Opinion Magazine
Number of visits: 9457329
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દયાનંદ સરસ્વતીનું જે મૌલિક યોગદાન હતું તેની ઉપેક્ષા કરવામાં આવી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 March 2024

“It is perfectly certain that India never saw a more learned Sanskrit scholar, a deeper metaphysician, a more wonderful orator, and a more fearless denunciator of any evil, than Dayanand since the time of Sankaracharya.” 

– Madame Blavatsky

રમેશ ઓઝા

કોઈ ગ્રન્થને ઈશ્વરની રચના જાહેર કરો એટલે એ ગ્રન્થના પ્રત્યેક શબ્દ(કાનામાત્રા સહિત)ને પવિત્ર, પૂજનીય, અપરિવર્તનીય, ચિરંતન, અને સ્થળ તેમ જ કાળને અતિક્રમીને સદા પ્રાસંગિક તરીકે સ્વીકારવા રહ્યા અને સિદ્ધ પણ કરવા રહ્યા. એ માટે દેખીતી રીતે બે માર્ગ અપનાવવા રહ્યા; એક છે ધાક ધમકીનો, ડરાવવાનો અને બીજો છે એ ગ્રન્થની મહત્તા સિદ્ધ કરવાનો. બીજા કરતાં પહેલો માર્ગ સરળ છે. જો કોઈ પવિત્ર ગ્રન્થની પ્રાસંગિકતા વિષે સવાલ કરે તો તેને કયામતના દિવસે ભગવાન સજા કરશે એવો ડર બતાવી શકાય, ઉકળતા તેલમાં નાખવામાં આવશે એવી સજાનો ડર બતાવી શકાય, નર્ક(જાહ્ન્મ)નો ડર બતાવી શકાય, બહિષ્કાર કરવાનો ડર બતાવી શકાય અથવા કુફ્ર (કાફિર – અશ્રદ્ધાવાન) જાહેર કરીને પ્રાણ હરી શકાય. (ચર્ચ) ખ્રિસ્તીઓ inquisitionનો માર્ગ અપનાવતા હતા. Inquisition ચર્ચની એક એવી ન્યાયપ્રક્રિયા હતી જેમાં ઇસુ કે બાયબલના કથન વિષે શંકા કરનારાઓને વીણીવીણીને શોધવામાં આવતા હતા, કહેવાતા ગુનેગાર સામે તે તૂટી જાય એ રીતનો અસમાન ખટલો ચલાવવામાં આવતો હતો અને મોતની કે એવી આકરી સજા કરવામાં આવતી હતી. એ હકીકતમાં ન્યાયપ્રક્રિયા નહોતી, દંડપ્રક્રિયા હતી.

અલબત્ત, બીજા ગ્રન્થની સર્વકાલીન તેમ જ સાર્વત્રિક પ્રાસંગિકતા સિદ્ધ કરવાનો તાર્કિક-બૌદ્ધિક માર્ગ પણ તેમણે અપનાવ્યો હતો. ઇસ્લામમાં અલ ગઝાલીથી લઈને મૌલાના અબુલ કલામ આઝાદ આનાં ઉદાહરણ છે. પણ એમાં તેમને (ધર્મવેત્તાઓને) સફળતા મળી હતી એમ ન કહી શકાય. જેમ જેમ સમય બદલાતો ગયો અને જેમ જેમ પવિત્ર ગ્રન્થ લઈને ધર્મો બીજા દેશમાં, બીજા સાંસ્કૃતિક પરિવેશમાં અને નવી પ્રજા વચ્ચે જવા લાગ્યા અને એમાં પણ આધુનિક યુગમાં જગત જે રીતે સંકુલ બન્યું છે એમાં ધર્મગ્રંથોનાં કથનો ટૂંકા પડવા માંડ્યાં. આ મારો અભિપ્રાય છે, ચુસ્ત ધાર્મિકો આનો સ્વીકાર નહીં કરે અને એની સાથે તેઓ પોતાના ધર્મગ્રન્થની સર્વકાલીન તેમ જ સાર્વભૌમિક પ્રાસંગિકતા સમજાવી પણ નહીં શકે. એટલે તો ધાક-ધમકી અને ગાળોનો સરળ માર્ગ અપનાવવામાં આવે છે.

આમાં વળી વેદોની વાત જૂદી હતી. વેદોની રચના પાંચેક હજાર વરસ પહેલાં થઈ હતી. કેટલાક તો વીસેક હજાર વરસ જૂનાં હોવાનો પણ દાવો કરે છે. હજારો વરસ દરમ્યાન અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે વેદોને જોયાં છે. તેનાં કેટલાંક મંત્રો મળતાં નથી અને કેટલાંક મંત્રોનો અર્થ લાગતો નથી. વિદ્વાનો વેદોને પૂર્વ વૈદિક અને ઉત્તર વૈદિક એવું વેદોનું વિભાજન પણ કરે છે. પૂર્વ વૈદિક મંત્રોમાં સૃષ્ટિનાં રહસ્યો જોઇને ભોળા મનમાં પ્રગટ થતાં વિસ્મયો જોવા મળે છે અને ઉત્તર વૈદિક મંત્રોમાં દાર્શનિક વિકાસ અને આગળ જતાં આશ્ચર્યચકિત થઈ જવાય એ હદે દાર્શનિક ઊંડાણ જોવા મળે છે. આ સિવાય વેદોનું વ્યાકરણ પણ થોડુંક અલગ છે. પાણિનિનું વ્યાકરણ સંપૂર્ણપણે લાગુ પડતું નથી. ટૂંકમાં હજારો વરસ દરમ્યાન અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ વેદોને અલગ અલગ રીતે જોયા છે.

આ વેદને તેની રચના પછી પાંચ હજાર વરસે કે કદાચ દસ-કે વીસ હજાર વરસે કુરાન અને બાઈબલની માફક હિંદુઓના ‘ધ બૂક’ તરીકે રજૂ કરવા એ અઘરું કામ હતું. જે ગ્રંથોનો હિંદુ ચિત્તની સાથે ક્રમશ: વિકાસ થયો હોય તેને કાના માત્ર સહિત ઈશ્વર નિર્મિત સંપૂર્ણ ગ્રન્થ તરીકે રજૂ કરવા એ ભગીરથ કામ હતું. આ ભગીરથ કામ કરવાનું સાહસ સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યું હતું. પૂરી નિષ્ઠા સાથે અને સંપૂર્ણ સમર્પણ સાથે કર્યું હતું. અત્યાર સુધી વેદોના અર્થઘટન માટે સાયણાચાર્યના સાયણભાષ્યનો આશ્રય લેવામાં આવતો હતો. એ જ જૂનામાં જૂનું ઉપલબ્ધ ભાષ્ય હતું અને તે માટે સાયણાચાર્યે જે કોઈ સાધન ઉપલબ્ધ હતાં તેનો આશ્રય લીધો હતો. દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે વેદોનાં ભાષ્ય માટે નિરુક્તનો આશ્રય લેવો જોઈએ. માત્ર વ્યાકરણ અને શબ્દમૂળ કે વ્યુત્પત્તિ દ્વારા જ વેદોના રહસ્ય સુધી પહોંચી શકાય.

વેદોને સમજવા માટે આ એક નવો અભિગમ હતો અને એ અભિગમને સિદ્ધ કરવા માટે મહર્ષિ દયાનંદે જે પરિશ્રમ લીધો હતો તેની શ્રી અરવિંદ ઘોષે દિલ ખોલીને પ્રસંશા કરી છે. માટે થિયોસોફીકલ આંદોલનનાં પ્રણેતા અને થિયોસોફીકલ સોસાઈટીનાં સ્થાપક મેડમ બ્લેવેટસ્કીએ સ્વામી દયાનંદને લેખના પ્રારંભમાં જે અવતરણ ટાંક્યું છે, એ શબ્દોમાં નવાજ્યા છે. વ્યાકરણને શાસ્ત્રોનું મુખ કહેવામાં આવે છે એટલે તેમણે વ્યાકરણ માટે લઘુસિદ્ધાંતકૌમુદી અને સિદ્ધાંતકૌમુદીનો શોર્ટકટ અપનાવવાની જગ્યાએ મૂળ પાણિનિનો અષ્ટાધ્યાયીનો માર્ગ અપનાવ્યો હતો. વ્યાકરણ શીખવા માટેનો એ માર્ગ લાંબો છે, પણ તર્કશુદ્ધ છે અને ખુદ પાણિનિએ એ પ્રયોજ્યો છે. ટૂંકમાં વ્યાકરણ અને નિરુક્ત દ્વારા વેદો સુધી પહોંચી શકાય અને એ પણ નવી રીતે. અર્વાચીન યુગમાં હિંદુઓ માટે શ્રેયસ્કર નીવડે એ રીતે. જો આટલું કરવામાં આવે તો વેદ હિંદુઓનો સર્વકાલીન અને સાર્વત્રિક એવો ઈશ્વરીય ગ્રન્થ સાબિત કરી શકાય. એ પછી શંકા કરવા માટે કોઈ જગ્યા નહીં રહે.

વેદો વિષે સ્વામી દયાનંદ સરસ્વતીનો જે અભિપ્રાય છે એ મને સ્વીકાર્ય નથી. હું તો માનું છું કે બાઈબલ અને કુરાન સહિત જગતમાં જેટલાં ગ્રંથો છે એ તમામ માનવનિર્મિત છે અને માટે સ્થળ અને કાળથી બાધ્ય છે. કોઈ ગ્રન્થ સર્વકાલીન અને સાર્વભૌમ નથી. પણ વેદો સુધી પહોંચવા માટેનો જે અભિગમ સ્વામી દયાનંદે આપ્યો હતો એ મહત્ત્વનો હતો.

દુર્ભાગ્યે સ્વામી દયાનંદ સરસ્વતીના આકરા અભિગમના કારણે, તેમની ભાષાના કારણે, સમાધાનો નહીં કરવાની તેમની જીદના કારણે તેમણે ચારે બાજુ દુ:શ્મનો પેદા કર્યા અને એમાં તેમનું જે મૌલિક યોગદાન હતું તેની પણ ઉપેક્ષા કરવામાં આવી. આજે પણ આર્ય સમાજના વિદ્વાનો તેમની ચોકસાઈ, ચીવટ, ભાષાશુદ્ધિ અને ઉચ્ચારણશુદ્ધિ માટે ખ્યાતિ ધરાવે છે. આર્ય સમાજની બહારના ધર્મધુરંધરોએ સ્વામી દયાનંદ સરસ્વતીના વેદો સુધી (ખરું પૂછો તો હિંદુ દર્શન સુધી) પહોંચવાના અભિગમને સહાનુભૂતિથી જોવો જોઈતો હતો. બીજું, આર્યસમાજનાં પોતાનાં ગુરુકુળો પણ નિષ્ફળ નીવડ્યાં અને હવે તો સમેટાઈ રહ્યાં છે. દયાનંદ એંગ્લો વૈદિક (નામ જ હાઈબ્રીડ છે જે દયાનંદ સરસ્વતીને ન ગમ્યું હોત) ડી.એ.વી.ની સ્કૂલો અને કૉલેજોમાં વૈદિકના નામે હવન થાય છે અને બાકીનું બધું એંગ્લો છે.

મારો એવો નમ્ર મત છે કે સ્વામી દયાનંદના ધાર્મિક-રાજકીય વિચાર ત્યારે પણ કાલબાહ્ય હતા એટલે આજે પણ છે. આ બાજુ શાસ્ત્રો સુધી પહોંચવાનો તેમનો અભિગમ ત્યારે પણ પ્રાસંગિક હતો અને આજે પણ છે. પણ આ મહેનતનું કામ છે એ કરે કોણ? આનાં કરતાં બાંધો મંદિરો અને કરો હિંદુઓનો જયજયકાર. એમ પણ કહી શકાય કે દયાનંદ અપ્રામાણિક જમાતના શિકાર છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 માર્ચ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—239 

દીપક મહેતા|Opinion - Opinion|16 March 2024

નામ બદલો, ભાઈ, નામ!

નરસિંહ મહેતાએ ભલે ગાયું હોય કે ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે’ અને શેકસપિયરે પણ ભલે કહ્યું હોય કે નામમાં તે શું બળ્યું છે? પણ આપણા રોજિંદા જીવનમાં નામનું પારાવાર મહત્ત્વ છે. પહેલાં રેશન કાર્ડમાં અને હવે ‘પાન’ અને ‘આધાર કાર્ડ’માં સાચું નામ હોવું જરૂરી. નામ બદલવું હોય તો બદલી શકાય, પણ તે માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. પણ આપણા આ મુંબઈ શહેરના રસ્તા, ઈમારત, સ્ટેશન, બગીચા, વગેરેનાં નામ લગભગ રાતોરાત બદલાઈ જાય છે. કારણ? કારણ ‘સંસ્થાનવાદી’ નામો હટાવો. એમાં ય ચૂંટણી નજીક આવે ત્યારે તો આ નામરોગ બહુ ઝડપથી ફેલાય છે.

 

બોમ્બે સેન્ટ્રલ – ૧૯૩૦માં બંધાયું ત્યારે

કોઈ નવો રસ્તો તૈયાર થાય, નવી ઈમારત ચણાય, નવી સંસ્થા શરૂ થાય ત્યારે ‘સંસ્થાનવાદી’ સરકાર ઘણી વાર પહેલાં લોકોના અભિપ્રાય જાણતી, અને પછી નામ પાડતી. પણ હવે તો રાજકારણીઓ કુલડીમાં ગોળ ભાંગીને રાતોરાત નામો બદલવાનું નક્કી કરીને જાહેર કરી દે નવાં નામ. જેમ કે હમણાં મુંબઈનાં આઠ રેલવે સ્ટેશનોનાં નામ બદલવાની જાહેરાત થઈ ગઈ. તેમાંનું એક નામ છે મુંબઈ સેન્ટ્રલ. પહેલા હતું બોમ્બે સેન્ટ્રલ. પણ જ્યાં આખા શહેરનું જ નામ બદલાયું ત્યાં સ્ટેશનનું નામ તો બદલવું જ પડે ને! અગાઉ લોકલ અને બહારગામની ટ્રેનો માટે ટર્મિનસ હતું કોલાબા સ્ટેશન. પણ પછી ત્યાં જમીનની ખેંચ વર્તાવા લાગી એટલે સરકારે બી.બી.સી.આઈ.(આજની વેસ્ટર્ન રેલવે)ને આદેશ આપ્યો કે ‘ભાડે કી જગહ ખાલી કરો.’ એટલે ન છૂટકે નવું સ્ટેશન બાંધવું પડ્યું. પણ આ સ્ટેશન બંધાઈ રહેવા આવ્યું ત્યારે તેનું નામ શું પાડવું એ અંગે છાપાં દ્વારા લોકોને અભિપ્રાય પૂછ્યો. સાધારણ રીતે સ્ટેશનનું નામ કાં કોઈ અંગ્રેજના નામ પરથી કે કાં નજીકના જાણીતા વિસ્તાર પરથી પડે એવો શિરસ્તો. જૂદાં જૂદાં સૂચનો આવ્યાં તેમાંનું એક હતું કે નવા સ્ટેશનનું નામ પાડો ‘કામઠીપુરા’ કારણ સ્ટેશન એ વિસ્તારની નજીક હતું. રેલવે કંપની કદાચ આ નામ અપનાવે એ બીકે તેનો જોરદાર વિરોધ લોકોએ કર્યો. કારણ? કારણ આ ‘કામાઠીપુરા’ એ વખતે બદનામ બસ્તી. હવે તમને કોઈ પૂછે કે “કેમ મકનજી, ક્યાં ચાલ્યા?” અને તમે જવાબ આપો કે ‘કામાઠીપુરા’ તો કેવો અનર્થ થઈ જાય? અને સ્ત્રીઓ? એ તો બિચારી મૂંગી જ રહે. એટલે પછી કંપની ફોઈએ ઓળી ઝોળી કરીને નામ પાડ્યું બોમ્બે સેન્ટ્રલ. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મીથી એ કામ કરતું થયું. દાયકાઓ સુધી બહારગામની ટ્રેનોનું એક માત્ર ટર્મિનસ રહ્યું. ચર્ચ ગેટ બન્યું લોકલ ટ્રેનોનું ટર્મિનસ.

જગન્નાથ શંકરશેઠ

પણ હવે આ બંને સ્ટેશનોનાં નામ બદલવાની તૈયારી થઈ ગઈ છે. મુંબઈ સેન્ટ્રલ જેવા ભૌગોલિક નામમાં સંસ્થાનવાદની બૂ કોને આવી, કઈ રીતે આવી, એ તો એક મોટો કોયડો છે. જો વડોદરા, અમદાવાદ કે નવી દિલ્હી જેવાં નામ સ્ટેશનનાં હોઈ શકે તો બોમ્બે સેન્ટ્રલ કેમ નહિ? પણ ના. મુંબઈ સેન્ટ્રલનું નામ બદલીને તેની સાથે નામ જોડવું છે જગન્નાથ શંકર શેઠનું. ૧૯મી સદીના મુંબઈના પાંચમાં પૂછાતું એવું આ નામ એની ના નહિ. ૧૮૫૩માં દેશની પહેલવહેલી રેલવે શરૂ કરનાર જી.આઈ.પી. – હાલની સેન્ટ્રલ – રેલવેના કારોબાર સાથે નિકટતાથી તેઓ સંકળાયેલા. પણ ૧૯૩૦માં બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન શરૂ થયું તે પહેલાં છેક ૧૮૬૫માં તેમનું અવસાન થયું હતું. અને હા, જો મુંબઈ સેન્ટ્રલનું નામ બદલાય તો પછી આખા મુંબઈમાં ‘મુંબઈ’ નામવાળું એક પણ સ્ટેશન નહિ રહે! અહો કેવી વિચિત્રતા?

સ્ટેશન બંધાયા પહેલાંનો મરીન લાઈન્સ વિસ્તાર 

એક જમાનામાં અંગ્રેજોના સૈન્યના નૌકાદળના સૈનિકોને રહેવા માટે જ્યાં બેરેક્સ બાંધવામાં આવેલી એ જગ્યા પછીથી ઓળખાઈ મરીન લાઈન્સ તરીકે. અને એ વિસ્તારમાં આવેલા સ્ટેશનને પણ એ જ નામ મળ્યું. એ વિસ્તારના બીજા ઘણા ખરા રસ્તાનાં નામ બદલાઈ ગયાં છે. પણ આજે ય મેટ્રો સિનેમા પાછળના એક રસ્તાનું નામ છે બેરેક રોડ. પણ આ ઇતિહાસને સાચવવાને બદલે આ સ્ટેશનને નામ અપાવાનું છે ‘મુંબાદેવી સ્ટેશન.’ હા, આ મુંબા તે કોળી-માછીમારોની દેવી. મુંબઈ નામ આ દેવીના નામ પરથી પડ્યું. એટલે એકાદ સ્ટેશનને આવું નામ અપાય એમાં ખોટું શું? ખોટું તો કશું નથી, પણ મરીન લાઈન્સથી ચાલીને મુંબા દેવી મંદિર જતાં ખાસ્સો અડધો કલાક થાય. અને વાહનમાં જાવ તો પોણો કલ્લાક. આટલે દૂર આવેલી જગ્યાનું નામ કોઈ સ્ટેશને આપવું કેટલું યોગ્ય?

મુંબાદેવીનું મંદિર અને તેની બાજુમાં આવેલું તળાવ 

હવે ચર્ની રોડ નામને તો સંસ્થાન વાદ સાથે કે અંગ્રેજો સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. બલકે અંગ્રેજોના અયોગ્ય નિયમ સામે માથું ઊંચકાયું એ ઘટના આ સ્ટેશનના નામ સાથે જોડાયેલી છે, જે આજે ભૂલાઈ ગઈ છે. હવે ગમ્મત જુઓ. આ ચર્ની રોડનું અસલ સત્તાવાર નામ હતું ઓલિવન્ટ રોડ. ૧૮૪૬માં જન્મેલા સર સી.કે. ઓલિવન્ટ ૧૮૮૧થી ૧૮૯૦ સુધી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર હતા. પણ લોકો તો તેને ચર્ની રોડ તરીકે જ ઓળખતા. છેવટે અંગ્રેજ સત્તાવાળાઓએ પણ આ ચર્ની રોડ નામ સ્વીકારી લીધું! પછી ૧૮૬૭માં એ રોડ પર જે સ્ટેશન બંધાયું તેને પણ એ જ નામ અંગ્રેજ રેલવે કંપનીએ આપ્યું. અને આ ‘ચર્ની’ એ કોઈ અંગ્રેજનું નામ નથી. ‘ચરણી’ એટલે મરાઠીમાં ઢોરઢાંખર ચારવાની જગ્યા. એક જમાનામાં મુંબઈમાં ઠેર ઠેર ઢોર ઢાંખર જોવા મળે. આજે આઝાદ મેદાન તરીકે ઓળખાતા મેદાનનું એ વખતનું નામ એસ્પ્લનેડ મેદાન. આજે છે તેના કરતાં એ વખતે ઘણું મોટું અને ત્યાં લીલુંછમ ઘાસ ઊગે. રખેવાળો અને ગોવાળો પોતાનાં ઢોરને રોજ ત્યાં ચરવા લઈ જાય. આ મેદાનની જગ્યા સરકારી માલિકીની. ૧૮૩૮માં એકાએક સરકારને તુક્કો આવ્યો કે અરે! આ તો ‘આપણી જમીન પરનું ઘાસ દેશી ઢોર મફતમાં ચરી જાય છે. એટલે આ મેદાન પર ઢોર ચરાવવા માટે ફી વસૂલવાની જાહેરાત કરી. ઢોર ઢાંખર રાખનારા કહે કે અમે એવું તે શું રળીએ, કે દીવો લઈને દળીએ? આવી ફી આપવાનું અમને પોસાય નહિ. સર જમશેદજી જીજીભાઈ (૧૭૮૩-૧૮૫૯) એ જમાનાના બહુ મોટા વેપારી અને દાનવીર. જેટલા ઉદાર એટલા જ સમજુ. આવી બાબતમાં સરકાર સાથે લમણાઝીંક કરવાથી કશું વળે નહિ એ જાણે. આજના ઠાકુરદ્વાર નજીક, દરિયા કિનારાથી થોડે દૂર જમીનનો મોટો ખાલી પ્લોટ. ભરપૂર ઘાસ ઊગે. વીસ હજાર રૂપિયાને ખર્ચે સરસાહેબે તે ખરીદી લીધો, અને ઢોરઢાંખર ચરાવનારાઓને કહી દીધું : ‘આવો, લાવો તમારાં ઢોર. છુટ્ટાં મૂકો ચરવા. એક કાણો પૈસો પણ આપવાનો નહિ. સરકાર સાથે બળથી નહિ, કળથી કામ કાઢ્યું અને મૂંગાં પ્રાણીઓની અને તેમના રખેવાળોની દુઆ મેળવી. એક રીતે તો આ વાત સરકાર સાથે પંજો લડાવવા જેવી હતી. અને ૧૮૩૮ના વીસ હજાર એટલે આજના કેટલા કરોડ? હવે આ બધું ભૂલી જઈને નવું નામ અપાશે ગીરગાંવ. પણ ખાટલે મોટી ખોટ તો એ છે કે આજે ગીરગામ રોડ જેવું સત્તાવાર નામ ધરાવતો કોઈ રોડ છે જ નહિ. જે હતો તેનું નામ બદલીને ઘણાં વરસ પહેલાં રાજા રામમોહન રોય રોડ કરી નાખવામાં આવ્યું છે. 

સર જમશેદજી જીજીભાઈ

હા, કરી રોડ સ્ટેશનનું નામ ચાર્લ્સ કરી પરથી પડ્યું છે એ ખરું. પણ એ કાંઈ મોટા સરકારી હોદ્દેદાર નહોતા. ૧૮૬૫થી ૧૮૭૫ સુધી બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેના મુંબઈ ખાતેના એજન્ટ હતા. એ પછી સ્વદેશ પાછા ગયા અને ૧૮૭૬માં આ જ કંપનીના સેક્રેટરી નિમાયા. ૧૮૭૮ના સપ્ટેમ્બરમાં અવસાન થયું ત્યાં સુધી એ પદ સંભાળ્યું. હવે, આ કરી રોડનું નામ બદલીને ‘લાલબાગ’ કરવાની દરખાસ્ત છે.

 

જેના પરથી ‘લાલબાગ’ નામ પડ્યું તે દરગાહ

રેલવે કંપનીના એક એજન્ટનું નામ ભૂંસાઈ જાય એનો તો આજે કોઈને હરખશોક હોય નહિ. પણ જે દિવસે અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર રાખવાનું સરકારે જાહેર કર્યું તે જ દિવસે કરી રોડનું લાલબાગ કરવાનું ઠરાવ્યું! એક જમાનામાં સુતરાઉ કાપડની મિલોથી ધમધમતો આ વિસ્તાર. હવે એની સૂરત સાવ બદલાઈ ગઈ છે. આજે એ વિસ્તાર લાલબાગચા રાજા ગણપતિને લીધે મશહૂર બન્યો છે. પણ આ ‘લાલબાગ’ નામ? આ જ વિસ્તારમાં આવેલી છે હઝરત લાલ શાહ બાબાની દરગાહ. ૧૭મી સદીમાં આ સૂફી બાબા મક્કાથી મુંબઈ આવ્યા. દોરા-ધાગા કરતા. લોકો તેમની માનતા રાખતા. ૧૭૮૨માં જન્નતનશીન થયા પછી બંધાયેલી દરગાહ આજે પણ ઊભી છે. આ લાલ શાહ બાબાની દરગાહ પરથી આ વિસ્તાર લાલબાગ તરીકે ઓળખાય છે. 

લોર્ડ સેન્ડહર્સ્ટ

લોર્ડ સેન્ડહર્સ્ટ ૧૮૯૫થી ૧૯૦૦ સુધી હતા મુંબઈના ગવર્નર. જન્મ ૧૮૫૫, અવસાન ૧૯૨૧. તેઓ ગવર્નર હતા એ દરમ્યાન ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. તેમાં વીસ હજાર કરતાં વધારે માણસો મરી ગયા હોવાનો અંદાજ છે. બીજા હજારો લોકો મુંબઈ છોડીને ‘દેશ’માં જતા રહ્યા. આ રોગને કાબૂમાં લેવા માટેનાં પગલાં લેવામાં શરૂઆતમાં સેન્ડહર્સટે થોડી ઢીલ કરી. કારણ સરકારી પગલાંનો લોકો વિરોધ કરશે એવી તેમને બીક હતી. પણ પછી જ્યારે સ્થિતિ કાબૂ બહાર જશે એવું લાગ્યું ત્યારે તેમણે ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં ‘એપિડેમિક ડીઝીઝ એકટ’ રાતોરાત પસાર કરાવીને આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું. થોડા વરસ પહેલાં જ્યારે કોરોના કે કોવિડનો રોગચાળો ફેલાયો ત્યારે જરૂરી એવાં બધાં પગલાં લેવા માટે સરકારે આ જ કાયદાનો આશરો લીધો હતો. હવે આ સ્ટેશનનું નવું નામ થશે ડોંગરી. આપણે જેને ટેકરી કહીએ તેને મરાઠીમાં ડોંગરી કહે. કેટલાંક અંગ્રેજી લખાણોમાં છેક ૧૭મી સદીથી આ ‘ડોંગરી’નો ઉલ્લેખ જોવા મળે છે. પણ આ ડોંગરી પહેલા કંપની સરકારના અને પછી અને પછી તાજની સરકારના લશ્કરની આંખમાં કણાની જેમ ખૂંચ્યા કરતી અને તેને ધરાશાયી કરવા વખતોવખત સરકારને અરજ ગુજારતી. પણ કેમ? કારણ ન કરે નારાયણ ને કોક દિવસ આ ટેકરી દુ:શ્મનના હાથમાં જાય તો ત્યાં પોતાની તોપો ગોઠવીને ફોર્ટ કહેતાં કોટ પર સીધા ગોળા વરસાવી શકે. કોઈ પણ સરકારની જીભ અને તેના કાન વચ્ચે બહુ લાંબુ અંતર હોય છે. ૧૮૬૫ના અરસામાં ફોર્ટ કહેતાં કિલ્લો સરકારે ધરાશાયી કરી નાખ્યો. હવે પેલી ડોંગરી જોખમરૂપ રહી નહોતી. પણ મુંબઈમાં જગ્યાની ખેંચ પહેલેથી રહે છે. એટલે નવી જગ્યા મેળવવા માટે બોમ્બે ઈમપ્રૂવમેંટ ટ્રસ્ટે છેવટે એ ડોંગરીને સમથળ બનાવી દીધી. છતાં આજ સુધી એ વિસ્તાર ઓળખાય છે ડોંગરી તરીકે. અને આજે હયાત નથી એવી ડોંગરીનું નામ અપાશે એક સ્ટેશનને.

બોમ્બે કોટન માર્કેટ 

૧૯મી સદીમાં મુંબઈમાં રૂ કહેતાં કપાસ કહેતાં કાપુસ કહેતાં કોટનનો વેપાર ધમધોકાર ચાલતો. આજના ગુજરાત અને મહારાષ્ટ્રના અંતરિયાળ પ્રદેશોમાંથી ગાડાં ભરી ભરીને કપાસ અહીં ઠલવાતો. કપાસને દાબીને ગાંસડીઓ બને. એને ચડાવે વહાણોમાં અને પોગાડે ગ્રેટ બ્રિટન. માન્ચેસ્ટરની મિલોમાં તેમાંથી કાપડ બને. તે આવે મુંબઈ અને મોંઘા મૂલે વેચાય. અમેરિકન સિવિલ વોર (૧૮૬૧-૧૮૬૫) દરમ્યાન અમેરિકાનું રૂ મળતું બંધ થયું એટલે ગ્રેટ બ્રિટનની મિલોએ હિન્દુસ્તાનથી મોં માગ્યા દામે રૂ ખરીદવા માંડ્યું. મુંબઈની બજારમાં રૂના ભાવ આસમાને. ઘણા લોકોએ તો ઘરનાં ગાદલાં-ઓશિકાં ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખ્યું! પહેલાં કોટનની નિકાસ કોલાબાથી થતી એટલે પહેલું કોટન ગ્રીન હતું કોલાબામાં. પછી એપોલો બંદરથી નિકાસ થવા લાગી ત્યારે આજનું હોરનીમન સર્કલ બન્યું બોમ્બે ગ્રીન. અને હાર્બર લાઈનના જે સ્ટેશન પાસે લીલા રંગનું કોટન એક્સચેન્જનું મકાન આવેલું હતું એ સ્ટેશન બન્યું કોટન ગ્રીન. એટલે કે આ ‘કોટન’ એ કોઈ અંગ્રેજ અફસરનું નામ નથી. પણ હા, હવે રૂનો નિકાસ વેપાર રહ્યો નથી અને એટલે કોટન એક્સચેન્જ પણ કામ કરતું નથી. હા, તેની ઈમારત હજી ઊભી છે. કોટન ગ્રીન સ્ટેશનને નવું નામ અપાવાનું છે કાળા ચોકી. કારણ આ વિસ્તાર એ નામે ઓળખાય છે. પણ કેમ? કારણ અહીં આવેલી પોલીસ ચોકીની બહારની દીવાલો એક જમાનામાં કાળા રંગે રંગેલી હતી! એટલે એની આસપાસનો વિસ્તાર ઓળખાયો કાળા ચોકી તરીકે. 

કાલા ચૌકી પોલીસ સ્ટેશન 

વિમાનો નહોતાં ત્યારે પરદેશની, ખાસ કરીને ગ્રેટ બ્રિટનની મુસાફરી દરિયા માર્ગે, પહેલાં વહાણોમાં અને પછી સ્ટીમરોમાં કરવી પડતી. હિન્દુસ્તાન અને બ્રિટન વચ્ચેની મુસાફરી માટે પી.એન્ડ.ઓ. કંપનીની દાયકાઓ સુધી મોનોપોલી હતી. આ કંપનીનો મોટો ડોકયાર્ડ હતો અને તેની નજીક આવેલા સ્ટેશનનું નામ પણ ડોકયાર્ડ રોડ. હવે તેનું નામ પડશે મઝગાંવ. એક જમાનાનો એ ‘પોશ એરિયા.’ મઝગાંવ એટલે વચલું કે મારું ગામ. અહીં આવેલા ઘણા બંગલામાંનો એક તે શેઠ અરદેશર ખરસેદજીનો બંગલો. વ્યવસાય વહાણવટાનો. ૧૮૩૪ના માર્ચની દસમી તારીખની સાંજે આ આખો બંગલો ગેસના દીવાના અજવાળાથી ઝગમગી ઊઠ્યો. આખા મુંબઈમાં પહેલી વાર ગેસના દીવા પ્રગટ્યા એ જોવા માટે એ વખતના ગવર્નર જોન ફિટગીબોન પધાર્યા હતા. આ રોશની જોઇને ગવર્નરે અરદેશરશેઠને હળવેકથી પૂછેલું : આજે અહીં જે થયું તે આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે? પી. એન્ડ ઓ. કંપની આ દેશમાંથી ગઈ એમ હવે ડોકયાર્ડ રોડ નામ પણ જશે. પણ એથી કાંઈ મઝગાંવે ગુમાવેલી રોશની પાછી આવશે? 

એક જમાનામાં આવું હતું મઝગાંવ 

એક નવાઈની વાત એ છે કે કીન્ગ્ઝ સર્કલ જેવું પાક્કું અંગ્રેજ રાજાશાહી નામ કેમ કરીને આજ સુધી બચી ગયું? બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટની ૧૯૧૧ના એપ્રિલની ૨૦મી તારીખની મિટિંગમાં ચેરમેને દાદર-માટુંગા સ્કીમની વિગતવાર ચર્ચા કરી. વિન્સેન્ટ રોડ પર એક ગોળાકાર બગીચો બનાવવા અંગે, ત્યાંથી છેક ક્રાફર્ડ માર્કેટ સુધી ૧૫૦ ફૂટ પહોળો રસ્તો બાંધવા વિષે, જણાવ્યું. અને પછી દરખાસ્ત રજૂ કરી કે આ રસ્તા સાથે નામદાર મહારાજા પંચમ જ્યોર્જનું નામ જોડવું. પણ કોઈએ સવાલ કર્યો કે મહારાજાની અનુમતિ વગર આપણે આ રીતે તેમનું નામ કોઈ રસ્તા અને ગાર્ડન સાથે જોડી શકીએ ખરા? એટલે ‘પ્રોપર ચેનલ’ દ્વારા પંચમ જયોર્જની અનુમતિ માટે અરજ ગુજારવામાં આવી. નેક નામદારની પરવાનગીની રાહ જોઈ જોઈને ટ્રસ્ટ તો થાક્યું. છેવટે વિચાર્યું કે આપણે તો નેક નામદારને માન જ આપવું છે ને! એટલે આગળ વધો. ૧૯૧૬માં સરસ મજાનો ગોળ બગીચો બનાવ્યો તેને નામ આપ્યું કિંગ્સ સર્કલ ગાર્ડન. ત્યાંથી ક્રાફર્ડ માર્કેટ સુધીનો રસ્તો તો નહિ, પણ એલ્ફિન્સ્ટન રોડ પરના જૂના ટ્રામ ટર્મિનસ સુધીના રસ્તાને નામ આપ્યું કિંગ્ઝ વે. એ વખતની જી.આઈ.પી. રેલ્વેની હાર્બર લાઈન પરના નજીકના સ્ટેશનનું નામ પણ કિંગ્ઝ સર્કલ.  

જેમના પરથી કિન્ગ્ઝ સર્કલ નામ પડ્યું તે શહેનશાહ પાંચમાં જ્યોર્જ

૧૯૪૭ પછી ધીમે ધીમે અંગ્રેજોનાં નામ હટાવવાની અને નવાં નામ આપવાની શરૂઆત થઈ. ૧૯૬૨ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે કિંગ્ઝ ગાર્ડનનું નવું નામ પડ્યું, બી.એન. માહેશ્વરી ઉદ્યાન. આ નવા નામની તકતી મોરારજી દેસાઈને હાથે મૂકાઈ હતી. એ વખતે તેઓ કેન્દ્રીય સરકારમાં નાણાં મંત્રી હતા. એ વાતને લગભગ ૬૦ વરસ થયાં, પણ આજે ય મુંબઈના ઘણા લોકો તો આ જગ્યાને કિંગ્ઝ સર્કલ તરીકે જ ઓળખે છે. અને અત્યાર સુધી તો સેન્ટ્રલ રેલ્વેએ સ્ટેશનનું નામ બદલ્યું નહોતું. પણ હવે બદલાઈને થશે તીર્થંકર પાર્શ્વનાથ સ્ટેશન. એક કાંકરે બે પક્ષી. અંગ્રેજ રાજાનું નામ આઉટ, અને મુંબઈના જૈન મતદારો ખુશ. 

જો કે સત્તાવાર રીતે ભલે નામો બદલાય. લોકજીભે તો મોટે ભાગે જૂના નામ જ તાકી રહે છે. કોઈ ટેક્સી ડ્રાઈવરને કહી જોજો : ‘પરમ ક્રાંતિવીર વાસુદેવ બલવંત ચોક લઈ જા’ ‘એ વળી ક્યાં આવ્યો? મને તો ખબર નથી.’ ‘મેટ્રો સિનેમા પાસે.’ ‘અરે તો ધોબી તળાવ જવું છે એમ કહોને. ખાલી પીલી હેરાન શું કામ કરો છો? રસ્તાનાં કે સ્ટેશનનાં નામ બદલવાની વાતો સાંભળીને મુંબઈના નાગરિકો પણ મનમાં તો આવું જ કૈક બોલતા હોય છે : નામ બદલવાથી અમને શો લાભ? તમારાં કામ બદલો ને! 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 માર્ચ 2024 

Loading

भाजपा शासन और भारतीय प्रजातंत्र व संविधान को खतरे

राम पुनियानी|Opinion - Opinion|16 March 2024

राम पुनियानी

सत्ताधारी भाजपा के नेता इन दिनों ‘चार सौ पार’ की बात कर रहे हैं. उनका मानना है कि आने वाले आम चुनाव में भाजपा 370 से ज्यादा सीटें जीतेगी और उसके गठबंधन साथी 30 से ज्यादा. और इस प्रकार एनडीए 400पार हो जायेगा. यह संख्या किसी चुनाव विशेषज्ञ की राय या किसी वैज्ञानिक सर्वेक्षण पर आधारित नहीं है. यह प्रचार केवल राजनैतिक उद्देश्य से किया जा रहा है.

चार सौ पार की जरूरत क्यों है? इसका स्पष्टीकरण देते हुए भाजपा के कर्नाटक से सांसद और पार्टी के वरिष्ठ नेता अनंत कुमार हेगड़े ने बताया कि संविधान को बदलने के लिए पार्टी को 400 सीटों की जरूरत होगी. ‘‘कांग्रेस ने संविधान को विकृत कर दिया है. उसका मूल स्वरूप बदल दिया है. उसने संविधान में अनावश्यक चीजें (शायद उनका मतलब धर्मनिरेपक्षेता व समाजवाद से था) ठूंस दी हैं. ऐसे कानून बनाए गए हैं जो हिन्दू समुदाय का दमन करते हैं. ऐसे में अगर इस स्थिति को बदला जाना है, अगर संविधान को बदला जाना है, तो वह उतनी सीटों से संभव नहीं है जितनी अभी हमारे पास हैं.’’

भाजपा ने इस बयान से दूरी बना ली. उसने कहा कि वह अपने सांसद के वक्तव्य का अनुमोदन नहीं करती. ऐसी खबरें भी हैं कि यह बयान देने के कारण हेगड़े को पार्टी के टिकिट से भी वंचित किया जा सकता है. ऐसा होता है या नहीं यह तो समय बतलायेगा मगर एक बात पक्की है. वह यह कि भाजपा के लिए इस तरह के बयान और दावे कोई नई बात नहीं हैं. अनंत कुमार हेगड़े ने यही बात 2017 में भी कही थी जब वे भाजपा की केन्द्र सरकार में मंत्री थे. मगर फिर भी उन्हें 2019 के आम चुनाव में टिकिट दिया गया.

कांग्रेस सांसद राहुल गाँधी और कई अन्य का मानना है कि भाजपा को 400 सीटें उसी उद्देश्य के लिए चाहिए, जिसकी बात हेगड़े कर रहे हैं. राहुल गाँधी ने एक्स (पूर्व में ट्विटर) पर हिन्दी में लिखा, ‘‘भाजपा सांसद का यह बयान कि पार्टी को संविधान बदलने के लिए 400 सीटों की जरूरत होगी, दरअसल, नरेन्द्र मोदी और उनके संघ परिवार के गुप्त एजेण्डा की सार्वजनिक उद्घोषणा है. नरेन्द्र मोदी और भाजपा का अंतिम उद्देश्य बाबासाहेब के बनाए संविधान को नष्ट करना है. संघ परिवार न्याय, समानता, नागरिक अधिकार और प्रजातंत्र जैसी संकल्पनाओं से नफरत करता है.’’

कांग्रेस के पूर्व अध्यक्ष ने यह आरोप भी लगाया कि ‘‘समाज को बांटकर, अभिव्यक्ति की स्वतंत्रता पर रोकें लगाकर और स्वतंत्र संस्थाओं को पंगु कर संघ परिवार भारत के महान प्रजातंत्र को एक संकीर्ण तानाशाही में बदल देना चाहता है और एक षड़यंत्र के तहत विपक्ष को समाप्त किया जा रहा है.’’

प्रजातांत्रिक मूल्यों, जिनमें समानता का मूल्य शामिल है, को कमजोर करने के लिए भाजपा की रणनीति द्विस्तरीय है. उसका पितृसंगठन आरएसएस शुरू से ही संविधान के खिलाफ रहा है. भारत का संविधान लागू होने के बाद आरएसएस के गैर-आधिकारिक मुखपत्र ‘द आर्गनाईज़र’ ने लिखा… ‘‘हमारे संविधान में प्राचीन भारत में हुए अनूठे संवैधानिक विकास का कोई उल्लेख नहीं है. मनुस्मृति में वर्णित कानून आज की तारीख में भी दुनियाभर के लिए विशेष आदर का विषय हैं. वे लोगों को स्वभाविक रूप से उनका पालन करने और उनके अनुरूप आचरण करने के लिए प्रेरित करते हैं. लेकिन हमारे संवैधानिक पंडितों के लिए इसका कोई मतलब नहीं है.’’

भाजपा के नेतृत्व वाले एनडीए ने सन् 1998 में सत्ता में आने के बाद जो पहला काम किया वह था संविधान की समीक्षा के लिए एक आयोग की नियुक्ति. इस आयोग (वेंकटचलैया आयोग) की रिपोर्ट लागू नहीं की जा सकी क्योंकि संविधान के साथ किसी भी प्रकार की छेड़छाड़ का जबरदस्त विरोध हुआ. भाजपा अपने बल पर 2014 से सत्ता में है और तब से उसने कई बार संविधान की उद्देशिका का प्रयोग, उसमें से धर्मनिरपेक्ष व समाजवादी शब्द हटाकर किया है.

सन 2000 में आरएसएस के मुखिया बनने के बाद के. सुदर्शन ने बिना किसी लागलपेट के कहा था कि भारत का संविधान पश्चिमी मूल्यों पर आधारित है और उसके स्थान पर एक ऐसा संविधान बनाया जाना चाहिए जो भारतीय पवित्र ग्रन्थों पर आधारित हो. सुदर्शन ने कहा कि संविधान भारत के लोगों के लिए किसी काम का नहीं है क्योंकि वह गवर्नमेंट ऑफ इण्डिया एक्ट 1935 पर आधारित है. उन्होंने यह भी कहा कि हमें संविधान को पूरी तरह से बदल डालने में संकोच नहीं करना चाहिए.

अभी पिछले साल अगस्त में ‘लाईवमिंट’ में प्रकाशित अपने एक लेख में प्रधानमंत्री की आर्थिक परामर्शदात्री परिषद के मुखिया डॉ. विवेक देबराय ने भी संविधान को बदलने की जरूरत बताई थी. इस प्रकार भाजपा संगठन और सरकार के प्रमुख कर्ताधर्ता समय-समय पर संविधान को बदलने की बात करते रहते हैं और भाजपा और सरकार, आधिकारिक रूप से कहती रहती है कि वह इन विचारों का अनुमोदन नहीं करती.

इसके साथ ही अपनी सरकार के पिछले एक दशक के शासनकाल में भाजपा ने भारतीय संविधान के मूलभूत मूल्यों को क्षति पहुँचाने का हर संभव प्रयास किया है. प्रजातांत्रिक राज्य के सभी स्तम्भों और संवैधानिक संस्थाओं सहित सभी एजेन्सियों पर सरकार का नियन्त्रण है. सरकार का मतलब है एक व्यक्ति. चाहे वह ईडी हो, सीबीआई हो, आयकर विभाग या चुनाव आयोग हो – सभी एक व्यक्ति के नियंत्रण और निर्देशन में काम कर रहे हैं. जहाँ तक न्यायपालिका का प्रश्न है उसे भी अलग-अलग स्तरों पर अलग-अलग तरीकों से कमजोर कर दिया गया है. वरना आखिर क्या कारण है कि उमर खालिद के तीन साल से जेल में होने के बावजूद कोई अदालत उसकी जमानत की अर्जी पर विचार करने को तैयार नहीं है.

जहाँ तक अभिव्यक्ति की स्वतंत्रता का सवाल है वह लगभग गायब हो चुकी है. मुख्यधारा का मीडिया सरकार के प्रशंसक कार्पोरेट घरानों के नियंत्रण में है और सभी बड़े टीवी चैनल और अखबार सरकार के भोंपू बन गए हैं. स्वतंत्रता से सोचने वाले और आज़ादी से बोलने वालों के लिए बहुत कम जगह बची है और यह तब जब हम सब जानते हैं कि बोलने की आज़ादी प्रजातांत्रिक समाज का प्रमुख स्तम्भ है.

अनेक अंतर्राष्ट्रीय सूचकांकों के अनुसार भारत में धार्मिक स्वतंत्रता कमज़ोर होती जा रही है. अमरीका के धार्मिक स्वतंत्रता वॉचडॉग के अनुसार भारत ‘‘विशेष चिंता’’ का विषय है. वी-डेम के अनुसार प्रजातंत्र के सूचकांक पर भारत का नंबर 104 है और वह नाईजर और आईवरी कोस्ट के बीच है. यह गिरावट पिछले दस सालों में ही आई है. सरकार अपनी एजेंसियों और अपने निर्णयों के जरिये प्रजातांत्रिक स्वतंत्रताओं का गला घोंट रही है.

बहुत समय नहीं हुआ जब लालकृष्ण आडवाणी ने कहा था कि भारत में अघोषित आपातकाल लागू है. देश में हिन्दू राष्ट्रवाद के लड़ाके हर तरह की आज़ादी को कुचल रहे हैं. सरकारी तंत्र भी यही कर रहा है. सरकार दर्शकदीर्घा में है और इन तत्वों को उसका साफ संदेश है कि वे अल्पसंख्यकों और समाज के कमजोर वर्गों के प्रजातांत्रिक अधिकारों का खुल्लम-खुल्ला उल्लंघन कर सकते हैं और उनका कुछ नहीं बिगड़ेगा.

अगर हम अपने आसपास देखें तो पायेंगे कि हर धार्मिक राष्ट्रवादी संस्था को प्रजातांत्रिक स्वतंत्रताओं से एलर्जी होती है. वे सभी संविधान को बदलना चाहते हैं और उनके कार्यकर्ता ज़मीनी स्तर पर बाँटने और दमन करने वाली राजनीति करते हैं. पाकिस्तान और श्रीलंका में यही होता आया है. अब भारत भी प्रजातंत्र को कुचलने वाले देशों के इस क्लब में शामिल होने की कोशिश में है. भाजपा की रणनीति साफ है-एक ओर संविधान को बदलने की बात करो और दूसरी तरफ जो संविधान अभी है उसे कमज़ोर और निष्प्रभावी कर दो.

13/03/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...627628629630...640650660...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved