Opinion Magazine
Number of visits: 9665932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

भारत-रत्नों की भरमार

कुमार प्रशांत|Opinion - Opinion|17 February 2024

कुमार प्रशांत

कहावत पुरानी है कि भगवान जब देता है तो छप्पर फाड़ कर देता है !  तो समझिए कि वैसे ही काल से देश गुजर रहा है. कहा जा रहा है कि यहां हर कुछ, हर ओर से छप्पड़ फाड़ कर बरस रहा है ! हम भी देख रहे हैं कि छप्पर हो कि न हो, बारिश खूब हो रही है. जुमलों की बारिश, आंकड़ों की बारिश, घोषणाओं की बारिश ! आत्म-प्रशंसा की बारिश तो बहाल किए दे रही है. बेचारे कबीर ने ऐसा ही कुछ देखा होगा तो यह उलटबांसी लिखी होगा : बरसे कंबल, भींगे पानी !

तो इस बारिश में अब तक पांच ‘रत्न’ भी बरस चुके हैं. तब से रोज सुबह अखबार इसलिए ही खोलता हूं कि देखूं कि आज कौन-सा ‘रत्न’ बरसा ? आज ही नहीं, मैं पहले से भी हैरान रहता था कि यदि हमारे देश में इतने रत्न हैं तो हम इतने दरिद्र व फूहड़ क्यों हैं ? इस वर्ष के रत्नों को छोड़ दें तो 48 रत्नों की खोज हमने पहले ही कर ली थी. अब ( याकि अब तक !) हो गए हैं 53 यानी अर्द्ध-शतक पूरा हो चुका है. लेकिन बल्लेबाज क्रीज पर है और चुनाव-टाइम पूरा होने से पहले कई ओवर बाकी भी हैं, तो मतलब कि हे गुणग्राहको, अपनी पोथी बंद मत करना अन्यथा नये ‘रत्नों’ से वंचित रह जाओगे.

महात्मा गांधी ने 150 साल पहले जब ‘हिंद-स्वराज्य’ नाम की किताब लिखी थी तब ‘भारत-रत्न’ का जन्म भी नहीं हुआ था. उस किताब में बड़ी टेढ़ी-मेढ़ी बातें उन्होंने लिखीं. वह तो उनका भाग्य ही मानता हूं कि जैसे उस समय ‘भारत-रत्न’ का जन्म नहीं हुआ था वैसे ही उस समय ‘यूएपीए’ का जन्म भी नहीं हुआ था, नहीं तो महाशय धरे भी जाते और धकियाए भी जाते ! ‘हिंद-स्वराज्य’ में महात्माजी ने संसदीय लोकतंत्र की कटु समीक्षा करते हुए प्रधानमंत्री नाम के अनोखे प्राणी की आंतरिक विपन्नता पर ऊंगली उठा दी और लिख दिया कि वह अपनी सत्ता का सौदा कई तरह से, कई स्तरों पर करता है जिनमें एक तरीका सम्मान बांटने का भी है. गुलाम खरीदने की प्रथा बंद हो गई तो बड़े लोगों को गुलाम बनाने के नये रास्ते खोजने पड़े. महात्माजी ने यह भी लिख दिया कि प्रधानमंत्री नाम का यह प्राणी देशभक्त होता है, उन्हें इस पर भी शक है. जो बेचारा सारा देश अपनी तर्जनी पर उठाए फिरता है ( माफ कीजिए, देश नहीं, अब वह संसार उठाए फिरता है ! ) उसके बारे में ऐसी शंका !! मुझे पक्का विश्वास है कि महात्माजी को यह सब लिखने-कहने की छूट कांग्रेस व जवाहरलाल नेहरू ने दे रखी थी वरना रत्नों की ऐसी बेइज्जती सनातनी देश भला बर्दाश्त करता क्या ! यह अकारण नहीं है कि यह सरकार कांग्रेस-मुक्त देश बनाने में जुटी है और  सफलता के करीब है. कांग्रेस-मुक्त हो गया देश तो महात्माजी तो साथ ही निबट जाएंगे. इसलिए ‘वे’ उनके बारे में कम ही बोलते हैं. बुद्धिमान को इशारा काफी होता है तो कई हैं ‘उनके’ लोग जो उनका इशारा समझ चुके हैं और अपना काम बखूबी कर रहे हैं.

आपको यह भी देखना चाहिए कि रत्नों की इस खोज में सरकार ने पार्टी का भेद भी नहीं किया है. सबको एक नजर से, एक ही तराजू पर तोला गया है. टके सेर भाजी, टके सेर खाजा! मैं यह भी देख रहा हूं कि जिन्हें काल के कूड़ेघर में फेंक दिया गया था, उन्हें भी जब वहां से निकाल कर झाड़ा-पोंछा गया तो इस मीडिया नाम के जमूरे को उनमें नई ही रोशनी व चमक दिखाई देने लगी. अब कोई पिछले सालों की सारी खाक छान कर मुझे बताए कि कर्पूरी ठाकुर की किस विशेषता का जिक्र किसने, कब किया और इस मीडिया ने कब उनकी चमक कबूल की ? अब तो कई दावेदार पैदा हो गए हैं कि जो कह रहे हैं कि कर्पूरी ठाकुर जैसे रत्न को ‘भारत-रत्न’ न मिलने के कारण वे सालों से सोये नहीं हैं. अब जा कर उन्हें नींद आएगी ! मुझे भी अच्छा लगता है जब कोई चैन की नींद सोता है. लेकिन कर्पूरी ठाकुर का क्या ? जैसे-जैसे लोग उनकी जैसी-जैसी प्रशंसा कर रहे हैं उससे उनकी नींद हराम हो गई हो तो हैरानी नहीं. अंग्रेजी अखबारों ने उनकी प्रशंसा में अब क्या-क्या नहीं लिखा जबकि उनके रत्न बनने से पहले इन अखबारों ने कभी उनकी सुध भी नहीं ली और कभी ली भी तो उनको बेसुध करने के लिए ही ली.

सुध लेने की बात निकली ही है तो मैं सोच रहा हूं कि 2014 में ग्रह-परिवर्तन के बाद से किसने लालकृष्ण आडवाणी की सुध ली. वे भारतीय जनता पार्टी के सौरमंडल के किस कोने में रहे अबतक, इसका पता उनमें से किसे है जो आज उनकी अक्षय-कीर्ति के गान गा रहे हैं ? वे गा भी रहे हैं और कनखी से देख भी रहे हैं कि यह गान कहीं मर्यादा के बाहर तो नहीं जा रहा है ? जिस इशारे से लालकृष्ण आडवाणी को ‘भारत-रत्न’ बनाया गया है, सबको पता है कि उस इशारे के इशारे से आगे नहीं निकलना है.

भारतीय राजनीति के शिखरपुरुषों में शायद ही कोई दूसरा होगा जिसे लालकृष्ण आडवाणी जैसी हतइज्जती झेलनी पड़ी होगी. असामान्य बेशर्मी से उन्हें सरेआम अपमानित करने का कोई अवसर चूका नहीं गया. आज वे और उनका परिवार कृतकृत्य हो कर उस अपमान का सौदा ‘भारत-रत्न’ से करने में जुटा है. यह ज्यादा दुखद इसलिए है कि आडवाणी-परिवार व जयंत सिंह परिवार के संस्कारों में अब कोई फर्क बचा ही नहीं है.

कर्पूरी ठाकुर हों कि लालकृष्ण आडवाणी कि चौधरी चरण सिंह कि नरसिम्हा राव कि स्वामीनाथन, कौन कहेगा कि ये सब विशिष्ट जन नहीं हैं ? लेकिन कोई नहीं कहेगा कि इनमें विशिष्टता थी तो क्या थी ? हमारी परंपरा में मृतकों के लिए सच बोलने का चलन नहीं है. यह भी सही है कि याद ही रखना हो तो शुभ को याद रखना चाहिए. फिर भी एक सवाल तो बचा रह जाता है कि कैसे फैसला करेंगे कि कौन किस श्रेणी का हकदार है ?

सरकार के पास नागरिक सम्मान की चार श्रेणियां है न ! क्या ये श्रेणियां व्यक्ति का कद नापने के इरादे से बनाई गई हैं ? नहीं, ‘पद्मश्री’ से ‘पद्मविभूषण’ तक की सारी श्रेणियों को आंकने का आधार इतना ही हो सकता है कि किसने, किस क्षेत्र में ऐसा काम किया कि जिसका उनके क्षेत्र पर गहरा असर पड़ा ? एक बड़ा डॉक्टर या इंजीनियर या प्रोफेसर पूरे समाज पर नहीं, अपनी विशेषज्ञता के किसी पहलू पर ही असर डालता है, तो वह ‘पद्मश्री’ से नवाजा जा सकता है. कोई इससे बड़े दायरे को प्रभावित करता है तो ‘पद्मभूषण’ और जो कई दायरों को प्रभावित करता है तो वह ‘पद्मविभूषण’ से नवाजा जा सकता है. अगर राज्य द्वारा सम्मान कोई राजनीतिक क्षुद्रता की चालबाजी नहीं है तो ऐसे तमाम सम्मान व्यक्ति के छोटे या बड़े होने का फैसला नहीं करते, भारतीय समाज पर उस व्यक्ति के असर का आकलन भर करते हैं. खिलाड़ी, अभिनेता, वैज्ञानिक जैसी हस्तियां अपने-अपने क्षेत्र में आला हो सकती हैं लेकिन संपूर्ण भारतीय समाज व उसकी मनीषा पर उनका ऐसा कोई असर नहीं हो सकता कि जो व्यापक रूप से हमारी सोच-समझ को प्रभावित करता हो. यह सब भूल कर जब राज्य किसी को इस्तेमाल करने की छुद्रता करता है तब सम्मान अपमान में बदल जाता है. गांधी जिस अर्थ में इन सम्मानों को सत्ता की चालबाजी कहते हैं, उसे गहराई से समझने की जरूरत है.

हमने राजनीतिक चालबाजी के लिए इन नागरिक सम्मानों को व्यक्ति की हैसियत से जोड़ दिया है. जहां यह हैसियत से जुड़ जाता है, वहाँ ऐसे सारे सम्मान खरीदे व बेचे ही जाते हैं क्योंकि ऐसे सौदों की हैसियत खास लोगों की ही होती है.

‘भारत-रत्न’ का सीधा मतलब है कि आप ऐसे किसी व्यक्ति की बात कर रहे हैं जिसने भूत-भविष्य व वर्तमान तीनों स्तरों पर भारतीय मनीषा पर अपनी अमिट छाप छोड़ी है. यह वक्ती उपलब्धि की बात नहीं है, जिस हद तक इस नश्वर संसार में किसी की अविनाशी कीर्ति हो सकती है, उसकी बात है. अगर इस कसौटी को मान लें हम तो हमारे 53 भारत-रत्नों में से 3 भी इस पर खरे नहीं उतरेंगे. कोई क्रिकेट खेलता हो कि कोई गाना गाता हो वह हमारे वक्त का प्रतिनिधि हो सकता है,  ‘भारत-रत्न’ नहीं हो सकता है. प्रधानमंत्री या राष्ट्रपति बन जाना ‘भारत-रत्न’ का अधिकारी हो जाना हर्गिज नहीं हो सकता है. लेकिन यही तो हो रहा है.

रत्नों का यह बंटवारा दरअसल किसी दूसरे को नहीं, दूसरे के बहाने खुद को महिमामंडित करने की चालाकी है. हमने अपने गणतंत्र को इसी नकल पर संयोजित किया तो राज्य-पुरस्कारों का चलन भी शुरू किया.   हम भीतर से जितने दरिद्र होते हैं, बाहरी अलंकरणों से उसे उतना ही छिपाने की कोशिश करते हैं. आज वही तमाशा चल रहा है. ‘भारत-रत्न’ इतना खोखला कभी नहीं हुआ था.

(16.02.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

કર્પૂરી ઠાકુર : ફાટેલો કોટ પહેરતો અને ઝૂંપડીમાં રહેતો જનનાયક

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 February 2024

રાજ ગોસ્વામી

તાજેતરમાં, ભારત સરકારે બે શખ્સિયતને દેશનું સર્વોચ્ચ સન્માન, ભારત રત્ન, આપ્યું. 3 ફેબ્રુઆરીએ, કેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને અયોધ્યામાં રામ મંદિર ચળવળ માટે દેશ વ્યાપી રથયાત્રાના આયોજક લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી નવાજ્યા. તે પહેલાં, 25 જાન્યુઆરીએ, બિહારના બે વાર મુખ્ય પ્રધાન રહી ચુકેલા સ્વતંત્ર સેનાની અને શિક્ષક કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું હતું.

દેશની વર્તમાન પેઢીને કદાચ કર્પૂરી ઠાકુરનું નામ બિલકુલ ખબર ના હોય તે શક્ય છે. કર્પૂરી ઠાકુરને બિહારના રાજકારણમાં સામાજિક ન્યાયના નેતા માનવામાં આવે છે. કર્પૂરી ઠાકુરનો જન્મ એક સાધારણ વાળંદ પરિવારમાં થયો હતો. તેમણે જીવનભર કાઁગ્રેસ વિરોધી રાજકારણ કર્યું અને પોતાનું રાજકીય સ્થાન બનાવ્યું હતું. કટોકટી દરમિયાન પણ તમામ પ્રયાસો છતાં ઇન્દિરા ગાંધી તેમની ધરપકડ કરાવી શક્યાં ન હતાં. ભારત રત્ન માટે તેમની કેમ પસંદગી કરવામાં આવી, તેનાં અનેક કારણો પૈકી, તેમની આ રાજનીતિ પણ કારણભૂત છે.

બિહારના રાજકારણમાં, કર્પૂરી ઠાકુરની અવગણના ન કરી શકાય. કર્પૂરી ઠાકુરનું 1988માં અવસાન થયું હતું, પરંતુ આટલાં વર્ષો પછી પણ તેઓ બિહારના પછાત અને અત્યંત પછાત મતદારોમાં ખૂબ જ લોકપ્રિય છે. બિહારની લગભગ 52 ટકા વસ્તી પછાત અને અત્યંત પછાત છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે દરેક રાજકીય પક્ષ કર્પૂરી ઠાકુરનું નામ એ રીતે લે છે જાણે ભગવાનનું નામ લેતા હોય.

કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું હતું,”કર્પૂરીજી બિહારમાં સામાજિક આંદોલનના પ્રતીક રહ્યા છે, તેથી તમામ પ્રકારના લોકો, વિવિધ રાજકીય પક્ષો તેમના જન્મદિવસ પર સામાજિક ન્યાયનાં સપનાંને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.”

બિહારમાં જે વાળંદ સમુદાયની વસ્તી માત્ર બે ટકા જ છે, તેના નેતા કર્પૂરી ઠાકુર આટલા મોટા નેતા બન્યા તેનું કારણ એ છે કે ઠાકુરની ઓળખ અત્યંત પછાત વર્ગ(ઈ.બી.સી.)ના એક મોટા નેતા તરીકે કરવામાં આવી છે. નાની-નાની વસ્તીઓ ધરાવતા વૈવિધ્યસભર વંશીય જૂથ ઇ.બી.સી.માં 100થી વધુ જાતિઓનો સમાવેશ થાય છે. તેમણે એક વખત એક કવિતામાં કહ્યું હતું, “હમ સોયે વતન કો જગાને ચલે હૈં, હમ મુર્દા દિલોં કો જિલાને ચલે હૈં … ગરીબોં કો રોટી ન દેતી હુકૂમત, જાલિમોં સે લોહા બજાને ચલે હૈં.”

તેમની પ્રામાણિકતાની ઘણી વાર્તાઓ આજે બિહારમાં દંતકથાઓ બની ગઈ છે. રાજકારણમાં આટલી લાંબી સફર કર્યા પછી, જ્યારે તેઓ મૃત્યુ પામ્યા, ત્યારે તેમના નામે તેમના પરિવારના વારસાને ઘર પણ નહોતું. ન તો પટણામાં, કે ન તો તેમના પૂર્વજોના ઘરમાં, તેઓ એક ઇંચ જમીન ઉમેરી શક્યા. આજે જ્યારે કરોડો રૂપિયાના કૌભાંડમાં નેતાઓના નામ ઉછાળવામાં આવી રહ્યા છે, ત્યારે કર્પૂરી જેવા નેતાઓ પણ આપણી વચ્ચે હતા, તેના પર વિશ્વાસ કરવો શક્ય નથી. 

રામનાથ તેમના પિતાની સરળતાનો એક કિસ્સો વર્ણવે છે. તેઓ 1952માં ધારાસભ્ય બન્યા હતા. તેમને એક પ્રતિનિધિમંડળ સાથે ઑસ્ટ્રિયા જવાનું હતું. તેમની પાસે કોટ નહોતો એટલે કે મિત્ર પાસેથી ઉછીનો માંગ્યો. ત્યાંથી તેઓ યુગોસ્લાવિયા ગયા અને ત્યાં માર્શલ ટીટોએ જોયું કે તેમનો કોટ ફાટી ગયો છે અને તેમને એક નવો કોટ ભેટ આપ્યો હતો.”

એકવાર હઝારીબાગમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી. ત્યાં મુખ્ય મંત્રીની એક મોટા ઉદ્યોગપતિના ઘરે બ્રેકફાસ્ટ મિટિંગ ગોઠવવામાં આવી હતી. તેમને પાર્ટીમાં જોડાવાની વાત પણ થવાની હતી. જ્યારે કર્પૂરી ઠાકુર નાસ્તો કરીને ત્યાંથી પરત ફર્યા ત્યારે તેમણે પાર્ટી માટે તેમની પાસેથી માત્ર 500 રૂપિયા માંગ્યા હતા. પરત ફર્યા બાદ નેતાએ તેમને કહ્યું કે તેઓ 5 લાખ રૂપિયા આપવાના હતા. આજે કયો નેતા આવું કરે?

પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ તત્કાલીન મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરના અગ્ર સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેઓ કહે છે કે, “તેમની પત્ની ગામમાં રહેતી હતી. એકવાર હું એક સરકારી કાર્યક્રમ માટે સમસ્તિપુર ગયો અને ત્યાંથી તેમના ગામમાં ગયો, મેં જોયું કે ઝૂંપડું તૂટી ગયું હતું. ત્યાં એક તૂટેલી સ્ટૂલ હતી. તેમણે મને બેસવા માટે આપી હતી. તેમણે મારા માટે માટીના ચૂલા પર ચા બનાવી. કર્પૂરજી તે સમયે બિહારના મુખ્ય મંત્રી હતા.”

કર્પૂરી ઠાકુર સાથે સંકળાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ રાજ્યના મુખ્ય મંત્રી હતા, ત્યારે તેમના સાળા તેમની પાસે નોકરી માટે ગયા હતા અને તેમને ક્યાંક ભલામણ કરીને નોકરી મેળવવાનું કહ્યું હતું. તેમની વાત સાંભળીને કર્પૂરી ઠાકુર ગંભીર થઇ ગયા હતા અને પછી તેમના ખિસ્સામાંથી 50 રૂપિયા બહાર કાઢ્યા અને તેમને આપ્યા અને કહ્યું, ‘જાઓ, અસ્તરો વગેરે ખરીદો અને તમારા પૂર્વજોનો વ્યવસાય શરૂ કરો.”

ઉત્તર પ્રદેશના મહાન નેતા હેમવતી નંદન બહુગુણાએ તેમના સંસ્મરણોમાં કર્પૂરી ઠાકુરની સરળતાનું વર્ણન કર્યું છે. બહુગુણા લખે છે, “કર્પૂરી ઠાકુરની આર્થિક કટોકટીને ધ્યાનમાં રાખીને હરિયાણાના મુખ્ય મંત્રી દેવીલાલે પટણામાં એક હરિયાણવી મિત્રને કહ્યું હતું – જો કર્પૂરીજી ક્યારે ય તમારી પાસે પાંચથી દસ હજાર રૂપિયા માંગે, તો તમારે આપી દેવાના, મારા પર દેવું ગણજો. બાદમાં, દેવીલાલે તેના મિત્રને ઘણી વખત પૂછ્યું – ભાઈ કર્પૂરીજીએ કંઈક માંગ્યું. દરેક વખતે મિત્રનો જવાબ હતો – ના સાહેબ, તેઓ કંઈ માંગતા નથી.”

70ના દાયકામાં સરકાર પટણામાં ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના ખાનગી રહેઠાણો માટે પરવડે તેવા દરે જમીન આપી રહી હતી. કર્પૂરી ઠાકુરની પોતાની પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ તેમને તેમના નિવાસ માટે જમીન લેવાનું કહ્યું હતું. તેમણે સ્પષ્ટ ના પાડી. તે સમયના એક ધારાસભ્યએ પણ તેમને કહ્યું હતું, “તમે જીવતા નહિ હો ત્યારે તમારાં બાળકો ક્યાં રહેશે?” કર્પૂરી ઠાકુરે કહ્યું કે તે પોતાના ગામમાં જ રહેશે. 

જ્યારે કર્પૂરી ઠાકુર પ્રથમ વખત નાયબ મુખ્ય પ્રધાન અને પછી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તે પુત્ર રામનાથને પત્ર લખવાનું ભૂલ્યા નહોતા. પુત્ર રામનાથ કહે છે, “પત્રમાં માત્ર ત્રણ જ વાત લખેલી હતી – તું (મારા પદથી) પ્રભાવિત ના થઈશ, કોઈ લાલચ આપે તો લોભ ના કરતો, મારી બદનામી થશે.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ; “સંદેશ”; 13 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ બને જો ઈશ્વર, તો પણ હશે એ નશ્વર !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 February 2024

રવીન્દ્ર પારેખ

મારી એક વાર્તા છે, ‘કાલાતીત’ કરીને. એમાં મહત્તમ માઇનસ ડિગ્રી સેન્ટિગ્રેડ પર એક શબ સચવાયેલું છે, તે એટલા માટે કે અમુક વર્ષો પછી થનારી શોધમાં માણસ ફરી જીવતો થવાનો છે, એવી શોધ થાય છે ને સૈકાઓ પછી એ શબ જીવંત થાય છે. આ જીવ સૈકાઓ પછીનું પ્રગતિશીલ જગત જોઈને એવો ડઘાય છે કે તે ફરી વસિયત કરે છે કે હવે સૂઈ જાઉં, તો ફરી ન જીવાડવો. આવું એટલે બને છે કારણ, જગત સૈકાઓ આગળ નીકળી ગયું છે ને તે ઝડપે તેનું મગજ અપગ્રેડ થયું નથી

આજે અપગ્રેડેશન તેની ચરમસીમાએ છે, તો ય માણસને પાછળ પડી જવાનો ભય રહે છે. માણસનું સ્થાન આજે સાચાખોટા ડેટાએ લીધું છે. બધું જ ડેટાબેઝ છે. અનેક ક્ષેત્રોમાં એટલો ઝડપી વિકાસ થયો છે કે એ બધું જાણવા એક જિંદગી ઓછી પડે. એ ખરું કે માણસની આવરદા વધી છે, તો ય આ જગતને જાણવા તે ઘણી ઓછી છે, એટલે પ્રયત્ન એવો થઈ રહ્યો છે કે મનુષ્યને મૃત્યુ જ ન રહે. મૃત્યુ જ ન રહે તો જગતને વધુ જાણવાનું શક્ય બને ને એ તો આજે નહીં ને ગમે ત્યારે અપડેટ કે અપગ્રેડ થઈ શકે. એમ કહેવાય છે કે 2050 સુધીમાં માણસ અમરત્વ પ્રાપ્ત કરી લેશે. એટલે કે તેણે મૃત્યુનો સામનો નહીં કરવો પડે. એનો અર્થ એવો ખરો કે કોઈ અકસ્માત કે કોઈ યુદ્ધ જ નહીં થાય? થાય તો મૃત્યુને આવવાનું કોઈ કારણ રહેને ! એ દિવસો પણ દૂર નથી કે સ્ત્રી, પુરુષ વગર સંતાનને જન્મ આપી શકે કે પુરુષો પ્રેગ્નન્ટ થઈ શકે. ટૂંકમાં, કુદરતે કે ઈશ્વરે મનુષ્ય પર મૂકેલાં નિયંત્રણો ફગાવીને માણસ પોતાને અનુકૂળ થાય એવો માણસ ઘડવાની ફિરાકમાં છે.

આમ તો ઈશ્વરે પોતાના હોવાનો કોઈ દાવો ક્યારે ય કર્યો નથી કે નથી તો હોવાનો પણ કોઈ દાવો કર્યો, પણ માણસે જ તેની પ્રતીતિ કરી અને તેને સર્વસત્તાધીશનું સ્થાન આપ્યું. કુદરતે પણ તેનાં ઘણાં કરિશ્મા માણસોને બતાવ્યા. કોરી જમીન પર વરસાદ પડે ને લીલુંછમ ઘાસ ઊગી નીકળે એ ચમત્કાર નથી તો શું છે? જમીનનો રંગ લીલો નથી, વરસાદનું પાણી લીલું નથી, નથી કોઈએ ઘાસ રોપ્યું, તો તેને લીલું કરે છે કોણ? આવી તો કેટલી ય વાતો માણસને ઈશ્વરનો કે પ્રકૃતિનો મહિમા કરવા પ્રેરે છે. આજ સુધી એવું બન્યું છે કે કોઈ ટેકનોલોજી કે શોધ નહોતી થઈ ત્યારે ને આજે સાયન્સ અને ટેકનોલોજીનો જ મહિમા રહી ગયો છે  ત્યારે પણ, ઈશ્વર કે પ્રકૃતિ પરનો મનુષ્યનો ભરોસો અકબંધ છે. બીજા દેશોની વાત જવા દઇએ તો પણ અયોધ્યાનું રામમંદિર અને અબુધાબીનાં સ્વામિનારાયણ મંદિરે જે વૈશ્વિક પડઘો આસ્થાનો પાડ્યો છે, તે પરથી તો ભારત અને બીજા ઘણા દેશો ઈશ્વરમાંની પોતાની શ્રદ્ધા સહેલાઈથી જતી કરે એમ લાગતું નથી. આની સમાંતરે કેટલાક દેશો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એટલો ભરોસો ધરાવતા થયા છે કે તેમને ઈશ્વરને વળોટીને પોતાની સત્તા સ્થાપવાનો વિશ્વાસ ઊભો થયો છે. એ સત્તા સ્થાપવામાં એક જ વિઘ્ન નડે છે અને તે મૃત્યુ ! મનુષ્ય અને આ સમગ્ર જીવંત સૃષ્ટિને એક જ ભય સતાવે છે અને તે મૃત્યુનો ! આ મૃત્યુને કારણે જ મનુષ્ય ઈચ્છે ત્યાં સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપી શકતો નથી ને મને કમને તેણે મૃત્યુને શરણે જવું જ પડે છે.

એવું નથી કે જીવન બધાંને જ વ્હાલું છે. ઘણાં જીવનથી ત્રાસે પણ છે, એટલે અનેક રીતે જીવન ટુંકાવે પણ છે. એનો અર્થ એવો થયો કે ઘણાં અમર થવા નથી પણ માંગતા. એમને ટૂંકું જીવન વધુ ટુંકાવવા જેવું લાગે છે ને જીવનથી મુક્તિ મેળવે છે. જે ધર્મ જોડે સંકળાયા છે, તેઓ પણ વહેલો મોડો મોક્ષ ઈચ્છે છે, એમાં પણ ‘મુક્તિ’ની જ અપેક્ષા છે. એનો અર્થ એવો થયો કે એક વર્ગ એવો છે જે આ પૃથ્વી પર રહેવા ઈચ્છતો નથી. તેને મોક્ષ કે મૃત્યુ ખપે છે.

એક જિજ્ઞાસુ વર્ગ એવો પણ છે જે પુનર્જન્મમાં માને છે, પણ તેનો લોભ ભવિષ્યે હજાર વરસ પછીનું જગત કેવું છે એ જોવાનો હોય એમ બને. બને કે એ હજાર વર્ષ પછી, બીજા હજાર વર્ષનું જીવન જોવાની ઈચ્છા થાય ને એ લોભ દરેક જન્મે ઓછો જ પડે. મારા જેવાને એમ પણ થાય કે આ જીવન 80એ પૂરું થતું હોય તો નવું જીવન 81થી શરૂ થાય તો ચાલેને ! ફરી એકડો ઘૂંટવાની કે કક્કો ગોખવાની જફા શું કામ? એને બદલે 81એ જ્યાંથી બાકી હોય ત્યાંથી શરૂ થાય તો શું ખોટું? કાલિદાસ ગમે એટલો મહાન કવિ હોય, પણ તેને રવીન્દ્રનાથની કવિતા વાંચવા ન મળે એટલી ખોટ તો તેને ખરી કે કેમ? એને બદલે એ એના સમયમાં હોય ને મારા સમયમાં પણ હોય, એવું જીવન એનું કે મારું કેમ ન હોય? જો કે, એક આશ્વાસન આ જન્મનું એટલું તો છે કે બારાખડીથી શરૂ કરીને હું આ જન્મમાં જ કાલિદાસ, શેક્સપિયર કે રવીન્દ્રનાથ અને છેક આજના કવિ સુધી આવી શકતો હોઉં કે વીજળી ન હતી એવા સમયથી શરૂ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI સુધી આવી શકતો હોઉ તો, નવા જન્મમાં એકડે એકથી શરૂ કરીને AIથી માંડીને જે તે સમયનાં છેલ્લાંમાં છેલ્લાં જ્ઞાન સુધી આવી જ શકુંને ! ને એ પણ 80ની અપાયેલી ઉંમરમાં –

જો કે, જે રીતનો માહિતી, ટેકનોલોજી અને વિ-જ્ઞાનનો છેલ્લાં થોડાં વર્ષોમાં રાફડો ફાટ્યો છે એ જોતાં આજની તારીખમાં સેંકડો વર્ષનું આયુષ્ય મળે તો પણ ઓછું પડે એમ બને. એ સંજોગોમાં સ્વાભાવિક જ એમ થાય કે મનુષ્યને મૃત્યુ જ ન હોય તો કેવું સારું ! અખંડ જીવન વડે સતત બ્રહ્માંડની સાથે તો રહેવાય. ધારો કે એવું થાય કે મૃત્યુ ક્યાં ય રહે જ નહીં, તો અપડેટ કે અપગ્રેડ થવાનું ગમે ખરું? ન ગમે તો પણ ગમાડવું પડે એવો સમય આવી રહ્યો છે. ઈચ્છા હોય કે ન હોય અપગ્રેડ થવાની લાચારી જ નિયતિ હોય એમ બને. ભવિષ્યમાં અપગ્રેડ ન હોવું મૃત્યુનો જ પર્યાય હશે. સતત જીવવાનો આનંદ રહે ખરો? રહે તો પણ કેટલોક? તેનો થાક લાગે? કે એવી કોઈ શોધ થઈ ચૂકી હોય કે થાક લાગે જ નહીં ! એ તો સમય પર જ ખબર પડે, પણ અત્યારની ટેકનોલોજી અને વિજ્ઞાનની ગતિ તો મૃત્યુ પર વિજય મેળવવાની લાગે છે. એમાં પણ મનુષ્ય સતત અપગ્રેડ ન રહ્યો તો તે જીવ વગરનો જ થઈને રહી જશે. તેનું મૂલ્ય જ કદાચ નહીં હોય ! ટૂંકમાં, અપગ્રેડ થયા વગરનો માણસ શબથી વધારે કૈં નહીં હોય ! આવનારું જીવન સમૃદ્ધ હશે, પણ જોખમો કે ચિંતા વગરનું નહીં હોય. જો મૃત્યુ પર વિજય મેળવાય તો ઈશ્વરને શરણે જવાનું કે તેની ભક્તિ કરવાનું કે તેનાથી ડરવાનું પણ બહુ નહીં રહે. એ સ્થિતિમાં મનુષ્ય જ ઈશ્વરનું સ્થાન લે એમ બને. માણસ ઈશ્વર થવા મથે તો એ મનુષ્યનાં હિતમાં કેટલુંક હોય તે વિચારવાનું રહે જ છે.

ઈશ્વરને મનુષ્ય થવાનો વાંધો નથી, એમ જ મનુષ્યને પણ ઈશ્વર થવાનો નહીં હોય એમ બને. તેણે તો મત્સ્યાવતાર, કૂર્માવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર લઈને લોક ક્લ્યાણનાં અનેક કર્યો કર્યાં ને અવતાર છતાં, સાધારણ મનુષ્યનું મૃત્યુ માંગ્યું. પગમાં તીર વાગવાથી કોઈ માણસ મર્યો નથી, પણ ભગવાને મોક્ષ મેળવ્યો છે, તો, મનુષ્ય ઈશ્વર થઈને દેવત્વ નિભાવી શકશે એવું લાગે છે?

એવું એટલે નથી લાગતું કે ’અહમ્ બ્રહ્માસ્મિ’માં ‘અહમ્’ વધારે મુખર થતો આવ્યો છે. મનુષ્ય તરીકે એક તરફ મૃત્યુ પર વિજય મેળવવાની વાત છે, તો બીજી તરફ મનુષ્ય જ ન રહે એવા સંહારની વેતરણમાં જ જગત અત્યારે વધુ વ્યસ્ત છે. રશિયા વિશ્વયુદ્ધની તૈયારીમાં હોવાનો પાકો વહેમ જગતને છે. ઈઝરાયેલ અને હમાસના યુદ્ધનો છેડો જણાતો નથી ને એ ઉપરાંત પણ ક્યાંક ને ક્યાંક હિંસક છમકલાં તો થયાં જ કરે છે. અણુ યુદ્ધની ધમકીઓ પણ વખતો વખત અપાતી રહે છે. એક બાજુ જિંદગી વિસ્તારવાની વાત હોય, મૃત્યુ પર જીત મેળવવાની કોશિશો ચાલતી હોય ને બીજી બાજુએ સમગ્ર પૃથ્વીનો એકથી વધુ વખત સર્વનાશ થઈ શકે એટલાં શસ્ત્રો જગતે વસાવ્યાં હોય તો સવાલ થાય કે આ બધી મહેનત જીવવા માટે છે કે મરવા માટે છે? બનવું તો એવું જોઈએ કે આખું વિશ્વ સહકારની ભાવનાથી વિકસે, પણ કરુણતા એ છે કે તે સ્પર્ધાના ભાવથી આગળ વધી રહ્યું છે, સૌથી દુ:ખદ બાબત એ છે કે વિશ્વના ચાવવાના અને બતાવવાના જુદા છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ફેબ્રુઆરી 2024

Loading

...102030...794795796797...800810820...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved