Opinion Magazine
Number of visits: 9457132
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (5)

દીપક મહેતા|Opinion - Opinion|11 July 2024

૫

ફાર્બસના અમદાવાદ સાથેના સંબંધનો પહેલો તબક્કો ૧૮૫૦માં પૂરો થયો. એ વર્ષના માર્ચમાં તેમને મુંબઈ હાજર થવા સરકારે જણાવ્યું. દલપતરામ અને તેમનું કુટુંબ પણ ‘સાહેબ’ સાથે મુંબઈ ગયા. બધાએ પહેલાં અમદાવાદથી ખંભાત સુધીનો પ્રવાસ બળદ ગાડામાં કર્યો, અને પછી ખંભાતથી મુંબઈની મુસાફરી વહાણમાં કરી. અમદાવાદથી મુંબઈ પહોચતાં તેમને છ દિવસ લાગ્યા. પણ ત્યાર બાદ થોડા જ વખતમાં ફાર્બસની બદલી સુરત કરવામાં આવી. ૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે તેમણે સુરતના અસિસ્ટન્ટ જજ અને સેશન્સ જજ તરીકેની જવાબદારી સંભાળી લીધી. અમદાવાદમાં જેવાં કામો કર્યાં હતાં તેવાં જ સુરતમાં પણ કરવાનો ફાર્બસે પ્રયત્ન કર્યો. તેમણે ‘સુરત અષ્ટાવિંશતિ સોસાયટી’ની સ્થાપના કરી અને તેના પહેલા સેક્રેટરી બન્યા. બેજનજી પાલનજી કોટવાળ અને દુર્ગારામ મંછારામની મદદથી ફાર્બસે સુરતનું પહેલું અખબાર ‘સુરત સમાચાર’ શરૂ કર્યું. ‘પારસીપ્રકાશ’(ખંડ ૧, ભાગ ૬, ૧૮૮૧, પા. ૫૩૯)માં જણાવ્યા પ્રમાણે તેનો પહેલો અંક ૧૮૫૦ના ઓક્ટોબરની ૧૦મી તારીખે પ્રગટ થયો હતો. તે અઠવાડિયામાં બે વખત પ્રગટ થતું. મુકુન્દરાય મણિરાય તેના પહેલા તંત્રી હતા. પણ કેટલાક લોકો આવી ‘અંગ્રેજી વસ્તુઓ’ના વિરોધી હતા. કોઈક બહાના હેઠળ તેમણે મુકુન્દરાયને કોર્ટમાં ઘસડ્યા. તેમના પર બનાવટી સહી કરવા અંગેનો અને બદનક્ષીનો દાવો માંડ્યો. એ વખતે ફાર્બસે મુકુન્દરાયને પૂરેપૂરો ટેકો આપ્યો, અને છેવટે તેઓ નિર્દોષ છૂટ્યા. પાછળથી આ બનાવ અંગે લખતાં મુકુન્દરાયે કહ્યું કે ફાર્બસનો પૂરેપૂરો ટેકો હતો એટલે જ હું આ આકરી કસોટીમાંથી પાર પડી શક્યો. જો  કે, તે પછી, આ અખબાર ઝાઝું જીવ્યું નહિ.

૧૮૫૦ના જુલાઈની પહેલી તારીખે સુરતની પહેલવહેલી લાયબ્રેરી એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના થઇ. સુરતના એક ન્યાયાધીશનું નામ તેને આપવામાં આવ્યું હતું. સુરતની આ પહેલવહેલી લાયબ્રેરીને બેજનજી પાલનજી કોટવાળે ૬૦૦ જેટલાં પુસ્તકો ભેટ આપ્યાં હતાં. સંસ્થાના પહેલા પ્રમુખ ફાર્બસ બન્યા હતા. (માહિતી ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈ કૃત ‘સૂરત સોનાની મૂરત, પા. ૧૯૪ને આધારે.)

સુરતમાં ફાર્બસને માથે એક કપરી કામગીરી આવી પડી. સરકારે ટાઉન્સ ઈમ્પ્રુવમેન્ટ એક્ટ (૧૮૫૦નો ૨૬મો કાયદો) લાગુ કરવાનું નક્કી કર્યું. આ કાયદા હેઠળ શહેર સુધરાઈને ઓકટ્રોય કર ઉઘરાવવાની સત્તા મળતી હતી. પણ આથી સુરતના લોકોના મનમાં ધ્રાસકો પડ્યો કે આ તો અગાઉની રાજાશાહીમાં જેમ મન ફાવે તેમ કરવેરા ઉઘરાવતા હતા તેમ હવે કંપની સરકાર પણ કરશે. લોકોના મનમાં ધૂંધવાતો અગ્નિ ક્યારે જ્વાળા બની સળગી ઊઠે એ કહેવાય તેમ નહોતું. લોકોને સમજાવીને તેમનો વિરોધ ભભૂકી ન ઊઠે તે જોવાની જવાબદારી ૧૮૫૧માં સરકારે ફાર્બસને સોંપી. તેમણે ચોરે ને ચૌટે લોકોની નાની નાની સભાઓ (આજની સ્ટ્રીટ કોર્નર મિટિંગ) ભરવાનું શરૂ કર્યું. દલપતરામ અને દુર્ગારામ મહેતાજીને તેઓ સાથે રાખતા અને તેઓ લોકોને આ નવા કાયદાના ફાયદા સમજાવતા. કેટલીક વાર આવી સભાઓમાં વિરોધીઓ સાથે તડાફડી પણ થતી. એવે વખતે ફાર્બસ શાંતિથી તેમની સાથે વાત કરતા, તેમના વાંધા-વચકાઓના ખુલાસા આપતા. છેવટે તેઓ સુરતના લોકોને ગળે સરકારની વાત ઉતરાવી શક્યા, અને કશા વિરોધ વગર સરકાર એ કાયદાનો અમલ કરી શકી. પરિણામે ૧૮૫૨ના એપ્રિલની ૨૩મી તારીખથી સુરતમાં મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં આવી. આ આખી વાતમાં ફાર્બસે જે ભાગ ભજવ્યો તે માટે સરકારે તેમનો ખાસ આભાર માનતો પત્ર લખ્યો. ૧૮૫૧ના જુલાઈની ત્રીજી તારીખે લખાયેલા ૨૨૭૧ ક્રમાંક ધરાવતા પત્રમાં સરકારે લખ્યું હતું : “આ નાજુક કામ તમે જે કૂનેહ અને વિવેક પૂર્વક પાર પાડ્યું છે તે માટે સરકાર વતી તમારો આભાર માનવાનું મને જણાવવામાં આવ્યું છે.”૭

જો કે આ પત્ર લખાયો તે પહેલાં જ ફાર્બસની બદલી સુરતથી અમદાવાદના ફર્સ્ટ અસિસ્ટન્ટ કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે થઇ ચૂકી હતી. ત્યાર બાદ જુલાઈમાં તેમને ધોળકા અને વિરમગામ જિલ્લાનો વહીવટ સોંપવામાં આવ્યો. ૧૮૫૨ના ઓગસ્ટમાં તેમને મહીકાંઠા એજન્સીના પોલિટિકલ એજન્ટ બનાવવામાં આવ્યા. તેમાં ૧૨ દેશી રાજ્યોનો સમાવેશ થતો હતો. તેમાં સૌથી મોટું ઇડરનું રાજ્ય હતું. એજન્સીના પ્રદેશનો અડધા કરતાં વધુ હિસ્સો આ રાજ્યના તાબા હેઠળ હતો. તાલુકદારોના છોકરાઓને ભણાવવા માટે ફાર્બસે સાદરામાં એક સ્કૂલ શરૂ કરી. આ સ્કૂલ અને તેની બાજુમાં આવેલ બજાર, બંને ફાર્બસ સ્કૂલ અને ફાર્બસ બજાર તરીકે ઓળખાતાં હતાં.

૧૮૪૬માં ફાર્બસ પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારથી દલપતરામની મદદથી તેમણે ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય, વગેરેને લગતી હસ્તપ્રતો એકઠી કરવાનું શરૂ કર્યું હતું. જો શક્ય હોય તો તેઓ હસ્તપ્રત ખરીદી લેતા, અને નહિતર લહિયા પાસે તેની નકલ કરાવી લેતા. આ કામ માટે તેઓ અવારનવાર મુસાફરીઓ પણ કરતા. ‘દ્વયાશ્રય’ની હસ્તપ્રત મેળવવા માટે તેમણે પાટણ જઈને જૈન દેરાસરોની મુલાકાત લીધી. કોઈ પણ ધાર્મિક સ્થળમાં પ્રવેશ કરતી વખતે ફાર્બસ પોતાના જોડા બહાર ઉતારતા. તેમને બેસવા માટે ખુરસી આપવામાં આવે તો પણ તેઓ શેતરંજી પર ઘૂંટણ વાળીને બેસતા. જૈન ધર્મ અને ૨૪ તીર્થંકરો અંગેની ફાર્બસની જાણકારીથી દેરાસરના આચાર્ય પ્રસન્ન થયા. તેમણે ‘દ્વયાશ્રય’ની હસ્તપ્રત ફાર્બસને જોવા તો આપી, પણ તેની નકલ કરાવવા માટે ફાર્બસને તે પ્રત ઉછીની આપવા તૈયાર ન થયા. ત્યારે ફાર્બસે કહ્યું કે આપ મને તેની નકલ કરાવી મોકલી આપો. નકલ કરવા માટે લહિયાને સાધારણ રીતે ૧૦૦ શ્લોકના બે રૂપિયાના દરે મહેનતાણું ચૂકવાતું. તેને બદલે ફાર્બસ સામે ચાલીને અઢી રૂપિયા આપવા તૈયાર થયા.

એક વાર ફાર્બસ વલ્લભીપુર ગયા હતા ત્યારે તેમણે ગરબા જોવાની ઈચ્છા બતાવી. તે માટે પત્ની સાથે તેઓ રાત્રે કોળીવાડામાં ગયા. થોડા ગરબા જોયા પછી ફાર્બસે કહ્યું કે હવે મારે મલ્હારરાવનો ગરબો જોવો છે. પણ તેમાં અંગ્રેજ અફસરોની મશ્કરી કરવામાં આવી હતી અને અંગ્રેજ સરકારની ટીકા કરવામાં આવી હતી. આથી કોળી સ્ત્રીઓ એ ગરબો ગાતાં અચકાતી હતી. પણ દલપતરામની મદદથી ફાર્બસે સ્ત્રીઓને એ ગરબો ગાવા સમજાવી. તો ઇડરની મુલાકાત દરમ્યાન ફાર્બસે આસપાસના ગામોમાંથી ભાટ-ચારણોને બોલાવ્યા. દિવસ દરમ્યાન સરકારી કામ કરતા અને ફૂરસદને વખતે એક-એકને બોલાવી તેમની પાસેથી કવિત સાંભળતા. વિદાય વખતે દરેકને રિવાજ પ્રમાણે કંઈ ને કંઈ શરપાવ આપતા.

૧૮૫૩મા એક્ટિંગ જજ અને સેશન્સ જજ તરીકે ફાર્બસ ફરી અમદાવાદ આવ્યા. કોઈ પણ કેસમાં ચુકાદો આપતી વખતે કાયદાની સાથે સાથે તેઓ સ્થાનિક રીતરિવાજનો પણ ખ્યાલ રાખતા. ‘દેશી’ઓની ખૂબીઓ અને ખામીઓથી પણ ફાર્બસ સારી પેઠે વાકેફ હતા. ફાર્બસે કેટલાક ચુકાદાઓ કેવી કૂનેહપૂર્વક આપ્યા હતા તેની વાત દલપતરામે પોતાની લેખમાળામાં કરી છે. ફાર્બસ ૧૮૫૩માં ફરી અમદાવાદ આવ્યા પછી થોડા જ વખતમાં સરકારે રખડતા કૂતરાઓને મારી નાખવા અંગેનો હુકમ જાહેર કર્યો. કેટલાક વધુ પડતા ઉત્સાહી પોલીસોએ હિન્દુઓનાં ઘરોની બહાર જ તલવારથી કૂતરાઓને મારી નાખ્યા. જોતજોતામાં આખા શહેરમાં વાત પ્રસરી ગઈ અને જાતજાતની અફવાઓ ફેલાઈ. નગરશેઠ હિમાભાઈએ દલપતરામને કહ્યું કે તમે જઈને સાહેબને સમજાવો. દલપતરામની વાત સાંભળ્યા પછી ફાર્બસે કહ્યું કે હિંદુ વેપારીઓને કૂતરા મરે એનું દુ:ખ થાય છે, પણ એ જ કૂતરા કરડવાથી જે બાળકો મરી જાય છે તેમના માટે દુ:ખ થતું નથી. પછી તેમણે કહ્યું કે હિંદુઓ જો ખરેખર કૂતરાઓને બચાવવા માગતા હોય તો દરેક હિન્દુએ એક-એક કૂતરાને પાળવાની જવાબદારી લેવી જોઈએ. તેમણે કૂતરાને સાંકળ પહેરાવવી જોઈએ અને તેને છુટ્ટા રખડવા દેવા ન જોઈએ. શહેરમાં રખડતાં કૂતરાંની સંખ્યા કરતાં તેમાં વસતા હિન્દુઓની સંખ્યા વધુ મોટી છે. એટલે જો દરેક હિંદુ એક એક કૂતરો પાળે તો શહેરમાં એક પણ રખડતો કૂતરો જોવા મળશે નહિ. અને તો પછી રખડતા કૂતરાઓને મારી નાખવાનો પ્રશ્ન જ રહેશે નહિ. દલપતરામે જ્યારે ફાર્બસની વાત હિમાભાઈને અને બીજા વેપારીઓને જણાવી ત્યારે તેમણે કહ્યું કે આમ કરવું તો અમારે માટે શક્ય નથી. અમે તો માત્ર પૈસા આપી શકીએ. એટલે શહેરની પાંજરાપોળને તેમણે લોઢાની બે હજાર સાંકળો ભેટ આપી. જે લોકો કૂતરા પાળવા માગતા હોય તેમને એ મફત આપવામાં આવશે એવી જાહેરાત કરી. બે કલાકમાં તો બધી સાંકળ ઉપડી ગઈ. કારણ જાહેરાત થતાં વેંત જ આસપાસમાં રહેતાં કુટુંબોમાંથી એક કરતાં વધુ સભ્યો આવીને સાંકળ લઇ ગયા. એટલે ઘણા લોકોને તો ખાલી હાથે પાછા જવું પડ્યું. પણ પછી દલપતરામ ઉમેરે છે : પણ તે પછી ભાગ્યે જ કોઈ ઘરમાં પાળેલો કૂતરો જોવા મળ્યો હતો. ઘણાખરા લોકોએ એ સાંકળ ભંગારમાં વેચીને થોડા પૈસા ઊભા કરી લીધા હતા. 

(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com

Loading

Rahul Gandhi’s Hinduism versus BJP-RSS’s Hindutva

Ram Puniyani|English Bazaar Patrika - OPED|11 July 2024

Ram Puniyani

After the mandate of recent Lok sabha elections (2024), the parliament has become a real ground where the voice of opposition also has a space. In the debate following the President’s Address, Rahul Gandhi, the Leader of opposition responded by outlining the various problems facing the country. One part of his speech, which probably has been expunged from the proceedings related to the nature of Hinduism. As per him Hinduism is based on truth and non violence. “India is a country of non-violence, and not of fear. All our great men have spoken about non-violence and overcoming fear.” Gesturing towards the benches of BJP MPs, Gandhi added: “Those who call themselves Hindus speak all day about violence, hate and untruth.”

Since then many protests by Sadhus have taken place against Rahul’s statement. In Ahmedabad Congress office was attacked. RSS Combine is spreading that Rahul has called all Hindus violent etc. On the other side Rahul has elaborated that what he means by Hinduism is based on truth, non violence and love. RSS ideologues are taking a sweep that Nehru to Rahul Gandhi’s ideology is out of touch with reality. As per them they have restricted only to minority questions to preserve their vote bank.

As such from the INDIA block many have stood with Rahul’s elaboration of the humanistic view of Hinduism. There is some overlap between the use of the word Hinduism and Hindutva currently. As Uddhav Thackeray said that his views on Hindutva are the same as Rahul elaborated (about Hinduism). RSS ideologues also criticize Nehru for starting his work of Sampradayikata Virodhi Abhiyan (Campaign against communalism) as being directed against RSS! They also take Nehru on for opposing President Rajendra Prasad’s inaugurating the Somanth temple. They claim that RSS hindutva derives from Dayanand Sarswati, Swami Vivekanand, Bankim Chandra Chatterjee and Shyama Prasad Mukerjee. As such RSS ideology does not have much to do with ideologies of Dayanand Sarswati and Swami Vivekanand, except using their names to cover their ideology.

As Hinduism is not a prophet based religion many interpretations of the same have been used. The very word Hindu is missing in the Holy Hindu scriptures, Vedas, Upnishad, Gita or Manu smriti. The word was coined by those coming from West of Sindhu, for whom the word S was used in a restricted manner and for S they used to pronounce H. Sindhu became Hindu and the word initially denoted the area spread from Sindhu river to sea. The earlier religious tendencies prevalent here were Vedic religion (which also can be labeled as Brahmanism), Ajivikas, Tantra, Nath, Shaiva, Buddhism and Jainism in the main.

Later the word Hindu became a conglomerate of different tendencies (barring Buddhism and Jainism) prevailing here. Except Brahmanism the other tendencies were called Shramans. The main difference between Brahmanism and Shramanism was the presence of caste and gender hierarchy in Brahmanism. The construction of the term Hinduism has been well explained by historian D. N. Jha in his Presidential address of Indian History Congress 2006. He points out “Of Course the Word (Hindu, added) was in use in pre colonial India, but it was not before late eighteen or early 19th Century that it was appropriated by British scholars.” Since then it has found wider use. From here on the term was used for all in the subcontinent except for those who were Sikhs, Jains, Buddhists, Muslims and Christians.

As there were no rigid boundaries, the Brahmanical stream projected Vedas and Manusmriti as sacred scriptures. The major understandings of Hinduism also varied. For Ambedkar Hinduism is dominated by Brahmanism, caste system. That’s what led him to burn Manusmiriti. Mahatma Gandhi had on other hand called himself a Sanatani Hindu and wrote in Young India on 6th October 1921 “Hinduism tells everyone to worship God according to his own faith or Dharma, and so it lives at peace with all the religions.” A unique concept for interfaith relations and pluralism! Now Rahul Gandhi while talking about Hinduism harps on truth, love and non violence as being the core of Hinduism.

The word Hinduta was coined by Chandranath Basu in 1892 and linked it with the idealism of attaining spiritual heights. At the political level of this word Hindutva was introduced and defined by Savarkar in his book ‘Essentials of Hindutva’. (1923) His Hindutva is based on Aryan race, this Holy land (from Sindhu to Seas) and Culture (Brahmanical). Savarkar was very critical of Buddhism’s non violence and attributed India’s weakness to non violence propagated by Buddhism. This is a totally warped up understanding of our History. There was no country in the modern sense, and even if we grant Kingdoms equal to country we need to remember Emperor Asoka adopted Buddhism and his empire was the largest in Ancient India. He defined Hindu as one who regarded this land as his fatherland and Holy land.

RSS takes off from Savarkar and regards Islam and Christianity as foreign religions and upholds the ancient Holy Scriptures (Manu Smriti e.g.). RSS has made violence as part of its creed and its head office has an exhibition of various armaments, which are worshipped on the Dussera day. RSS shakhas have spread Hate by demonizing Muslim kings like Khilji, Babar, Aurangzeb and glorified Hindu Kings like Rana Pratap, Shivaji and Prithviraj Chauhan. It had also been critical of the national movement as people of all religions participated in it. It claims to represent the Hindus, as it takes up the emotive issues like temple destructions, Cow beef, and forcible conversions. The Hate spread by RSS was pointed out by none other than Sardar Vallabh bhai Patel after banning RSS in 1948, “All their speeches were full of communal poison, as a final result of the poison, the country had to suffer the sacrifice of the invaluable life of Gandhiji.”

While leaders like Mahatma Gandhi to Rahul Gandhi have expanded and enhanced the humane aspect of Hinduism, the Savarkar-RSS have treaded the path of hate and consequent violence. While Ambedkar stands to oppose the Brahmanical domination of Hindu practice, Mahatma Gandhi to Rahul are giving an inclusive and non violent meaning to Hinduism.

Loading

દૃષ્ટિ અને કાર્યશીલતાનો સમન્વય સુધા મૂર્તિ

સોનલ પરીખ|Opinion - Opinion|11 July 2024

દૃષ્ટિ વિનાનું કાર્ય સમય પસાર કરવાની પ્રવૃત્તિ જેવું છે અને કાર્ય વિનાની દૃષ્ટિ સ્વપ્ન જેવી. પણ જ્યારે દૃષ્ટિ અને કાર્યશીલતા ભેગાં થાય ત્યારે દુનિયાને બદલી નાખતી ઊર્જા પેદા થાય છે. 

— સુધા મૂર્તિ       

વિશ્વ કવિતા દિવસ નજીક છે ત્યારે મનમાં કેટલાક વિચાર આવે છે. પશ્ચિમની આદ્ય કવયિત્રીનું નામ છે એન્હોડુઆના. સુમારિયાનું ઉર રાજ્ય એના પિતાનું હતું. ત્યારે સુમેરિયન અને આકાડિયાન ધર્મો વચ્ચે સતત ઝઘડો ચાલતો. એન્હોડુઆનાના પિતાએ એમની વચ્ચે સુલેહ કરાવી હતી. એન્હોડુઆનાનો સમય ઇસાપૂર્વે 2286થી 2251 ગણાય છે. એન્હોડુઆના ચંદ્રદેવ(સીન)ની માન્ય અને ઉચ્ચ કક્ષાની પૂજારણ હતી. તેણે પહેલાં કાવ્યો ઈશ્વરસ્તુતિ રૂપે રચેલાં એમ કહેવાય છે. માત્ર 35 વર્ષની વયે તેનું મૃત્યુ થયું હતું.

સુધા મૂર્તિ

એ સમયે ભારતમાં વેદો રચાતા હતા. વેદનો રચનાકાળ ઈસાપૂર્વે 2500થી 500 ગણાય છે. વેદમંત્રો છંદોબદ્ધ કાવ્યપંક્તિઓ રૂપે છે, જે પરમ તત્ત્વની, પરમને પામવાની આધારભૂત વિદ્યા ગણાય છે. પ્રાચીન કાવ્યો પ્રાર્થના કે ધાર્મિક વાર્તાના રૂપે મળે છે. ત્યાર પછી પૂર્વમાં અને પશ્ચિમમાં કાવ્યવિકાસના અનેક રસપ્રદ તબક્કાઓ નોંધાયા છે, જેનું આધુનિકતમ રૂપ છે એ.આઈ. ક્રિએટેડ પોએમ્સ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રચિત કાવ્યો.

કવિઓના જીવ ઊંચા થઈ જાય એવી વાત તો છે, પણ એમ ગભરાવાનું નહીં. એચ.આઈ. એટલે કે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કોઈ ચીજ છે. લઈશું ને ટક્કર એ.આઈ. સામે. સમજીએ તો ખરા કે આ એ.આઈ. ક્રિએટેડ પોએમ્સ શું ચીજ છે! અલ્ગોરિધમ અને રૂલ્સના સેટથી બનેલા એક કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા અસ્તિત્વમાં હોય તેવાં કાવ્યોનો ખૂબ મોટો ડેટા મશીનમાં નાખી તેમાંથી જે નવા કાવ્યનું સર્જન થાય છે તેનું નામ એ.આઈ. પોએમ્સ. આમ જુઓ તો માણસના મગજમાં પણ આ જ થાય છે ને? અત્યાર સુધીમાં એ.આઈ.એ હાઇકુ, સોનેટ, ફ્રી વર્સ એટલે કે મુક્ત છંદ અને લિમરિક્સ એટલે કે હળવાં કાવ્યો સર્જી બતાવ્યાં છે. આ કાવ્યોની મૂળભૂતતા, સર્જકતા, સંવેદના, ગુણવત્તા વગેરે સંદર્ભે વિવાદો ઓછા નથી અને હજી સુધી કોમ્પ્યુટર આશ્ચર્ય, મુગ્ધતા, તલસાટ, પ્રતીક્ષા, પીડા કે ‘ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તો ય શું?, કાગળમાં ચીતરેલું કમળ હોય તો ય શું?’ જેવા નિર્વેદને સમજતું નથી; છતાં એ.આઈ. પોએમ્સને ‘ન્યૂ આર્ટ’ તરીકે વધુ ને વધુ આવકાર મળી રહ્યો છે એ હકીકત છે. ભવિષ્યના સાહિત્યમાં એનો એક રોલ હશે.

કાવ્યો વિષે આટલી વાત કર્યા પછી આપણે જુદી જાતની વાર્તાઓના એક પુસ્તકની વાત કરીએ. તેનું નામ છે ‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ લેખિકા છે સુધા મૂર્તિ. હા, એ જ સુધા મૂર્તિ જેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાજ્યસભા માટે નૉમિનેટ કર્યાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારીશક્તિનાં પ્રતીક તરીકે આવકાર આપ્યો. આ ઘટનાઓ પહેલાં પણ ઇન્ફોસિસનાં ચેરપર્સન અને અંગ્રેજી-કન્નડ ભાષાનાં લેખિકા સુધા મૂર્તિ સૌનાં જાણીતાં-માનીતાં હતાં જ. એમની પ્રતિભાની આ પ્રકારની સ્વીકૃતિથી એમના અનેક ચાહકો આનંદ પામ્યાં છે. ‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ નૉનફિકશન કેટેગરીમાં આવે છતાં એના વર્ણનમાં લખવું પડે કે આમાં 51 વાર્તાઓ છે! કારકિર્દી, સર્જન, પ્રવાસ અને સમાજસેવા દરમ્યાન લેખિકાને થયેલા અનુભવોમાંથી થોડાકનો અહીં ચિતાર છે. એવી વ્યક્તિઓ, પરિસ્થિતિઓ અને મૂલ્યોની વાત છે જે દરેકને એના જીવનપ્રવાસમાં કામ આવે. જેમ કે આ વાર્તા :

સ્કૂલ વખતની મિત્રોનું ગેટ-ટુ-ગેધર હતું. 25 વર્ષે બધા મળતાં હતાં. લેખિકા લખે છે, ‘શાળામાં ભણતી નાની છોકરીઓ હતાં ત્યારથી અમે એકબીજાનાં દોસ્ત હતાં. પછી અમે જુદી જુદી કોલેજોમાં ગયાં, પરણ્યાં, બાળકો થયાં. આછોપાતળો સંપર્ક અને સ્નેહ સચવાયા, પણ મળવાનું ગોઠવાતાં 25 વર્ષ ગયાં. ખૂબ સ્વપ્નો જોતાં એ વખતે, એમાંનાં કેટલાં સાકાર થયાં હશે?’

આ વિમલ – એના લાંબા સુંવાળા વાળ, ચમકતી ચામડી, ઘાટીલું શરીર આ બધાનો આજે પત્તો નથી. ખૂબ જાડું શરીર, ચહેરા પર કરચલી ને પાંખા ટૂંકા વાળમાં એ ઓળખાતી પણ નથી. પણ એની વાતોમાં એ જ બૌદ્ધિક અપીલ છે. સાચું છે; સુંદરતા નશ્વર છે, બુદ્ધિ અનશ્વર. પેલી વિનીતા ખૂબ બુદ્ધિશાળી હતી. મીની-કૉમ્પ્યુટર કહેવાતી. કૉલેજમાં એના જેવો જ પાર્થ મળી ગયો. બંને ખૂબ સુખી થશે એવી સૌને ખાતરી હતી, પણ પાર્થ લઘુતાગ્રંથિનો શિકાર બન્યો અને વિનીતાને વાતેવાતે તોડી પાડવા લાગ્યો. આજની સાવ ઝાંખી, આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી વિનીતાને જોઈ થાય છે, પત્ની પતિની સફળતા અને પ્રતિભાથી ખુશ થાય છે, પતિ એવું ક્યારે શીખશે? શીખશે ખરો? અને રત્ના – એટલી સામાન્ય કે કોઈને એની નોંધ લેવાનું યાદ ન આવે. પતિ પણ એવો જ મળ્યો. આજે રત્ના ફેશનેબલ, સ્ટાઇલિશ, સફળ બિઝનેસ વુમન છે. અમે પૂછ્યું ત્યારે રત્નાએ કહ્યું, ‘મારો પતિ માબાપથી દબાઈ ગયો હતો – સહાયક તરીકે આદર્શ, પણ લીડ ન લઈ શકે. મારે દબાઈ જવું નહોતું. સારી નોકરી મેળવવા જેટલું તો હું ભણી નહોતી, પણ સિલાઈ જાણતી એટલે તૈયાર કપડાંથી શરૂઆત કરી અને એકમાંથી બીજું શીખતી ગઈ.’

વાતનો બંધ વાળતાં લેખિકા કહે છે, ‘અમને લાગતું હતું કે વિનીતા સફળ નીવડશે ને રત્ના સામાન્ય રહી જશે, પણ વીસનાં અમે જુદાં હતાં, અત્યારે જુદાં છીએ.’ વાર્તાનું શીર્ષક છે ‘આઇડિયાલિસ્ટિક એટ ટવેન્ટી, રિયાલિસ્ટિક એટ ફોર્ટી’.

પુસ્તકની વાર્તાઓમાં ભારતની પ્રકૃતિ અને સંસ્કૃતિ, માનવસ્વભાવનાં સારાંમાઠાં પાસાં, સમય સાથે બદલાતા લોકો, સવારથી શ્રીમંતાઈ, ગરીબી વચ્ચે પણ અન્યનો વિચાર કરતા માણસો, પ્રામાણિકતા-કૃતજ્ઞતા જેવા ગુણો, જિંદગી, વાસ્તવિકતા અને પરિવર્તનોની અનિવાર્યતા જેવાં તત્ત્વો જોવા મળે છે. એનું વાંચન પોતાને સમજવા, આકાર આપવામાં મદદરૂપ થાય એમ છે. જે કહેવું છે તે વાર્તારૂપે કહેવાયું હોવાથી દરેક ઉંમરના લોકોને રસ પડે છે. દરેક વાર્તા બેત્રણ પાનાંમાં સમાઈ જાય એવી છે. ગમે ત્યાંથી શરૂ કરો, મજા જ પડે. આ પુસ્તક 2002માં પ્રગટ થયું, પ્રકાશક પેંગ્વિન બુક્સ, ઇન્ડિયા. ત્રીસેક હજાર નકલો વેચાઈ. એનું ગુજરાતી સોનલ મોદીએ ‘મનની વાત’ નામથી કર્યું છે. પ્રકાશક આર. આર. શેઠ.

સુધા મૂર્તિ ઉત્તર કર્ણાટકમાં 1950માં જન્મ્યાં. કોલેજમાં ભણતાં ત્યારે 599 છોકરાઓ અને તેઓ એક જ છોકરી હતાં. એમણે કોમ્પ્યુટર સાયન્સમાં એમ.ટેક. કર્યું. તેઓ ઇન્ફોસિસનાં ચેરપર્સન અને ગેટસ ફાઉન્ડેશનના પબ્લિક હેલ્થ ઈનીશિએટિવ્સનાં સભ્ય છે. એમના પતિ નારાયણ મૂર્તિ અને જમાઈ ઋષિ સુનક આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વો છે. લેખિકા તરીકે એમણે નવ નવલકથાઓ, ચાર ટેકનિકલ પુસ્તકો, ત્રણ પ્રવાસવર્ણનો, એક ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, ત્રણ નૉનફિક્શન પુસ્તકો અને બે બાળપુસ્તકો આપ્યાં છે. આ પુસ્તકોના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે, લાખો નકલો વેચાઈ છે. સાહિત્યસર્જન માટે આર.કે. નારાયણ ઍવોર્ડ, 7 ઓનરરી ડૉક્ટરેટ, પદ્મભૂષણ સહિત અનેક સન્માનો મેળવી ચૂકેલાં સાદાં, કામગરાં અને હળવાશભર્યાં સુધા મૂર્તિ માટે નરેન્દ્ર મોદીના શબ્દો ‘આવી નારીઓ જ દેશને નવું પરિમાણ આપી શકે’ બિલકુલ યોગ્ય છે.

‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ પુસ્તકમાં એમણે લખ્યું છે, ‘દૃષ્ટિ વિનાનું કાર્ય સમય પસાર કરવાની પ્રવૃત્તિ જેવું છે અને કાર્ય વિનાની દૃષ્ટિ સ્વપ્ન જેવી. પણ જ્યારે દૃષ્ટિ અને કાર્યશીલતા ભેગાં થાય ત્યારે દુનિયાને બદલી નાખતી ઊર્જા પેદા થાય છે.’ અને ‘શિક્ષણ એટલે માર્કસ નહીં. શિક્ષણ એટલે સર્ટિફીકેટો નહીં. શિક્ષણ તો એ છે જે જીવનમાંથી મળે છે. અજાણ્યો અભ્યાસક્રમ, દરેક વખતે નવું પેપર, ગમે ત્યારે પરીક્ષા અને અનેક દિશામાંથી આવતા અનેક પ્રશ્નો. પણ ભાગશો નહીં. આત્મવિશ્વાસ અને પોઝિટીવીટી સાથે આગળ વધશો તો જીત તમારી જ છે.’

છે ને જાણીતી, હળવી અને યાદ રાખવા જેવી વાતો? સેલ્યુટ ટુ સુધા મૂર્તિ …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 માર્ચ  2024

Loading

...102030...505506507508...520530540...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved