તારા વિનાનો સાવ કોરો, વરસાદ કા’ન તારા વિનાનો સાવ કોરો
લોક કહે બારે મેઘ ખાંગા થયા છે અને પૂર જો ને થાય આવું આવું
હશ્શે, હું તો સાવ કોરી, કોરે ઊભી રહીને ગોતું, ક્યાં જઈને ભીંજાવું ?
નેજવું માંડી જોઉં કાળા આકાશે ક્યાં ય ચડિયો આઘેરો કે ઓરો ?
તારા વિનાનો સાવ કોરો, વરસાદ કા’ન તારા વિનાનો સાવ કોરો
વેરણ આ વ્રેહડો ચાબૂકની જેમ મને વાગે ઝબકારે ઝબકારે
ઉપરથી કોરીડિબાંગ કાળી વાદળી અંગારા તાકી તાકી મારે
ગાયું ને ગોવર્ધન સળગે બધું ય, કેમ ઠારે ના નંદનો છોરો ?
તારા વિનાનો સાવ કોરો, વરસાદ કા’ન તારા વિનાનો સાવ કોરો
http://thismysparklinglife.blogspot.in/2013/06/blog-post.html
![]()


અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ એમની આગવી છટામાં કાર્યક્રમનાં સંચાલનનું સૂકાન સંભાળ્યું. સમયાંતરે તે કાર્યક્રમનો દોરી સંચાર કરતા રહ્યા, વાત કરતા રહ્યા એ ગુજરાતની – ગુજરાતીની ગરિમાની, આપણી ઓળખની. આવાં જ એક વ્યક્તિત્વની – ભોળાભાઈ પટેલની – યાદ તાજી કરાવવા એમણે અનિલભાઈ વ્યાસને મંચ ઉપર નિમંત્ર્યા.
ત્યારબાદ, ગુજરાતી સાહિત્યનું ગૌરવ અને ખુદ જાણે ડાયસ્પોરિક કવિતા એવાં પન્નાબહેન નાયકનો ટૂંકો પરિચય આપવાનું અને એમનાં સર્જનોની થોડીઘણી ઝાંખી કરાવવાનું બીડું નીરજભાઈ શાહ અને ભદ્રાબહેન વડગામાએ ઉપાડ્યું. એમનો પરિચય આપતા નીરજભાઈ કહે છે કે આ તો સૂરજને દીવો બતાવવા જેવી વાત. એમનાં જન્મ અને કારકિર્દીની સફર તથા ચાર દાયકા લાંબી એમની સાહિત્યયાત્રાનાં જુદાં જુદાં પાસાઓ, એમનાં સાહિત્યિક ખેડાણો અને તેમનાં કાવ્યમય મિજાજને નીરજભાઈએ બ-ખૂબી વર્ણવ્યો. ભદ્રાબહેને પન્નાબહેનનાં ખુમારી અને નારી સંવેદનને પ્રગટ કરતાં કાવ્યોની રજૂઆત કરી. સાથે સાથે એમણે અન્ય લેખકોનાં આ વિષયો ઉપર લખાયેલાં અનુરૂપ થોડાં કાવ્યો, ઘટનાઓ પણ ટાંક્યાં.