Opinion Magazine
Number of visits: 9457360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

यह जो आपकी किताब है … 

कुमार प्रशांत|Opinion - Opinion|31 December 2023

कुमार प्रशांत

हमारे सुप्रीमकोर्ट में 7 सालों तक न्यायमूर्ति रह कर जस्टिस संजय किशन कौल 26 दिसंबर 2023 को न्यायालय से विदा हुए. जस्टिस कौल 2001 में दिल्ली हाईकोर्ट में जज बने थे तथा वहीं स्थानापन्न चीफ जस्टिस भी रहे. फिर पंजाब-हरियाणा हाईकोर्ट तथा मद्रास हाईकोर्ट में चीफजस्टिस रहे. 2017 में वे सुप्रीमकोर्ट पहुंचे. वे वहां कॉलिजियम के सदस्य भी रहे तथा हमारे दौर के कई अत्यंत संवेदनशील मामलों के फैसलों में, जिनमें निजता का अधिकार, समान यौन विवाह, राफैल सौदा, धारा 370 आदि शामिल हैं, जस्टिस कौल की भागीदारी रही. ये सारे ही मामले ऐसे हैं कि जिनने सुप्रीम कोर्ट की गहरी परीक्षा ली है और देश को ऐसा लगा है कि सुप्रीम कोर्ट ऐसी परीक्षाओं में सफल नहीं रहा है.

इन मामलों में अदालती फैसले जिनके हित में गए उन्हें भारी राहत भी मिली और उन्होंने हमारी न्याय-व्यवस्था में गहरी आस्था भी प्रकट की. लेकिन सुप्रीमकोर्ट का अपना क्या हुआ ? जस्टिस कौल ने न्यायपालिका से मुक्ति के बाद एक अखबार को लंबा इंटरव्यू दिया है जिसके लिए हमें उनका आभारी होना चाहिए. उस इंटरव्यू से पता चलता है कि हमारी न्यायपालिका और हमारे न्यायाधीश किस बीमारी के शिकार हैं और क्यों उनकी भूमिका से देश को बार-बार निराश होना पड़ता है.

सुप्रीमकोर्ट जब दीवानी या फौजदारी मामलों में हाथ डालता है तब उसके फैसलों को जांचने की कसौटी भी और उनका परिणाम भी वक्ती होता है. जब वही सुप्रीम कोर्ट संवैधानिक मामलों की जांच करता है तब उसके फैसलों को जांचने की एक ही, मात्र एक ही कसौटी होती है और वह कसौटी है भारतीय संविधान ! श्रीमान्, हम भारत के नागरिकों ने आपको यही एक किताब पहनने-ओढ़ने-बिछाने के लिए दी है. यह जो आपकी किताब है श्रीमान, उसे आपने कितनी शिद्दत से पढ़ा और कितनी गहराई से समझा है, इसे जांचने व समझने का भी हमारे पास एक ही हमारा जरिया है : आपके फैसले ! मैं यह भी कहना चाहता हूं कि आपके पास अपने फैसलों का संदर्भ खोजने व बनाने के लिए इस किताब से अलग दूसरी न कोई किताब है, न होनी चाहिए. यह किताब ही आपकी गीता, बाइबल या कुरान है. आपने इस किताब के अलावा क्या-क्या पढ़ा है, इसे जानने में देश को कोई खास दिलचस्पी नहीं है. जस्टिस कौल ने अपने इंटरव्यू में एक जज की हैसियत से संवैधानिक व्यवस्था के बारे में जिस तरह की बातें कही हैं, जिस तरह की मुश्किलों व युक्तियों का जिक्र किया है, उनसे न केवल निराश हूं मैं बल्कि गहरी शंका से भी घिरा हूं. क्या सर्वोच्च न्यायालय के स्तर पर समझ, सोच व चुनौतियों को पहचानने के संदर्भ में ऐसा धुंधलका छाया है ?

शताब्दियों तक राजनीतिक-मानसिक-सांस्कृतिक व बौद्धिक गुलामी में रहने वाला एक नवजात मुल्क जब ‘नियति से एक वादा करता हुआ’ अपनी आंखें खोलता है, तब हम उसके हाथ में एक किताब धर देते हैं – हमारा संविधान ! यह उन सपनों का संकलन है जो अपने लंबे स्वतंत्रता संग्राम के विभिन्न दौरों से गुजरते हुए हमारी चेतना ने देखा-समझा और अंतर्मन में बसा लिया. उन सपनों को किसी हद तक आकार व आत्मा महात्मा गांधी ने दी. हमारा यह संविधान जैसे लोकतंत्र की कल्पना करता है, उसके विकास की दिशा उसने राज्य के नीति-निर्देशक तत्वों में स्पष्ट दर्ज कर रखी है. सुप्रीमकोर्ट का यह सारा तामझाम और इसका पूरा बोझ देश ने इसलिए ही उठा रखा है कि यह किताब हमारे लोकतंत्र को जिस दिशा में ले जाना चाहती है, उस दिशा से कोई भटकाव या उसकी दिशा में ही कोई विपरीत परिवर्तन न कर सके, सकी स्स्क्फ़्त निगरानी हो. इसका सीधा मतलब है कि हमारे संविधान ने सुप्रीम कोर्ट को एक सतत व अखंड विपक्ष में रहने की भूमिका सौंपी है. ऐसे सुप्रीमकोर्ट की सबसे ऊंची कुर्सी पर बैठे जस्टिस कौल ऐसी भ्रमित अवधारणा में जीते हैं कि ‘अदालत विपक्ष नहीं हो सकती है.’ अदालत कभी भी विपक्षी दल नहीं हो सकती है, यह बात तो संविधान का ककहरा जानने वाला भी समझता है लेकिन जस्टिस कौल जैसे लोग यह कैसे नहीं समझते हैं कि एक लिखित संविधान के शब्द-शब्द व शब्दों के पीछे बसने वाली उसकी आत्मा की पहरेदारी जिसे सौंपी गई है, जिसके प्रति वह सार्वजनिक तौर से वचनबद्ध हुआ है, वह सतत विपक्ष की भूमिका का स्वीकार है ? संविधान की दूसरी सारी व्यवस्थाएं अपनी भूमिका बदल सकती हैं, आज का विपक्ष कल सत्ता पक्ष बन सकता है लेकिन न्यायपालिका को हर हाल में, हर वक्त विपक्ष में ही रहना है.  जस्टिस कौल जैसे लोग यह तो कह सकते हैं कि ऐसी भूमिका का निर्वहन हमसे नहीं हो सकेगा. वे ईमानदारी व हिम्मत से यह कहेंगे तो संविधान उन्हें इस भार से मुक्त हो जाने की छूट भी देता है. लेकिन सालों-साल उस जगह बैठ कर, उस जगह की बुनियादी चुनौती से मुंह मोड़ना संवैधानिक अपराध है.

विधायिका में किसका कितना बड़ा बहुमत है, यह बात न्यायपालिका के लिए कैसे मतलब की हो सकती है ? वह अल्पमत की सरकार हो या दानवी बहुमत की, सुप्रीमकोर्ट के पास उसको तौलने का तराजू तो एक ही है : संविधान ! उस वक्त की सरकार का हर वह फैसला सुप्रीमकोर्ट को स्वीकार होगा जो संविधान के शब्द व उसकी आत्मा के अनुरूप है; जो फैसला ऐसा नहीं है वह कितने भी बहुमत से लिया गया हो, सुप्रीमकोर्ट की नजर में वह धूल बराबर भी नहीं होना चाहिए. सुप्रीमकोर्ट को इसके लिए न कोई लड़ाई लड़नी है, न कोई नारेबाजी करनी है, न किसी की पक्षधरता करनी है. उसे बस संवैधानिक भाषा में घोषणा करनी है. क्या कोई अंपायर इसलिए नो-बॉल कहने से हिचकेगा या डरेगा कि बॉलर बहुत ‘फास्ट’ है; याकि अंगुली उठाने से हिचकेगा कि बल्लेबाज कोई सचिन या डिवेलियर है ? उसकी संवैधानिक ऊंगली उठेगी ही फिर बल्लेबाज विकेट छोड़ता है या नहीं, यह देखना व्यवस्था के दूसरे घटकों का काम है. ‘ओवरपावरिंग मैजोरिटी’ अथवा ‘इनक्रीजनिंग पोलराइज्ड पोलिटिकल इन्वायरमेंट’ जैसे शब्दों से जस्टिस कौल क्या कहना चाहते हैं ? क्या वे यह कह रहे हैं कि ऐसे माहौल में सुप्रीमकोर्ट काम नहीं कर सकता है ? अगर ऐसा है तो फिर वह है ही क्यों ? सुप्रीमकोर्ट संतुलन साधने की राजनीति करने वाला संस्थान नहीं है. उसका काम तटस्थता से संविधान लागू करना है.

हमारे संविधान में एक ही संप्रभु है – भारत की जनता ! बाकी जितनी भी संवैधानिक संरचनाएं हैं उनकी उम्र संविधान में तय कर दी गई है और उनमें से कोई भी संप्रभु नहीं है- न न्यायपालिका, न विधायिका, न कार्यपालिका और न प्रेस ! संविधान ने इन सबको एक हद तक स्वायत्तता दी है लेकिन इन सबका परस्परावलंबन भी सुनिश्चित कर दिया है. सबकी चोटी एक-दूसरे से बंधी है. इतना ही नहीं, संवैधानिक व्यवस्था ऐसी बनी है कि एक अपने दायित्व के पालन में कमजोर पड़ता है तो दूसरा आगे बढ़ कर उसे संभालता भी है और पटरी पर लौटा भी लाता है. न्यायाधीशों की नियुक्ति में इंदिरा-कांग्रेस की मनमानी, प्रेस पर अंकुश लगाने की लगातार की कोशिशें, आपातकाल की घोषणा आदि संसद की विफलता के कुछ उदाहरण हैं, तो आपातकाल का संवैधानिक समर्थन करने में सुप्रीमकोर्ट का पतन भी हमने देखा है; उसी दौर में हमने यह भी देखा कि भारतीय प्रेस के मन में अपनी स्वतंत्रता का कोई मान नहीं है. काहिल, सामाजिक दायित्व के बोध से शून्य व बला की भ्रष्ट कार्यपालिका को एकाधिकारशाही की धुन पर नाचते भी हमने देखा. और फिर हमने इन सबको किसी हद तक पटरी पर लौटते भी देखा है जिसमें सबने एक-दूसरे की मदद की है.

जस्टिस कौल की सोच-समझ पर इन सारे अनुभवों की कोई छाप नहीं दिखाई देती है लेकिन वे यह कहते जरूर मिलते हैं कि ‘नेशनल ज्यूडिशियल एप्वाइंटमेंट कमीशन’ को खारिज कर सुप्रीम कोर्ट ने गलती की. वे कहते हैं कि भारत के सर्वोच्च न्यायाधीश को निर्णायक वोट दे कर, हमें इस कमीशन को काम करने का मौका देना चाहिए था. संविधान की भावना है कि न्यायाधीशों की नियुक्ति में विधायिका का कोई हस्तक्षेप न हो. इसमें से कॉलिजियम पद्धति निकली. जस्टिस कौल की चिंता यह नहीं है कि जो कॉलिजियम व्यवस्था पूरी तरह सुप्रीमकोर्ट के हाथ में है, उसे सुधारने तथा पारदर्शी बनाने की दिशा में पर्याप्त काम क्यों नहीं किया गया जबकि वे तो स्वंय ही कॉलिजियम के सदस्य भी रहे हैं. तब उन्होंने इस व्यवस्था के साथ कैसा सलूक किया था ? अपने हाथ मजबूत कैसे बनें, इसकी जगह जस्टिस कौल की चिंता यह है कि सरकारों के साथ तालमेल कैसे बने!

अब चुनाव आयोग की जैसी संरचना संसद ने पारित की है, उस बारे में जस्टिस कौल क्या करेंगे ? अब तो चुनाव आयोग के चयन का काम, किसी सरकारी दफ़्तर में चपरासी नियुक्त करने जैसा बना दिया गया है. क्या ऐसा चुनाव आयोग संविधान की उस भावना का संरक्षण कर सकेगा जो कहती है कि चुनाव आयोग स्वतंत्र व स्वायत्त होना चाहिए ? संसद का यह कानून यदि सुप्रीमकोर्ट पहुंचा तो वह इसकी समीक्षा किस आधार पर करेगा ? सरतोड़ बहुमत वाली सरकार का यह फैसला है, इस आधार पर या जिस संविधान के संरक्षण का दायित्व सुप्रीमकोर्ट के पास है, उसकी भावना के आधार पर ? हम जस्टिस कौल का जवाब जानना चाहते हैं.

सुप्रीमकोर्ट की सोच ऑपनिवेशिक हो और वह दायित्व लोकतंत्र के संचालन का उठाए, यह संभव है क्या ? जस्टिस कौल इसी जाल में उलझे हैं; और हम जानते हैं कि वे अकेले ऐसी उलझन में नहीं हैं. पूरी न्यायपालिका मानवीय कमजोरियों से ले कर बौद्धिक निष्क्रियता तक से घिरी हुई है. संविधान के प्रति वह निरपवाद रूप से प्रतिबद्ध नहीं रही है. उसकी कई परेशानियों में एक यह भी है कि संविधान नाम की यह किताब सिर्फ उसके पास नहीं है. भारत के हर नागरिक के पास वही किताब है जिसे पढ़ने व समझने की उसकी योग्यता लगातार विकसित हो रही है. इसलिए सुप्रीमकोर्ट हर वक्त जनता के कठघरे में खड़ा मिलता है. यह जो आपकी किताब है श्रीमान, वह सवा करोड़ से ज़्यादा भारतीय नागरिकों की थाती है. आप इसे देश के साथ मिल कर पढ़ेंगे तो ज़्यादा ठीक से समझेंगे. 

(31.12.2023)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ટૅક ટ્રેન્ડ્ઝ 2023થી 2024 : ડિજીટલ સેવાઓની સરળતા સાથે છેતરપીંડીની શક્યતાઓ અનિવાર્ય અનિષ્ટ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 December 2023

વળી ટેક્નોલૉજીએ આણેલા ફેરફારમાં ટ્વિટરની ઊડી ગયેલી ચકલી હવે એક્સ થઇને બેઠી છે. તો ગેમિંગની દુનિયામાં મિક્સ્ડ રિયાલિટીની બોલબાલા છે. સ્કૂલમાં કોડિંગ શીખવાડવામાં હવે કંઇ નવું નથી રહ્યું. ઓટોમેશન, રોબોટિક્સ, ડ્રાઇવર લેસ કાર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ વગેરે બધું જ બદલાતી ટેક્નોલૉજીની ભેટ છે.    

ચિરંતના ભટ્ટ

2023નો આજે છેલ્લો દિવસ. આ વર્ષ હાંફતું, હંફાવતું એના અંત સુધી પહોંચી ગયું. આ વર્ષમાં વિવિધ સ્તરે જાત-ભાતની ઘટનાઓ થઇ, પણ ટૅક્નોલૉજીના ફલક પર જેટલાં પરિવર્તનો, સંશોધનો અને પરિણામ જોયાં એ કદાચ આ પહેલાં એક સાથે એક જ વર્ષમાં થયાં હોય એવું ક્યારે ય નથી થયું. ડિજીટલ વિશ્વમાં સામાન્યમાં સામાન્ય માણસે પણ પ્રવેશ કરી લીધો છે અને તેના ઉપયોગની સરળતાએ ધૂતારાઓને પણ મોકળું મેદાન આપ્યું છે. 2023માં સૌથી પહેલાં તો AI – આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે આપણા બધાની રોજિંદી જિંદગીમાં પગ પેસારો કર્યો અને પછી તેનાં કારમાં પરિણામો પણ દેખા દેવા માંડ્યાં. ડીપ ફેક વીડિયોએ ગામ ગજવ્યું. આ ડિપ ફેકની ચુંગાંલમાં રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટથી માંડીને ભલભલાનું નામ ભેરવાયું. ડીપ ફેકને કારણે એટલી હો-હા થઇ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, કેન્દ્રીય સ્તરે AIના ‘ડાર્ક આસ્પેક્ટ્સ’ સામે પગલાં લેવાય એ દિશામાં અને તેનાથી સાવચેત રહેવાની વાત પર ભાર મૂક્યો. આજે એવા ટેક ટ્રેન્ડ્ઝની ચર્ચા કરીએ જે આ વિતેલા વર્ષમાં ગાજ્યા અને એવી બાબતો પર પણ નજર કરીએ જે ટેક્નોલૉજીની દુનિયામાં પોતાની પકડ મજબૂત કરે તેવી શક્યતા છે.

AI – એ.આઇ. સાંભળીને હવે અજુગતું નથી લાગતું અને એક સમયે માત્ર કલ્પના લાગતી બાબતો આજે વાસ્તવિકતા બની ચૂકી છે. A.I. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – નામે સ્ટીવન સ્પિલબર્ગે 2001માં એક ફિલ્મ બનાવી હતી જે ખાસ્સી ચર્ચાઇ હતી. આજે એ ફિલ્મમાં જે હતું તેના કરતાં કંઇકગણું વધારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે થઇ ચૂક્યું છે. આજે ઓપનAI, ચેટ-જી.પી.ટી. કદાચ કામ કરનાર દરેક વ્યક્તિ કે પ્રોજેક્ટ લખવા બેઠેલા દરેક વિદ્યાર્થીના લેપટોપ પર ચાલુ રહેતી વિન્ડો હશે. અંગ્રેજી લખાણનું વ્યાકરણ તપાસવાનું હોય કે કોઇ બીજી માહિતીને જરા અલગ રીતે લખવાની હોય ચેટ-જી.પી.ટી. હાથ વગું હોય એટલે લોકો નાની મોટી ચિવટ અને તસ્દી લેવાનું જાણે ટાળવા લાગ્યા છે. જો કે એમ કરવામાં જોખમ તો ખરું કારણ કે તમે ચોકસાઇથી કામ નથી કર્યું એ પારખુ નજરને તો ખબર પડી જ જવાની છે. આમ તો ચેટ-જી.પી.ટી.એ પ્રવેશ કરીને પોતાનું સ્થાન બનાવ્યું તેને લગભગ બે વર્ષ થઇ ગયાં, પણ આ વર્ષે તેનો ઉપયોગ થાય છે એ સ્વીકારવામાં લોકોને કંઇ વાંધાજનક નથી લાગતું. વળી કેબ સર્વિસ કંપની ઓલાએ એક નવું AI આધારિત ટૂલ જનરેટ કર્યું કૃત્રિમ જે દસ ભારતીય ભાષામાં પરિણામ આપે છે. હૉસ્પિટલ્સમાં પણ AI આધારિત સેવાઓ પર કામ ચાલુ થઇ ગયું છે જેથી દર્દીની મેડિકલ હિસ્ટ્રી જોઇને તેને કયા મેડિકલ પ્રશ્નો ખડા થઇ શકે છે તેની સ્પષ્ટતા પહેલેથી જ થઇ જાય. વળી AI જનરેટેડે આસિસ્ટન્ટ તમારું કન્સલ્ટેશન કરીને નિદાન આપે એવા દિવસો જરા ય દૂર નથી. જરૂર વગર ડૉક્ટરનું મ્હોં નહીં જોવું પડે એવું પણ આપણે ત્યાં થાય એમ બને.

ડીપ ફેકની વાત તો આપણે પહેલાં પણ કરી અને કઇ રીતે જાણીતા ચહેરાઓનો ઉપયોગ કરીને બેહુદા વીડિયોઝ વાઇરલ કરાયા તેના સમાચારથી આપણે વાકેફ છીએ. વળી AIની મદદ લઇને લોકો અવાજની પણ આબેહૂબ નકલ કરી શકે છે. શાહરૂખ ખાનનો કોઇ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની વાત કરતો વીડિયો હતો જેમાં તેના અવાજને AIથી બનાવી તેને મોંઢે એવી વાત કહેવડાવાઇ હતી જે તેણે ક્યારે ય કહી જ નહોતી. અળવીતરાઓ AIની મદદ લઇને ફાટીને ધૂમાડે ગયા છે અને વધુ આવા કૌભાંડો થશે જ એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. વળી AIની મદદ સારાં કામ માટે તો લેવાતી જ હોય છે. તાજેતરમાં જ વિદેશમાં એક વ્યક્તિને AIની મદદથી તેના મૃત પિતાના અવાજમાં સંદેશો મેળવવાનું નસીબમાં થયું – તેને માટે આ કેટલી લાગણીશીલ ક્ષણ હશે, તેની તો કલ્પના માત્ર જ કરવી રહી. AIએ આ વર્ષે સેન્ટર સ્ટેજ લીધું છે અને આગલાં વર્ષોમાં તેનો રોલ મોટો ને મોટો થતો જવાનો છે એ ચોક્કસ.

ટેક્નોલૉજીના વધતા ઉપયોગને મામલે છેતરપીંડી કરનારાઓ પણ એટલા જ આગળ પડતા છે. વૉટ્સએપ – જે હવે તો આપણી રોજિંદી વાતચીતનો એક અવિભાજ્ચ હિસ્સો છે – તેનાથી થતી ચોરીના કિસ્સા પણ 2023માં ખૂબ વધ્યા. વૉટ્સએપ પર એવો મેસેજ આવે કે – તમે લાઇટનું બિલ નથી ભર્યું અને જો આજે સાંજ સુધીમાં નહીં ભરો તો તમારા ઘરની બત્તી ગૂલ થઇ જશે, અથવા તો શું તમે ઇન્ટરનેશનલ કંપની માટે કામ કરવા માગો છો? તમે અમારે માટે રિવ્યૂઝ લખીને દિવસના 3,000 કમાઇ શકશો, એ પણ ઘેર બેઠાં, વગેરે વગેરે. ફેસબૂકે વૉટ્સએપ ખરીદી લઇને તેના કમર્શ્યલાઇઝેશનની શરૂઆત કરી ત્યારે એ નક્કી હતું કે સ્કેમ્સર્સ પાસે લોકોનો અંગત ડેટા જશે જ અને તેનો ખોટો ઉપયોગ થવાનો જ છે. બેરોજગારી હોય ત્યારે ‘ઇઝી મની’ કોને ન જોઇતા હોય અને એમાં ધુતારાઓને મજા પડી ગઇ અને પછી શરૂ થયા વૉટ્સએપ કૌભાંડ. આંતરરાષ્ટ્રીય કે લોકલ નંબરથી આવતા મેસેજિઝ પર કોઇ એક કામ સોંપવામાં આવે અને પછી પૈસાની લેવડ-દેવડે વાત પહોંચે ત્યારે નાના ટ્રાન્ઝેક્શન પછી અચાનક જ ખાતામાંથી લાખો રૂપિયા ચાંઉ થઇ ગયા હોવા ઘણા કિસ્સા આપણે ત્યાં બન્યા છે.

ક્યૂ.આર. કોડનો ઉપયોગ એવો વધ્યો છે કે આપણે પાકિટ લીધા વગર બહાર જતા રહીએ છીએ કારણ કે સ્કેન કરીને પૈસા તો ચૂકવી દેવાશે તેવી આપણને ખાતરી હોય છે. પણ તાજેતરમાં જ બેંગાલૂરુમાં એક 30 વર્ષના પ્રાધ્યાપકે જ્યારે પોતાનું વૉશિંગ મશિન વેચવા કાઢ્યું ત્યારે ખરીદી કરનારે તેમની પાસે ક્યૂ.આર .કોડ માગ્યો જેથી સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર થઇ શકે. પણ જેવો ક્યૂ. આર. કોડ આપ્યો ત્યાં તો ગણતરીની મિનિટોમાં પ્રોફેસરના ખાતામાંથી 63,000 રૂપિયા ગાયબ થઇ ગયા. છેલ્લા કેટલાક મહિનામાં ક્યૂ.આર. કોડથી થતી છેતરપીંડીના ઘણા બનાવો બન્યા. પહેલાં ઓ.ટી.પી. આપવાની વાતે આ થતું હતું અને હવે ક્યૂ.આર. કોડ સ્કેન કરાવીને પૈસા ચોરી કરાય છે. ડિજીટલ ભારત માટે પડકારો પણ એટલા જ મોટાં છે.

વળી ડિજીટલ ઇન્ડિયામાં ડેટિંગ પણ ડિજીટલી થવા માંડ્યું. પ્રેમમાં છેતરાવ નહીં એમ તો બને નહીં પણ ડેટિંગ એપના જમાનામાં એપ્સ દ્વારા છેતરાયા હોય એવા બે તૃતિયાંશ ભારતીયો છે. નેટફ્લિક્સ પર એક ડૉક્યુમેન્ટરી છે ‘ટિંડર સ્વિન્ડલર’ – ટિંડર એપ પર છોકરીઓને મળી એમના પૈસે તાગડધિન્ના કરનારા એક બહુ દેખાવડા પણ મહા ઠગ કહી શકાય એવા છોકરા વિષે તેમાં વાત કરાઇ છે. ભારતમાં તો ગુરુગ્રામમાં અનેક છોકરીઓએ ડેટિંગ એપનો ઉપોયગ કરીને ડઝનેક છોકરાઓને લૂંટી લીધાના સમાચાર ગાજ્યા હતા.

વળી ટેક્નોલૉજીએ આણેલા ફેરફારમાં ટ્વિટરની ઊડી ગયેલી ચકલી હવે એક્સ થઇને બેઠી છે. તો ગેમિંગની દુનિયામાં મિક્સ્ડ રિયાલિટીની બોલબાલા છે. સ્કૂલમાં કોડિંગ શીખવાડવામાં હવે કંઇ નવું નથી રહ્યું. ઓટોમેશન, રોબોટિક્સ, ડ્રાઇવર લેસ કાર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ વગેરે બધું જ બદલાતી ટેક્નોલૉજીની ભેટ છે. 2024માં ડેટા માઇનિંગનું મહત્ત્વ હજુ વધશે, વર્કસ્પેસ વધારેને વધારે ડિજીટલ બનશે.

સરળતાને હળવાશથી લેવાની ભૂલ કરી તો આપણી જિંદગી ચલાવનારી ટેક્નોલૉજી આપણી પર જ રાજ કરવા માંડે એવું થઇ જ શકે છે. સાઇબર અટેક્સ, સાઇબર વૉરફેર વધુને વધુ સલુકાઇ ભર્યા બનતા જશે અને પ્રગતિ તરફ દોડતી દુનિયામાં યુદ્ધ દ્વારા પોતાની સત્તા સિદ્ધ કરનારાઓ ઓછા નથી અને આમ કરવા માટે પણ ટેક્નોલૉજીનો ઉપયોગ વધુને વધુ વિસ્તરતો જશે.

બાય ધી વેઃ

એક સમયે અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળતી બાબતો આજે વાસ્તવિક્તા બની છે. સરળતા અને સવલત સાથેનાં જોખમ નાનાં નથી. આપણે આધુનિકીકરણ તરફ હરણફાળ ભરતા હોઇએ ત્યારે સાવચેતીનું પ્રમાણ પણ વધારતા જઇએ એ જરૂરી છે. હૉલીવૂડમાં એવી ફિલ્મો બની છે જ્યાં ટેક્નોલૉજી જ્યારે હાવી થાય ત્યારે શું થઇ શકે તેની વાસ્તવિકતા દર્શાવી છે. ‘હર’, ‘મ્યૂટ’, ‘તાઉ’, ‘મૂન’, ‘નર્વ’, ‘કૅમ’, ‘રેડી પ્લેયર ઓન’, ‘ઇન્સેપ્શન’, ‘એક્ઝિટન્સ’, ‘આફ્ટર યાંગ’ વગેરે એવી ફિલ્મો છે જેમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી કઇ હદે જઇ શકે છે તેની વાર્તાઓ કહેવાઇ છે. નેટફ્લિક્સ પર બ્લેક મિરર નામની સિરીઝ ડિજીટલ એજના એટલા બધા પાસાંઓ પર પ્રકાશ પાડે છે કે તેના એપિસોડ્સ જોયા પછી થોડો સમય માટે મગજને શાંત કરવું પડે. જે સ્ક્રીન પર છે તે રિયલ લાઇફમાં પણ આવી શકે છે અને તે ક્યાંક કોઇને વિચાર આવ્યો હશે ત્યારે સ્ક્રીન પર આવ્યું હશે એ સમજ મગજમાં રાખીને ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો રહ્યો. ટેક્નોલૉજીના ઉપયોગથી કશું પણ શક્ય છે એ સ્વીકારવું રહ્યું. માણસના જન્મથી માંડીને મૃત્યુ પછી તેને જીવતો રાખવામાં ટેક્નોલૉજી પોતાનો રોલ ભજવશે, ખાધા વિના ભરાયેલાં પેટ અને સંગાથ વિના કરાયેલી વાતો પણ ટેક્નોલૉજીનું સત્ય છે. આવા સંજોગોમાં માણસાઇ અને માણસ સાથેની કડી જળવાશે તો AI જનરેટેડ થેરાપિસ્ટની જરૂર ઓછી પડશે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2023

Loading

ઇંગ્લેન્ડમાં ગુજરાતી સાહિત્યનાં ચાળીસ વર્ષ

સંજય સ્વાતિ ભાવે|Diaspora - Reviews|31 December 2023

પુસ્તક પરિચય

‘ચાળીસીએ ઓચ્છવ’ મુખપૃષ્ઠ

‘ચાળીસીએ ઓચ્છવ’ એ વક્તવ્ય-સંચયનું લાંબું પેટામથાળું તેનો વિષય સ્પષ્ટ કરે છે – ‘યુનાઈટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’. પુસ્તક 16 ઑગસ્ટ 2018ના રોજ, ઇંગ્લેન્ડની ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા પરિસંવાદમાં અભ્યાસીઓએ રજૂ કરેલાં વક્તવ્યો પરથી બન્યું છે.

તેમાં માતૃભાષા માટે વસાહતીઓની આસ્થા અને 12 ફેબ્રુઆરી 1977 સ્થપાયેલી અકાદમીની કાર્યનિષ્ઠા પ્રગટે છે. વક્તવ્યોમાં સાહિત્યની સમજ, વિષય માટેની સજ્જતા અને સંભવત: મર્યાદિત સામગ્રી છતાં પણ ખાંખતથી કરેલો સ્વાધ્યાય દેખાય છે. કેતન રૂપેરાનું આ સવાસો પાનાંનું સંપાદન વ્યાખ્યાનો પર આધારિત પુસ્તક કેવું અભ્યાસપૂર્ણ અને સંયત રીતે આકર્ષક બનાવી શકાય તેનો એક નમૂનો છે.

‘બ્રિટનની ગુજરાતી કવિતા’ પરના વક્તવ્યમાં અકાદમીના મહામંત્રી કવિ પંચમ શુક્લ ગઈ અરધી સદીમાં દેશના અનેક શહેરોમાં કાવ્યક્ષેત્રે સક્રિય વિવિધ જૂથો વિશે શહેરોનાં નામ સાથે માહિતી આપે છે. ‘અકાદમીએ જાતજાતની રીતે કાવ્ય સાથે પોતાનાં મૂળિયાં જોડી રાખ્યાં’ તેની વિગતો પંચમ ટૂંકમાં આપે છે.

‘મહત્ત્વના અંગ’ તરીકે ‘મુશાયરા’ની નોંધ લીધા પછી પ્રમુખ કવિઓ અને કૃતિઓના ઉલ્લેખો મળે છે. વિસ્તાર અને કવિતાના જ છંદ સાથેના જોડાણની માહિતી રસપ્રદ બને છે. સામયિકો અને કાવ્યવિષયોની વાત આવે છે. નોંધપાત્ર નિરીક્ષણોમાં એક છે : ‘ગુજલીશ’ નામાભિધાન ધરાવતી આંગ્લ-ગુજરાતીમાં ‘સંકર-4 બ્રાન્ડને ગઝલો લખાય છે. તેમાં બ્રિજરાતી સેન્સિબિલિટી છે.’

શાળાકાળથી કથાસાહિત્ય લખનાર વલ્લભ નાંઢા ‘નવલકથા જેવા સાહિત્યસ્વરૂપનું ખેડાણ ઓછું થયું છે’ એમ જણાવીને આ સ્વરૂપનો 1984થી લઈને સુરેખ આલેખ આપે છે. તેમની દૃષ્ટિએ ‘ચર્ચાક્ષમ નવલકથાઓ’નો ‘આંકડો પંદર-સત્તરથી માંડ આગળ વધે’. તેમાંથી સાત નવલકથાઓની તેમણે વિગતે સમીક્ષા કરી છે જેમાં તેમની પોતાની ‘કાળજે કોતરાયેલી પીડા’ આવી જાય છે. પાંચેક કૃતિઓ વિશે ટૂંકી નોંધ મળે છે. નવલકથાકારોમાં ‘ફાવટ આવી નથી’ અને ‘તેમની સૂઝ  કેળવાઈ નથી’ એવી નુકતેચીની પણ વલ્લભભાઈ કરે છે.

તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા વાર્તાકાર અનિલ વ્યાસ સાઠ ઉપરાંતના લેખકોને સમાવતાં પાંચ વાર્તાસંગ્રહોને આધારે સરવૈયું રજૂ કરે છે. તેમાં તે દસેક કર્તાઓ અને તેમની નોંધપાત્ર કૃતિઓ  તપાસે છે. ત્યાર બાદ તેઓ બે નિરીક્ષણો આપે છે – ભારતના સર્જકો વિવેચકો દ્વારા ડાયાસ્પોરાની નવલિકાઓની ઉપેક્ષા અને વસાહતી સર્જકના કૌટુંબિક-સંઘર્ષને ચાતરીને થતું તેના લેખનનું મૂલ્યાંકન. વાર્તાકારો માટે તેમના બે રચનાત્મક સૂચનો છે : ‘Healthy વતનઝૂરાપો’ અને ‘વર્તમાન સાહિત્ય સાથેનો સંપર્ક’.

આત્મકથા સાહિત્ય પરના વક્તવ્યમાં વ્યવસાયે તબીબ કૃષ્ણકાન્ત બૂચ ત્રણ પુસ્તકોનો વાચનીય પરિચય આપે છે. ‘આલીપોરથી OBE-આપવીતી’ના લેખક ‘અદ્દભુત વ્યક્તિ અહમદ લુણાત ‘ગુલ’ છે. નવસારી જિલ્લાના અલિપોરથી 1963માં બ્રિટન આવેલા અહમદભાઈને સમાજસેવાના કામ માટે Order of the British Empire(OBE)થી સન્માનિત છે.

રમણભાઈ પટેલના પુસ્તક ‘મારા અબ્રામાનું મીઠું ઝરણું’ નામે છે. તેમણે વિલાયતમાં ગુજરાતી ભાષાના શિક્ષકની નોકરી ઉપરાંત ‘અનેક જ્ગ્યાએ ઠેબાં ખાધાં’ તેનું બયાન છે. ઊંચા ગજાની વ્યક્તિ’ દીપક બરડોલીકરની આત્મકથા બે ભાગમાં છે – ‘ઉછાળાં ખાય છે પાણી’ અને ‘સાંકળોનો સિતમ’. આ પુસ્તકોની વાત ‘ટૂંકાણમાં થઈ શકે તેમ નથી’ એમ કૃષ્ણકાન્તભાઈએ કહ્યું હોય તો પણ તેમણે લેખકના ઘટનાપૂર્ણ જીવનની પ્રતીતિજનક ઝલક તેઓ આપી શક્યા છે.

નાટકનાં સરવૈયામાં વ્યવસાયે ગ્રંથપાલ અને દુકાનદાર વ્યોમેશ જોશી ત્રણ તબક્કાની છણાવટ તે દરમિયાન થયેલાં નોંધપાત્ર નાટકોનાં મીતાક્ષરી સ્મરણો સાથે કરે છે. તે લખે છે : ‘પહેલો તબક્કો 1960-80, પછી બીજો 80-90 અને ત્રીજો 90 પછીની નવી સદી સુધીનો. ’પહેલા તબક્કાનો તખ્તો રમેશ પટેલે સ્થાપેલા ‘નવકલા કેન્દ્ર’ને કારણે વિકસ્યો.

તેના પછીના દોરમાં ‘બધાં  કૉમર્શિયલ નાટકો’ આવ્યાં. ત્યાર બાદ નટુ પટેલ ઉર્ફે ‘નટુભાઈ નાટકિયા’ ફેડરેશન ઑફ પાટીદાર’ અને મંચનકલાઓ માટે એન.સી. અકાદમી સ્થાપી, જેના નેજા હેઠળ ‘જુદાં જ સ્તરનાં નાટકો આવ્યાં’. નટુભાઈનાં સમજ, નિસબત અને મહેનતપૂર્વકના રંગકર્મ વ્યોમેશ વિશેષ આદરથી લખે છે. વ્યોમેશના મતે ‘એના પછીનો દોર’ થોડો થોડો મંદ થતો  જાય છે, અને પછી હવેનું તો તમે પેપરમાં વાંચતા જ હશો.’ વ્યાખ્યાનના રેકૉર્ડિંગમાં જે પ્રશ્નોત્તરી છે તે પણ સંપાદકે સમાવી છે.

શિક્ષિકા આશાબહેન બૂચ એટલે ‘ગુજરાતી ડાયસ્પોરિક સમાજનું એક વડેરું નામ’. તેમણે ‘પાંચ શ્રેણીના નિબંધો’નું સરવૈયું આપ્યું છે – ‘વિચારપ્રધાન નિબંધો, ચરિત્રચિત્રણ, પ્રવાસવર્ણનો, અહેવાલ અને માહિતીપ્રદ નિબંધો’. તેમણે જે પ્રમુખ નિબંધકારોના લેખનનો પરિચય આપ્યો છે તેમાં બળવંત નાયક, વિપુલ કલ્યાણી, અમૃત દેસાઈ, દીપક બારડોલીકર, વલ્લભ નાંઢા અને ઇમ્તિઆઝ પટેલનો સમાવેશ થાય છે. ‘ઓપિનિયનના અંકોની પટારી ખોલીએ તો અનેક નિબંધો હાથમાં આવે’ એમ કહીને આશાબહેને વિવિધ વિષય અને નિબંધકારોનો ઉલ્લેખ કર્યો છે.

‘અકાદમી દ્વારા ચાલેલાં ભાષાશિક્ષણ પ્રકલ્પ’ એ સંસ્થાનું અત્યંત મહત્ત્વનું પ્રદાન. તેના વિશે ‘વિલાયતમાંના એક ઉત્તમ ગુજરાતી શિક્ષક’ વિજયાબહેન ભંડેરીએ વાત કરી છે. તેમાં અકાદમીએ સાતત્યપૂર્વક હાથ ધરેલી અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો પરીક્ષાઓ અને શિક્ષક તાલીમ શિબિરો અંગે રસપ્રદ માહિતી આપી છે.

‘ઉત્તર વિલાયતની ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ અને તેમની પ્રવૃત્તિઓ’ વિશેનું વક્તવ્ય વિલાયતના એક ઊંચેરા શહેરી’ અહમદભાઈ લુણત ‘ગુલ’ દ્વારા અપાયું. તેનો મુખ્ય હિસ્સો યૉર્કશાયરના બાટલી (Batley) નગરની સાહિત્યિક પ્રવૃત્તિઓનો 1971થી લઈને અત્યાર સુધીનો આલેખ આપે છે.

વ્યવસાયે ગ્રંથપાલ એવાં લેખક, અનુવાદક અને ગાયક ભદ્રાબહેન વડગામા બ્રિટનમાં ગુજરાતી સુગમ સંગીતના ચાર દાયકાની ઝાંખી આપે છે. સહુ પ્રથમ તેઓ ચંદુ મટાણીને ‘બ્રિટનના પુરુષોત્તમ ઉપાધ્યાય’ તરીકે બિરદાવીને શ્રુતિ આર્ટ્સ’ સંસ્થા થકી તેમણે કરેલી પ્રવૃત્તિઓને યાદ કરે છે. અકાદમીએ પણ મહત્ત્વના ફાળા તરીકે યોજેલા માતબર કલાકારોના કાર્યક્રમોનો તે ઉલ્લેખ કરે છે.

નવરાત્રીના ગરબા અને સંપ્રદાયોના સંત્સંગમાં ‘ભજનોની લ્હાણ’ને ભદ્રાબહેન ચૂકતાં નથી. ‘શિશુકુંજ’ અને અન્ય સંસ્થાઓનાં બાળગીતો, જૂથોના નેજા હેઠળની નૃત્યનાટિકાઓ અને ‘ખલીફા સંગીતકારો’નો સમાવેશ અહીં થયો છે.

વિપુલ કલ્યાણીના આવકાર લેખનો પહેલો અરધો હિસ્સો રણજિતરામ વાવાભાઈ મહેતા અને ભીખુ પારેખના અવતરણોથી વ્યાપેલો છે. ત્યાર બાદ તેઓ અકાદમીના ભાષાશિક્ષણ ઉપક્રમ વિશેની વાત ‘2002માં  અકદામીએ પરીક્ષાઓ સ્થગિત કરવી પડી’ એમ લખીને પૂરી કરે છે. જો કે તેઓ એમ પણ નોંધે છે આ ઉપક્રમમાં ‘અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.’

અતિથિ વિશેષ સ્થાનેથી અદમ ટંકારવી ડાયસ્પોરા સાહિત્યનો ટૂંકો ઓવરવ્યૂ આપે છે. અને અંતે નોંધે છે : ‘વિપુલભાઈએ જે ‘જોખાં’ કરવાની વાત કરી છે તે પ્રક્રિયા ક્યારેક  નિર્મમ  કે આત્મગ્લાનિ ઉપજાવનાર બની રહે, પણ આપણા સર્જનને સત્ત્વશીલ, પ્રાણવાન બનાવવા માટે તે અનિવાર્ય છે.’

વિપુલ કલ્યાણીનું ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી અવૉર્ડ (2018) મળ્યા બદલ ચાળીસીના પરિસંવાદ દરમિયાન સન્માન કરવામાં આવ્યું. એના પ્રતિભાવ તરીકે તેમણે આપેલા પ્રવચન વાંચવા મળે છે .તેમણે એ મતલબની વાત કરી કે આ સન્માન તેમનું એકલાનું નહીં સંસ્થા સાથે જોડાયેલા સહુ કાર્યકરોનું પણ છે.

એકસો અઠ્ઠાવીસ પાનાંના પુસ્તકમાં એકવીસમા પાને આવતી અનુક્રમણિકામાં સોળ વક્તાઓ અને તેમના વિષયોનો ઉલ્લેખ છે, પણ પુસ્તકમાં વક્તવ્યો ચૌદ છે. દરેક વક્તાનો તસવીર સહિત સમુચિત પરિચય છે. જે બે વિષય પરના વક્તવ્યો નથી, તે વક્તાઓનો પણ યથાક્રમ પરિચય આપીને પછી સૌજન્યભરી સ્પષ્ટતા સાથેની સંપાદકીય નોંધ છે : ‘વિષયાન્તરને કારણે આ વક્તવ્ય લઈ શક્યાં નથી તેનો રંજ છે.’

કેતન રુપેરા

સંપાદકીય લેખ ‘ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ’ સંપાદકની વસાહતી સાહિત્ય અંગેની વિભાવના રજૂ કરે છે. કોઈ સંપાદક પોતે જે પુસ્તક પર કામ કરે તેમાં કેવાં ઊંડા ઊતરી શકે છે તે આ લેખમાંથી દેખાય છે (કેતનભાઈને અમદાવાદમાં ઘણી વાર ‘યુ.કે.ની ટ્રૅડિશનલ ફ્લૅટ કૅપ’ પહેરેલા પણ જોયા છે, જે વિષય સાથે તાદાત્મ્ય સાધવા માટે હશે, એમ માનવાનું મન થાય).

વળી કેતને ગયા પાંચેક વર્ષમાં ડાયસ્પોરા સાહિત્યના પાંચ પુસ્તકોના સંશોધનપૂર્ણ સંપાદનથી લઈને પુસ્તક નિર્માણ સુધીની કામગીરી નિભાવી છે, અને આ સિદ્ધિ મેળવનાર સંભવત: તેઓ એકલા જ છે. દરેક વક્તવ્ય સાથે તેમણે ચોરસ અને ત્રિકોણાકારના બૉક્સેસમાં મૂકેલી સામગ્રી અને પાંચ પરિશિષ્ટો નોંધપાત્ર છે. 

પરિસંવાદની બેઠકોનાં સંચાલકો તરીકે નયનાબહેન પટેલ અને શૂચિબહેન ભટ્ટનાં વક્તવ્યો પણ પુસ્તકમાં સમાવાયાં છે. નયનાબહેને તેમની વાતના આખરે કહ્યું છે : ‘અહીં થોડાં કાળાં માથાં સિવાય વધારે સફેદ માથાં જ દેખાય છે. કાળાં માથાં વધારે લાવવા માટે અથાગ મહેનત અને પ્રયોગો કરવા પડશે.’ પણ પહેલાં એ કાળાં માથાંવાળાંએ શરૂ કરવા પડશે. બાકી ચાળીસીએ ધોળાં તો પરિપક્વતાની નિશાની ગણાઈ શકે.

‌‌‌‌‌‌‌—————————–

‘ચાળીસીએ ઓચ્છવ’, સંપાદક : કેતન રુપેરા પ્રકાશક : હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ, યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સહિત્ય અકાદમી, પહેલી આવૃત્તિ – 2023; રૂ. 200, £ 5 (UK) 

મુખ્ય વિક્રેતા : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ 

સંપર્ક : 79-26587949, 9879762263

31 ડિસેમ્બર 2023 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...709710711712...720730740...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved