Opinion Magazine
Number of visits: 9665472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે, પણ વડા પ્રધાન અંદરથી હલી ગયા છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|4 May 2024

રમેશ ઓઝા

ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે, પણ વડા પ્રધાન અંદરથી હલી ગયા છે એ હકીકત છે. ગમે તે એટલા માટે કે ચૂંટણી અસમાન ભૂમિકાએ લડાઈ રહી છે. એક પાસે અક્ષૌહિણી સેના છે, બેશુમાર પૈસા છે, સત્તા છે, ચૂંટણીપંચ અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ કબજામાં છે, ગોદી મીડિયા છે, બોલીવુડને ગોદીવુદમાં ફેરવી નાખ્યું છે જેમાં કેટલાક લોકો કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બનાવે છે, જૂઠાણાં ફેલાવનારી અને ટ્રોલીંગ કરનારી ફોજ છે, દિમાગ ભાડે આપી દીધેલા સમર્થકોનાં ટોળાં છે, હરીફ રાજકીય પક્ષોનાં ફાડિયાં કર્યાં છે, વિરોધ પક્ષના અનેક નેતાઓને ડરાવીને કે ખરીદીને ભા.જ.પ.માં લઈ લીધા છે, કેટલાંક રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકારો છીનવી લીધી છે અને બીજા પાસે માત્ર સુદામાના તાંદુલ છે. જો અસમાનતા ન હોત અને ચૂંટણી મુક્ત અને ન્યાયી એમ બન્ને રીતની હોત તો ખાતરીપૂર્વક એમ કહી શકાત કે સ્થિતિ પલટાઈ ગઈ છે અને ભા.જ.પ.નો પરાજય થઈ રહ્યો છે. આટલી પ્રચંડ તાકાત હોવા છતાં અને લડાઈ એકપક્ષીય કરી નાખી હોવા છતાં વડા પ્રધાન પ્રતિકૂળતા જોઇને અંદરથી હલી ગયા છે એ તેમના ચહેરા પર અને તેમની ભાષા દ્વારા જોઈ શકાય છે.

મેં જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીને છોડીને બાકીના બધા જ વડા પ્રધાનોને કામ કરતા જોયા છે, તેમની કામની શૈલી જોઈ છે, તેમને સંકટનો સામનો કરતા જોયા છે, તેમને અંગત અને પબ્લીકની વચ્ચે બોલતા જોયા છે અને એમાં મેં જોયું છે કે તેઓ તેમનાં અંદરના ભાવ છૂપાવી શકતા હતા. આમાં ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને પી.વી. નરસિંહ રાવની જોડે તો કોઈ ન આવે. પોતાના પુત્ર સંજય ગાંધીનો મૃતદેહ હોસ્પિટલમાં પડ્યો હતો ત્યારે હોસ્પિટલની કોરીડોરમાં ઊભેલા ભા.જ.પ.ના નેતા અટલ બિહારી વાજપેયીને ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, “મારા કાર્યાલયમાંથી મુલાકાત માટે તમને ફોન આવશે. મારે તમારી સાથે ચીન વિષે વાત કરવી છે.” વાજપેયી આ તાકાત જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ પ્રસંગ તેમણે પોતે જ જાહેરમાં કહ્યો છે.

પણ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંદરના ભાવને છૂપાવી શકતા નથી. તે તેમના ચહેરા ઉપર અને વાણીમાં પ્રગટ થઈ જાય છે. અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં નાછૂટકે પત્રકારોને મળવું પડ્યું અને તેમાં એક અમેરિકન પત્રકારે ભારતમાં લોકતંત્રનું હનન થઈ રહ્યું છે એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. આવો પ્રશ્ન પૂછાવાનો છે એની જાણ હોવા છતાં અને તેનો જવાબ પ્રોમ્પ્ટર પર લખી રાખ્યો હોવા છતાં તેઓ પોતાના અસ્વસ્થતાના ભાવને છૂપાવી શક્યા નહોતા. આવા તો બીજા અનેક પ્રસંગ છે. કરણ થાપરે તેમની લાઈવ મુલાકાત લીધી એ પ્રસંગ તો જાણીતો છે. તેમનો અહં ઘવાય છે ત્યારે ચહેરો ફિક્કો પડી જાય છે, તપતપી ઊઠે છે અને ભાષા પર સંયમ રહેતો નથી. વડા પ્રધાનના ચૂંટણી પ્રચારમાં આ બધું જોવા મળી રહ્યું છે.

પણ સવાલ એ છે કે અનુકૂળતા પ્રતિકૂળતામાં કેમ ફેરવાઈ રહી છે? તાકાતમાં વધારો કરનારાં દરેક રસાયણ અને પદાર્થ હોવા છતાં ડર? શું નથી તેમની પાસે?

એક ચીજ નથી અને એ છે અદનો નાગરિક. એની પાસે ડરવા માટે કાંઈ જ નથી. કંઈક હોય તો ડરાવો ને! તેની પાસે વેચવા માટે કાંઈ જ નથી. નથી મીડિયા, નથી કલમ, નથી ધંધો, નથી કારોબાર, નથી પ્રતિષ્ઠા કે વગ. તેની પાસે વેચવા માટે જો કોઈ ચીજ હોય તો ખરીદો ને! પાછી આવા નાગરિકોની સંખ્યા સૌથી વધુ છે, જે વંચિત હોવાની એક જ ઓળખ ધરાવે છે. તેઓ બહુમતીમાં છે. બહુમતી રાષ્ટ્રવાદ ગરીબોનો અને ગરીબો માટે હોવો જોઈએ, પણ અહીંયા ઊંધો ખેલ છે. શાસક પક્ષના નેતાઓની ગણતરી એવી હતી કે આ ગરીબોને અનેક યોજનાઓ હેઠળ રાહત આપીને જીવાડી રાખશું. તેમને જોઈએ છે શું બે ટંકના રોટલા સિવાય. આજે જીવી ગયા તો બસ. એટલે તેમને જીવાડી રાખશું તો તેમના મત મળતા રહેશે. બીજી બાજુ શેઠિયાઓને માલામાલ કરીને કે પછી ડરાવીને એટલું ધન ભેગું કરવું કે વિરોધી સામે ટકી જ ન શકે. અસમાન રાજકીય મેદાન તેમ જ અર્ધો હારેલો કંગાળ પ્રતિસ્પર્ધી અને સદૈવ આશ્રિત મતદાતા. ગરીબોને આશ્રિત રહેવાની આદત પાડો. ઊહાપોહ નહીં કરવાનો, તમને ખાવા મળી રહેશે, અમને મત આપતા રહો.

આવું એક રાજકીય રસાયણ તેમણે વિકસાવ્યું છે અને તેમને ભરોસો હતો કે દાયકાઓ સુધી આ રસાયણ ફળ આપતું રહેશે. ફળ મળવા પણ લાગ્યું એટલે તેમનો આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો કે તેઓ તુમાખીનું પ્રદર્શન કરવા લાગ્યા અને મનસ્વીપણે વર્તવા લાગ્યા. લોકસભામાં કહેવામાં આવ્યું કે મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો. અને એમ પણ કહેવાયું કે ઇસ બાર ચારસો પાર.

હવે જેમની પાસે ડરવા માટે કે વેચવા માટે કાંઈ નથી તેમને સમજાઈ રહ્યું છે કે આ સરકાર શ્રીમંતોની સેવા કરનારી શ્રીમંતો માટેની છે. હિન્દુત્વવાદીઓ હિંદુઓને શું આપે છે? હિંદુ-મુસ્લિમ વિખવાદ, રામ મંદિર અને મફતમાં તીર્થયાત્રા. જેમને લાંબી જિંદગી જીવવાની છે એ યુવાનો બેરોજગાર છે અને તેમનાં લગ્ન થતાં નથી. મા-બાપ બેકાર અને કુંવારા દીકરાને ઘરમાં બેઠેલો જોઇને મનોમન વલોવાય છે. ગરીબો ભાવવધારાથી દુઃખી છે. આ સિવાય વિચાર કરવાની ક્ષમતા ધરાવનારા હિંદુઓને સમજાઈ ગયું છે કે અત્યારના શાસકો તાનાશાહ છે અને માણસાઈ કે મર્યાદામાં માનતા નથી. તેમને જો ભારે બહુમતી મળી તો તેઓ લોકશાહી ખતમ કરી નાખશે, લગભગ એક પક્ષીય શાસન આવશે, બંધારણ પણ બદલી શકે છે અને આપણને આરક્ષણ દ્વારા આગળ વધવાની જે તક આપવામાં આવે છે તેને પણ ખતમ કરી નાખશે. ભા.જ.પ.માં પ્રવેશ મેળવીને હિન્દુત્વના નામે ગુંડાઓ બળાત્કાર કરશે અને માથાભારે થઈને ફરશે. આવું અત્યારે જ બની રહ્યું છે. પહેલવાન છોકરીઓ સાથે જે બન્યું એ નજીકનો ભૂતકાળ છે. આમ જેને વિચારતા આવડે છે એ વિચાર કરતા થઈ ગયા છે. આ એ લોકો છે જેમણે ૨૦૧૯ની સાલમાં શંકાનો લાભ આપીને બી.જે.પી.ને મત આપ્યો હતો. ૨૦૧૪માં જે કહેવામાં આવ્યું હતું તેને અમલમાં ઉતારવા હજુ એક તક આપવી જોઈએ એમ તેઓ માનતા હતા. હવે તેમની આંખ ઊઘડી ગઈ છે. તેઓ મુસ્લિમ વિરોધી હોય તો પણ એટલા મુસ્લિમ વિરોધી નથી કે પોતાનું ઘર બાળીને પણ સાથ આપે.

પેલું રાજકીય રસાયણ કામમાં આવતું નથી એવા આસાર નજરે પડવા લાગ્યા છે એટલે વડા પ્રધાન અંદરથી હલી ગયા છે. તેમના ચહેરા પર ડર નજરે પડી રહ્યો છે અને ભાષાનું સ્તર નીચે ઊતરી રહ્યું છે. એક વડા પ્રધાનને શોભે નહીં એવી ભાષામાં ધડમાથા વિનાની વાતો તેઓ કરી રહ્યા છે. અને હજુ એક વાત તમે નોંધી. ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં વડા પ્રધાન એજન્ડા સેટ કરતા હતા અને બીજા હતપ્રભ થઈને પ્રતિભાવ આપતા હતા. અત્યારે કાઁગ્રેસ અને મુખ્યત્વે રાહુલ ગાંધી એજન્ડા સેટ કરે છે અને વડા પ્રધાન હતપ્રભ થઈને પ્રતિક્રિયા આપે છે. સામેથી બેરોજગારી, ભાવ વધારો અને ચીને ભારતની ભૂમિ પર કરેલા કબજાની વાત આવે ત્યારે વડા પ્રધાન મંગળસૂત્ર, મુઘલ, મટનની અસંબદ્ધ વાતો કરે છે. ચૂંટણીનાં મેદાનમાં પ્રચંડ પ્રમાણમાં અસમાનતા હોવાના કારણે ભા.જ.પ. જીતી પણ શકે છે, પરંતુ પ્રચાર(નેરેટીવ)માં પરાજય થઈ ચુક્યો છે. કલ્પના તો કરો, વડા પ્રધાન પાસે કહેવા માટે કશું જ નથી!

Loading

ચલ મન મુંબઈ નગરી—246

દીપક મહેતા|Opinion - Opinion|4 May 2024

કોટ બાંધ્યો, ખાઈ ખોદી, પણ ખાઈ ઓળંગવા માટેના પૂલ બાંધવાનું જ ભૂલાઈ ગયું!    

આદિત્ય ઉદય સમ અંગ્રેજી રાજ્ય થયું.

ત્રાસ મટ્યો તસ્કરનો સૌએ ખુલ્લાં દ્વાર મૂક્યાં,

ખાય પીએ, સુખે સૂએ, વિચરે સુખારથી.

ઘોર ચોર ઘુવડ તો ઘરમાં ઘલાઈ રહ્યા,

ઘાતક તે ઘાત ભૂલ્યા, ભૂલ્યા રીત રાતની.

ધનહીન, ધનવાન, ધીમે ધીમે ધંધે ધાયા,

ધૈર્ય ધરી, ધાક તજી કપટી કજાતની.

ભાનુ શો ભભકદાર ભાળ્યો અંગરેજ ભૂપ,

ભાળો ભલી ભૂમિ મધ્ય શોભા ભાતભાતની.

આ શબ્દો છે કવિ દલપતરામના. ના, એમાં અંગ્રેજ રાજની ભાટાઈ નથી. પણ એમના જમાનાના સામાન્ય માણસના મનની વાતનો પડઘો છે. આજે આપણને સંસ્થાનવાદ શબ્દ અળખામણો થઈ પડ્યો છે અને એની નિશાનીઓ વીણી વીણીને દૂર કરવા મથીએ છીએ. પણ અંગ્રેજ રાજ આવ્યું તે પહેલાંના કેટલાક દસકાની સામાજિક, આર્થિક, શૈક્ષણિક વગેરે સ્થિતિમાં બધે જે અરાજકતા હતી તેનો આજે આપણને ખ્યાલ ન આવે. અંગ્રેજ સરકારે જે ‘લો એન્ડ ઓર્ડર’ની સ્થાપના કરી તેને લીધે કેટલી મોટી રાહત આમ જનતાને થઈ તેનો અણસારો દલપતરામ, કવિ નર્મદ, નંદશંકર મહેતા, વગેરે એ જમાનાના લેખકોનાં લખાણો પરથી આજે આપણને આવી શકે.

પણ દલપતરામના આ શબ્દો આજે યાદ આવવાનું કારણ? કારણ એ કે ગયા અઠવાડિયાનું લખાણ વાંચ્યા પછી કેટલાક સુજ્ઞ વાચકોએ પૂછ્યું કે મુંબઈના વેપારીઓ કોટ બાંધવા માટે સામે ચાલીને સરકારને એક ટકો ટેક્સ આપવા તૈયાર કેમ થયા હોય? તો એના જવાબમાં દલપતરામના ઉપરના શબ્દો.

મુંબઈના કોટનો નકશો

અને હા, મુંબઈના વેપારીઓ કંપની સરકારને આવો ટેક્સ આપવા એક નહિ, બે વખત સામે ચાલીને તૈયાર થયા હતા. મુંબઈનો કોટ તો જાણે બંધાઈ ગયો. તેમાં  ઠેકઠેકાણે તોપ ગોઠવાઈ ગઈ. પણ પછી લશ્કરના જ કેટલાક અફસરોએ કહ્યું કે આ કોટ બાંધવાથી કાંઈ મુંબઈનું ઝાઝું રક્ષણ થઈ શકે તેમ નથી. કેમ વારુ? પહેલું કારણ એ કે કોટની દીવાલો ૧૫થી ૧૮ ઇંચ જેટલી જ જાડી છે. આવી દીવાલમાં ગાબડાં પાડવાનું બહુ અઘરું નથી કારણ કિલ્લાની ત્રણ બાજુએ ખુલ્લી જમીન છે. એ બાજુથી હુમલા કરીને દુ:શ્મન દીવાલોમાં સહેલાથી ગાબડાં પાડી શકે.

તો હવે કરવું શું? કોટની દીવાલ ફરતી ખાઈ ખોદવી જેથી દુ:શ્મન સહેલાઈથી દીવાલ સુધી પહોંચી ન શકે.

કોટના ચર્ચગેટ બહારનો ડ્રોપ બ્રિજ

એટલે ફરી ચાલી લખાપટ્ટી મુંબઈ અને લંડન વચ્ચે. ફરી એ જ જવાબ. ખાઈ ખોદવી હોય તો ખોદો, પણ તમારે પૈસે. અમે એક દોઢિયું પણ નહિ આપીએ. ત્યારે મુંબઈના વેપારીઓએ સરકારને કાગળ લખ્યો તેમાં જણાવ્યું કે આપના રાજમાં અમે ઘણા વખતથી સુખ-શાંતિથી રહીએ છીએ. બધા ભય-ત્રાસ દૂર થઈ ગયા છે એટલે અમારો વેપાર સારો ચાલે છે. અમારી ધાર્મિક બાબતોમાં સરકાર બિલકુલ દખલ કરતી નથી. એટલે ખાઈ ખોદવાના ખર્ચને પહોંચી વળવા માટે અમે બે ટકાનો ટેક્સ સ્વેચ્છાએ આપવા તૈયાર છીએ. મુંબઈનો કોટ ચણાયો તે પછી અમારી અને અમારા વેપારવણજની સલામતી કેટલી વધી છે તે તો અમે જ જાણીએ છીએ. અમને ખાતરી છે કે ખાઈ ખોદવાથી અમારી અને અમારા વેપારવણજની સલામતી વધશે. એટલે ખાઈ ખોદવાના ખર્ચને પહોંચી વળવા માટે અમે અમારી મરજી અને રાજીખુશીથી આ ટેક્સ ભરશું. કુલ ત્રીસ હજાર રૂપિયાની રકમ એકઠી થાય ત્યાં સુધી અમે આ ટેક્સ નિયમિત રીતે ભરશું (૧૭૩૯ના વરસની સરકારી દફતરની નોંધ, પા. ૨૪૮). કવિ દલપતરામની પંક્તિઓ આ જ વાતનો પડઘો નથી પાડતી?

મુંબઈના વેપારીઓની આ દરખાસ્ત ૧૭૯૩ના જૂનની ૨૯મી તારીખે લંડનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે રજૂ થઈ. તેના પર ખાસ્સી ચર્ચા થઈ. ખાઈ ખોદવાની ખરેખર જરૂર છે કે નહિ, એ ખોદવાનો કુલ ખર્ચ કેટલો આવે, ખાઈ ન ખોદીએ તો દુ:શ્મનના હુમલા વખતે શી દશા થાય, વગેરે. એ જ વરસની છઠ્ઠી જુલાઈએ મળેલી બેઠકમાં મુંબઈના વેપારીઓની દરખાસ્ત સ્વીકારવામાં આવી. પણ ખાઈ ખોદવાનો કુલ ખર્ચ ૮૫ હજાર રૂપિયા જેટલો થવાનો અંદાજ હતો. એટલે મુંબઈના વેપારીઓ પર વધુ એક ટકો ટેક્સ નાખવાનું નક્કી થયું. અગાઉ કિલ્લો બાંધવા પાછળ થયેલો ખર્ચ હજી પૂરેપૂરો ભરપાઈ થયો નહોતો એટલે તે માટેનો એક ટકો ટેક્સ તો ચાલુ જ હતો. એટલે હવે કુલ ટેક્સ બે ટકા થયો. ખાઈ ખોદવાનો ખર્ચ વસૂલ ન થઈ જાય ત્યાં સુધી અ વધારાનો એક ટકો ટેક્સ ચાલુ રાખવાનું પણ ઠરાવાયું. આખા કોટને આઠ વિભાગમાં વહેંચીને કુલ ૬૧ અંગ્રેજોની કમિટીની નિમણૂક કરી તેમને ખાઈના ખોદકામ પર નજર રાખવા જણાવ્યું.

કોટના ચર્ચગેટથી દરિયા તરફ જતો રસ્તો ચર્ચગેટ સ્ટ્રીટ

પણ થોડા વખત પછી વળી એક નવો ફણગો ફૂટ્યો. ખાઈ ખોદવાને માટે કોટની બહારની જમીન હસ્તગત કરવાનું જરૂરી હતું. એ જમીનના માલિકોને જમીન માટે અને તેના ઉપર ઉગેલાં ઝાડ માટે વળતર કઈ રીતે આપવું? અને આવા વળતર માટેની રકમની જોગવાઈ તો અગાઉ કરી જ નહોતી! આવી કોઈ પણ મુશ્કેલી ઊભી થાય એટલે સરકારોનો તો એક જ જવાબ હોય : નીમો સમિતિ. મુંબઈના પ્રતિષ્ઠિત જમીનદાર અલી બાવા ખોતના વડપણ નીચે સમિતિ નિમાઈ. (નોંધ્યું? આ સમિતિનો વડો કોઈ અંગ્રેજ નહિ, એક પ્રતિષ્ઠિત ‘દેશી’ હતો.) આ સમિતિએ અહેવાલ આપ્યો તેમાં જણાવ્યું કે ખાઈ ખોદવા માટે કુલ ૬૨૧ ઝાડ કાપવાં પડે તેમ છે જેને માટે ઝાડ દીઠ ચાર રૂપિયાના બજાર ભાવે કુલ રૂપિયા ૨,૪૮૪ જેટલું વળતર આપવાનું થાય. આ અહેવાલ પર વિચાર કર્યા પછી ડિરેક્ટરોએ ઠરાવ્યું કે રોકડ વળતર આપવાને બદલે જેનાં જેટલાં ઝાડ કપાયાં હોય તેને તેટલાં ઝાડ – જમીન સહિત, કોટ બહારની સરકારી જમીન પર આપવાં! ખાઈ ખોદવાના ખર્ચને પહોંચી વળવા માટે જે એક ટકાનો ટેક્સ નાખેલો તે અંગે પણ વિવાદ ઊભો થયો. મુંબઈના અંગ્રેજ વેપારીઓએ કહ્યું કે આ ટેક્સ માત્ર ‘દેશી’ઓ એ ભરવાનો છે, અમારે નહિ! મામલો પહોંચ્યો લંડન. જવાબ મળ્યો : આ ટેક્સ દરેક વેપારીએ ભરવાનો છે. એમાં દેશી-પરદેશીનો કોઈ ભેદ કરવાનો નથી. (નોંધ્યું? ગોરા વેપારીઓ વિરુદ્ધનો આ નિર્ણય ગોરી સરકારનો હતો.)

મુંબઈના કોટની ત્રણ બાજુ ખાઈ ખોદવાનું કામ પૂરું થયું છે એવો રિપોર્ટ લંડનમાં ૧૭૪૩ના માર્ચની ૧૩મીએ મળ્યો. એ અહેવાલ મુજબ ખાઈ ખોદવાનો કુલ ખર્ચ અઢી લાખ રૂપિયા આવ્યો હતો. ત્યારે મુંબઈ સરકારને આદેશ અપાયો કે આ રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી એક ટકો ટેક્સ ઉઘરાવવાનું ચાલુ જ રાખવું.

ચાલો, કોટ બંધાઈ ગયો, ખાઈ ખોદાઈ ગઈ. હવે તો બધું સમુંસૂતરું થઈ ગયું ને? ના. હજી એક મુશ્કેલી રહી છે. એ વખતે મુંબઈના ગવર્નરનું રહેઠાણ આ કોટની અંદર આવેલું હતું. અને એ મકાન કોટની દીવાલો કરતાં વધુ ઊંચું હતું. એટલે દરિયા તરફથી કે જમીન તરફથી, દુ:શ્મન બે-ચાર તોપગોળા ફેંકે તો ગવર્નરનું ઘર ખંડિયેર બની જાય! તેવી જ રીતે સરકારી ટંકશાળનું મકાન કોટની દીવાલથી એટલું નજીક હતું કે તોપનો ગોળો દુ:શ્મન સુધી પહોંચતાં પહેલાં તો આ મકાનને ધરાશાયી કરી દે! પણ સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે કોટની બહાર ત્રણે બાજુ રોજ નવાં નવાં મકાનો દેશીઓના વસવાટ માટે આડેધડ બંધાઈ રહ્યાં હતાં. અને ત્યાં વધુ ને વધુ લોકો રહેવા લાગ્યા હતા. એટલે જો દુ:શ્મન જમીન રસ્તે આવે તો કિલ્લા પરથી થતી તોપબાજીમાં સૌથી પહેલાં આ ‘દેશી’ વસતિનો કચ્ચરઘાણ નીકળી જાય!

કોટની બહાર ઠેર ઠેર નાળિયેર, ખજૂર, તાડનાં ઝાડ

પણ સૌથી મોટી મુશ્કેલી તો એ જણાઈ કે બધા શસ્ત્રસરંજામ સાથે ય કોટનું અને શહેરનું રક્ષણ કરવા માટે પૂરતું થાય તેટલું લશ્કર જ મુંબઈમાં નહોતું! અને મોકલી મોકલીને કેટલા ગોરા સૈનિકોને બોમ્બે મોકલી શકાય? અને એવો વધારાનો ખરચ કરવા માટે કંપનીના ડિરેક્ટરો કોઈ હિસાબે તૈયાર થાય નહિ. કરવું શું? કોટ અને ખાઈ બાંધવાના કામમાં સેંકડો કામાઠી (મજૂરો) જોડાયા હતા જે હવે બેકાર બની ગયા હતા. આ લોકોની એક ‘દેશી સેના’ કેમ ઊભી ન કરવી? કોટના કામ સાથે જોડાયેલા સૌ કામાઠી માટે આ યોજના ખુલ્લી મૂકવામાં આવી. આ સેનાના સુબેદારનો માસિક પગાર ૨૦ રૂપિયા, જમાદારનો ૧૩ રૂપિયા, અને સર નાયકનો સાડા આઠ રૂપિયા. અને સૈનિકોનો પગાર? કોટ અને ખાઈના બાંધકામ દરમ્યાન તેમને જે પગાર મળતો હતો તે જ પગાર ચાલુ રાખવો!

આ દરખાસ્ત સ્વીકારાઈ અને મુંબઈમાં પહેલી વાર કંપની સરકારના લશ્કરમાં ‘દેશી’ સૈનિકો દાખલ થયા. આવા કુલ ૬૧૮ સૈનિકોને ૨૩ કંપનીમાં વહેંચવામાં આવ્યા. દરેક કંપનીનો એક દેશી કેપ્ટન. આવા કેપ્ટનમાંના થોડાંક નામ : શેખ મહંમદ, ભગવાન સિંહ, બાપુજી શેલાર, હનુમંત રાવ, જીવણ લુહાર, રામજી નાયક, શિવાજી કદમ. એક વાત નોંધી? આમાં જુદા જુદા પ્રદેશના, જુદા જુદા ધર્મના માણસોનાં નામ જોવા મળે છે. ભારતીય સૈન્યની બિનસાંપ્રદાયિકતાની પરંપરાની શરૂઆત કદાચ અહીંથી થઈ હતી. પ્રદેશની રીતે જોઈએ તો ૬૧૮માંથી ૩૫૩ – એટલે કે અડધાથી વધુ – મરાઠા હતા. ૩૮ આગરી હતા, ૩૫ સીદી હતા, અને આજે થોડી નવાઈ લાગે, પણ ૨૨૨ ગુજરાતી હતા.

સજાગ વાચક જરૂર પૂછશે : કોટ બાંધવા માટે એક ટકો અને ખાઈ ખોદવા માટે એક ટકો ટેક્સ નાખેલો એ પછી બંધ ક્યારે થયો? ક્યારે ય નહિ! કારણ ૧૭૫૮ના જાન્યુઆરીની ૧૩મી તારીખે લંડનમાં બેઠેલા સાહેબોને લાગ્યું કે આ દીવાલો, આ ખાઈ, કોટમાંનો શસ્ત્ર-સરંજામ, ગોરા અને દેશી સૈનિકો, એ બધા પાછળ અધધધ ખરચ થાય છે. એટલે હવે પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી આ બન્ને ટેક્સ ઉઘરાવવાનું મુંબઈ સરકારે ચાલુ રાખવું!

સરકારી કામકાજની રીતરસમ આજે જેવી છે તેવી જ એ વખતે પણ હશે તેમ લાગે છે. જે બે પૂલને જોડવાનું અગાઉથી નક્કી હોય તે બે પૂલ બાંધતી વખતે ઊંચાઈમાં ખાસ્સો છ ફૂટનો ફરક રહી જાય એવું આજના મુંબઈમાં આપણી નજર સામે બને છે. એ વખતે પણ આવું જ કંઈક બનેલું. કોટ ફરતી ખાઈ બાંધી તે દુ:શ્મન સહેલાઈથી કોટની દીવાલ સુધી પહોંચી ન શકે એટલા માટે. પણ લડાઈ ન ચાલતી હોય ત્યારે લોકોએ કોટની અંદર-બહાર સતત આવજા તો કરવી જ પડે ને? અગાઉ હતા તે ત્રણ દરવાજા તો હજી ઊભા જ હતા. પણ નવી ખોદાયેલી ખાઈ રોજેરોજ લોકો ઓળંગે શી રીતે? એટલે મુંબઈ સરકારે તાબડતોબ લંડન અરજ મોકલી કે લાકડાના ત્રણ ‘ડ્રોબ્રીજ’ બનાવીને ત્રણે ગેટ પાસે વહેલામાં વહેલી તકે મૂકવાનું અનિવાર્ય છે. બીજી પણ કેટલીક માગણીઓ મોકલી. જવાબ મળ્યો : ત્રણ ડ્રોબ્રીજની હા, બીજી બધી માગણીઓની ના! મુંબઈથી લંડન અરજી જાય, એનો જવાબ આવે, ત્રણ ડ્રોબ્રીજ તૈયાર થઈને એની જગ્યાએ ગોઠવાય, ત્યાં સુધી લોકોએ ખાઈ કઈ રીતે ઓળંગી હશે એ વિષે કોઈ વાચક પાસે માહિતી હોય તો મોકલવા વિનંતી.

મુંબઈના કોટની વધુ મજેદાર વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 મે 2024) 

Loading

मिस मेयो : मिस्टर मेयो

कुमार प्रशांत|Opinion - Opinion|4 May 2024

कुमार प्रशांत

इतिहास भी कमाल के गोते लगाता है ! भला सोचिए, 2024 में वह 1927 की कहानी दोहरा रहा है. तब यानी 1927 में एक थीं कैथरीन मेयो और एक थे महात्मा गांधी. महात्मा गांधी कौन थे यह तो अधिकांशत: हम सब जानते ही हैं (मैं व्हाट्एप यूनिवर्सिटी के महान इतिहासकारों को भी इसमें शामिल कर रहा हूं !), लेकिन कैथरीन मेयो कौन थीं यह जानने की जरूरत अधिकांश पाठकों को पड़ेगी. तो बताता हूं कि वे एक अमरीकी, श्वेत चमड़ी की श्रेष्ठता के भाव से भरी, नकचढ़ी पत्रकारसरीखी कुछ थीं जिन्हें कुछ लोग तब उसी तरह इतिहासकार भी कहते थे जिस तरह अब कुछ लोग गृहमंत्री अमित शाह को दार्शनिक कहते हैं. 20 के दशक में मिस मायो भारत आई थीं. गांधीजी से भी मिली थीं, दूसरी हस्तियों से भी मिली थीं, रवींद्रनाथ ठाकुर से भी मिली थीं. गांधीजी के निर्देश में चल रहे भारतीय स्वतंत्रता आंदोलन से असहमत, असंतुष्ट, नाराज मेयो मैडम ने एक किताब लिखी : ‘ मदर इंडिया !’ ना, ना, आप ऐसा मत मान बैठिएगा कि महबूब खान की प्रसिद्ध फिल्म ‘मदर इंडिया’ मेयो मैम की इस किताब से प्रेरित थी. मेयो मैम ‘मदर इंडिया’ में अपना अलग ही राग गाती हैं.

यह किताब भारतीय स्वतंत्रता आंदोलन के मूल्यों, उसकी दिशा, उसकी उपलब्धियों आदि की धज्जियां उड़ाती हुई यह साबित करती है कि यह भारतीय समाज कुरीतियों-अन्याय-अत्याचार तथा शोषण की गंदी व्यवस्था पर टिका एक ऐसा गर्हित समाज है जिसे गुलाम बना कर अंग्रेजों ने ( कहें : श्वेत चमड़ी वालों ने ! ) कुछ सभ्य, कुछ मानवीय बनाया है. मेयो मैम की किताब तब कई लोगों को नागवार गुजरी थी लेकिन वह किताब जल्दी ही ‘गुजर भी जाती’ यदि गांधीजी ने उसे पढ़ा न होता. बहुत कहने पर गांधीजी ने न केवल ‘मदर इंडिया’ पढ़ी बल्कि चौतरफा आग्रह के कारण, ‘ बहुत व्यस्तता’ में से समय निकाल कर उस पर एक टिप्पणी भी लिखी जो 15 सितंबर 1927 को ‘यंग इंडिया’ में प्रकाशित हुई.  महात्मा गांधी ने अपनी टिप्पणी का शीर्षक दिया : ‘ ड्रेन इंस्पेक्टर रिपोर्ट’ : नाली सफाई के जमादार की रिपोर्ट ! गरज यह कि जिसका धंधा ही गंदगी को उकेर-उकेर कर देखना है, वह गंदगी के अलावा देखेगा भी तो क्या और वर्णन भी करेगा तो गंदगी की ही करेगा. महात्मा गांधी की अपनी शैली में यह खासी कड़ी टिप्पणी थी. गांधीजी ने लिखा कि यह “ बड़ी चालाकी से लिखी सशक्त किताब है… जो किसी हद तक सत्य का बखान, असत्य के प्रचार के लिए करती है.”

अब न कैथरीन मेयो हैं, न गांधीजी हैं लेकिन गंदगी फैलाने का धंधा जोरों पर है. गंदगी को सहेजने तथा ‘ बड़ी चालाकी से सत्य का बखान इस तरह करना कि असत्य का प्रचार हो’ वाली संस्कृति जीवित भी है, जारी भी है. सो प्रधानमंत्री नरेंद्र मोदी ने इस कला में महारत हासिल कर ली है. वे अब इस कला के ‘उस्ताद जमादार’ बन गए हैं. हम देखें तो प्रधानमंत्री मोदी का कुल इतिहास 2014 से शुरू होता है और कुर्सी तक पहुंच कर चुक जाता है. वे सत्ता की जिन दो कुर्सियों पर बैठे हैं – मुख्यमंत्री व प्रधानमंत्री – यदि वे कुर्सियां हटा दी जाएं तो उनके पास कुछ भी बचता नहीं है. कुर्सी के बिना वे उसी तरह अर्थहीन हो जाते हैं जैसे नालियों के बिना सफाई जमादार!

मोदी चुनाव के सन्निपात में इधर जब-जब मुंह खोल रहे हैं, इतिहास का मुंह खुला रह जाता है. वैसे भी प्रधानमंत्री झूठ व सच में फर्क करने जैसी नैतिकता में कभी पड़ते नहीं हैं. सत्ता की कुर्सी पर बैठ कर किसी झूठ को जोर-जोर से सौ बार बोलो तो वह लोगों के बीच किसी हद तक सच की तरह स्थापित हो जाता है, इसे मान कर अहर्निश कार्यरत रहते हैं प्रधानमंत्री. उन्होंने कहा कि कांग्रेस का चुनाव घोषणापत्र उन्हें मुस्लिम लीग के घोषणापत्र जैसा लगता है. कोई प्रमाण ? कोई साम्यता ? नहीं, यह सब बताना प्रधानमंत्री का काम थोड़े ही है ! उन्हें पता है कि उनकी बात को ‘गोदी मीडिया’ देश भर में पहुंचा देगा और जहां-जहां उनका कहा ‘मुस्लिम’ शब्द पहुंचेगा, सांप्रदायिकता के अनुकूल वातावरण बन ही जाएगा. उन्हें इस वातावरण से मतलब है क्योंकि इससे वोट की फसल अच्छी बनती व कटती है.

उन्होंने कहा कि कांग्रेस लोगों से घर छीन लेगी, भैंस छीन लेगी, धन छीन लेगी, मंगलसूत्र छीन लेगी और यह सारा मुसलमानों को दे देगी. कोई प्रमाण ? कोई संदर्भ ? नहीं, यह सब बताना प्रधानमंत्री का काम थोड़े ही है ! उन्होंने बस कह दिया, अब ‘ गोदी मीडिया’ अपना काम करेगा और वातावरण जहरीला बनता जाएगा. समाज जितना जहरीला बनता जाएगा, वोट की फसल उतनी जल्दी पकेगी. पकी फसल काटनेवाले योगियों की कमी थोड़े ही है प्रधानमंत्री के पास !

उन्होंने कह दिया कि ‘ पाकिस्तान युवराज को प्रधानमंत्री बनाने को बेकरार  है’, तो कह दिया. गोदी मीडिया के पंखों पर सवार हो कर बात सब दूर फैल गई. इसमें ‘पाकिस्तान’ और ‘युवराज’ दो ही शब्द हैं जिसका जहरीला असर प्रधानमंत्री को पैदा करना है. उन्हें लगता है कि देश आज भी इतना जाहिल है कि उनका मनचाहा हो जाएगा. सच क्या है ? सच इतना ही है कि पाकिस्तान के एक सांसद को मोदी से कहीं भला लगता है कि राहुल गांधी भारत के प्रधानमंत्री हों. किसी एक व्यक्ति को पूरे देश का प्रतिनिधि बता कर कुछ भी बयान दे देना, गांधी के शब्दों में ‘ड्रेन इंस्पेक्टर रिपोर्ट’ है.

पूर्व प्रधानमंत्री मनमोहन सिंह का संदर्भ दे कर प्रधानमंत्री ने कहा कि कांग्रेस कहती है कि देश के धन पर पहला हक मुसलमानों का है. कोई प्रमाण ? कोई संदर्भ ? तुरंत ही गंदी नाली में उतरे प्रधानमंत्री के सिपाही और  खोज लाए एक वीडियो. वीडियो चलाया गया तो उसमें मनमोहन सिंह कह रहे हैं कि देश के संसाधनों पर पहला हक उनका होना चाहिए जो कमजोर हैं, अल्पसंख्यक हैं. हमारे देश में मुसलमान भी अल्पसंख्यक की श्रेणी में आते हैं, तो उनका नाम भी लिया मनमोहन सिंह ने. यह कोई छुपी बात तो है नहीं कि महात्मा गांधी के नेतृत्व में जिस कांग्रेस का जन्म हुआ वह अंतिम आदमी की बात करती थी तथा यह भी मानती थी कि वह अंतिम आदमी हमारे विकास की कसौटी भी है और कारण भी. धर्म के आधार पर इनमें फर्क करना कांग्रेस की नीति में नहीं है. व्यवहार में राजनीति बहुत कुछ ऐसा कराती है जैसा इन दिनों मोदी-कुनबा कर रहा है, तो जितनी छूट इन्हें है उतनी छूट मनमोहन सिंह को क्यों नहीं दी जानी चाहिए ? कांग्रेस और मनमोहन सिंह सांप्रदायिकता का फायदा उठाते होंगे भले लेकिन सांप्रदायिकता उनकी राजनीति का आधार कभी नहीं रही है. हिंदू महासभा से ले कर भारतीय जनता पार्टी तक अपने हर अवतार में नरेंद्र मोदियों ने सांप्रदायिकता को ही अपनी राजनीति का आधार बनाया है. इन दोनों में बहुत बड़ा गुणात्मक फर्क है.

मोदी के छुटभैय्यों में से एक राजनाथ सिंह जब नाली में उतरे तो यह गंदगी समेट लाए कि महात्मा गांधी कांग्रेस को समाप्त करना चाहते थे लेकिन नेहरू एंड कंपनी ने यह होने नहीं दिया. यही महाशय थे जिन्होंने नाली छान कर यह गंदगी समेटी थी कि सावरकर ने महात्मा गांधी के कहने से अंग्रेजों को माफीनामा लिखा था. वह झूठ आज तक उनका मुंह काला करता है, तो यह नया सत्य इन्हें कहां ला पटकेगा ! महात्मा गांधी की जिस दिन संघ-परिवार ने हत्या की, उससे पहले की रात गांधीजी ने अपनी जिंदगी का आखिरी दस्तावेज लिखा था. उसे पढ़ने व समझने की कसरत भले न करें राजनाथ सिंह लेकिन इतना तो जानें कि उस दस्तावेज में गांधीजी ने लिखा था कि आजादी मिलने के साथ ही कांग्रेस पार्टी का काम पूरा हो गया. अब इसे विसर्जित कर देना चाहिए. कांग्रेस पार्टी के जो लोग सत्ता की राजनीति में काम करना चाहते हैं उन्हें अपनी नई पार्टी बनानी चाहिए. लेकिन ईमानदारी से इतिहास का ककहरा भी जिसने पढ़ा होगा उसे इसी के साथ एक दूसरा दस्तावेज भी मिलेगा जिसमें आजादी के बाद गांधी जवाहरलाल से पूछते हैं कि तुम अब कांग्रेस की क्या भूमिका देखते हो; और जवाहरलाल कहते हैं कि उन्हें अब कांग्रेस की कोई खास भूमिका दिखाई नहीं देती है, तो गांधी कहते हैं कि नहीं, कांग्रेस कभी खत्म नहीं होगी, उसे कभी खत्म नहीं होना चाहिए क्योंकि वह जिन मूल्यों के लिए काम करती रही है, वे मूल्य अक्षुण्ण हैं. राजनीति के जोकरों के लिए यह बारीकी समझ पाना संभव नहीं है कि गांधीजी कांग्रेस संगठन व कांग्रेस मूल्य में फर्क करते हुए जवाहरलाल को सावधान करते हैं. इसलिए कांग्रेस जिन मूल्यों के लिए बनी व लड़ी थी, उन मूल्यों को खत्म करने में लगी संघी धारा को कोई नैतिक हक नहीं है कि वह महात्मा गांधी की उन बातों का संबंध आज से जोड़े. और इतिहास के पन्ने ही पलटने हों तो राजनाथ सिंहों को वे सारे पन्ने भी देखने चाहिए जिनमें गांधीजी ने हिंदू महासभा-राष्ट्रीय स्वंयसेवक संघ जैसे सांप्रदायिकता में तैरने वाले संगठनों के लिए कठोरतम वर्जनाएं की हैं.

सच और झूठ में क्या फर्क है ? बकौल कृष्णबिहारी ‘नूर’ :

सच बढ़े या घटे तो सच ना रहे / झूठ की कोई इंतहा ही नहीं. जैसे यह शेर भारतीय जनता पार्टी के लिए ही लिखा गया है.

(03.05.2024)   
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...712713714715...720730740...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved