Opinion Magazine
Number of visits: 9562540
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય એ મારો જીવનરસ છે ઃ ધીરુ પરીખ

પરેશ દવે|Opinion - Literature|19 April 2014

ગુજરાતી સાહિત્યમાં ધીરુ પરીખ સર્જક હોવાની સાથે સતેજ અને નિષ્પક્ષ સંપાદક તરીકે પણ જાણીતા છે. કવિતા એમનો પ્રાણવાયુ છે, જેના થકી આજે ‘બુધસભા’ ધબકે છે. “કુમાર”ના પુનઃજન્મ અને “કવિલોક”ના સાતત્ય માટે ધીરુ પરીખે માતબર કામ કર્યું છે. આ સામાયિકો ધીરુભાઈના કારણે આજે આગવી ઊંચાઈને આંબી શક્યા છે. મૂળે માસ્તરનો જીવ એટલે જીવનયાત્રામાં શીખતા જવાનો અને શીખવાડતા જવાનો તેમનો સ્વભાવ. કાવ્યસર્જનમાં ધીરુભાઈએ હાઈકુ, છપ્પા કે વનવેલી છંદમાં રચેલાં ગદ્યકાવ્યોએ અનેરી પહેલ કરી છે. ધીરુભાઈના આઠ કાવ્યસંગ્રહ, જેમાં ‘ઉઘાડ’, ‘અંગ પચીસી’, ‘આગિયો’, ‘રેલ્વે સ્ટેશન અને ટ્રેઈન’ નોંધપાત્ર છે. ગીતોનો સંગ્રહ ‘હરિ ચડ્યા અડફેટે’ નામે પ્રસિદ્ધ કર્યો. ધીરુ પરીખના બે વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪) અને ‘પરાજીત વિજય’ (૨૦૦૧) પ્રકાશિત થયા છે. ‘હવે અમારા નખ વધે છે’ નામે એકાંકી સંગ્રહ છે. તો ‘કાળમાં કોર્યા નામ’ (૧૯૭૭) અને ‘સમય રેત પર પગલાં’ (૨૦૦૧) નામે જીવનચરિત્રના સંગ્રહો પ્રકાશિત કર્યા છે. આ સાથે ધીરુભાઈએ ૧૮ વિવેચન સંગ્રહો આપણને આપ્યા છે. ધીરુભાઈ આજે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં પસંદગી પામેલા પ્રમુખ તરીકે સેવા આપે છે. ધીરુભાઈને કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. “કુમાર” સામાયિકને ડિજિટલાઈઝ્ડ કરીને તેઓએ સાહિત્યની મોટી સેવા કરી છે. સાવ સરળ સ્વભાવના ધીરુભાઈ સર્જક, વિવેચક, સંપાદક તરીકેની ત્રેવડી ભૂમિકા સહજ રીતે ભજવે છે. તેમની સાથે થયેલો સંવાદ …

આપણી ત્યાં અધ્યાપકો સાહિત્યકારો બનતા હોય છે. આ માટે કોઈ વિશેષ કારણ?

ભાષા ભણાવતા અધ્યાપકો પાસે ભાષાની સજ્જતા હોય છે. અધ્યાપકોને સાહિત્ય વાંચતા કે ભણાવતા જે અનુભૂતિનો લાભ મળે છે, તે તેઓને સર્જન કરવા માટે પ્રેરે છે. એક તો ભાષા પ્રત્યેનો લગાવ અને બીજું પોતાનામાં રહેલી છૂપી સર્જનાત્મકતાનો સમન્વય થાય ત્યારે સર્જન થાય છે. આપણી ત્યાં નિરંજન ભગત અંગ્રેજી સાહિત્ય ભણાવતા અને ગુજરાતીમાં સર્જન કરતા, બકુલ ત્રિપાઠી પણ અધ્યાપક હતા અને ગુજરાતીમાં સર્જન કરતા. એસ. આર. ભટ્ટ સાહેબ અને રણધીર ઉપાધ્યાય પણ અધ્યાપન સાથે સંકળાયેલા હતા અને સાહિત્યકાર તરીકે જાણીતા બનેલા છે.

આપના સમયે મોટાભાગના સર્જકો પોતાનું ઉપનામ રાખતા. આપે કોઇ ઉપનામ કે તખલ્લુસ કેમ ધારણ ન કર્યું?

મને લાગે છે કે નામ છે તે યોગ્ય છે. મને તખલ્લુસની જરૂર નથી. શાળા અને કોલેજકાળથી હું લખુ છું, પણ મને મારું નામ બદલવામાં કોઈ અર્થ લાગતો નથી. આપણી ત્યાં તખ્ખલુસનો દોર હતો. ઉમાશંકર જોશીનું તખ્ખલુસ ‘વાસુકી’ હતું. ત્રિભુવનદાસ લુહાર પણ ‘સુંદરમ્’ નામથી લખતા. ક્યારેક લેખકને એમ થાય કે પોતાના લખાણનો કેવો પ્રતિભાવ આવશે, મારા નામનું શું થશે! ધૂમકેતુ કેવું સુંદર લખતા. આજે ધૂમકેતુ લોકોને યાદ છે, પણ તેમનું નામ ગૌરીશંકર ભૂલાઈ ગયું છે.

આપ પહેલેથી શિક્ષણ સાથે સંકળાયેલા હતા, ત્યાંથી લેખન-સંપાદન ક્ષેત્રે કેવી રીતે આવ્યા?

મારા પિતાજી તબીબ (ડૉકટર) હતા અને તેમની ઇચ્છા હું પણ તબીબ થાઉં તેવી હતી. એસ.એસ.સીમાં પાસ થયા પછી પિતાજીને એમ કે હું વિજ્ઞાનપ્રવાહમાં જઈ તબીબ બનીશ. પણ મેં કહ્યું કે, મને પહેલેથી લખવામાં અને સાહિત્યમાં રસ છે એટલે મેં આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. એલ.ડી.આર્ટસમાં હું બી.એ થયો. એલ. ડી. આર્ટ્સ કોલેજનું વાતાવરણ શુદ્ધ અને શિક્ષણમય હતું. આ વાતાવરણમાં સર્જનાત્મકતાને ધક્કો મળે તેવું હતું. મને સર્જન કરવા માટેની પ્રેરણા અને ધક્કો અહીંથી જ મળ્યો. અહીં કોલેજકાળમાં મેં કાવ્યો અને વાર્તા લખ્યાં. બી. એ. ભણ્યાં પછી મેં ગુજરાત યુનિવર્સિટી ખાતે એમ. એ. કર્યું. ઉમાશંકર જોશી તેના વડા હતા. અમને ભણાવવા માટે અનંતરાય રાવળ, કે. કા. શાસ્ત્રી વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા. એમ. એ. થયા બાદ મને અધ્યાપક બનવાની ઇચ્છા હતી, પણ અમદાવાદ ખાતે બે જ કોલેજો હતી અને ત્યાં અધ્યાપક માટે કોઈ જગ્યા ન હતી. આ વાત છે ૧૯૫૮ની. પછી અમે મીઠાખળી પાસે આવેલી મંગલ વિદ્યાલય ખાતે શાળા છૂટ્યા બાદ ટ્યુશનના વર્ગો ચલાવ્યા. ચાર વર્ષ અમે ટ્યુશન વર્ગ ચલાવ્યા. ૧૯૬૪માં શહેરમાં નવી કોલેજો શરુ થવા લાગી. થલતેજ પાસે આવેલી માનવ મંદિર કોલેજમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અપાતું. તે સમયે વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી વિષય ફરજિયાત હતો. એટલે ૧૯૬૪ની આસપાસ મેં ત્યાં ભણાવાનું શરૂ કર્યુ. અમારી કોલેજ ત્યાંથી શિફ્ટ થઈ અને સી.યુ. શાહ કોલેજમાં અસ્તિત્વમાં આવી. બે વર્ષ ત્યાં અધ્યાપક તરીકેની નોકરી કર્યા બાદ સુરેન્દ્રનગર ખાતે સી. યુ. શાહ કોલેજે ગર્લ્સ કોલેજ શરુ કરી અને શિક્ષકની જરૂર પડતા મને એક વર્ષ માટે ત્યાં મોકલ્યો. સુરેન્દ્રનગર ખાતે બે વર્ષ પ્રિન્સિપાલ તરીકે રહ્યો. ત્યાંથી પરત આવીને સી. યુ. શાહ કોલેજમાં ૧૯૭૭ સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાષા ભવન ખાતે જોડાયો. ત્યાં મેં ૧૯૯૩ સુધી અધ્યાપક તરીકેની સેવા આપી. ત્યાં હું એમ. એ., એમ. ફીલ. અને પી. એચડી.ના વિદ્યાર્થીઓના વર્ગો લેતો હતો. આ અરસામાં “કુમાર” સામાયિક નોંધારૂ થતું ગયું. ૧૯૮૭માં “કુમાર” બંધ થઈ ગયું. “કુમાર” સામાયિક કુમાર કાર્યાલય પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ચાલતું. તેના ડાઈરેક્ટરોમાં હીરાલાલ ભગવતી, બિહારીલાલ પોપટ અને હું પણ હતો. “કુમાર” બંધ થયા બાદ અનેક વાચક અને ગ્રાહકોના પત્રો આવવા લાગ્યા. મને ડાઈરેક્ટરોએ વિનંતી કરી કે જો તમે “કુમાર”ની જવાબદારી સ્વીકારો તો આપણે તેને ફરીથી શરુ કરીએ. આ અરસામાં હું ભાષાભવનમાં અધ્યાપક તરીકે નોકરી કરતો હતો. હું સાંજના પાંચ સુધી ભાષાભવન અને ત્યાંથી લાલબસમાં રાયપુર આવીને રોજ બે કલાક કુમાર કાર્યાલય ખાતે આવતો. આવશ્યક કાર્ય કરીને લખાણો ઘરે લઈને “કુમાર” સામાયિકના લેખો સંપાદિત કરતો. અમે “કુમાર”ને ફરીથી ૧૯૯૦ના જાન્યુઆરી મહિનાથી શરુ કર્યું. ત્યારથી હું તેનું તંત્રીપદ નિભાવું છુ. “કવિલોક”ની જવાબદારી “કુમાર”ના શીરે આવી. પછી તો “કુમાર” અને “કવિલોક”ની જવાબદારી મારા શીરે આવી.

‘આગિયા’ નામે આપે હાઇકુનો સંગ્રહ પ્રગટ કર્યો છે. હાઇકુનો કાવ્ય પ્રકાર આપને કેવી રીતે સ્પર્શી ગયો?

૧૯૬૬ પછી સ્નેહરશ્મિ જાપાનીસ કાવ્ય પ્રકાર હાઈકુને ગુજરાતીમાં લાવ્યા. મને પણ હાઈકુમાં રસ પડ્યો. મારા મતે હાઈકુ એ ચિત્રકાવ્ય છે. પણ લોકો એને મુક્તક સમજે છે. હાઈકુમાં ૧૭ શબ્દોનો સમન્વય છે. મારું એક હાઈકુ છે,

મૂછ હલાવે
વંદો, પાછળ સ્થિર
ગરોળી ટાપે

આ એક ચિત્ર છે. પણ તેમાં ગૂઢ અર્થ રહેલો છે કે સમાજમાં મૂછ ઉપર તાવ દેતા મનુષ્ય તારી પાછળ પણ મૃત્યુ ટાંપીને બેઠું છે. મેં મારા હાઈકુઓનો સંગ્રહ ‘આગિયા’ના નામે પ્રગટ કર્યો છે. કારણ કે અંધારામાં આગિયા ચમકીને બંધ થાય છે. મારા હાઈકુ “કુમાર” અને અન્ય પ્રકાશનોમાં પહેલાં પ્રગટ થયા અને તેને ‘આગિયા’ સંગ્રહમાં સમાવિષ્ટ કરેલા છે.

આપે ‘અંગ પચીસી’ નામે છપ્પા લખીને તેને પુનઃજીવિત કર્યા છે. કેવો અનુભવ રહ્યો?

‘અંગ પચીસી’ લખ્યું ત્યારે કહેવાતું કે અખો ફરીથી જીવિત થયો છે. મને થયું કે ભૂલાયેલું છપ્પાનું કાવ્ય સ્વરૂપ પુનઃજીવિત થયું છે તો કોઈ તેને આગળ વધારશે. ખેર, આવું કંઈ થયું નહીં. કારણ કે છપ્પા ત્રણ પંક્તિના કાવ્યમાં કહેવાની કળા છે. આમાં વ્યંગ આવે. જેમ અખાએ પોતાના સમાજની ખામીઓ પર કટાક્ષ કરીને છપ્પામાં ઉતારી છે તેવી રીતે હું જે સમાજમાં જીવું છું તે સમાજની ખામીઓને મારે વ્યંગ સાથે કહેવું હતું, એટલે મેં વિવિધ વ્યવસાયોને કેન્દ્રસ્થાને રાખીને છપ્પા રચ્યા છે, જેમાં શિક્ષણ, તબીબ, વકીલ જેવા વ્યવસાયની ખામી ઉપર વ્યંગ છે. કુલ ૨૫ છપ્પાઓ હોવાથી ‘અંગ પચીસી’ના નામે તે પ્રકાશિત કરેલ છે.

આપે નોંધપાત્ર ગદ્યકાવ્યો આપ્યા છે. કોઈ વિશેષ કારણ છે?

મારા કાવ્યો ગદ્યકાવ્યો નથી, પણ એ વનવેલી છંદમાં લખાયા છે, જેમાં ચાર-ચાર અક્ષરોનું બંધારણ છે. કેશવ હર્ષદ ધ્રુવે પણ વનવેલી છંદમાં કાવ્યોનું સર્જન કરેલું છે. આજે વનવેલી છંદનો ઉપયોગ થતો નથી. મારા બે કાવ્યસંગ્રહ વનવેલી છંદમાં પ્રગટ થયા છે. એક છે, ‘સ્ટેશન અને ટ્રેઈન’ બીજો સંગ્રહ છે, ‘શિખરે બેઠા છે સ્થિતપ્રજ્ઞ’.

ગીતોના સર્જનનો અનુભવ કેવો રહ્યો?

‘હરિ ચડ્યા અડફેટે’ નામે મારો ગીતસંગ્રહ છે. આ સંગ્રહમાં ખોટી ભક્તિ પર કટાક્ષ કરતાં ગીતો લખ્યાં છે. આ સંગ્રહમાં સાચો હરિ નહીં, સાચી ભક્તિ નહીં જેવી હકીકત પર કટાક્ષ કરાયો છે.

લખાણમાં શું મહત્ત્વનું છે-વિષય કે તેની અભિવ્યક્તિ?

સર્જકના મનમાં જે વિચાર આવે, ભાવ જન્મે કે જે સંવેદન ઊભું થાય તેની અભિવ્યક્તિ માટે યોગ્ય સ્વરૂપ પસંદ કરવું જોઈએ. હું આ બાબતે બહુ સભાન છું. જે વિચાર, ભાવ કે સંવેદનની તાકાત ૧૪ પંક્તિ સુધી વિસ્તરી શકે તેમ ના હોય તો તેને હું સોનેટમાં ખેંચતો નથી. હું મારી કવિતાની કળા બાબતે સાવધ છું. કવિતામાં તત્ત્વ અને તેનું ફોર્મ જળવાવું જોઈએ. કાવ્યમાં વિષય નહીં, પણ તેના અંદરના તત્ત્વની અભિવ્યક્તિ જ મહત્ત્વની છે. ભલે ને સર્જક રાધા-કૃષ્ણ વિષે કાવ્ય સર્જે કે આધુનિક વિષયોને પોતાના સર્જનમાં વણી લે. કાવ્યમાં મૂળ તત્ત્વ, ભાવ કે સંવેદનાની સાથે તેની સચોટ અભિવ્યક્તિ જળવાવી જોઈએ.

આપ એક સર્જક હોવાની સાથે “કુમાર” અને “કવિલોક”ના સંપાદક તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છો. એક પ્રતિષ્ઠિત સામાયિકના સંપાદક તરીકેની જવાબદારી કેવી હોય છે?

“કુમાર”ના સંપાદક તરીકેનું કાર્ય અઘરું છે. સંપાદક તરીકે તમને અપ્રિય થતાં આવડવું જોઈએ અને અપ્રિય થવામાં હું મોખરે છું. સંપાદક તરીકે મેં અનેક નામી સર્જકોના સર્જનો પરત કર્યા છે. ભાષા શુદ્ધિ ઉપર હું વિશેષ ધ્યાન આપું છું. ભાષા શુદ્ધિ મારા સંપાદનનો વિષય છે. ૧૯૫૬માં રાજેન્દ્ર શાહે “કવિલોક”ને મુંબઈથી શરુ કર્યું હતું. તે દર બે મહિને પ્રગટ થાય છે. વર્ષ ૧૯૭૦માં “કવિલોક’” બંધ કરવાના નિર્ણયની જાણ બચુભાઈને થતાં બચુભાઈ રાવતે “કવિલોક”ની જવાબદારી “કુમાર” સ્વીકારશે તેવી વાત કરી. પછી તો “કુમાર” “કવિલોક”ની જવાબદારી આજ સુધી અદા કરે છે. આજે “કવિલોક” મારા મતે નવા કવિઓના ઉત્તેજન માટે નહીં, પણ સારા કવિઓના પ્રસાર માટે કાર્યરત છે. “કવિલોક” કવિના નામ નહીં, પણ તેના કામનો પ્રસાર કરે છે.

કવિ હોવાની સાથે આપે વાર્તાઓ પણ લખી છે. કાવ્ય સર્જન અને વાર્તાલેખનમાં શું ફરક હોય છે?

કાવ્ય હોય કે વાર્તા, દરેકનું ફોર્મ જળવાવું જોઈએ. દરેક ફોર્મની વિશેષતા છે. આજે વિશ્વ બદલાતું જાય છે ત્યારે વાર્તાના વિષયોમાં વૈવિધ્ય આવવું જોઈએ. વાર્તાઓ પ્રસંગ આધારિત હોય છે, જેમાં પ્રસંગોનું આયોજન, તેનો વિકાસ અને અંત સુધીના તત્ત્વો હોય છે. ખરેખર તો વાર્તાએ કથા સાહિત્યનો એક પ્રકાર છે.

આપ વર્ષોથી ‘બુધસભા’ની સાથે સંકળાયેલા છો. તેનો અનુભવ કેવો રહે છે?

બચુભાઈ રાવતના જમાનાથી ‘બુધસભા’ ચાલે છે. પહેલા “કુમાર” કાર્યાલયમાં દર બુધવારે રાત્રે આઠથી નવ સુધી કવિઓ પોતાની રચનાઓ લઈને આવતા અને કવિના નામ વાંચ્યા સિવાય તેનું પઠન થતું, તેની ચર્ચા થતી. સારા કાવ્યો “કુમાર”માં સ્થાન પામે. બચુભાઈ બીમાર પડ્યા ત્યારે ચિંતા થઈ કે આ દેહ પડશે ત્યારે ‘બુધસભા’નું શું થશે! પછીથી ‘બુધસભા’ની જવાબદારી ‘ગુજરાત સાહિત્ય પરિષદે’ ઉપાડી. ‘બુધસભા’માં નવા આવતા કવિઓનો મોહ કાવ્ય સંભળાવવા કરતાં પ્રકાશનોમાં છપાવાનો વધુ હોય છે. મારા મતે ‘બુધસભા’ એ કાવ્યોના ઘડતરની કાર્યશિબિર છે, મુશાયરો નથી. નવા કવિઓ પોતાની રચના રજૂ કરે, ચર્ચા કરે, કવિઓના પ્રતિભાવો સાંભળે તો કવિતાઓનું ઘડતર થાય.

આજની નવી કવિતાઓ વિશે શું લાગે છે?

આજે કવિઓ ગદ્યકાવ્યો તરફ વધુ વળ્યા છે. નવા કવિઓમાં છંદનો અભ્યાસ નથી. મોટા ભાગના કવિઓ ગઝલો, ગીતો લખે છે.

કવિતાને આપ કેવી રીતે વ્યાખ્યાયિત કરો?

કવિતા એ એક સંવેદન આધારિત છે. તમે કેટલું ઘૂંટો છો, કેટલું વિસ્તારો છો એ મહત્ત્વનું છે. જ્યારે વિષય અને વિચાર ઊર્મી ઘુંટાઈને જે બહાર આવે ત્યારે સાચી કવિતા બને છે, જેમાં મનનું સંવેદન મુખ્ય છે.

‘સ્ટેશન અને ટ્રેઈન’ આપનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ છે. આ સંગ્રહ કેવી રીતે રચાયો?

અમે વિરમગામ રહેતા હતા. ત્યારે વિરમગામ આટલું વિસ્તરેલું નહીં. સાંજના સમયે અમે મિત્રોની સાથે સ્ટેશને જઈને બેસતા. પ્રવાસીઓને નિરખતા, ટ્રેઈનની આવન-જાવન જોતાં. મુસાફરોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતા. એ અનુભવો અને અનુભૂતિને કાવ્યો દ્વારા આ સંગ્રહમાં પડઘાઈ છે, જેમાં સ્ટેશન સ્થિરતાનું અને ટ્રેઈન ગતિનું પ્રતીક છે.

આપનો કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ પ્રકૃતિ પર આધારિત છે. આ સંગ્રહની શું વિશેષતા છે?

આ કાવ્યસંગ્રહમાં મારા પ્રકૃતિ વિશેના અનુભવો છે. સામાન્ય લાગતી વાત પણ આપણને કેવી રીતે સ્પર્શે છે તે આ કાવ્યસંગ્રહમાં ઝીલાય છે. જેમ કે, એક મકાનના મોભ પર પોપટ આવીને બેસે છે અને મકાનની અંદર આખું વન ઉતરી આવે છે. દૂરના પ્રકૃતિમય વાતાવરણને પોપટ ઘર ભણી લાવે છે તેને પ્રતીકાત્મક રીતે આલેખ્યું છે. પોપટ એ પ્રકૃતિનું પ્રતીક છે.

ધીરુ પરીખને કેવી રીતે ઓળખાવું ગમે?

મને મારા નામ તરીકે નહીં, કવિ તરીકે નહીં, પણ એક માણસ તરીકે ઓળખાવું ગમે. મારામાં માણસનો લોપ થવો ન જોઈએ. માણસની સાધના તેને પૂર્ણતા ભણી લઈ જાય છે. જીવન માગ્યું મળતું નથી. મારી સંવેદના ક્યાં ય નષ્ટ ન થાય. ■

e.mail : pdave68@gmail.com

Loading

Beef, Pink Revolution and identity Politics

Ram Puniyani|English Bazaar Patrika - OPED|19 April 2014

This time around (2014) the practitioners of sectarian politics had projected as if they will harp only on the issues related to development and Governance. But that surely is for sayings sake. While propaganda of development of Gujarat, strong leader, good governance is on the forefront, there is a lurking doubt that many a people may be by now realizing that the story of so called development cannot be defended beyond a point as so many studies and reports have shown the contrary facts. Authoritarian and dictatorial leader is not a strong leader, one is clear about that as strong leader is one who is inclusive and takes others along. So back to the fundamentals of communal politics, the issues related to ‘identity and faith’ are being subtly propped up.

Attacking the UPA II government for increase in the export of meat and beef (3rd April 2014) Narendra Modi mocked at UPA II by saying that cattle are being killed for the sake of ‘pink revolution’, which hints towards the meat business, export of meat, beef. In our country eating beef is very sensitive religious issue. It emerges that now despite this being a sensitive issue; on the ground of commerce it comes to our notice that India has become the biggest beef exporter in the world, beating Brazil. This is as per the latest meat exports figures from the Ministry of Food Processing. The data shows that India exported 1.89 million tons of beef in 2012-2013, which is a 50 per cent increase over five years’ ago, “Officially, the slaughter of cows is banned and beef production is actually buffalo meat. Here too, the slaughter is restricted to males and unproductive females,’’ explains the Department of Animal Husbandry official.

As such beef has been a part of India’s dietary traditions. In Vedic times the sacrifice of cows in the yagnas (rituals around fire) was a central feature. It is with the rise of agriculture that the restrictions were brought on the sacrifice of cows as cattle wealth was core to the development of agriculture. Swami Vivekananda, while speaking to a large gathering in USA said: “You will be astonished if I tell you that, according to old ceremonials, he is not a good Hindu who does not eat beef. On certain occasions he must sacrifice a bull and eat it.”

[Vivekananda speaking at the Shakespeare Club, Pasadena, California, USA (2 February 1900) on the theme of ‘Buddhistic India’, cited in Swami Vivekananda, The Complete Works of Swami Vivekananda, Vol 3 (Calcutta: Advaita Ashram, 1997), p. 536.]

This is corroborated by other research works sponsored by the Ramakrishna Mission established by Swami Vivekananda himself. One of these reads: “The Vedic Aryans, including the Brahmanas, ate fish, meat and even beef. A distinguished guest was honoured with beef served at a meal. Although the Vedic Aryans ate beef, milch cows were not killed. One of the words that designated cow was aghnya (what shall not be killed). But a guest was a goghna (one for whom a cow is killed). It is only bulls, barren cows and calves that were killed.”

[C. Kunhan Raja, ‘Vedic Culture’, cited in the series, Suniti Kumar Chatterji and others (eds.), The Cultural Heritage of India, Vol 1 (Calcutta: The Ramakrishna Mission, 1993), 217.] The pioneering research of Historian D.N.Jha also tells us that beef was the part of India’s dietary tradition. Same is corroborated by Dr. Pandurang Waman Kane in his multi Volume, “Bharatiya Dharmgranthon ka Itihas’ (History of Indian Scriptures) where he quotes from Vedas, Atho Annam Vya gau (Cow is veritably a food)

Cow came to become a holy animal with the rise of agricultural society for the obvious reasons of need for bulls in agriculture. It got associated with the religious sentiments. Contrary to the propaganda that it was Muslim kings who brought beef eating practices in India, the fact is that Muslim kings in deference to the feelings of the Hindu majority went on to put curbs on cow slaughter. Babar’s will to his son Humayun (Exhibit in National Museum) point to this fact. It says

“Son, this Nation Hindusthan has different Religions. Thank Allah for giving us this Kingdom. We should remove all the differences from our heart and do justice to each community according to its customs. Avoid cow-slaughter to win over the hearts of the people of this land and to incorporate the people in the matters of administration…” (Translated from the original- National Museum)

The propaganda that Muslims brought beef eating to India has no substance at all. As a matter of fact it was British who systematized it and appointed Khatiks (butchers) in their barracks for cow slaughter to supply beef for the army. With rise of the politics in the name of religion due to British policy of ‘divide and rule’, cow and pig were made instruments of instigating communal violence to polarize the communities along religious lines. Many a communal violence did break out in the name of cow slaughter or pig in a mosque. Earlier too the demand for cow slaughter ban has been raised and now it is banned in most of the states barring Kerala and West Bengal. So currently there are strict rules about cow slaughter and what is called beef is essentially buffalo meat. In recent times the murder of dalits in Gohana on the charge that they killed cow for its hide is too fresh in our memory. The killing of dalits was legitimized by a VHP leader saying cow is too holy for anything else to be considered.

As such beef has been part of Indian dietary practices amongst many communities especially amongst dalits and Adivasis all over, more so in Southern India. In the face of rising price of mutton, it is a rich source of protein for the poor; some do take to it for its taste. Recently when I was on a group tour to Eastern Europe, one Hindu family, which was part of our group, by and large was opting for beef as the main dish for their lunch or dinner.

The issue now is that should we have our dietary choices or not? The subtle hint that the UPA II is promoting the ‘Pink Revolution’ is a blatant communal use of the issue. The BJP spokespersons on TV channels are claiming that it is due to the promotion of this export that our milk production and agriculture is suffering. Whatever be other flaws of the current policies, one thing is sure that our milk production is on ascendance. Agriculture is suffering but not due to shortage of cattle. Such claimants need to do their home work and learn that by and large it is the poor, low caste who rear the cattle and they can’t bear the burden of old animals which can no more give the milk. The natural cycle of food and economics is dictating the present scenario, and communalizing it is unwarranted. We need to put our agricultural economy on the wheels of progress, rearing animals is an activity very close to agricultural economy, such a blatant communalizing the issue is counterproductive to our values as a democratic society.

Loading

બકોર પટેલ : પાપડિયો જંગ !

હરિપ્રસાદ વ્યાસ|Opinion - Short Stories|18 April 2014

જમવા માટે શકરી પટલાણીએ પાટલા ઢાળ્યા. આજે જ તેમણે પાપડ બનાવ્યા હતા. ખૂબ હોંશથી બનાવેલા. તેથી બકોર પટેલને ચખાડવા પોતે તલપાપડ બની ગયાં હતાં. થાળી પીરસીને એક બાજુ રકાબીમાં બે પાપડ મૂક્યા.

બકોર પટેલ આવીને પાટલે બીરાજ્યા. પાપડ ઉપર નજર પડતાં જ મલકાતાં મલકાતાં બોલી ઊઠ્યા : ‘ઓહોહોહોહો! આજે તો પાપડમ્ વણી નાખ્યામ્ ને કંઈ !

’
‘શું કરું ત્યારે ?’ શકરી પટલાણીએ જવાબ આપ્યો, ‘રોજરોજ તમે બબડો કે પાપડમ્ તૈયાર નહિ થાય, તો સાપડમ્ (ભોજન) કરવાનો નથી જ ! તેથી આજે બપોરે બેચાર બહેનપણીને બોલાવી તાબડતોબ વણી નાંખ્યા!

’
‘પણ મને તો રાખ્યો અંધારામાં ! તમે બૈરાં માળાં બહુ પાક્કાં !’ પટેલ તાજેતરમાં મદ્રાસની મુસાફરી કરી આવેલા. ત્યાંની તામિલ ભાષામાં પાપડને ‘પાપડમ્’ કહે અને ભોજનને ‘સાપડમ્’ ત્યારથી ગમ્મતમાં પટેલ જ્યારે ને ત્યારે તામિલ ભાષાના એ શબ્દો વાપરી વારે વારે પાપડમ્ સાપડમ્ લગાવ્યા કરતા.

બકોર પટેલ પાપડના બડા શોખીન. હાલ બે’ક મહિનાથી પાપડ ખાધેલા નહિ, તેથી સૌ પ્રથમ તેમણે પાપડનો જ કટકો ભાંગીને મોંમાં દાબ્યો. થોડોક ચાવ્યો ન ચાવ્યો ત્યાં તો મોટેથી હસવા લાગ્યા : ‘હોહોહોહો ! હીહીહી ! હુહુહુહુહુ !’ શકરી પટલાણી તો આભાં જ બની ગયાં ! તેમને કંઈ જ સમજ ના પડી !


‘કેમ કેમ કેમ ? શું થયું, શું થયું ? આટલું બધું હસો છો કેમ ?’


હસતાં હસતાં જ પટેલે જવાબ આપ્યો, ‘કેમ ના હસું ? આ તેં બનાવ્યું છે શું ? પાપડ કે તાપડ ? તદ્દન તાપડા જેવા પાપડ છે ! બિલકુલ તાપડા ! આબાદ તાપડા ! અચૂક તાપડા !’

‘બહુ પાતળા વણવાથી શેકતાં શેકતાં બળી જતા. તેથી આ વખતે જરા જાડા વણ્યા. પણ સ્વાદમાં કેવા છે ? તે વાત કરો ને……’
‘

તદ્દન ફુઉઉસ જેવા ! આવા તે હોતા હશે પાપડ ? આવડ્યા જ નહિ તને પાપડ કરતાં ! આવડતા જ નથી. પાપડ તો આમ…. કેવા હોય ! ફાંકડા ! લહેજતદાર ! તમતમાટ ! ધમધમાટ ! ભમભમાટ !’

શકરી પટલાણી જરા ચિડાઈ ગયાં.


બોલ્યાં : ‘ઓહોહોહોહો ! પાપડ ખાનાર દીઠા ન હોય તો ! લોકો કરતાં તો ઘણા સારા બનાવું છું હું તો. તમારામાં બહુ આવડત હોય તો એકવાર પાપડ બનાવી તો બતાવો ! આવા ય તો બનાવી આપો !’


‘એ એમ ? જોવું છે ?’


‘હા ! હા ! હા ! જોવું છે. સત્તર વાર જોવું છે. જોઉં તો ખરી, કે તમને કેવુંક પાપડ બનાવતાં આવડે છે ?’


‘તો લાગી ! લાગી ! જા ! ઝીલી લઉં છું તારો પડકાર. તક મળતાં જ પાપડ બનાવીને ખવડાવું ત્યારે હું બકોર પટેલ ખરો. એવા તો ફાંકડા બનાવું કે ચાખીને તારો રોલો ઊતરી જાય. મગજની રાઈ પણ ઊતરી જાય. ખુશ ખુશ થઈ જઈશ ! આમ મોં બગાડવું નહિ પડે !’ થઈ ચૂક્યું ! બકોર પટેલ અને શકરી પટલાણી વચ્ચે પાપડિયા જંગનો પડકાર ફેંકાઈ ગયો ! પટેલે ઝીલી લીધો ! ને પછી તેઓ યોગ્ય તકની રાહ જોવા લાગ્યા. બરાબર લાગ મળવો જોઈએ ને ?

એક દિવસ એ લાગ મળી ય ગયો.


શકરી પટલાણીની એક ખાસ બહેનપણીને ત્યાં લગ્ન હતાં. તેથી સાંજે તેને ત્યાં જવાનું ને બીજો આખો દિવસ અને રાત પણ ત્યાં રોકાવાનું હતું. પટલાણીની આ લાંબી ગેરહાજરીનો બકોર પટેલે લાભ લીધો. કામવાળી બાઈ ખુશાલડોશી પાસે તેમણે પાપડનો લોટ બંધાવી રાખ્યો. ગૂંદવાનું બાકી રાખ્યું. પછી મિત્રમંડળને નોતરાં દેવા નીકળ્યા. સૌથી પહેલાં વાઘજીભાઈને ત્યાં ગયા. કહ્યું :


‘વકીલસાહેબ, બહુ ઉતાવળમાં છું, ઝાઝું થોભી શકાય તેમ નથી પણ કાલે સાંજે ચાર વાગે જરૂર જરૂર જરૂર મારે ત્યાં આવજો. તમારું અંગત અને બહુ ખાનગી કામ છે.’


‘શું કામ છે ?’ એવી કંઈ કચ કચ વાઘજીભાઈ કરે, તે પહેલાં તો પટેલ હાથ હલાવતા બહાર નીકળી ગયા. આવી જ રીતે કશો પણ ફોડ પાડ્યા વિના ટીમુ પંડિત, હાથીશંકર અને ડૉ. ઊંટડિયાને ત્યાં નોતરું દઈ આવ્યા. કામ શું છે તે કોઈને જણાવ્યું નહિ.

બીજો દિવસ થયો.


પાપડ વણવા માટે આડણીવેલણ જોઈએ. ખુશાલડોશીને મોકલી પટેલે આડોશપડોશમાંથી ચાર પાંચ આડણી વેલણ મંગાવી રાખ્યાં. બે કિલો આઈસક્રીમ મંગાવીને ફ્રીઝમાં મુકાવી રાખ્યો. તેમનો વિચાર પોતાના મિત્રમંડળ પાસે પાપડ વણાવવાનો હતો ! મનમાં એવું, કે પટલાણી પોતાની સખીઓને પાપડ વણવા બોલાવે, તો હું મારા સખાઓને પાપડ વણવા કેમ ના બોલાવું ?….. પટેલે માત્ર એક કિલો લોટ બંધાવેલો. એટલા પાપડ વણવામાં વાર કેટલી ? પણ હા, પાપડ વણવાના છે, તેવું કોઈને અગાઉથી કહેલું નહિ. જરા પણ ઈશારો કરેલો નહિ. આખરે ચાર વાગ્યા. સૌથી પહેલાં ડોલતા ડોલતા ટીમુ પંડિત આવી પહોંચ્યા. બહારથી જ તેમનો ઘાંટો સંભળાયો. તેમણે લલકાર્યું :

પ્રભાતે મગસો મોદક,


આરોગે જે માનવી;


બળબુદ્ધિ ને વધે કાન્તિ,


એવં ચરકઃ ઉચ્યતે ….

પંડિતજીની પાછળ પાછળ વાઘજીભાઈ આવી પહોંચ્યા. થોડીવારે ડૉક્ટર ઉંટડિયા પણ પધાર્યા. ચાર જણ એકઠા થયા એટલે ખુશાલડોશી બધાને માટે આઈસ્ક્રીમની પ્લેટો લાવી. બધાએ તે આરોગવા માંડ્યું, એટલે બકોર પટેલે ઊભા થઈ ભાષણ આપવા માંડ્યું :


‘પ્રિય મિત્રો ! આજના શુભ દિને આપ સૌ ટેસથી આઈસ્ક્રીમ આરોગો.’


‘શાનો શુભ દિન છે ?’ ટીમુ પંડિતે ભવાં ચડાવી પૂછ્યું, ‘વહેલું કહ્યું હોત તો હું આવીને ધાર્મિક વિધિ કરાવત.’


‘વિધિ તો તમારી પાસે કરાવાની જ છે.’ પટેલ બોલ્યા, ‘આપ સૌ આઈસ્ક્રીમ સારી પેઠે આરોગતા જાઓ. ત્યાં હું આજના શુભ દિનની વાત કરું.’ બધા ચમચી વડે આઈસ્ક્રીમ ઉડાવવા મંડ્યા તથા ધ્યાનથી સાંભળવા લાગ્યા.


‘મિત્રો, માળાં બૈરાઓનું અભિમાન બહુ વધી ગયું છે. કહે છે, એમના જેવી વાનગીઓ આપણે મરદ લોકો બનાવી શકીએ નહિ. મારી અને પટલાણી વચ્ચે પાપડ બાબતે ચકમક ઝરી છે. મેં પડકાર ઝીલી લીધો છે. તેથી મિત્રો, આઈસ્ક્રીમ પૂરું કરીને આપણે થોડાક પાપડ વણવાના છે ! પૂરતાં આડણીવેલણ તૈયાર છે !’ સૌનું ધ્યાન આડણીવેલણની ચાર જોડી ઉપર પડ્યું ને સૌ ખડખડાટ હસી પડ્યા.

પટેલે જરા વિસ્તારથી પાપડિયા જંગની વિગત સમજાવી દીધી. શકરી પટલાણી આજે આવવાનાં નથી, તેવું પણ જણાવી દીધું.


હવે ?


બધાને નવાઈ લાગી; પણ પટેલ સાથે સૌને દોસ્તી, કાયમ હસવાનું મળે એટલે કોઈને વાંધો નહોતો. લોટ મશાલો બગડે તો ય શું થઈ ગયું ? ઝોકાવો ભઈલા, પાપડિયા જંગમાં, યાહોમ !….. બધાએ બાંયો ચઢાવી વેલણ આડણી લીધા, અને પાપડની કણકના લચકા લઈ લઈ આડણી પર મૂક્યા. ટીમુ પંડિત કહે :


‘ચાલો ભઈલા, હવે હું એક બે ને ત્રણ બોલું છું. ત્રણ શબ્દ પડતાં જ સૌએ વેલણ મારવા માંડવું….’ ડૉ. ઉંટડિયા બોલ્યા : ‘વાહ વાહ ! ચલને દોજી ! લગાવો તમારી પાપડિયા હરાજી, પંડિતજી !’


‘એ એ એ એ ક


બે એ એ એ એ એ


ત્ર અ અ અ ણ……’


પણ ત્રણ શબ્દ પૂરો થાય ન થાય ત્યાં તો આંગણામાં બરાડો સંભળાયો :


‘ખબરદાર, સ્ટોપ ! હું આવ્યો છું, આવ્યો છું, આવ્યો છું….’ બધાએ ઊંચું જોયું તો બારણામાં શ્રીમાન હાથીશંકરજી. ફરી તે વદ્યા : ‘અલ્યા ઓ, મારી હાજરી વિના કામ કેમ શરૂ કરો છો ? શું સમજો છો તમારા મનમાં …..?’ કહી હાથીશંકર ખડખડ હસ્યા. પછી પ્લેટો પર નજર પડવાથી કહે : ‘ને….ને… ક્યાં છે મારું આઈસ્ક્રીમ ?’


બકોર પટેલ બોલ્યા : ‘હાથીશંકરભાઈ તમારા વિના ગાડું ગબડે ખરું ? તમારે માટે ડબલ પ્લેટ રાખી મૂકી છે !’
‘ત્યારે થવા દો !’

ને ખુશાલડોશીએ હાથીશંકર માટે ખાસ રહેવા દીધેલી હિમાલય પ્લેટ તેમની પાસે લાવીને મૂકી. ચમચો પણ મોટો જ ને ! એ ચમચાથી આઈસ્ક્રીમનાં ગાબડે ગાબડાં લગાવતાં હાથીશંકર પૂછવા લાગ્યા : ‘પણ આખર બાત ક્યા હૈ ? મામલો શું છે ?’ પટેલે બધી હકીકત કહી, પોતે પાપડિયા જંગમાં ઉતર્યા છે, તે પણ જણાવ્યું. હાથીશંકરને એકદમ શૂરાતન વ્યાપી ગયું.


‘એમ બાબત છે ? તો પહેલાં તો કણકને હું બરાબર ગૂંદી આપું. જેમ કણક ગૂંદાય તેમ પાપડ એકદમ પોચા બને. લાવો ખાંડણી અને દસ્તો.’ પટેલને હાથીશંકરની વાત વ્યાજબી લાગી. પાપડની કણક ઉપર જેમ પુષ્કળ ઘા પડે, તેમ લોટ મુલાયમ બને.

ખુશાલડોશીએ ખાંડણી ગોઠવી આપી. તેમાં પાપડની કણક મૂકી. હાથીશંકરે દસ્તો ઉપાડીને ઝીંકવા માંડ્યો :


‘હેઈસો ! હઈસ ! હેઈસો ! હેઈસો !’ હાથીશંકરની ફાંદ ઉછળવા માંડી. શ્વાસની ધમણ ચાલવા લાગી. નસકોરાં ફૂલવા માંડ્યા. પણ એક વખત એવો ભારે ઘા ઝીંકવા ગયા, કે પોતે જ ગલોટિયું ખાઈ ગયા !? પડ્યા હેઠા !


‘હાં ! હાં ! હાં ! હાં ! હાં !’ કરતા બકોર પટેલ તેમને ઊભા કરવા દોડ્યા. પણ પટેલનું એકલાનું શું ગજું ? તેમની મદદે ટીમુ પંડિત અને વાઘજીભાઈ આવ્યા. ત્રણેએ મળીને હાથીશંકરને ઊભા કર્યા.


‘બહુ પછડાટ લાગી છે ?’ પટેલે પૂછ્યું.


‘ના ના !’


ડૉ. ઊંટડિયા કહે : ‘ઘરમાં ટિંકચર છે કે નહિ ? એમને ટિંકચર આયોડિન ચોપડી દો. લાવો શીશી મારી પાસે. હું લગાડી આપું.’ પટેલે કબાટ ખોલી શીશી કાઢી. હાથીશંકર ના ના કહેતા રહ્યા અને ડૉક્ટર ઊંટડિયાએ તેમના શરીરે લપેડા કરી દીધા !

થોડી વાર બધાએ થાક ખાધો. પછી પટેલ કહેવા લાગ્યા : ‘હવે આપણે વાટા બનાવી લુઆ પાડીએ.’


‘એ વાટાફાટા આપણને ના આવડે !’ વાઘજીભાઈ હાથ ખંખેરીને બોલ્યા : ‘બાકી લુઆ પાડવા હોય તો સહેલી વાત છે. વાટાનું કામ આ પંડિતજીને સોંપો.’


‘ભલે. હું પ્રયત્ન કરી જોઉં. લાડવા મેં ઘણા વાળ્યા છે પણ વાટા કોઈ દિવસ પાડ્યા નથી. પણ આજે કરું અખતરો!’ ટીમુ પંડિત કણક લઈને બેઠા. તેઓ વાટા વાળવાનો પ્રયત્ન કરે. છતાં આદતના જોરે ગોળ ગોળ લાડવા જ વળાઈ જાય!


ડૉ. ઊંટડિયા હસી પડ્યા !


‘લાવો એ લાડવા !’ ડૉક્ટર બોલ્યા, ‘અમે વાટા પાડીએ.’ આખરે બધાએ જેમ તેમ કરીને વાટા પાડ્યા. મીણની દોરી વડે લુઆ પણ પાડ્યા. લુઆમાં ય ગોટાળો થઈ ગયો ! કોઈ લુઓ જાડો તો કોઈ વળી એકદમ પાતળો ! પણ છેવટે આ રીતે પાપડ વણવાની તૈયારી થઈ.


પટેલ કહે : ‘મિત્રો, પાછાં સંભાળી લ્યો સૌ સૌનાં આડણી અને વેલણ ! મારે માટે હું રસોડામાંથી લઈ આવું છું. ચાલો ત્યારે. આપણે સૌ ઝોકાવો.’

આમ એક બાજુ પટેલ અને વાઘજીભાઈ આડણી વેલણ લઈને ગોઠવાયા. બીજી બાજુ ટીમુ પંડિત અને ડૉ. ઊંટડિયા ગોઠવાયા. પ્રમુખસ્થાને હાથીશંકર બિરાજ્યા.


પાપડ વણવાનું શરૂ થયું.


લુઆ ઉપર વેલણ ફરવા માંડ્યાં !


પાપડિયા જંગનો આરંભ થઈ ચૂક્યો ! પાંચે પાંચ જણ પાપડ વણવા માંડ્યા. પણ એ બધા મહાનુભાવોએ કયે દહાડે પાપડ વણ્યા હોય ? વણતાં આવડે જ કેવી રીતે ? એટલે દરેકના પાપડે જાતજાતની આકૃતિનું રૂપ પકડવા માંડ્યું. કોઈના પાપડની આકૃતિ બંબાની સૂંઢ જેવી થવા લાગી ! કોઈની વળી ડોકવાળા જિરાફ જેવી ! કોઈના પાપડને છ બાજુ ખૂણા નીકળવા લાગ્યા ! તો કોઈનો પાપડ રબ્બરના ફુગ્ગા જેવો આકાર પકડવા લાગ્યો ! ડૉ. ઊંટડિયાએ કંટાળીને આડણી વેલણ આઘાં ધકેલ્યાં !


‘કેમ !’ બકોર પટેલે ચિંતાતુર ચહેરે પૂછ્યું.


‘આ આપણને ના પાલવે !’


‘શું ?’


‘આ વાંકાચૂંકું મોઢું કરે છે ! દવાખાનામાં દરદીને ઈંજેકશન આપું છું, ત્યારે તે આવું વાંકુંચૂંકું મોઢું કરે છે ! આ પાપડ જોઈને મારો દરદી યાદ આવે છે !’


બધાં હસી પડ્યાં !


પટેલે ધીરજ આપતાં કહ્યું : ‘ડૉક્ટર ! આગે બઢો ! જે ડગલું હિંમતથી ભર્યું, તે ભર્યું ! તેમાં પીછેહઠને અવકાશ જ ના હોય ! તમામ વાંકાચૂંકા પાપડ માટે મેં ઈલાજ તૈયાર રાખ્યો છે !’


‘શો ?’


પટેલે એક વાટકો અને ચપ્પુ બતાવ્યાં : ‘આ તેનો ઈલાજ !’


કોઈને સમજ પડી નહિ.


‘કેવી રીતે ?’ ડૉ. ઊંટડિયાએ પૂછ્યું.


‘આ રીતે !’ કહીને પટેલે એક વાંકાચૂંકા પાપડ ઉપર વાટકો ઊંધો પાડ્યો. પછી તેના ગોળાકારની આજુબાજુની વાંકીચૂંકી ધાર ચપ્પુથી કાપી નાંખી !


‘આફરીઈઈન !’ ડૉ. ઊંટડિયા બોલ્યા : ‘આમ તો બધા જ પાપડ આબાદ ગોળાકાર બનાવી શકાશે !’

ફરીથી બમણા ઉત્સાહથી સૌ પાપડ વણવા મંડી પડ્યા. ત્યાં દશબાર મિનિટ પછી અચાનક શકરી પટલાણીનો અવાજ સંભળાયો, ‘વાહ ! વાહ ! પાપડ વણવા તો મોટી ફોજ આવી પડી છે ને !’ શકરી પટલાણીને અચાનક આવી પડેલાં જોઈ સૌ ચમક્યા અને શરમાઈ ગયાં. શકરી પટલાણી તો આજે આવવાનાં જ ન હતાં ! ટીમુ પંડિત તો શરમના માર્યા ધોતિયું ખંખેરીને સડાક દેતા ઊભા થઈ ગયા ! બકોર પટેલથી પૂછાઈ ગયું :


‘એકાએક ક્યાંથી તું ?’


પટલાણીએ હસીને જવાબ આપ્યો : ‘જરિયાન સાડી લેવા આવી છું ! કાલે ભૂલી ગયેલી. પણ આવી પહોંચી તો આ તમારા વજનદાર આબરૂદાર સખાઓ પાપડ વણતા જોવા મળ્યા !’ બધાનો વેશ જોઈ પટલાણી ખડખડાટ હસી પડ્યાં.


બકોર પટેલે મામલો સંભાળી લીધો.


‘વાંધો નહિ, મિત્રો ! પાપડનો લોટ પૂરો થવા આવ્યો છે. પડકાર આપણે બરાબર ઝીલી લીધો છે. પટલાણીને બતાવી આપ્યું છે કે તમારા કરતાં અમે કમ નથી !’


શકરી પટલાણી મલકાઈને બોલ્યાં : ‘અત્યારે તો ઉતાવળ છે એટલે જાઉં છું. કાલે પાપડ સૂકાશે ત્યારે ચાખીશ. લાડી પાડીનાં નીવડ્યે વખાણ !’ શકરી પટલાણીએ સાડીનું ખોખું હાથમાં લીધું. પછી હસતાં હસતાં વિદાય થયાં.

ખુશાલડોશી પાપડ સૂકવતાં જતાં હતાં. પછી તેમણે વધેલા આઈસ્ક્રીમની પ્લેટો ફરીથી ભરી. મિત્રમંડળે બીજીવાર આઈસ્ક્રીમ ઉડાવ્યો. પછી સૌ જવા તૈયાર થયા.


પટેલ કહે : ‘ખડે રહો ! ’


‘કેમ ? શું બાકી છે ? મગસની ગોટીઓ કાઢો છો ?’ ટીમુ પંડિતે સ્મિત કરી પૂછ્યું.


બકોર પટેલ હસી પડ્યા !


‘પંડિતજી !’ તેઓ બોલ્યા, ‘મગસની ગોટીનું તમારું દાપું તો હું વિસરી જ ગયો ! પહેલાં મગસ કાઢી લાવું.’ પંડિતજી જ્યારે પધારે ત્યારે મગસની એકાદ-બે ગોટીનો પ્રસાદ તો લે જ લે ! મગસની ગોટીનું ખોખું પટેલે દરેક જણ સામે ધર્યું. દરેકે પ્રસાદરૂપે એક એક ગોટી ઉઠાવીને મોંમાં મૂકી. પંડિતજીએ સીસકારો બોલાવી બે ઉઠાવી ! પછી પટેલ બોલ્યા : ‘મિત્રો, આપણમાં રિવાજ છે કે પાપડ વણવા આવનારી દરેક જણીને 5-10 પાપડ આપવા !’


‘પણ આપણે ‘વણનારી’ નથી ! ‘વણનારા’ છીએ !’ વકીલ વાઘજીભાઈએ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો !


‘ભલે !’ પટેલે જવાબ આપ્યો, ‘પણ એ રિવાજનો મારે ભંગ કરવો નથી. તમે દરેક જણ પાંચ પાંચ પાપડ લેતા જાઓ!

ખુશાલડોશી, પેલી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરીને પાંચ પાંચ પાપડ દરેક જણને આપો.’ ખુશાલડોશીએ ઝડપથી પેકેટ તૈયાર કર્યાં અને બધાને આપ્યાં.


સર્વે વિદાય થયા.
પટેલે આંખો મીંચીને ભગવાનને પ્રાર્થના કરી : ‘હે ભગવાન ! અમે તૈયાર કરેલા પાપડ ‘ચાંગલા’ બનાવજે હોં !’

બીજો દિવસ થયો.


શકરી પટલાણી સવારમાં જ આવી પહોંચ્યાં. તેમનું ચિત્તેય પટેલ મંડળીએ વણેલા પાપડમાં હતું. સવારે જ ચા સાથે તેમણે બે-ત્રણ પાપડ શેક્યા. પટેલને પણ ચા સાથે એક પાપડ આપ્યો. ચા-બિસ્કિટની પેઠે ચા-પાપડ ! પટેલનું ધ્યાન તો શકરી પટલાણીના મોં તરફ જ. તેમને એમ થતું હતું કે પટલાણી ક્યારે પાપડ ચાખે અને ખુશ થઈ જાય ! પટલાણીએ પાપડ ખાધો કે લાગલું તેમનું મોં કટાણું થઈ ગયું ! પટેલ ગભરાયા ! શકરી પટલાણી બોલ્યાં : ‘ઊંહુંહુંહુંહું! આ તે પાપડ કે સુદર્શન ચૂરણ ? કેટલા બધા કડવા છે ! આંખો મીંચીને હિંગ ઝીંકી લાગે છે !’


વાત સાચી. પટેલને હિંગના પ્રમાણની શી ખબર ? એ તો એટલું જ સમજેલા કે હિંગવાળા પાપડ ભારે સ્વાદિષ્ટ બને. પણ હિંગ વધારે ઝીંકાઈ જાય તો કડવા વખ જેવા થઈ જાય, તેની તેમને સમજ નહિ.

પટેલે પાપડ ચાખી જોયોને તરત ખાતરી થઈ ગઈ કે ઘાણ બગડ્યો છે ! પણ તેઓ કંઈ બોલે, તે પહેલાં ફોનની ઘંટડી રણકી.

ભૂંગળું ઊપાડી પટેલે વાત શરૂ કરી :


‘હલ્લો ! કોણ ?’


‘હું વાઘજીભાઈ !’


‘ફરમાવો સાહેબ !’


‘શું ફરમાવું ? ચાખ્યા પેલા પાપડ ! અંદર માસાલાને બદલે સુદર્શન ચૂરણ નંખાઈ ગયું છે ? ખૂબ કડવા કેમ લાગે છે?’


પટેલ હસીને બોલ્યા : ‘વકીલ સાહેબ ! જેનાં કામ તે કરે ! આપણે વળી પાપડ બનાવી શકવાના હતા ? અંદર હિંગ ડબલ પડી ગઈ ! હાથી શંકર અને બીજાને પણ પાપડ આવા જ લાગ્યા હશે !’


‘એ બધાના ટેલિફોન મારા ઉપર ક્યારના ય આવી ગયા ! બધાની એ જ ફરિયાદ ! કહે કે અમે પટેલ સાહેબને ફોન કરીએ તો ખોટું લગાડી બેસે ! બાકી પાપડ બનાવવા એ કંઈ ડાબા હાથનો ખેલ થોડો જ છે ?’


‘સાચી વાત. હમણાં જ હું પટલાણી પાસે હાર કબૂલી લઉં છું.’ આમ કહીને પટેલે ભૂંગળું મૂકી દીધું. પટલાણી પૂછવા લાગ્યા : ‘વાઘજીભાઈનો ફોન હતો ?’


‘હા.’


‘તમે પાપડ આપ્યા હશે ! ખુશાલડોશી મને કહેતાં હતાં ! કેવા લાગ્યા ?’


‘સુદર્શન ચૂરણ જેવા ! જો, આ કાનપટ્ટી પકડીને કબૂલ કરું છું કે આ પાપડ નહિ પણ થાપડ છે ! જેનાં કામ જે કરે ! બીજાં માથાં મારવા જાય તો ગબડે હેઠા ! મારે કહેવું જોઈએ કે મારા પાપડ કરતાં તારા પાપડ અનેક દરજ્જે સારા ! જંગે પાપડિયામાં હાર કબૂલ કરી લઉં છું – સોવાર, હજારવાર, લાખવાર !’

કિશોરકથામાળાના પુસ્તક ‘બકોર પટેલ : પાપડિયો જંગ’ પુસ્તકમાંથી સાભાર

Loading

...102030...3,9663,9673,9683,969...3,9803,9904,000...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved