Opinion Magazine
Number of visits: 9665099
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઋણની ચુકવણી

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|23 October 2024

આજે આખું ગામ હિલોળે ચડ્યું હતું. સરપંચે કહ્યું હતું કે સોમવારે આપણા ગામમાં શહેરનાં પ્રતિષ્ઠિત અને શ્રીમંત કાનજીભાઈ પટેલ આવવાના છે અને ગામની જરૂરિયાત માટે વાત કરવાના છે. બહુ ઉદાર દિલના છે. છૂટા હાથે દાન અને સખાવત કરે છે. સરપંચને ધરપત હતી કે કાનજીભાઈ ગામ માટે કંઈક તો જરૂર આપશે. ગામના લોકોને જાણ કરી હતી કે કાનજીભાઈના સ્વાગતમાં કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ.

ગોપાએ આ વાત સાંભળી ત્યારે તેણે ભૂરાને, ભીખાને, છગન અને વિશાલને વાત કરી કે આ કાનજીભાઈ પટેલ આવે છે એ આપણો બાળ ગોઠિયો કાનજી તો નહીં હોય ને? “ના રે! ના, કાનજી અને તેનું ફેમિલી શહેર ગયું, તે પછી આપણને તેની કાઈ ખરખબર કે ભાળ ક્યાં છે.”

“ભૂરા, તારી વાત તો સાચી છે. કાનજીને શહેર ગયા ખાસ્સો સમય થયો છે. પછી તેની કોઈ ખરખબર નથી.” આમ પાંચેય બાળ ગોઠિયા ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. મનોમન વિચારતા હતા કે આપણો કાનજી હોય તો મજા પડી જાય. ઘણા વખત પછી તેનો મેળાપ થાય.

ભીખાએ કહ્યું, “માનો કે આપણો કાનજી હોય તો?”

“તો ભાઈ એ મોટો માણસ થઈ ગયો છે. આપણી સામે પણ ન જોવે, તે સાંભળ્યું નહીં સરપંચે શુ કહ્યું, “આમ પાંચેય મિત્રો ઘડીકમાં હરખાતા’તા અને પાછો કાનજી ન ઓળખે તો એ વિચારે દ્વિધામાં પડી જતા હતા.

સોમવારે સવારે આખું ગામ પાદર ભેગું થયું. કાનજીભાઈ પટેલ બરોબર દસ વાગે આવવાના હતા. ગોપો, ભૂરો, ભીખો, છગન અને વિશાલ પણ આપણો બાળ ગોઠિયાઓ કાનજી હોય એમ વિચારી પાદર પહોંચી ગયા હતા. પણ પાછળ ઊભા હતા. સરપંચને સ્ટેજ ઉપર પાંચ ખુરશી મૂકીને ખાલી રાખવાની સૂચના કાનજીભાઈએ આપી હતી. સરપંચને કાઈ સમજાયું નહોતું પણ સૂચનાનો અમલ કરી પાંચ ખુરશી ખાલી રહે તેમ ગોઠવણ કરી અને માણસોને સૂચના આપી હતી કે વ્યવસ્થામાં કાઈ ગરબડ ન થવી જોઇએ. બહુ મોટા માણસ છે જો તેને ખરાબ લાગી જશે તો ગામને કંઈ નહિ આપે અને આપણી ફજેતી થશે.

કાનજીભાઈની કાર, કાફલા સાથે બરોબર દસ વાગે પહોંચી ગઈ, સરપંચે હારતોરા કરી સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી કરી. કાનજીભાઈએ સ્ટેજ ઉપર સ્થાન લઈ ચારેકોર નજર કરી પણ તેની નજર જે બાળ ગોઠિયાને શોધતી હતી એ ક્યાં ય નજરે ચડતા નહોતા. કાનજીભાઈ દ્વિધામાં હતા કે મારા આવવાની ખબર આ બાળ ગોઠિયાઓને પડી તો હશે ને? સરપંચે પ્રાસંગિક પ્રવચન કરી કાનજીભાઈને સભાને સંબોધન કરવા માટે વિનંતી કરી. કાનજીભાઈને જોઈને સભામાં ચણભણ થતી હતી કે આ કાનજીભાઈ આપણા ગામનાં કરસનભાઈનો દીકરો હોય એવું લાગે છે. કોઈ કહે હા, એ કરસનકાકાનો કાનજી જ લાગે છે. આ ચણભણ કાનજીભાઈને પણ સંભળાતી હતી. પણ મનમાં બાળ ગોઠિયા નહીં દેખાતા મૂંઝવણ થતી હતી કે મારા બાળ ગોઠિયા કેમ નહીં આવ્યા હોય?

થોડીક વાતો કર્યા પછી કાનજીભાઈએ કહ્યું, “હા, વડીલો, મિત્રો, હું એ જ કરશનભાઈ પટેલનો કાનજી છું કે જેણે ગામને, આ માતૃભૂમિને, આર્થિક સ્થિતિ સુધારવા અને કંઈક બનવા માટે શહેર જવાનો નિર્ણય કર્યો હતો. અને તેના પરિણામ સ્વરૂપે હું કંઈક બનીને આજે તમારી સામે છું. આજે હું આ ગામનું, મારી માતૃભૂમિનું, બાળ ગોઠિયા એવા મિત્રોનું ઋણ ચૂકવવા માટે આવ્યો છું.”

“મારી એક વિનંતી છે. સભામાં મારા બાળ ગોઠિયા આવ્યા હોય તો, ભૂરો, ભીખો, ગોપો, છગન અને વિશાલ મારી પાસે સ્ટેજ ઉપર આવે. ભૂરો કહ્યું છે ભૂરાભાઈ કહીને સંબોધન એટલે નથી કર્યું, કારણ કે આ પાંચેય મારા આત્મીય, અંતરંગ મિત્રો છે, સ્વજન છે.”

પાંચેય મિત્રોએ એક બીજા સામે જોયું કે કાનજી આપણને ભુલ્યો નથી. સ્ટેજ ઉપર જવું કે કેમ એ દ્વિધામાં મિત્રો હતા. ફરી કાનજીભાઈ એ કહ્યું, “મિત્રો, આવો મને તમારી સાથે બેસવાનું સૌભાગ્ય આપો. તમે મને ખરાબ સમયમાં જે સાથ અને સહકાર આપ્યો હતો એ હું ભૂલ્યો નથી.” કાનજીભાઈની નજર દૂર ઊભેલા મિત્રો પર પડી અને સ્ટેજ ઉપરથી મિત્રો પાસે જવા ઊતરતા હતા ત્યારે ભૂરાએ કહ્યું કાનજીભાઈ અમે આવીએ છીએ. “ભૂરા, કાનજીભાઈ નહીં કાનજી કહે એ નામ સાંભળવા કેટલા ય સમયથી મારા કાન તરસી રહ્યા છે. મને કાનજીભાઈ કહેનારા અનેક મળ્યા છે પણ કાનજી કહેનાર નથી મળ્યા.”

વડીલો, સ્વજનો, હવે મૂળ વાત ઉપર આવું. મારી ઇચ્છા આ ગામમાં એક આધુનિક સુવિધા વાળી હોસ્પિટલ, વિદ્યાર્થી બાળકોને રહેવા માટે છાત્રાલય, કોલેજ અને વ્યાજબી ભાવથી દરેક પ્રકારની દવા મળે એવો મેડિકલ સ્ટોર, જેમાં ગરીબો માટે મફત દવાની સુવિધા હશે. આ દરેકનું સંચાલન, દેખરેખ આ મારા પાંચેય મિત્રો કરશે. આ સિવાય બીજી કોઈ જરૂરિયાત હોય તો નિઃસંકોચ કહો. આ ગામ કાનજીભાઈ પટેલનું ગામ છે એવી ઓળખથી ઓળખાશે. આ ગામનાં વિકાસની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.

“આજે હું ગામમાં રોકાવાનો છું.” કાનજીભાઈની રોકવાની વાત સાંભળી સરપંચ મૂંઝવણમાં પડી ગયા કે કાનજીભાઈ જેવા મોટા માણસ માટે આ વ્યવસ્થા કેમ કરવી. ભલે એ આ ગામના વાતની છે પણ અત્યારે તો મોટા માણસ બની ગયા છે. કાનજીભાઈ સરપંચના મનોભાવ સમજી ગયા, “સરપંચશ્રી, હું આજે ગામમાં મારા મિત્રો સાથે રોકાવાનો છું. મારે જૂના દિવસો તાજા કરવા છે.”

મિત્રો પણ આ સાંભળી ભાવ વિભોર થઈ ગયા અને કાનજીભાઈને ભેટી હર્ષનાં આસુંનો ધોધ વહાવી દીધો. ગામ લોકોએ ગામના પનોતા પુત્રનો જય જયકાર કરી વાતાવરણ આનંદ ઉત્સાહથી ભરી દીધું.

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

જાણે કે એક મૂંગું જેલખાનું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 October 2024

પ્રકાશ ન. શાહ

આખા સાત જ મહિના થયા એ વાતને : બારમી માર્ચનો એટલે કે દાંડીકૂચનો દિવસ, સ્વરાજની બાકી બલકે ચાલુ લડાઈ વાસ્તે ભલે નાનો પણ નોંધપાત્ર મુકામ બની રહ્યો હતો. લાંબી અદાલતી લડત પછી, વ્હીલચેરગ્રસ્ત – દિવસ દરમ્યાન નાની-મોટી હલચલ વાસ્તે બબ્બે માણસની ખડેપગ જરૂરત સારુ મજબૂર – પ્રો. સાઈબાબા નાગપુર સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા હતા. પકડાયા તો હતા એ યુ.એ.પી.એ. કહેતાં અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ અંતર્ગત, પણ કશું પુરવાર ન થયું અને વિના વાંકે જિંદગીનાં દસ વરસ એમણે બંધ દુનિયામાં બસર કર્યા હતા. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ઊધડો લેતાં કહ્યું હતું કે માઓવાદી સાહિત્ય વાંચવું-વસાવવું, ડાઉનલોડ કરવું, આ બધું પોતે થઈને કોઈ કાવતરું કે ગુનો નથી બનતું.

આ માણસને નાગરિક અધિકારોની ચળવળ વાસ્તે પકડ્યો ને યુ.એ.પી.એ. હેઠળ જામીન એવી દોહ્યલી બાબત છે કે માની મરણપથારીએ સાઈબાબા મળી શક્યા નહીં તે નહીં. 

પ્રાધ્યાપક જી.એન. સાઈબાબા

હમણાં મેં સાત મહિના કહ્યા એ સાભિપ્રાય કહ્યા. બારમી માર્ચે એ જેલમાંથી મુક્ત થયા અને બારમી ઓક્ટોબરે, લોહિયાના સ્મૃતિ દિવસે એ દેહથી મુક્ત થયા. જેલમાંથી કાગળ તો લખ્યો હતો એમણે છેલ્લા શ્વાસ લેતી માતાને – કાગળ તો શું કાવ્ય જ હતું એ. ‘સ્પીકિંગ ટાઈગર’ એ પ્રકાશન સંસ્થાએ એમનાં પત્રો ને કાવ્યો ‘વાય ડુ યુ ફિયર માય વે સો મચ : પોએમ્સ એન્ડ લેટર્સ ફ્રોમ પ્રિઝન’ એ શીર્ષકે ગ્રંથસ્થ પણ કર્યાં છે. (બાય ધ વે, આ ‘સ્પીકિંગ ટાઈગર’ એ પ્રકાશક છે જેણે નિર્મલા સીતારામન્‌ના પતિ પરકાલા પ્રભાકરનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. સંખ્યાબંધ પ્રકાશકોનાં ગલ્લાંતલ્લાં અને છાપાંએ તો પણ લોકસભાની ચૂંટણી પછી, એવી શરતથી ઉફરાટે ‘સ્પીકિંગ ટાઈગર’ થકી બાજી પલટાઈ હતી.)

કેટલીક પંક્તિઓ, માતા પરના પત્રમાંથી : 

‘મારા બાળપણમાં  

જ્યારે તને મારા સારુ દૂધનો એક પિયાલો પણ પરવડતો નહોતો 

હામ અને હિંમતના તારા શબ્દો 

મારો આહાર હતો 

એ સ્તો મને  

યાતનાના આ દોરમાં બળ પૂરું પાડે છે …

‘મને પ્રતીત થઈ રહ્યું છે કે જેલ કંઈ મોત નથી 

 આ તો મારો પુનર્જન્મ છે  

અને હું તરત ઘરે પાછો ફરી

તારા ખોળામાં લપાઈ જઈશ 

જેણે મને આશા અને હિંમત થકી પાળ્યો પોષ્યો છે…’

‘તું કહી દે કે આ દુનિયાને 

મેં ગુમાવેલ આઝાદી 

કંઈ લાખોહજારોને સારુ આઝાદી બરોબર છે 

કેમ કે મારી સાથે હાથમાં હાથ પરોવી ઊભી રહેતી હર વ્યક્તિ

વસુધાના વંચિતો કાજે હાથ બટાવે છે 

અને એમાં- હા, એમાં સ્તો મારીયે મુક્તિ છે…’

પ્રો. સાઈબાબાએ પકડાયા પછી જેલમાંથી સાથી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોગ દિલની વાત બયાં કીધી’તી : ‘આમ આદમીનાં સુખ-દુ:ખમાં સહભાગી થતાં સમજ્યો ને શીખ્યો તે તો એ કે થોડાક લોકોને સારુ સ્વતંત્રતાનું હોવું તે વસ્તુત: સ્વતંત્રતાનું હોવું જ નથી. આપણો બહુસંખ્ય હિસ્સો એવો છે જેને યાતના ને અભાવ કોઠે પડી ગયાં છે, અગર તો એ વિશે બોલવાની એમનામાં ઈચ્છાશક્તિ જ બચી નથી. આ જાણે કે એક મૂંગું જેલખાનું જ છે. મારે જનસાધારણની આ જેલદીવાલ ભેદવી છે.’

અંગ્રેજી ભાષાસાહિત્યમાં યુનિવર્સિટી ટોપર સાઈબાબાની એક રચના છે, ‘ઓડ ટુ લાઈફ’ (જીવનની સંબોધગીતિ). એમાં એમણે પાબ્લો નેરુદાની બે પંક્તિઓ સરસ જોગવી છે : ‘સૌંદર્ય, તું સંગ મુજ પ્રીતિબંધ છે – ને જે મારું લોક, એની સાથે એક રક્તરંજિત ભાવબંધ!’

જોવાનું એ છે કે આ ભાઈને પકડાયા, ગુનો તો પુરવાર થાય ત્યારે, પણ કોલેજે પ્રોફેસર સાહેબને ઘરભેગા કર્યા. નોકરી ગઈ. પત્ની વસંતા હમણેનાં વરસોમાં તો દિલ્હીથી નાગપુર ધાર્યું જઈ શકે એવીયે જોગવાઈ નહોતી. બાઈજ્જત બરી થઈને આવ્યા પણ કોલેજ પાછી લે ત્યારે ને. હવે મામલો કોરટમાં છે અને સાઈબાબા જહન્નમમાં કે ઝન્નતમાં, જ્યાં હોય ત્યાં …

રાજ્યમાત્ર કને તે લોકતંત્ર હોય ત્યારે પણ એક ત્રાસતંત્ર ખચિત હોય છે. ઈંદિરાઈ વખતે તે પ્રત્યક્ષ અનુભવાયું હતું, પણ છતે બંધારણીય અમલે અઘોષિતપણે તે હોય જ છે. એમાં વળી વિચારધારાનો આથો ભળે ને માંજો ચઢે, પછી તો –

એક દસકા પછી લોકસભામાં વિપક્ષ નેતાનું પદ વિધિવત શક્ય બન્યું એમાં આ લખનાર સહિત ઘણાએ લોકતંત્રની દૃષ્ટિએ આશાનો ઉજાસ દીઠો હતો, અને એ છે પણ. સહજ ઉત્સાહવશ ત્યારે એમાં નવસંવતના ભણકારા સાંભળ‌વાનુંયે બન્યું હતું. એ કશુંયે સરાસર ખોટું તો અલબત્ત નથી. પણ છતે પલટે સત્તામાનસને બદલાતાં વાર થતી હોય છે. 1946માં લોહિયા ગોવાની જેલમાં હતા ત્યારે ગાંધી વાઈસરોય વેવલને લખી શક્યા હતા, પણ નેહરુ-પટેલ હજુ બ્રિટન-પોર્ટુગલ પ્રોટોકોલવશ અસમંજસમાં હોય એવી છાપ ઊઠી હતી.

આ સાંભર્યું તે પ્રો. સાઈબાબાના મૃતદેહને, દેહદાન પૂર્વે અંતિમ દર્શન વાસ્તે હૈદરાબાદના શહીદ સ્મારક ખાતે રાખવાની રજા બાબતે રેવન્ત રેડ્ડીની કાઁગ્રેસ સરકારના નનૈયાથી. અંજલિ આપવામાં જેમ સ્વતંત્ર નાગરિકો, કોમ્યુનિસ્ટો તેમ કાઁગ્રેસજનો પણ હતા, પણ સરકાર જેનું નામ – રાહુલ ગાંધી જે પરિવર્તનની હવા પર આવ્યા છે એનો અર્થ માત્ર કાઁગ્રેસની ઓછીવત્તી ફતેહમાં સીમિત નથી. ન જ હોઈ શકે.

ટેરરિઝમ સામેની લડત પોતાને ઠેકાણે ઠીક જ છે. ઠીક જ કેમ, ધર્મ્ય પણ હોઈ શકે. પણ ભીમા-કોરેગાંવ અટકાયતો સાથે રાજ્યનો જે આતંક બહાર આવ્યો છે તે કેવી રીતે સ્વીકારી શકાય? ચૂંટણીફતેહ માત્રે નહીં અટકવાનો પડકાર આ તો છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 ઑક્ટોબર 2024

Loading

राज्यमाता गाय और माँसाहारी सावरकर

राम पुनियानी|Opinion - Opinion|22 October 2024

राम पुनियानी

गाय पिछले तीन दशकों से भारतीय राजनीति में  एक महत्वपूर्ण भावनात्मक मुद्दा बनी हुई है. गाय को एक पवित्र पशु बताया जाता है. कई हिंदुओं के लिए गाय मां का दर्जा रखती है और हिंदू राष्ट्रवादी राजनीति ने समाज के ध्रुवीकरण के लिए इस आस्था का भरपूर इस्तेमाल किया है. हिंदुत्वादी विचारकों ने ‘हिंदुत्व’ शब्द को मात्र हिंदू धर्म नहीं बल्कि ‘समग्र हिंदुत्वता’ का प्रतिनिधित्व करने वाला शब्द बताया और आरएसएस ने इसी आधार पर अपनी राजनीति और हिंदू राष्ट्र के अपने लक्ष्य को निर्धारित किया. और वह लगभग पिछले 100 सालों से इस लक्ष्य की प्राप्ति के लिए लगातार प्रयासरत है. पिछले तीन दशकों में आरएसएस की राजनीति की जड़ें बहुत मजबूत हुई हैं क्योंकि उसके द्वारा उठाए जाने वाले भावनात्मक मुद्दे देश के राजनीतिक परिदृश्य पर हावी हैं.

गाय का मुद्दा एक बार फिर सुर्खियों में है. भाजपा के नेतृत्व वाले महाराष्ट्र के सत्ताधारी गठबंधन ने गाय (मगर केवल देसी गाय) को राज्यमाता-गौमाता घोषित किया है. यह पक्के तौर पर कहा जा सकता है कि ऐसा महाराष्ट्र विधानसभा चुनावों के मद्देनजर किया गया है. आम धारणा यह है कि भाजपा इन चुनावों में सशक्त स्थिति में नहीं है. हाल में हुए लोकसभा चुनाव में उसका प्रदर्शन अच्छा नहीं रहा है और उसके बाद से वह लगातार इस तरह के ध्रुवीकृत करने वाले मुद्दों का सहारा लेने के प्रयास में जुटी हुई है.

संयोग से लगभग इसी समय कर्नाटक के एक मंत्री ने बयान दिया है कि हिन्दू राष्ट्रवादी विचारधारा के पितृ पुरूष सावरकर गौवध के खिलाफ नहीं थे और वे गाय को पवित्र नहीं बल्कि एक अत्यंत उपयोगी पशु मानते थे. गांधी जयंती के अवसर पर बेंगलुरू में आयोजित एक कार्यक्रम में मत्री दिनेश गुंडू राव ने दावा किया कि सावरकर न केवल मांसाहारी थे और बीफ का सेवन करते थे, बल्कि इसका सार्वजनिक प्रचार भी करते थे.

कांग्रेस के मंत्री ने कहा कि सावरकर एक ब्राम्हण होने के बावजूद खानपान की परंपरागत बंदिशों का पालन नहीं करते थे बल्कि उनका नजरिया आधुनिक था. दिनेश गुंडु राव ने कहा, “सावरकर ब्राम्हण थे, लेकिन वे बीफ खाते थे और मासांहारी थे. वे गौवध के विरोधी नहीं थे, बल्कि इस संबंध में उनका नजरिया काफी आधुनिक था.” यह जाना-माना तथ्य है कि सावरकर मांसाहारी थे. दक्षिण अफ्रीका में अपने कार्यों के लिए समर्थन जुटाने के लिए अपनी यात्राओं के दौरान गांधीजी सावरकर से मिलने गए. सावरकर अपना रात्रि का भोजन तैयार कर रहे थे और झींगे तल रहे थे. उन्होंने इन्हें गांधीजी को भी पेश किया, जिन्होंने उनका सेवन करने से इंकार कर दिया क्योंकि वे विशुद्ध शाकाहारी थे.

सावरकर यह भी कहते थे कि गायों को पूजा नहीं जाना चाहिए. लेखक वैभव पुरंदरे कहते हैं, “सावरकर का नजरिया यह था कि गाय केवल बैल की मां है, और हालांकि उनके गौमांस सेवन का कोई दृष्टांत नहीं मिलता, लेकिन वे इसके खिलाफ नहीं थे”. “सावरकर: द ट्रू स्टोरी ऑफ द फादर आफ हिंदुत्व” पुस्तक के लेखक पुरंदरे ने बंगलौर लिट्रेचर फेस्टिवल में कहा कि गौरक्षा के मुद्दे पर  सावरकर असमंजस में फंसे हुए थे क्योंकि उनका विचार था कि यदि हिंदुओं को आहत करने के लिए जानबूझकर गायों की हत्या की जाती है तो इससे समस्या पैदा होगी…लेकिन उनका मानना था कि यदि आप ऐसा सिर्फ इसलिए करते हैं क्योंकि आपको गौमांस पसंद है, तो इसमें कोई समस्या नहीं है,” लेखक ने आगे कहा.

जहां तक गायों को पवित्र मानने का सवाल है, वैदिक काल में गायों की बलि देने के विवरण वाली बहुत सी लिखित सामग्री उपलब्ध है. स्वामी विवेकानंद ने अपने लेखन में कई जगह जिक्र किया है कि पवित्र अनुष्ठानों के दौरान गाय की बलि चढ़ाई जाती थी और गौमांस का सेवन भी वर्जित नहीं था. “आपको आश्चर्य होगा यदि मैं आपको बताऊं कि प्राचीनकाल में होने वाले समारोहों में गौमांस का सेवन न करने वाले को अच्छा हिंदू नहीं माना जाता था. कई अवसरों पर बैल की बलि चढ़ाना और उसके मांस का सेवन अनिवार्य होता था.” (विवेकानंद का शेक्सपियर क्लब, पेसाडेना, कैलिफ़ोर्निया, अमरीका में दिया गया भाषण. “द कम्पलीट वर्क्स ऑफ स्वामी विवेकानंद, खंड 3 कलकत्ताः अद्विता आश्रम, 1997, पृष्ठ 536).

यह भी ध्यान देने योग्य है…कि “स्वयं स्वामी विवेकानंद द्वारा स्थापित रामकृष्ण आश्रम द्वारा करवाए गए शोध कार्यों से भी इस बात की पुष्टि होती है. इनमें से एक कहता है “वैदिक काल में ब्राम्हणों समेत आर्य मछली, मांस और यहां तक कि गौमांस तक का सेवन करते थे. किसी विशिष्ट अतिथि के प्रति सम्मान प्रदर्शित करने के लिए उसे भोजन में गौमांस परोसा जाता था. हालांकि वैदिक कालीन आर्य गौमांस का सेवन करते थे, लेकिन दूध देने वाली गायों को नहीं काटा जाता था. गाय का एक पर्यायवाची शब्द था अग्नया जिसका अर्थ होता है ‘जिसका वध नहीं किया जाएगा’. लेकिन वह अतिथि गोगना कहलाता था जिसके लिए गाय की हत्या की जाती थी. लेकिन केवल बैलों, बछड़ों और बांझ गायों का वध किया जाता था” {सी कुन्हन राजा, “वैदिक कल्चर” सतीश कुमार चटर्जी एवं अन्य  (संपादक) द्वारा “द कल्चरल हैरिटेज ऑफ इंडिया, खंड 1 (कलकत्ताः रामकृष्ण मिशन, 1993) पृष्ठ 217 में उदृत}

अंबेडकर द्वारा किए गए अध्ययनों से भी इसकी पुष्टि होती है. प्राचीन भारत के इतिहासवेत्ता प्रोफेसर डी. एन. झा, उनके विद्वतापूर्ण अध्ययन, “मिथ ऑफ होली काऊ” में बताते हैं कि “अथो अन्नं विया गऊ (गाय भोजन है ) जैसे छंद वेदों में मौजूद हैं. बौद्ध धर्म और ब्राम्हणवाद के बीच हुए टकराव के कारण बाद में गाय को माता और पवित्र का दर्जा दिया गया. यह ब्राम्हणवाद के पुनरूत्थान और बौद्ध धर्म पर किए जाए रहे हमलों का हिस्सा था. उस समय भारत में बौद्ध धर्म का सफाया किया जा रहा था.

बाद में स्वाधीनता संघर्ष के दौरान, जब हिंदू और मुस्लिम साम्प्रदायिक राजनीति ने जोर पकड़ा, तब गाय और सूअर का इस्तेमाल दोनों ताकतों ने अपनी-अपनी स्थिति मजबूत बनाने के लिए किया. मस्जिद में सुअर का मांस या मंदिर में गौमांस फेंकने जैसी हरकतें साम्प्रदायिक हिंसा भड़काने के लिए की जाने लगीं जिनसे इन विभाजक प्रवृत्तियों ने जोर पकड़ा. बाद में ऐसे मामले भी सामने आए जब हिंसा भड़काने के लिए मंदिरों में जानबूझकर गौमांस फेंका गया.

गौहत्या पर प्रतिबंध जैसे मुद्दों के जोर पकड़ने और अखलाक से लेकर जुनैद और रकबर खान तक की हत्या इस मुद्दे पर किए जाने से मुस्लिम समुदाय में भय बढ़ता जा रहा है. इस प्रवृत्ति से अल्पसंख्यक समुदाय को कई मुसीबतों का सामना करना पड़ रहा है. मानवतावादी हर्षमंदर ने “कारवां ए मोहब्बत” नामक संगठन बनाया है जो लिंचिंग के शिकार हुए लोगों के परिवारों के जख्मों पर मरहम लगाने का काम करता है. इस तरह के मामलों में निशाने पर सिर्फ मुस्लिम होते हैं. उत्तर-पूर्वी राज्यों (किरण रिजूजू ने खुद स्वीकार किया है कि वे गौमांस का सेवन करते हैं), केरल और गोआ के निवासी इस तरह के हमलों के शिकार नहीं बन रहे हैं.

महाराष्ट्र सरकार ने बहुत चालाकी से केवल देसी गायों को राजमाता का दर्जा दिया है, अन्य किस्मों की गायों को नहीं. भारत से गौमांस का निर्यात साल दर साल बढ़ता जा रहा है. दिलचस्प बात यह है कि विजय त्रिवेदी की अटल बिहारी वाजपेयी पर केन्द्रित पुस्तक “हार नहीं मानूंगा” में जिक्र है कि वाजपेयी अमरीका में गौमांस का सेवन कर रहे थे (पृष्ठ 236) और जब इस बारे में उसी मेज पर बैठे एक व्यक्ति ने उनसे सवाल किया तो वाजपेयी ने मुस्कराते हुए कहा कि यह भारतीय गाय का मांस नहीं है इसलिए इसे खाने में क्या दिक्कत है?

16 अक्टूबर  2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...514515516517...520530540...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved