Opinion Magazine
Number of visits: 9457407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારને શિક્ષણ કર જોઈએ છે, પણ શિક્ષણની જવાબદારી જોઈતી નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 December 2023

રવીન્દ્ર પારેખ

સરકાર નફાખોર વેપારીથી પણ આગળ નીકળી છે. નફાખોર વેપારી ગમે એટલા નફાની દાનત રાખે તો ય ખરોખોટો વેપાર તો કરે જ છે, પણ સરકાર તો વગર વેપારે જ નફો કરવા માંગે છે. સરકારની દાનત શિક્ષણનો ટેક્સ ઉઘરાવીને, શિક્ષણની જવાબદારીમાંથી છટકવાની છે. એ રીતે તે નફાખોર વેપારીથી ચાર ચાસણી ચડે એમ છે. એ જ કારણે સરકારે ખાનગી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓને ઉત્તેજન આપ્યું છે ને સરકારી શૈક્ષણિક સંસ્થાઓને તે બંધ કરતી જાય છે કે તે તરફ ધ્યાન આપવામાં આંખ આડા કાન કરે છે. આમ કરીને તેણે શિક્ષણ એટલું મોંઘું કર્યું છે કે સાધારણ માણસ તેનાં પર હાથ મૂકતાં જ ડરે ને ગરીબ બાળકો ડ્રોપ આઉટનો રેશિયો વધારવા લાચાર બને. શિક્ષણ મોંઘું થયું તેથી ને ભ્રષ્ટાચાર તથા અનામતને કારણે ત્રાસીને, સ્થિતિ સંપન્ન વિદ્યાર્થીઓએ વિદેશની વાટ પકડી છે. ગુજરાતનું યુવાધન આમ વિદેશ જઈ રહ્યું છે, પણ તેની સરકારને પડી નથી. વિદેશમાં બધું સસ્તું છે એવું નથી, પણ પાત્રતા છતાં અહીં શિક્ષણ અને નોકરીની તકો જ ઓછી છે. કમ સે કમ ત્યાં આટલી ખરાબ સ્થિતિ તો નથી જ ! અહીં આટલું મોંઘું શિક્ષણ લીધાં પછી નોકરી માટે લાંચ આપવી પડે કે શોષણનો ભોગ બનવું પડે, ત્યારે સવાલ થાય કે આવું ભણીને મેળવવાનું શું છે? શિક્ષણ આમ તો શોષણ નથી શીખવતું, પણ શીખીને જો શોષણ જ કરવાનું હોય કે શોષણનો જ ભોગ બનવાનું હોય, તો એવાં શિક્ષણનો કોઈ અર્થ ખરો?

ખાનગી શિક્ષણ મોંઘું છે ને સરકારી શિક્ષણ મફત છે, પણ સ્થિતિ એ છે કે મફત મળતું નથી ને મોંઘું પરવડતું નથી. એક ટુચકો યાદ આવે છે. બે દુકાનદારો તેલનો ધંધો સામસામે કરતા હતા. એક મોંઘો હતો, તો સામેવાળો સસ્તો હતો. એક ગ્રાહક મોંઘું વેચનાર પાસે આવ્યો. એક લિટર તેલ માંગ્યું. ભાવ પૂછ્યો તો ગ્રાહક અકળાયો – આટલું મોંઘું? સામેવાળો તો સસ્તું આપે છે. દુકાનદારે કહ્યું કે ત્યાંથી લઈ લો. ગ્રાહક બોલ્યો કે ત્યાંથી જ લીધું હોત, પણ તેની પાસે નથી, ખલાસ થઈ ગયું છે. તો આ બોલ્યો – અમારે ત્યાં નથી હોતું તો અમે ય મફત જ આપીએ છીએ. આ જ સ્થિતિ સરકારની છે, તે મફત આપે છે, પણ તેની પાસે શિક્ષણ નથી ને ખાનગી પાસે છે, પણ તે મોંઘું છે.

ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં શિક્ષણ કેટલું છે તે તો સરકાર જાણે, પણ ખાનગી સંસ્થાઓમાં તે અત્યંત મોંઘું છે ને વધુ મોંઘું રહે એ માટે ખાનગી સંસ્થાઓની કોઈને કોઈ બહાને ઉઘરાણી નીકળતી જ રહે છે. સરકારી યુનિવર્સિટીઓ ઓછી છે ને તે ઓછી જ રહે તેવી ગણતરી છે. દેખીતું છે કે સરકારી યુનિવર્સિટીની સીટ વહેલી ભરાય, કારણ તેની ફી ઓછી છે. ખાનગી યુનિવર્સિટીઓ દુકાનોની જેમ ખૂલી છે ને તેની ફી વધારે છે. જેમને સરકારીમાં એડમિશન નથી મળતું તેમણે વધારે ફી ભરીને છેવટે ખાનગી યુનિવર્સિટી કે કોલેજોમાં એડમિશન લેવું પડે છે. એ ફી સાધારણ વિદ્યાર્થીઓને નથી પરવડતી તો તેણે ઉધાર ઉછીનું કરીને ભણવું પડે છે અથવા તો અડધેથી ભણવાનું છોડી દેવું પડે છે. ખાનગી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરનારના જનરલ પ્રોગ્રામની ફી 96 હજારથી લઈને 12 લાખ સુધી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં યુનિવર્સિટીઓ તો નવ છે, પણ સરકારી તો એક જ છે. હવે આ રેશિયો પરથી પણ ખ્યાલ આવે એમ છે કે સરકાર ખાનગીને ઉત્તેજન વધુ આપે છે. સરકારની દાનત સાફ નથી. તે શિક્ષણ કર ઉઘરાવે છે, પણ ઉત્તેજન સરકારી સંસ્થાઓને આપવાને બદલે, ખાનગીને આપે છે. તે સહેતુક છે. હેતુ સરકારી સંસ્થાઓ બંધ કરવાનો ને ખાનગીની સંખ્યા વધારવાનો. એમ થવાથી ટેક્સ ગજવે ઘાલી શકાય અને ખાનગીને ગ્રાન્ટ ન આપીને, તેની વ્યવસ્થાનો બોજ તેને જ ખભે નાખીને, જવાબદારીમાંથી છટકી શકાય. સરકારી સંસ્થાઓ બંધ થતી જાય એટલે એનો બોજ નહીં ને ખાનગીનો બોજ જે તે સંસ્થા પોતે ઉપાડે એટલે એની ય ચિંતા નહીં. સરકારને તો બંને હાથમાં લાડુ છે. જો કે, ગ્રાન્ટ ન મળવાને કારણે ખાનગી સંસ્થા પાસે, વધતા નિભાવ ખર્ચ માટે ફી વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી એ પણ ખરું.

શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી, ગુજરાત સરકાર જવાબદારીમાંથી છટકીને કેવી રીતે એક ધંધાદારીની જેમ વર્તે છે તેનો દાખલો જોવા જેવો છે. એક તરફ સરકારે જ રાઇટ ટુ એજ્યુકેશન-RTE અન્વયે પ્રાથમિકમાં પ્રવેશ પરીક્ષા ન લેવાનું ઠરાવેલું ને તેણે જ ધોરણ પાંચમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-CETની પરીક્ષા લીધી. એમાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા એમને સરકારે શિષ્યવૃત્તિ જાહેર કરી. જે વિદ્યાર્થી ધોરણ છમાં સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કરે તેને પાંચ હજાર શિષ્યવૃત્તિ પેટે મળે, પણ જો એ વિદ્યાર્થી ખાનગી સ્કૂલમાં એડમિશન લે તો તેને વીસ હજારની શિષ્યવૃત્તિ મળે. એટલે કે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી કરતાં ચાર ગણી વધુ. સમજાતું નથી તે એ કે પરીક્ષા બધાંની સરખી લેવાઈ હોય તો શિષ્યવૃત્તિ પણ સરખી જ હોયને ! નથી. સરકારને તો બધા વિદ્યાર્થીઓ સરખા હોય. નથી. સરકાર જ ઊઠીને એકને ગોળ ને એકને ખોળ ધરે એ યોગ્ય છે? આમ કરવાનો હેતુ શો? હેતુ એ કે સરકારી સ્કૂલો બંધ થાય ને વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોમાં જાય. હોંશિયાર વિદ્યાર્થીઓ વધુ શિષ્યવૃત્તિની લાલચે ખાનગીમાં પ્રવેશ મેળવે ને નબળા વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જ રહે તો તેમની નબળાઈ, શિક્ષકની નબળાઈ બને અને જતે દિવસે સ્કૂલ નબળી ગણાતાં અટકે.

વધારે શિષ્યવૃત્તિ મેળવવી હોય તો વિદ્યાર્થીએ સરકારી સ્કૂલ છોડીને ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવવો પડે. એમ થાય તો હોંશિયાર વિદ્યાર્થીઓ ખાનગીમાં જાય ને સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઘટે. વિદ્યાર્થીઓ ઘટે તો સંખ્યાના અભાવમાં સ્કૂલો બંધ કરવાનું બહાનું મળે. આમે ય સરકારી સ્કૂલો ચાલુ રાખવામાં સરકારને રસ નથી. રસ એટલે નથી, કારણ એનો ખર્ચ સરકાર કરવા માંગતી નથી. એ ખર્ચ બચે તો રોજ મીડિયામાં ડાચાં દેખાડવાની સગવડ વધે, પ્રોજેક્ટ્સને નામે પૈસા અંકે કરવાની તકો વધે. પ્રોજેક્ટસથી કામ થાય છે, પણ તે કેટલું તકલાદી છે તે એટલીસ્ટ તૂટતા પુલો પરથી પણ સમજી શકાય એમ છે. એ જે હોય તે, પણ ખાનગીને વધુ સ્કોલરશિપ ફાળવીને પ્રાથમિક સ્કૂલો ખાલી કરાવવાની રમત બધી જ રીતે નિંદનીય છે. સરકાર જ ઠરાવે છે કે પ્રાથમિકમાં પ્રવેશ વખતે વિદ્યાર્થી કે વાલીની પરીક્ષા કે તેનાં ઇન્ટરવ્યૂ લઈ શકાશે નહીં ને તે જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-CET લે છે, એટલું જ નહીં, સરકારી અને ખાનગી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં 15,000 રૂપિયાનો તફાવત રાખે છે. આ શરમજનક છે ને પ્રાથમિકના વિદ્યાર્થીઓને અન્યાયકર્તા છે.

સરકારના ચાવવાના ને બતાવવાના જુદા છે. તેને કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત, કોઈ નીતિનિયમ નથી. સગવડ કે લાભ એ જ એક નિયમ પર સરકાર ચાલે છે. સરકાર ખાનગીને ઉત્તેજન આપે છે તે તો જગજાહેર છે, પણ સરકારી સંસ્થાનો લાભ મળતો હોય તો તે ખાટવાનો ય વાંધો નથી. જે ડીમ્ડ યુનિવર્સિટીઓ છે ને સરકારની 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવે છે, તેમાં સરકારે પોતાનાં માણસો ગોઠવવાની તજવીજ, નવાં રેગ્યુલેશન્સને નામે શરૂ કરી છે. ગુજરાત વિદ્યાપીઠ કેન્દ્ર સરકારની સો ટકા ગ્રાન્ટ મેળવે છે, એટલે કુલપતિ અને કુલાધિપતિની નિયુક્તિ હવે સીધી કેન્દ્ર સરકાર કરશે, એટલું જ નહીં, એનો સમગ્ર વહીવટ પણ કેન્દ્ર સરકાર હસ્તક જ હશે. આ વાત વિદ્યાપીઠને જ નહીં, 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવતી તમામ સંસ્થાઓને લાગુ પડે છે. એવી ડીમ્ડ યુનિવર્સિટીઓને સરકારે નક્કી કરેલા નવા નિયમો સ્વીકાર્ય છે એવું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન-MOA કરવાની પણ સૂચનાઓ અપાઈ છે. જો કે, વિદ્યાપીઠના કેટલાક સભ્યો MOA કરવા અંગે નારાજ છે, પણ વિદ્યાપીઠ 100 ટકા ગ્રાન્ટ મેળવતી હોય તો સરકારના MOA અંગે કોઇના ય વાંધા સરકાર ધ્યાને ન લે એમ બને.

ટૂંકમાં, 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવતી ડીમ્ડ યુનિવર્સિટીઓમાં સરકારનાં માણસો દાખલ પડે એમ બને ને સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિથી માંડીને અન્ય નિયુક્તિઓએ શી પરિસ્થિતિ સર્જી છે તે કોઇથી અજાણ્યું નથી. એ જ સ્થિતિ ડીમ્ડ યુનિવર્સિટીઓની સરકાર કરવા માંગે છે. એક તરફ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપીને સરકાર, સરકારી સ્કૂલોની પળોજણમાંથી છૂટવા માંગે છે, એટલે જ તો એક જ ધોરણના સરકારી અને ખાનગી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિઓમાં 15,000 જેવો માતબર તફાવત રાખે છે ને બીજી તરફ 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવતી ડીમ્ડ યુનિવર્સિટીઓનો કારભાર સરકાર પોતાને હસ્તક રાખીને ચંચુપાત કરવાની દાનત પણ રાખે છે. એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે ને બીજી તરફ શૈક્ષણિક પ્રદૂષણથી કોઈ ખૂણો અછૂતો ન રહે એની કાળજી પણ રાખે છે. વિનાશ કાળે … એવું આવા કોઈ કાળ માટે જ કહેવાયું હશે કે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ડિસેમ્બર 2023

Loading

बाबरी ध्वंस से राममंदिर: भारतीय राजनीति की बदलती दशा और दिशा

राम पुनियानी|Opinion - Opinion|29 December 2023

राम पुनियानी

स्वाधीन होने के बाद भारत ने जो दिशा और राह चुनी, उसकी रूपरेखा जवाहरलाल नेहरु के ‘ट्रिस्ट विथ डेस्टिनी’ भाषण में थी. नेहरु ने कहा, “भारत की सेवा का अर्थ है लाखों-लाख पीड़ितों की सेवा. भारत की सेवा का अर्थ है निर्धनता, अज्ञानता, रोग और अवसर की असमानता को समाप्त करना…हमारी पीढ़ी के महानतम व्यक्ति की अभिलाषा तो यही है कि हर आँख से हर आंसू पोछा जाए. यह हमारे बस की बात न भी हो, तब भी, जब तक आंसू हैं और पीड़ा है, हमारा काम ख़त्म नहीं होगा.”

और इसी सन्दर्भ में उन्होंने भाखडा नंगल बाँध का उद्घाटन करते हुए अपने भाषण में आधुनिक भारत के मंदिरों की बात कही. ‘हिंदुस्तान टाइम्स’ अख़बार ने लिखा, “अत्यंत भावपूर्ण शब्दों में प्रधानमंत्री ने इन स्थानों को मंदिर और आराधना स्थल बताया जहाँ हजारों लोग, अपने दसियों लाख बंधुओं के कल्याण की खातिर एक बड़ी रचनात्मक गतिविधि में रत हैं.”

“आधुनिक भारत के मंदिर” – यह वाक्यांश उस थीम को अपने में समेटे हुए था जो सार्वजनिक क्षेत्र की परिकल्पना का आधार थी और जिस थीम के भाग के रूप में वैज्ञानिक समझ को बढ़ावा देने के लिए शैक्षणिक संस्थाओं की स्थापना की गयी, अस्पताल बनाए गए और संस्कृति के उन्नयन के लिए विभिन्न अकादमियों का गठन किया गया. “आधुनिक मंदिरों” के निर्माण का सिलसिला करीब चार-पांच दशक तक चलता रहा.

सन 1980 के दशक में इस प्रक्रिया को पलट दिया गया. इस दशक में अल्पसंख्यकों की खातिर शाहबानो फैसले को पलटने के सरकार के निर्णय से विघटनकारी राजनीति के एक लम्बे दौर की शुरुआत हुई. सांप्रदायिक ताकतों ने धार्मिक अल्पसंख्यकों के खिलाफ प्रचार युद्ध छेड़ दिया. इसके साथ ही, पिछड़ों और दमितों के कल्याण के लिए सकारात्मक कदम के रूप में मंडल आयोग की रपट लागू करने के निर्णय ने मंदिर राजनीति, जो पहले से ही हिन्दू राष्ट्रवादियों के रणनीतिक एजेंडा का हिस्सा थी, को जबरदस्त बल दिया. 

नेहरु के ‘आधुनिक भारत के मंदिरों’ का निर्माण करने की बजाय, मस्जिदों के नीचे मंदिर खोजे जाने लगे. बाबरी मस्जिद को लेकर खड़ा किया गया विवाद, इसी अभियान का हिस्सा था. सन 1980 में संघ परिवार में एक नए सदस्य का जन्म हुआ. वह सदस्य थी भाजपा. कुछ दिन तक यह नई पार्टी गांधीवादी समाजवाद में आस्था रखने का नाटक करती रही. इसका नेतृत्व नर्म नेता का मुखौटा पहने अटलबिहारी वाजपेयी की हाथ में था. वाजपेयी संघ की विचारधारा में पूर्ण आस्था रखते थे. “हिन्दू तनमन, हिन्दू जीवन”, उन्होंने अपने बारे में लिखा था. लेकिन उन्होंने बड़ी सफाई से अपने असली हिन्दू राष्ट्रवादी चेहरे को ढँक कर रखा. बाद में उनकी जगह लालकृष्ण अडवाणी ने ले ली. अडवाणी ने “मंदिर वहीं बनाएंगे” का नारा बुलंद किया.

संघ परिवार लोगों को यह समझाने में सफल रहा कि भगवान राम का जन्म ठीक उसी स्थान पर हुआ था जहाँ बाबरी मस्जिद थी. मंडल आयोग की रपट के लागू होने से राम रथयात्रा को और ताकत मिली. यात्रा अपने पीछे खून की एक गहरी रेखा छोड़ती गई. सन 1990 के आसपास, देश के विभिन्न हिस्सों में इस यात्रा के गुजरने के बाद हुई हिंसा में करीब 1,800 लोग मारे गए. लालूप्रसाद यादव द्वारा अडवाणी की गिरफ़्तारी के साथ यह यात्रा समाप्त हो गई.

सन 1992 के छह दिसंबर को चुने हुए कारसेवकों ने बाबरी मस्जिद को ज़मींदोज़ कर दिया. उन्हें बाकायदा इसका प्रशिक्षण दिया गया था और उन्होंने इसकी रिहर्सल भी की थी. जिस समय मस्जिद तोड़ी जा रही थी, मंच पर अडवाणी, मुरलीमनोहर जोशी और उमा भारती भी थे. मंच से “एक धक्का और दो, बाबरी मस्जिद तोड़ दो” और “ये तो केवल झांकी है, काशी, मथुरा बाकी है” जैसे नारे लगाए जा रहे थे. बाबरी मस्जिद के गिराए जाने के बाद मुंबई, भोपाल, सूरत और कई अन्य शहरों में भयावह सांप्रदायिक हिंसा हुई. और अंततः हमारी न्याय प्रणाली ने हिन्दू राष्ट्रवादी ताकतों के समक्ष समर्पण करते हुए इस मामले का निर्णय ‘आस्था’ के आधार पर सुना दिया. फैसले में उन लोगों के नाम लिए गए जिन्होंने मस्जिद के ध्वंस का नेतृत्व किया था मगर उन्हें उनके अपराध की कोई सज़ा नहीं दी गई. न्यायपालिका ने मस्जिद की पूरी जमीन “हिन्दू पक्ष” को दे दी.

अपनी इस सफलता से आल्हादित संघ परिवार ने देश से और विदेशों से भी भारी धनराशि एकत्र की और उससे बना भव्य राममंदिर अब तैयार है. इसका उद्घाटन पूरे हिन्दू कर्मकांडों के साथ स्वयं प्रधानमंत्री करेंगे. औपचारिक रूप से धर्मनिरपेक्ष सरकार के मुखिया के हाथों यह मंदिर जनता के लिए खुलेगा. जब तक बाबरी मस्जिद थी, तब तक वह भाजपा के चुनाव अभियान का महत्वपूर्ण हिस्सा हुआ करती थी. उसके बाद से ‘भव्य राममंदिर’ का निर्माण पार्टी के चुनाव घोषणापत्रों और वायदों का अहम हिस्सा रहा है. गुज़रे सालों में मुसलमान अपने मोहल्लों में सिमट गए हैं, देश का सांप्रदायिक आधार पर ध्रुवीकरण हुआ है और भाजपा की चुनावी ताकत में ज़बरदस्त वृद्धि हुई है.

वर्तमान स्थिति का सारगर्भित वर्णन लेखक ए.एम. सिंह ने इन शब्दों में किया है: “सत्ता में आने के बाद से, भाजपा के राजनैतिक आख्यान ने हिन्दुओं और मुसलमानों के बीच सांप्रदायिक तनाव को बढ़ाया है. और भाजपा सरकार ने इसी दिशा में कई कदम भी उठाए हैं. संविधान के अनुच्छेद 370 को निष्प्रभावी किया गया और नागरिकता संशोधन अधिनियम (सीएए) पारित किया किया…भारत की नागरिकता को हिंदुत्व के सिद्धांतों के आधार पर पुनर्परिभाषित कर, भाजपा सरकार ने हमारे संविधान में निहित धर्मनिरपेक्षता के मूल्य के भविष्य और उसकी विरासत को किरच-किरच कर दिया है.” अपने मोहल्लों में सिमटे मुसलमान, समाज के हाशिये पर धकेल दिए गए हैं. उन्हें दूसरे दर्जे का नागरिक बना दिया गया है.   

मंदिर के उद्घाटन के मौके का इस्तेमाल हिन्दुओं को गोलबंद करने के लिए किया जा रहा है. अमरीका और अन्य देशों में अप्रवासी भारतीय इससे जुड़े कार्यक्रम आयोजित कर रहे हैं. देश के भीतर, आरएसएस और उसके परिवार के सदस्य हिन्दुओं को इस बात के लिए प्रेरित कर रहे हैं कि या तो वे नए मंदिर के उद्घाटन कार्यक्रम में जाएँ या उस दिन स्थानीय मंदिरों में जाकर पूजा-अर्चना करें.   

इस समारोह में किसे आमंत्रित किया गया है और किसे नहीं, इसको लेकर भी कुछ विवाद सामने आये हैं. पहले मंदिर ट्रस्ट ने बाबरी मस्जिद के ध्वंस के मुख्य आर्किटेक्ट अडवाणी और उनके नजदीकी सहयोगी मुरलीमनोहर जोशी से कहा कि इन दोनों नेताओं की उम्र और अयोध्या में उस समय जबरदस्त ठण्ड पड़ने की सम्भावना के चलते उन्हें कार्यक्रम में नहीं आना चाहिए. बाद में शायद इस मसले पर पुनर्विचार हुआ और विहिप ने दोनों को आमंत्रित किया. 

बाबरी मस्जिद के ध्वंस ने फिरकापरस्त ताकतों को सत्तासीन किया और अब मंदिर के उद्घाटन का उपयोग ध्रुवीकरण को और गहरा करने और उससे चुनावों में लाभ लेने के लिए किया जा रहा है. लोगों को अयोध्या ले जाने के लिए बड़ी संख्या में विशेष रेलगाड़ियों और बसों का इंतजाम हो रहा है.

यह वह समय है जब हमें नेहरु के ‘आधुनिक भारत के मंदिरों’ की संकल्पना और वैज्ञानिक समझ के विस्तार और विकास के प्रयासों को याद करना चाहिए. इस समय धार्मिकता और अंधश्रद्धा को जबरदस्त बढ़ावा दिया जा रहा है. जब हमनें औपनिवेशिक शासन की बेड़ियों को तोड़ा था, तब हमने यह संकल्प लिया था कि ‘अंतिम पंक्ति का अंतिम व्यक्ति’ हमारा फोकस होगा. परन्तु आज राजनीति अयोध्या के राममंदिर के आसपास घूम रही है. और उसके बाद, काशी और मथुरा तो बाकी हैं ही. ऐसा में ‘अंतिम व्यक्ति’ की किसे चिंता है? नेहरु ने ‘ट्रिस्ट विथ डेस्टिनी’ में जो वायदे किये थे, वे सब भुला दिए गए हैं. और देश की हर समस्या, हर असफलता के लिए नेहरु को ज़िम्मेदार बताया जा रहा है.

27/12/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/from-babri-demolition-to-ram-mandir-the-changing-condition-and-direction-of-indian-politics-article-by-ram-puniyani

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૩) : આનન્દવર્ધન  

સુમન શાહ|Opinion - Opinion|28 December 2023

સુમન શાહ

આજે, આનન્દવર્ધન વિશે —

એમનો સમય છે, નવમી શતાબ્દીનો પ્રારમ્ભ. એમનો ગ્રન્થ છે, “ધ્વન્યાલોક”. 

કાવ્યમાં ‘ધ્વનિ’- તત્ત્વની આત્મા રૂપે પ્રસ્થાપના કરનારા આનન્દવર્ધન ‘ધ્વનિ’-ની સ્થિતિ અને સ્વરૂપના નિરૂપણનો પ્રારમ્ભ કરતાં કહે છે :

કાવ્યસ્યાત્મા ધ્વનિરિતિ બુધૈર્ય: સમામ્નત:પૂર્વસ્તસ્યાભાવમ્ જગદુરપરે ભાક્તમાહુસ્તમન્યે I કેચિદ્ વાચામ્ સ્થિતમવિષયે તત્ત્વમૂચુસ્તદીયમ્ તેન બ્રૂમ: સહૃદયમન:પ્રીતયે તત્સ્વરૂપમ્ II

એટલે કે —

વિદ્વાનો કાવ્યના આત્મા રૂપે ધ્વનિનો નિર્દેશ કરતા આવ્યા છે, પરન્તુ કેટલાક વિદ્વાનો એનો અભાવ માને છે. બીજા કેટલાક એને ‘ભાક્ત’ એટલે કે ગૌણ કે લક્ષણાગમ્ય ગણે છે. તો, કેટલાક એના રહસ્યને વાણીનો ‘અવિષય’ ગણે છે, એટલે કે, એને અનિર્વચનીય લેખે છે. તેથી અમે, આનન્દવર્ધન કહે છે, સહૃદયોના મનની પ્રીતિ માટે, એના, એટલે કે ધ્વનિના, સ્વરૂપ વિશે કહીશું. 

મને આનન્દવર્ધનના એ કથનથી વિચાર આવ્યો કે જે કોઈ વિષયનો જે કોઈ સિદ્ધાન્ત જેને ‘આત્મા’ ગણે છે તેની છણાવટભરી ચર્ચાઓ દરેક જમાનામાં થાય છે. જેમ કે, અદ્વૈત વેદાન્તની ચર્ચામાં પ્રભવેલા શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, વગેરે વિવિધ સમ્પ્રદાયો. જેમ કે, રૂપ અથવા આકાર – ફૉર્મ – સાહિત્યસર્જનનો આત્મા છે; પણ એની આપણે ત્યાં થયેલી ચર્ચા-પ્રતિચર્ચા, ખાસ તો, “સરસ્વતીચન્દ્ર”-ના સંદર્ભમાં. વગેરે. 

રસપ્રદ વાત એ છે કે આનન્દવર્ધને એ ‘અભાવ’-વાદીઓના પાંચેક વિકલ્પને બરાબર પડકાર્યા છે. એટલું જ નહીં, ઉમેર્યું છે કે સમસ્ત સત્કવિઓના કાવ્યોના રહસ્યભૂત અને અતિરમણીય ધ્વનિતત્ત્વના સ્વરૂપને સૂક્ષ્મતર બુદ્ધિવાળા કાવ્યલક્ષણવિધાયકો પણ સ્ફુટ કરી શક્યા નથી. તેથી, રામાયણ, મહાભારત વગેરે ગ્રન્થોમાં એના પ્રસિદ્ધ વ્યવહારને સર્વત્ર પામનારા સહૃદયોના મનને આનન્દ થાય એટલા માટે અમે એને અહીં પ્રકાશિત કરીએ છીએ — સહૃદયાનામ્ આનન્દો મનસિ લભતામ્ પ્રતિષ્ઠામિતિ પ્રકાશ્યતે.

આનન્દવર્ધન કહે છે કે ધ્વનિના સ્વરૂપનું નિર્માણ કરવા માટેની આધારભૂમિ – ભૂમિરિવ ભૂમિકા – માટે કહું કે —

યોડર્થ: સહૃદયશ્લાઘ્ય: કાવ્યાત્મેતિ વ્યવસ્થિત: I 

વાચ્યપ્રતીયમાનાખ્યૌ તસ્ય ભેદાવુભૌ સ્મૃતૌ II

એટલે કે —

સહૃદયો દ્વારા પ્રશંસિત અને કાવ્યના આત્મા રૂપે પ્રતિષ્ઠિત અર્થના, વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેવાયા છે. 

જાણીતું છે કે અર્થ આપનારી અભિધા, લક્ષણા અને વ્યંજના ત્રણ શબ્દશક્તિઓ છે. વ્યંજનાશક્તિથી મળતા અર્થને ‘વ્યંગ્ય’ ‘સૂચ્ય’ કે ‘પ્રતીયમાન’ કહેવાય છે. આનન્દવર્ધને આપેલી ‘પ્રતીયમાન’-ની વિસ્તૃત સમજૂતીને આધારે કહી શકાય કે જેને આપણે ‘વ્યંગ્યાર્થ’ કહીએ છીએ તેનું અવરનામ ‘ધ્વન્યાર્થ’ છે. એમના ‘ધ્વન્યાલોક’-ના કેન્દ્રમાં ‘ધ્વનિ’ છે, અને એ ધ્વનિને એમનો એ ગ્રન્થ આલોકિત કે પ્રકાશિત કરે છે.

કહે છે : વાચ્ય અર્થ તો, ઉપમા વગેરે ગુણાલંકારથી પ્રસિદ્ધ છે; કાવ્યલક્ષણકારોએ એ વિશે અનેકશ: કહ્યું છે. એટલા માટે, અમે એનું વિસ્તારથી પ્રતિપાદન નથી કરતા. જરૂરત પડશે ત્યારે તેના અનુ-વાદ કરીશું.

કહે છે : રમણીઓના પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન જેમ એમનું લાવણ્ય ભાસિત થતું હોય છે તેમ મહાકવિઓની સૂક્તિઓમાં પ્રતીયમાન અર્થ ભાસિત થતો હોય છે – વાચ્ય અર્થથી તે ભિન્ન હોય છે. 

દર્શાવે છે કે : વિવિધ પ્રકારના શબ્દ, અર્થ અને સંઘટનાના પ્રપંચથી મનોહર કાવ્યનો સારભૂત પ્રતીયમાન અર્થ જ કાવ્યનો આત્મા છે. જેમ કે, સહચરીના વિયોગથી કાતર ક્રૉંચના ક્રન્દનથી મહાકવિ વાલ્મીકિનો શોક શ્લોક રૂપે પરિણત થયો —

મા નિષાદ પ્રતિષ્ઠામ્ ત્વમગમ: શાશ્વતી: સમા: I

યત્ક્રૌંચમિથુનાદેકમવધી: કામમોહિતમ્ II

++

એમણે જેનાથી રસભંગ થાય એ રસ-વિરોધી તત્ત્વો ગણાવ્યાં છે. એ મુદ્દાની વિશેષતા એ છે કે એ માટે ઉદાહરણો એમણે સંસ્કૃત સાહિત્યકૃતિઓમાંથી જ આપ્યાં છે, અન્ય આચાર્યોની જેમ જાતે બનાવી કાઢ્યાં નથી :

૧ : 

ધારણા કરી હોય તે, પ્રસ્તુત, રસથી વિરોધી રસને તેના વિભાવાદિ સાથે રજૂ કરવામાં આવે ત્યારે રસભંગ થાય છે. જેમ કે, શાન્ત રસના વિભાવાદિનું નિરૂપણ કર્યા પછી તરત જ શ્રુંગારના વિભાવાદિ જોડવાથી. જેમ કે, પ્રણય-કલહથી કુપિત કામિનીઓને સમજાવવા વૈરાગ્યચર્ચા રજૂ કરવાથી. જેમ કે, માનિની પ્રસન્ન ન થતી હોય એટલે કોપાવિષ્ટ નાયકના રૌદ્રાનુભવનું વર્ણન કરવાથી. 

૨ :

પ્રસ્તુત રસ સાથે કશો જ સમ્બન્ધ ન હોય તેવી વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવાથી રસભંગ થાય છે. જેમ કે, કવિ કોઇ નાયકના વિપ્રલમ્ભ શ્રુંગારનું વર્ણન શરૂ કરે પણ પોતાને યમકાદિ ગમતા-ફાવતા હોય એટલે એ અલંકારો જોડવા મંડી પડે એથી. આનન્દવર્ધને “કીરાતાર્જુનીયમ્”-ના સુરાંગનાવિલાસાદિ તેમ જ “હયગ્રીવવધ”-ના હયવધનાં વિસ્તૃત વર્ણનોનો ઉદાહરણ રૂપે ઉલ્લેખ કર્યો છે.

૩ :

અવસર ન હોય છતાં રસને વિચ્છિન્ન કરવાથી રસભંગ થાય છે. જેમ કે, નાયકને નાયિકા સાથે સમાગમ અભીષ્ટ હોય, નાયિકા સાથે રતિ પરિપુષ્ટ થયો હોય, એ બન્નેને પરસ્પરના અનુરાગનો ખયાલ આવી ગયો હોય, ત્યારે, સમાગમને અનુરૂપ વ્યાપારના ચિન્તન કરવાને સ્થાને, કશાક બીજા જ વ્યાપારનું સ્વતન્ત્રપણે વર્ણન કરવાથી. “રત્નાવલી”-માં ‘બાભ્રવ્ય’-ના આગમનથી થયેલી સાગરિકાની વિસ્મૃતિનો ઉદાહરણ રૂપે ઉલ્લેખ કર્યો છે. 

અવસર ન હોય છતાં રસનો વિસ્તાર કરવાથી પણ રસભંગ થાય છે. જેમ કે, અનેક વીરોના વિનાશક પ્રલય જેવો ભીષણ સંગ્રામ શરૂ થયો હોય, વિપ્રલમ્ભ શ્રુંગારનો પ્રસંગ પણ ન હોય, કશું ઉચિત કારણ પણ ન હોય, તોપણ રામચન્દ્ર જેવા દેવપુરુષને એ કથામાં દર્શાવવાથી રસભંગ થઈ શકે છે. ઉદાહરણ છે, “વેણીસંહાર”-નો બીજો અંક. મહાભારત યુદ્ધનો પ્રારમ્ભ થઇ ચૂક્યો હતો, છતાં, ભાનુમતી અને દુર્યોધનનું શ્રુંગારવર્ણન.

૪ :

વિભાવાદિ સામગ્રીથી રસ પરિપુષ્ટ થઈ ગયો હોય તો પણ એને વારંવાર ઉદ્દીપ્ત કરવાથી રસભંગ થાય છે – જેમ વારંવાર સ્પર્શ કરવાથી કુસુમ ચીમળાઈને મલિન થઇ જાય છે —પુન: પુન: પરામુશ્યમાણ: કુસુમકલ્પ: કલ્પ્યતે.

૫ :

વ્યવહારનું અનૌચિત્ય રસભંગનું કારણ છે. જેમ કે, કોઈ નાયિકાને ઉચિત હાવભાવ વિના નાયક પ્રતિ સ્વયં સમ્ભોગાભિલાષ વ્યક્ત કરતી દર્શાવવાથી. આનન્દવર્ધન ઉમેરે છે કે ભરત મુનિએ વર્ણવેલી કૈશિકી વગેરે વૃત્તિઓનું અનૌચિત્ય અથવા ભામહકૃત કાવ્યાલંકારમાં તેમ જ તે પરના ભટ્ટોભટકૃત “ભામહવિવરણ”-માં પ્રસિદ્ધ ઉપનાગરિકા વગેરે વૃત્તિઓનું જે અનૌચિત્ય છે, અવિષયમાં તેનું નિબન્ધન છે, તે પણ રસભંગનું કારણ બની શકે છે.

રસભંગનાં ઉક્ત પાંચ કારણોના સંદર્ભમાં એક પ્રકારનની નીતિ સૂચવાય છે. એ સંદર્ભમાં, આનન્દવર્ધન સત્કવિઓને સાવધાન કરે છે : 

કહે છે, સત્કવિઓના વ્યાપારનો મુખ્ય વિષય રસાદિ છે. એના નિબન્ધનમાં એમણે હમેશાં પ્રમાદરહિત રહેવું જોઈએ. 

કહે છે, કવિનું નીરસ કાવ્ય એના માટે મહાન અપશબ્દ છે. એ નીરસ કાવ્યને કારણે કોઈ એને કવિ તો ગણે જ નહીં. 

કહે છે, પ્રસિદ્ધ પૂર્વકવિઓ સ્વચ્છન્દ કાવ્યો કરતા હતા, પરન્તુ બુદ્ધિમાનોએ એમનો દાખલો ન લેવો, અને એ પ્રકારે આ નીતિનું સદા પાલન કરવું.

આનન્દવર્ધન સરસ ઉમેરે છે : અમે આ નીતિ વાલ્મીકિ, વ્યાસ વગેરે પ્રાચીન કવીશ્વરોના અભિપ્રાયથી વિરુદ્ધની નથી નક્કી કરી ! 

++

એમણે ‘રસધ્વનિ’ ઉપરાન્ત, ‘વસ્તુધ્વનિ’થી વસ્તુને તેમ જ ‘અલંકારધ્વનિ’થી અલંકારને ધ્વનિત કરનારા બીજા બે પ્રકારો પણ દર્શાવ્યા છે. જોઈ શકાશે કે એથી એમણે મુખ્ય અને ગૌણ વિશે સમદૃષ્ટિપૂર્વકની શાસ્ત્રીયતા દાખવી છે. 

એટલું જ નહીં, એમણે ધ્વનિના પણ ભેદ વર્ણવ્યા છે : અવિવક્ષિતવાચ્ય, જે લક્ષણામૂલ છે. વિવક્ષિતાન્યપરવાચ્ય, જે અભિધામૂલ છે. બન્નેનાં એમણે ઉદાહરણ પણ આપ્યાં છે. 

ઉમેર્યું છે કે અવિવક્ષિતવાચ્યધ્વનિના બે પ્રકાર પડે છે; વાચ્ય ‘અર્થાન્તર-સંક્રમિત’ થાય ત્યારે અને  ‘અત્યન્ત-તિરસ્કૃત’ થાય ત્યારે. પરન્તુ એ બન્ને વાચ્યથી વ્યંગાર્થનો જ ઉત્કર્ષ થાય છે.

એમ પણ ઉમેર્યું છે કે વિવક્ષિતવાચ્યધ્વનિનો આત્મા, એટલે કે એનું સ્વ રૂપ, અસંલક્ષિત ક્રમ અને સંલક્ષિત ક્રમ એમ બે પ્રકારનું છે. પ્રધાન રૂપથી પ્રકાશિત થનારો વ્યંગાર્થ જ ધ્વનિનું સ્વ રૂપ છે. એ ક્યારેક વાચ્યાર્થની અપેક્ષાએ અલક્ષિત ક્રમથી અને ક્યારેક સંલક્ષ્ય ક્રમથી સંભવે છે, એમ મનાયું છે. 

જોઈ શકાશે કે એમણે વાચ્ય અને પ્રતીયમાનમાંથી પ્રતીયમાનનું જ ગૌરવ કર્યું છે, પરન્તુ આ રીતે, વાચ્યને કદી વીસર્યા નથી, એમણે કહેલું એમ જરૂરત પડી ત્યારે આ પ્રકારે તેનો અનુ-વાદ કર્યો જ છે. એ રીતે પણ એમણે સમદૃષ્ટિપૂર્વકની શાસ્ત્રીયતા દાખવી છે.

કહે છે, પ્રતીયમાન અર્થને પ્રવાહિત કરનારી મહાકવિઓની વાણી એમના અલૌકિક પ્રતિભાસવાન પ્રતિભા-વિશેષને વ્યક્ત કરે છે. વિચિત્ર કવિપરમ્પરાનું વહન કરતા આ સંસારમાં, એ કારણે, કાલિદાસ વગરે બે-ત્રણ કે પાંચ-છની જ મહાકવિઓમાં ગણના થાય છે — યેન અસ્મિન્નતિવિચિત્ર કવિપરમ્પરાવાહિની સંસારે કાલિદાસપ્રભૃતયો દ્વિત્રા: પંચષા એવ વા મહાકવય ઇતિ ગણ્યતે.

આનન્દવર્ધન એટલે સુધી કહે છે કે પ્રતીયમાન અર્થ અને તેને અભિવ્યક્ત કરનારો સમર્થ શબ્દ, છે જ વિશિષ્ટ ! બીજા બધા શબ્દોમાં એ સામર્થ્ય છે જ નહીં — સ વ્યંગોર્થસ્તદ્વ્યક્તિનામસામર્થ્યયોગી શબ્દશ્ચ કશ્ચન, ન શબ્દમાત્રમ્. 

++

Worthy Amplification, સાર્થક વિસ્તૃતિ.

Pic courtesy : Image Credits

આમ, એથી પ્રતીયમાન શું થાય છે? ધ્વનિત શું થાય છે? ઉત્તર છે, રસ. આ સ્વરૂપે આનન્દવર્ધને રસની સમજ માટે અતિ અનિવાર્ય તત્ત્વ ધ્વનિની સ્થાપના કરી; એ વિશિષ્ટ સંકેતમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રને meaningful amplification, સાર્થક વિસ્તૃતિ, સાંપડી છે, એવું મારું નમ્ર મન્તવ્ય છે. 

===

(12/27/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...712713714715...720730740...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved