किया जा सकता था. और यह तो केवल शुरूआत थी. सभी ज्ञानी हमें यह बताने लगे कि संपूर्ण आधुनिक विज्ञान हमारे प्राचीन ग्रंथों में मौजूद है.

इसके साथ ही भारतीय संविधान को बदलने की मांग, जो कुछ धीमी पड़ गई थी, फिर से जोर-शोर से उठाई जाने लगी. साम्प्रदायिक राष्ट्रवाद के चिंतक यह तर्क देने लगे कि भारत के सभ्यतागत मूल्यों (अर्थात ब्राम्हणवादी मूल्यों) को संवैधानिक मूल्यों से ऊंचे पायदान पर रखा जाना चाहिए. यह सामंती, पूर्व-औद्योगिक समाज की तरफ लौटने की यात्रा थी. न्याय के नाम पर बुलडोजरों का इस्तेमाल किया जाने लगा.

मणिपुर, नूह और मेवात में हिंसा की पृठभूमि में हम अपने गणतंत्र के भविष्य को किस तरह देखें? समस्या केवल राजनीति के क्षेत्र तक सीमित नहीं है. समाज में नफरत का बोलबाला है. बिलकिस बानो सहित हिंसा के अनेकानेक पीड़ितों को न्याय नहीं मिल पा रहा है. हिंसा करने वाले और नफरत फैलाने वाले बेखौफ हैं. ‘सभ्यतागत मूल्यों’ का हवाला देते हुए नए संविधान के निर्माण की वकालत की जा रही है. कुल मिलाकर हम पीछे जा रहे हैं.

ऐसे समय में आशा की एकमात्र किरण वे सामाजिक संगठन और समूह हैं जो हिंसा पीड़ितों के अधिकारों की रक्षा कर रहे हैं. इनमें शामिल हैं तीस्ता सीतलवाड़ के नेतृत्व वाला सिटिजन्स फॉर जस्टिस एंड पीस जैसे संगठन. कई जानेमाने वकील पूरी हिम्मत से सरकार की मनमानी की खिलाफत कर रहे हैं. हर्षमंदर के कारवां-ए-मोहब्बत जैसे संगठन भी आशा जगाते हैं. वे नफरत जनित हिंसा के पीड़ित परिवारों को सांत्वना और मदद उपलब्ध करवा रहे हैं. अनहद की शबनम हाशमी द्वारा शुरू किया गया ‘मेरे घर आकर तो देखो’ अभियान साम्प्रदायिकता के खिलाफ एक बुलंद आवाज है.

हम आज एक चौराहे पर खड़े हैं. राजनैतिक पार्टियों को भी यह एहसास हो गया है कि नफरत की नींव पर खड़ी साम्प्रदायिक विचारधारा कितनी खतरनाक है. वे संविधान और प्रजातांत्रिक मूल्यों की रक्षा के लिए साझा मंच बनाने को तैयार हो गए हैं. भारत जोड़ो अभियान की तरह की कई पहल हुई हैं जो शांति और सद्भाव का संदेश फैला रही हैं. कर्नाटक में जो हुआ उससे यह साबित होता है कि प्रजातंत्र को बचाया जा सकता है और जो लोग हमारे स्वाधीनता संग्राम सेनानियों के सपनों को जिंदा रखना चाहते हैं, उन्हें अवसाद में डूबने की जरूरत नहीं है. इस समय विभिन्न विघटनकारी ताकतें ‘आईडिया ऑफ इंडिया’ पर हमलावर हैं. वे भारत के संविधान को अपने रास्ते में बाधा मानते हैं. उनका एजेंडा एक ऐसे देश का निर्माण करना है जिसमें आम आदमी की आवाज अनसुनी ही रह जाएगी.

हम केवल उम्मीद कर सकते हैं कि आने वाले समय में मानवीय मूल्यों को बढ़ावा मिलेगा और हर व्यक्ति चाहे उसका धर्म, जाति या लिंग कुछ भी हो, सम्मान और गरिमा के साथ अपना जीवन जी सकेगा. और सभी की मूलभूत आवश्यकताएं पूरी होंगी.

23/08/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
https://www.navjivanindia.com/opinion/communalism-hate-speech-and-hatred-in-which-direction-is-indian-politics-going-article-by-ram-puniyani

Loading

ચંદ્રયાન 3: ભારતીય વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ સિદ્ધિ, જિઓપૉલિટિક્સમાં ભારતના લેન્ડિંગની મહત્તા વધી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 August 2023

ચંદ્રયાન 3 મિશન 75 મિલિયન ડૉલર્સને ખર્ચે કરાયું છે, જ્યારે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઇન્ટરસ્ટેલર, જે પણ અન્ય ગ્રહો અને પેરેલલ યુનિવર્સના વિષય અંગે હતી તેનું બજેટ 165 મિલિયન ડૉલર્સ હતું. આ છે ઇસરોના કરકસરિયા બજેટ પ્લાનિંગની કમાલ

ચિરંતના ભટ્ટ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરોની સિદ્ધિ ચંદ્રયાન 3ને ભારત જ નહીં, પણ દુનિયા ભરના લોકો ખોબલે ને ખોબલે વધાવી રહ્યાં છે. આ પહેલાં પણ ચંદ્ર સુધી પહોંચ્યા હોય તેવા અન્ય રાષ્ટ્રોનાં મિશન્સ પણ થયાં છે પણ ભારતનું ચંદ્રયાન 3 એવું પહેલું મિશન છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યું છે. 23મી ઑગસ્ટે સાંજે 6:04 વાગ્યે ભારત માટે ઐતિહાસિક ક્ષણ રચાઇ અને આખા વિશ્વમાં ભારતની વાહવાહી થઇ. ટ્વિટરના – જે હવે એક્સ તરીકે ઓળખાય છે તે – માલિક બન્યા પછી કંઇને કંઇ અજુગતું કરનારા એલન મસ્ક જે ટેસ્લાના સી.ઇ.ઓ. છે અને મંગળ પર માણસો મોકલવાના પોતાના મિશન અંગે પણ સમાચારોમાં રહ્યા છે, તેમણે પણ આ મિશનની સફળતાને વધાવી. મજાની વાત એ છે કે મસ્કે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં આ મિશનના ખર્ચા અંગે જે વાત કરાઇ હતી તેને વખાણી. સોશ્યલ મીડિયા પોસ્ટ અનુસાર ભારતનું આપણું ચંદ્રયાન 3 મિશન 75 મિલિયન ડૉલર્સને ખર્ચે કરાયું છે, જ્યારે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઇન્ટરસ્ટેલર, જે પણ અન્ય ગ્રહો અને પેરેલલ યુનિવર્સના વિષય અંગે હતી તેનું બજેટ 165 મિલિયન ડૉલર્સ હતું.

આપણે મૂળે તો કરકસરિયા માણસો છીએ અને એ વાત ઇસરોએ પણ યાદ રાખી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. મર્યાદિત બજેટમાં ઇસરોએ જે રીતે આ કામગીરી પાર પાડી છે કાબિલ-એ-તારીફ છે. ભારતીય આંકડામાં રૂપિયા 614 કરોડમાં ચંદ્રયાન 3નું મિશન પૂરું કરાયું છે. વધુ ગૌરવ કરવા જેવી એ બાબત છે કે અત્યાર સુધી ચંદ્રની સપાટીએ પહોંચવાના જેટલાં પણ મિશન થયાં છે તેમાંથી 55 ટકાથી વધુ નિષ્ફળ ગયાં છે અને માત્ર 54 ટકા જેટલાં જ સફળ રહ્યાં છે. બજેટને મામલે ઇસરો હંમેશાં કરકસરિયું જ રહ્યું છે, જેમ કે મંગળયાન જે પહેલી વારમાં જ સફળ રહ્યું હતું, તે પણ અન્ય દેશોએ કરેલા આવા પ્રયાસો કે મિશનની સરખામણી બહુ ઓછા બજેટમાં પાર પાડવામાં આવ્યું હતું.

ઇસરોના આ મિશનની વૈશ્વિક સ્તરે શું મહત્તા છે તે સમજવું પણ રાજકીય-ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં અનિવાર્ય છે. આપણે ‘વિશ્વગુરુ’નું ટાઇટલ સાકાર કરવાની મહેચ્છા છે ત્યારે આ મિશન સફળ જવું બહુ મોટી બાબત ગણાય. ભારતના સ્પેસ પ્રોગ્રામની શરૂઆત 1960માં થઇ હતી અને અત્યાર સુધી આપણે ઘણાં ઉપગ્રહો છોડ્યા છે, વળી આ પહેલા ચંદ્રયાન 1 મિશનમાં આપણે ચંદ્ર પર પાણી વાળી શોધ કરી તો એ પછી જ્યારે 2019માં બીજી વાર મિશન લૉન્ચ કર્યું તો તે નિષ્ફળ ગયું. અત્યારે મળેલી સફળતા ભારત માટે ગૌરવની વાત છે જ, પણ સરકાર માટે એ બહુ બધા ઉદ્દશોને પાર પાડવા માટે અનિવાર્ય ઘટના છે. જેમ કે ભારત યુ.એન. સિક્યોરિટી કાઉન્સિલનો કાયમી સભ્ય બનાવા માંગ છે અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં પણ જોડાવા માગે છે – હા એ સપનું કદાચ પૂરું નહીં થાય પણ ભારત હવે એ દેશોની યાદીમાં છે ચંદ્ર પર પહોંચ્યા છે. ચીન, રશિયા અને યુ.એસ.ની માફક ભારતે પોતાના વૈજ્ઞાનિક કૌશલ્યની સાબિતી આપી દીધી છે. આ ઉપરાંત આપણે ટેક્નિકલી સજ્જ છીએ તેને કારણે આપણે અન્ય દેશોને મદદ કરી શકીએ છીએ. જેમ કે ભારતના સ્પેસ રિસર્ચને કારણે ભૂગર્ભ જળનું સ્તર અને આબોહવામાં આવનારા ફેરફારો વિશે આગાહી થઇ શકી હતી અને આ બાબત એવા દેશોને મદદરૂપ થઇ શકે છે જે ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે સંવેદનશીલ હોય.

આ સફળતાને પગલે હવે ભારતમાં પ્રાઇવેટ સ્પેસ એક્સપ્લોરેશન પ્રોગ્રામ્સ પર કામ કરવાના નવા આયામો ખૂલી શકે છે અને ભારતનું સ્પેસ સેક્ટર જ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બની શકે છે. ક્લાઇમેટ ચેન્જ જેવા બદલાતા સમયના પ્રશ્નો મેનેજ કરવા હોય ત્યારે પણ આ ટેક્નોલોજી પર આધાર રાખી શકાય છે. ઇસરોના આ મિશનમાં ચંદ્ર પર મોટી માત્રામાં મળી આવતા હિલિયમ-3 એટલે કે હિલિયમ આઇસોટોપ પર ઊંડું સંશોધન થયું છે અને તે ભવિષ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્રોત તરીકે કામ લાગી શકે છે.

ચંદ્રયાન 3 એ સત્તાની સ્પર્ધામાં દોડતા દેશોમાં ભારતનું નામ વધારે ઘાટું કરનારું મિશન રહ્યું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભારત અને રશિયા વચ્ચે ચંદ્રની દક્ષિણે ‘લૅન્ડ’ થવાની સ્પર્ધા ચાલતી હતી, અને રશિયાનું મિશન રવિવારે જ નિષ્ફળ ગયું. રશિયા અને યુ.એસ.એ. વચ્ચેની દોરડાખેંચથી આપણે વાકેફ છીએ ત્યારે એક વાત ખાસ જાણવી જરૂરી છે કે યુ.એસ.એ. દ્વારા આર્ટેમિસ એકોર્ડ્ઝની સ્થાપના કરાઇ છે. આર્ટેમિસ એકોર્ડ્ઝનો હેતુ છે સ્પેસ કોર્પોરેશનને પ્રમોટ કરવું અને યુ.એસ.ના સાથી એવા ઘણા દેશો તેનો હિસ્સો છે. આપણે માટે મહત્ત્વનું એ છે કે વડા પ્રધાન મોદીએ જૂનમાં પોતાની વૉશિંગ્ટન ડી.સી.ની મુલાકાત દરમિયાન આર્ટેમિસ એકોર્ડ પર સહી કરી દીધી છે, રશિયા અને ચીન હજી તેનો હિસ્સો નથી. જીઓપૉલિટીકલ સ્પર્ધામાં જે પ્રકારના સંજોગો છે તે જોતાં કહી શકાય કે આપણી તાજી સફળતા પછી આપણે ભવિષ્યમાં પૃથ્વી પર જ નહીં પણ ચંદ્ર પર પણ ભલભલા બદલાવ કરવામાં યોગદાન આપીશું. અત્યારે બ્રિક્સ – BRICS સમિટ પણ ચાલે છે અને મોદી આ દરમિયાન કોને મળે છે અને કોને નહીં તે પણ જોવું રહ્યું. 

આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી આ તાજી સફળતાને પગલે ભારત પ્રત્યે લોકોની દૃષ્ટિ વધારે આવકાર્ય થાય તેવી પૂરી શક્યતા છે. સાઇકલ પર જવાતા ઇસરોના રૉકેટના નોઝ કોનની તસવીરો એ તો માત્ર એ ભવ્ય ઇતિહાસની શરૂઆત હતી જ્યાંથી ભારતીય સ્પેસ વૈજ્ઞાનિકોએ ચંદ્ર તરફ પેડલ મારવાનું શરૂ કર્યું હતું, અને આજે આટલા દાયકાઓ પછી આપણે અવકાશમાં આપણું પ્રભુત્વ એકથી વધારે રીતે જમાવી શક્યા છીએ. આપણે રાજકીય ઉજવણી અને દેકારાઓથી આ સિદ્ધિનો શ્રેય જેને મળવો જોઇએ તેમને આપતાં ચૂકીએ નહીં તે જરૂરી છે. વળી આપણે એ પણ યાદ રાખવું કે નૂહ, મણિપુર, લિંન્ચિંગ, ઓનર કિલિંગ, સામાજિક ધ્રુવીકરણ, અસમાનતાઓ, સાંસદોની લે-વે પણ આપણા જ દેશની વાસ્તવિકતા છે અને તે આપણે અવકાશના ઉત્સાહમાં જમીન પરથી પગ ઊંચા ન લઇ લઇએ. આપણે ઇસરોમાં દિવસ-રાત એક કરતાં વૈજ્ઞાનિકોથી પ્રેરિત થઇએ, એમના ઉત્સાહને અને ખંતને સ્વભાવમાં ઉતારીએ. એક નાગરિક તરીકે યાદ રાખીએ કે આ કોઇ રાજકીય પક્ષની સિદ્ધિ નથી, બ્રહ્માંડની વિશાળતામાં રાજકારણની હાર-જીતની કિંમત ખરતા તારા જેટલી પણ નથી એ યાદ રાખીએ. આપણે કશું જીત્યા નથી, આપણે ક્યાંક પહોંચ્યા છે અને જેમ કહે છે ને કે, ‘સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ,’ એમ વધુ આગળ જવાનું પણ છે.

બાય ધી વેઃ

ઇસરોએ જે સિદ્ધિ મેળવી તે અભૂતપૂર્વ છે એને તેના બજેટ મેનેજમેન્ટની પ્રસંશા બાદ હવે આપણે એ પણ જોવું પડે કે માળું આપણો દેશ જબરો જટિલ છે અને વિરોધાભાસથી ભરપૂર છે. એક તરફ ચંદ્રયાન 3 વૈજ્ઞાનિક સિદ્ધિ છે તો બીજી તરફ એ સિદ્ધિ આપણે મેળવી શકીએ એ માટે દેશભરમાં જાતભાતના પૂજા-પાઠ અને હોમ-હવન કરાયા. આ આખી વાત પર હસવું કે રડવું એ સમજાય નહીં. આપણે બધાં જ મૂળે અત્યંત શ્રદ્ધાળુ પ્રકારના માણસો છીએ અને એમાં કશું જ ખોટું નથી. પરંતુ છતાં પણ વૈજ્ઞાનિકોની રાત દિવસની મહેનત લેખે લાગે એટલે આપણે જે રસ્તો અપનાવીએ છીએ તેને પડકારનારા અને સત્ય શોધક સમિતિ ચલાવતા હોય તેવા વૈજ્ઞાનિક પ્રકારના લોકો પણ ઘણાં છે પણ પેલું ગીત છે ને, ‘ઇટ હેપન્સ ઑન્લી ઇન ઇન્ડિયા.’

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑગસ્ટ 2023

Loading

...102030...969970971972...9809901,000...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved