Opinion Magazine
Number of visits: 9457395
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક નિર્દેશ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|29 February 2024

આજે મહાન વિજ્ઞાની સી.વી. રામને તેમની વિખ્યાત ‘રામન ઇફેક્ટ’ની શોધ 28 ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે કરી એટલા માટે આ દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.

અમદાવાદનો યુનિવર્સ સાયન્સ ફોરમ (Universal Science Forum – USF) નામનો મંચ વૈજ્ઞાનિક અભિગમના પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. તે ગયા છ વર્ષથી ‘વિજ્ઞાન ચેતના’ નામનું ડિજિટલ માસિક સૂઝ અને માવજતથી બહાર પાડે છે. ફેબ્રુઆરી 2024નો અંક તેનો 68મો અંક છે. તેની લિન્ક આ પોસ્ટ સાથે મૂકી છે.

તદુપરાંત, USF ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમો પણ યોજે છે. હમણાં રવિવાર 25 ફેબ્રુઆરીએ, ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને અનુલક્ષીને, વિજ્ઞાન વેશભૂષા અને પોસ્ટર પ્રેઝન્ટેશનની સ્પર્ધા અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો.

USF ગયા સાત વર્ષથી વિજ્ઞાન માટેના નોબલ સન્માન જાહેર થાય એટલે તેના વિષે કોઈ શાળા કે કૉલેજમાં વ્યાખ્યાન રાખે છે. તદુપરાંત, ફેબ્રુઆરીમાં ભારતીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષ્યમાં શાળાના અને ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં કૉલેજના વિદ્યાર્થીઓ માટે ‘વિજ્ઞાનમ્‌’ નામનો કાર્યક્ર્મ યોજે છે.

USFએ અત્યાર સુધી પ્રાસંગિક રીતે ચાર્લ્સ ડાર્વિન, મૅરી ક્યૂરી અને આલ્બર્ટ આઈન્સ્ટાઇન વિશે શાળા કૉલેજોમાં ફોટોગ્રાફ તેમ જ પોસ્ટરોનાં પ્રદર્શન પણ યોજ્યાં છે.

USFનું એક ખૂબ મૂલ્યવાન કામ પુસ્તક પ્રકાશનનું પણ છે. તેણે અત્યાર સુધી ઉત્તમ ગુણવત્તા ધરાવતાં નીચે મુજબનાં નાનાં પુસ્તકો પણ પ્રસિદ્ધ કર્યાં છે. તેની વિગતો નીચે મુજબ છે.

1. ચાર્લ્સ ડાર્વિન અને ઉત્ક્રાન્તિનો સિદ્ધાંત, લેખક – નીતિન પ્રજાપતિ અને દિલીપ સતાશિયા, 2015

2. મહાન વિજ્ઞાની સી.વી. રામન, લેખક – દિલીપ સતાશિયા, 2017, બીજી આવૃત્તિ 2022 (સહયોગ રાશિ રૂ. 20/-) 

3. તત્ત્વોનાં આવર્ત કોષ્ટકનાં પિતામહ દમિત્રિ મેન્ડેલીવ, લેખક – દિલીપ સતાશિયા, 2019 (સહયોગ રાશિ રૂ. 10/-)

4. ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતામહ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાય, લેખક – દિલીપ સતાશિયા, 2022, (સહયોગ રાશિ રૂ.20/-)

બધાં પુસ્તકોમાં જેવા મળતી એકંદર ખાસિયતો : સુબોધ પણ બાળબોધ નહીં તેવી શૈલી, અનેક ચિત્રો-તસવીરો, વિજ્ઞાનીઓના પ્રદાનની શક્ય એટલી સરળ ભાષામાં સમજૂતી, તેમના સમકાલીન સમાજના સંદર્ભ અને સંઘર્ષની ઝલક, માનવરસની ઘટનાઓ, ગુજરાત/ભારતનો સંદર્ભ, નોંધપાત્ર ટૂંકી પ્રસ્તાવના, વિજ્ઞાન વ્યાપક માનવતાવાદનો નિર્દેશ અને વૈજ્ઞાનિક અભિગમની અનિવાર્યતાનો સંદેશ.

આ નોંધમાં જેમનું નામ લેખક તરીકે આપ્યું છે તે પ્રસ્તાવના નીચે લખાયેલું છે. પણ તેમની ઓળખ પુસ્તકમાં લેખક એવી સ્થાપિત નથી. જો કે પુસ્તકોનું મોટા ભાગનું કામ દિલીપભાઈએ કર્યું છે.

તેઓ ટેક્સ્ટાઇલ ઉદ્યોગના કન્સલટન્ટ અને એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં એ વિષયના મુલાકાતી અધ્યાપક છે. વિજ્ઞાનના ઘણાં પાસાં વિશે તે સરળ રીતે વાત કરી શકે છે.

USFના અન્ય કાર્યકર્તાઓ છે : ઉત્તમ સુરપતિ (7567436557), કિશન માલવિયા (7698021041), જહાન ઠક્કર (7490056251), ડૉ. દુર્ગેશ મોદી, પ્રશાન્ત જોષી.

પુસ્તક મેળવવા માટે ઉપરોક્ત કાર્યકર્તાઓના ફોન નંબર ઉપરાંત દિલીપ સતાશિયાનો પણ સંપર્ક  કરી શકાય – 9909189969.

નજીવી કિંમતે મળતાં આ અત્યંત મૂલ્યવાન પુસ્તકો દરેક વિદ્યાર્થી અને વાચક સુધી પહોંચાડવા જેવાં છે. શક્ય હોય તો તેની આવૃત્તિ સ્પૉન્સર કરી શકાય. બધાં પુસ્તકો પાનાં ફેરવતાં પણ મનમાં વસી જાય તેવાં છે.

Universe Science Forumનું કામ ખૂબ નિ:સ્વાર્થ ભાવે, દેખાડા અને પ્રસિદ્ધિથી દૂર રહીને સામાજિક નિસબત સાથે, જૂજ કાર્યકર્તાઓ થકી સાતત્યપૂર્ણ રીતે થઈ રહ્યું છે.

અત્યારે સમાજનો એક મોટો હિસ્સો અવૈજ્ઞાનિકતા અને તેના જુદા જુદા પરિણામોનો ભોગ બની રહ્યો છે, ત્યારે Universe Science Forumનું કામ વધુ પડકારરૂપ, અને તેથી વધુ આદરપાત્ર છે.

આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિને Universe Science Forumને સલામ.

e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દેશપ્રેમીઓ એકબીજાના ખમીસની સફેદી વિશે પ્રશ્ન નથી ઊઠાવતા

રમેશ ઓઝા|Opinion - Opinion|29 February 2024

રમેશ ઓઝા

બધા જ દેશપ્રેમીઓ છે. તેમની રગરગમાં દેશપ્રેમ છલકે છે. દેશની પ્રજા (બીજી નહીં હોં, માત્ર હિંદુ), દેશની સંસ્કૃતિ, દેશનો ભવ્ય વારસો, સોનેરી શબ્દોમાં લખાયેલો હિંદુઓનાં પરાક્રમોનો, શહીદીનો તેમ જ ત્યાગનો ઇતિહાસ વગેરે જોઇને તેઓ પોરસાય છે. ગદગદિત થઈ જાય છે અને આપણને ગદગદિત કરે છે. આપણે એટલા બધા રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનાં કેફમાં, નહીં  ટ્રાન્સમાં જતા રહીએ છીએ કે આપણને તેમનાં ગોરખધંધા નજરે નથી પડતા. હકીકતમાં આ બધું ગોરખધંધા કરવા માટે જ કરવામાં આવે છે. પ્રજા કેફમાં રહેવી જોઈએ અને આપણે સીટી વગાડીએ ત્યારે પોતાનું અને દેશનું હિત ભૂલીને ગેલમાં આવીને સાથે સાથે સીટી વગાડે. દેશપ્રેમનો એવો કેફ ચડાવો કે પોતાનું નુકસાન કરીને આપણી સાથે સીટી વગાડે! આવું સર્વહારાને પ્રેમ તેમ જ ન્યાયને નામે સામ્યવાદી દેશોમાં બન્યું હતું અને આવું જ ઇસ્લામના દુ:શ્મનોથી ઘેરાયેલા રાંક બિચારા મુસલમાનને બચાવવા મુસ્લિમ દેશોમાં બની રહ્યું છે. આપણે મહાન છીએ, પણ દુ:શ્મન આપણને સુખે જીવવા દેતા નથી! માટે અમારે સંન્યાસ છોડીને સંસારી પ્રપંચમાં પડવું પડે છે. બાકી અમે તો વૈરાગી છીએ.

લોકોને મૂરખ બનાવવામાં સૌથી પ્રબળ અને હાથવગો દેશપ્રેમ છે એમ ૧૮મી સદીમાં થયેલા બ્રિટિશ રાજકારણી અને વિચારક સેમ્યુઅલ જોહ્નસને કહ્યું છે. તેમણે ૧૭૭૫માં એક ભાષણમાં કહ્યું હતું કે patriotism is the last refuge of the scoundrel. તેમણે કહ્યું હતું કે દેશપ્રેમ કોઈ ખરાબ ચીજ નથી, પરંતુ જો કોઈ છાપરે ચડીને દેશપ્રેમના બરાડા પાડતો હોય તો સાવધાન થઈ જવું જોઈએ. એ જરૂર ગોરખધંધા કરવા માટે અને ગોરખધંધા છૂપાવવા માટે દેશપ્રેમનો ઉપયોગ કરી રહ્યો છે. પ્રેમ એ કરવાની ચીજ છે, બતાવવાની નથી.

બાબા રામદેવ આવો એક દેશપ્રેમી માણસ છે. આર્ય સંસ્કૃતિ, ભારતની પ્રાચીન પરંપરા, ભારતની ભૂમિમાં અને પરંપરામાં વિકસેલાં અને નજરે નહીં પડતાં અમૂલ્ય રત્નો તે શોધી શોધીને દેશપ્રેમી જનતા સમક્ષ મૂકે છે. દેશપ્રેમી જનતા ગદગદ છે. તે લીમડાનું દાતણ કરવાની જગ્યાએ પતંજલિનાં ટૂથબ્રશ વાપરે છે, કારણ કે દેશપ્રેમી ઋષિએ તે બનાવ્યાં છે અને વેચે છે. ઋષિ ભગવાં કપડાં પહેરે છે, કારણ કે ભગવો રંગ પૂજાય છે, બાકી ઋષિ માત્ર દસ વરસમાં અબજો રૂપિયા કમાયા છે. દેશમાં જેટલી દૂઝણી ગાયો છે અને કૂલ મળીને જેટલું દૂધ આપે છે એના કરતાં વધુ તે ગાયનું સ્વાસ્થ્યવર્ધક ઘી વેચે છે. માત્ર ભારત નહીં, ભારતીય ઉપખંડમાં જેટલી ગાયો છે અને જેટલું દૂધ આપે છે એનાં કરતાં પણ વધુ માત્રામાં બાબા ગાયનું ઘી વેચે છે. આર્યાવર્ત ગાયો ખરી ને!

હદ તો ત્યારે જેવા મળી જ્યારે ૨૦૨૧માં કોવીડના બીજા અને ખતરનાક જુવાળ વખતે જ્યારે ઉત્તર ભારતમાં શબો નદીઓમાં વહેતાં હતાં અને સ્મશાનોમાં દહનક્રિયા માટે જગ્યા અને લાકડાં નહોતાં, ત્યારે બાબાએ દાવો કર્યો હતો કે તેમણે કોરોનાનો ઈલાજ શોધી કાઢ્યો છે. પત્રકાર પરિષદ બોલાવીને કેમેરાની સામે તેમણે દવા બતાવી હતી અને એ પણ કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં. પાછા એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાન પોતે એક એલોપથીની પ્રેક્ટીસ કરી ચૂકેલા તબીબ છે. બાબાએ તેમની હાજરીમાં પોતે પ્રાચીન આયુર્વિજ્ઞાનના આધારે દવા શોધી કાઢી હોવાનો દાવો કર્યો હતો અને ઉપરથી પાશ્ચાત્ય ઉપચાર પદ્ધતિ (એલોપથી) પર અને ડોકટરો પર આકરા પ્રહાર કર્યા હતા. આરોગ્ય પ્રધાને ઈલાજ શોધી કાઢ્યો હોવાના બાબાના દાવા વિષે અને તેઓ જે ભણ્યા (એલોપથી) એની ઉપયોગિતા વિષે બાબાએ કરેલા પ્રહારો વિષે એક શબ્દ પણ બોલ્યા નહોતા.

કેમ કેન્દ્રના આરોગ્ય પ્રધાન બુદ્ધુ હતા? ના બુદ્ધુ નહોતા. બન્ને દેશપ્રેમી છે એટલા માટે. દેશપ્રેમીઓ એકબીજાના દેશપ્રેમના ખમીસની સફેદી વિષે પ્રશ્ન નથી ઊઠાવતા. જાહેરમાં જો એમ કરે તો દેશપ્રેમી પ્રજાના ઘેનમાં ખલેલ પડે. પાછળથી કદાચ એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાને કહ્યું પણ હશે કે બાબા થોડા કમ ફેંકો તો અચ્છા હૈ! અને બાબાએ ફેંકવા વિષે વળતો જવાબ શું આપ્યો હશે? કલ્પના કરી જુઓ! દેશમાં લોકો મરી રહ્યા છે ત્યારે આરોગ્ય જેવી ગંભીર અને સંવેદનશીલ બાબતે દેશ સાથે અને પ્રજા સાથે છેતરપિંડી? પ્રાચીન વિદ્યા સાથે છેતરપિંડી? પતંજલિ, સુશ્રુત અને ચરકને બજારમાં વેચવા માટે ઊભા રાખી દીધા? અને એ પણ કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં જે પોતે એક તબીબ છે? પૈસાની આવી ભૂખ? માટે સેમ્યુઅલ જોહન્સને કહ્યું હતું કે patriotism is the last refuge of the scoundrel. ધૂતારાઓ માટે દેશપ્રેમ ભાવતી વસ્તુ છે.

સર્વોચ્ચ અદાલત ત્રણ વરસથી બાબાની પાછળ છે અને બાબા હમસફર દેશપ્રેમઓની સહાયથી ક્યાં ય આગળ છે. છેવટે કંટાળીને મંગળવારે અદાલતે કહેવું પડ્યું કે હો ક્યા રહા રહા હૈ? સરકારને પૂછ્યું કે આ માણસ કોઇને ગાંઠતો કેમ નથી? એની આટલી બધી ગુસ્તાખી?

વાત એમ છે કે બાબા રામદેવ જેનો એલોપથી પાસે ઈલાજ નથી એવી બીમારીઓની દવાઓ ખોટા દાવાઓ કરીને વેચે છે. અખબારોમાં અને ટી.વી. પર જાહેરાત કરે છે. આની સામે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને અદાલતમાં કેસ કર્યૉં છે. માગણી એવી છે કે છે કે કાં દાવાને સિદ્ધ કરવામાં આવે અથવા પ્રજાને ગેરમાર્ગે દોરતી જાહેર ખબર આપવાનું બંધ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે વારંવાર બાબાને કહ્યું છે કે કાં દાવાને સિદ્ધ કરો કાં જાહેર ખબર બંધ કરો. બાબા બેમાંથી કાંઈ કરતા નથી. શું બગાડી લેવાની છે સર્વોચ્ચ અદાલત જ્યારે આપણું રાજ છે! અને હવે તો સર્વોચ્ચ અદાલતમાં પણ દેશપ્રેમીઓને પ્રવેશ આપવાનું શરૂ થયું છે. ન રહે બાંસ ન રહે બાંસુરી.

દરમિયાન દેશપ્રેમી મૂરખરાજ, થોડો સમય ખમી જા. જો કોઈ નવાજૂની નહીં થઈ તો તને દેશપ્રેમની મીઠી નિંદરમાં ખલેલ પાડનાર કોઈ નહીં બચ્યું હોય!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ફેબ્રુઆરી 2024

Loading

લીલી યાદ

બીજલ જગડ|Opinion - Opinion|29 February 2024

તારું હોવાનું છે કમળનું ફૂલ,

જુઓ અમૃતનું સુર્જન પાણીમાં.

મૈત્રી પણ એક પ્રેમની સગાઈ છે,

પ્રેમનાં મારા ભીનાં કવન પાણીમાં.

વિયોગમાં બુઝાયા તારા પાંપણે,

ઉગમતી ચાંદની રડતી પાણીમાં.

એક પળ જો સેરવી લઉં કાળથી,

મિલનનાં મોતી દરિયાઈ પાણીમાં.

ખુશ્બો મ્હેકે છે અંગે અંગે હવે,

લીલી યાદ વહેતી કરી પાણીમાં.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...646647648649...660670680...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved