Opinion Magazine
Number of visits: 9665238
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Should Government Employees be allowed to Join RSS?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|29 July 2024

Ram Puniyani

RSS is the biggest organization in the World. It aims at working for Hindu Rashtra and also claims that it is a Cultural Organization. It is as such striving for Nationalism (Hindu)’ contrary to the one underlined in our Constitution, Indian Nationalism. It regards Hindus as a Nation and so it has set its goal. Times and over again one or the other top leader of BJP voices the demand for scrapping the Indian Constitution and proclaiming that we should become a Hindu Rashtra. RSS Sarsanghchalak K. Sudarshan himself had stated this when became chief of RSS in 2000. Prior to 2024 elections BJP President J.P. Nadda stated that now BJP is more capable and does not need RSS support for its electoral campaign which was the norm in previous elections. What does the pledge and prayer of RSS tell about its goal?

Its role in shaping BJP, its political progeny, can easily be discerned from the writings and actions of RSS. One recalls that it was Shyama Prasad Mukherjee of Hindu Mahasabha, who collaborated with RSS to float the previous avatar of BJP, Bhartiya Jansangh. The then RSS chief M.S. Golwalkar,(Guruji) regarded as the major ideologue of RSS; time and again outlined the role of RSS trained Swayamsaevaks and Pracharaks, while being in Jana Sangh or BJP.

Golwalkar writes “For instance some of our friends were told to go and work for politics that does not mean that they have great interest or inspiration for it. They don’t die for politics like fish without water. If they are told to withdraw from politics, then also there is no objection. Their discretion is just not required.” (Golwalkar, MS, Shri Guruji Samagar Darshan (collected works of Golwalkar in Hindi, Bhartiya Vichar Sadhna, Nagpur, vol. 3, p. 33) tells us clearly that Jansangh or BJP was supposed to follow the instructions of RSS.

Further Guruji says, “We know this also that some of our Swayamsevaks [cadres] work in politics. There they have to organize according to the needs of work: public meetings, processions etc., have to raise slogans. (Same as above Vol 4, page 4-5)

RSS nurtured and trained its swayamsevaks on these lines and later floated many organizations. Nathuram Godse the killer of Mahatma Gandhi was also a trained pracharak of RSS. RSS at that time did not keep any records of membership so it could wash its hands off from this murder. Nathuram Godse’s family believes that the assassin, a staunch member of the RSS was neither expelled from the sangh nor did he ever leave the organization.

Shamsul Islam, eminent scholar of Hindu Nationalism, points out, “The central publication house of the RSS, the Suruchi Prakashan, Jhandewalan, New Delhi, published, Param Vaibhav Ke Path Par (1997) which gave details of more than 40 organizations created by the RSS for different tasks. The BJP as a political organization figures prominently in it at number 3, with the ABVP, Hindu Jagaran Manch, Vishva Hindu Parishad, Swadeshi Jagaran Manch and Sanskar Bharti etc.)

Similarly the prayer and pledge of RSS make it clear that they make its followers commit to Hindu nation. Its Prathana (Prayer) says “You/O God almighty, we the integral part of the Hindu Rashtra salute you in reverence/For Your cause have we girded up our loins/Give us Your Blessings for its accomplishment.”  (RSS, Shakha Darshika, Gyan Ganga, Jaipur, 1997, p.1) The pledge is also equally forthright in this “I become a member of the RSS in order to achieve all round greatness of Bharatvarsha by fostering the growth of my sacred Hindu religion, Hindu society, and Hindu culture. (page 66 above)

The masquerading of RSS as a cultural organization does help it to expand by appealing to the emotions of many. Major leaders of the freedom struggle were very clear about the nature of RSS. “A member of Gandhi’s entourage had praised the efficiency, discipline, courage and capacity for hard work shown by RSS cadres at Wagah, a major transit camp for Punjab refugees. Gandhi quipped back, ‘but don’t forget, even so had Hitler’s Nazis and Fascists under Mussolini’, Gandhi characterized RSS as a communal body with a totalitarian outlook’ (Pyarelal, Mahatma Gandhi: The Last Phase, Ahmedabad, page 440)

Nehru did regard RSS as having traits of fascism. Dr. Rajendra Prasad, the first President of India, had stated that “The RSS is strictly secret as regards its organization. It has consequently developed along fascist lines and is definitely a potential menace to public peace. (Dr. Rajendra Prasad to Sardar Vallabh Bhai Patel, 12 December 1948)

Sardar Patel  wrote “As regards the RSS and the Hindu Mahasabha, the case relating to Gandhiji’s murder… about the participation of the two organizations, but our reports do confirm that, as a result of the activities of these two bodies, particularly the former, an atmosphere was created in the country in which such a ghastly tragedy became possible… The activities of the RSS constituted a clear threat to the existence of the Government and the State. Our reports show that those activities, despite the ban, have not died down. Indeed, as time has marched on, the RSS circles are becoming more defiant and are indulging in their subversive activities in an increasing measure. ”

[Letter 64 cited in Sardar Patel: Select Correspondence19450-1950, vol. 2, Navjivan Publishing House, Ahmadabad, 1977, pp. 276-277.]

We also recall that RSS has been banned thrice, and wriggled out of those bans by wearing the façade of Culture. As we know the ban on Government servants taking part in politics is to ensure that our bureaucracy remains committed to the values of the constitution and not be politically partisan. This ban on Government servants participating in RSS activities has been there for over 50 years. It is the third time that this was done.

In between Janata Party and Atal Bihari Vajpayee were also at the helm of political affairs but this ban was not lifted. Mr. Modi has been in power for the last 10+ years. Why is he taking this decision now? Is it after RSS chief Mohan Bhagwat has been making oblique criticism of the supreme leader? There is a need for cultural activists and social scientists to assess the contribution of RSS to Indian culture. This mask of RSS being a cultural organization needs to be undone and its political agenda grasped for protection of Indian Constitution and democracy. As such it seems that it is a Supra-political outfit.

Loading

દક્ષા મડિયા

અમિતાભ મડિયા|Profile|29 July 2024

દક્ષા મડિયા
(23 જુલાઈ 1932 – 25 મે 2024)

દક્ષાબહેનનાં દાદી મહાલક્ષ્મીબહેને અમદાવાદમાં મહિલામંડળની સ્થાપનાની પહેલ કરીને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા પ્રયત્નો કર્યા હતા. આ મંડળમાં ૧૯૨૮માં જવાહરલાલ નહેરુ મહેમાન તરીકે પધાર્યા હતા. દક્ષાબહેનના પિતા દેવપ્રસાદ મહેતા વકીલ હતા અને નાની ઉંમરે તેમનું અવસાન થયું ત્યારે દક્ષાબહેન માતા લીલાવતીબહેનની કૂખમાં ગર્ભરૂપે હતાં, સાલ હતી ૧૯૩૨. મહાલક્ષ્મીબહેને વિધવા પુત્રવધૂ લીલાવતીબહેનને ક્રૂર હિંદુ ક્રિયાકાંડોમાંથી બચાવી લીધાં; વાળ ઉતરાવવા, ચૂડલા ભાંગવા, કાળો સાડલો પહેરવો, ખૂણો પાળવો આદિ અનિષ્ટોમાંથી ઉગારી લીધાં. મહાલક્ષ્મીબહેનની આર્થિક સ્થિતિ પૈસેટકે ઘણી સુખી હતી. દક્ષાબહેનનો ઉછેર બે મોટી બહેનો જ્યોતિર્બાળા (બચુબહેન) અને ઉષાબહેન સાથે ભર્યાભાદર્યા બહોળા સંયુક્ત કુટુંબમાં થયો, જ્યાં અનેક પિતરાઈ ભાઈબહેનો હતાં. તેમાં દક્ષાબહેનનાં ભાનુફોઈબાનાં સંતાનો પ્રેમિલાબહેન, પ્રબોધચંદ્ર અને જ્યોત્સ્નાબહેન પણ ખરાં. જ્યોત્સ્નાબહેન આગળ જતાં ઉમાશંકર જોશીને પરણ્યાં. આમ, આ ત્રણે જણાનો ઉછેર મોસાળમાં એટલે કે દક્ષાબહેનનાં દાદીને ત્યાં થયો હતો.

દક્ષાબહેનનો શાલેય અભ્યાસ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાંથી પૂરો થયો. દક્ષાબહેનને ગાયનનો ખાસ શોખ હતો. રસિકલાલ છોટાલાલ પરીખ લિખિત નાટક ‘મેનાં ગુર્જરી’ની ભજવણી એકસોથી પણ વધુ વાર થઈ, જેમાંની એક ભજવણી વડા પ્રધાન નહેરુની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં થઈ. આ તમામ ભજવણીઓમાં અભિનેત્રીને પાર્શ્વકંઠ આપનાર પડદા પાછળનાં ગાયિકા દક્ષાબહેન હતાં. જો કે, ગાયન માટે શાસ્ત્રીય તાલીમ તેમણે કદી લીધી નહોતી.

લગ્ન થતાં પહેલાં હાઈસ્કૂલ–કૉલેજનો અભ્યાસકાળ દરમિયાન નવલકથા–નવલિકાના વાચનનો શોખ કેળવેલો, ક.મા. મનુશી, ર.વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, અને ચુનીલાલ મડિયાની અનેક કૃતિઓ વાંચી હતી, અને મડિયા સાથે લગ્નનો વિચારસુધ્ધાં પ્રગટે તે પહેલાં મડિયા તેમના પ્રિય ગુજરાતી સાહિત્યકાર થઈ ચૂકેલા. ગુજરાતી અનુવાદો મારફતે શરદબાબુનું સમગ્ર કથાસાહિત્ય વાંચેલું. એકવીસ-બાવીસ વરસની ઉંમરે મોહનભાઈ પટેલની નિશ્રામાં બંગાળી ભાષા શીખીને ટાગોરને બંગાળીમાં વાંચતાં. દક્ષાબહેને મને કહેલું કે, “પ્રોફેસર નિરંજન ભગતની પણ પહેલાં હું બંગાળી શીખી ગઈ હતી.” એ વર્ષોમાં જ બનેવી ઉમાશંકર જોશીને તેમનાં બે સંશોધન પુસ્તકો ‘પુરાણોમાં ગુજરાત’ અને ‘અખો એક અધ્યયન’ની સૂચિ (ઇન્ડેક્સ) બનાવી આપી હતી. ઉમાશંકર જોશીએ મને કહેલું કે, “મારી એકમાત્ર નવલકથા ‘પારકાં જણ્યાં’ને તારાં મમ્મી અને માશીઓ સિવાય બીજા કોઈએ એપ્રિસિયેટ કરી નથી!”

તમન્ના હતી ડૉક્ટર બનવાની, પરંતુ મેટ્રિક પરીક્ષામાં માર્ક્સ ઓછા પડવાથી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો નહીં. અમદાવાદની ગુજરાત કૉલેજ(મુંબઈ યુનિવર્સિટી)માંથી કેમિસ્ટ્રી-બૉટની સાથે બી.એસસી.નો અભ્યાસ પૂરો કર્યો. એ પછી અમદાવાદની માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન મોહનભાઈ પટેલ હેઠળ મદદનીશ લાઇબ્રેરિયન તરીકે ત્રણચાર વર્ષ (લગ્ન થયાં ત્યાં સુધી) કામ કર્યું. આ દરમિયાન ઉમાશંકર જોશીને ઘરે ચુનીલાલ મડિયા સાથે પરિચય થયો અને અંતે પરસ્પર સંમતિથી લગ્ન નક્કી થયાં. લગ્ન વેળા દક્ષાબહેનની ઉંમર ચોવીસ વર્ષ અને મડિયાની ઉંમર ચોત્રીસ વર્ષ હતી.

દક્ષાબહેન

લગ્નની તારીખ લીલાવતીબહેને નક્કી કરી હતી. અમદાવાદ ખાતે પિયરમાં માતા લીલાબહેનને ઘેર(એલિસબ્રિજની શાંતિસદન સોસાયટી)માં લગ્ન લેવાયાં. એ વેળા પજુસણ ચાલતા હોવાથી મડિયાના જૈન પરિવારમાંથી કોઈ પધાર્યું નહીં (મડિયાનાં માતાપિતા ઘણા સમય અગાઉ અવસાન પામ્યાં હતાં). વરપક્ષના આગેવાન બન્યા ઉમાશંકર જોશી. એમની આગેવાનીમાં એમના નિવાસસ્થાન ચોક્સી નિવાસ ખાતેથી જાન નીકળી. જાનૈયા હતા સ્નેહરશ્મિ, રસિકલાલ છોટાલાલ પરીખ, જયંતિ દલાલ, નિરંજન ભગત, પન્નાલાલ પટેલ, પુષ્કર ચંદરવાકર, પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર આદિ સાહિત્યકારો અને ઉમાશંકરના નાના ભાઈ દેવેન્દ્રભાઈ. લગ્નની ફોટોગ્રાફી ઉમાશંકર જોશીએ કરી, અદ્યતન જર્મન કેમેરા લાઈકાથી.

મુંબઈમાં લગ્નજીવનમાં બાર વર્ષ વીત્યાં. પહેલાં મલબાર હીલ ખાતે ગવર્નરના બંગલાની બાજુમાં એક મકાન ભાડે રાખ્યું હતું. બે વર્ષ પછી એ જ લત્તામાં વીલ્ડરનેસ રોડ પર ચંદ્રલોક ફ્લેટ ખરીદ્યો. ત્રણ સંતાનો અપૂર્વ, પૂરવી અને અમિતાભના જન્મથી પરિવાર ભર્યોભર્યો બન્યો. મડિયા જાહેર સાંસ્કૃતિક જીવનની વ્યક્તિ હોવાને કારણે દક્ષાબહેન માત્ર મુંબઈમાં રહેતાં નહીં, પરંતુ દેશવિદેશની અનેક વિરલ વિભૂતિઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યાં. ઘણીવાર ઘરમાં બહારગામથી આવેલા મહેમાનો ઉતારો કરે. દક્ષાબહેને તેમને સાઉન્ડ ઑફ મ્યૂઝિક, માય ફેર લેડી અને તીસરી કસમ જેવી ફિલ્મો બતાવવા સિનેમા થિયેટરમાં લઈ જાય. મડિયાના સામયિક ‘રુચિ’ની ક્લેરિકલ જવાબદારી દક્ષાબહેન નિભાવતાં.

ઉમાશંકર જોશી મડિયાને ‘મડિયા ધ મધર’ કહેતા, પણ એ જવાબદારી દક્ષાબહેનને હિસ્સે પણ આવી હતી. ગુલાબદાસ બ્રોકર ઘર બહારનું ખાણું ખાતા નહીં, તેથી મેળાવડામાં બ્રોકર માટેની ભોજનવ્યવસ્થા કરવા માટે દક્ષાબહેન ઘરે રાંધેલું ટિફિન મડિયા સાથે મોકલતા. ચંદ્રલોકમાં ઘરકામમાં મદદ માટે એક બહેન ગંગાબહેન રાખેલાં. મુંબઈ છોડ્યા પછી પણ ગંગાબહેન સાથેનો ઘરોબો ગંગાબહેનના અવસાન સુધી રહ્યો.

૧૯૬૮ના અંતમાં મડિયાના છેતાળીસ વર્ષની ઉંમરે થયેલા અકાળ અવસાન પછી ૧૯૬૯માં બાળકો સાથે અમદાવાદ જઈ માતા લીલાબહેન સાથે વસવાટ શરૂ કર્યો. મુંબઈની ન્યૂ એરા સ્કૂલમાં ભણતાં ત્રણે બાળકો અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહારમાં ગોઠવાયાં. અહીં બહેન ઉષા અને બનેવી ભાનુ ત્રિવેદી અને પિતરાઈ ભાઈ શાંતિપ્રસાદ મહેતાનું સાંન્નિધ્ય સાંપડ્યું; ઉપરાંત, ઉમાશંકર જોશીનું સાંન્નિધ્ય તો ખરું જ. ૧૯૬૯-૭૧ બે વર્ષ ‘સંદેશ’માં લીલાબહેન પટેલ સાથે ‘સ્ત્રી’ સામયિકમાં કામ કર્યું. બાળકો મોટાં થતાં જતાં હતાં અને ખર્ચા વધતા હતા, આવક ક્ષીણ થતી જતી હતી અને મોંઘવારી વધતી જતી હતી.

૧૯૭૭માં નવજીવન ટ્રસ્ટમાં જોડાયાં. શરૂઆતમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં છપાતા ગ્રંથોનું પ્રૂફરીડિંગ કરતાં. પછીથી ગાંધીજીનાં લખાણોનાં વિદેશી ભાષાઓમાં અનુવાદ, પ્રકાશન અને કૉપીરાઇટ બાબતે વિદેશી અનુવાદકો–પ્રકાશકો સાથેની વાટાઘાટનો કૉરસ્પૉન્ડન્સ દક્ષાબહેન સંભાળતાં. ૧૯૯૪માં નવજીવનમાંથી નિવૃત્ત થયાં તે પછી પણ ૨૦૦૩ સુધી દક્ષાબહેને એની ઑફિસે જઈ માનદ્દ ધોરણે સેવા કરી. એ પછી નવજીવન દક્ષાબહેનને ઘરે કામ મોકલતું, એ પ્રથા ૨૦૧૫ સુધી ચાલુ રહી. નવભારતમાં પુનર્મુદ્રિત થતાં મડિયાનાં પુસ્તકોનાં પ્રૂફ ચકાસવાનો આગ્રહ દક્ષાબહેને છેક સુધી રાખ્યો. નવજીવનમાં સુશીલા નાયરના સંગાથમાં ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઓવ્ મહાત્મા ગાંધી’ના કેટલાક ગ્રંથોનાં પ્રૂફની જવાબદારી નિભાવી. ગ્રંથ ‘પટેલ એ લાઇફ’ની એક્નૉલેજમેન્ટ નોંધમાં લેખક રાજમોહન ગાંધીએ દક્ષાબહેનનો આભાર માન્યો છે. નવજીવનમાં જોડાયાં, એ પહેલાંનાં સાતઆઠ વરસોમાં અમદાવાદ નિવાસ વેળા તોલ્સ્તોયકૃત નવલકથાઓ ‘વૉર ઍન્ડ પીસ’ અને એના ‘કેરેનીના’, બોરીસ પાસ્તરનાકકૃત નવલકથા ‘ડૉક્ટર ઝિવાગો’, તથા ચૅખોવકૃત નવલિકાઓના અંગ્રેજી અનુવાદ વાંચ્યા. નૅશનલ બુક ટ્રસ્ટ ઑવ ઇન્ડિયાને એક અસમિયા નવલકથાનો હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ કરી આપ્યો. એ વર્ષોમાં ઘર સગાંવહાલાંથી ભર્યું ભર્યું રહેતું. લગભગ દર અઠવાડિયે પ્રોફેસર નિરંજન ભગત ઘરે આવે અને ઊંચા સાદે જાહેરજીવનની અને રાજકીય ચર્ચાઓ જામે, જેમાં ઉષાબહેન, ભાનુભાઈ અને જો અમદાવાદમાં હોય તો ઉમાશંકર જોશી અને દેવેન્દ્રભાઈ પણ ભાગ લે. તેમનાં સંતાનો તથા અમે બાળકો તો ખરાં જ! દક્ષાબહેનનું પિયરનું લાડકું નામ ‘બેબી’ હતું. લગ્ન અગાઉ મડિયાએ લખેલા પ્રેમપત્રોમાં સંબોધન ‘બેબી’ને કર્યું છે. નિરંજન ભગત દક્ષાબહેનને ‘બેબીબહેન’ કહીને સંબોધતા.

એક નિવૃત્ત ન્યાયાધીશે અંગ્રેજીમાં લખેલું એક કાયદાકીય લખાણ દક્ષાબહેનને પ્રૂફરીડિંગ માટે મોકલાવેલું. વાંચીને દક્ષાબહેને એ મતલબનું સૂચન કર્યું હતું કે, જે રીતે વાક્યરચના કરી છે તેમાંથી આ પ્રકારે અર્થ નીકળે છે, જે લખાણના સમગ્ર સૂર સાથે સુસંગત નથી. એ અર્થ તમને અભિપ્રેત છે કે નહીં, તે નક્કી કરીને આ વાક્યરચના જેમની તેમ રાખશો અથવા આ પ્રમાણે બદલશો. દક્ષાબહેને કાઢેલી ક્વેરીથી ન્યાયાધીશ દંગ રહી ગયા, અને કહ્યું કે, “દક્ષાબહેને એ ક્વેરી ના કાઢી હોત તો છબરડો થાત!” દક્ષાબહેન કહેતાં કે, “પ્રૂફરીડરે લખાણ મારફતે લખનારના મનોગતમાં ઊંડા ઊતરી લખાણ બાબતે સૂચન કરવાનાં હોય. પ્રૂફરીડિંગ એટલે માત્ર જોડણી અને વાક્યરચના તપાસવી એમ નહીં, કમ્પોઝ થયેલું મેટર મૂળ મેટર સાથે સરખાવી જોવું તેમ નહીં.” દક્ષાબહેને પ્રોફેશનલ (વ્યાવસાયિક) મહિલા હતાં.

બાળપણથી નૃત્ય અને ગાયનનો શોખ. પાંચ વર્ષનાં દક્ષાબહેને કરેલું નૃત્ય ‘હું તો નાનું નટબાળ’ ઉમાશંકર જોશીને ૧૯૭૦માં પણ યાદ હતું (લેખ ‘મડિયારાજા’, ગ્રંથ ‘મડિયાનું મનોરાજ્ય’). અમદાવાદ આવીને વસ્યા પછી સમર્થેશ્વર ફ્લૅટ્સમાં તેમણે વર્ષો સુધી નવરાત્રી પર ગવડાવેલા ગરબા હજી મને યાદ છે, અફસોસ છે કે તેમનું રેકૉર્ડિંગ થઈ શક્યું નહીં. ઘરમાં ઘરકામ કરતી વેળા ગરબા કે ફિલ્મી ગીતો ગણગણતાં રહેતાં. આશા ભોંસલે તેમની પ્રિય ગાયિકા હતી. એમનો ગાવાનો શોખ અને સંગીતની સૂઝ અપૂર્વ અને પૂરવીમાં ઊતરી આવ્યાં. એ બંનેએ સી.એન. વિદ્યાવિહારમાં ભણતી વેળા શાસ્ત્રીય ગાયનની તાલીમ લીધી. પૂરવીને કુમુદિની લાખિયા હેઠળ કથ્થક નૃત્યની અને અપૂર્વને ઉમેશભાઈ ઉસ્તાદ પાસે તબલાંવાદનની તાલીમ અપાવી. મારી કલાસાધનામાં એ પ્રેરણાસ્રોત હતા. એમ ત્રણે ભાઈબહેન એમને માનાર્થે બહુવચનથી ‘મમ્મી’ સંબોધતાં.

૨૦૧૯માં પડી ગયાં અને થાપાની સર્જરી કરાવી પછી શારીરિક રીતે ક્ષીણ થતાં ગયાં. ૨૦૨૪ની 25 મેએ બાણું વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ પામ્યાં. મડિયાના અવસાન પછી પંચાવન વર્ષ જીવ્યાં.

છેલ્લી ઘડી સુધી જીવનરસ ઉત્કટ હતો, સ્મૃતિ અકબંધ હતી, દિમાગ સતેજ હતું. આ ચાર વર્ષમાં પણ સમાચારો વિગતવાર વાંચે, પોતાના રાજકીય વલણ સ્પષ્ટ કરે. ફેસબુક પર પોસ્ટ મૂકે, પ્રતિભાવ આપે. વોટ્સએપ પર રાજકીય ચર્ચાઓ કરે. છેલ્લાં પાંચ વરસમાં ચુનીલાલ મડિયાની તમામ તેર નવલકથાઓનું પુનર્વાચન કર્યું, નારાયણ ગંગોપાધ્યાય કૃત નવલકથા બંગાળી ‘ઝંઝાનિલ’નું તથા શરદબાબુની કેટલીક નવલકથાઓનું પણ. મને કહેલું, “એકૅડેમિશિયન્સ મડિયાનો મહિમા કરવા બાબતે ઊણા ઊતર્યા છે.” આ છેલ્લાં પાંચ વરસોમાં એમેઝોન પ્રાઇમ અને યુટ્યૂબ પર જૂની-નવી અનેક ફિલ્મો જોઈ. શાહરુખ અને આમીર ખાન તેમના પ્રિય અભિનેતાઓ હતા. વિદેશી ફિલ્મો પણ પસંદ હતી, ‘ઇમોર્ટલ બીલવીડ’, ‘અમાડિયસ’, ‘ઓલીવર’ – મ્યુઝિકલ, ‘હ્યુગો’. મારા સહવાસમાં રહીને દક્ષાબહેનને પણ બીથોવન અને મોત્સાર્ટ સાંભળવાનો ચસ્કો લાગ્યો હતો.

પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચાઈ, ગોરો વાન, લાંબો ચહેરો. યુવાનીમાં ઘેરા કથ્થઈ વાળ પગની પાની વળોટીને ભોંય સુધી વિસ્તરે. બંગાળી ઢબે કલકત્તી, મહેશ્વરી, ચંદેરી, અને મરાઠી સાડીઓ પહેરે. અજાણ્યા લોકો પહેલી નજરે માની નહોતા શકતા કે દક્ષાબહેન ગુજરાતી છે. માત્ર છત્રીસ વર્ષની ઉંમરે વિધવા થઈને આર્થિક વિટંબણાઓ સામે ઝઝૂમીને ત્રણ બાળસંતાનોને ઉછેર્યાં, એ સિદ્ધિનો તેમને સંતોષ હતો.

જો કે, ૨૦૨૪ના માર્ચમાં દક્ષાબહેને મને કહ્યું હતું, “મડિયાના સાન્નિધ્યમાં જો તમે ત્રણેય સંતાનો ઊછર્યાં હોત, તો તમારું વ્યક્તિત્વ કંઈક જુદું જ હોત!” ૨૦૨૨માં કહ્યું હતું, “મને ઘણી વાર વિચાર આવતો કે મડિયા જ્યાં હશે ત્યાંથી જાણી શકતા હશે કે હું ક્યાં છું? હું કઈ હાલતમાં છું? હું શું કરું છું?”

અંદરખાને આસ્થા ધરાવતાં હશે પણ ક્રિયાકાંડ અને વિધિઓમાં જરા ય માનતાં નહોતાં. ખુદ્દારી તો તેમને ગળથૂથીમાં મળી હતી. નવજીવનમાં કામ કરતાં ત્યારે એક સહકાર્યકરે તેમને પૂછેલું, “મડિયાના અવસાન પછી તમને કેટલા રૂપિયાની થેલી મળી હતી?” દક્ષાબહેને જવાબ આપેલો, “એક રૂપિયાની નહીં! ઊલટાનું, મડિયાએ પોતાને મળેલા નગદ સોનાના બે સુવર્ણ ચંદ્રકો ૧૯૬૨માં ભીડમાં મુકાયેલી ભારત સરકારને અર્પણ કર્યા હતા.”

0-0-0

સૌજન્ય : “નવનીત – સમર્પણ”; જુલાઈ 2024; પૃ. 121-126
છબિ સૌજન્ય : અમીતાભ મડિયા

Loading

શિક્ષણનો સાર્વત્રિક સર્વનાશ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 July 2024

રવીન્દ્ર પારેખ

ભારતે અનેક ક્ષેત્રે વિકાસ કર્યો હશે એની ના નથી, પણ શિક્ષણમાં તો તેનો શતમુખી વિનિપાત જ થયો છે. શિક્ષણમાં જેટલાં આડંબર, અહંકાર અને અજ્ઞાન છે એટલાં બીજા કોઈ ક્ષેત્રમાં નથી. દુ:ખદ એ છે કે આ અધ:પતનને બધાં જ શિક્ષણ મંત્રીઓ કોઈ સિદ્ધિની જેમ છાવરે છે. ભૂલો કબૂલ ન કરવાનો મંત્રીઓ જન્મસિદ્ધ અધિકાર માનતા હોય તેમ સામા આક્ષેપો કરીને રાજી રહે છે. મૂળ હેતુ એ છે કે શિક્ષણમાં કોઈ સરકારે એવો રસ દાખવવો જ નહીં કે પ્રજા શિક્ષિત થઈને સામે શિંગડાં કરે. અત્યારની સરકારોને પાળેલી પ્રજા ખપે છે. સરકાર એવો દેખાવ કરે છે કે શિક્ષણની આભા ઊભી થાય, પણ કોઈ ‘શિક્ષિત’ ન થઈ જાય એ પણ જુએ છે. પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી શિક્ષણનાં કારખાનાં ધમધમે છે, ડિગ્રી લઈને વિદ્યાર્થીઓ બહાર પડે છે, પણ તેમનું કૈં ઊપજે નહીં, એ સ્થિતિ છે. શિક્ષિત કે અશિક્ષિત વચ્ચે કોઈ અંતર ન રહે એટલો પ્રભાવ અત્યારે શિક્ષણનો છે. જતે દિવસે સર્ટિફિકેટ કરતાં કોઈ ચીંથરું વધારે ઉપયોગી થાય એમ બને.

બિહારનું સોનપુર પહેલજા ગામ ડિગ્રીની ફેક્ટરી ગણાય છે. અહીંની 100 જણાંની ટોળકી અભણ લોકોને શિક્ષિત કરી દે છે. કોઈ અભણ ગામમાં જાય તો બે હજાર રૂપિયામાં ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ લઈને પાછો ફરે છે. જુદી જુદી ડિગ્રીઓના ભાવ નક્કી થયેલા છે. કમાલ તો એ છે કે આ નકલી સર્ટિફિકેટનો કાગળ જે તે યુનિવર્સિટીનો જ હોય છે. એ સંજોગોમાં એ નક્કી કરવાનું મુશ્કેલ છે કે આનું કનેક્શન પેપર છાપનારી કંપની સાથે છે કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી સાથે? માર્કશીટ હોય કે એડમિટકાર્ડ, બધું એટલું પરફેક્ટ છે કે યુનિવર્સિટીનાં અસલી સર્ટિફિકેટ્સ નકલી લાગે, તે એ હદે કે વોટરમાર્ક પણ ચુકાયો નથી. આ હદે કામ થતાં હોય તો સવાલ થાય કે બે હજારમાં ડિગ્રી મળી જતી હોય તો યુનિવર્સિટી કે કોલેજમાં વર્ષો કાઢીને, હજારો-લાખોનું આંધણ કરવાની જરૂર ખરી? આ સર્ટિફિકેટથી નોકરી કદાચ ન મળે, પણ એ તો યુનિવર્સિટીનાં અસલ પ્રમાણપત્રથી પણ મળે જ એની ખાતરી ક્યાં છે?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ 2024ની નીટ-યુ.જી.ની પરીક્ષાનું આયોજન એવી રીતે કર્યું કે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડી ને એક તબક્કે તો નીટ રદ્દ થાય એવી સ્થિતિ આવી. દેશ આખામાંથી લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, પણ સિન્સિયર વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થાય એટલી ગરબડ આ પરીક્ષાઓમાં થઈ. પેપર ફૂટ્યાં, લાખો રૂપિયા લઈને એજન્સીઓએ પરીક્ષાના જવાબો લખાવવાની, કારણ વગર ગ્રેસ માર્કસ આપવાની એવી એવી ઘટનાઓ ઘટી કે સુપ્રીમ કોર્ટે પરીક્ષાનાં પરિણામો નવેસરથી તૈયાર કરાવીને જાહેર કરાવવાં પડ્યાં. પરિણામ એવું બદલાયું કે 720માંથી 720 માર્કસ લાવનાર 61 જણાં હતાં, તે ઘટીને 17 થઈ ગયાં. ટોપર્સમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ…ના વિદ્યાર્થીઓ છે. પૂરા માર્કસ લાવનાર ગુજરાતમાંથી 4 હતા, તેમાંનો એક પણ નવાં પરિણામોમાં ટક્યો નથી અને 4.2 લાખ વિદ્યાર્થીઓના રેન્ક બદલાયા છે. અગાઉ 67 વિદ્યાર્થીઓ પહેલે નંબરે હતા, પણ 6 વિદ્યાર્થીઓને ગ્રેસના માર્કસ અપાયા હતા, તે કપાતા, સંખ્યા 61 પર આવી, તેમાં પણ 44 વિદ્યાર્થીને ફિઝિક્સમાં ખોટા પ્રશ્નને કારણે ગ્રેસના માર્કસ અપાયા હતા, તે કપાતા આંકડો 17 પર આવી ગયો. આ પરીક્ષા 14 આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સહિત 571 શહેરના 4,750 કેન્દ્રો પર લેવાઈ હતી.

નીટ જેવી જ જાહેર પરીક્ષા યુ.પી.એસ.સી.ની થાય છે. એમાં ગેરરીતિ રોકવા નવી ટેકનિકોને કામે લગાડવાની વાત છે. ડમી ઉમેદવારને પકડવા આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એ ઉપરાંત ફેશિયલ રેકગ્નિઝન અને AI ટેકનિકથી સજ્જ કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. ટ્રેઈની IAS પૂજા ખેડકર વિવાદ અને નીટમાં થયેલી બબાલ વચ્ચે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. ઉમેદવારને બદલે કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા આપતો જણાય તો તેને રોકવા કયુ.આર. કોડથી સજ્જ એડમિટ કાર્ડ અને રિયલ ટાઈમ એટેન્ડન્સના અમલીકરણની તૈયારી છે. યુ.પી.એસ.સી. 24 પરીક્ષાઓનું આયોજન કરે છે અને આશરે 26 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપે છે. એમને આ નવી પદ્ધતિથી ચકાસવાનું કેટલું શક્ય છે એ નથી ખબર, પણ યુ.પી.એસ.સી.ના ઉમેદવારો  IAS અને IPS જેવી કક્ષાએ પહોંચવા આ પરીક્ષા આપે છે, એમને કોઈ એથિક્સ જ નહીં નડતું હોય કે આટલે પહોંચ્યા પછી ડમી ઉમેદવાર બેસાડવો પડે કે પરીક્ષામાં નકલ કરવી પડે કે અન્ય કોઈ ગેરરીતિઓ કરવી પડે? યુ.પી.એસ.સી. જેવી પરીક્ષામાં પણ નકલ થાય એ કેવું? ને નકલ થાય જ છે એમાં શંકા નથી. એટલે જ તો ઉત્તર પ્રદેશ સેવા આયોગે નકલ કરાવનારને અને નકલ કરનારને એક કરોડ રૂપિયા સુધીનો દંડ અને અથવા આજીવન કારાવાસની સજા ફરમાવવાનું નક્કી કર્યું છે. વધારે શરમજનક તો એ છે કે શુદ્ધ નિષ્ઠાથી ને પવિત્રતા જાળવીને પરીક્ષા આપનારે પણ પોતાના કોઈ વાંકગુના વગર જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.

સાચું તો એ છે કે અનેક ક્ષેત્રોમાં અનેક પ્રકારના એટલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલે છે કે દેશમાં ક્યાં ય સચ્ચાઈ અને સાત્ત્વિકતા બચી જ નથી એમ લાગે. આ પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો તો થાય છે, પણ પરિણામો ઉત્તરોત્તર વરવાં જ હાથ લાગે છે. પ્રાથમિક શિક્ષણથી જ અમુક પ્રકારની ઉપેક્ષા શરૂ થઈ જાય છે. તેમાં ગુજરાત નફ્ફટ અને નિર્લજ્જ છે. શિક્ષણનો પાયામાંથી જ સર્વનાશ કરવાના સરકારે સોગંદ ખાધાં હોય, તેમ બધી જ કરકસર શિક્ષણમાં થાય છે. સ્કૂલ છે, પણ પૂરતા વર્ગો નથી, છે તે બિસ્માર હાલતમાં છે. પૂરતા શિક્ષકો નથી અને લગભગ રોજ તુક્કાઓ પરિપત્રો રૂપે આચાર્યોને ધકેલાતા હોય છે. સરકારને રસ માત્ર ડેટા પૂરતો જ છે, કાગળ પર બધું બરાબર કરવાની કારકૂની કોશિશો ચાલતી રહે છે, પણ વર્ગશિક્ષણ શિક્ષકો વગર ખોરંભે ચડે એની જરા જેટલી પણ ચિંતા શિક્ષણ વિભાગને નથી. ઉત્સવનું ઉજવણું થાય છે, પણ શિક્ષણનું ઉઠમણું થાય એની નાનમ કોઈને નથી. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલીને નચિંત થઈ જાય છે, પણ તે સ્કૂલમાં ભણે છે કે શિક્ષક વગર અટવાતું રહે છે એની કાળજી લેવાતી નથી. 42,000 શિક્ષકોની કારમી ઘટ વચ્ચે શિક્ષક સજ્જતા તાલીમને વાંધો આવતો નથી. પ્રવેશોત્સવ ખરેખર તો વેશોત્સવ અને ગુણોત્સવ, અવગુણોત્સવ જ વધારે છે. પ્રવેશોત્સવ તો રાજકારણીઓની સ્તુતિનો જ ઉપક્રમ છે. હમણાં સક્ષમ શાળાનો વેશ ભજવાયો જેમાં આચાર્ય અને શિક્ષકને ફોર્મ ભરાવીને ઉત્તમ દેખાવ થઈ રહ્યો છે એવું ચિત્ર ઉપસાવવાનું કહેવાયું ને એ બે દિવસ દરમિયાન આચાર્ય અને શિક્ષક વગર વર્ગશિક્ષણ કેટલું સક્ષમ રહ્યું હશે તે નથી ખબર. આ આખો ઉપક્રમ જ શૈક્ષણિક ભાટાઈથી વિશેષ કૈં નથી. એમાં ઉપર સુધી રાજકીય આરતીઓ જ ઊતરે છે. ખરેખર તો ઊપરીઓ તાલીમો દ્વારા ફોટા, વીડિયો અને અહેવાલ બહાર પડાવીને સરકારનું ગુણસંકીર્તન જ કરતાં રહે છે. તમામ ક્ષેત્રે દેખાડા એ રાજરોગથી બદતર છે. પ્રાથમિક શિક્ષકોનો ઘાટ ‘સબ કી જોરુ’ જેવો છે. કોઈ તેને વસ્તી ગણતરી માટે વાપરે છે, તો કોઈ તેને રસી માટે મોકલે છે. કોઈ પરિપત્રોના જવાબ લખવા આગ્રહ કરે છે, તો કોઈ બે-ચાર વર્ગ સાથે કરાવીને ભણાવવાનું કહે છે. એમાં વાંચન, ગણન, લેખનનું ખરેખર કેટલું કામ થાય છે તે પ્રશ્ન જ છે. સહ અભ્યાસ પ્રવૃત્તિઓ જરૂરી છે, પણ તેનો અતિરેક તે શિક્ષણ નથી એ દરેક રાજકીય અધિકારીઓએ સમજી લેવાનું રહે.

આમાં સરકારની ભૂમિકા નફો કરતા વેપારીની છે. ગમ્મત તો એ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરતાં પહેલાં સરકાર શિક્ષકો પર કાપ મૂકવાનું વિચારે છે. એક બાજુ તે 24,700 શિક્ષકોની કાયમી ભરતીની વાત કરે છે, પણ તેની જાહેરાત આપવા પહેલાં, તે જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરે છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વસ્તીનો દર ઘટી રહ્યો છે, એ સ્થિતિમાં આવતાં પંદર વર્ષમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં શિક્ષકોની જરૂર ખાસી ઘટી જશે. સરકારને એમ હશે કે આવનારાં વર્ષોમાં વિદ્યાર્થીઓ પણ નહીં રહે એ સ્થિતિમાં કાયમી નિમણૂક કરીને જાત પર બોજ શું કામ વધારવો? વળી લોકો ખાનગી સ્કૂલો તરફ વળી રહ્યા છે, એ સ્થિતિમાં સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તો 35 વર્ષ માટે તેઓને એમ જ પાળવા-પોષવાના થાય. એવું કરવું કે કેમ એ તેની મૂંઝવણ છે. સરકાર, સરકારી સ્કૂલો બંધ કરવાની ફિરાકમાં છે, એ સાથે જ જ્ઞાન સહાયકો સસ્તા પડે ને કોન્ટ્રાક્ટ પર હોય અને તે રિન્યૂ થાય એટલે પણ વફાદારીથી કામ કરે. આમ તો જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો નથી, એટલે એમનું પરફોર્મન્સ કેવું છે ને એમને લીધે શિક્ષણ ખરેખર કેટલું પ્રભાવી થયું છે એ કહેવું વહેલું છે, પણ સરકારનું વિશફૂલ થિંકિંગ એવું છે કે 35 વર્ષ તો તે જ સત્તા પર રહેવાની છે ને એની ચોખ્ખી દાનત કાયમી શિક્ષકોને પગાર અને નિવૃત્તિનાં લાભો આપવાની નથી જ, એટલે કાયમી નિમણૂકનું કહ્યું છે ખરું, પણ તે કાયમી શિક્ષકો રાખશે જ ને રાખશે તો તે વાયદો પાળશે જ એની ખાતરી નથી. એની સામે સરકારના મંત્રીઓ, અધિકારીઓમાંથી કેટલા પેન્શન લેવાના છે તેની પ્રમાણિક જાહેરાત થવી જોઈએ. એવું તો નથી ને કે પોતે પેન્શન લેવું છે ને શિક્ષકોને જ આપવું નથી? સરકારમાં કામ કરતાં કર્મચારીઓ, અધિકારીઓ, જ્ઞાન સહાયક કર્મચારીઓ કે જ્ઞાન સહાયક અધિકારીઓ નથી, તો શિક્ષકો જ જ્ઞાન સહાયક કેમ તેનો ખુલાસો સરકારે કરવો જોઈએ. આ બધું પ્રજાના અઢળક ટેક્સમાંથી થાય છે ને છતાં સરકાર નફાના દાખલા ગણે છે એ બેશરમીનો નાદાર નમૂનો છે.

ખબર નથી, પરીક્ષાઓ પાસ કરીને, કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો ક્યાં સુધી છેતરાશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જુલાઈ 2024

Loading

...102030...616617618619...630640650...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved