Opinion Magazine
Number of visits: 9664889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

नफरती भाषणों, अल्पसंख्यकों के दानवीकरण का तेजी से बढ़ता ग्राफ

राम पुनियानी|Opinion - Opinion|1 December 2024

राम पुनियानी

आरएसएस-भाजपा और उनसे जुड़े संगठन हर मौके का उपयोग अल्पसंख्यकों के दानवीकरण के लिए करते आए हैं. यद्यपि नफरत फैलाने वाले भाषण देना अपराध है, और उसके लिए सजा का प्रावधान भी है मगर अधिकांश मामलों में दोषियों के खिलाफ कोई कार्यवाही नहीं होती. पिछले एक दशक से एक सांप्रदायिक पार्टी के सत्ता में होने के कारण नफरत-भरी बातें खूब कही जा रही हैं. इससे धार्मिक अल्पसंख्यकों के बारे में आम लोगों में नकारात्मकता का भाव जड़ पकड़ रहा है. व्हाट्सएप समूहों में जिस तरह की बातें होती हैं और आम मानसिकता जैसा बनती जा रही है, उससे ऐसा लगता है कि अल्पसंख्यकों से नफरत करना एकदम सामान्य बात है. इसकी जड़ में है नफरत फैलाने वाला तंत्र, जिसके चलते नकारात्मक सामाजिक धारणाएं विकसित होती हैं और बंधुत्व व सामाजिक सद्भाव की अवधारणाओं – जो भारतीय संविधान के तीन मूलभूत आधारों में से एक हैं – को धक्का पहुँचता है.

कई नए मसले उठाए जा रहे हैं. बल्कि अब बात सिर्फ मसले उठाने तक सीमित नहीं रह गई है. अब तो सीधे कार्यवाही का आव्हान किया जा रहा है. जो बातें कही जा रही हैं वे गलत धारणाओं पर आधारित हैं और सामाजिक विभाजन को और गहरा करती हैं. “हम दो, वो पांच, उनके पच्चीस” और “राहत शिविर बच्चे पैदा करने की फैक्ट्रियां हैं” जैसे नारों और वक्तव्यों में इस तरह की धारणाएं जोड़ दी गईं हैं जैसे मुग़ल बादशाह बाहरी थे, उन्होंने हिन्दुओं के साथ अन्याय किया था, मंदिर तोड़े  थे और तलवार की दम पर इस्लाम फैलाया था. अब यह भी कहा जा रहा है कि मुसलमानों को उनके कपड़ों से पहचाना जा सकता है, कि वे हमारी गौमाता के हत्यारे हैं और यह कि वे लव जिहाद के ज़रिये हमारी लड़कियों और महिलाओं को अपने जाल में फंसा रहे हैं. अब तो जिहाद की पूरी सीरीज बन गई है जिसमें लैंड जिहाद और वोट जिहाद शामिल हैं.

सन 2024 के लोकसभा चुनाव के लिए प्रचार के दौरान मोदी ने नफरत फैलाने वाले भाषण देने में कोई कसर बाकी नहीं छोड़ी. ह्यूमन राइट्स वाच के अनुसार, चुनाव के दौरान मोदी ने नफरत फैलाने वाले 110 भाषण दिए. रिपोर्ट कहती है, “मोदी ने अपने भाषणों में इस्लामोफोबिक (इस्लाम के प्रति डर पैदा करने वाली) बातें कहीं. इसका एक उद्देश्य अपने राजनैतिक विपक्ष पर हमला बोलना था, जिसके बारे में मोदी ने कहा कि वह मुसलमानों के अधिकारों को बढ़ावा देता है. और दूसरा उद्देश्य दुष्प्रचार के द्वारा बहुसंख्यक हिन्दू समुदाय में मुसलमानों के प्रति डर का भाव पैदा करना था.

मोदी के भाषणों का एक और नमूना भी उतना ही डरावना है. मुसलमानों को आरक्षण देने के प्रस्ताव को कांग्रेस द्वारा मुसलमानों का तुष्टीकरण बताते हुआ मोदी ने कहा: “यह भारत के इस्लामीकरण और उसके टुकड़े-टुकड़े करने के घृणित प्रयासों का हिस्सा है. जब यूपीए सरकार सत्ता में आई, तब भी उसने ऐसे ही प्रयास किये थे. चाहे जस्टिस वर्मा समिति की रिपोर्ट हो या सच्चर समिति की. ये सब पिछड़ा वर्गों, अनुसूचित जातियों और अनुसूचित जनजातियों के आरक्षण को लूटने के कांग्रेस के प्रयास थे.”

हाल में झारखण्ड और महाराष्ट्र में हुए विधानसभा चुनावों में नफरत फैलाने वाले भाषणों ने सभी सीमाएं पार कर लीं. भाजपा के हेमंत बिस्वा सरमा के प्रचार का प्रमुख मुद्दा था राज्य में कथित तौर पर मुस्लिम घुसपैठियों का प्रवेश. भाजपा द्वारा जारी एक निहायत ही घिनौने विज्ञापन में दिखाया गया था कि एक बड़ा मुस्लिम परिवार, एक हिन्दू घर पर हल्ला बोल पर उस पर कब्ज़ा जमा रहा है. हम सब जानते हैं कि झारखण्ड की कोई अंतर्राष्ट्रीय सीमा नहीं है. फिर आखिर वे मुसलमान कौन हैं जो हिन्दू घर पर कब्ज़ा कर रहे हैं? अलबत्ता एक नयी चीज़ जो इस बार हुई वह यह थी कि चुनाव आयोग ने उस विज्ञापन को हटाने का आदेश जारी किया. मगर यह वीडियो उसके स्त्रोत (जहाँ से उसे हटा दिया गया) के अतिरिक्त अन्य स्थानों पर तो हो ही सकता है. एक अन्य भड़काऊ प्रचार यह था कि मुसलमान, आदिवासी लड़कियों से शादी कर आदिवासियों की ज़मीनों पर काबिज हो रहे हैं. इस आरोप को साबित करने के लिए कोई आंकड़े उपलब्ध नहीं थे. मगर इससे क्या? लोगों को बांटने का उद्देश्य तो पूरा हो रहा था. नारा यह दिया गया कि मुस्लिम घुसपैठिये, आदिवासियों से उनकी रोटी, बेटी और माटी छीन रहे हैं. और यह वक्तव्य हमारे प्रधानमंत्री का था!

इन चुनावों का मुख्य नारा योगी आदित्यनाथ की भाजपा को भेंट थी.  नारा था “बटेंगे तो कटेंगे”. सन्देश यह था कि हिन्दुओं को एक रहना चाहिए. उनकी बात का समर्थन करने हुए भाजपा के पितृ संगठन आरएसएस के दत्तात्रेय होसबले ने कहा, “महत्वपूर्ण बात यह है कि अगर हिन्दू एक रहेंगे तो यह सबके लिए अच्छा होगा. हिन्दू एकता स्थापित करने की संघ ने शपथ ली है.”

आदित्यनाथ के ‘बटेंगे तो कटेंगे’ के नारे को थोडा संशोधित करते हुए प्रधानमंत्री मोदी ने “एक हैं तो सेफ हैं” का नारा दिया. उनके कहने का मतलब यह था कि हिन्दुओं को अगर अल्पसंख्यकों, जो उनके लिए खतरा हैं, से सुरक्षित रहना है तो उन्हें एक होना होगा.

महाराष्ट्र के मुख्यमंत्री ने लैंड जिहाद और वोट जिहाद की बात की, और अन्य नारों के अलावा, यह भी कहा कि भारत जोड़ो यात्रा में अर्बन नक्सल और अति-वामपंथी लोग शामिल हुए थे.

इस सबके नतीजे में हुए सांप्रदायिक ध्रुवीकरण का मतदान पर जो असर हुआ वह साफ़ दिख रहा है. सामाजिक सोच में बदलाव भी सब देख सकते हैं. व्हाट्सएप समूहों और हिन्दू घरों के ड्राइंगरूमों में इन दिनों होने वाली चर्चा भी इसकी गवाह है.

क्रिस्टोफ़ जैफ़रलॉट एक मेधावी अध्येता हैं, जिन्होंने हिन्दू राष्ट्रवाद के उत्थान का गंभीर और बारीक अध्ययन किया है. उन्होंने मार्च-अप्रैल 2024 में सीएसडीएस द्वारा किए गए अध्ययन को उदृत किया है. इस अध्ययन में हिन्दुओं से मुसलमानों के बारे में उनकी राय पूछी गई थी. अध्ययन से सामने आया कि अधिकांश हिन्दू मानते हैं कि मुसलमान उतने विश्वसनीय नहीं होते जितने कि अन्य लोग होते हैं, उनका तुष्टिकरण हो रहा है, आदि, आदि. इस अध्ययन से पता चलता है कि हमारा समाज, मुसलमानों के बारे में नकारात्मक सोच रखता है. अध्येता शायद हमें यह भी बता सकें कि पिछले कुछ दशकों में यह नकारात्मकता और गहरी, और गंभीर क्यों हुई है.

मजे की बात यह है कि मोदी का दावा है कि वे सांप्रदायिक भाषण नहीं देते. चुनाव प्रचार में उनकी मुस्लिम-विरोधी टिप्पणियों के बारे में पूछे जाने पर मोदी ने पत्रकारों से कहा, “जिस दिन मैं (राजनीति में) हिन्दू-मुस्लिम की बातें करने लगूंगा, उस दिन मैं सार्वजनिक जीवन के लिए अयोग्य हो जाऊँगा. मैं हिन्दू-मुस्लिम कभी नहीं करूंगा. यह मेरा संकल्प है.” कथनी और करनी में कितना अंतर हो सकता है!

हिन्दुओं में व्याप्त गलत धारणाओं के कारण ही देश की फिजा में जहर घुल रहा है. इससे मुसलमान अपने मोहल्लों में सिमट रहे हैं और “दूसरे दर्जे के नागरिक” बनने के करीब पहुँच रहे हैं.

इस विभाजन से कैसे निपटा जाए? हमें एक वैकल्पिक नैरेटिव को लोगों के बीच ले जाना होगा. हमें लोगों को हमारे स्वाधीनता संग्राम के मूल्यों और हमारी साझा और बहुवादी संस्कृति के बारे में बताना होगा. हमें उन्हें बताना होगा कि सभी धर्मों के लोगों ने कंधे से कन्धा मिलाकर आज़ादी की लड़ाई लड़ी थी और उसी लड़ाई के मूल्य हमारे संविधान का हिस्सा हैं.

बुधवार, 27 नवम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 केनेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ભારત સાથે આઝાદ થયેલા મોટા ભાગના દેશોએ લોકશાહી ગુમાવી દીધી છે, પણ ભારત બચ્યું છે એનું કારણ

રમેશ ઓઝા|Opinion - Opinion|1 December 2024

રમેશ ઓઝા

૧૯૯૭માં ભારતની આઝાદીનો સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ સમયે ઇન્દર કુમાર ગુજરાલની કેન્દ્રમાં સરકાર હતી અને પૂર્ણો સંગમાં લોકસભાના સ્પીકર હતા. મારી દૃષ્ટિએ આજ સુધી લોકસભાને મળેલા સારા સ્પીકરોમાંના એક. ઇન્દર કુમાર ગુજરાલની ત્રીજા મોરચાની સરકાર સંખ્યાની દૃષ્ટિએ નબળી સરકાર હતી, પરંતુ ગુજરાલ પોતે બહુશ્રુત વિદ્વાન હતા. એ સમયે પુર્ણો સંગમાંએ નિર્ણય લીધો હતો કે આઝાદીની સુવર્ણ જયંતી નિમિત્તે લોકસભા અને રાજ્યસભાની ખાસ બેઠક બોલાવવામાં આવે અને તેમાં ભારતીય રાષ્ટ્રની અવધારણા, આઝાદીનાં આંદોલનમાંથી નીપજેલાં આદર્શો અને મૂલ્યો, ભારતનું બંધારણ તેમ જ બંધારણીય મૂલ્યો, લોકતાંત્રિક ભારતની પાંચ દાયકાની યાત્રા, યાત્રાનાં લેખાજોખાં, તેની સફળતા, નિષ્ફળતા તેમ જ પડકારો અને ભવિષ્યના ભારત વિષે નિખાલસ નિષ્પક્ષ તેમ જ વિગતે ચર્ચા કરવામાં આવે.

૨૬મી ઑગસ્ટ ૧૯૯૭થી લઈને પહેલી સપ્ટેમ્બર ૧૯૯૭ એમ પાંચ દિવસ માટે સંસદનું ખાસ અધિવેશન મળ્યું હતું. એમાં જે ચર્ચા થઈ હતી એ ચર્ચા ઈંટરનેટ પર ઉપલબ્ધ છે અને દેશને પ્રેમ કરનારા દરેક જવાબદાર નાગરિકે તેને વાંચવાની તસદી લેવી જોઈએ. મેં તો પાંચે ય દિવસ ટી.વી. સામે બેસીને એ ચર્ચા સાંભળી હતી. એ ચર્ચા સાંભળીને હું ગદગદ થયો હતો. મને એવી પ્રતીતિ થઈ હતી કે આપણો દેશ ખરેખર મહાન છે. રાજકીય પક્ષો સત્તાનું ભૂંડું રાજકારણ કરે છે, પરંતુ અંદરથી એક લક્ષ્મણરેખાનું પાલન કરે છે. ભારત સાથે આઝાદ થયેલા મોટાભાગના દેશોએ લોકશાહી ગુમાવી દીધી છે, પણ ભારત બચ્યું છે એનું કારણ આ મર્યાદાનું પાલન છે. સપાટી નીચે એક રાષ્ટ્રીય એકમતિ અને સર્વસંમતિ નજરે પડી રહી છે.

એ સમયે ભારતીય જનતા પક્ષની લોકસભામાં ૧૬૧ બેઠકો હતી અને તેને ૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં ૨૦.૨૯ ટકા મત મળ્યા હતા. કાઁગ્રેસની ૧૪૦ બેઠકો હતી અને તેને ૧૯૯૬ની ચૂંટણીમાં ૨૮.૮૦ ટકા મત મળ્યા હતા. ટૂંકમાં બી.જે.પી. સૌથી મોટો રાજકીય પક્ષ હતો. એ સમયે બી.જે.પી. માટે સંસદીય સંસ્કારો અને મૂલ્યોનું બીજારોપણ કરનારા અને તેનું સીંચન પોષણ કરનારા પહેલી પેઢીના શિર્સસ્થ નેતાઓ લોકસભામાં ઉપસ્થિત હતા. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર એમ ત્રણેય. તેમણે પણ ચર્ચામાં ભાગ લીધો હતો ભારતીય લોકતંત્રનાં, ભારતનાં બંધારણનાં, એકબીજાને સમાવી લેતી સમાવેશકતા અને સહિષ્ણુતાના ઓવારણા લીધા હતા. મુરલી મનોહર જોશીએ ભારતીય જ્ઞાનપરંપરા કેટલી મહાન છે તેની વિસ્તારથી વાત કરી હતી. એમાં કોઈ શંકા નથી કે એ મનનીય પ્રવચન હતું. એ છ દિવસની ચર્ચામાં બી.જે.પી.ના કોઈ નેતાએ નહોતું કહ્યું કે ભારતનું બંધારણ બદલવું જોઈએ. એનું મૂળભૂત માળખું કોઈ પવિત્ર ગાય નથી કે હાથ ન લગાડી શકાય. ભારતીય રાષ્ટ્ર વિશેની જે પ્રચલિત અવધારણા છે એ અમને સ્વીકાર્ય નથી અને તે બદલવી જોઈએ અને બંધારણમાં તેને વાચા મળવી જોઈએ. તેમણે એમ પણ નહોતું કહ્યું કે બંધારણના આમુખમાં જે સેક્યુલર શબ્દ છે તેને હટાવવો જોઈએ. તેમનાં પંડનો જાણે કે જવાહરલાલ નેહરુએ કબજો લીધો હોય અને નેહરુ જે રીતે બોલે કે બોલાવડાવે એ રીતે તેઓ બોલતા હતા. હમણાં કહ્યું એમ ઈન્ટરનેટ પર તમે આ વાતની ખાતરી કરી શકો છો.

પણ ૧૯૭૦થી હું જોતો આવ્યો છું કે મભમ ભાષામાં તેઓ જે ૧૯૯૬માં સંસદમાં બોલ્યા હતા એ વિષે શંકા ઉઠાવતા હતા. હળવેથી બોલે, ગોળગોળ બોલે, ઇશારામાં બોલે અને રાષ્ટ્રીય સ્વયંસેવકના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’ અને ‘પઞજન્ય’માં સમયે સમયે અસંમતિનાં ફુગ્ગા છોડે. ૧૯૭૦ પહેલાંનો ઇતિહાસ ખંખોળશો તો હજુ વધુ પ્રમાણ મળશે. ત્યારે તેઓ થોડા વધુ પ્રમાણિક હતા અને વધારે મુખર હતા.

શ્યામા પ્રસાદ મુખર્જી

આવું તેઓ શા માટે કરતા હશે? ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે ભારતીય જનસંઘની સ્થાપના તો હજુ થઈ નહોતી, પરંતુ ‘હિંદુ મહાસભા’ નામનો હિન્દુત્વવાદી પક્ષ અસ્તિત્વમાં હતો. તેઓ બંધારણસભામાં પ્રવેશ માટે ચૂંટણી લડી શક્યા હોત અથવા રિયાસતોના માર્ગે પ્રવેશી શક્યા હોત. ગ્વાલિયર જેવી ઘણી અનુકૂળ રિયાસતો ઉપલબ્ધ હતી. બંધારણસભાએ જાહેરજનતા પાસેથી બંધારણનાં સ્વરૂપ વિષે અને તેમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિષે સૂચનો માગ્યાં હતાં અને ઘણા લોકોએ આપ્યાં પણ હતા તો એમાં તેમણે પોતાનાં સૂચનો આપવાં જોઇતા હતાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કે બીજા કોઈએ કોઈ સૂચન આપ્યું હોય એવો ઇતિહાસ નથી. હિંદુ મહાસભાના એક માત્ર નેતા ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી બંધારણસભાના સભ્ય હતા, પરંતુ તે કાઁગ્રેસની બેઠકમાંથી કાઁગ્રેસના સભ્ય તરીકે. જ્યારે બંધારણ ઘડાતું હતું એ અરસામાં (૧૯૪૫-૧૯૪૭) ડૉ મુખર્જી હિંદુ મહાસભાના અધ્યક્ષ પણ હતા. તેઓ બંધારણ ઘડનારી એક સમિતિનાં અને એક પેટા-સમિતિના સભ્ય હતા. બન્ને સમિતિ મહત્ત્વની હતી. એક  સમિતિ મૂળભૂત માનવ અધિકારો અને લઘુમતી કોમના અધિકારો માટેની સલાહકાર સમિતિ હતી અને બીજી પેટા-સમિતિ લઘુમતી કોમના અધિકારો માટેની હતી. તમે બી. શીવા રાવ દ્વારા લિખિત ‘ધ ફ્રેમીંગ ઓફ ઇન્ડિયાઝ કોન્સ્ટીટ્યુશન’ના છ ભાગ તપાસી જાઓ કોઈ જગ્યાએ ડૉ એસ.પી. મુખર્જીએ ભિન્ન સૂર કાઢો હોય કે લઘુમતી કોમને મળવા જોઈતા અધિકારોનો વિરોધ કર્યો હોય એવું જોવા નહીં મળે. કાં તો તેઓ સંમત હોવા જોઈએ અને કાં …. તમે કલ્પના કરી શકો છો. તેઓ એટલા ઋજુહ્રદયી હતા કે તેમના પર ઢોંગી હોવાનો આરોપ કરતાં પણ સંકોચ થાય છે. તેમણે પાછળથી ભારતીય જનસંઘ(અત્યારનો ભારતીય જનતા પક્ષ)ની સ્થાપના કરી હતી અને તેના સ્થાપક પ્રમુખ હતા.

શા માટે? પ્રગટપણે પોતાની અસંમતિ દર્શાવવા માટે, પોતાનો ભિન્ન દૃષ્ટિકોણ રજૂ કરવા માટે અનેક અવસરો મળ્યા છે અને અનેક અવસરો સામેથી આપવામાં આવ્યા છે. પણ તેમણે ક્યારે ય કોઈ અવસરનો પોતાના મનની વાત સ્પષ્ટપણે કહેવા માટે ઉપયોગ કર્યો નથી. ઊલટું જયજયકાર કરવામાં સાથે જોડાય અને એટલો બુલંદ અવાજમાં જયજયકાર કરે કે ઉદારમતવાદીઓ પણ હબક ખાઈ જાય.

૨૬મી નવેમ્બરે નવા સંસદભવનમાં આવો એક જલસો યોજવામાં આવ્યો હતો અને એને નિમિત્તે થોડી વાત આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2024

Loading

અસીમ સ્નેહ …

સરયૂ પરીખ|Opinion - Short Stories|30 November 2024

સુહાનો ફોન આવ્યો. “સરયૂદીદી! આવતા શનિવારે, અલગ ભાષાનાં લેખકોના સન્માનના કાર્યક્રમમાં તમારું નામ મેં આપ્યું છે. આવશો ને?” એકાદ વર્ષથી વાત નહોતી કરી તેથી મને આમંત્રણ આપતા સવાલથી અનેરો આનંદ થયો. મારા હકાર પછી તે આગળ બોલી,

“દીદી, કાર્યક્રમના દિવસે હું તમને લેવા આવીશ.”

“એટલે દૂરથી? … તને લાંબુ પડશે.” મેં કહ્યું.

“મારું નવું ઘર બહુ દૂર નથી. ફોન મૂકું છું … શનિવારે વધુ વાત કરશું.” કહીને સુહાએ વાત બંધ કરી.

મારા ‘કેમ’ અને ‘ક્યાં’ અધ્યાહાર રહી ગયા.

સુહાને હું મારી મિત્ર કહું કે, કેવળ ઓળખીતા કહું … કે નાની બહેન કહું, એ ચોક્કસ કહેવું મુશ્કેલ હતું. પણ જ્યારે જ્યારે સુહા સાથે વાત થાય ત્યારે કોઈ દંભ, દેખાવનું આવરણ રહેતું નહીં. આઠેક વર્ષ પહેલાં અમે પહેલી વખત સુહાને ઘેર સંગીત ગ્રુપના સભ્ય તરીકે આમંત્રણ હોવાથી ગયેલાં. એક મોટા બંગલાના ગોળ ડ્રાઈવ-વે પર અમે કાર ઊભી રાખી અને માણસ પાર્ક કરવા લઈ ગયો. વિશાળ બારણાઓ પાસે સુહાના પતિ, રણબીર સિન્હાએ પોતાનો પરિચય આપી, અમને આવકાર્યા. સુહા લોકોની વચ્ચેથી જગ્યા કરતી અમને આવીને મળી. સુંદર અને સાદી પણ પ્રેમાળ સુહાને પહેલી વખત મળી … પણ જાણે પુરાણી પહેચાન હોય તેવી ઉષ્માભરી તેની વર્તણૂક હતી.

સંગીતના કાર્યક્રમના મધ્યાંતરમાં વાતો કરતાં જાણવા મળ્યું કે સુહા મરાઠી, અને રણબીર પંજાબી છે, અને અમેરિકાની એન્જિનિયરીંગ કોલેજનો અભ્યાસ પૂરો કરી બન્નેએ પ્રેમલગ્ન કરેલા. રણબીરને પોતાની કંપની હતી. તેમની મોટી દીકરી અનુ, સૌને મળવા આવી અને MITમાં પ્રવેશ મળી ગયો હોવાથી બે મહિના પછી Boston જવાની હતી. અમે બધાં સુહાના સૌભાગ્યને અહોભાવથી નવાજી રહ્યાં … એવામાં એક મદદનીશ બહેને આવીને સુહાના ખભે હાથ મૂકી ઈશારો કર્યો. સુહા તરત જ પાછલા દ્વારથી બહાર નીકળી, ત્વરાથી પાછળના ગેસ્ટ હાઉસ તરફ દોડી.

“સુહાનાં સાસુને ‘અલ્ઝહાઈમર છે. સુહા સિવાય બીજું કોઈ તેમને સંભાળી શકે તેમ નથી.” આ સાંભળી સુહાની સહનશીલતાનો ખ્યાલ આવ્યો. એ પણ જાણવા મળ્યું કે, સુહાએ ભારતીય પ્રૌઢ વ્યક્તિઓને મદદ કરતી એક સેવા-સંસ્થા શરૂ કરી છે.

ત્યાર બાદ, જ્યારે પણ અમે મળતાં કે ફોન પર વાતો કરતાં ત્યારે સુહા પોતાની અને સમાજની અનેક સમસ્યાઓ વિશે મારો અભિપ્રાય માંગતી.

કાર્યક્રમના દિવસે, સુહા સમયસર લેવા આવી. ટ્રાફિક અને સમયનાં દબાણને લીધે જતી વખતે તો વાત ન થઈ પરંતુ, વળતાં સુહા ગમગીન ચહેરે બોલી, “દીદી, છ મહિના પહેલાં રણબીરથી હું અલગ થઈ ગઈ. મારાં સાસુ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં પણ તેમની બીમારી અને બીજાં કારણોને લીધે અમારા સંબંધમાં અકળામણ વધી હતી. તો પણ, હું સાથે રહી પરિસ્થિતિ સુધારવા તૈયાર હતી. પણ રણબીર ન માન્યા. બીજી એક સમસ્યા ઊભી થઈ તેમાં અમારા વચ્ચે સખ્ત વિરોધ સર્જાયો. હું મા તરીકે પરિસ્થિતિ સ્વીકારી શકી પણ રણબીર ન સ્વીકારી શક્યા.”

“એવું તે શું થયું?”… પ્રશ્નાર્થ ભરી નજરે હું તેની સામે જોઈ રહી. ઘર આવતા સુહાએ કાર અટકાવી. તેની પર્સ ખોલી એક આમંત્રણ કાર્ડ મને આપ્યું. જેમાં લખ્યું હતું …

ભાવભર્યું નિમંત્રણ

ચિ. અનુ અને જેનિફરનાં લગ્નની ઉજવણી …
યજમાનઃ સુહા અને પરિવાર …

“ઓહ! અનુએ સામાજિક રૂઢિગત નિયમ તોડ્યો? અને તેથી, અણબનાવનું અંતિમ પરિણામ આ કારણે આવી ગયું … તારા અને રણબીરનાં છૂટાછેડા થયા?”

“અનુ અને જેનિફરનાં સંબંધને રણબીર અપનાવવા તૈયાર જ નથી.” સુહાની આંખમાં આંસુ જોઈ મારું મન પણ રડી ઊઠ્યું. “મારું એકલાપણું કેટલીક વખત અસહ્ય બની જાય છે. આ બધી તૈયારીમાં પણ તેનો સાથ ન હતો.”

“રણબીર સત્કાર સમારંભમાં પણ નહીં આવે?”

“આવશે … એક મહેમાનની જેમ.”

સુહાને વ્હાલ કરી મેં કહ્યું, “તું જરા ય દુઃખ નહીં લગાડતી. રણબીરની મનઃસ્થિતિ તારા જેટલી ઉચ્ચકક્ષાની નથી તેથી એ સ્વીકારી ન શક્યા. દરેકમાં બિનશરતી સ્નેહ કરવાની ક્ષમતા નથી હોતી.

—————-

e.mail : saryuparikh@yahoo.com
www.saryu.wordpress.com

Loading

...102030...472473474475...480490500...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved