સંભાળ જાત જિંદગી પણ તોડબાજ છે,
મંઝિલ બાળનાર તું પણ તોડબાજ છે.
વિવાદ છાંડ એકલો ભુલો પડી જઈશ,
નાટક બનાવનાર તું પણ તોડબાજ છે.
મન સાફ રાખવા ડહોળી નાખ હાર્દને,
કીચડ ઉછાળનાર તું પણ તોડબાજ છે.
આકાશ આંબવા જવાનું માંડવાળ કર,
મામુ બનાવનાર તું પણ તોડબાજ છે.
તે પણ કદાચ બેઈમાની તો કરી હશે,
નકલી ઈમાનદાર તું પણ તોડબાજ છે.
e.mail : addave68@gmail.com
![]()




એવું પૂછ્યું ન હોત તો ગીતા બે અધ્યાયમાં સમેટાઈ જાત. બીજા અધ્યાયમાં ભગવાન દ્વારા સંપ્રેષિત જ્ઞાનયોગ દ્વારા મુક્તિનો માર્ગે ખુલ્લો જ હતો અને તેથી અર્જુને પૂછ્યું કે આ જાણી લીધા પછી મારે તો સ્થિતપ્રજ્ઞ થઈ કર્મમુક્ત થઈ જવાનું સૂઝે છે. પરમહંસ પણ નરેનને એના જ્ઞાન માટે બિરદાવી કર્મયોગ દ્વારા જ મુક્તિની સંભાવનાની વાત કરે છે. શરીર હોવાથી કર્મથી છૂટકારો નથી. જ્ઞાનપૂર્વક અને સમર્પણભાવથી કરેલો કર્મયજ્ઞ જ મુક્તિ તરફ લઈ જનારો છે. સંયમી કર્માચરણથી સમતા અને સામર્થ્ય મેળવી શકાય છે અને તે જ્ઞાન/સાંખ્ય, કર્મ અને ભક્તિ યોગોનું સાયુજ્ય છે.
મોતીહારીની મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગાંધીજી જે બયાન વાંચે છે તે એક કર્તવ્યનિષ્ઠ કર્મયોગીને દીપાવે છે. જાહેરજીવનમાં પડેલો એક કર્મયોગી જેની નિરંતર સાધના હોય તે જ આવી રજૂઆત કરી શકે. અમુક અંશ જોઈ જઈએ.