Opinion Magazine
Number of visits: 9457360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધ્રુવીકરણ રાષ્ટ્રીય સ્તરે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે અને ઉત્તર તેમ જ પશ્ચિમ ભારતમાં પરિવારોમાં થયું છે. આ દેશ માટે શુભસંકેત નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|30 January 2024

રમેશ ઓઝા

ભારત જોડો યાત્રા શરૂ કરતાં પહેલાં રાહુલ ગાંધીએ દિલ્હીમાં કર્મશીલો તેમ જ વિચારકો સાથેની બેઠકમાં કહ્યું હતું કે માત્ર રાજકીય રીતે બી.જે.પી.નો પરાજય ન થઈ શકે, મુખ્ય લડાઈ વિચારધારાની છે.

રાહુલ ગાંધીની આ વાત બિલકુલ સાચી છે, પરંતુ તેમને એ સમજાતાં ઘણી વાર લાગી. રાહુલ ગાંધી શું આ લખનારા રાજકીય સમીક્ષકો તેમ જ વિદ્વાનો પણ ચૂંટણીકીય ગણિતોના આધારે એમ માનતા હતા કે બી.જે.પી.નો પરાજય અમુક પ્રકારનાં રાજકીય સમીકરણોનાં આધારે શક્ય છે. જેમ અટલ બિહારી વાજપેયીની સરકાર આવી અને ગઈ એ મુજબ નરેન્દ્ર મોદીની સરકાર પણ જઈ શકે છે. રાહુલ ગાંધી અને કાઁગ્રેસે ૨૦૨૧ની સાલ સુધી વિધાનસભાઓની તેમ જ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આ રીતે રાજકીય સમીકરણોના આધારે જ લડી હતી. બીજા પક્ષોની વાત કરીએ તો તે ટકી રહેવા માટે ચૂંટણીકીય ગણતરીઓ માંડે છે અને તેને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી.

રાહુલ ગાંધીની વાત સાચી છે કે લડાઈ વિચારધારાની છે. સંઘપરિવાર હિંદુઓના એક વર્ગ (મુખ્યત્વે પુરુષ મધ્યમવર્ગ) સુધી પહોંચી ગયો છે અને તેનાં મનમાં એવું ઠસાવી દીધું છે કે ભારત વિશેની સંઘપ્રેરિત કલ્પના જ સાચી છે, ભારત માટે અને તેના માટે હિતકારી છે. હિંદુઓનો આ વર્ગ ઘણો મોટો છે, પણ યાદ રહે હજુ સુધી તે બહુમતીમાં નથી. લગભગ ૬૦ ટકા હિંદુઓને સંઘની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. હજુ વધુ ચિંતાની વાત એ છે કે ધ્રુવીકરણ રાષ્ટ્રીય સ્તરે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે થયું છે અને ઉત્તર ભારતમાં પરિવારોમાં થયું છે. આ દેશ માટે શુભસંકેત નથી. જ્યારે સહિયારા ભારતની કલ્પના વિકસી હતી અને લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી ત્યારે ભારતમાં આજ જેટલું ભૌગોલિક ધ્રુવીકરણ નહોતું થયું અને પરિવારોમાં તો બિલકુલ નહોતું થયું. તામિલનાડુમાં દ્રવિડ રાજકારણ કરનારાઓ, પંજાબમાં સીખો, ઇશાન ભારતમાં કેટલાક રાજકીય પક્ષો અને સામ્યવાદીઓ જુદો રાગ આલાપતા હતા, પણ પ્રજાનો એક નાનકડો વર્ગ છોડીને કોઈ તેમની સાથે નહોતા. એમ તો હિન્દુત્વવાદીઓને પણ સહિયારા સેક્યુલર ભારતની કલ્પના સ્વીકાર્ય નહોતી, પરંતુ તેઓ ચર્ચામાં નહોતા ઉતરતા. તેમનું પ્રચારમાધ્યમ વિમર્શ નથી, કાનાફૂસી છે.

કલ્પના કરો કે મુસ્લિમ લીગની આડોડાઈને કારણે અને બીજા વિશ્વયુદ્ધ વખતે દેશહિતની જગ્યાએ અંગ્રેજોને ટેકો આપવાને કારણે ભારતનું વિભાજન થયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી રચવામાં આવેલી સર્વપક્ષીય હંગામી સરકાર નિષ્ફળ નીવડે એ માટે મુસ્લિમ લીગે અંદરથી ભાંગફોડ કરી હતી તે એટલે સુધી કે સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશી જેવા કાઁગ્રેસના જમણેરી નેતાઓ એવા તારણ પર આવ્યા હતા કે ભારતનું કોમી વિભાજન ભારતનાં હિંદુઓના હિતમાં હશે એટલે વિભાજન સ્વીકારી લેવામાં આવે. મુનશીએ તો કાઁગ્રેસમાંથી રાજીનામું આપીને અખંડ હિન્દુસ્તાન માટે આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તેમને સફળતા નહોતી મળી એ જુદી વાત છે. છેવટે વિભાજન થયું અને દેશભરમાં કોમી રમખાણો થયાં. લાખો લોકો માર્યા ગયા, કરોડો લોકો બેઘર થયા, પોતાનું વતન છોડવું પડ્યું, સ્ત્રીઓ સાથે બર્બર અત્યાચારો થયાં, બન્ને બાજુ હજારો સ્ત્રીઓએ કૂવા પૂર્યા અને ત્યારે? ત્યારે ભારતનું બંધારણ ઘડાતું હતું.

બંધારણસભામાં કોઈ કહેતાં કોઈએ પ્રતિક્રિયામાં આવીને કહ્યું નહોતું કે ભારત પણ હિંદુ ભારત હોવું જોઈએ. હિંદુઓને ઝૂકતું માપ મળવું જોઈએ. મુસલમાનોને એનો દેશ મળી ગયો છે એટલે હવે તેમણે બરાબરીનો અધિકાર ગુમાવી દીધો છે. જે મુસલમાને ભારતમાં રહેવું હોય એ હિંદુ ભારતમાં દ્વિતીય કક્ષાના નાગરિક તરીકે જીવી શકે છે. એમાં સરદાર પટેલ હતા, કનૈયાલાલ મુનશી હતા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા અને તેમના જેવા બીજા સેંકડો જમણેરીઓ હતા. હકીકતમાં તેમની તો બંધારણસભામાં બહુમતી હતી. ડૉ. આંબેડકરે ઇસ્લામની અને ભારતીય મુસ્લિમ રાજકારણની આકરી ચિકિત્સા કરી હતી, લખીને કરી હતી અને છતાં ય તેમણે પણ મુસ્લિમોને ઓછું માપ આપવું જોઈએ એમ નહોતું કહ્યું. ભારતીય જનસંઘ(અત્યારનો ભા.જ.પ.)ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંધારણસભાના સભ્ય હતા અને તેમણે પણ ક્યારે ય નહોતું કહ્યું કે ભારત હિંદુ રાષ્ટ્ર હોવું જોઈએ, હિંદુઓને ઝૂકતું માપ મળવું જોઈએ અને મુસલમાનોને દ્વિતીય નાગરિકત્વ આપવું જોઈએ. ખાતરી કરવી હોય તો બંધારણસભામાં થયેલી સમગ્ર ચર્ચાનાં વોલ્યુમ્સ ઈન્ટરનેટ પર જોઈ શકો છો. તમને ગાંધી અને નેહરુ સામે વાંધો હોય તો તેમને બાજુએ મૂકો અને સગી આંખે જોઈ જાવ કે સરદાર પટેલ સહિતનાં તમારા ગમતા નેતાઓએ ત્યારે શું કહ્યું હતું. ખાસ કરીને ત્યારે જ્યારે દેશ હિંસાના દાવાનળમાંથી પસાર થતો હતો. મુસલમાનો સામે ગુસ્સા માટે અને પ્રતિક્રિયા માટે મજબૂત કારણો હતાં. અને એ છતાં ય તેમણે સંયમ રાખ્યો હતો, વિવેક જાળવ્યો હતો અને એવા ભારતને બંધારણમાં રેખાંકિત કર્યું હતું જે આજે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી અને તમે કદાચ હિન્દુત્વવાદીઓના સમર્થક છો.

તમે ક્યારે ય વિચાર્યું છે કે સરદાર પટેલ, મુનશી, રાજેન્દ્રબાબુ, હરગોવિંદ દાસ અને તેમના જેવા બીજા સોએક હિંદુહિતના રખેવાળોએ શા માટે સહિયારા, લોકતાંત્રિક અને સેક્યુલર ભારતની કલ્પના સ્વીકારી અને બંધારણમાં રેખાંકિત કરી? સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિષે બંધારણસભામાં વિખવાદ પેદા થઈ શક્યો હોત જે રીતે પાકિસ્તાનની બંધારણસભામાં થયો હતો, પરંતુ વિખવાદ તો દૂરની વાત છે કોઈએ ભિન્ન મત પણ વ્યક્ત નહોતો કર્યો. તમે પોતે આ વાતની ખાતરી કરી શકો છો અથવા કોઈ હિન્દુત્વવાદીને પ્રશ્ન પૂછી શકો છો. શા માટે કોઈ કહેતા કોઈએ હિંદુ ભારતની વાત નહોતી કરી? બીજું, શા માટે કોઈ કહેતા કોઈ હિન્દુત્વવાદીએ એ સમયે, એટલે કે જ્યારે બંધારણ ઘડાતું હતું ત્યારે હિંદુ ભારત માટે આગ્રહ નહોતો રાખ્યો? બીજા અનેક લોકોની જેમ તેઓ પણ પોતાની કલ્પનાના ભારતને સાકાર કરે એવા બંધારણનો મુસદ્દો રજૂ કરી શક્યા હોત. બંધારણસભાએ તો જાહેરજનતા પાસેથી ભારતનાં બંધારણ વિષે સૂચનો માગ્યાં હતાં અને અનેક લોકોએ આપ્યાં પણ હતાં. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રીમન્ન નારાયણે ગાંધીજીની કલ્પનાના ભારતને સાકાર કરવા માટે બંધારણનો એક મુસદ્દો બંધારણસભાની વિચારણા માટે રજૂ કર્યો હતો.

શા માટે હિન્દુત્વવાદીઓએ પોતાની કલ્પનાના ભારત વિશેનાં સૂચનો ત્યારે બંધારણસભા સમક્ષ નહોતાં રાખ્યા? બીજાઓની જેમ તેઓ પણ રાખી શક્યા હોત. શા માટે તેમણે સરદાર અને મુનશી જેવા પોતાની પસંદગીના નેતાઓને નહોતું પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો?

તો આ સપ્તાહમાં બે પ્રશ્ન વિષે વિચારો : એક, શા માટે બંધારણસભામાં ઉપસ્થિત સોએક જેટલા હિંદુહિતને વરેલા સભ્યોએ હિંદુ ભારતની વાત ન કરી અને બે, શા માટે હિંદુ ભારત ઇચ્છનારાઓએ ત્યારે પોતાની કલ્પનાના ભારત વિશેનો મુસદ્દો માગવા છતાં ય નહોતો રજૂ કર્યો? આની વધુ ચર્ચા આવતા અઠવાડિયે કરીશું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 જાન્યુઆરી 2024

Loading

सांप्रदायिक राष्ट्रवाद के दौर में समावेशी भारत के विचार की पुनर्स्थापना

राम पुनियानी|Opinion - Opinion|29 January 2024

राम पुनियानी

कई राज्यों में राज्यपाल रह चुके सत्यपाल मलिक अनेक बार कह चुके हैं कि 2019 में हुए लोकसभा चुनाव में मोदी और भाजपा की जीत में पुलवामा और बालाकोट का काफी बड़ा योगदान था. उन्होंने यह भविष्यवाणी भी की है कि 2024 के चुनाव के ठीक पहले भी कोई और बड़ी घटना हो सकती है.

अयोध्या के राममंदिर में प्राणप्रतिष्ठा को लेकर जो उन्माद उत्पन्न किया गया, उसके चलते यह एक बड़ी घटना बन गया है. ठीक इसी समय, सुरन्या अयय्यर, जो एक अधिवक्ता और लेखक हैं, ने उपवास व पश्चाताप किया, जिसे उन्होंने अपने मुस्लिम मित्रों के प्रति “संताप और स्नेह” के 72 घंटे निरूपित किया. उनका दावा है कि उन्हें मुगलों की विरासत पर गर्व है. हम अपने चारों ओर विभाजनकारी और दमघोंटू माहौल बनता देख सकते हैं, जो बहुत डरावना लगता है.

वैसे मंदिरों के उद्घाटन साम्प्रदायिक सद्भाव बढ़ाने के अवसर भी रहे हैं, जो कुछ उदाहरणों से स्पष्ट होगा. सन् 1939 में दिल्ली में लक्ष्मीनारायण मंदिर (बिड़ला मंदिर) का उद्घाटन करते हुए महात्मा गांधी ने कहा था, ‘‘हिन्दू धर्म के हर अनुयायी को प्रतिदिन यह प्रार्थना करनी चाहिए…कि दुनिया का हर ज्ञात धर्म हर दिन फले-फूले और पूरी मानव जाति का हित करे…मुझे उम्मीद है कि इन मंदिरों से सभी धर्मों के एक समान सम्मान का संदेश जाएगा और साम्प्रदायिक ईर्ष्या और कलह बीते दिन की बातें बन जाएंगीं”.

लगभग यही बात स्वामी विवेकानंद ने काफी पहले (1897) में कही थी. “भारत में हिन्दुओं ने ईसाईयों के लिए गिरजाघर बनाए हैं और अभी भी बना रहे हैं और उन्होंने मुसलमानों के लिए मस्जिदें भी बनाई हैं”. अपनी पुस्तक ‘लेक्चर्स फ्राम कोलंबो टू अल्मोड़ा‘ में स्वामीजी कहते हैं, “कहने की ज़रुरत नहीं कि इसे समझने के लिए हमें न केवल परोपकारी बनना होगा बल्कि एक दूसरे का सकरात्मक मददगार भी बनना होगा, भले ही हमारी धार्मिक मान्यताएं और प्रतिबद्धताएं कितनी ही भिन्न क्यों न हों. और भारत में हम ठीक यही करते आए हैं, जैसा कि मैंने आपको अभी-अभी बताया…और यही किया जाना चाहिए”.

वर्तमान में माहौल इसके ठीक विपरीत है, जैसा कि सुरन्या के उपवास से जाहिर होता है. यह उन घटनाओं में भी प्रतिबिंबित होता है जिनमें आनंद पटवर्धन की सर्वकालिक क्लासिक “राम के नाम”, जो सेंसर द्वारा अनुमोदित है, का प्रदर्शन आयोजित करने वाले सांस्कृतिक कर्मियों को गिरफ्तार किया जा रहा है और उनके खिलाफ गैर-जमानती वारंट जारी किए जा रहे हैं. यह 20 जनवरी को हैदराबाद में हुआ.

दूसरी ओर हैं आरएसएस के अघोषित मुखपत्र ‘आर्गनाईजर’ के संपादक प्रफुल्ल केतकर जैसे लोग, जिनका दावा है कि “अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा दशकों चले राम जन्मभूमि आंदोलन की परिणति मात्र नहीं है अपितु यह राष्ट्रीय चेतना के पुनर्निर्माण की शुरूआत है”. इसका अर्थ यह है कि सामाजिक बदलाव और ‘आईडिया ऑफ़ इंडिया’ के विचार के विकास की जो प्रक्रिया स्वाधीनता आंदोलन के साथ-साथ चली थी, वह नकार दी गई है और जिसे मोटे तौर पर ‘हिन्दू राष्ट्र’ कहा जा सकता है, वह अस्तित्व में आ चुका है और हिन्दू राष्ट्र के निर्माण की ओर साम्प्रदायिक शक्तियों ने कई सफल कदम उठा लिए हैं.

भारत के विचार में समाज के विभिन्न वर्गों का एकजुट होकर औपनिवेशिक शक्तियों से संघर्ष करना शामिल था, और इसमें सभी की स्वतंत्रता, समानता, बंधुत्व और न्याय उपलब्ध कराने का लक्ष्य हासिल करने का प्रयास भी सम्मिलित था. इस व्यापक आंदोलन, जिसका लक्ष्य भारत के विचार को हासिल करना था, वही भारत के संविधान के मूल्यों का आधार बना.

भारत के इस विचार को कई चुनौतियों का सामना करना पड़ा जिनकी जड़ें राजे-रजवाड़ों के मूल्यों में थीं, जिन्हें मोटे तौर पर सामंती मूल्य कहा जा सकता है. इन मूल्यों केन्द्र में थे जाति, वर्ग और लिंग के जन्म-आधारित पदानुक्रम और यही वे मूल्य हैं जिनका उपयोग मंदिर में प्राणप्रतिष्ठा को लेकर उन्माद उत्पन्न करने के लिए किया गया. इनके मूल में हैं विभिन्न धर्मों के राजा, जमींदार और उनसे जुड़े विचारक जो मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस जैसे संगठनों के रूप में सामने आए. जहां मुस्लिम साम्प्रदायिक शक्तियां सामंती मूल्यों पर पाकिस्तान में अमल कर रही हैं वहीं हिन्दू साम्प्रदायिक शक्तियां भारत में हर्षित हैं. वे धीरे-धीरे प्रबल होते हुए राम मंदिर में प्राण प्रतिष्ठा के साथ अर्ध-शिखर पर पहुंच गईं हैं.

आजादी की लड़ाई के दौरान के भारत के मूल्य भगत सिंह, अम्बेडकर और गांधी के विचारों के रूप में प्रकट हुए जिन्होंने आजादी, समानता और बंधुत्व या मेल-जोल पर जोर दिया. राष्ट्रपिता से कुछ मतभेदों के बावजूद, सुभाषचन्द बोस की भी इस ‘भारत के विचार’ के प्रति पूर्ण प्रतिबद्धता थी.

अभिजात जमींदार और मनुस्मृति-पूजक विचारधारा, हिंदू राष्ट्र अर्थात हिन्दुत्व का सामाजिक आधार थी. ये शक्तियों और यह विचारधारा प्रबल होती गई, विशेषकर पिछले चार दशकों में, और वे दिन पर दिन साम्प्रदायिकता के शक्तिशाली होते जाने से बहुत प्रसन्न हैं. वे मंदिर में हुई प्राण प्रतिष्ठा को लेकर भी गांधी और विवेकानंद के नजरिए के विपरीत संकीर्ण विचार व्यक्त कर रहे हैं. साम्प्रदायिक राष्ट्रवादी एक विशेष प्रकार के ‘सभ्यतागत मूल्यों’ को और प्रबल बनाने की कोशिश कर रहे हैं जिसकी जड़ें मनुस्मृति में निहित ब्राम्हणवाद में हैं.

जो लोग मनुस्मृति के मूल्यों से दूर रहने के पक्ष में हैं, जो भारतीयता के झंडे तले सभी को जोड़ना चाहते हैं, जो वर्ग, जाति और लिंग के अंतरों को भूलकर एकता के पक्ष में हैं, उन्हें हिन्दू भारत में तरह-तरह की धमकियों का सामना करना पड़ रहा है. यह मुस्लिम पाकिस्तान में जो हो रहा है, उसके समानांतर परन्तु उलट है.

ऐसे में आशा की एकमात्र किरण है ‘भारत का विचार’ रखने वाले समाज के उन सभी वर्गों की एकता जिन्होंने मिलकर आजादी की लड़ाई लड़ी था. उनका आन्दोलन उन ताकतों के खिलाफ है जो धर्म के नाम पर जन्म-आधारित उंचनीच पर गर्वित हैं और जो भारतीय संविधान से ज्यादा महत्व धार्मिक ग्रंथों को देते हैं. मगर इन ताकतों का आन्दोलन बिखरा हुआ है. इस आन्दोलन में शामिल विभिन्न समूहों के हित अलग-अलग हो सकते हैं मगर ज़रुरत इस बात की है कि भारतीय संविधान और आईडिया ऑफ़ इंडिया के प्रति उनकी निष्ठा के आधार पर वे एक साथ काम करें और समूहों और पार्टियों के ऊपर उठें.

आज भी कई ऐसी पार्टियाँ हैं जो साम्प्रदायिकता से दूर हैं. इन पार्टियों के नेताओं ने अपने मतभेदों को भुलाकर, ब्रिटिश औपनिवेशिक सरकार के खिलाफ मिलकर संघर्ष किया था. आज ज़रुरत इस बात की है कि समाज के ऐसे वर्गों के सामाजिक और राजनैतिक गठबंधनों को आगे लाया जाए. औपनिवेशिक सरकार, समाज के अधिकांश तबकों के हितों के खिलाफ थी. इसी तरह, आज जो ध्रुवीकरण की राजनीति के सहारे सत्ता में हैं, वे भी समाज के कमज़ोर वर्गों के हितों के खिलाफ हैं. पिछले दस सालों में यह एकदम साफ़ हो गया है.

उन्माद से निपटने के लिए उन्माद पैदा करने की ज़रुरत नहीं है. हमें उस विचारधारा की ज़रुरत है जो समाज के कमज़ोर वर्गों – दलितों, धार्मिक अल्पसंख्यकों, महिलाओं, श्रमिकों और आदिवासियों – को एक करे. ऐसे कई सांझा मूल्य हैं जिनकी रक्षा उन्हें करना है. और उन्हें स्वाधीनता आन्दोलन से उभरे ‘आईडिया ऑफ़ इंडिया’ को भी बचाना है. क्या भारत जोड़ो न्याय यात्रा ऐसे सांझा मंच की स्थापना की दिशा में पहला कदम हो सकता है? यह आज हमारे सामने सबसे बड़ा प्रश्न है.

24/01/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/big-responsibility-on-bharat-jodo-nyay-yatra-hope-for-restoration-of-idea-of-inclusive-india-increased 

Loading

શિક્ષણ વિભાગનો બાલ્યકાળ પૂરો થાય તો સારું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 January 2024

રવીન્દ્ર પારેખ

ગુજરાતમાં દાયકાઓથી ભા.જ.પ.ની સરકાર છે ને તેણે અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે, પણ કોણ જાણે કેમ, શિક્ષણ વિભાગનો બાલ્યકાળ પૂરો થતો જ નથી. ક્યાંક તે કોઈ માનસિક સમસ્યાથી પીડાય છે અથવા તો યૌવનકાળ ચાલતો હોવા છતાં, તેનું છોકરમતપણું છૂટતું જ ન હોય તેમ, એટલી બધી વખત છેક ભૂંસ ચાલે છે કે મૂળ વાત જ ઉકલતી નથી. તેનો શિક્ષકો અંગેનો એક પણ નિર્ણય સ્વસ્થતાનો દ્યોતક નથી. 2017થી બત્રીસેક હજાર શિક્ષકોની કાયમી ઘટમાં ખાસ ફેર પડ્યો નથી. શિક્ષકો સાથે જૂનું વેર હોય તેમ તેના હિતનો કોઈ વિચાર સરકારને આવતો જ નથી. પાયામાંથી બાળકોનું શિક્ષણ કાચું જ રહે તે માટે સરકાર પરિપત્રો બહાર પાડતી રહે છે, પણ મૂળ પ્રશ્ન ઊભો રહેવા દઈને સરકાર એવા ઉકેલ શોધે છે જે સમસ્યા વધારે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષકો જરૂરી જ ન હોય તેમ શિક્ષક વગર શિક્ષણ આપવાના અખતરાઓ ચાલે છે. કાયમી શિક્ષકો ઘટતા હોય તો તેની નિમણૂક કરવી એ સાદો ઉકેલ હોય, પણ તેમ ન કરતાં સરકાર કામ ચલાઉ શિક્ષકોથી કામ કાઢે છે. એમ કરવાથી કાયમી શિક્ષકોની સમસ્યા કેવી રીતે ઉકેલાય તે સમજાતું નથી.

શિક્ષકોની કામ ચલાઉ નિમણૂકો સિવાય બીજું કોઈ કામ જ ન હોય તેમ એમાં ને એમાં જ શિક્ષણ વિભાગ સમય પસાર કરે છે. કાયમી શિક્ષકોને વિકલ્પે સરકારે વિદ્યા સહાયકો, પ્રવાસી શિક્ષકો, જ્ઞાન સહાયકો…ની કામચલાઉ વ્યવસ્થાઓ ઊભી કરી ને એમાં પણ એટલી વખત ફેરફારો કર્યા કે એ બધા છેવટે તો વિદ્યાર્થીઓ માટે છે એ વાત જ ગૌણ થઈ ગઈ. આખા ય ઉપક્રમમાં વિદ્યાર્થીઓ કોઈને બહુ યાદ આવતા જ નથી. ભણાવવા કરતાં ભણાવવાની વ્યવસ્થા જ ભણતર હોય એવી માનસિક્તાથી શિક્ષણ વિભાગ પીડાય છે. કેટલી ય સ્કૂલો શિક્ષકો વગર કે એકાદ શિક્ષકથી જ ચાલતી હોય ને એની જાહેરાત ખુદ સરકાર જ કરતી હોય તો એ સમસ્યા ઉકેલવાનું અગ્રતાક્રમે હોવું જોઈએ, પણ સરકારની એમ કરવાની દાનત નથી. ઉકેલ ન લાવવાથી જ શિક્ષણ ઉત્તમ થશે એવા કોઈ આસુરી આનંદથી સરકાર સ્વસ્થ છે. નિવૃત્તિનાં લાભો અને પેન્શનને મુદ્દે સરકાર શિક્ષકોની કાયમી ઘટ પૂરતી નથી ને એને બદલે કામચલાઉ નિમણૂકોથી આંગળાં ચાટીને હોજરી ભરે છે, તે શરમ જનક એટલે છે કે સરકારનાં અધિકારીઓ અને મંત્રીઓ કે વિધાનસભ્યો પેન્શન જતું કરવા તૈયાર નથી. પેન્શન પોતે છોડવું નથી ને શિક્ષકોને આપવું ન પડે એટલે વર્ષોથી કામચલાઉ નિમણૂકોનો કારભાર ચાલે છે.

છએક મહિના પર જ્ઞાન સહાયકોની પૂરતી નિમણૂક વગર જ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા, પછી લાગ્યું કે જ્ઞાન સહાયકોની નિમણૂકમાં વાર લાગે એમ છે, એટલે પ્રવાસી શિક્ષકોને ફરી તેડાયા. મહેસાણામાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક થતાં 100 પ્રવાસી શિક્ષકોને પગાર પછી ચૂકવવાની શરતે, છૂટા કરવામાં આવ્યા, કારણ છેલ્લા મહિનાની ગ્રાન્ટ આવી ન હતી. કોઈ સરકારી અધિકારીને મોડો પગાર ચૂકવાતો નથી, તો પ્રવાસી શિક્ષકોને મહિનો પૂરો થવા આવે છતાં, પગાર ન ચૂકવાય એટલી ગરીબ સરકાર ક્યારથી થઈ તે નથી સમજાતું.

આમાં બીજી ગરબડ એ થાય છે કે જ્ઞાન સહાયકોની નિમણૂક તો થઈ જાય છે, પણ તેઓ કોઈક કારણસર હાજર થતાં નથી. તેઓ પણ નારાજ એટલે છે કે કાયમી નોકરી મળવાની શરતે જ તેમણે ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરી ને હવે પાસ થયા પછી તેને 26 હજારની જ્ઞાન સહાયકની નોકરી ઓફર કરાય છે. આ રોકડો વિશ્વાસઘાત છે. સરકારના આ વિશ્વાસઘાતથી પણ ઘણા જ્ઞાન સહાયક થવા તૈયાર નથી. એમાં બીજી ગરબડ એ થાય છે કે જ્ઞાન સહાયકનું પાકું થાય તે પહેલાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાય છે. આ વેપલામાં રખડી પડે છે વિદ્યાર્થીઓ, જેનું હિત વિચારવાની કોઈને જ જરૂર જ નથી જણાતી. બને છે એવું કે સરકારે પ્રવાસીની દુકાન બંધ કરી દીધી હોય ને જ્ઞાન સહાયકનાં ઠેકાણાં ન હોય, એ સ્થિતિમાં પ્રવાસી શિક્ષકનો ખર્ચ જે તે સ્કૂલે વેઠવો પડે છે. કેટલી ય જગ્યાએ જે તે વિષયના શિક્ષકો નથી ને વર્ષ પૂરું થવા આવે ત્યાં સુધી નિમણૂકોનું ઠેકાણું પડતું નથી. આખું વર્ષ શિક્ષકોની નિમણૂકની ડુગડુગી વગાડીને સરકાર ખેલ કરવામાંથી જ ઊંચી નથી આવતી. આ ખેલ વર્ષોથી ચાલે છે, પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી, તે એટલે કે ઉકેલ લાવવો નથી.

આ મહેસાણાની જ વાત નથી, વડોદરાએ સરકારને એ જ્ઞાન આપવું પડે છે કે જ્ઞાન સહાયકોની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખો. જ્ઞાન સહાયકને મામલે સરકારને ખબર છે કે બધે ભરતી થઈ નથી, થઈ છે ત્યાં જ્ઞાન સહાયકો હાજર થયા નથી ને બોર્ડની પરીક્ષાઓ છાતી પર છે, તો સવાલ એ થાય કે એ નિમણૂકો પરીક્ષા પછી થવાની છે? વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ પરિણામ આવે પછી તપાસવાની કોઈ નવી સ્કિમ તો નથી આવવાનીને? પહેલી ટર્મ શરૂ થઈ ત્યારથી નિમણૂકની સમસ્યાઓ છે, પણ વર્ષ પૂરું થવા આવ્યું તો પણ તેનો ઉકેલ આવતો નથી, તો એની કોઈને નાનમ પણ નથી લાગતી. જગતમાં આટલું રેઢિયાળ અને નઘરોળ તંત્ર બીજે નહીં હોય !

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ષોથી કાયમી શિક્ષક નથી, તેને વિકલ્પે પ્રવાસી શિક્ષકોથી ચલાવાયું, તે પછી જ્ઞાન સહાયકોની નિમણૂકની વાત આવી. તે થવા લાગી, તો શિક્ષકો આવતા નથી ને પ્રવાસી શિક્ષકો છૂટા કરી દેવાય છે. હવે પરીક્ષા માથે છે ત્યારે નથી કાયમી, નથી પ્રવાસી કે નથી જ્ઞાન સહાયક. આટલા શિક્ષિત બેકાર હોવા છતાં, શિક્ષકોનો દુકાળ ઘટતો નથી, તે એટલે કે એ દુકાળ ઘટે તેવી શિક્ષણ વિભાગની જ ઈચ્છા નથી. રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષના કહેવા મુજબ 8,500 શિક્ષકોની જરૂર હતી, તેની સામે 4,800 શિક્ષકો ચૂકવાયા. બીજા 3,700 શિક્ષકો ન હતા, એટલે ન આપ્યા? ના, શિક્ષકો ઓછા નથી, પણ જરૂર મુજબ ન ફાળવીને સરકાર કરકસર કરે છે. એ કસર બીજા જલસાઓમાં નથી થતી, પણ ગરીબાઈ શિક્ષણમાં છતી થાય એનો વાંધો સરકારને નથી. ગરીબાઈ હોય ને છતી થાય તો સમજાય, પણ આ તો ભર્યા ભંડારે ભૂખમરો વેઠવાની ફરજ પડાય છે. જ્યાં જે જરૂરી છે ત્યાં તો તે જોઈએને ! લગ્ન માટે અઢારની એકને બદલે નવ, નવની બે કન્યાથી ચલાવવાની વાત વાજબી છે? હાલની સ્થિતિમાં 300થી વધુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયના શિક્ષકો ન હોય કે ઉચ્ચતર માધ્યમિકમાં ઇકોનોમિક્સ કે સ્ટેટેસ્ટિક્સના શિક્ષકો ન હોય ને બોર્ડની પરીક્ષા મોઢું ફાડીને સામે ઊભી હોય, તો એ વિદ્યાર્થીઓની માનસિક હાલતની સરકારને કલ્પના પણ છે?

જ્ઞાન સહાયકોની નિમણૂક ન થઈ તો પ્રવાસી શિક્ષકોને વધુ છ મહિના ચાલુ રાખવાનું સરકારે નક્કી કર્યું. છ મહિના પછી પણ જ્ઞાન સહાયકોની નિમણૂક પૂરી નથી થઈ એ જાણવા છતાં, 4,300 પ્રવાસી શિક્ષકો છૂટા કરી દેવાયા. બિલકુલ રોબોટની જેમ સરકાર કઇ રીતે વર્તી શકે છે એ જ સમજાતું નથી. એ વિચાર સરકારને નથી જ આવતો કે જ્ઞાન સહાયક મુકાયા ન હોય તો પ્રવાસી શિક્ષકોને છૂટા ન કરાય, પણ કર્યા. આટલી બધી તવાઈ શિક્ષકો પર જ કેમ? એના કરતાં શિક્ષણ વિભાગને જ તાળું મારી દેવાય તો, કેમ? જ્ઞાન સહાયક, પ્રવાસી, સ્વર્ગવાસીની કોઈ પંચાત જ નહીં ! એમ.એ., એમ.કોમ થઈને પણ કંડકટર કે પટાવાળાની જ નોકરી કરવાની હોય તો ભણ્યા વગર પણ મજૂરી તો મળી જ રહેશે. ઝાડુ મારવા માટે પીએચ.ડી. થવાની જરૂર છે? એવે વખતે સ્કૂલો બંધ હોય તો સારું જ ને ! ભણતરનો ખર્ચ તો બચે !

આમે ય ભણતર એવું રહ્યું નથી કે તેની યોગ્ય કદર થાય. એ સ્થિતિમાં શિક્ષણ જ બંધ થાય તો ગુજરાતનો શિક્ષણ વિભાગ જરૂરી શિક્ષકોની નિમણૂક કરતાં કતરાય છે તે તો અટકે. શિક્ષણને જ તાળું મરાય તો વિભાગની, મંત્રીઓની કે અધિકારીઓની જરૂર જ ન રહે ને અબજો રૂપિયાની બચત થાય તે નફામાં. આ બધો ખર્ચ તો વિભાગ પોતાનાં ગજવામાંથી કરે છેને ! પ્રજા કયાં ટેક્સ ભરે છે કે તેની આશાએ શિક્ષણ વિભાગ બેસે ! આખા વિશ્વમાં ગુજરાત જ એવું છે કે પૂરતા શિક્ષકો હોવા છતાં, શિક્ષણ વિભાગ શિક્ષકો રાખવામાં પૂરતો દરિદ્રી છે. હવે તો પ્રાર્થના જ કરવાની રહે કે ભારતનું કોઈ રાજ્ય આટલું દળદરી અને ગરીબ ન હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જાન્યુઆરી 2024

Loading

...102030...678679680681...690700710...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved