Opinion Magazine
Number of visits: 9665108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

असुरक्षा का भाव चमका रहा है बाबाओं का धंधा

राम पुनियानी|Opinion - Opinion|19 July 2024

राम पुनियानी

उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

हालिया घटना के बाद बाबा के कुछ चेले-चपाटों को पुलिस द्वारा आरोपी बनाया गया है. मगर बाबा का नाम एफआईआर में नहीं है. भगदड़ इसलिए मची क्योंकि यह प्रचार किया गया था कि जिस मिट्टी पर बाबा चलता है, वह बहुत से रोगों को ठीक कर सकती है. सत्संग ख़त्म होने के बाद बाबा जब वापस जा रहा था तब जिस मिट्टी पर उसके कदम पड़े थे, उसे उठाने के लिए भक्तगण लपके जिससे भगदड़ मच गयी और बड़ी संख्या में लोग अपनी जान से हाथ खो बैठे. यह बाबा कितना लोकप्रिय हैं यह इससे जाहिर है कि सत्संग में 80,000 लोगों के इकठ्ठा होने की अनुमति दी गयी थी मगर वहां करीब डेढ लाख लोग पहुँच गए.

भारत में बाबा कोई नई चीज़ नहीं हैं. और ऐसा भी नहीं है कि बाबा केवल भारत में पाए जाते हैं. हाँ यह ज़रूर है कि पिछले कुछ सालों से उनकी लोकप्रियता तेजी से बढ़ी है. भारत में सैकड़ों बाबा हैं और वे देश के हर हिस्से में पाए जाते हैं. कुछ बाबाओं की ख्याति विशिष्ट क्षेत्रों में है. आसाराम बापू और गुरमीत राम रहीम इंसान जैसे कुछ बाबा बलात्कार और हत्या करने के कारण जेलों की हवा खा रहे हैं. एक अन्य सफल बाबा हैं बाबा रामदेव, जिन्हें आधुनिक चिकित्सा विज्ञान का मज़ाक उड़ाने के लिए सुप्रीम कोर्ट ने जम कर फटकार लगाई थी. श्री श्री रविशंकर पर यमुना नदी को प्रदूषित करने का आरोप है. जग्गी वासुदेव के कई आश्रमों में आपराधिक गतिविधियाँ होने के चर्चा है. बाबा अलग-अलग प्रकार के हैं मगर कुछ बातें सभी बाबाओं में समान हैं. सभी बाबाओं के पास ढेर सारी संपत्ति और धन है, सभी बाबा अंधश्रद्धा को बढ़ावा देते हैं और सभी का आत्मविश्वास अचंभित करने वाला है.

यद्यपि इस बारे में कोई पक्की जानकारी तो उपलब्ध नहीं है मगर मोटे तौर पर यह कहा जा सकता है कि बाबाओं की संख्या और उनके प्रभाव में पिछले कुछ दशकों में तेजी से वृद्धि हुई है. इस वृद्धि का धर्म की राजनीति के बढ़ते बोलबाले से अंतर्संबंध स्थापित करना भी आसान नहीं है. यह सही है कि दूसरे देशों में भी बाबाओं की तरह के लोग हैं. अमरीका में केरिसमेटिक ईसाई आन्दोलन है तो कुछ मुस्लिम देशों में भी चमत्कार करने वाले फ़क़ीर हैं. मगर भारत में बाबाओं का जितना प्रभाव है, उतना किसी और देश में नहीं है. सारे बाबा धर्म का चोला ओढ़े रहते हैं. वे संस्थागत हिन्दू धर्म के पुरोहित वर्ग से नहीं होते. उनमें से अधिकांश अपने बल पर सफलता हासिल करते हैं. वे लोगों का दिमाग पढने और अपने अनुयायियों की कमजोरियों का फायदा उठाने में सिद्धहस्त होते हैं.

मगर एक महत्वपूर्ण प्रश्न यह है कि लोग आखिर बाबाओं की ओर आकर्षित क्यों होते हैं? निसंदेह, बाबा अपनी मार्केटिंग बहुत बढ़िया ढंग से करते हैं मगर यह भी सही है कि उनके भक्तों की अपनी कमजोरियां होती हैं जिनके चलते वे इन धोखेबाजों के चंगुल में फँस जाते हैं. इनमें से कई ऐसे होते हैं जो गंभीर समस्याओं से जूझ रहे होते हैं. उनकी समस्यायों का कोई हल उनके पास नहीं होता. उन्हें दरकार होती है सांत्वना के कुछ शब्दों की, किसी ऐसे व्यक्ति की जो उन्हें यह भरोसा दिला दे कि बाबा की चरणरज माथे से लगाने से, उनके प्रति पूर्ण समर्पण से या उनके बताए उपाय करने से उसकी समस्या हल हो जाएगी. बाबाओं के आसपास जो भीड़ जुटती है, उनमें बहुसंख्या ऐसे लोगों की होती है जो असुरक्षित महसूस कर रहे होते हैं. राजनेताओं से सांठगाँठ भी उनकी सफलता में योगदान देती है. गुरमीत राम रहीम महीनों पर पैरोल पर रहता है, विशेषकर चुनावों के समय. हरियाणा के तत्कालीन मुख्यमंत्री मनोहरलाल खट्टर अपनी पूरी मंत्रीपरिषद के साथ गुरमीत का आशीर्वाद लेने पहुंचे थे.

परन्तु मुख्यतः अनुयायियों में असुरक्षा का भाव उन्हें बाबाओं की ओर आकर्षित करता है. जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा. और जितनी ज्यादा श्रद्धा, विवेक और तार्किकता से उतनी ही दूरी. असुरक्षा का कारक कितना महत्वपूर्ण है यह हम इससे भी समझ सकते हैं कि जिन देशों में आर्थिक और सामाजिक असुरक्षा कम है, वहां धर्म का प्रभाव भी कम होता जा रहा है. वैश्विक शोध संस्थान पीईडब्ल्यू का निष्कर्ष है: “इस मामले में संयुक्त राज्य अमरीका अकेला नहीं है. पश्चिमी यूरोप के देशों के नागरिक सामान्यतः अमरीकियों से भी कम धार्मिक हैं क्योंकि वे उस राह पर अमरीका से कई दशक पहले चल पड़े थे. धर्म का घटता प्रभाव आर्थिक दृष्टि से उन्नत अन्य देशों जैसे ऑस्ट्रेलिया और न्यूजीलैंड में भी देखा जा सकता है.”

मिशिगन विश्वविद्यालय के सेंटर फॉर पोलिटिकल स्टडीज के प्रोफेसर रोनाल्ड इंगोहार्ट अपनी पुस्तक ‘गिविंग अप ऑन गॉड’ (पृष्ठ 110-111) में लिखते हैं, “सन 2007 से लेकर 2019 तक जिन 49 देशों का हमनें अध्ययन किया, उनमें से 43 में उस अवधि में लोगों में धार्मिकता घटी है. धार्मिक आस्था में कमी केवल उच्च आय वाले देशों तक सीमित नहीं है. ऐसा पूरी दुनिया में हुआ है. ऐसे लोगों की संख्या बढती जा रही है जिन्हें नहीं लगता  कि उनके जीवन को अर्थपूर्ण बनाने और उन्हें सहारा और संबल देने के लिए धर्म ज़रूरी है. लम्बे समय से यह कहा जाता रहा है कि अमरीका इस बात का प्रमाण है कि आर्थिक रूप से उन्नत देश भी अत्यंत धार्मिक हो सकता है. मगर अन्य धनी देशों की तरह, अमरीका भी अब धर्म से दूर जा रहा है.”

बाबाओं के साम्राज्य से निपटना आसान नहीं है. हमारे संविधान के भाग चार के अनुच्छेद 51क (मौलिक कर्त्तव्य) में यह शामिल है कि “भारत के प्रत्येक नागरिक का यह कर्तव्य होगा कि वह वैज्ञानिक दृष्टिकोण से मानववाद, और ज्ञानार्जन तथा सुधार की भावना का विकास करे.” बाबा और उनके संरक्षक इस प्रावधान का खुलेआम उल्लंघन करते हैं.

देश में कई ऐसे सामाजिक समूह हैं जो बाबाओं का पर्दाफाश कर उनका विरोध करते रहे हैं. इनमें हवा से राख पैदा करने और आग पर चलने जैसे ‘चमत्कारों’ की असलियत लोगों के सामने रखना शामिल हैं. महाराष्ट्र में अंधश्रद्धा निर्मूलन समिति ऐसी ही संस्था है. उससे जुड़े डॉ नरेन्द्र दाभोलकर को सनातन संस्था की तरह के दकियानूसी समूहों के कार्यकर्ताओं ने क्रूरतापूर्वक मौत के घाट उतार दिया था. इसी तरह की ताकतों ने कामरेड गोविन्द पंसारे, गौरी लंकेश और प्रोफेसर कलबुर्गी की हत्या की. डॉ दाभोलकर की हत्या के बाद, महाराष्ट्र विधानसभा ने अंधश्रद्धा और चमत्कारिक इलाज के खिलाफ एक कानून पारित किया.

पूरे देश में ऐसे कानूनों की ज़रुरत है. हमें वैज्ञानिक सोच को बढ़ावा देना होगा. साथ में हमें यह भी सुनिश्चित करना होगा कि सभी नागरिकों को सामाजिक और आर्थिक सुरक्षा हासिल हो. वर्तमान व्यवस्था, जिसमें अमीर और अमीर होते जा रहे हैं और गरीब और गरीब को हमें बदलना होगा. हमें महात्मा गाँधी के दिखाए रास्ते पर चलते हुए यह सुनिश्चित करना होगा कि सभी नीतियां अंतिम पंक्ति के अंतिम व्यक्ति को ध्यान में रखकर बनाई जाएँ. तभी हम समाज में सुरक्षा का भाव स्थापित कर सकेंगे.

16 जुलाई 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

ભારતીય સૈનિકો શહીદ થવા માટે જ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 July 2024

રવીન્દ્ર પારેખ

15 જુલાઇ, 2024ની રાત્રે જમ્મુના ડોડા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં એક કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થયા, એ સાથે એક પોલીસકર્મીનું પણ મોત થતાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા. ખરેખર તો સેના અને પોલીસને આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પહેલી વખત તો આતંકીઓ હુમલો કરીને જંગલમાં ભાગી છૂટ્યા, પણ પછી રાતના નવના સુમારે ફરી હુમલો કરતાં ભારતે 5 જીવો ખોવાના આવ્યા. એ પછી રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસે સર્ચ ઓપરેશન વધુ જલદ કર્યું, તો ય 16મી જુલાઈએ આતંકીઓ અને જવાનો વચ્ચે બે વખત સામસામા ગોળીબાર તો થયા જ ! એમાં જાનહાનિ તો ન થઈ, પણ 17 જુલાઈએ હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી આતંકીઓની ખોળખાળ ચાલી. આની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ કાશ્મીર ટાઈગર્સે સ્વીકારી ને એ આતંકી સંગઠનનો દાવો છે કે આર્મી કેપ્ટન સહિત 12 સૈનિકો માર્યા ગયા છે ને 6 ઘવાયા છે. 17મીએ પણ આતંકીઓએ કાસ્તીગઢ વિસ્તારમાં મોડી રાત્રે શાળામાં તૈયાર કરેલ અસ્થાયી સુરક્ષા કેમ્પ પર ગોળીબાર કર્યો ને સેનાએ વળતો હુમલો કરતાં આતંકીઓ ભાગી છૂટ્યા હતા, પણ સેનાએ તેમને ઘેરી લેતાં 4 કલાક સુધી સામસામા ગોળીબાર થયા હતા. 18 જુલાઈએ વહેલી સવારે વળી આતંકવાદીઓએ હુમલો કરીને 2 જવાનોને ઘાયલ કર્યા હતા.

ડોડા જિલ્લાને આમ તો 2005માં આતંકવાદ મુક્ત જાહેર કરાયો હતો, પણ છેલ્લા ત્રણેક મહિનામાં 10 આતંકવાદી હુમલા થયા છે ને અત્યાર સુધીમાં 52 જવાનો સહિત 70નાં મોત થયાં છે. એ પછી સેનાએ 7,000 જવાનો, 8 ડ્રોન અને 40 સ્નિફર ડોગથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, તે એટલે કે સુરક્ષા દળોને 24 આતંકીઓ છુપાયા હોવાના સંકેતો મળ્યા છે. આ આતંકીઓમાં ડોડાના દેસા જંગલમાં 5 જવાનોને શહીદ કરનારા આતંકીઓ પણ ખરા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે ડોડા અને કઠુઆ પાંચેક મહિનાથી આતંકવાદનું કેન્દ્ર બન્યાં છે. કઠુઆના બદનોટાથી ડોડામાં ધારીગોટે અને બગ્ગી સુધીના અઢીસો કિલોમીટરના અંતરમાં આતંકીઓ છુપાયા છે. આ વિસ્તાર પહાડી છે અને આતંકીઓ પહાડ પર ચડીને ઊંચેથી નીચે હુમલાઓ કરી શકે એમ છે. જો કે, આ વખતે સૈનિકોને પહાડો પર દારૂગોળા અને ખાદ્ય સામગ્રીઓ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

એ ખરું કે જમ્મુના આતંકીઓ વિદેશી છે ને તેઓ અદ્યતન તાલીમ લઈને આવ્યા છે. તેમની પાસે સ્ટીલની બનેલી આર્મર-પિયર્સિંગ બુલેટ્સ તથા લાઇટ વેઇટ M4 કાર્બાઈન ગન છે. આ બુલેટ્સ ને ગન અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે વાપરતા હતા. એ બુલેટ્સ અને ગન જમ્મુમાં આતંકવાદીઓ વાપરે છે, તો સવાલ થાય કે એ ગન અને બુલેટ્સ એમની પાસે આવી ક્યાંથી? અમેરિકા ભારતનું મિત્ર છે, પણ ભારત સામે વાપરવા હથિયારો તે પાકિસ્તાનને પૂરાં પાડે છે. વળી આ આતંકીઓએ તાલીમ પાકિસ્તાન આર્મી પાસેથી લીધી છે, એટલે બિનતાલીમી સ્થાનિક-કાશ્મીરી આતંકીઓ કરતાં તેમનો સામનો કરવાનું મુશ્કેલ છે, પણ ભારતીય જવાનો પણ સુસજ્જ છે, એટલે વહેલી તકે આતંકીઓનો સફાયો થઈને રહેશે એ નક્કી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ પાસેથી જરૂરી માહિતી મેળવી છે. જમ્મુ ડિવિઝનનાં ડોડામાં આ પાંચમું એન્કાઉન્ટર છે. અગાઉ 9 જુલાઈએ એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તારમાં 26 અને 12 જૂને બબ્બે હુમલાઓ થયા હતા. એ પછી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, તેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. તાત્પર્ય એ છે કે સર્જિકલ સ્ટ્રાઇકને બાદ કરતાં આતંકી હુમલાઓમાં ભારતે વધુ વેઠવાનું આવ્યું છે. એ કમનસીબી છે કે ભારતને પડોશી રાષ્ટ્રો શત્રુવટ રાખનારાં મળ્યાં છે. ચીનની આડાઈ, ભારતીય સરહદો સાથેની છેડછાડ, સરહદો નજીક ઊભી કરાતી વસાહતો, સરહદો પર થતાં અતિક્રમણથી ચીન સાથેના સંબંધો વણસેલા છે, તો પાકિસ્તાન બધી રીતે મરવા પડ્યું છે, પણ તેની કનડગત ઘટતી નથી. ભારત, સામેથી કદી હુમલો કરતું નથી, તે ખાનદાનીને પાકિસ્તાન ભારતની નબળાઈ માની રહ્યું છે. તે એ પણ જાણે છે કે સીધા યુદ્ધમાં તે કદી ફાવી શકે એમ નથી, એટલે સીમા  પારથી નિર્લજ્જ આતંકી હિલચાલ કરતું રહે છે.

એ ભારત માટે પણ શરમજનક છે કે આતંકી પ્રવૃત્તિઓ દ્વારા પાકિસ્તાન કાશ્મીરથી જમ્મુ સુધી ઘૂસી આવ્યું છે ને પાંચેક મહિનાથી આ પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે, પણ કેન્દ્ર સરકાર તેને હળવાશથી લઈ રહી હોવાનું લાગે છે. એ બેહદ ચિંતાનો વિષય છે કે કાશ્મીરી ઘાટીઓ પૂરતી સીમિત રહેલી આતંકી ગતિવિધિ જમ્મુ સુધી વિસ્તરી છે, એટલું જ નહીં, પાંચેક મહિનામાં જમ્મુ મુખ્ય મથક પણ બન્યું છે, તે પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ! લોકસભાની ચૂંટણીમાં ભારે મતદાન થયું તેવું આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ન થાય ને વાતાવરણ બગડે એવી કોઈ રમત રમાતી હોવાનું આતંકી પ્રવૃત્તિઓમાં આવેલા વેગ પરથી લાગે છે. શંકા તો એવી પણ છે કે કાશ્મીરથી જમ્મુ સુધી આતંકીઓ પહોંચવામાં સફળ થયા છે, એમાં સ્થાનિકોનો સહકાર મળી રહ્યો હોય એવી શક્યતા નકારી શકાય એમ નથી.

વાત તો એવી પણ છે કે પાકિસ્તાન પૂર્વ સૈનિકોને આતંકવાદી બનાવીને ભારતમાં મોકલી રહ્યું છે. એ સાથે જ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મામલે પણ પ્રશ્નો ઉદ્દભવે છે. નવી ટેકનોલોજી સેનામાં દાખલ કરવાની વર્ષોથી વાત ચાલે છે, પણ હજી સુધી તો એ વાતો જ છે. આટલા આતંકી હુમલા થાય એનો અર્થ જ એ કે આતંકીઓનું કોમ્યુનિકેશન પહોંચની બહાર છે. એવે વખતે કેવળ સૂત્રોથી આશ્વસ્ત થઈ શકાય નહીં, કારણ સૈનિકો યુદ્ધમાં નહીં, પણ આતંકી હુમલામાં શહીદ થઈ રહ્યા છે. સૈનિકો તો જીવ રેડીને લડી રહ્યા છે, પણ વગર યુદ્ધે વેડફાઇ રહ્યા હોય તેવું લાગે છે. યુદ્ધ વગર, યુદ્ધ જેવું મોત કયો સૈનિક ઈચ્છે?

ખરેખર તો આ છમકલાંઓનો સામનો કરવા કરતાં, ભારતે પાકિસ્તાનને પૂરી તાકાતથી પડકારીને તેની બોલતી બંધ કરવી જોઈએ, પણ સરકારની ઢીલાશ આતંકીઓને જાણ્યે અજાણ્યે છમકલાંની તક પૂરી પાડે છે, આ છમકલાં એક પણ સૈનિકનો જીવ લઈ લે એ જરા પણ પરવડવું ન જોઈએ. ભારતીય સૈન્ય આતંકીઓનો સામનો કરે જ છે, પણ હકીકત એ છે કે સૈનિકો મરે પણ છે જ ! સવાલ એ છે કે કોઈ યુદ્ધ વગર ભારતનો એક પણ સૈનિક શું કામ મરવો જોઈએ?

પાકિસ્તાન જન્મ્યું છે ત્યારથી ભારતને નડ્યું છે, ભાગલાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, ભારતે તેની સાથે યુદ્ધમાં સંડોવાવું પડ્યું છે ને એને લીધે એક વડા પ્રધાન તાશ્કંદમાં ખોયો પણ છે. એ પછી પણ નાપાક પાક ઠરીને બેઠું નથી. એ ખરું કે વૈશ્વિક આતંકવાદનાં મૂળમાં પાકિસ્તાન જ છે ને થોડે થોડે વખતે આતંકી હુમલાઓ કરીને ભારતને નબળું પાડવાના બાલિશ પ્રયત્નો કરતું રહ્યું છે. કારગિલ યુદ્ધ પછી પણ તે ઢીલું પડ્યું નથી, બલકે, વધારે વિકૃત થયું છે ને હવે તે ચીનને ખોળે બેઠું છે. ચીન પણ વાયા પાકિસ્તાન શત્રુતા તો ભારત સાથે જ વધારે છે ને એ દ્વારા પણ પાકિસ્તાન, ભારતને કનડી શકતું હોય તો એ તક તે જવા દેવા તૈયાર નથી. આમ બેવડાં જોખમો પાકિસ્તાન અને ચીનનાં સામે હોય ને સરકાર વિપક્ષને પાઠ ભણાવવામાંથી જ ઊંચી ન આવતી હોય તો એ કઈ રીતે યોગ્ય છે?

આમ તો પી.ઓ.કે. (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) 1947થી ચાલી આવતી વર્ષો જૂની સમસ્યા છે, પણ 2024 છતાં એનો નિકાલ આવ્યો નથી, એ જ બતાવે છે કે સરકારનું ધ્યાન આ મામલે કેટલું છે ! મંત્રીઓ બોલ્યા કરે છે કે પી.ઓ.કે. લઈને રહીશું, પણ ક્યારે, એનો જવાબ મળતો નથી. આટલાં વર્ષમાં એનું મુહૂર્ત કેમ આવ્યું નથી એવું કોઈ પૂછતું નથી. મંત્રીઓની આતંકવાદને ખતમ કરવાની કે કચડી નાખવાની ઘણી વાતો કાન કોતરે છે, પણ વાતો, પરિણામ પણ આપે તે અપેક્ષિત છે. એક વાત સ્પષ્ટ છે કે યુદ્ધ વગર, પી.ઓ.કે. અને આતંકી પ્રવૃત્તિઓનો અંત આવવાનો નથી. સામેથી લડવા ન જવું, પણ કોઈ હક દબાવીને બેઠું હોય કે છાશવારે કનડગત કર્યાં જ કરતું હોય ને સમજાવટથી કામ થાય એમ જ ન હોય તો પાઠ ભણાવવામાં કૈં ખોટું નથી. કરડવું નહીં, પણ ફૂંફાડો ય ન મારવો એ કાયરતા છે એ સમજી લેવાનું રહે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જુલાઈ 2024

Loading

પ્રવાસન ક્ષેત્રની હાલત કમાઉ છતાં ઓરમાન સંતાન જેવી છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 July 2024

ચંદુ મહેરિયા

પ્રવાસ, પર્યટન અને યાત્રા માનવજીવનનું અભિન્ન અંગ છે. કદાચ એટલે જ જીવ્યા કરતાં જોયું ભલું એમ આપણે કહીએ છીએ. ભારત દેશી-વિદેશી પ્રવાસીઓને ભરપૂર આકર્ષી શકે એટલી વિવિધતા ધરાવે છે. હિમાલયનો મોટો હિસ્સો ભારતમાં છે. ઘણી વિશાળ નદીઓ છે તો વિશાળ સમુદ્ર તટ છે. વિવિધતાથી ભરેલો રણ પ્રદેશ છે. પ્રાચીન સભ્યતા ધરાવતા આપણા દેશમાં કેટકેટલાં ઐતિહાસિક સ્થળો છે. યુનેસ્કોની વિશ્વ ધરોહરના ઘણાં બધાં સ્થાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે. નહેરુ જેને આઝાદ ભારતના નવાં તીર્થ સ્થળો કહેતા એવા વિશાળકાય બંધો અને ઉત્પાદન કેન્દ્રો છે. રંગબેરંગી વિવિધતાઓમાં કંઈક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થાનો, નદીઓ, ઝરણાં, પર્વતો, સંગીત, સંસ્કૃતિ, ખાનપાન, હસ્તકળા અને એવું કંઈક છે. વન્ય જીવન છે તો પહાડી અને મેદાની પ્રદેશો છે. તાજમહેલ અને કશ્મીર પછી હવે વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર, ભગતસિંઘનાં જન્મ અને સ્મારક સ્થળો છે, તો ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન અને જૂની-નવી નાલંદા વિશ્વ વિદ્યાલય છે. અનેક બૌદ્ધ તથા જૈન સ્મારકો છે. બિનસાંપ્રદાયિક દેશમાં તમામ ધર્મોના મહત્ત્વનાં અને કેટલાંક વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે. ટૂંકમાં ભારત પ્રવાસન ક્ષેત્રે ખૂબ સમૃદ્ધિ ધરાવે છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઘોષિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં વિશ્વના ધનવાન દેશો મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રવાસનમાં શીર્ષ સ્થાન ધરાવતા દુનિયાના દેશો જાપાન, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સિંગાપુર છે. અનોખાં પ્રવાસન સ્થળો અને પ્રવાસીઓ માટે બહેતર સુવિધાઓનાં કારણે આ અમીર દેશો સૂચકાંકમાં મોખરે છે. ૨૦૨૪ના યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંકની ૧૧૯ દેશોની સૂચિમાં ભારત ૩૯મા ક્રમે છે. કોરોના મહામારી પૂર્વે ૨૦૧૯માં તેનું સ્થાન ૫૪મું હતું. કોરોના પછી ટુરિઝમ ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે વિશ્વના દેશો સાથે સ્પર્ધા કરી પ્રથમ ચાળીસમાં સ્થાન મેળવ્યું છે, તે નોંધનીય છે.

પ્રવાસન પ્રત્યેનું એકંદર સરકારી વલણ કમાઉ પણ ઓરમાન દીકરાનું છે. જો કે હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. એ દૃષ્ટિએ ભારતમાં ટુરિઝમના વિકાસની યાત્રા જોવા જેવી છે. સ્વતંત્રતા પહેલા ૧૯૪૫માં પ્રવાસનના વિકાસ માટેનો પહેલો સંગઠિત અને સચેત પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંચવર્ષીય યોજનાઓમાં પણ તેને સ્થાન મળ્યું. ૧૯૬૬માં ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી અને તેને પ્રવાસન સ્થળોએ પાયાની સગવડો ઊભી કરવાનું કામ સોંપાયું. રોજગારીનું સર્જન, આવકનો સ્રોત, વિદેશી મુદ્રા આવકની રીતે વિચારીને ૧૯૮૦ના દસકમાં પ્રવાસનને એક ઉદ્યોગના રૂપમાં ગતિ મળી. પ્રવાસન બંધારણની સમવર્તી સૂચિનો વિષય હોઈ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને સ્પર્શે છે, પરંતુ કેન્દ્રીય ધોરણે પહેલી પ્રવાસન નીતિ ૧૯૮૨માં ધડવામાં આવી હતી. વિદેશોમાં ભારતને ગૌરવશાળી અને સમૃદ્ધ અતીત ધરાવતા દેશ તરીકે સ્થાપિત કરી વિદેશી પ્રવાસીઓને આકર્ષવા પર તેમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૯૯૨થી ૯૭ની આઠમી પંચવર્ષીય યોજનામાં પ્રવાસનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અંગેની યોજના ઘડાઈ હતી. ૨૦૦૨ની નેશનલ ટુરિઝમ પોલિસીમાં પ્રવાસનને આર્થિક વિકાસના ચાલક બળ તરીકે જોવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. આ જ વરસે અતુલ્ય ભારત અભિયાન હેઠળ વિશ્વમાં ભારતના પ્રવાસનનો પ્રચાર કરવામાં આવ્યો.

જો વીસમી સદીમાં પ્રવાસન વૈશ્વિક ઉદ્યોગ તરીકે સ્થાપિત થયું હતું તો એકવીસમી સદીમાં તેમાં ગતિ આવી છે. વિદેશી પર્યટકોને આકર્ષવા માટે દુનિયાના દેશોમાં રીતસરની હરીફાઈ ચાલે છે. વન્ય જીવન માટે પ્રખ્યાત કેન્યાએ આ વરસથી આખી દુનિયાના પ્રવાસીઓને વીસામાંથી મુક્તિ આપી છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકાએ ભારતીય પ્રવાસીઓને વીસા લેવામાંથી મુક્તિ આપી છે. જાપાને પણ પ્રવાસીઓ માટે વીસાની પ્રક્રિયા સરળ બનાવી છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે અપાર શક્યતાઓ રહેલી છે. હવે છેલ્લા એક દાયકાથી સરકારે પ્રવાસનના વિકાસને પ્રાથમિકતા આપી છે.

દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મોટું યોગદાન છે. ભારતના જી.ડી.પી.માં તેનો હિસ્સો ૬.૨૩ ટકા છે. તો કુલ રોજગારમાંથી ૬.૭૮ ટકા રોજગાર પ્રવાસનથી ઊભા થાય છે. ૨૦૨૧માં ટુરિઝમથી ૩૨ મિલિયન રોજગાર પેદા થયા હતા. ભારતના પ્રવાસન ઉદ્યોગથી આઠ કરોડ લોકોને સીધી કે આડકતરી રોજી મળે છે. ભારતમાં સામાન્ય રીતે ધાર્મિક પ્રવાસો મોટા પાયે થાય છે. એટલે ધાર્મિક સ્થળોને પ્રવાસ ધામ તરીકે વિકસાવવાને પ્રાથમિકતા મળી છે. ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યું છે. જો કે સરકારનું લક્ષ્ય શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પણ પ્રવાસનનો વિકાસ કરવાનો છે.

ભારતના લોકો વિદેશ પ્રવાસ કરીને અન્ય દેશોને જે આવક રળી આપે છે તેટલી આવક ભારતને  વિદેશીઓના ભારત પ્રવાસથી થતી નથી. દુનિયાના કુલ વિદેશી પ્રવાસીઓના માંડ બે ટકા જ ભારતમાં આવે છે. ૨૦૨૨માં ૨ કરોડ ભારતીયોએ વિદેશોના પ્રવાસો કર્યા હતા તેની તુલનાએ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પંચાસી લાખ જ હતા. ૨૦૨૨-૨૩માં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે આશરે ૧૩ અબજ ડોલર અને ૨૦૨૩-૨૪માં ૧૭ અબજ ડોલર ખર્ચ્યા હતા. ભારતને વિદેશી પ્રવાસીઓથી થયેલી આવક કરતાં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે ખર્ચેલાં નાણાં અનેક ગણાં વધારે છે.

ગરીબી નાબૂદી અને વંચિતોના વિકાસની દૃષ્ટિએ પણ પ્રવાસનના વિકાસનો વિચાર થવો જોઈએ. ઓછા ખર્ચનું રોકાણ અને વધુ નાણાં રળી આપતા પ્રવાસન તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ખેંચાયું છે અને તેના વિકાસને પ્રાધાન્ય મળ્યું છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. એક ગીતમાં કહેવાયું છે તેમ પાવલી લઈને પાવાગઢ જનારા ધાર્મિક યાત્રીઓ આપણે ત્યાં ઓછા નથી. રણુંજા, ચોટીલા, અંબાજી, ડાકોર નિયમિત જનારા પ્રવાસીઓ આપણી હાલની ટુરિઝમ પોલીસીમાં ક્યાં છે તેવો સવાલ રહે છે.

પ્રવાસન ક્ષેત્રે સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. પરંતુ હજુ ઘણું કરવાનું શેષ છે. પૈસાવાળાઓની સાથે જ સાધારણ પ્રવાસીઓને પણ પોસાય તેવી સગવડો પ્રવાસન સ્થળોએ ઊભી થવી જોઈએ. પ્રવાસન સ્થળો ગંદા-ગોબરા ના હોય તેમ તે અતિ ભીડભાડથી મુક્ત હોય તે પણ જરૂરી છે. પ્રવાસન સ્થળોએ મ્યુઝિયમ્સ અને સંગ્રહાલયોને યોગ્ય રીતે અને વ્યવસાયી ધોરણે સ્થાપવાની જરૂર જરા ય ઓછી નથી. નિવાસ અને ભોજનની સગવડના અભાવે પ્રવાસીઓ આવતા બંધ ના થાય એટલે પ્રવાસીઓની રસરુચિનું ભોજન તથા આરામદાયક, સ્વચ્છ અને સુરક્ષિત નિવાસની પૂરતી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. ગુણવતાપૂર્ણ ભોજન અને નિવાસને પ્રવાસીઓને આકર્ષવાની ગુરુ ચાવી ગણવી જોઈએ. ખાનગી અને જાહેર પરિવહન પ્રવાસનના વિકાસની પ્રાથમિક શરત હોઈ રસ્તા, રેલ અને હવાઈ માર્ગે પ્રવાસન સ્થળને જોડવા પડશે. એ જ રીતે ઘણાં પ્રવાસન સ્થળો પર ઋતુઓની અસર થાય છે અને વિપરિત ઋતુમાં પ્રવાસીઓ ઘટે છે તે  અડચણ દૂર કરવાની જરૂર છે.

વર્તમાન દાયકાના અંતે ભારત ટુરિઝમ ઈકોનોમીને દૃઢ કરી વિદેશી પ્રવાસીઓ પાસેથી ૫૬ અબજ ડોલર અને આઝાદીના શતાબ્દી વરસે ૨૦૪૭માં ૧ લાખ કરોડ ડોલર મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. તેને સાકાર કરવા અનેક દિશાએથી પ્રયાસો કરવા પડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...629630631632...640650660...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved