Opinion Magazine
Number of visits: 9697418
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજા-રૈયતની માનસિકતા : લોકશાહીનો મહિમા ને માહોલ છતાં રાજ-ઘેલછા કેમ ઘટતી નથી?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|28 July 2013

રોયલ બેબીના આગમને વધુ એક વાર સાબિત કર્યું છે કે રાજા પ્રત્યેની સામાન્ય લોકોની માનસિકતામાં આજે પણ કોઈ ફરક પડયો નથી. લાગે છે, 'બિચારા' લોકો આજે પણ 'સ્વરાજ'નો અર્થ કે આસ્વાદ પામી શક્યા નથી!

ગયા સપ્તાહના પ્રારંભે જ આખી દુનિયાને એક 'ગૂડ' ન્યૂઝ મળ્યા, સોળ-સોળ દેશનાં મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના દીકરાના દીકરાના ઘરે પુત્રરત્નનો જન્મ થયો! રાણી'શાસિત' સોળ દેશોમાં હરખની હેલી સર્જાય તે તો સમજાય, પણ નવા પ્રિન્સના સમાચારે આખી દુનિયાને ઘેલી કરી. આમ તો પ્રિન્સ વિલિયમ્સની અર્ધાંગિની કેટ મિડલટન પ્રેગ્નન્ટ થવાના સમાચાર મળ્યા ત્યારથી માંડીને તેને લેબર પેઇન ઊપડયું ત્યાં સુધીના વિગતવાર સમાચારો મીડિયામાં હોટ કેક ગણાતા હતા અને છાશવારે ટીવી-અખબારો અને અન્ય માધ્યમોમાં છવાતા હતા, પરંતુ બેબી બોયના જન્મના ખબર આપવા માટે મીડિયામાં રીતસર હોડ જ જામી ગઈ હતી. આ અંગે ઈઝરાયેલના એક અખબારે કટાક્ષમાં લખ્યું હતું, ‘આજે રોયલ પરિવારનો એક નવો હીરો પેદા થયો છે ત્યારે કેમેરોન, હોલાંડે, નસરલ્લા કે ઓબામાને કોણ પૂછે છે? શું (બ્રિટિશ) સામ્રાજ્યનો અસ્ત થયો છે? સામ્રાજ્ય અમર રહો!’ આપણે જાણીએ છીએ કે કેમરોન, હોલાન્ડે કે ઓબામા લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ છે, છતાં એક નવજાત શિશુ આગળ ઝાંખા પડી જાય છે, શા માટે? આવું થવા પાછળનું સૌથી મોટું કારણ છે – લોકોની માનસિકતા. લોકો આજે પણ રાજાઓ, સમ્રાટો, નવાબો, ઠાકોરસાહેબો કે ગામધણીઓ પ્રત્યે અહોભાવની ભાવના ધરાવે છે.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું એક જાણીતું વાક્ય છે, નવા બાળકનું અવતરણ એ બાબતની સાબિતી છે કે ઈશ્વરે માનવજાત પ્રત્યે હજુ શ્રદ્ધા ગુમાવી નથી! બાળક કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે જન્મે કે પ્રિન્સ વિલિયમ્સના ઘરે, બાળજન્મની ઘટના તો આવકારદાયક અને આનંદદાયક જ હોય, પણ રોયલ બેબીના આગમનની ઘટનાને વિશ્વભરનાં માધ્યમો દ્વારા જે રીતે ચગાવવામાં આવી અને સામે વિશ્વભરના લોકોમાં જે હરખના હુમલા જોવા મળ્યા, તેણે આપણી રાજા-રૈયતવાળી જીર્ણ માનસિકતાને વધુ એક વાર પ્રકાશમાં આણી છે. એકવીસમી સદીમાં જ્યારે લોકશાહી તત્ત્વો અને તંત્રો સ્થિર, સ્થાયી અને મજબૂત બન્યાં છે ત્યારે પણ લોકોની રાજ-ઘેલછા, કુળ-ઘેલછા કેટલાક પ્રશ્નો જગાવી જાય છે.

રાજાશાહીની વાત કરીએ તો એકવીસમી સદીમાં આ શાસન પદ્ધતિ આઉટ ઓફ ડેટ છે. વિશ્વના ૨૦૦થી વધારે દેશોમાંથી માત્ર ગણીને સાત દેશોમાં જ પૂર્ણ રાજાશાહી અસ્તિત્વમાં છે. વળી, આ દેશો બહુ જ નાના છે. આ ઉપરાંત ૨૧ દેશોમાં રાજાઓનું અસ્તિત્વ છે ખરું પરંતુ ત્યાં શાસન તો લોકો દ્વારા ચૂંટાયેલી સરકારો દ્વારા જ ચાલે છે. પ્રિન્સ વિલિયમ્સ જેના વારસ છે એ બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત ૧૬ દેશોનો સમાવેશ થાય છે, છતાં આ બધા ય દેશોમાં પણ ચૂંટાયેલી લોકશાહી સરકારો જ શાસન કરી રહી છે.

દુનિયાના ૨૦૦માંથી ૯૭ ટકા દેશોમાં લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર કાર્યરત હોવા છતાં લોકશાહી મૂલ્યો અને સંસ્કારોની મોટી કમી વર્તાઈ રહી છે. રાજા-રજવાડાં પ્રત્યેના અહોભાવના મૂળમાં છે – ભવ્યતા પ્રત્યેનો મોહ. લોકો ભવ્યતાથી અંજાય છે. સદીઓ સુધી રાજાઓ નીચે કચડાયેલા લોકો હવે લોકશાહીના યુગમાં સ્વરાજ પામ્યા છે, છતાં માનસિકતા બદલાઈ નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ પણ સીધો-સાદો હોય તો આપણને તેના માટે કદાચ માન થાય પણ અહોભાવ તો ફેશનેબલ અને રાજા જેવા તોર ધરાવતા નેતા પ્રત્યે જ જાગતો હોય છે. આપણા રાજકારણમાં યુવરાજો ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પણ લોકોની આ માનસિકતા જ જવાબદાર છે. આપણી માનસિકતા ન બદલાયાનું બીજું કારણ એ છે કે લોકોને આજે પણ 'સ્વરાજ'નો અહેસાસ થતો નથી. વળી, લોકશાહીમાં સૌ સમાનનો સંસ્કાર હજુ આપણામાં કેળવાયો જ નથી, કારણ કે સામાજિક-આર્થિક-રાજકીય અસમાનતાઓ આજેય પ્રવર્તમાન છે. નાત-જાત-કોમ-કુળને ભૂલીને 'સૌને સમાન તક' હજુ દૂરની વાત માલૂમ પડે છે. કોઈ ને કોઈ રીતે ઉચ્ચ કે નીચનો અહેસાસ માનવીને થતો રહે છે. આ સ્થિતિ અને મનોદશા ક્યારે બદલાશે?

e.mail : divyeshvyas.amd@gmail.com

(સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, July 27, 2013)

Loading

પાયાનો સત્યનો પ્રસાર

સુરેશ જાની|Opinion - User Feedback|27 July 2013

અાશાબહેન બૂચના ‘મંગલ ધ્વનિ’ લેખની વાત બહુ જ ગમી – ધિક્કાર  અને ઝનૂનથી ભરેલી દુનિયામાં આ પાયાના સત્યનો પ્રસાર બહુ જરૂરી લાગે છે. 

‘સર જોહન ટાવનરનો પ્રેમ અને કરુણાનો સંદેશ એકથી વધુ ધર્મ અને ભાષા દ્વારા આપવાનો પ્રયાસ હતો કેમ કે તેઓ દરેક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સરખા છે એમ માને છે અને પ્રથમ વખત રજૂ કરાયેલી આ રચના માટે તેમણે Sacred Sound Choir (મંગલ ધ્વનિ) પસંદ કરી એ માન્ચેસ્ટરની વિવિધ સભ્યતા અને સંસ્કૃિતના પ્રતિનિધિઓ માટે ગૌરવનો વિષય બની રહ્યો. ૧૪મી જુલાઈના દિવસે માન્ચેસ્ટરની પ્રજાને અમે છ ધર્મોના પંદર ગીતો-મંત્રો પાંચ જુદી જુદી ભાષામાં ગાઈને મંત્ર મુગ્ધ કરી દીધા.’

e.mail : sbjani2006@gmail.com

Loading

મંગલ ધ્વનિ

અાશા બૂચ|Opinion - Opinion|26 July 2013

તાજેતરમાં માન્ચેસ્ટર મધ્યે એકથી વધુ સુંદર સાંસ્કૃિતક કાર્યક્રમો જોવા-સાંભાળવા જવાની અને બે કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી જેનો અનુભવ વાચકો સમક્ષ પ્રગટ કરું છું.

માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ, બીજી વેપારી કંપનીઓ અને બી.બી.સી. તથા ઇંગ્લેન્ડની આર્ટ કાઉન્સિલ સાથે મળીને ૨૦૦૭ની સાલથી દર એકાંતરે વર્ષે માન્ચેસ્ટર ઇન્ટરનેશનલ ફેસ્ટીવલનું આયોજન કરે છે.

આ વર્ષે બ્રિટનના સફળ મ્યુઝીક બેન્ડ, ફિલ્મ, દ્રશ્ય-શ્રાવ્ય કળા પ્રદર્શન, ચર્ચા, શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીત અને નાટકોની મહેફિલથી આ શહેર પૂરા અઢાર દિવસ સુધી ધમધમતું રહ્યું. વિશ્વ વિખ્યાત કલાકારો તેમ જ નવોદિત કલાકારોને પણ પોતાની કળા રજૂ કરવાની તક મળી. લગભગ પચ્ચીસ જેટલા કાર્યક્રમો જોવા માન્ચેસ્ટરની આસપાસના શહેરોમાંથી જ નહીં, પરંતુ દેશના બીજા પ્રાંતોમાંથી અને વિદેશથી પણ લોકો આવે છે જે આ ઉત્સવની લોકપ્રિયતા બતાવે છે. તેમાંના એક વિશિષ્ટ કાર્યક્રમની વાત જાણવા જેવી છે.

મુખ્ય કાર્યક્રમની ઝાંખી કરાવું તે પહેલાં તેની પ્રસ્તાવના રૂપે એક સમૂહ ગાન સંઘ(choir)ના ઉદ્દભવની વાત કરવી ઉચિત થશે. માન્ચેસ્ટર ઇન્ટરનેશનલ ફેસ્ટીવલના આયોજકોએ ગાયન અને જુદા જુદા ધર્મની સંગીત પદ્ધતિમાં રસ ધરાવનાર મહિલાઓને ક્વાયરમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. જુઇશ, ક્રિસ્ટીયન, ઈસ્લામ, હિંદુ, બૌદ્ધ અને સીખ ધર્મની અનુયાયી બહેનોએ એક બીજાને પોત પોતાના ધર્મનાં ગીતો અને મંત્રો શીખવ્યાં. સંગીત શીખવા માર્ગદર્શન આપવા એક સંગીતની જાણકાર બહેન ક્વાયર લીડર હતી. આમ અમારું ૭૦ બહેનો અને પાંચ વાદ્ય કલાકારોનું Sacred Sound Choir અસ્તિત્વમાં આવ્યું. અમે ચાર મહિના દરમ્યાન ઉપર ઉલ્લેખ કર્યો તે છ મુખ્ય ધર્મમાંથી પસંદ કરેલા પંદર જેટલાં ગીતો અને મંત્રો શીખ્યાં અને શીખવ્યાં.

ક્વાયરની પ્રેક્ટીસથી શરૂ કરીને તેની રજૂઆત સુધીમાં તેના સભ્યો વચ્ચે પાંગરેલ પ્રેમ, વિશ્વાસ અને કોમી ઐક્યની ભાવનાનો ઉલ્લેખ કરવો અનિવાર્ય લાગે છે. સંગીત શાસ્ત્રમાં નિષ્ણાત નહીં એવી બહેનો પોત પોતાને ગમતા મંત્રો શીખવે ત્યારે તેમના મુખ પર ભક્તિ અને શ્રદ્ધા છવાયેલી જોવા મળતી. મુખ્યત્વે પ્રેમ, શાંતિ અને વિશ્વ બંધુત્વની ભાવના વાળાં ગીતો-મંત્રો પસંદ કરાયેલા. લેટીન, સંસ્કૃત, પંજાબી, ઈંગ્લીશ, આરેબીક અને હિબ્રુ ભાષાના ઉચ્ચારો અને લઢણ તથા જે તે પ્રકારના સંગીતની ખૂબીઓ જયારે બધાં આત્મસાત કરીને ગાઈ બતાવે ત્યારે શીખવનારને પરમ સંતોષ અને શીખનારને અત્યંત ગૌરવની લાગણી થતી જોઈ. અરેબીક ભાષામાં સૂફી ગીતના શબ્દો વાંચતાં જુઇશ બહેનો ‘આ તો અમારા હિબ્રુ ભાષાના શબ્દો છે’, ‘એના અર્થમાં અને અમારા જુઇશ મંત્રમાં કેવું સામ્ય છે?’ એમ કહીને એક બીજાને પ્રેમથી ભેટતી જોઇને મનમાં થયું, એ બે ધર્મને અનુસરનારા બે દેશો વચ્ચે વૈમનસ્ય વકર્યું છે અને પારાવાર જાનહાનિ કરે છે. પૂર્વીય સંસ્કૃિતના પ્રતિનિધિઓ પશ્ચિમી સંગીતની લિપિ વાંચી ન શકે તો એમને વારંવાર ગાઈને શીખવવામાં આવ્યું. હિંદુ, સીખ અને બૌદ્ધ ધર્મના મંત્રો માટે નોટેશન ન હોવાને કારણે અન્ય ગાયિકાઓને લેખિત સૂચનાઓ વિના શીખવું મુશ્કેલ લાગ્યું. તેવે સમયે એ શ્લોકોની વ્યુત્પત્તિ લગભગ પાંચ-સાત હજાર વર્ષો પહેલાં થયેલી જયારે કાગળ-કલમની શોધ નહોતી થઇ તેથી શ્રુતિ અને સ્મૃિત આધારિત શિક્ષણ જ વિકલ્પ હતો અને એ પદ્ધતિને અનુસરવાથી આપણી યાદશક્તિ પણ તીવ્ર બને એવો ખુલાસો કર્યા પછી બધાંએ હોંશે હોંશે નોટેશન વિના શીખવાની તત્પરતા બતાવી એટલું જ નહીં સ્ટેજ પર જતાં પહેલાં મોટા ભાગના લોકોએ સ્વરાંકન કરેલા કાગળોનો ત્યાગ કરવાની હિંમત પણ દાખવી. દરેક ક્વાયરના સભ્યને પોતાના ધર્મ, સંસ્કૃિત અને ભાષા વિષે ઇચ્છે તે માહિતી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી જેથી કરીને પરસ્પર માટે સમજણ અને સહિષ્ણુતા વધી. દરેક શ્લોકના ઉચ્ચારણ અને શબ્દોના અર્થ સમજવા પર ભાર મુકવામાં આવતો.  આયોજકોના ક્વાયર ગાન સમયે એક સરીખા પોશાક પહેરવાના સૂચનને વિવેક સહ નકાર્યો જેને પરિણામે રંગ બે રંગી સાડીઓ, પંજાબી ડ્રેસ અને પશ્ચિમી કપડાંમાં સજ્જ સન્નારીઓએ એક સાથે સંસ્કૃત, હિબ્રુ અને આરેબીક ભાષામાં શુદ્ધ ઉચ્ચારણો સાથે ગાન કર્યું ત્યારે શ્રોતાઓને માન્ચેસ્ટરની વિવિધ કોમની બહુ સાંસ્કૃિતક પ્રજા એક સૂરથી કેવું એક બીજાના ધર્મનું ભક્તિગાન પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી કરી શકે છે એનો અહેસાસ થયો. જે બહેનો પોતાને ‘ધાર્મિક’ કહેવડાવતી હતી તે આ કાર્યક્રમને અંતે પોતાને ‘આધ્યાત્મિક’ તરીકે ઓળખાવવાનું પસંદ કરવા લાગી. એટલું પૂરતું ન હોય તેમ ‘ચાલો, આપણે આ કાર્યક્રમ લઈને ઈજીપ્ત અને સીરિયા જઈએ, તો ત્યાં શાંતિ સ્થાપી શકીશું’ એવું કહેવા જેટલી હિંમત અને આત્મવિશ્વાસ કેળવાયા. એવો હતો આ ‘મંગલ ધ્વનિ’ ક્વાયરના મંત્રોનાં શબ્દો, સંગીત અને ગાનાર બહેનોનાં વ્યક્તિત્વનો પ્રભાવ.

Sacred Sound Choir વિશેની આટલી પૂર્વ ભૂમિકાની ઉપયુક્તતા નીચેનું લખાણ વાંચવાથી સિદ્ધ થશે. તારીખ ૭મી જુલાઈની સંધ્યા બ્રિટનના પ્રખ્યાત સંગીત લેખક-આયોજક Sir John Tavenerને સમર્પિત હતી. તેમના દ્વારા રચાયેલી સંગીત રચનાઓ બી.બી.સી. ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાના લગભગ ૮૦ જેટલા વાદ્ય કલાકારો અને ગાયકોએ રજૂ કરી. સર જોહન ટાવનર ઉપર ખ્રિસ્તી ધર્મ ઉપરાંત બોદ્ધ, સૂફી અને હિંદુ ધર્મ અને સંગીત પદ્ધતિની ઘેરી અસર છે. તેમની પહેલી રચના રાધા-કૃષ્ણના પ્રેમ ગીતની હતી જે સર જોહન ટાવનરની ‘કૃષ્ણ લીલા’માં અગાઉ પ્રસ્તુત કરવામાં આવેલ. ૭૦થી વધુ વાદ્ય કલાકારો ઓમકાર જેવો ધ્વનિ સતત રેલાવતા રહ્યા, જેની સાથે ચાર પુરુષના કંઠમાંથી ‘ઓમ હરી નારાયણાય’નું રટણ ચાલતું હતું. ગાયિકા ‘કૃષ્ણ’ અને ગાયક ‘રાધા’ નામોચ્ચાર અનેકવિધ શાસ્ત્રીય (અલબત્ત પશ્ચિમી ઢબની) રજૂઆતથી શ્રોતાઓને પચીસ મિનિટ સુધી મંત્ર મુગ્ધ કરી ગયા. તે પછી ટોલસ્ટોયની અંતિમ ટૂંકી વાર્તા ‘The Death of Ivan Ilych’ પર આધારિત વાદ્ય રચના રજૂ કરવામાં આવી.

પરંતુ આ કાર્યક્રમના શિરમોર સમી રચના હતી Mahamatar’. Werner Herzogની ટૂંકી ફિલ્મ ‘Pilgrimage’ વિશાળ પડદા પર બતાવાઈ જે મેક્સીકોના કેથલિક શ્રદ્ધાળુઓ ગોઠણ ભર ચાલીને અને રશિયાના ભક્તો બરફ પર પેટ પર અને ચાર પગે ઢસડાઈને યાત્રાધામ જઈ રહ્યા હતા તે બતાવે છે. શ્રદ્ધાળુઓ શારીરિક પીડાઓથી દર્દ અનુભવતા, પ્રાર્થના કરતા કષ્ટ ઉઠાવીને પણ મક્કમતા અને ધૈર્યથી પંથ કાપતા જતા જોવા એ એક અત્યંત કરુણ છતાં કરુણા સભર દૃશ્ય હતું. બીબીસી ફીલહાર્મોનીક ઓરકેસ્ટ્રા એ ફિલ્મને વધુ અસરકારક બનાવવા ગંભીર અને કરુણ સુરાવલીઓ છેડતું રહ્યું. આ આખા અનુભવને ચાર ચાંદ લાગે તેવો પ્રયોગ યોજાયો. આબિદા પરવીને સૂફી સંગીતના માત્ર સૂરથી અને ચેલો વગાડનાર સ્ટીવ ઇઝરલીસ બન્નેએ સાથે મળીને ભક્ત જનોની પીડ અને શબ્દાતીત આનન્દાનુભૂતીને અદ્દભૂત રીતે વ્યક્ત કરી. તે વખતે અમારા ક્વાયરને ભાગે સંસ્કૃતના શબ્દ ‘માતર’માંથી ‘મ’ અને ગ્રીક શબ્દ Theotoke’ જેનો અર્થ થાય છે God bearer-માંથી ‘થે’ અક્ષરોનું ઉચ્ચારણ અઢાર સૂરોમાં ગાવાનું આવ્યું. આબિદા પરવીન અને સ્ટીવ ઇઝરલીસ ફિલ્મના દૃરશ્યને વધુ ગહેરો અને હૃદયદ્રાવક બનાવવા સંગીતની સૂરાવલીઓ જેટલા લાંબા સમય સુધી વહેવરાવે તેટલી મિનિટો સુધી એક સૂરમાં એક અક્ષર ટકાવી રાખવો અમ જેવાં સંગીતની તાલીમ ન પામેલા માટે એક કસોટી હતી. કંડકટર અને ખુદ સર જોહન ટાવનરની શાબાશી અમારે માટે મોટો ઉપહાર હતો.

જયારે સર જોહન ટાવનરને અમારા Sacred Sound Choir વિષે જાણ થઇ ત્યારે તેમણે ખાસ અમારા માટે ‘If Ye Love Me’ નામની રચના કરી. જીસસે શૂળી પર ચડતા પહેલાં તેના અનુયાયીઓને કહેલું, ‘Love one another as I have loved you’. એ આદેશની સાથે ‘બ્રહ્મા’ અને ‘અલ્લાહ’ પાંચ જુદી જુદી શાસ્ત્રીય સ્વરાવાલીઓ દ્વારા રજૂ કરતી એ રચના ગાવાનું સદ્દભાગ્ય અમારા ક્વાયરને સાંપડ્યું અને તે પણ એ મહાન હસ્તીના સાન્નિધ્યમાં એ સહુને માટે એક અનોખી યાદ બની રહેશે. સર જોહન ટાવનરનો પ્રેમ અને કરુણાનો સંદેશ એકથી વધુ ધર્મ અને ભાષા દ્વારા આપવાનો પ્રયાસ હતો કેમ કે તેઓ દરેક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સરખા છે એમ માને છે અને પ્રથમ વખત રજૂ કરાયેલી આ રચના માટે તેમણે Sacred Sound Choir (મંગલ ધ્વનિ) પસંદ કરી એ માન્ચેસ્ટરની વિવિધ સભ્યતા અને સંસ્કૃિતના પ્રતિનિધિઓ માટે ગૌરવનો વિષય બની રહ્યો. ૧૪મી જુલાઈના દિવસે માન્ચેસ્ટરની પ્રજાને અમે છ ધર્મોના પંદર ગીતો-મંત્રો પાંચ જુદી જુદી ભાષામાં ગાઈને મંત્ર મુગ્ધ કરી દીધા. મંગલ ધ્વનિને ભવિષ્યમાં પણ કોઈને કોઈ સ્વરૂપે ગુંજતું રાખવાના શપથ લઈને સહુ વિખરાયા.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...4,1074,1084,1094,110...4,1204,1304,140...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved