
આ સાથે નામો મોકલું છું. પૂરાં, અટક સાથેનાં નામો કદાચ ‘લોકભારતી’માંથી મળે.
– જુગલકિશોર વ્યાસ
૧૯૬૫ના ‘લોકભારતી’ના ગ્રૂપફોટોમાંના વિદ્યાર્થીઓ–કાર્યકરોનાં નામ :
૧) નીચે બેઠેલાં ડાબી બાજુથી : કમળા ગાંધી, સુમેધા પંચોળી, સાવિત્રી પટેલ, ભાનુ પટેલ, નંદુ પટેલ, ગ્લેિડસબહેન, ગંગા ચૌધરી, પુષ્પાબહેન, મણિબહેન, સરલા દવે, ગજરાબહેન (ચૌધરી ?)
૨) નીચેથી બીજી લાઇન : સર્વશ્રી જ્હોન, જયંતભાઈ શાહ, કુંવરાણી દાદા, લક્ષ્મણભાઈ પટેલ, ન.પ્ર. બુચ, મૂળશંકરભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, ઇસ્માઇલભાઈ નાગોરી, જ્યોતિભાઈ દેસાઈ, ચુની દાદા, કુમુદભાઈ ઠાકર, જિરાલ્ડભાઈ.
૩) નીચેથી ત્રીજી લાઇન : બાબુભાઈ, પ્રવીણ ડાભી, હનુ, સર્વશ્રી યશવંતભાઈ ત્રિવેદી, મહિપતસિંહ ઝાલા, રામજીભાઈ પટેલ, વંડ્રાભાઈ, મુકુંદરાય મુનિ, પ્રભાતસિંહ દાદા, યોગેન્દ્રભાઈ ભટ્ટ, વૈદ્યરાજ મજીઠિયાભાઈ, સોમાભાઈ પટેલ, રતિભાઈ પંડ્યા, પ્રેમજી (નાઈ), જુગલ વ્યાસ.
૪) નીચેથી ચોથી લાઇન : ઝવેરભાઈ, છન્નુ, રમણીક, પર્વતસિંહ, છગન, વાડીલાલ, રવીન્દ્ર અંધારિયા, દેવેન્દ્ર, પ્રફુલ્લ, ત્રિભોવન, મૂળજી, જીવુ, રતન, બચુ, માવજી, ગોરધન, ગોવિંદ, જશભાઈ, નાગર, ચંદુ.
૫) નીચેથી પાંચમી લાઇન : પ્રશાંત પંચાલ, જોઈતારામ, મોતીભાઈ શાહ, ભીખુ સુરાણી, પરશોત્તમ, જાનાભાઈ, રમણ ચૌધરી, વજુ, બાલુ, પ્રવીણ રાવળ, શંભુ ગોટી, અંબાશંકર પનોત, ગુલાબ, ચિત્રકાર જેરામ ચૌધરી, રવીન્દ્ર, (પછીના બે યાદ નથી), જસરાજ, કરશન પટેલ, લલિત નાકરાણી.
૬) સૌથી ઉપરની લાઇન : દોસ્ત મહંમદ, ઇન્દુ, રંગીલ, રવજી, મૂળજી, દિનકર ચૌધરી, જીવુ, દિનેશ ભટ્ટ, મહોબતસિંહ, લાભશંકર, કંચનભાઈ પટેલ, દામજીભાઈ, હીરજી ભીંગરાડિયા, અરજણ માલવિયા, વિનોદ માંગુકિયા, ગોપાલ પટેલ, ચિત્રકાર પ્રભુ પટેલ, પોપટલાલ.
![]()


એમના વિષે સાંભળેલું ઘણું, એમનું વાંચેલું પણ ખરું, પણ કોઈ જ પરિચય નહીં. મિત્ર પાસેથી ઈ.મેઈલ સરનામું લઈને થોડી દ્વિધા સાથે એમને આ મુલાકાત માટે વિનંતી કરી. તરત જ સામો જે ઉષ્ણ અને ઉત્સાહપૂર્ણ ઉત્તર આવ્યો એનાથી દંગ રહી જવાયું. જાણે કોઈ ચિર-પરિચિત બહેનપણીનો પત્ર. પછી રૂબરૂ મુલાકાતનો સુયોગ પણ થયો. એમને મળો તો ચહેરો હાસ્યથી ફૂલગુલાબી હોય, વાતો હળવી ફૂલ, નાની નાની વિગતોમાં રસ, જેને સાવ ‘ડાઉન ટુ અર્થ’ કહેવાય એવું. હંમેશાં એમના વાળમાં ડાબી બાજુ ખોસેલું રંગીન ફૂલ, એ એમના ચિત્તની, આ સ્થિતિનું જાણે પ્રતીક તે ! આ ફૂલ એ એમનો ‘ટ્રેડ-માર્ક’, એમની ઓળખ. છતાં એમની વાતોમાં એક ગૌરવ છે, જીવન અને જગતની તળેટીને ખુંદી વળી, એને જોવાની પ્રૌઢ અને ગૂઢ દૃષ્ટિનો રણકો એમની વાતોમાં સંભળાય. ગુજરાતી સાહિત્યને તેમણે તેમનાં વીસેક પ્રવાસ પુસ્તકો, કાવ્યસંગ્રહ, લલિત નિબંધો, વાર્તાઓથી રળિયાત કર્યું છે, અનેક સાહિત્યિક સન્માનોથી એ વિભૂષિત છે. લેખનમાં અને બોલવામાં ભાષાશુદ્ધિની એમને ભારે ચીવટ, સંગીતની ઊંડી સૂઝ, પોતે અચ્છા ગાયિકા પણ ખરાં. જન્મે ગુજરાતી, લગ્નથી બંગાળી અને ધર્મથી કોલંબસ એવાં પ્રીતિ સેનગુપ્તાએ એકલપંડે કરેલા દેશાંતર, અને પછીના અનેક ભૌગોલિક પ્રવાસોમાં, તેમણે માત્ર સ્થળોને જ નહીં જાતને પણ નવી નવી રીતે જોઈ છે, એની પ્રતીતિ તેમની સાથેનો આ સંવાદ કરાવશે.
ઉત્તર : અંગત છે, પણ કહેવાય એવું છે. પહેલેથી જ ચંદન કહે છે કે એ એવું મને કે દરેક વ્યક્તિમાં એક પેશન હોવી જોઈએ, દરેક વ્યક્તિને કોઈક એવો શોખ કે એવી લગન કોઈ પણ ક્ષેત્રમાં હોવી જોઈએ, જેનાથી એનું પોતાનું જીવન સાધારણથી કંઈક વધારે થાય. એટલે મને મારા પ્રવાસમાં, મારા લેખનમાં, વાંચનમાં આટલો ઊંડો અને શાશ્વત રસ છે એનો એને પહેલેથી જ આનંદ રહ્યો છે. મારી પહેલી ચોપડી મેં ચંદનને અર્પણ કરેલી, કે એ મને જવા દે છે જેથી હું પાછી આવી શકું. એણે મને એ વિશ્વાસ આપ્યો કે પાછા આવીને ક્યાં જવું એ હવે મારે ગભરાવાનું નથી. હું જ્યાં જાઉં ત્યાંથી પાછી આવું ત્યારે મારું ઘર અહીં છે જ.
ઉત્તર : બહુ સભાનતાથી મેં નહોતું વિચાર્યું કે મારે પ્રવાસી બનવું છે. પણ ઘરઝુરાપો એવો હતો કે એ મને પ્રવાસ પ્રતિ લઈ ગયો. પહેલાં અમેરિકા એ રીતે ફરી કે એ દેશને જોઈ લઉં તો એને માટેની મારી સમજણ વિકસે અને મારું ચિત્ત થોડું સ્થિર થાય. પછી હું થોડા દૂરના દેશોમાં ગઈ – યુરોપ ગઈ, આફ્રિકા ગઈ. જ્યારે હું દક્ષિણ અમેરિકા ગઈ ત્યારે એ મારો પાંચમો ખંડ હતો. ત્યારે મેં એન્ટાર્કટિકા વિશે સાંભળેલું. ત્યારે મને થયું કે પહેલાં ઓસ્ટ્રેલિયા જઈ આવું. ત્યાર પછી હું પાંચ વાર ઓસ્ટ્રેલિયા આવી છું અને મને ખૂબ ગમ્યું. એટલે એમ સાત ખંડના પ્રવાસ પૂરા થયા, પછી મેં ઉત્તર ધ્રુવના પ્રવાસ વિષે ક્યાંક વાંચ્યું અને મને થયું કે એ અભિયાન હું કરું તો સાડા-સાતમો ખંડ થાય. એ ઉત્તર ધ્રુવનો જે સમુદ્રનો ભાગ છે તે એટલો બધો મોટો છે, ભલે એમાં જળ વધારે છે, પણ એને અડધો ખંડ તો કહેવો જ પડે. એટલે સાત ખંડ જોઈને મારું મન સભર થઈ ગયું. પછી થયું કે નોર્થ-પોલ જઈને હું જાણે કે પૃથ્વીને મારા બાહુઓમાં આલિંગન આપું. જાણે હું પૃથ્વીને વહાલી કરું છું એવો ભાવ મનમાં આવતો હતો. સદ્દભાગ્યે એ વખતે ત્યાં જવા માટેનું અભિયાન હતું. ત્યાં જઈને તમને એવું લાગે કે તમે દુનિયાની બહાર નીકળી જાવ છો, પૃથ્વીને તમે છોડી દીધી છે. દેશો, જમીન બધું છોડીને તમારે દરિયા પર જતા રહેવાનું. એ એક બહુ ઊંડો અાધ્યાત્મિક અનુભવ છે. એને વિષે મેં ઘણું લખ્યું છે, અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તકો થયાં છે. ત્યાં દરિયો થીજેલો એટલે સ્લેજ્માં ગયાં. ત્યાં ચોવીસ કલાક અજવાળું હોય. મેં તો સાથે ઘડિયાળ પણ નહોતી રાખી. હું પ્રવાસમાં ઘણીવાર ઘડિયાળ નથી રાખતી. જ્યાં જાઉં ત્યાંના પ્રકાશ પરથી કેટલા વાગ્યા હશે તે વિચારું. ઉત્તર ધ્રુવ પર સાંજના આઠ-નવ વાગ્યા હોય ત્યારે ત્યાનું અજવાળું જરા સાંજ જેવું લાગે. પછી મધરાતે પણ અજવાળું હોય અને બીજો દિવસ પણ એમ જ શરૂ થાય. આમ તો બધું વૈજ્ઞાનિક છે, પણ મારા જીવનમાં મને એ બધું કંઈક દૈવી, સ્વર્ગીય, કે જાદુઈ લાગ્યું. જાણે મને બહુ મોટો આશીર્વાદ મળી રહ્યો હોય એમ થયું. એના પર મેં કાવ્યો લખ્યાં છે એની બે લીટી મારે કહેવી છે : એક ગીત છે,