Opinion Magazine
Number of visits: 9741738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યારે એ આવી જાય છે

અનુવાદક : નંદિતા મુનિ|Poetry|19 March 2024

ખ્યાતનામ હિન્દી કવિ વિનોદ વિઠ્ઠલના એક કાવ્ય जब वह आ जाती हैનો અનુવાદ માણો.

ટપાલખાતાની ભૂલથી કોઇ પ્રેમપત્ર આવી ચડે

સુખના મનીઓર્ડર ઉપર ભગવાન તમારું સરનામું લખી નાખે

એકાદ ઋતુ ચોરાઈ જતાં વસંતને એકાએક આવી જવું પડે

રવિવાર બીજા દિવસો કરતાં બમણો લાંબો હોય

આપણે જાગીએ નહીં ત્યાં સુધી કૂકડા ને સૂરજ પણ આરામ કરે

ચાવી ભરવાનું ભૂલી જઈએ ને બધી ઘડિયાળો બંધ થઈ જાય

તમે વિશ્વાસ રાખો, એવી ક્ષણ આવે છે

આપણા જીવનમાં એકાદ વાર- સદીના પહેલા દિવસની જેમ

બહુ રાહ જોવડાવ્યા બાદ, ભલે ને,

જ્યારે એ આવી જાય છે.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મુંબઈનો બહાર પુસ્તકના કર્તા રતનજી ફરામજી વાછા (૧૮૧૫-૧૮૯૩) સાથેની એક કાલ્પનિક મુલાકાત 

દીપક મહેતા|Opinion - Opinion|19 March 2024

દીપક મહેતા

દી.મ. : વાછા શેઠ, એક વાત પૂછું?

વાછા શેઠ : એમાં વલી પૂછવાનું સું? માલુમ હોસે તો જરૂર જવાબ આપીસું.

દી.મ. : આય પુસ્તકનું નામ આપે ‘મુંબઈનો બહાર’ એવું કેમ રાખ્યું?

વાછા શેઠ : તમે બંજર, ઉજ્જડ, વગડાઉ જમીન જોઈ છે? આય મુંબઈ બી પ્હેલાં એવું જ હુતું. જાત મહેનત કરીને, ખાતર-પાણી નાખીને, પસીનો રેડીને, બાગબાન જેમ એક ગુલજાર બગીચો બનાવે છે, તેમ આય મુંબઈને ઝીરોમાંથી હીરો બનાવનાર લોકોના ખાનદાનોની તવારીખ આય ચોપરીમાં આપવાની કોશિશ કીધી છે એટલે એને નામ આપ્યું ‘મુંબઈનો બહાર.’

દી.મ. : પણ આ ગ્રંથમાં ફક્ત પારસી ખાનદાનોની જ વાત છે?

વાછા શેઠ : ના, જી. તેમાં પોર્ટુગીઝ, મરાઠી અને ગુજરાતી બોલનારા હિંદુ, અને પારસી ખાનદાનોની મળી તેટલી માહિતી મેં આપી છે.

દી.મ. : આજે તો માગો તે આપે એવા ગુગલદેવાના અમારા પર ચાર હાથ છે. પણ એ જમાનામાં તો એ હતા જ નહિ. તો આપે આટલી બધી માહિતી ભેગી કઈ રીતે કરી?

વાછા શેઠ : હા, અમારા વખતમાં અખબાર સિવાય બીજું કોઈ બી સાધન હુતું નૈ. એટલે પહેલું કામ કર્યું તે મુંબઈના અખબારોમાં લાંબી લચક જાહેરાત છપાવી. તમારે એ વાંચવી છે? તો આપું નકલ.

દી.મ. : હા જી. પણ હું મોટેથી વાંચીશ અને વાંચતી વખતે ઘણા પારસી બોલીના શબ્દો બદલી નાખીશ.

વાછા શેઠ : જેવી તમારી મરજી. લો, વાંચો.

દી.મ. : (વાંચે છે) “મુંબઈ મધે વસનારા સઘળી જ્ઞાતના હિંદુઓ તથા મુસલમાનો, ઉપરાંત પારસીઓ, યહૂદીઓ, તથા ઈસાઈ કોમના શેઠ શાહુકારો, સોદાગરો, શાસ્ત્રીઓ, તથા બીજા ધંધાદારીઓની સેવામાં અરજ છે કે આ આબાદ શહેર જ્યારથી નેકનામદાર અંગ્રેજી રાજમાં પહેલવહેલું જોડાયું ત્યારથી તે હમણાંના વખત સુધીની હકીકત એકઠી કરીને એક પુસ્તકના આકારમાં બહાર પાડવાની ખ્વાહીશ એક ગૃહસ્થે રાખીને કેટલીક બાબતો મહેનત લઈ મેળવી છે, અને બીજીની શોધમાં પણ તે મશગુલ રહેલો છે, માટે ઉપર જણાવેલી વર્ણોના સાહેબોના વડવાઓ જે ઠેકાણેથી આવીને પહેલવહેલા મુંબઈમાં વસ્યા તેમના નેકીભર્યા કામોની યાદી તથા બીજી વિગતો જેમ બને તેમ તાકીદથી લખીને આજથી માસ એકની મુદત સુધીમાં જે કોઈ સાહેબ મોકલી આપશે તો તેમનો ઘણો અહેસાન માનીને નોંધવામાં આવશે.” 

વાછા શેઠ : અરે બાવા, આય તો તમે મારી પારસી બોલીને ‘શુદ્ધ’ ભાષાની અંગરખી પહેરાવી દીધી.

દી.મ. : પણ એ કહોને વાછા શેઠ, કે તમારી આ જાહેરાતનો રિસ્પોન્સ કેવો રહ્યો?

વાછા શેઠ : રૂપિયે બે આની બી નહિ. આ જાહેરાત છપાવેલી ૧૮૭૦ના ડિસેમ્બરની ૨૦મી તારીખે. દોઢ-બે મહિના રાહ જોઈ. પછી પેલી કહેતી યાદ આવી : હિંમતે મર્દા તો મદદે ખુદા. પહેલાં થોડા મિત્રોને મળિયો, થોડી વાતો મળી. પછી તેમના મિત્રો, પછી … એમ સાંકળ થતી ગઈ. પૂરાં તન વરસ આ રીતે ખબરો મલતી ગઈ. સાથોસાથ એ બધીને ગોઠવતો ગયો. પછી લખવાનું કામ. જે વારે હું લખતો હૂતો તે વારે એક દોહરો મારા મનમાં રમતો હૂતો:

ઉજડેલું ફરી વસે, ને મુફલીસ ઘર ધન જાયે,

ગયું જોબન નહિ આવે પાછું, મૂવો ન જીવતો થાયે. 

આય આપરું મુંબઈ શહેર બી એક વેલા ઉજ્જડ જેવા સાત ટાપુનું બનેલું હુતું. બધી કોમના નબીરાઓએ પસીનો પાડીને, બુદ્ધિ લડાવીને, પૈસો બનાવીને અને તેને સારી અને સાચી રીતે વાપરીને એ ઉજ્જડ જાગાને એક સુંદર બગીચા જેવી બનાવી. 

દી.મ. : વાછા શેઠ! તમુને જાણીને ઘન્ની ખુશી ઉપજશે કે તમારી આ ચોપડીનો અંગ્રેજી અનુવાદ છપાઈને બહાર પડ્યો છે. 

વાછા શેઠ : આવું કામ કરવાનું તે વલી કોને સૂઝ્યું?

દી.મ : હોમી દી. પટેલને. અને એવને કરેલો અનુવાદ ત્રણ ત્રણ જાણકારોએ ‘એડિટ’ કિધેલો છે: ઝેનોબિયા દુમાસિયા, આબાન મુખર્જી, અને રશના પોન્ચા. અને આ બધાને ચાનક ચડાવનાર છે ડો. નવાઝ મોદી.

વાછા શેઠ : પન આવરૂં મોટું થોથું છાપિયું છ કોન્ને?

દી.મ. : મુંબઈમાં લાયન ગેટ સામે આવેલી કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટે. અને વાછા શેઠ, જરા દિલ થામ કે સાંભળજો : એની કિંમત છે ચાર હજાર રૂપિયા. ૧૪મી માર્ચ ૨૦૨૪ના દિવસે એ જ જગ્યાએ પુસ્તક રીલીઝ કરવાનો કાર્યક્રમ હતો તેમાં આ નાચીઝને બી બોલવા કહેલું. તે વારે મેં તમારી ચોપડી વિષે તો વાત કરેલી જ, પણ સાથોસાથ કહેલું કે હવે બમનજી બહેરામજી પટેલના ‘પારસી પ્રકાશ’ના પહેલા ત્રણ ભાગનું બી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન જલ્દીથી થવું જોઈએ. કારણ આ બે પુસ્તકો ઉથલાવ્યાં ન હોય તેમને ૧૯મી સદીના મુંબઈના ઇતિહાસ વિષે લખવાનો અધિકાર ન હોવો જોઈએ એમ અમારું માનવું છે.

વાછા શેઠ : થેંક યૂ મિસ્ટર મહેતા, થેંક્યું કામા ઇન્સ્ટિટ્યૂટ.

XXX XXX XXX

Loading

ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 March 2024

અમદાવાદમાં, 16 માર્ચ 2024ના રોજ રાત્રે 10.50 વાગ્યે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં, ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમને ફાળવેલ જગ્યામાં રમઝાનની નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે કેસરી ખેસ ધારણ કરેલ એક ટોળું ત્રાટકે છે. મારમારી કરે છે. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ SVP – સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટ્ટર હિન્દુત્વવાદી ટોળાંએ લેપટોપ, મોબાઈલ ફોન, વાહનોની તોડફોડ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હુમલાખોરો હાજર હતા; પણ પોલીસે તેમને સન્માનપૂર્વક જવા દીધાં !

આવું કૃત્ય ‘જયશ્રી રામ’ના નારા સાથે કરવામાં આવ્યું હતું, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની અને ભારતની છાપ ખરડાઈ છે. ઘટનાની જાણ થતાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાના દેશભરના પડઘા પડ્યા છે. ગૃહ મંત્રીએ તપાસના આદેશ આપ્યા પછી પોલીસ કમિશનરે બીજા દિવસે મોડેથી સ્થળ વિઝિટ કરી હતી અને કહ્યું હતું કે ‘આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે !’

થોડાં પ્રશ્નો : 

[1] મુસ્લિમ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ ફાળવેલ જગ્યામાં નમાજ પઢે તે શું અસામાજિક કૃત્ય છે? નમાજના કારણે તેમની પર હુમલો કરવો કેટલાં અંશે ઉચિત? 

[2] ગૃહ મંત્રીએ અને કેન્દ્ર સરકારે તપાસના આદેશો આપ્યા છે; પરંતુ તેમણે જ હિન્દુ યુવાનોને ગોડસેવાદી બનાવ્યા નથી? કટ્ટરવાદી બનાવ્યા નથી? કોર્પોરેટ કથાકારો અને સ્વામિનારાયણના સંતોએ ગેડસેવાદીઓને નફરતી બનાવ્યા નથી? મારઝૂડ કરનારા અને તોડફોડ કરનારા હિન્દુ યુવાનોનો વાંક છે જ; પરંતુ વધારે વાંક તો ગોડસેવાદી સરકારનો અને ધર્મગુરુઓનો નથી? એક તરફ વડા પ્રધાન નફરત ફેલાવતી એજન્ડા ફિલ્મોને પ્રોત્સાહન આપે છે, બીજી તરફ આવી શરમજનક ઘટના બને ત્યારે તપાસના આદેશ આપી પોતાના હાથ ઉપર કરી લે છે; શું આ પાખંડ નથી? શા માટે યુવાનોને જેલમાં ધકેલી રહ્યા હશે? 

[3] આ કૃત્ય કરનાર યુવાનોએ મોરારિબાપુની અપીલના કારણે ‘કાશ્મીર ફાઈલ’ જોઈ હશે અને કટ્ટર બન્યા હશે? 

[4] વિદેશી વિદ્યાર્થીઓએ 100 પર જાણ કરી, પોલીસ આવી પણ તેણે જોયું કે આ તો કેસરી ખેસ ધારણ કરેલ ‘લાઇસન્સ વાળા ગુંડાઓ’ છે એટલે તેમણે કોઈને પકડેલ નહીં ! ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી? શું ગોડસેવાદીઓને પોલીસનો કોઈ ડર જ નથી? પોલીસ પણ કેસરી ખેસ જોઈને ફરજ ભૂલી જાય તેવી સ્થિતિ કરનાર સરકારની જવાબદારી નથી? પોલીસ કમિશનર કહે છે કે ‘ગંભીર નોંધ લીધી છે’ પણ 24 કલાક સુધી એક પણ આરોપી મળે નહીં, એને ગંભીર નોંધ કહેવાય? 

[5] ગુનાવાળી જગ્યાએ ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ જઈ શકે તો સત્તાપક્ષના કોઈ ધારાસભ્યોને ગુનાવાળી જગ્યાએ જવાનું કેમ સૂઝ્યું નહીં હોય? શું સત્તાપક્ષના ધારાસભ્યો પણ હુમલાખોર ગોડસેવાદીઓનું સમર્થન કરતા નથી? 

[6] આવી ઘટના વિપક્ષની સરકારમાં બની હોત તો ગોદી મીડિયાએ બૂમો પાડી હોત ! વડા પ્રધાને ગળું ફાડીને વિપક્ષની સરકારને ભાંડી હોત; પરંતુ આ ઘટના તો ‘ગુજરાત મોડલ’નું પરિણામ છે; એટલે ગોદી મીડિયા અને વડા પ્રધાન ચૂપ રહેતાં હશે?

અમેરિકામાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરે છે. ગણેશ ઉત્સવ ઊજવે છે. પણ કોઈ રોકતું નથી. આવી સહિષ્ણુતા ગુજરાતમાં ગોડસેવાદીઓને દેખાતી નહીં હોય?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...788789790791...800810820...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved