Opinion Magazine
Number of visits: 9457081
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

રોનક ચંદ્રકાન્તભાઈ જોષી ‘રાહગીર’|Opinion - Opinion|22 June 2024

એણે કહ્યું લે બોલ લાગી શરત તું હારે છે,

મેં પણ હસીને કહ્યું હા એ જ મારી હારે છે.

વાદળ વરસી પડ્યું સૂકી ધરાની શાનમાં,

માટી સુગંધરૂપે બોલી તું પણ મને તારે છે.

હૃદયરૂપી એક ધબકારો હતો અમારો,

શ્વાસથી છૂટો પડી વિશ્વાસ તો મારે છે.

વાત એવી બની કે અમે બંને મૌન થયા,

વાત કે વિવાદ નહીં થાય એવુ સૌ ધારે છે.

હિંમત, હાર, સત્તા, ભય, દગો આપ્યું ઘણું,

આવ્યો સમય અર્થીનો હવે તારે સહારે છે.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

पिता, पुत्र और हिंदुत्व का एजेंडा

राम पुनियानी|Opinion - Opinion|22 June 2024

राम पुनियानी

आम चुनाव के अधबीच में भाजपा अध्यक्ष जे.पी. नड्डा ने कहा कि भाजपा अब पहले से अधिक समर्थ हो गयी है और चुनाव लड़ने के लिए उसे आरएसएस के साथ की ज़रुरत नहीं है. यह सर्वज्ञात है कि अब तक के लगभग सभी चुनावों में आरएसएस के बाल-बच्चों और खुद आरएसएस ने भी भाजपा की जीत के लिए काम किया. इस चुनाव में भाजपा के कमज़ोर प्रदर्शन के बाद आरएसएस के सरसंघचालक डॉ मोहन भागवत ने चुनाव के दौरान विभिन्न पार्टियों के आचरण पर टिप्पणी की. यद्यपि उन्होंने किसी का नाम नहीं लिए तथापि यह साफ़ था कि उनका  इशारा मोदी और भाजपा की ओर है. इसके अलावा, आरएसएस के एक अन्य शीर्ष पदाधिकारी इन्द्रेश कुमार ने भी कहा कि अहंकार के कारण भाजपा की सीटों में कमी आई है. आरएसएस ने तुरंत इस बयान से अपने-आप को दूर कर लिया. फिर इन्द्रेश कुमार ने भी अपना वक्तव्य वापस ले लिया और यह प्रमाणीकृत किया कि भारत केवल मोदी के नेतृत्व में विकास कर सकता है. कई टिप्पणीकारों का कहना है कि भागवत का बयान, संघ और आरएसएस के बीच मनमुटाव और दरार का सूचक है.

भागवत ने आखिर कहा क्या? संघ के एक प्रशिक्षण कार्यक्रम के समापन के अवसर पर बोलते हुए उन्होंने कहा कि चुनावों के दौरान गरिमा और हमारे सांस्कृतिक मूल्यों का ख्याल नहीं रखा गया. विपक्ष के साथ विरोधी की तरह व्यवहार किया गया जबकि वह दरअसल प्रतिपक्ष है, जिसकी एक अलग सोच है. उन्होंने यह भी कहा कि शासक दल एवं विपक्षी पार्टियों में एकमत बनाने का प्रयास होना चाहिए. उन्होंने मणिपुर में हिंसा जारी रहने पर भी दुःख प्रकट किया. उन्होंने बढ़ते हुए अहंकार पर भी बात की.

ये बातें सभी पार्टियों के सदर्भ में कहीं गईं मगर निशाने पर मोदी और भाजपा थे. हमें याद है कि चुनाव प्रचार के दौरान मोदी ने कितनी भद्दी भाषा का इस्तेमाल किया था और मंगलसूत्र, मुजरा, भैंस आदि पर चर्चा के साथ-साथ यह झूठ भी बोला था कि अगर इंडिया गठबंधन सत्ता में आया तो वह पूरा आरक्षण कोटा मुसलमानों के नाम कर देगा. हो सकता है कि ऐसी बातों और ऐसी भाषा से भाजपा की सीटों में थोड़ी-बहुत कमी आई हो. मगर भाजपा के वोटों और सीटों में कमी का असली और सबसे बड़ा कारण था इंडिया गठबंधन का नैरेटिव, जो लोगों की समस्यायों पर केन्द्रित था. इंडिया गठबंधन ने मंहगाई, बेरोज़गारी, नियमित तौर पर प्रश्नपत्रों के लीक होने, किसानों की समस्याओं और बढ़ती गरीबी जैसे मुद्दे उठाए. मोदी की अशिष्ट और छिछली भाषा के बरक्स इंडिया गठबंधन ने सभ्य और शिष्ट भाषा का प्रयोग किया. देश के अधिकांश हिस्सों में इंडिया की एकता बनी रही. मोदी ने स्वयं को परमात्मा का दूत बताया और एनडीए व भाजपा का चुनाव अभियान मोदी के आसपास बुना गया.

भागवत ने वह क्यों कहा, जो उन्होंने कहा. और अगर वे इन मसलों के बारे में गंभीर थे तो उन्होंने अब तक अपना मुंह क्यों नहीं खोला था? वे तब क्यों चुप्पी साधे रहे जब महुआ मोइत्रा और राहुल गाँधी को संसद से निष्कासित किया गया या जब 146 सांसदों को निलंबित किया गया? वे तब क्यों चुप रहे जब मोदी ने चुनाव अभियान के दौरान निहायत अशिष्ट भाषा का प्रयोग किया? अब तक वे मणिपुर हिंसा पर चुप क्यों थे? भागवत ने ये बातें चुनाव समाप्त हो जाने के बाद ही क्यों कहीं? वह इसलिए क्योंकि उन्हें पता था कि अगर वे चुनाव के दौरान ये बातें कहेंगे तो इससे भाजपा को चुनावों में नुकसान हो सकता है. और यह उन्हें मंजूर नहीं था.

अब भागवत क्यों बोल रहे हैं? चुनाव में मोदी ने जिस तरह के भाषा का इस्तेमाल किया और प्रचार की जो रणनीति अपनाई, उससे समाज के उस वर्ग में भाजपा के प्रति सम्मान कम हुआ है जो पार्टी का कट्टर समर्थक नहीं है. इससे पार्टी की विश्वनीयता को चोट पहुंची है और संसद में मोदी के व्यवहार से उनकी एक तानाशाह की छवि बनी है. भागवत इस असर को कम करना चाहते हैं ताकि आने वाले चुनावों में भाजपा को नुकसान न हो.

भागवत को पता है कि मोदी ने हिंदुत्व एजेंडा को बहुत अच्छे से लागू किया है. कश्मीर से अनुच्छेद 370 उठा लिया गया है, भव्य राममंदिर का उद्घाटन हो चुका है, एक राज्य में सामान नागरिक संहित लागू हो चुकी है और केन्द्रीय स्तर पर इसे लागू करने के प्रयास चल रहे हैं.

आरएसएस के लिए यह प्रसन्नता का विषय है कि गौमांस, बीफ और लव जिहाद जैसे मुद्दे केंद्र में आ गए है और मुसलमान और डर गए हैं. मुस्लिम समुदाय का अपने मोहल्लों में सिमटना जारी है. गुजरात में हाल में जब एक मुस्लिम सरकारी कर्मचारी को सरकारी कॉलोनी में मकान आवंटित किया गया तो वहां के अन्य निवासियों ने इसका विरोध किया और कहा मुस्लिम परिवार पूरे काम्प्लेक्स के लिए खतरा बन जाएगा.

मुसलमानों की क्या हालत हो गई है यह इससे अंदाज़ा लगाईये कि तृप्ता त्यागी ने अपनी क्लास के सभी बच्चों को एक मुस्लिम बच्चे को एक-एक तमाचा मारने को कहा. मुसलमान परिवारों को किराए पर घर न मिलने की अनगिनत और अत्यंत शर्मनाक उदाहरण हमारे सामने हैं. मोदी के नेतृत्व वाली केन्द्रीय मंत्रिपरिषद में एक भी मुसलमान नहीं है और भाजपा ने इस चुनाव में एक भी मुस्लिम उम्मीदवार खड़ा नहीं किया.

मोदी के राज में संघ कई तरह से लाभान्वित हुआ है. उसकी शाखाओं की संख्या दोगुनी से ज्यादा हो गई है. आरएसएस के विचारधारा में यकीन रखने वाले शिक्षकों का कॉलेजों और विश्वविद्यालयों में बोलबाला है. पाठ्यपुस्तकों का भगवाकरण हो चुका है. अब बाबरी मस्जिद को बाबरी मस्जिद नहीं बल्कि “तीन गुम्बद वाला ढांचा” कहा जाता है. भारतीय ज्ञान प्रणाली के नाम पर आस्था पर आधारित ज्ञान को बढ़ावा दिया जा रहा है और डार्विन का सिद्धांत और आवर्त सारणी पाठ्यपुस्तकों से बाहर हो गए है.

तो फिर विरोध का यह नाटक क्यों? चूँकि भाजपा को स्वयं के बल पर बहुमत हासिल नहीं है इसलिए उसे नीतीश और नायडू जैसे गठबंधन साथियों के साथ मिलकर चलना पड़ेगा. गुजरात का मुख्यमंत्री बनने के समय से ही मोदी ने अपनी पार्टी के पूर्ण बहुमत वाली सरकारों का नेतृत्व किया है. सरकार पर उनका पूर्ण नियंत्रण रहा है और उनसे प्रश्न पूछने का साहस किसी में नहीं रहा है. सन 2014 और 2019 के चुनावों के बाद बनी सरकारें नाम के लिए एनडीए की थीं. सभी निर्णय मोदी द्वारा अकेले लिए जाते थे. चाहे वह कोरोना लॉकडाउन हो, नोटबंदी हो या  अंबानी-अदानी को हर तरह ली सहूलियतें उपलब्ध करवाना, उनका निर्णय अंतिम समझा जाता था. तो क्या वे  नीतीश और नायडू के साथ मिलकर चल सकेंगे? नीतीश ने अपने प्रदेश में जाति जनगणना करवा ली है नायडू  अपने प्रदेश में पिछड़े मुसलमानों को चार प्रतिशत आरक्षण दे रहे हैं.

यह सही है कि भाजपा के गठबंधन साथी अत्यंत व्यावहारिक हैं और सिद्धांतों से उन्हें कोई खास मतलब नहीं है मगर फिर भी भविष्य में मतभेद तो उभर ही सकते हैं. तो भागवत शायद मोदी को प्रेम से समझा रहे हैं कि उन्हें अपना तानाशाहीपूर्ण रवैया बदलना चाहिये. या फिर वे इशारा कर रहे हैं कि एनडीए को ऐसा नेता ढूँढना चाहिए जो सबको साथ लेकर चलना जानता हो.

मगर कुल मिलाकर तो आरएसएस प्रसन्न ही है. उसका एजेंडा काफी आगे बढ़ा है. मोदी के व्यवहार के कारण जो थोड़ी-बहुत समस्याएं आयेंगी, वे हिन्दू राष्ट्र के व्यापक लक्ष्य के सामने कुछ भी नहीं हैं.

19 जून 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

પત્રકારના જીવનમાં રાષ્ટ્રનો ઇતિહાસ વણાઈ જાય છે — કુન્દન વ્યાસ

સોનલ પરીખ|Opinion - Opinion|22 June 2024

‘દિલ્હી દરબાર’ના બે ભાગ અને ‘એક પત્રકારની વ્યવસાયકથા’. નવભારત પ્રકાશને પ્રગટ કરેલાં આ ત્રણે પુસ્તકો કુન્દનભાઈ વ્યાસની પત્રકાર તરીકેની કારકિર્દી અને બહોળા અનુભવોના નિચોડ તરીકે તો મહત્ત્વના છે જ, સાથે સ્વતંત્ર ભારતની શરૂઆતથી આજ સુધીની રાજકીય ઘટનાઓનો જે કડીબદ્ધ ઇતિહાસ એમાં આલેખાયેલો છે તેની જાણકારી જાગૃત નાગરિકોને, ખાસ કરીને યુવાપેઢીને હોવી જોઈએ.  

132 પદ્મ એવોર્ડની જાહેરાત અને એમાં સમાવિષ્ટ આઠ ગૌરવવંતા ગુજરાતીઓનાં નામ આપણા હોઠે અને હૈયે રમે છે. વરિષ્ઠ પત્રકાર, 1996થી ‘જન્મભૂમિ’ના તંત્રીપદે વિરાજતા અને અઢી દાયકાથી ‘જન્મભૂમિ’નાં મેનેજિંગ એડિટર અને સી.ઇ.ઓ. તરીકે કાર્યરત કુન્દનભાઈ વ્યાસને પત્રકારત્વ માટે પદ્મભૂષણ એનાયત થયું છે, એ સમગ્ર અખબારી જગત માટે આનંદ અને ગૌરવની વાત છે.

‘જન્મભૂમિ’ની શરૂઆત 1934માં સૌરાષ્ટ્રના સિંહ ગણાતા અમૃતલાલ શેઠે કરી હતી. પ્રખર રાષ્ટ્રવાદી, નીડર, પ્રજાભિમુખ અને ગાંધીવિચારના સમર્થક અને સ્વસ્થ વાંચન પીરસતા ‘જન્મભૂમિ’ અને એના સાપ્તાહિક ‘જન્મભૂમિ પ્રવાસી’નું રાષ્ટ્રીય પત્રકારત્વની તવારીખમાં ગૌરવપ્રદ સ્થાન છે.

કુન્દનભાઈ વ્યાસની કલમે લખાયેલા તંત્રીલેખો અને એની રાજકીય સમીક્ષામાં પોલિટિકલ એનલિસ્ટથી માંડી રાજકારણની આંટીઘૂંટીઓ જેના પલ્લે પડતી ન હોય એવા સમાન્યજન સુધીના સર્વને રસ પડે અને જાણકારી મળે. ઇમેજ પ્રકાશન તેમ જ ઉમંગ પબ્લિકેશને એમના તંત્રીલેખોનાં પુસ્તકો કર્યાં છે.  ગયા વર્ષે એમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં – પંડિત નહેરુથી નરેન્દ્ર મોદી સુધીનો ભારતનો રાજકીય ઇતિહાસ વર્ણવતા ‘દિલ્હી દરબાર’ના બે ભાગ અને ‘એક પત્રકારની વ્યવસાયકથા’. નવભારત પ્રકાશને પ્રગટ કરેલાં આ ત્રણે પુસ્તકો એમની પત્રકાર તરીકેની કારકિર્દી અને બહોળા અનુભવોના નિચોડ તરીકે તો મહત્ત્વના છે જ, સાથે સ્વતંત્ર ભારતની શરૂઆતથી આજ સુધીની રાજકીય ઘટનાઓનો જે કડીબદ્ધ ઇતિહાસ એમાં આલેખાયેલો છે તેની જાણકારી જાગૃત નાગરિકો માટે, ખાસ કરીને યુવાપેઢી માટે અગત્યની જ નહીં, અનિવાર્ય પણ લાગે.

છ દાયકાથી વધુ સમય વિસ્તરેલી કુન્દનભાઈની પત્રકારત્વ-કારકિર્દીને એક લેખમાં વર્ણવવી શક્ય નથી. 1961માં પત્રકારત્વમાં પ્રવેશ, પ્રવેશતાં જ ચીની આક્રમણ અને ભરતચીન યુદ્ધનું રિપોર્ટિંગ, 1964માં ‘વ્યાપાર’માં જોડાયા, 1967માં ‘જન્મભૂમિ’ ગ્રૂપના નવી દિલ્હી ન્યૂઝ બ્યુરોમાં નિમણૂક, રાજકીય ઊથલપાથલનાં વર્ષોના સાક્ષી બનવા સાથે 1971માં વૉર કોરસપોન્ડન્ટ તરીકે ભારત-પાક યુદ્ધનું કવરેજ, 1976માં યુનાઈટેડ નેશન્સની ફેલોશિપ અને વિશ્વપ્રવાસ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે અનેક દેશોની મુલાકાત, બે ટર્મ માટે ઇન્ડિયન લેન્ગ્વેજિસ ન્યૂઝપેપર્સ એસોસિયેશનના પ્રમુખ, ઇન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટીના પ્રમુખ, પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયામાં ત્રણ ટર્મ, એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા અને ઑલ ઇન્ડિયા ન્યૂઝપેપર્સ એડિટર્સ કોન્ફરન્સના સભ્ય આ બધી સિદ્ધિઓ-પદો; ‘આશીર્વાદ’ – ડૉ. હરિવંશરાય બચ્ચન પત્રકારત્વ પુરસ્કાર, લોકમાન્ય તિલક ઍવોર્ડ, પ્રિયદર્શિની ઍવોર્ડ, નચિકેતા ઍવોર્ડ અને હવે પદ્મભૂષણ જેવાં અનેક સન્માનો એમના નામે બોલે છે.

કુન્દનભાઈ એવા નખશિખ પત્રકાર છે કે એમનું વ્યક્તિત્વ અને જીવન એમના પત્રકારત્વનો જ પર્યાય છે. અવિનાશભાઈ પારેખે કરેલી ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ સિરીઝમાં 19મું પ્રવચન કુન્દનભાઈનું હતું. અંતિમ પ્રવચનની કલ્પના કરતી વખતે મોટેભાગે વક્તાઓ પોતાના આખા જીવન પર એક નજર ફેરવી લે અને અસ્તિત્વને સ્પર્શી ગઈ હોય એવી અંગત જીવન, સંબંધો, સમાજ, વ્યવસાય વગેરેની વાત કરે. કુન્દનભાઈએ કહ્યું, ‘અંતિમ પ્રવચન? અંત કોણ જાણી શકે? વિચારોનું વસિયતનામું કોઈ કેવી રીતે લખે? કદાચ બેલેન્સશીટ જેવુ કઈંક આપી શકે. એની કોશિશ કરું.’ અને પછી માત્ર અને માત્ર પોતાના પત્રકારજીવનના પડાવોની સુંદર વાતો કરી – ‘પત્રકારના જીવનમાં રાષ્ટ્રનો ઇતિહાસ વણાઈ જાય છે એટલે મેં આ કર્યું, મને આ મળ્યું એમ કહેવાને બદલે મેં આ જોયું અને આવું બતાવ્યું એવું કહેવું વધારે યોગ્ય થાય.’ – આ સ્પષ્ટતા સાથે. એમના જ શબ્દોમાંથી થોડું આચમન કરીએ :

‘જયંતીભાઈ શુક્લ, હરજીભાઈ ગિલાણી અને મનુભાઈ મહેતા જેવા ગુરુઓ પાસેથી મને તાલીમ અને સંસ્કાર બંને મળ્યા. હું પત્રકાર બન્યો ત્યારે પત્રકારોનો એક પરિવાર હતો. સિનિયર પત્રકારો યુવાન પત્રકારોને ઘડતા, કેળવતા, દૃષ્ટિ આપતા. મોડે સુધી બેસાડે, મહેનત કરાવે, પીઠ પણ થાબડે. શાસ્ત્રીજીના અવસાનનો ઈન્ટ્રો “આજનો મંગળવાર ભારત માટે અમંગળ નીવડ્યો” શીર્ષકથી લખ્યો, શાબાશી મળી. “નિઝામના હીરા સુપ્રીમ કોર્ટ જઈ આવ્યા” એવા મથાળા માટે હરકિસનભાઈએ એ જમાનામાં 500 રૂપિયાનું ઈનામ આપેલું.

‘1967માં કાઁગ્રેસનાં વળતાં પાણી થયાં. 1969માં કાઁગ્રેસમાં ભાગલા પડ્યા. કાવાદાવા અને રાજરામતો ચાલ્યાં. ઇન્દિરાજી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવા માગતાં હતાં, મોરારજીભાઈ કહે, બેન્કોનું સામાજિકરણ કરો. મુદ્દો અર્થકારણનો નહીં, રાજકારણનો હતો. મોરારજીભાઈને વડા પ્રધાન બનવું હતું, કામરાજ “ગૂંગી ગુડિયા” ઇન્દિરા ગાંધીને આગળ કરી ધાર્યું કરવા માંગતા હતાં. કઈંક થયું ને મેં મોરારજીભાઈને પૂછ્યું, “તમે સમાધાન કરવાના નહોતા, કેમ કર્યું?” ત્યારે તેઓ કહે, “માય ડિયર યંગ બૉય, યસ્ટરડે વૉઝ યસ્ટરડે, ટુડે ઈઝ ટુડે.’ આર્મીવાળાના જવાબ પાછા જુદા હોય. 71ની વૉર વખતે એન્ટરપ્રાઇઝ નામની અમેરિકન શીપ આવવાની હતી. સમાચાર સનસનાટીભર્યા હતા – શીપ મદદ માટે આવવાની છે કે લડવા માટે? મેં જનરલ માણેકશાને પૂછ્યું. માણેકશા ઠંડકથી કહે, “યંગ બૉય, ધેર આર ટુ થિંગ્સ ઇન લાઈફ. ઈફ ધે વૉન્ટ ટુ ફાઇટ, વી વિલ ફાઇટ. ઇફ ધે વૉન્ટ ટુ ફ્રાઈટન અસ, વી વિલ નોટ બી ફ્રાઈટન્ડ. સમજ્યો?” એ વખતે સિયલકોટ ફ્રન્ટ પર દસ-વાર દિવસ રહેવાનું થયું. જમીન પર એક ચોરસની આસપાસ બે-બે ફૂટના ખાડા કરેલા હોય – આ ડાઈનિંગ ટેબલ પર જમવાનું.  જવાનો ગમે તેટલા ટેન્શન વચ્ચે પણ હસીમજાક કરી લે. એક વાર એક પાણીમાં ચાલી શકે એવી જીપમાં રઝળતી લાશો વચ્ચે પાકિસ્તાન જઈ આવ્યા. પછી સિમલા મંત્રણા થઈ. યુદ્ધ પછી શાંતિ કવર કરી. મનુભાઈ રોજ ફોન પર ઝડપથી બધું સમજી લે અને છાપામાં પોતે જોયું હોય એવી તાદૃશ રીતે બધું મૂકે. કહે, “પત્રકારે તો અંગૂઠા પરથી રાવણને ચીતરવાનો હોય.”

‘કટોકટી પહેલા મોરારજીભાઈ ઉપવાસ પર ઊતર્યા. પ્રાર્થનામાં હું જાઉં. સી.આઇ.ડી.ના માણસો મારો પીછો કરે. “કયા હુઆ? વો કયા બોલા?” હું કહું, “નહીં બતાઉંગા. કલ અખબારમેં આયેગા, દેખ લેના.” યુવાનીની એ હિંમત પાછળ લોકશાહીની તાકાત હતી. ‘મોરારજીભાઈ પારણા કરશે, ઇન્દિરા ઝૂકશે’ લખીને હું તો સૂઈ ગયેલો. સવારે અંગ્રેજી છાપાંઓએ જુદું જ લખેલું. પણ રાષ્ટ્રીયકરણની જેમ આ વખતે પણ મારી વાત સાચી પડી. નવનિર્માણ વખતે બિહારમાં ટ્રેનિંગ ચાલે. અમે – ગિલાણીભાઈ, શુક્લભાઈ અને હું – પાંચ દિવસ ત્યાં રહ્યા. જયપ્રકાશ નારાયણની ખરી મુવમેન્ટ જોવા મળી. આજના યુવાનોએ આ ઇતિહાસ જાણવો જોઈએ. ભવિષ્ય બનાવવું હોય તો ઇતિહાસ સમજવો પડે.

‘કટોકટી વખતે અખબારો અને પત્રકારોની બૂરી હાલત થઈ. મને યુ.એન. ફેલોશિપ મળી, પણ સરકાર અમેરિકા જવા પરવાનગી ન આપે. એક મિત્ર કહે, “સંજય ગાંધી સાથે મારી ઓળખાણ છે. એ કહે તો તારું થઈ જાય.” મેં ના પાડી. આખરે યુ.એન.વાળાએ કહ્યું, તમારા પત્રકારને નહિ મોકલો તો ફેલોશિપ પાકિસ્તાનને આપીશું, ત્યારે સરકારે જવા દીધો.

‘આજકાલ મીડિયાની ફ્રીડમની ખૂબ ચર્ચા થાય છે, પણ મીડિયાનો ધર્મ – પહેલા એની ચર્ચા થવી જોઈએ. સ્વયંશિસ્ત જોઈએ. પણ આમાં પણ રાજકારણીઓ અને રાજકારણ જ નડે છે. રાજકારણ અને મનોરંજન ઈન્ડસ્ટ્રી ખૂબ પૈસા આપીને આગળનાં પાનાંનો કબજો કરી લે છે અને પબ્લિક ઇસ્યુઝ પાછળ ધકેલાઇ જાય છે. કોમનવેલ્થ ગેમ વખતે ખૂબ વિવાદો થયાં, ચગ્યા. આવે વખતે માધ્યમો ભૂલી જાય છે કે આપણે ભારતના છીએ, ભારત માટે કામ કરીએ છીએ. ધર્મના નામે મત માગવા જેમ ખોટું છે તેમ સેક્યુલરીઝમને નામે મત માગવા એ પણ ખોટું છે. ગ્લોબલાઈઝેશન પછી ભારતની અને વિશ્વની અન્ય ભાષાઓ પર અંગ્રેજી હાવી થઈ ગયું છે તેથી અંગ્રેજી મીડિયા પોતાને ઊંચું માને છે; પણ આપણે ગમે તેટલું જાણીએ, માતૃભૂમિ અને માતૃભાષા ભુલાવી જોઈએ નહીં. સત્ય અને પ્રામાણિકતા એ જ પત્રકારની મૂડી છે અને તાકાત પણ.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જાન્યુઆરી  2024

Loading

...102030...528529530531...540550560...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved