Opinion Magazine
Number of visits: 9457410
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ લગ્નમાં હૃદય ભગ્ન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 February 2024

રવીન્દ્ર પારેખ

સાધારણ રીતે એરેન્જડ મેરેજમાં ભાવિ પતિ અને પત્ની પરસ્પરનાં કુટુંબોથી પરિચિત હોય છે, તેમાં જે કન્યા સાસરે આવીને રહેવાની છે, તે પણ તેની રહેણીકરણીથી ઘણુંખરું પરિચિત હોય છે. હવે તો લગ્ન પહેલાં પણ કન્યા સાસરે જતી આવતી થઈ છે, એટલે સાસરાની વ્યક્તિઓનો અને તેની રીત રસમનો ખ્યાલ તેને મળી રહે છે. ભાગ્યે જ કોઈ ભાવિ વહુ એવી હશે જે લગ્ન વખતે જ સાસરાથી પરિચિત થતી હશે. એરેન્જ્ડ મેરેજ અપવાદરૂપ કિસ્સામાં જ જ્ઞાતિ બહાર થતાં હશે, બાકી, તો તે જ્ઞાતિમાં જ થતાં હોય છે. આવનારા સમયમાં જ્ઞાતિ બહાર લગ્નો ગોઠવાય એવી શક્યતાઓ વધવાની છે, કારણ કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી આવે છે ને એ ઘટવાનાં કારણો છે.

પહેલું કારણ તે છોકરો જન્મે તો કુળદીપક અને દીકરીને પથરો ગણવાનું વલણ. દીકરીને દૂધપીતી કરવાથી માંડીને ગર્ભમાં જ મારી નાખવા સુધી આપણે વિકસ્યા. દીકરીને દહેજ આપવું પડે ને તેને બીજા માટે જ ઉછેરવાની વાતે ઘણાં કુટુંબો દીકરી ઇચ્છતા નથી. ગર્ભમાં દીકરી છે એવી ખબર પડતાં જ તેનો નિકાલ કરી દેવાય છે. આ બધાંને લીધે ઘણી દીકરીઓ જન્મી જ નહીં. વધારામાં કુટુંબો નાનાં થતાં ગયાં, એટલે નોકરિયાત માબાપે સંતાનો ઓછાં જન્મે એવા ઉપાયો કર્યા. અમે બે, અમારાં બે – સૂત્ર સંકોચાઈને અમે બે, અમારું એક – થયું. આ બધાંનું પરિણામ એ આવ્યું કે કન્યાની સંખ્યા ખૂબ ઘટી. અમુક જ્ઞાતિમાં સંખ્યા એટલી ઘટી છે કે દીકરા માટે વહુ શોધવા બીજી જ્ઞાતિમાં જવું પડે. એ સંજોગોમાં ફેર એ પડ્યો કે કન્યા શિક્ષણનો મહિમા વધ્યો. કન્યા કેળવણી મફત થતાં દીકરીઓ વધુ શિક્ષિત થઈ ને નોકરી ધંધામાં ઉચ્ચ સ્થાનોએ પહોંચી. એવી યુવતીઓને પછી લગ્ન જરૂરી જ ન લાગતાં, લગ્ન વગર જ રહેવાનું નક્કી કર્યું. એ કારણે પણ લગ્નને લાયક સ્ત્રીઓની સંખ્યા ઑર ઘટી. કોઈ લગ્ન માટે તૈયાર થાય તો પણ, તેને માટે કેરિયર વધુ મહત્ત્વની રહી, એટલે સંતાનને જન્મ આપવા કરતાં, ફિગરની ફિકર વધુ રહી. આ સ્થિતિ ભવિષ્યમાં વધુ વકરવાની છે ને તે પુત્ર માટે વહુ શોધવા વડીલોને અન્ય જ્ઞાતિમાં જવાની ફરજ પાડે એમ બને.

આવામાં પ્રેમલગ્નની શક્યતાઓ વધતી આવે છે. કોઈ નિમિત્તે યુવક-યુવતી ક્યાંક મળે ને બંને વચ્ચે પ્રેમ પાંગરે એવું બને છે. આ પ્રેમ, એક જ જ્ઞાતિની બે વ્યક્તિ વચ્ચે થાય કે જ્ઞાતિની બહાર પણ થાય એમ બને. મોટે ભાગે તો પ્રેમ જ્ઞાતિની બહાર જ વધુ થાય છે. ઘણી વાર તો જ્ઞાતિ-જાતિનો વિચાર આવે તે પહેલાં પ્રેમ થઈ ગયો હોય છે. પછી લગ્નની અનિવાર્યતા જણાતાં બંને પ્રેમીઓ પરણીને ઘરે આવે છે ને તે સાથે અપરંપાર સમસ્યાઓ પણ આવતી હોય છે. જો દીકરાના ઘરમાં પ્રેમલગ્નને મંજૂરી ના મળે તો નવપરિણીતોએ પોતાનો રસ્તો જાતે કરી લેવાનો રહે છે. દીકરીએ પ્રેમલગ્ન કર્યાં હોય ને તેને તેનાં કુટુંબની સંમતિ હોય તો બહુ વાંધો આવતો નથી, કારણ દીકરી તો પારકે ઘેર જ જવાની છે, પણ કુટુંબને મંજૂર ન હોય ને દીકરી પરણી ગઈ હોય તો કુટુંબ તેનાં નામનું નાહી નાખતાં પણ અચકાતું નથી. બધે આવું જ થાય છે એવું નથી, પણ ઘણાં કુટુંબોમાં આવું થાય છે.

ટૂંકમાં, પર જ્ઞાતિની કન્યા પરણીને સાસરે આવે છે, તે પ્રેમ લગ્નથી હોય કે એરેન્જ્ડ મેરેજથી, અજાણી જ્ઞાતિનાં કુટુંબમાં તેણે ગોઠવાવાનું આવે છે. કુટુંબનો પરિચય હોય તો, બહુ વાંધો આવતો નથી, પણ પરિચય ન હોય તો વહુને ગોઠવાવાનું અઘરું બને છે, તેમાં પણ સાસરાએ વહુને અપનાવી લીધી, તો આનંદ જ હોય, પણ તેમ ન બન્યું તો વહુ અને કુટુંબ, બંનેને તકરારનાં અનેક કારણો મળી રહે છે. મોટે ભાગે પ્રશ્નો સાસુ-વહુ વચ્ચે સર્જાય છે. તે પછી અન્ય સંબંધીઓ ચિત્રમાં આવે છે. બને છે એવું કે જુદી જ્ઞાતિને કારણે વહુને અને સાસરા પક્ષને પોતપોતાની રહેણીકરણી હોય છે, રીતરિવાજ હોય છે ને બંનેને એની ટેવ પડી હોય છે. ખાસ તો વહુને નવાં ઘરનાં રીતરિવાજો અપનાવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. સાસરાએ તો વહુની રહેણીકરણી અપનાવવાની હોતી નથી, પણ સાસરું ઈચ્છે છે કે વહુ સાસરાનાં રીતરિવાજો અપનાવે. વહુ કેટલુંક અપનાવતી હોય છે, પણ કેટલુંક તેને મુશ્કેલ લાગે છે ને એમાંથી ઝઘડાઓ વધે છે.

એ ખરું કે દરેક જ્ઞાતિ, પરિવારને તેનાં દેવી-દેવતા હોય છે. લગ્ન પછી ધર્મ બદલાતો હોય તો, દેવીદેવતાઓ પણ સાવ જ અજાણ્યા અપનાવવાના થાય છે. એ સૌથી અઘરું હોય છે ને વહુને એ અંગે ફરજ પડે તો તે સ્વીકારે જ એવું ન પણ બને. ઘણીવાર તો એવી સમજૂતી પણ પ્રેમીઓ વચ્ચે થઈ હોય છે કે બેમાંથી કોઈ, કોઈનો ધર્મ બદલશે નહીં, પણ વહુ સાસરે આવે છે તો એ પરિવારને આ સમજૂતીની ખબર હોતી નથી અથવા તો હોય તો પણ જાતિ, ધર્મ અપનાવવાની ફરજ વહુને પડાતી હોય છે. એ વખતે પતિ પણ એને પક્ષે રહેતો નથી અથવા તો ચૂપ થઈ જાય છે. વહુ એવે તબક્કે ધર્મ બદલવા લાચાર થાય છે અથવા વિરોધ કરે છે. પછી તો નાની નાની વાતોમાં ઇગો ટકરાવા લાગે છે. ધર્મ ઉપરાંત પણ ખાનપાન, પહેરવેશ, વિધિવિધાનો … વગેરે બાબતે ઝઘડાઓ વધે છે. એવું બને છે કે વહુ જે ઘરેથી આવી છે, ત્યાં ચામાં મસાલો નંખાતો જ ન હોય ને સાસરામાં મસાલાવાળી જ ચા પીવાતી હોય, તો વહુને મુશ્કેલી પડવાની. સાસરે માથે ઓઢવાનો રિવાજ હોય ને વહુનાં પિયરમાં બધાં જ ઉઘાડે માથે ફરતાં હોય તો વહુને તકલીફ પડવાની. સાસરે વટસાવિત્રીનું વ્રત ફરજિયાત હોય ને પિયરમાં કોઈ વ્રત કોઈએ ઉજવ્યું જ ન હોય, તો વહુને અઘરું પડવાનું. સાસરે રોજ ઉંબરો પૂજાતો હોય ને પિયરના ફ્લેટમાં ઉંબરો જ ન હોય તો વહુ નવી ટેવ પાડે તો પણ કઇ રીતે? આવી તો એટલી બધી બાબતો હોય છે, જેનો સામનો વહુએ ડગલે ને પગલે કરવાનો આવે છે. પ્રેમ કર્યો ત્યારે તો આવું કશું વિચારાયેલું જ નહીં, પણ લગ્નજીવન શરૂ થતાં જ ઉપાધિઓનો અંબાર લાગી ગયો ! જીવવું અઘરું થવા લાગે છે. સાસુના આગ્રહો વધતા જાય તેમ તેમ વહુનો નકાર પણ વધતો જતો હોય છે. પતિ સંવેદનશીલ હોય તો તે ન તો પત્નીને કૈં કહી શકે કે ન તો માને કૈં સમજાવી શકે, પરિણામે લગ્નજીવનમાં ખટાશ વધતી જ રહે છે. પછી તો ઝઘડાઓ એવું ઉગ્ર સ્વરૂપ પકડે છે કે વાત છૂટાછેડા સુધી આવી પહોંચે છે. પતિપત્ની વચ્ચે બહુ જ બનતું હોય, બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હોય, છતાં સાસરું બંનેની વચ્ચે એવું આવી જાય છે કે આંસુ લોહી બનીને ટપકવા લાગે છે. એટલું ઓછું હોય તેમ દીકરીની મા ઘણીવાર દીકરીની જ શત્રુ હોય તેમ તેનાં સાસરાની દરેક વાતોમાં દખલ કરતી રહે છે. દીકરીને એમ જ હોય છે કે કૈં નહીં તો પિયર તો એને સંઘરશે, પણ તે એ ભૂલી જાય છે કે તે જેમ ભાભી થઈ છે તેમ તેનાં પિયરમાં પણ ભાભી આવી છે ને તે તેને સંઘરે એવી તકો ઓછી જ છે. ગમ્મત તો એ થાય છે કે દીકરીની મા જે, જે ન કરવાનું દીકરીને કહે છે એ બધું જ તેની વહુ કરે તેવી ફરજ તે પાડતી રહે છે.

આનો ઉકેલ બહુ અઘરો નથી, પણ જીદ અને મિથ્યા અહંકાર ઉકેલ આવવા દેતા નથી. પૂંછડું પકડી રાખવાની વાત જ ઘણાં અનિષ્ટોનું મૂળ છે. વહુ અને સાસુ, બંને થોડું જતું કરે ને દીકરીની મા દખલ ઓછી કરે તો ઘણા છૂટાછેડા રોકી શકાય. વહુ ઉંબરો પૂજે કે મસાલાવાળી ચા પી લે કે છેડો માથે મૂકે તો કૈં આભ તૂટી પડવાનું નથી ને સાસુ પણ એ ભૂલી જાય છે કે તે પણ પિયરથી એક દિવસ આ ઘરને પોતાનું કરવા આવી હતી, તેણે પણ તેની સાસુનો સામનો કરવો જ પડ્યો હતો ને તેને જે વીત્યું તે વહુને વીતાડવામાં આનંદ આવતો હોય તો તે આસુરી વૃત્તિનું પરિણામ છે. એમ કરવાથી તેનાં હાથમાં કૈં આવતું નથી. તેને બદલે થોડી છૂટ વહુને આપવામાં વહુને ચહેરે જે આનંદ પથરાય ને તેનો પ્રકાશ આખા ઘરમાં ફેલાય તો તે સારી વાત નથી? વહુ પલ્લુ માથે લે કે ન લે, ઉંબરો પૂજે કે ન પૂજે, તેની ચા જાતે બનાવીને પી લે તો કોઈ ઉલ્કાપાત નથી થવાનો. સાસુ-વહુ જ શું કામ, કુટુંબની બધી જ વ્યક્તિઓ એકબીજાનો ખ્યાલ રાખે તો મનને જે શાંતિ મળે છે તે કોઈ ઇગોથી ક્યારે ય ખરીદાતી નથી. આંસુ ખેરવવાનું અઘરું નથી, અઘરું તો છે, બીજાનાં આંસુ આપણી આંખેથી ખેરવવાનું. બીજાને પીડા આપવાનું સહેલું છે, પણ બીજાની પીડા આપણી આંખોની છીપમાં સાચવી શકીએ તો એ જ સમય જતાં મોતી થાય છે, એવું નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 28 જાન્યુઆરી 2024

Loading

નોખા કર્મશીલ જગદીશભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 February 2024

જગદીશ પટેલ

વ્યાવસાયિક રોગો અને અકસ્માત નિવારણના ખૂબ પડકારજનક ક્ષેત્રે ચાલીસ વર્ષથી વધુ સમય માટે કાર્યરત જગદીશભાઈ પટેલ ગત 01 ફેબ્રુઆરીએ અડસઠમાં વર્ષમાં પ્રવેશ્યા છે.

રસાયણ, સિરામિક, ટેક્સાટાઇલ,અકીક જેવા ઉદ્યોગોમાં જોતરાયેલા કામદારો ચામડી, ફેંફસાં અને અન્ય અનેક વ્યવસાયજન્ય રોગોનો ભોગ બને છે. તેઓ રીબાય છે, મોતને ભેટે છે અને કુટુંબની દુર્દશા થાય છે.

એટલે આ પ્રકારના રોગો અંગે જાગૃતિ આવે, તેમાં સલામતી ઊભી થાય અને ભોગ બનેલા કામદારો / તેમના કુટુંબોને વળતર મળે તે માટે વડોદરા સ્થિત નોખા કર્મશીલ જગદીશભાઈ લડતા રહ્યા છે. તેઓ આ કામ People’s Training and Research Centre (PTRC) નામની સંસ્થા થકી કરે છે.

વ્યવસાયજન્ય રોગોમાં સિલિકોસીસ સહુથી વધુ વ્યાપક છે. જેમાં રજકણ હોય તેવી સામગ્રીમાં કામ કરવાથી ફેફસાંના જે અનેક રોગ થાય છે. જે શ્રમજીવીઓ પથ્થરોને ઘસવા, તોડવા, ખાંડવા અને દળવાના કામમાં હોય છે તેઓ કામ દરમિયાન પથ્થરમાંથી પેદા થતાં રજકણો કે ધૂળ ફેફસાંમાં જવાથી સિલિકોસીસનો ભોગ બને છે.

આ રોગનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. રોગની શરૂઆતમાં ભૂખ ઓછી થાય છે અને ખાંસી આવે છે. ધીમે ધીમે નબળાઈ આવે છે, રોગપ્રતિકારક શક્તિ ખતમ થતી જાય છે, સારવારનાં આઠ-દસ વર્ષનાં ખર્ચ તેમ જ બેકારી  બાદ મજૂર મોતને ભેટે છે.

ભારતમાં જે જગ્યાઓ પરનાં મજૂરોમાં આ રોગ જોવા મળતો હોય તેની યાદી લાંબી છે : કર્ણાટકમાં સોનું, બિહારમાં અબરખ અને રાજસ્થાનમાં સૅન્ડસ્ટોનની ખાણો; પશ્ચિમ બંગાળમાં સિરામિક, પૉન્ડિચેરીમાં કાચ, ઓડિશામાં ઈંટોનાં કારખાનાં; મધ્ય પ્રદેશમાં મંદસૌરના સ્લેટ-પેન, ઉત્તર પ્રદેશમાં કાચની બંગડીઓ અને ફતેપુરસિક્રિ, પતિયાલા અને આંધ્રમાં પથ્થરને લગતા ઉદ્યોગો.

ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પરના કામદારો સિલિકોસિસનો ભોગ બને છે. તેમાં છે વડોદરામાં કાચનું ઉત્પાદન તેમ જ ગોધરા-બાલાસિનોરના પથ્થર દળવાના કારખાનાં, ખંભાતમાં અકીકના પથ્થર ઘસવાનાં એકમો, જૂનાગઢની ફાઉન્ડ્રી સૅન્ડ બ્લાસ્ટિંગનાં ક્ષેત્રો, મોરબી અને સુરેન્દ્રનગરની સિરામિકની ફૅક્ટરીઓ.

ગુજરાતના સિલિકોસિસ પીડિતોની પરિસ્થિતિનું ખૂબ અગત્યનું દસ્તાવેજીકરણ પી.ટી.આર.સી.એ  ગયાં પાંત્રીસેક વર્ષમાં સમયાંતરે કરેલાં પ્રકાશનો થકી મળતું  રહ્યું છે. 

‘આપ ક્યું રોએ …’ નામના તેના પુસ્તકમાં સિલિકોસિસ પીડિત કુટુંબોની વ્યથાને વાચા આપતી રૂબરૂ મુલાકાત આધારિત સંવેદનકથાઓ છે. તેમાં ખંભાત અને ઝાલોદ પંથકમાં પથ્થર ઘસવાનાં કામ કરતાં કરતાં સિલિકોસીસથી પાયમાલ થતા પરિવારોની દરદભરી કથની અસરગ્રસ્ત કુટુંબોનાં એક-એક વ્યક્તિની સાથે પ્રત્યક્ષ વાતચીતને આધારે નામ બદલીને વર્ણવવામાં આવી છે.

‘આપ ક્યૂં રોયે…’ પુસ્તકમાં જે સંવેદન છે તેનું નક્કર માહિતી-સ્વરૂપ સંસ્થાએ ‘મજબૂત પથ્થર મજબૂર મજૂર’ નામે પુસ્તકમાં મળે છે. તેમાં ખંભાતના સાડા ચાર હજાર જેટલા અકીક કામદારોનો અભ્યાસ છે. તેના પહેલાંના વર્ષે ‘ઘસિયાનો ઘરસંસાર’ નામે સિલિકોસીસ પીડિતોની ચિત્રકથા આવી છે. ‘કાળમુખો સિલિકોસિસ’ ઉત્તમ માર્ગદર્શિકા છે.

‘ધૂળિયાં ફેફસાં’માં સિલિકોસીસ માટે વળતર મેળવવા માટે કામદારોના સંઘર્ષની વ્યથાકથા છે. પી.ટી.આર.સી.એ વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી ક્ષેત્ર અંગે સમાજમાં જાગૃતિ કેળવવા ‘સલામતી’ નામનું સામયિક પણ ચલાવ્યું હતું.

પી.ટી.આર.સી.ને કારણે સિલિકોસીસના દરદીઓ ઓળખાવાની શરૂઆત થઈ. વળી સંસ્થા તેમને નજીવા દરે સારવાર પૂરી પાડવાની કોશિશ પણ કરતી રહે છે.

તેણે કરેલી આધારભૂત રજૂઆતો છતાં જક્કી રાજ્ય સરકાર લાંબા સમય સુધી સિલિકોસીસની હકીકતને સ્વીકારવા તૈયાર ન હતી, અને પછી તેને અસંગઠિત ક્ષેત્રના ગણીને તેમની જવાબદારી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર ઢોળતી હતી. 

પી.ટી.આર.સી.એ ૨૦૧૦માં ૪૫ અકીક કામદારો સિલિકોસિથી મૃત્યુ પામેલા હોવાનું જણાવી તેમને વળતર ન મળ્યું હોવાની ફરિયાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સામે કરી હતી. પછીનાં ચાર વર્ષમાં આ ફરિયાદોનો આંકડો  ૧૦૫ પર પહોંચ્યો હતો.

તેના પરિણામ રૂપે રાજ્ય સરકારે ૨૦૧૪માં સિલિકોસિસથી અવસાન પામેલા કારીગરોના વારસદારને એક લાખ રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરી અને તેનાં ચાર વર્ષ બાદ કેટલાકને ચેક અપાયા! છ મહિના પહેલાં આ પરિવારોને બીજા ત્રણ લાખ ચૂકવવાનો આદેશ માનવઅધિકાર પંચે રાજ્ય સરકરને આપ્યો છે. 

બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાં કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના ૨૩૮ સિલિકોસીસ મૃતકોના વારસદારોમાંથી દરેકને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. 

પી.ટી.આર.સી.એ વીજળી કામદારોના જોખમોને, કપાસનાં જીનનાં શ્રમજીવીઓ અને સુરતના કાપડ ઉદ્યોગના મજૂરોની દુર્દશાને વાચા આપતાં અભ્યાસો પણ બહાર પાડ્યા છે. આ સંસ્થાને લીધે ગુજરાતના કામદારોના એક વર્ગને દિલાસો રહેતો હશે કે કોઈક તો છે ! 

‘કોઈક તો છે …. ’ નામના પુસ્તકમાં જગદીશભાઈનાં કામ વિશે લખાયેલા લેખો છે. તેમાં કર્મશીલ પત્રકાર ઇન્દુકુમાર જાની, રૅશનાલિસ્ટ રમણ પાઠક, પ્રવીણ ચૌધરી, પરેશ દવેએ લખેલા ગુજરાતી લેખો છે.  શ્રીકલા એસ. નામનાં લેખિકાનો લેખ  અંગ્રેજીમાં છે. સમાજવાદી મરાઠી  સાપ્તાહિક ‘સાધના’માં પ્રકાશ ખુંટેએ લખેલા લેખનો અનુવાદ પણ વાંચવા મળે છે. 

ઉપરાંત ખંભાતના અકીકના કામદારોના સેલિકોસિસને કારણે થતા મૃત્યુ સંદર્ભે પી.ટી.આર.સી.એ કરેલા પ્રયાસો વિશેનો એક લેખ છે. 

સંસ્થાએ વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના વિષયે કામ કરવાના બે દાયકાના લેખાં-જોખાં એવો લેખ પણ 2016માં  બહાર પડેલા 91 પાનાંના આ પુસ્તકમાં વાંચવા મળે છે. પુસ્તક એક જ ઈ અને ઉ ધરાવતી ‘ઉંઝા જોડણી’માં પ્રસિદ્ધ થયું છે. 

પુસ્તકનાં ત્રીજા પૂંઠા પર પી.ટી.આર.સી.ના પ્રકાશનોની યાદી છે. ચોથા છેલ્લાં પૂંઠા પર જગદીશાભાઈનો પરિચય છે. 

જગદીશભાઈ પી.ટી.આર.સી.નો વાર્ષિક અહેવાલ પણ હિતચિંતકો અને સિવિલ સોસાયટીના સાથીઓને મોકલે છે. સંસ્થાનું સંપર્કસૂત્ર છે jagdish.jb@gmail.com, 98246486855  

જગદીશભાઈને  અત્યારનું કામ જ ન મળે એવી દુનિયા બને; અને તેમને મનગમતાં પુસ્તકો વાંચવા માટે પુષ્કળ સમય તેમ જ નિરામય દીર્ઘાયુ મળે તેવી શુભેચ્છા !

e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

 भारत की आत्मा: संविधान या भगवान राम

राम पुनियानी|Opinion - Opinion|2 February 2024

राम पुनियानी

भगवान राम के मंदिर के उद्घाटन की धूम अब भी हम सबके कानों में गूँज रही है. प्रधानमंत्री नरेन्द्र मोदी ने उद्घाटन संपन्न किया और वे ही पूरे समारोह के केंद्र थे. ऐसा लग रहा था मानों वे राष्ट्र और धर्म दोनों की सत्ता का प्रतिनिधित्व कर रहे हों.

सामंती युग में राष्ट्र-सत्ता और धर्म-सत्ता एक-दूसरे के साथ मिलकर काम करती थी – किंग और पोप, नवाब और शाही इमाम और राजा और राजगुरु. महाराष्ट्र में इस संयुक्त उपक्रम का नाम तुकबंदी में है – शेटजी-भटजी (जमींदार और पुरोहित). हमारे देश में धर्म के नाम पर राजनीति तो पहले से ही हो रही थी. धर्म और सत्ता का यह घालमेल सचमुच बहुत चिंताजनक है.

जब भारत स्वाधीन हुआ और भारतीय संविधान लागू हुआ तब हमारे समाज में धर्म की गहरी पैठ थी. इसी के चलते सोमनाथ मंदिर को लेकर विवाद की स्थिति बनी थी. डॉ. राजेंद्र प्रसाद राष्ट्रपति की हैसियत से मंदिर का उद्घाटन करना चाह रहे थे. नेहरु ने उन्हें लिखा, “मुझे लगता है कि सोमनाथ मंदिर के भव्य उद्घाटन के साथ अपने आपको जोड़ने का आपका इरादा ठीक नहीं है. यह केवल एक मंदिर में जाने का प्रश्न नहीं है. निश्चित तौर पर मंदिर में तो आप या कोई भी अन्य व्यक्ति जा सकता है. यहाँ सवाल एक महत्वपूर्ण कार्यक्रम में भागीदारी का है और दुर्भाग्यवश इसके बहुत-से निहितार्थ हैं.”

इसके सात दशक बाद, प्रधानमंत्री नरेन्द्र मोदी ने खूब शानोशौकत से एक मंदिर का उद्घाटन किया और राष्ट्रपति द्रौपदी मुर्मू ने अपने विशाल राष्ट्रपति भवन से इस भव्य समारोह को देखा. केन्द्रीय कैबिनेट ने न सिर्फ उद्घाटन का स्वागत किया वरन एक प्रस्ताव भी पारित किया. “….देश के शरीर ने 1947 में स्वाधीनता हासिल कर ली थी….उसमें प्राण-प्रतिष्ठा 22 जनवरी 2024 को हुई…” प्रस्ताव के अनुसार राममंदिर आन्दोलन ने देश में अभूतपूर्व एकता कायम की थी और 22 जनवरी को देश की आत्मा को आज़ादी हासिल हुई. (द इंडियन एक्सप्रेस, मुंबई, 25 जनवरी, 2024).

इस घटनाक्रम से धर्मनिरपेक्षता के मूल्यों में गंभीर गिरावट का संकेत मिलता है. अब तक तो राज्य कुछ हद तक धर्म से दूरी बनाये रखता था. मगर अब तो धर्मनिरपेक्षता का कोई नामलेवा ही नहीं बचा है. स्वाधीनता के समय नेहरु ने कहा भी था कि जहाँ हमारा संविधान धर्मनिरपेक्ष मूल्यों पर आधारित है वहीं हमारा समाज धार्मिकता के चंगुल में फंसा हुआ है.

नेहरु ने राष्ट्रपति को यह सलाह दी थी कि वे अपनी आधिकारिक हैसियत से सोमनाथ मंदिर का उद्घाटन न करें. और आज पूरी कैबिनेट मंदिर का उद्घाटन करने के लिए मोदी की जयजयकार कर रही है और बल्कि यह भी कहा जा रहा है कि मंदिर का उद्घाटन, भारत की आत्मा की आज़ादी के सदृश है! देश की गुलामी और आज़ादी भी बहस का मुद्दा बन गई है. एक फिल्म तारिका कंगना रानौत ने तालियों की गडगडाहट के बीच कहा कि भारत को स्वतंत्रता 2014 में मिली क्योंकि उस साल मोदी प्रधानमंत्री बने.

प्रधानमंत्री और उनके विचारधारात्मक सहयोगी हमें बता रहे हैं कि भारत पिछले एक हज़ार सालों से गुलाम था. मतलब यह कि जिस समय भारत पर मुसलमान राजाओं का शासन था, उस समय देश गुलाम था. किसी देश या क्षेत्र की गुलामी की परिभाषा क्या है? मोट तौर पर हम दो कसौटियां अपना सकते हैं. पहला, जब किसी क्षेत्र का शासन उसके बाहर से चलाया जा रहा हो. जिन मुस्लिम राजाओं ने भारत में शासन किया वे यहीं बस गए और उन्होंने स्थानीय ज़मींदारों-राजाओं की मदद से राज चलाया.

दूसरी बड़ी कसौटी है कि क्या किसी इलाके की धन-संपत्ति वहां से बाहर ले जाई गयी. मुस्लिम शासनकाल में ऐसा कुछ नहीं हुआ. यह तो ब्रिटिश राज में हुआ. शशि थरूर ने अपनी पुस्तक “डार्क इरा ऑफ़ एम्पायर” में बताया है कि किस तरह ब्रिटिश राज में भारत की संपत्ति इंग्लैंड ले जाई गई. इन दोनों आधारों पर तो ब्रिटिश शासन गुलामी का काल था. हाँ, कुछ मुस्लिम लुटेरे भी भारत आये थे मगर वे यहाँ शासन चलाने के लिए रुके नहीं.

सन 1947 में आज़ादी के साथ हमें संप्रभुता भी हासिल हुई और सत्ता हमारे प्रतिनिधियों के हाथों में आई. भारत की आत्मा का क्या? भारत की आत्मा क्या है? भारत की आत्मा उन मूल्यों में है जो हमारे स्वाधीनता संग्राम का आधार थे. भारत की आत्मा उन आंदोलनों में है जो आज़ादी के आन्दोलन के साथ-साथ और उसके समानांतर चले. ये श्रमिकों और किसानों के आन्दोलन थे, ये सामाजिक समानता के लिए आन्दोलन थे. भारत की आत्मा, भारतीय सभ्यता से उभरी, जिसे नेहरु ने “एक ऐसी प्राचीन स्लेट बताया है जिस पर एक के ऊपर एक कई परतों में विचार और सपने लिखे गए मगर कोई परत, पिछली परत में जो लिखा गया था उसे न तो पूरी तरह ढँक पाई और ना ही मिटा पाई.”

आज़ादी के आन्दोलन को किसानों के आंदोलनों (जैसे बारडोली और चंपारण) से मदद मिली और श्रमिकों के आंदोलनों से भी, जिनमें नारायण मेघाजी लोखंडे एवं कॉमरेड सिंगारवेलु के नेतृत्व में चले आन्दोलन शामिल हैं. इसके अलावा, जातिगत और लैंगिक समानता के आंदोलनों की मदद भी मिली. सामाजिक समानता के पक्षधरों में जोतिराव फुले, सावित्रीबाई फुले, भीमराव आंबेडकर और रामासामी पेरियार नाईकर शामिल थे. इन आंदोलनों ने समाज को सामंती मूल्यों से दूर किया और उसमें प्रजातान्त्रिक आशाएं जागृत कीं.

हमारे देश के अधिकांश लोगों के लिए भारत का संविधान ही भारत की आत्मा का मूर्त रूप है. जिन लोगों ने स्वाधीनता आन्दोलन में हिस्सा नहीं लिया वे पुरातन काल की जातिगत और लैंगिक ऊँचनीच को कायम रखने के हामी थे. ये लोग उन सामाजिक वर्गों से थे जो जातिगत और लैंगिक समानता के खिलाफ थे और किसानों और मजदूरों को उनके हक़ देना नहीं चाहते थे. और इन्हीं ताकतों ने धर्म के नाम पर राजनीति की. इनमें शामिल थीं मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस.

एक ओर मुस्लिम लीग यह दावा कर रही थी कि अंग्रेजों के भारत में आने से पहले मुसलमान ही भारत के शासक थे वहीं हिन्दू महासभा-आरएसएस का मानना था कि भारत एक हिन्दू राष्ट्र है और इस्लाम और ईसाई धर्म विदेशी हैं. सुरेन्द्रनाथ बनर्जी ने अपनी पुस्तक “इंडिया: नेशन इन द मेकिंग” में नए उभरते भारत का बहुत अच्छा वर्णन किया है. यह भारत स्वतंत्रता, समानता और बंधुत्व के मूल्यों के आसपास आकार ले रहा था.

यह कहा जा रहा है कि भगवान राम देश को एक करने वाले व्यक्तित्व हैं. भगवान राम के कई रूप हैं. वे एक ओर एक पौराणिक व्यक्तित्व हैं. उनके इस रूप को महर्षि वाल्मीकि ने उद्घाटित किया और गोस्वामी तुलसीदास ने लोकप्रिय बनाया. कबीर के लिए राम, वैश्विक मानवतावाद के मूर्त रूप थे और गांधीजी उन्हें लोगों को एक करने वाली ताकत मानते थे. संघ-भाजपा की राम की व्याख्या अलग है. वे राम को एक सीमित दायरे में कैद करना चाहते हैं. राममंदिर के नाम पर चलाए गए आन्दोलन में पिछले कुछ दशकों में कितने लोगों ने अपनी जान गंवाई है, किस तरह समाज का ध्रुवीकरण हुआ है, अल्पसंख्यक अपने मोहल्लों में सिमटे हैं और दलितों, आदिवासियों और महिलाओं की हालत में गिरावट आई है यह विभिन्न सूचकांकों से साफ़ है और हमें हमारे आसपास दिख भी रहा है.

आज भारत की उस आत्मा पर हमला हो रहा है जो स्वाधीनता आन्दोलन से उभरी है. मंदिर के नाम पर तमाशा खड़ा कर, सत्ताधारी जिस भारत की आत्मा की बात कर रहे हैं वह कहीं नहीं है.

30/01/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...674675676677...680690700...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved