Opinion Magazine
Number of visits: 9457231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

क्या मुसलमानों की आबादी हिन्दुओं के लिए खतरा है?

राम पुनियानी|Opinion - Opinion|18 May 2024

राम पुनियानी

चुनावी मौसम जैसे-जैसे समाप्ति की ओर बढ़ रहा है, वैसे-वैसे समाज को बांटने वाला प्रचार भी अपने चरम पर पहुँच रहा है. भाजपा के मुख्य प्रचारक स्वयं प्रधानमंत्री मोदी है. इस चुनाव में उनका पूरा नैरेटिव इस झूठ के  आसपास बुना गया है कि अगर इंडिया गठबंधन सत्ता में आया तो वह सारी सुविधाएं और लाभ केवल मुसलमानों को देगा. हर चीज़ पर मुसलमानों का पहला हक होगा और संविधान में इस तरह के बदलाव किये जाएंगे जिससे हिन्दू इस देश के दूसरे दर्जे के नागरिक बन जाएंगे. मोदीजी हमें जॉर्ज ऑरवेल के उपन्यास “नाइनटीन एट्टी-फोर”  की याद दिलाता है, जिसमें सच को सिर के बल खड़ा कर दिया जाता है. हिन्दुओं में यह डर पैदा किया जा रहा है कि देश में मुसलमान सारे विशेषाधिकार हासिल कर लेंगे.

हाल में प्रधानमंत्री की आर्थिक परामर्शदात्री परिषद ने इसी प्रचार अभियान के अंतर्गत एक रिपोर्ट जारी की, जिसमें यह बताया गया है कि 1950 से लेकर 2015 के बीच हिन्दुओं की आबादी में करीब 8 प्रतिशत की कमी आई, वहीं मुसलमानों की आबादी में 43 प्रतिशत की वृद्धि हुई. रिपोर्ट के अनुसार, 1950 में हिन्दू, कुल आबादी का 84 प्रतिशत थे, जो 2015 में घट कर 78 प्रतिशत रह गए. इसी अवधि में, मुसलमानों, ईसाईयों, बौद्धों और सिक्खों की आबादी में बढ़ोत्तरी हुई जबकि जैनियों और पारसियों का प्रतिशत घटा.

प्रधानमंत्री की आर्थिक परामर्शदात्री परिषद क्या है? इसका गठन 2017 में हुआ था और इसका काम है आर्थिक मसलों पर शोध कर प्रधानमंत्री को सलाह देना. इसके ‘शोध’ का एक नमूना कुछ साल पहले सामने आया था जब उसके मुखिया बिबेक डेबरॉय ने परिषद् के एक अध्ययन का हवाला देते हुए बतया था कि “लिखित संविधानों की औसत उम्र केवल 17 साल होती है.” उन्होंने भारत के वर्तमान संविधान को “औपनिवेशिक विरासत” बताते हुए कहा था कि “भारत का वर्तमान संविधान मुख्यतः गवर्नमेंट ऑफ़ इंडिया एक्ट 1935 पर आधारित है और इस अर्थ में वह भी एक औपनिवेशिक विरासत है.”

और अब चुनाव के अधबीच यह विचित्र अध्ययन जारी किया गया है. यह मुसलमानों के खिलाफ दुष्प्रचार को बढ़ावा देने वाला है और “हिन्दू खतरे में हैं” के नारे को भी, जो पिछले कई दशकों से बुलंद किया जा रहा है. जिन तीन शोधकर्ताओं ने इस रिपोर्ट को तैयार किया है, उन्होंने आंकड़ों के विश्लेषण के सभी मानकों का उल्लंघन किया है. पहली बात तो यह कि जनसांख्यिकीय अध्ययन, जनगणना पर आधारित होते हैं. मगर यह अध्ययन एक संस्था एसोसिएशन ऑफ रिलीजियस डाटा आर्काइव (एआरडीए) द्वारा 23 लाख लोगों के सर्वेक्षण पर आधारित है. तेईस लाख हमारी कुल आबादी का बहुत छोटा सा हिस्सा है. जनगणना के  आंकडें आधिक विश्वसनीय और समग्र होते हैं और आबादी में वृद्धि के विभिन्न पहलुओं को सामने लाते हैं. यह तो सत्ताधारी दल को ही पता है कि सन 2021 की जनगणना क्यों नहीं की गई. इन शोधकर्ताओं ने एक अनजान संस्था के सर्वेक्षण के आंकड़ों का उपयोग किया है, कही अधिक विश्वसनीय जनगणना के आंकड़ों का नहीं.

फिर,यह अध्ययन 1950 के आंकड़ों की तुलना 2015 के आंकड़ों से करता है, जो अपने-आप में मनमाना है. मीडिया और सांप्रदायिक संगठन इस अध्ययन का इस्तेमाल समाज को बांटने वाले प्रचार को और मजबूती देने के लिए कर रहे हैं. यह अध्ययन इस सामान्य सामाजिक समझ को बढ़ावा देता है कि मुसलमान ज्यादा बच्चे पैदा करते हैं.

इस दुष्प्रचार को हवा देने में हमारे प्रधानमन्त्री की महत्वपूर्ण भूमिका रही है. वे जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने दंगे पीड़ित मुसलमानों के शरणार्थी शिविरों को बच्चे पैदा वाले कारखाने बताया था. उन्होंने इन शिविरों को बंद कर दिया था. अब वे जोर-जोर से कह रहे हैं कि कांग्रेस हिन्दुओं से मंगलसूत्र और भैंसे छीन लेगी और उन्हें उन लोगों को दे देगी जो ज्यादा बच्चे पैदा करते है.

सच क्या है? कौनसा समुदाय कितने बच्चे पैदा करता है, इसे मापने का सबसे अच्छा तरीका है टोटल फर्टिलिटी रेट या टीएफआर जिसे हिंदी में कुल प्रजनन दर कहते हैं. राष्ट्रीय स्वास्थ्य सर्वेक्षण के अनुसार लगभग सभी समुदायों में कुल प्रजनन दर घट रही है. सन 1992-93 में यह हिन्दुओं के मामले में 3.3 और मुसलामानों के मामले में 4.41 थी. 2019-2021 में यह हिन्दुओं के मामले में 1.94 और मुसलमानों के मामले में 2.36 थी. इस प्रकार, इस अवधि में हिन्दुओं की प्रजनन दर में 41.22 प्रतिशत की कमी आई और मुसलमानों की प्रजनन दर में 46.49 प्रतिशत की. साफ़ तौर पर, हिन्दुओं  की तुलना में मुसलमानों की प्रजनन दर में अधिक गिरावट आई है. इससे यह पता चलता है कि अगर मुसलमानों की प्रजनन दर में गिरावट जारी रही तो वह जल्दी की हिन्दुओं की प्रजनन दर के करीब हो जाएगी.

एक मुद्दा यह भी है कि क्या प्रजनन दर का संबंध धर्म से है या अन्य कारक उसे प्रभावित करते हैं. सांप्रदायिक राष्ट्रवादी दिन-रात यह कहते रहते हैं कि मुसलमान जानबूझकर अपनी आबादी बढ़ा रहे हैं ताकि वे भारत में बहुसंख्यक बन जाएँ और देश को गजवा-ए-हिंद घोषित कर सकें.

यह एक बहुत बड़ा झूठ है कि अगर हमारी आबादी इसी तरह बढ़ती रही तो हिन्दू देश में अल्पसंख्यक बन जाएंगे. पहली बात तो यह है कि किसी परिवार में कितने बच्चे होंगे, यह मुख्यतः दो कारकों से निर्धारित होता है. पहला है परिवार की गरीबी का स्तर और दूसरा, सम्बंधित समुदाय, और विशेषकर उसकी महिलाओं, का शिक्षा का स्तर. अगर हम केरल, कश्मीर और कर्नाटक में मुस्लिम महिलाओं के टीएफआर की तुलना बिहार, राजस्थान और मध्यप्रदेश की हिन्दू महिलाओं के टीएफआर से करें तो यह साफ़ हो जायेगा कि हिन्दुओं का टीएफआर, मुसलमानों से अधिक है.

शाश्वता घोष द्वारा किये गए एक अध्ययन के अनुसार, “जनगणना 2011 एवं जनगणना 2001 में हिन्दुओं और मुसलमानों के राज्य-स्तर पर प्रजनन दर में अंतर से यह स्पष्ट हो जाता है कि हिन्दुओं और मुसलमानों की प्रजनन दरें एक-दूसरे के नज़दीक आ रही हैं. हाँ, इसमें क्षेत्रीय विभिन्नताएं हैं क्योंकि विभिन्न राज्यों और क्षेत्रों के धार्मिक समुदाय सोच में बदलाव के अलग-अलग स्तरों पर हैं.”

एसवाई कुरैशी की पुस्तक “द पापुलेशन मिथ: इस्लाम, फैमिली प्लानिंग एंड पॉलिटिक्स इन इंडिया” इस मसले पर प्रकाश डालती है. पुस्तक के अनुसार, भारत के 29 में से 24 राज्यों में टीएफआर 2.179 के नज़दीक आ रही है. अगर यह 2.1 पर आ जाए तो आबादी स्थिर हो जाएगी.

यह अनुमान है कि मुस्लिम आबादी, जो 2011 की जनगणना के अनुसार, कुल जनसँख्या का 14.2 प्रतिशत है, सन 2050 तक कुल जनसँख्या का 18.5 प्रतिशत हो जाएगी और फिर वहीं स्थिर रहेगी. मुसलमानों की आबादी की दशकीय वृद्धि दर में भी लगातार गिरावट आ रही है.

इन विश्वनीय अध्ययनों के बाद भी, सांप्रदायिक तत्व वही राग अलाप रहे हैं. मुसलमानों का एक प्रतिनिधिमंडल  आरएसएस के सरसंघचालक मोहन भागवत से मिला था. इसमें एसवाई कुरैशी भी शामिल थे. मुलाकात के दौरान कुरैशी ने अपनी उस किताब की एक प्रति भागवत को भेंट की, जो संघ परिवार द्वारा किये जा रहे प्रचार की पोल खोलती है. मगर इसके बावजूद कुछ सप्ताह बाद, भागवत ने एक बयान जारी कर “विभिन्न समुदायों की आबादी में संतुलन कायम करने” की ज़रुरत पर जोर दिया!

16/05/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

લોકશાહીનો સૌથી મજબૂત સ્તંભ એવી જનતા ક્યારે જાગૃત થશે?

હિતેશ રાઠોડ|Opinion - Opinion|17 May 2024

આપણે ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે જનતા એટલે કે મતદારો હવે જાગૃત થઈ ચૂક્યા છે, પરંતુ આપણા મત થકી જે સરકારો ચૂંટાઈને આવે છે (અથવા કહો કે આપણે એમને ચૂંટીએ છીએ) અને ચૂંટાયા પછી એ સરકારો જે રીતે કામ કરે છે અને ચૂંટાયા પછી જે રીતે પ્રજાને પીડે છે એ જોતા સહેજે પ્રશ્ન થાય કે શું ‘જાગૃત મતદારો’એ એવી સરકારોને ચૂંટી છે જેને હૈયે પ્રજાનું હિત જરા ય નથી? જો જનતા કે મતદારો પ્રજાહિતને નજરઅંદાજ કરતી સરકારોને ચૂંટીને મોકલતા હોય તો મતદારોની જાગૃતતા પર સવાલ થઈ શકે છે. જો જાગૃત મતદારોએ સરકારને ચૂંટીને મોકલી છે તો ચૂંટણી પહેલા જનતાને પીડતા પ્રશ્નોને ભૂલી જઈ બીજી આડી-અવળી બાબતો પર જૂઠા-લોભામણા વચનો, વાયદાઓ, અને આંબા-આંબલી દેખાડી, ભ્રમિત વિધાનો અને આંકડાની માયાજાળામાં મતદારોને ફસાવી મતદારોના મત અંકે કરી લેતી સરકારો ચૂંટાયા પછી શા માટે પ્રજાના હિતમાં કામ કરતી નથી. પ્રજાનો ઉપયોગ તો ફક્ત મત મેળવવા માટે જ કરવામાં આવી રહ્યો હોય એવા દૃશ્યો ચૂંટણી પછી સામાન્ય બનતા જઈ રહ્યા છે.

તો પ્રશ્ન તો ઠેરનો ઠેર જ છે કે જનતા હજી ખરા અર્થમાં જાગૃત થઈ નથી. જો જાગૃત જનતા દ્વારા સરકારો ચૂંટાઈ આવતી હોય તો પ્રજા સરકારો અને તેમના નેતાઓથી એટલી બધી પરેશાન ના હોત. જનતા કોને ચૂંટે છે માત્ર એટલું જ મહત્ત્વનું નથી ક્યા પક્ષને ચૂંટે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. પણ લાગે છે કે પક્ષીય લોકશાહીની બાબતમાં જનતા હજી જાગૃત નથી. જનતા લોકશાહી અને પક્ષીય લોકશાહી વચ્ચેનો ભેદ સમજતી નથી. રાજકીય પક્ષો શું કરે છે, તેઓ તેમના પક્ષની અંદર લોકશાહીનાં મૂલ્યોને કેટલું માન આપે છે, તેમના ઉદ્દેશો શું છે, તેમની દેખીતી અને ગર્ભિત પ્રવૃત્તિઓ શું છે, કેવા અને ક્યા લોકો તેની અંદર સભ્યો છે, સત્તા મેળવવા પાછળના તેમના દેખીતા અને ગુપ્ત હેતુઓ શું છે, ખરેખર તેઓ કોના હિત માટે કામ કરે છે, તેમના નાણાંકીય સ્રોત શું છે વગેરે જેવી મહત્ત્વપૂર્ણ બાબતોથી જનતા સાવ અજાણ છે અથવા તો ઈરાદાપૂર્વક જનતાને અજાણ રાખવામાં આવતી હોય છે, અન્યથા રાજકીય પક્ષોને અમુક મહત્ત્વપૂર્ણ કાયદાઓ ઈરાદાપૂર્વક લાગુ ન પડવા દેવા માટે કોઈ કારણ હોઈ શકે નહીં.

આવું એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને પ્રજા પક્ષીય નેતાઓના જૂઠા વચનો અને વાયદાઓ પર આસાનીથી વિશ્વાસ મૂકી ચૂંટણીમાં એમને મત આપે. ભારતના રાજકીય પક્ષોના બંધારણ, સભ્યો, ઉદ્દેશો અને કામગીરી વિશે કેટલા લોકો જાણે છે એ એક બહુ મોટો પ્રશ્ન છે. મતદારોને ફ્કત ઉમેદવાર વિશે જ નહિ, પરંતુ ઉમેદવાર જે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે એ પક્ષ વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવવાનો અધિકાર હોવો જોઈએ.

દેખીતી રીતે જાગૃત જણાતી જનતાએ હજી બીજી ઘણી બધી બાબતોમાં જાગૃત થવાનું બાકી છે. સામૂહિક હિતની વાત આવે ત્યારે જનતામાં હજી જોઈએ એટલી જાગૃતિ દેખાતી નથી. પાયાની બાબતો પ્રત્યે મતદારોમાં વ્યાપક જાગરૂકતા અને રાજનીતિક પરિપકવતા હજી પણ ચિંતાનો વિષય છે. મતદારો માત્ર પોતાના વ્યક્તિગત હિતો કે સંકુચિત સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ મત આપતા હોય છે જેનો પૂરેપૂરો ફાયદો રાજકીય પક્ષો ઉઠાવતા હોય છે. મત મત આપતી વખતે જનતા આગળ-પાછળનો બહુ વિચાર કરતી નથી. મોટા ભાગે તો ક્ષણિક ઉન્માદમાં આવી જઈ લોભામણા કે જુઠ્ઠા વચનો અને વાયદાઓની ભરમાર તથા ટૂંકા-ગાળાના ક્ષુલ્લક ફાયદાને ધ્યાનમાં રાખી કોઈ એક પક્ષના ઉમેદવારનું બટન દબાવવાનું જનતાનું વલણ રહેતું હોય છે. વળી, સત્તાધીશોની મહેરબાનીથી જનતા પાસે સારી વ્યક્તિને ચૂંટી કાઢવા માટેના વિકલ્પો પણ બહુ મર્યાદિત હોય છે. ચૂંટણીમાં ઊભા રહેતા મોટા ભાગના ઉમેદવારો જ્યારે મેલી મથરાવટી ધરાવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ઓછી ખરાબ વ્યક્તિને ચૂંટવા સિવાય જનતા પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જો કે આવી પરિસ્થિતિ ઊભી થવા માટે પણ છેવટે તો જનતા જ જવાબદાર છે. રાજકીય પક્ષો શું કરે છે, તેમના ઉદ્દેશો શું છે, તેમની દેખીતી અને ગર્ભિત પ્રવૃત્તિઓ શું છે, કેવા અને ક્યા લોકો તેના સભ્યો છે, સત્તા મેળવવા પાછળના તેમના ગુપ્ત હેતુઓ શું છે, ખરેખર તેઓ કોના હિત માટે કામ કરે છે વગેરે જેવી બાબતોથી જનતા સહેજે ય જાગૃત નથી.

મતદારોએ હવે એ વિચારવું જોઈએ કે મતો મેળવી લીધા પછી શા માટે આમ જનતાના હિતમાં ન હોય એવા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે છે, મત લઈ લીધા પછી શા માટે આમ જનતાના ખિસ્સા ખાલી થાય (અને નેતાઓના ખિસ્સા ભરાય) એવા નીતિ-નિયમો અને કાયદાઓ સરકાર દ્વારા ઘડવામાં આવે છે (કોના લાભ માટે), શા માટે ચૂંટણી પહેલા ભાવમાં નજીવો ઘટાડો અને ચૂંટણી પરિણામો પછી તરત જ ભાવોમાં ધરખમ વધારો થવા લાગે છે (કોના લાભ માટે?), ચૂંટાઈને આવતા નેતાઓના પોતાના વ્યક્તિગત લાભની વાત હોય ત્યારે રાતોરાત બધું પાસ થઈ જાય છે અને પ્રજા-હિતની કે પ્રજાને લાભ આપવાની વાત હોય ત્યારે શા માટે વર્ષોનાં વર્ષો લાગે છે, ચૂંટણી ટાણે આપેલ વચનો કેટલા પાળી બતાવ્યા, આ બધી એવી બાબતો છે જેના વિશે જનતા ક્યારે ય વિચારતી જ નથી, જેનો ભરપૂર ફાયદો ચૂંટાઈને આવતા નેતાઓ લેતા હોય છે. માત્ર નજીવો વ્યક્તિગત ફાયદો લઈને ખોટા ઉમેદવારને મત આપી દેતી જનતા પછીનાં પાંચ વર્ષ બાપડી-બિચારી બની જતી હોય છે અને જાણે-અજાને બીજાઓનું પણ અહિત કરતી હોય છે. નેતાઓ અને રાજકીય પક્ષોના પાપે અને અણઆવડતને લીધે પ્રજાએ શા માટે ભોગવવું જોઈએ એવો વિચાર જનતાને ક્યારે ય આવતો નથી.

મત આપતી વખતે ઉપરમાંથી એકેય બાબતનો જનતા ભાગ્યે જ વિચાર કરતી હોય છે. પરિણામે એવા ઉમેદવારો ચૂંટાઈ આવે છે જેઓ ચૂંટાયા પછી જનતાને નહિ પણ પોતાના પક્ષને વધુ વફાદાર રહેતા હોય છે. યાદ રહે કે આમ જનતા માટે તેમણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિનું મહત્ત્વ વધારે હોય છે નહિ કે એ પ્રતિનિધિના રાજકીય પક્ષનું. જનતાનો અવાજ તેમણે ચૂંટેલ પ્રતિનિધિ રજૂ કરતો હોય છે, નહિ કે કોઈ રાજકીય પક્ષ. રાજ્યની વિધાનસભાઓમાં જનતાએ ચૂંટીને મોકલેલ જનપ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો કેવા અને  કેટલા સચોટ રીતે વિધાનસભામાં રજૂ કરે છે તેમ જ એ પ્રશ્નો પ્રત્યે સરકાર કેટલી ગંભીર છે એ જોવાની તસ્દી જનતા ક્યારે ય લેતી નથી. વિધાનસભાની કાર્યવાહી જનતાને જાણવાનો અધિકાર નથી એ રીતે વર્તતા જનપ્રતિનિધિઓને જનતાએ શા માટે વિધાનસભામાં મોકલવા જોઈએ. રાજકીય પક્ષ કે એમાં રહેલા નેતાઓ ગમે તેટલા મહાન હોય તો પણ તેઓ આમ જનતાથી ઉપર નથી એટલી સાદી સમજણ જનતામાં નથી તો પછી એ જનતાને જાગૃત કહેવી કે કેમ એ અંગે વિચારવું રહ્યું.

ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

ત્રણ જ અઠવાડિયાંને અંતરે કોમી મુદ્દે જુદી જુદી વાતઃ ઘોડો ક્યાં ને તબેલો ક્યાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 May 2024

ભલે આ ‘ડેમેજ ક્ન્ટ્રોલ‘ની કોશિશ ને કારવાઈ હોય, કે પછી પાછલા દોરમાં મતદાનની રુખ પોતાની તરફેણમાં સુધરી રહ્યાની ગણતરીએ ડાહ્યા દેખાવાનો ખયાલ હોય; પણ કોમી પેચપવિત્રાને રુખસદ અપાય એથી રૂડું શું.

પ્રકાશ ન. શાહ

બે રીતે જોઈ શકો તમે એને. કાં તો એ ઘોડાને ધરાર ભાગી છૂટવાની સોઈ આપ્યા પછી તબેલે તાળું દેવાની નકો નકો ડેમેજ કન્ટ્રોલ કોશિશ છે કે પછી ઘટતા શોર ને વળી ગાજાવાજા સાથે એક ઓર પ્રતિમાનિખાર પેરવી છે.

પહેલાં પેલા જે ઘોડાને ધરાર છૂટા મેલાયા હતા એની વાત. એ 21મી એપ્રિલ હતી ને ભા.જ.પ.ના સ્ટાર પ્રચારક વડા પ્રધાન મોદી એ દિવસે બાંસવાડામાં પ્રચારભાષણ કરતે કરતે રણરંગમાં તો ઠીક પણ રંગમાં જરૂર આવી ગયા હતા. એમણે સુજ્ઞ શ્રોતાજનોને અજબ જેવી માસુમિયતથી ચેતવ્યા હતા કે કાઁગ્રેસ તમારી વારસાગત સંપત્તિ લઈ લેશે અને વહેંચી મારશે. ‘કોને’ એવું પુછાય તે પહેલાં એમણે ખુલાસો કર્યો હતો કે ‘પેલાઓ’ને, જે વધારે છોકરા પેદા કરે છે, ઘૂસપેઠિયા છે, એમને – એટલે કે મુસલમાનોને. સ્ત્રીવર્ગને ચેતવી હતી કે તમારાં મંગલસૂત્ર જઈ રહ્યાં છે. (આગળ ચાલતાં, અન્ય કોઈ સ્થળે કિસાનોને એમની ‘ભેંસ’ લઈ વહેંચી દેવાશે તે વિશે પણ સાવચેત કર્યા હતા.)

કેમ કે સીધા પ્રસારણનો જમાનો છે, દેશ આખો આ ધન્ય ઉદ્દગારો જોતો સાંભળતો હતોઃ ચૂંટણીપંચ ચાહે તો આચારસંહિતાને ધોરણે (કોમી ઉશ્કેરણીના મુદ્દે) તત્કાળ સુઓમોટો કારવાઈ લાયક કેસ બનતો હતો. પણ આપણી આ સ્થિરમતિ સંસ્થા ખાસા ચારપાંચ દિવસે હાલી – અને હાલી ત્યારે વળી એવી હાલી કે એણે વડા પ્રધાનને નહીં પણ પક્ષપ્રમુખને ખુલાસો પૂછ્યો!

બાંસવાડા ભાષણને ખાસાં ત્રણ અઠવાડિયાં (અને લટકામાં એક-બે દહાડા) વીતી ગયાં પછી મંગળવાર (14મી મે) એ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરવાનું હતું એની સાથે જુગલબંધી સરખી બે ઘટના બનીઃ પક્ષપ્રમુખ નડ્ડાએ ચૂંટણીપંચને લાંઆંઆંબી તપાસ પછી જણાવ્યું કે વડા પ્રધાને કોઈ કોમી ઉશ્કેરણીની તકરીર કરી જ નથી .. ઊલટાનું, કાઁગ્રેસે પોતાના ઢંઢેરામાં મુસ્લિમ લીગવાળી કરી છે. તે સાથે મંગળવારે જ ન્યૂસ 18એ વડા પ્રધાન સાથેની મુલાકાત પ્રસારિત કરી જેમાં એમણે કહ્યું કે હું કદી રાજકારણમાં હિન્દુ-મુસ્લિમવાળી કરતો નથી. એવું કરું તો હું જાહેર જીવન સારુ ગેરલાયક ગણાઉં. એવું ન કરવું એ જ મારો સંકલ્પ છે.

ખબર નથી, આ સમાચારમાંથી પસાર થતાં કોઈ કોઈ વાચકોને ગુજરાતના મુખ્ય મંત્રીના સપ્ટેમ્બર 2002ના બહુચર્ચિત ઉદ્દગારો યાદ આવ્યા હશે કે કેમ. ત્યારે એમણે ગૌરવયાત્રા કાઢી હતી. કોનું ને શેનું ગૌરવ તે જિજ્ઞાસુઓને સમજાયું નહોતું પણ એમાં નેતૃત્વનો વાંક નહીં કાઢી શકાય. સવાલ આપણી સમજની પહોંચ કે મર્યાદાનો, ખરેખર તો પહોંચની મર્યાદાનો છે. ખેર, સપ્ટેમ્બર 2002ના ત્રીજા અઠવાડિયામાં ગૌરવ યાત્રા બેચરાજી પહોંચી ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી રાહત છાવણીઓ પર અક્ષરશઃ ઉડ્યા હતા – અમારે શેને માટે આવા કેમ્પ ચલાવવા? ‘અમે પાંચ અને અમારા પચીસ’ માટે? ગોધરા-અનુગોધરા એ નિઃશાસન અને દુઃશાસનનો દુર્દૈવ દોર હતો. જેમણે આશરો લેવો પડ્યો એમને અંગે આ પ્રકારના ઉદ્દગાર તત્કાલીન વડા પ્રધાન વાજપેયીની ‘રાજધર્મ-શીખ’થી વિપરીત હતા. જો કે, પછી જાહેર ખુલાસો આવી પડ્યો હતો કે મુખ્ય મંત્રી કુટુંબનિયોજનની જરૂરત પર ભાર મૂકવા માગતા હતા.

બાંસવાડા ભાષણ વખતે એવું લાગતું તું કે મતદાન સત્તાપક્ષ તરફે થાય તે માટે પ્રચારઝુંબેશને કોમી મરોડ આપવો અનિવાર્ય લાગ્યું હશે. હવે એવી આશા રાખી શકાય અગર કલ્પના કરી શકાય કે કદાચ જે દોર પસાર થઈ ગયા એનું આકલન સુધરી સત્તાપક્ષે આશા જગવતું હોય એ સંજોગોમાં કોમી મરોડથી પરહેજ કરવું સલામત ને શોભીતું રહેશે. જો એમ હોય તો ભલે એમ હોય, નાગરિક છેડેથી આપણે કોમી પ્રચાર અટકવા બાબતે રાહતનો દમ અનુભવીશું અને બાકી દોરમાં મુક્ત ને પુખ્ત મતદાનની આશા સેવીશું. જો કે આ આશાને કારણે ન તો આપણને કે ને તો એમને કોઈ વાતે ઘેનગાફેલ રહેવાનો પરવાનો મળે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 16 મે 2024

Loading

...102030...565566567568...580590600...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved