Opinion Magazine
Number of visits: 9561764
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ईसाई समुदाय को लुभाने में जुटे मोदी

राम पुनियानी|Opinion - Opinion|6 January 2024

राम पुनियानी

गत 25 दिसंबर, 2023 को प्रधानमंत्री नरेन्द्र मोदी ने कई ईसाईयों को क्रिसमस की बधाई देने और उनसे बातचीत करने के लिए अपने घर निमंत्रित किया। उन्होंने समाजसेवा के क्षेत्र में ईसाई समुदाय के योगदान और प्रभु ईसामसीह की समावेशी शिक्षाओं की सराहना की. उन्होंने ईसाई समुदाय के नेताओं से अपने पुराने और लम्बे संबंधों के बारे में भी अपने मेहमानों को बताया।  इसके कुछ दिन बाद केरल में कुछ सैकड़ा ईसाईयों ने भाजपा कीसदस्यता ले ली। ‘द हिन्दू’ ने लिखा: “भाजपा की राज्य इकाई की कोट्टयम में हुई बैठक में तय किया गया कि ईसाई समुदाय को आकर्षित करने के लिए 10 दिन की स्नेह यात्रा निकाली जाएगी जिसके दौरान पार्टी मणिपुरहिंसा सहित विभिन्न मसलों पर अपनी बात समुदाय के सामने रखेगी”. केरल के मुख्यमंत्री पिनयारी विजयन ने बिलकुल ठीक कहा कि “मणिपुर में हालत यह हो गई है कि आबादी का एक हिस्सा…ईसाई समुदाय वहां रह हीनहीं सकता…हम सबने देखा है कि इस मामले में राज्य और केंद्र दोनों सरकारों ने चुप्पी साध रखी है” (द इंडियन एक्सप्रेस, मुंबई, जनवरी 2 2024).

अगला आम चुनाव नज़दीक है और आरएसएस–भाजपा ने ईसाई समुदाय को लुभाने के प्रयास शुरू कर दिए हैं. जहाँ तक ईसाई समुदाय की वर्तमान स्थिति का सवाल है, उसे विभिन्न राष्ट्रीय और अन्तराष्ट्रीय रपटों औरधार्मिक स्वतंत्रता सूचकांकों से समझा जा सकता है. ‘वादा न तोड़ो अभियान’ के अनुसार देश में हर दिन ईसाईयों की प्रताड़ना की दो घटनाएँ होती हैं. उत्तर प्रदेश में….”करीब 100 पास्टर और आम पुरुष और महिलाएं भीगैर–क़ानूनी धर्मपरिवर्तन करवाने के आरोप में जेलों में बंद हैं, जबकि वे या तो जन्मदिन मना रहे थे या इतवार की विशेष प्रार्थना सभा कर रहे थे.”

एक ज्ञापन के अनुसार सरकार कार्डिनलों और पास्टरों के खिलाफ अपनी विभिन्न जांच एजेंसियों का इस्तेमाल भी कर रही है. यूनाइटेड क्रिस्चियन फोरम के अनुसार, सन 2022 के पहले सात महीनों में ईसाईयों पर हमलों की302 घटनाएं हुईं. नेशनल सॉलिडेरिटी फोरम एंड इवैंजेलिकल फेलोशिप ऑफ़ इंडिया के आर्चबिशप पीटर मेकेडो द्वारा दायर एक याचिका के मुताबिक, “राज्य ऐसे समूहों के खिलाफ त्वरित और आवश्यक कार्यवाही करनेमें असफल रहा है जिन्होंने ईसाई समुदाय के खिलाफ व्यापक हिंसा की, नफरत फैलाने वाले भाषण दिए, उनके आराधना स्थलों पर हमले किये और उनकी प्रार्थना सभाओं में व्यवधान उत्पन्न किये.”

अंतर्राष्ट्रीय धार्मिक स्वतंत्रता पर अमरीकी आयोग (यूएससीआईआरएफ) ने लगातार चौथे साल भारत को ‘विशेष सरोकार’ वाला देश निरुपित किया है और अमरीकी सरकार से कहा है कि वह इस तथ्य को ध्यान में रखते हुएअपनी नीतियां बनाए.

ओपन डोर्स के अनुसार, “वर्तमान सरकार के मई 2014 में सत्ता में आने के बाद से ईसाईयों पर दबाव में नाटकीय वृद्धि हुई है…हिन्दू अतिवादी अन्य धर्मों के लोगों पर बिना किसी भय के हमले करते हैं और कुछ इलाकों मेंउन्होंने गंभीर हिंसा की है…बड़ी संख्या में राज्य सरकारें धर्मांतरण–विरोधी कानून लागू कर रही हैं जिनका घोषित उद्देश्य हिन्दुओं का जबरदस्ती दूसरे धर्मों में परिवर्तन रोकना है मगर असल में उनके बहाने ईसाईयों को धमकायाऔर प्रताड़ित किया जाता है…पास्टर होना इस देश में सबसे ज्यादा जोखिम वाला काम बन गया है. हिन्दू अतिवादी पास्टरों पर हिंसक हमले करते हैं ताकि आम ईसाईयों के मन में डर का भाव बैठाया जा सके.”

ईसाई समुदाय  की वर्तमान स्थिति की जड़ में है हिन्दू राष्ट्रवादी आख्यान जिसमें इस्लाम और ईसाईयत को विदेशी धर्म माना जाता है. आरएसएस के द्वितीय सरसंघचालक एम.एस. गोलवलकर ने अपनी पुस्तक “बंच ऑफ़थॉट्स” में लिखा है कि ईसाई और कम्युनिस्ट, हिन्दू राष्ट्र के आतंरिक शत्रु हैं.

आरएसएस की शाखाओं में भी इसी आशय की बातें सिखाई जातीं हैं. हिन्दू राष्ट्रवादी गतिविधियों में उछाल के साथ ईसाईयों के खिलाफ हिंसा सबसे पहले देश के आदिवासी इलाकों में शुरू हुई. प्रचार यह किया गया किईसाई मिशनरीज़ ज़बरिया, धोखाधड़ी और लोभ–लालच से आदिवासियों को ईसाई बना रही हैं. ईसाई धर्म भारत के सबसे पुराने धर्मों में से एक है. ऐसा कहा जाता है कि सेंट थॉमस मालाबार के तट पर उतरे और 52 ईस्वी मेंउन्होंने वहां देश के पहले चर्च की स्थापना की. कुछ अन्य स्त्रोतों के अनुसार वे चौथी सदी में मालाबार आये थे. सन 2011 की जनगणना के अनुसार, देश की कुल आबादी में ईसाईयों का प्रतिशत 2.3 है. मजे की बात यह हैकि सन 1971 से इसमें लगातार गिरावट आ रही है: 1971- 2.60%, 1981-2.44%, 1991-2.34%, 2001-2.30%, 2011-2.30% (सभी आकंड़े जनगणना से).

मगर बेसिरपैर के दुष्प्रचार के नतीजे में गुजरात के डांग में सबसे पहले (25 दिसंबर 1998 से लेकर 3 जनवरी 1999 तक) ईसाई–विरोधी हिंसा हुई. इसकी बाद, 22 जनवरी 1999 की रात आरएसएस के अनुषांगिक संगठन बजरंग दल के कार्यकर्ता राजेंद्र पाल उर्फ़ दारासिंह ने पास्टर ग्राहम स्टेंस और उनके दो मासूम पुत्रों को जिंदा जला दिया. दारा सिंह इस समय उम्र कैद की सज़ा काट रहा है. इस घटना को तत्कालीन राष्ट्रपति डॉ के.आर. नारायणन ने “दुनिया के काले कारनामों की सूची का हिस्सा” बताया. स्टेंस ऑस्ट्रलियाई मिशनरी थे और ओडिशा के क्योंझर, मनोहरपुर में काम करते थे. जब वे अपने दो बच्चों टिमोथी और फिलिप के साथ एक खुली जीप में सो रहे थे तब दारा सिंह ने कुछ लोगों के साथ मिलकर तीनों को जिंदा जला दिया. आरोप यह लगाया कि कुष्ठ रोगियों की सेवा के बहाने वे धर्मपरिवर्तन करवा रहे थे.

घटना की जाँच के लिए नियुक्त वाधवा आयोग ने पाया कि पास्टर स्टेंस धर्मपरिवर्तन में संलग्न नहीं थे और जिस इलाके में वे काम कर रहे थे वह की ईसाई आबादी में कोई बढोत्तरी नहीं हुई थी. इसके बाद से दूर–दराज के इलाकों में ईसाई–विरोधी हिंसा जारी रही. अधिकांश मामलों में इस तरह की हिंसा क्रिसमस के आसपास होती थी. फिर 25 अगस्त 2008 को ओडिशा के कंधमाल में भयावह हिंसा शुरू हुई जिसमें 100 से ज्यादा ईसाई मारे गए, ईसाई महिलाओं के साथ दिल दहलाने वाली बलात्कार की घटनाएं हुईं और कई चर्चों को आग के हवाले कर दिया गया. तबसे ईसाई–विरोधी हिंसा चल ही रही है यद्यपि यह सुनिश्चित किया जाता है कि उस पर ज्यादा शोरशराबा न हो. अक्सर दूरदराज के इलाकों में काम रहे पादरियों को तब घेरा जाता है जब वे प्रेयर मीटिंग संचालित कर रहे हों. बजरंग दल और उसके जैसे अन्य संगठनों के सदस्य प्रेयर मीटिंग्स में बाधा डालते हैं. पादरियों को पुलिस द्वारा गिरफ्तार किया जाता है और उन्हें परेशान किया जाता है.

मणिपुर में ईसाईयों के खिलाफ करीब सात महीनों से हिंसा चल रही थी. कुकी, जिनमें से अधिकांश ईसाई हैं, डबल इंजन सरकार के निशाने पर हैं. मणिपुर और दिल्ली दोनों में भाजपा की सरकारें हैं. प्रधानमंत्री ने साफ़ कर दिया है कि इस ईसाई–विरोधी हिंसा को रोकना उनकी सरकार की प्राथमिकताओं में नहीं है. वे दुनिया भर में जा रहे हैं मगर मणिपुर के लिए उनके पास वक्त नहीं है. कुछ हिम्मतवर सामाजिक कार्यकर्ताओं और पत्रकारों ने इस इलाके में भ्रमण कर हिंसा की आग को बुझाने का प्रयास किया लेकिन सरकार की उदासीनता के चलते इस खाई को भरना मुश्किल होगा.

इस समय प्रधानमंत्री मोदी जो कर रहे हैं, वह केवल छवि बनाने की कवायद है. केरल में कई धनी ईसाई इस हिन्दू बहुसंख्यकवादी राजनीति के जाल में फँस रहे हैं. यह भी सच है कि ईडी, इनकम टैक्स आदि के कहर से बचने के लिए ईसाई समुदाय के शीर्ष धार्मिक नेतृत्व का एक हिस्सा सरकार के साथ खड़ा होने को आतुर है.

हमें यह समझना होगा कि मोदी एंड कंपनी एक तरफ तो ईसाई समुदाय को हाशिये पर धकेल देना चाहते हैं तो दूसरी ओर वे चुनावों में उनके+  वोट भी हासिल करना चाहते हैं.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

અયોધ્યામાં ‘ભગવાન રામ વિશ્વ વિદ્યાલય’ની સ્થાપના થવી જોઈએ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 January 2024

રવીન્દ્ર પારેખ

સૂરતમાં નર્મદ યુનિવર્સિટી છે. એ નામ હવે આટલે વર્ષે સાર્થક થઈ રહ્યું છે. નર્મદ આમ તો સુધારાનો કડખેદ હતો. તેણે ઘણા સામાજિક સુધારાઓ કરાવ્યા હતા. મહારાજોના પાખંડ સામે પણ તેણે માથું ઊંચકેલું, પણ પછી મિત્રોનો સાથ ન મળ્યો ને એ એકલો પડ્યો. થાક્યો ને ‘યાહોમ’ કરતો નર્મદ ‘હોમ’ કરતો થયો. નર્મદનો આ U-ટર્ન યુનિવર્સિટીમાં હવે અનુભવાય છે. યુનિવર્સિટી પણ હવે હોમહવનમાં પડે તો આશ્ચર્ય ન થાય. આનંદ એ વાતનો છે કે એ ‘કેસરિયાં’ કરતી થઈ છે. આમ તો અહીં પ્રકાર પ્રકારના અધ્યાપકો-વિદ્યાર્થીઓ-હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, પણ તે બધાં ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે, જો કે, એમાંનું કોઈ ‘કેસરિયાં’ કરે એવું વિત્તવાન નથી, પણ સાધુત્વ તો બધાંમાં જ છે, એટલે ભગવા રંગે રંગાવાનું હવે સગવડિયું થઈ ગયું છે. વિદ્યાર્થીઓ મગજ ગુમાવીને પણ ભગવા રંગે રંગાઈ રહ્યાં છે એ પણ સૂચક છે. યુનિવર્સિટીમાં ભણવાનું ચાલે કે ન ચાલે, પણ અત્યારે તેનો પચાસમો યુવક મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આખી યુનિવર્સિટી ભગવા રંગે રંગાઈ ગઈ છે. તેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાય તો નવાઈ નહીં. ગુજરાતની કોઈ યુનિવર્સિટીને ન સૂઝ્યું, તે નર્મદ યુનિવર્સિટીને સૂઝ્યું. હવે તે ભગવી યુનિવર્સિટી થવામાં મોખરાનું સ્થાન મેળવે તો નવાઈ નહીં.

આમ તો આ તક અયોધ્યાએ આપી છે. આવતી 22 મી જાન્યુઆરીએ ત્યાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થવાનો હતો, પણ નસીબે વનવાસ આવ્યો. એ પછી છેક 14 વર્ષે રામ રાજ્યની શરૂઆત થઈ. એ પછી પણ સીતાનો વનવાસ તો લંબાયો જ ! એક ધોબીના કહેવાથી રામે સીતાને વનવાસ આપ્યો. એટલે સીતા તો અર્ધાંગિની હતી, છતાં તે રામરાજ્ય બહુ જોવા પામી નહીં ને ધરતીની પુત્રી ધરતીમાં સમાઈને રહી. ઘણા લોકો રામની એ વાતે ટીકા કરે છે કે એક ધોબીની વાતમાં આવી જવાની જરૂર ન હતી. રામ તો જાણતા હતા કે સીતા અગ્નિપરીક્ષા પસાર કરી ચૂકી હતી, પણ રામરાજ્યમાં ધોબી જેવાના અવાજને ય સ્થાન હતું તે રામે સિદ્ધ કર્યું. લઘુમતીને પણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ એ વાતનો મહિમા રામે કર્યો. આમ તો ત્યારે તો રાજાશાહી હતી, લોકશાહીનું તો સ્વપ્નું ય પડ્યું ન હતું ને છતાં ધોબીનો અવાજ ભગવાન રામ સુધી પહોંચ્યો હતો ને એમનો નિર્ણય સીતા ત્યાગમાં આવ્યો. પ્રાણથી પણ અધિક એવી સીતાનો એમણે ત્યાગ કર્યો. ઈચ્છીએ કે સામાન્ય માણસનો અવાજ આજે ય દબાય નહીં.

તે વખતે ન મળ્યો હોય એવો ભવ્ય આવાસ આજે ભગવાન રામને અયોધ્યામાં મળી રહ્યો હોય એવું લાગે છે ને એનો સમગ્ર રાષ્ટ્રને આનંદ છે. અયોધ્યાનું રામ મંદિર વૈશ્વિક સ્થાપત્ય તરીકે પણ નોંધપાત્ર હશે એનું આશ્ચર્ય નથી. એ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રભાવમાં, આખો દેશ ને દેશની યુનિવર્સિટીઓ ધડો લઈ શકે એવો પ્રયોગ નર્મદ યુનિવર્સિટીએ કર્યો છે. યુનિવર્સિટીએ પહેલ એ કરી છે કે તેણે યુનિવર્સિટીનું ‘વિશ્વ વિદ્યાલય’ કર્યું. ખરેખર તો ‘મંદિર’ કરવા જેવું હતું, કારણ 50માં સ્વર્ણિમ યુવા મહોત્સવને યુનિવર્સિટીએ  ‘રામોત્સવ’ તરીકે ઓળખાવ્યો છે. રામ ભગવાન છે, પણ યુનિવર્સિટીમાં તે ‘થીમ’ થયા ને એ થીમ પર કળશ યાત્રા યોજાઈ. રામ નામ… ના નારા લાગ્યા ને પરિસરમાં ભગવી ધજાઓ લહેરાઈ. ‘રામ નામ જપના… ’જેવું બોલાયું કે નહીં તે તો ખબર નથી, પણ ‘રામોત્સવ’ના મુખ્ય અતિથિ સતીશકુમારે કહ્યું પણ ખરું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું તે બીજા કોઈ સ્થળે જોવા મળ્યું નથી. યુનિવર્સિટીમાં ધાર્મિક વાતાવરણ હોય એ જ ચમત્કાર નથી? મુખ્ય અતિથિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા અખિલ ભારતીય સ્વદેશ જાગરણ મંચના મંત્રી છે એટલે યુનિવર્સિટીને તો ‘મોસાળમાં જમવા’ જેવું જ થયું છે. યુનિવર્સિટી અને મંદિર એકાકાર થઈ ગયાં હોય તેવું વાતાવરણ હતું. રામ, લક્ષ્મણ, સીતા ને હનુમાનજીની ને રામ મંદિરની ઝાંખી કરાવવામાં આવી હતી ને વિદ્યાર્થીઓ ભગવા વસ્ત્રોમાં ભાવિક ભક્તો હોય તેમ રામ મંદિરમાં લાગતા હતા. સ્પર્ધાના વિષયોમાં પણ રામનો થીમ છવાઈ રહે એવું આયોજન હતું. ચિત્ર પ્રદર્શની પણ રામ અને રામ મંદિરને અનુરૂપ કરવાની વાત હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ રામ જ કેન્દ્રમાં રહ્યા. આમ તો આ યુવા મહોત્સવ માટે 55 લાખ તો ફાળવાયા જ હતા, પણ આ રામોત્સવ પણ હતો, એટલે પાંચ લાખ વધુ ફાળવાયા હતા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 જાન્યુઆરીએ યોજાવાનો છે, એ ઉપલક્ષમાં નર્મદ યુનિવર્સિટી પણ અહીં આયોજન કરવાની છે ને તેને માટે બીજા 5 લાખ પણ ફાળવવામાં આવ્યા છે.

50મો સ્વર્ણિમ યુવા મહોત્સવ તો 6 તારીખે સંપન્ન થશે, પણ રામોત્સવ તો 22મી જાન્યુઆરી સુધી ચાલવાનો છે ને એ અંતર્ગત યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો દ્વારા રોજ રાત્રે આરતી પણ કરવામાં આવશે. આરતી છે, તો પ્રસાદ પણ હશે. ભજનકીર્તન પણ હોય તો નવાઈ નહીં. આ બધો પ્રતાપ અયોધ્યાનાં રામ મંદિરમાં થનાર પ્રાણ પ્રતિષ્ઠાનો છે, બાકી, નર્મદ યુનિવર્સિટી વળી આટલી ધાર્મિક ક્યારે હતી ! એના વિદ્યાર્થીઓ તો ભણવામાં કે કોપી કરવામાં કે ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકીને પાસ થવામાં વ્યસ્ત હતા, તેમનું આવું હૃદય પરિવર્તન થયું તે જાણીને હરખ થાય છે. હવે તો ભગવાન રામ જ પરીક્ષાઓમાં તેમની સીધી સહાય કરે એમ બને. પરીક્ષાનો વિષય કોઈ પણ હોય, વિદ્યાર્થીઓ રામની ચોપાઈઓ લખી આવે તો પણ કામ થઈ જશે.

ખરેખર તો બધી યુનિવર્સિટીઓમાં રામાયણ, મહાભારત, ગીતા જેવા ધર્મગ્રંથો શીખવવા સાધુ, સંતોને આમંત્રણ આપીને વિદ્યાર્થીઓમાં ધર્મભાવના ઉજાગર કરવી જોઈએ, જેથી સમાજમાં છેડતી, દુષ્કર્મ, હત્યા, આત્મહત્યા જેવા અપરાધોમાં ઘટાડો થાય. ધર્મના આટલા ઉછાળ છતાં અપરાધો વકરતા જ જાય છે તે દુ:ખદ છે. કમ સે કમ 22મી સુધી તો રામ નામનો ઉછાળ ચરમસીમાએ હશે, ત્યારે રામાયણ, શ્રીમદ રામાયણ જેવી સિરિયલો કે સંપૂર્ણ રામાયણ, રામ ભક્ત હનુમાન કે ભરત મિલાપ જેવી ફિલ્મો યુનિવર્સિટીઓમાં, ઘરોમાં, મંદિરોમાં સતત બતાવવી જોઈએ. રામ સિવાય બીજું કૈં સૂઝે જ નહીં એવું વાતાવરણ ઊભું થાય તો આખો દેશ ભવ્ય ઉત્સવમાં જોડાય ને તેની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાય તો શું ખોટું છે? એ પછી ચૂંટણી યોજાય તો ભાવિક ભક્તો મતદાન કરવાનું ન ચૂકે ને એનો સીધો લાભ લોકશાહીને થાય એ કેવી મોટી ફળશ્રુતિ હશે, નહીં?

અહીં એક નાજુક સવાલ એ ઊઠે છે કે ચૂંટણી છે તેથી પ્રાણ પ્રતિષ્ઠા છે કે પ્રાણ પ્રતિષ્ઠા છે તેથી ચૂંટણી છે તે સમજાતું નથી, પણ જે થાય તે સારા માટે. પ્રાર્થના તો એ જ કરવાની રહે કે લોકશાહી ટકી રહે ને 2024ની જેમ જ 2029ની ચૂંટણી પણ આવે. હા, એક સવાલ જરૂર થાય છે ને તે એ કે નર્મદ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી ગિનેસ બુકમાં નામ નોંધાવવા જેવું રેકોર્ડ બ્રેક ધાર્મિક કર્તવ્ય 50માં સ્વર્ણિમ યુવા મહોત્સવ નિમિત્તે કરતી હોય, તો અયોધ્યામાં ‘ભગવાન રામ વિશ્વ વિદ્યાલય’ની સ્થાપના થવી જોઈએ કે કેમ? વડા પ્રધાનશ્રી જેવા માટે તો એ ડાબા હાથનો ખેલ છે. જોવાનું એ રહે કે દેશ ક્યાંક ડાબા હાથે ન મુકાઇ જાય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જાન્યુઆરી 2024

Loading

આત્મવિશ્વાસની પાંખો

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|5 January 2024

ભલે પંચોતેરનાં થયાં હોય પણ નીતાબહેન અત્યાર સુધી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હતાં. ઘરનાં નાનાંમોટાં કામ કે શાકભાજી અથવા ફળફળાદિની ખરીદી એમણે પોતાને હસ્તક રાખેલી એટલે નોકરી કરતી વહુ રંજનાને નિરાંત હતી. કદાચ, મદદરૂપ થતાં તેથી જ એમનું માન હતું.

અત્યારે પથારીમાં પડ્યાં પડ્યાં નીતાબહેન એ કમનસીબ દિવસને યાદ કરી રહ્યાં જ્યારે અચાનક જ કમરમાં એવો સણકો ઊપડ્યો કે એમનાથી ચીસ પડાઈ ગયેલી. ન હાલી-ચાલી શકાય કે ન સૂઈ-બેસી શકાય. પડખું ફરવા જાય ત્યારે તો થાય કે, હમણાં જીવ નીકળી જશે. કરોડરજ્જુના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે નિદાન કરતાં ફેંસલો સંભળાવેલો, માજીની ઉંમર વધારે છે પણ સ્પાઈન સર્જરી કરાવ્યા વિના ચાલે એમ નથી. હૉસ્પિટલમાંથી રજા આપતાં પહેલાં ફિઝિયોથેરપિસ્ટે પ્રેમથી સમજાવેલું, આંટી, બહુ નાજુક ઑપરેશન થયું છે તેથી તકલીફ તો થવાની જ, દુ:ખાવો પણ રહેશે પણ ચાલવાની કોશિશ તો કરવી જ પડશે. શરૂઆતમાં જ પ્રયત્ન નહીં કરો તો હંમેશ માટે પથારીવશ રહેવું પડશે.

આ પથારીવશ શબ્દએ એમને ગભરાવી મૂક્યાં હતાં. વળી એ જોઈ શકતાં હતાં કે ઘરનાં બધાં કામનો અને પોતાની માંદગીનો બોજો માથે આવી પડવાથી રંજનાનો સ્વભાવ અને વર્તન પણ બદલાયાં હતાં. બે-ચાર બૂમ પાડે ત્યારે માંડ આવીને એ ઘૂરકિયું કરતી, ‘મમ્મી, કેટલી બૂમો પાડો છો! સવાર સવારમાં મારે કેટલાં કામ હોય! જરા શાંતિ રાખતાં હો તો!’

આમ તો એમને માટે રાત-દિવસની નર્સ રાખી હતી પણ ક્યારેક થતું કે, કોઈ પ્રેમથી માથે હાથ ફેરવે, પૂછે કે, આજે કેમ ઓછું ખાધું? જો કે, હવે ધીમે ધીમે એમને સમજાતું જતું હતું કે, આવી અપેક્ષા રાખવાથી પોતાના મનને જ ક્લેશ થવાનો છે.

પાસે પડેલા રેડિયાની સ્વીચ દબાવી તો એમાંથી દર્દીલું ગીત વહી આવ્યું, ‘પિંજરે કે પંછી રે, તેરા દરદ ન જાને કોઈ …’ એમની આંખોમાં આંસુ છલકાયાં. થયું, ‘સાચે જ, મારી આ પરવશતાનું દુ:ખ કોઈને નહીં સમજાય.’

અમિતના મિત્ર અને એની પત્ની એમની ખબર પૂછવા આવેલાં. ઘડીક એમની પાસે બેસીને ચારે જણ દીવનખાનામાં વાતો કરતાં બેઠાં હતાં. એકદમ શાંતિ હોવાથી એમની વાતો નીતાબહેન સાંભળી શકતાં હતાં.

અમિત, આ ઉંમરે મેજર ઑપરેશન થયું છે. હવે આંટી પોતાના પગ પર ઊભાં રહી શકે એ વાત ભૂલી જવાની.

રંજનાનો ફરિયાદ કરતો સૂર સંભળાયો, ‘હા, જુઓને, કેવી ઉપાધિ આવી પડી! હું એકલા હાથે ઘર સંભાળું, ઑફિસે જાઉં કે આમનું ધ્યાન રાખું? મારી નણંદ તો બે દિવસ આવીને રહી ગઈ. કાયમ તો મારે જ જોવાનું ને?’

‘તું ચિંતા ન કરીશ. આજથી એને ચાલતી કરવાની જવાબદારી મારી. હું મમ્મીને ચાલતાં શીખવીશ. નાનપણમાં એણે આંગળી ઝાલીને  મને ચાલતાં શીખવ્યું હતું. હવે મારો વારો.’

દીકરાના મક્કમ અવાજે નીતાબહેનને ઘણું બળ આપ્યું. એમણે પોતાની જાતને તૈયાર કરવા માંડી. ‘ન કેમ થાય? થશે. કાલે વોકરથી બે જ ડગલાં ચાલી શકી હતી, આજે છ ડગલાં ચલાયું ને?’

અમિત પૂછતો, ‘મમ્મી, થાકી ગઈ છે કે, થોડું વધારે ચાલીશ?’

નર્સ પાસે મોં પર આવેલો પરસેવો લૂછાવતાં નીતાબહેન હસીને કહેતાં, ‘બેટા, તને ચાલણગાડી લઈને ચાલતાં શીખવતી ત્યારે તો હું તને કહેતી, વાંધો નહીં,  પડીએ તો જ શીખાય, પણ આજે તું મને એવું કહી શકીશ?’

થોડીવાર ખુરશી પર બેસીને આરામ કર્યા પછી કહેતાં, ‘કેટલા ય દિવસોથી મારાં ફૂલોને જોયાં નથી. એમને મળવાનું બહુ મન થયું છે. ધીમે ધીમે મને બાલ્કની સુધી લઈ જા. હું ચાલી શકીશ.’

નવરાશના સમયમાં હવે નીતાબહેન પ્રેરણાત્મક પુસ્તકો વાંચતાં. કેવી રીતે અરુણિમા સિંહાએ લોહી નીતરતા પગે એવરેસ્ટ સર કર્યો, કેવી રીતે અપંગ દીકરી તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી – એ બધી વાતો વાંચતાં એમનું મન હકારાત્મક ઊર્જાથી ભરાઈ જતું. એમનો જુસ્સો જોઈને રંજનામાં પણ પરિવર્તન આવવા લાગ્યું. સાંજને છેડે પરવારીને એ સાસુ પાસે આવીને બેસતી, ‘મમ્મી,તમે કેટલાં સરસ સ્વેટર ગૂંથતાં હતાં! હું તમને ઊન અને સોયા લાવી આપીશ. મને પણ ગૂંથતાં શીખવજો.’

ધીમે ધીમે આડોશ-પાડોશમાં રહેતી વહુ-દીકરીઓ પણ એમની પાસે ભરત-ગૂંથણ શીખવા આવવા લાગી. પોતે પણ કોઈને ઉપયોગી થઈ શકે છે અને કોઈકને પોતાની જરૂર છે એ લાગણીથી એમની ઑપરેશન પછીની હતાશા-નિરાશા તળિયે બેસવા લાગી અને આછર્યાં પાણીની જેમ ઉત્સાહ અને ઉમંગ મનની સપાટી પર લહેરાવા લાગ્યા. પહેલાં થોડી વાર બેસીને થાકી જતાં નીતાબહેન કોઈને શીખવવામાં એવાં મશગૂલ થઈ જતાં કે, અંતે નર્સે કહેવું પડતું, ‘કબ સે બૈઠે હો માજી, અબ થોડા આરામ કરો.’

એક દિવસ સાંજે અમિત અને રંજનાએ પૂછ્યું, ‘મમ્મી, નીચે ગાર્ડનમાં જવું છે?’

નીતાબહેનને પોતાના કાન પર ભરોસો ન બેઠો. ‘મારાથી જવાશે?’

‘કેમ નહીં જવાય? અમે બંને છીએ ને, તમારે ડાબે ને જમણે. ને પાછળ નર્સબહેન છે. તમને જરા ય વાંધો નહીં આવે.’

ડગુમગુ ચાલતું સરઘસ બગીચામાં પહોંચ્યું ત્યારે નીતાબહેનને લાગ્યું કે, જાણે બીજી જ દુનિયામાં આવી ગયાં છે! આસપાસનાં ફૂલ, ઝાડ, અરે! ઘાસને પણ એ અચરજથી જોઈ રહ્યાં. ‘બધું કેટલું બદલાઈ ગયું છે નહીં?’

એમનો હાથ પોતાના હાથમાં લઈને સ્નેહથી દબાવતાં અમિતે કહ્યું, ‘બધું નહીં મમ્મી, તારું મન બદલાયું છે.’

‘હા … એ વાત તો સાચી.’ એમણે ખુશ થતાં કહ્યું. સૂર્ય આથમવા આવ્યો ત્યારે બધાં ઘર તરફ વળ્યાં. બગીચામાં બેઠેલી કોઈ સ્ત્રી મીઠા સ્વરે ગાઈ રહી હતી એ ગીતના શબ્દો નીતાબહેનને કાને પડ્યા,

‘ઊંચે ગગન મેં ઊડને કા સપનાં, હથેલી સે બાદલ કો છૂને કે અરમાં,

મૂઝ કો મિટાના હૈ ઈન ફાસલોં કો, મૂઝે પંખ દે દો, મૂઝે પંખ દે દો’

એમને થયું, હવે મને પાંખો મળી ગઈ છે. હવે હું આભને આંબી શકીશ.

(પ્રતિમા શ્રીવાસ્તવની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ડિસેમ્બર 2023; પૃ. 24

Loading

...102030...794795796797...800810820...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved