Opinion Magazine
Number of visits: 9696381
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

What was Gandhi’s Evaluation of RSS?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|23 January 2015

With the new ruling dispensation, Modi Sarkar, attempts are being made to present Gandhi in a light which is favorable to the RSS combine. First, the Swachata Abhiyan (Cleanliness drive) was inaugurated on Gandhi Jayanti 2nd October, then it was claimed that RSS had nothing to do with Gandhi’s assassin Nathuram Godse. Now; efforts are on to extract a certificate from Gandhi on the lines which should mean that Gandhi thought ‘RSS very good’. In this direction a multimedia program is being shown in ‘Dandi Kutir’ which was inaugurated by the Prime Minister Mr. Modi recently, (January 2015). In this multimedia presentation in the exhibition it is claimed that Gandhi had come to RSS camp in Wardha in 1930, along with Ghanshyamdas Birla. Gandhi was very impressed by its functioning of RSS and wanted to meet Dr. Hedgewar, the founder of RSS. As per these claims Mahatma did meet the RSS founder the next day.

Irrespective of these claims the definitive knowledge is something else. On one side what is known is that RSS was very critical of Gandhi’s politics, his broadening of the national movement to include the average people of the country in the non- cooperation movement. This movement was the major event which awakened the people of India and linked them with anti British movement. This was the major landmark in the step towards ‘India as a nation in the making’. This major phenomenon of Indian nationalism came under heavy criticism from RSS leadership. RSS founder was critical of Gandhi for his efforts in the direction of ‘Hindu Muslim unity’ and this mass movement, non cooperation movement. Hedgewar went on to write, ‘As a result of non cooperation movement of Mahatma Gandhi, the enthusiasm in the country was cooling down and the evils of social life, which that movement generated, were menacingly raising their head. ‘As per him ‘it is due to this movement that Brahmin–non Brahmin conflict was nakedly on view’. (C.P.Bhishikar in Keshav Sangh Nirmata, Pune 1979, p 7) What he is calling Brahmin-Non Brahmin conflict was actually the struggle of dalits for their lands rights and social dignity, for change in graded hierarchy of caste. Hedgekar, true to the RSS ideology of upholding the values of declining-pre-industrial social system was against the movement. This non Brahman movement was actually challenging the status quo of caste relationships in the society.

Hedgewar’s successor, Golwalkar, went further to criticize the Indian national movement as being just anti British. Golwalkar writes, ‘The theories of territorial nationalism and common danger, which formed the basis of our concept of nation, had deprived us of the positive and inspiring content of our real Hindu nationhood…Anti Britishism was equated with patriotism and nationalism, this reactionary view had disastrous effects upon the entire course of freedom movement, its leaders and its people.” (Bunch of thoughts Bangalore 1996, p. 138) This is so far as what Sangh thought of Gandhi and his struggles for uniting ‘India as a Nation state’ with the ideology of Indian nationalism.

Now how did Gandhi look at RSS? As RSS for long was working ‘quietly’, there are not too many references about the role of RSS during this period. Also since it was not a part of National movement we can’t comment about its role in that movement. However whatever one can glean from the available sources one can say that Gandhi’s thoughts were not favorable to RSS. In Harijan on 9th August 1942, Gandhi writes, “I had heard of the Rashtriya Swayamsevak Sangh and its activities; and also know that it was a communal organization”, this was in response to the slogans and some speech against ‘other’ community, about which a complaint was made.  In this Gandhi is referring to the drill of RSS volunteers, who shouted that this Nation belongs to Hindus alone and once the British leave we will subjugate the non Hindus. In response to the rowdyism indulged by communal organizations he writes, “I hear many things about RSS. I have heard it said the Sangh is at the root of all this mischief.”(Gandhi, xcviii, 320-322)

Amongst the recorded opinions about Gandhi’s evaluation of RSS, the most authentic is the one of his secretary Pyarelal. Pyarelal narrates an event in the wake of 1946 riots. A member of Gandhi’s entourage had praised the efficiency, discipline, courage and capacity for hard work shown by RSS cadres at Wagah, a major transit camp for Punjab refugees. Gandhi quipped back, ‘but don’t forget, even so had Hitler’s Nazis and Fascists under Mussolini’ Gandhi characterized RSS as a communal body with a totalitarian outlook’ (Pyarelal, Mahatma Gandhi: The Last Phase, Ahmadabad, page 440)

After independence, in the context of Delhi violence (Rajmohan Gandhi, Mohandas, page 642), Gandhi confronted the RSS chief Golwalkar, with reports of the RSS hand in Delhi violence, Denying the allegations Golwalkar also said that RSS did not stand for killing the Muslims. Gandhi asked him to say so publically. Golwalkar said Gandhi could quote him on this. Gandhi did this in his prayer talk that evening, but he told Golwalkar that statement ought to come from him. Later he told Nehru that he did not find Golwalkar convincing.’

Today having occupied the seat of power, RSS is desperate to link itself to the legacy of freedom movement from which it had kept aloof. It had criticized the freedom movement as people from all the communities were part of It. RSS aims for Hindu nation, the way Muslim League’s goal was Muslim nation. Today treading a careful path it wants to appropriate Gandhi for which a ‘certificate’ is needed from Gandhi. So his sentence is being manipulated to highlight ‘hard disciplined work’ and to hide the rider that ‘so had been the ‘Nazis of Hitler and Fascists of Mussolini.’ The basic contradiction in the two types of nationalisms should guide us as what was Gandhi’s attitude was towards RSS, despite the well manicured claims from RSS combine.

Loading

એપલના કોરમાં ઝાંકો, કીડા ખદબદે છે

આશા બૂચ|Opinion - Opinion|23 January 2015

આજે સફરજન નામનું ફળ ખરીદવા જેટલી આર્થિક શક્તિ હોય કે ન હોય, એ ખાવાની રુચિ ધરાવતા હોય કે ન હોય પણ એવા લોકો પાસે એપલ કંપનીની બનાવટના iphon, ipad કે વધુ નસીબદાર હશે તો એપલ માક બુક નામનું કમ્પ્યુટર હોવાની સંભાવના વધુ હશે. આજે આ અખાદ્ય એપલની વાત કરવા મંડાણ કર્યું છે.

તારીખ 18 ડિસેમ્બરના બી.બી.સી. દ્વારા, ‘પેનોરામા’ કાર્યક્રમ પ્રસારિત થયો, જેણે વિચાર વમળો સર્જ્યાં તે વાચકો સમક્ષ મૂકું છું. એપલના ઉપર કહ્યાં તે સાધનોની ઉચ્ચ ગુણવત્તા, તેની વિશ્વસનીયતા, ટકાઉપણું, એનો રૂપકડો દેખાવ અને અદ્દભુત કરામતોથી એ સહુને માટે કામના કરવા યોગ્ય વસ્તુ બની ગઈ છે. સખેદ જણાવવાનું કે આ લેખ પણ એપલ માક બુક પર જ લખાય છે. નાતાલના તહેવાર નિમિત્તે પોતાને માટે અથવા પોતાના પ્રિય સ્વજન માટે એપલની એકાદ ચીજ ખરીદવા લોકો રાત્રે સ્ટોરની બહાર તંબુ નાખીને સૂએ કે દિવસ આખી લાંબી લચક લાઈનમાં ઊભા રહેતા જોયા છે. ગયે વર્ષે એપલ કંપનીના લગભગ 169 મીલિયન iphone અને એટલા જ ipad વેંચાયા. 39 બીલિયન ડોલરનો નફો કરનાર આ કંપની અર્ધા ટ્રીલિયન ડોલરની અસ્કયામતતની ધણી છે. (આટલી રકમ એટલે કેટલું નાણું એ મારા જેવાની સમજ બહારની વાત છે, પણ એટલું જાણું કે ઘણું વધારે છે). આવી સફળ અને પ્રખ્યાત કંપનીનાં વખાણ સાંભળવાં ગમશે એમ ધારીને જે જોયું-સાંભળ્યું તે લખું છું.

‘એપલ હાર્ટલેસ ફેક્ટરી ચલાવે છે’ એવા વાવડ મળ્યા તેથી બી.બી.સી.ના સંવાદદાતા રિચર્ડ બિલ્ટન ખભે થેલો નાખીને એપલની સપ્લાય ચેઇનનું પગેરું કાઢવા નીકળી પડ્યા. સીધા પહોંચ્યા iphone 6નું ઉત્પાદન કરતી ચીનની ફેક્ટરી અને ફોન માટે ટિન પૂરું પાડતી ઈન્ડોનેશિયાની ખાણો જોવા. એપલની પ્રોડક્ટ્સ માટેનો કાચો માલ ક્યાંથી આવે છે, એની ફેકટરીઓ કેવી રીતે ચાલે છે અને કામદારોની સંભાળ કેવી રખાય છે એ જોવાનો હેતુ હતો.

એપલનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે જેના વિના એપલનો વેપાર આજે છે તેવો ન ચાલતો હોય. તેમાંની એક ફેક્ટરી ફોક્સ્કોનમાં 2010માં 14 કામદારોએ આત્મહત્યા કર્યાના સમાચાર હતા. એપલ કંપનીના અધિકારીઓએ કહેલું કે આ ઘટના પાછળ લાંબા કલાકો કામ કરવું કે કામની ખરાબ સ્થિતિ કારણભૂત નહોતી. માત્ર કંપનીના માલિકોએ વધુ આત્મહત્યા થતી રોકવા કામદારો માટેની ડોરમેટરીમાં નેટ નખાવી દીધી. ચીનની બીજી એક કંપની પેગાટ્રોન પોતાની કંપનીનું ધોરણ વધુ સારું છે એવો દાવો કરે છે એટલે રિચર્ડ એ જોવા ગયા. એપલ કંપનીના નિયમો છે કે કર્મચારીઓના ઓળખપત્રો તેમની પાસે જ રહેવાદેવામાં આવશે, તેમની પાસે ઓવર ટાઈમ કામ સ્વેચ્છાએ જ કરાવવામાં આવશે, ડોરમેટરીમાં એક રૂમમાં આઠ  કર્મચારીઓને સુવાડવાની વ્યવસ્થા હશે અને તમામ નવી નિમણુકવાળા કર્મચારીઓને 24 કલાક તાલીમ આપવામાં આવશે. હકીકતમાં કેટલાક કર્મચારીઓના ઓળખપત્રો લઈ લેવામાં આવ્યા, જેનો અર્થ એ કે તેમણે ફેકટરીમાં કામ કરવા જવું ફરજિયાત બન્યું અને ઓળખકાર્ડ વિના તેઓ મુસાફરી ન શકે. રિક્રુટમેન્ટ સેન્ટરથી ફેક્ટરી સુધીની 28 કલાકની મુસાફરી કર્યા પછી 12 કર્મચારીઓ એક રૂમમાં સૂએ તેવી સગવડ અપાઈ.  આવા તો 80 હજાર કર્મચારીઓ ત્યાં રહે છે! વળી માત્ર બે કલાકની તાલીમ પછી એક કસોટી લેવામાં આવે છે જેમાં સુપરવાઈઝર જવાબો કહી દે જેથી બધા ઉમેદવારો પાસ થઈ જાય. ઓવર ટાઈમ કામ કરવા માટે કર્મચારીઓને કોઈ અધિકાર નથી હોતો અને અધૂરામાં પૂરું પે સ્લીપમાં એ આવક બોનસ તરીકે બતાવવામાં આવે છે. ચીની ફેકટરીમાં ચાલતી ગેરરીતિઓ પ્રત્યે એપલનું ધ્યાન દોરવામાં આવ્યું અને ‘અમે આ પ્રશ્નો પર ધ્યાન આપીશું અને બનતું બધું કરીશું’ એવા એમના વચન છતાં એ પરિસ્થિતિમાં જરા પણ ફેર નથી થયો. આ કાર્યક્રમની સહુથી વધુ ધ્યાન ખેંચે એવી ફલશ્રુતિ એ હતી કે એ ફેકટરીના કર્મચારીઓ સખત થાકનો અનુભવ કરતા હતા અને કામ કરતાં મશીન ચાલુ હોય ત્યારે ઊંઘી જતા હતા અને તેમને માટેની કામની સ્થિતિનું ધોરણ સારું નહોતું.

હજુ એક વધુ પડદો રિચર્ડ ખોલી આપે છે. મોબાઈલની અંદર ઈલેક્ટ્રોનિક ભાગને જોડવા સોલ્ડરીંગ કરવા જે ટિન વપરાય છે તે ઈન્ડોનેશિયાના ટિન આઇલેન્ડ તરીકે ઓળખાતા બાન્કા નામના ટાપુ પર દરિયાના પેટાળમાં ડ્રીલ કરીને મેળવવામાં આવે છે. આ પ્રક્રિયાથી દરિયાઈ જીવ અને વનસ્પતિ તથા તેના પાણીને પારાવાર નુકસાન થાય છે. એપલ કમ્પ્યુટરને મોટાં મોટાં ચાલીસ જહાજો દરિયામાંથી ટિન ખોદીને માલ પૂરો પાડે છે. તેમાંના એક જહાજની મુલાકાત દરમ્યાન રિચર્ડે નોંધ્યું કે કાન ફાડી નાખે તેવા મશીનોના અવાજ અને મશીનના પ્રદૂષિત ધુમાડા વચ્ચે મજૂરો માત્ર થોડા પૈસા કમાવા માટે જાનને જોખમમાં નાખે છે. આ ઉપરાંત ટિનની જમીનની ખાણોમાંથી પણ કાચો માલ મેળવવામાં આવે છે, જ્યાં ભેખડો ધસી પડાવથી મજૂરો જાન ગુમાવે છે. દુ:ખદ વાત તો એ છે કે ત્યાં બાર કે ચૌદ વર્ષનાં બાળકો પણ મજૂરી કરે છે. વળી એપલની ટિનની જરૂરિયાતો એટલી જબ્બર છે કે ગેરકાયદેસર ચાલતી કંપનીઓ કાયદેસર ચાલતી કંપનીને માલ પૂરો પાડે, જે એપલને વેંચે.

આ સપ્લાય ચેઈન કેવી રીતે નીતિમત્તાને ઉઘાડે છોગ ઉવેખે છે એ નજરો નજર જોયા પછી રિચર્ડ બિલ્ટન એપલની હેડ ઓફિસની મુલાકાતે કેલીફોર્નિયા ગયા. એપલના ઉચ્ચ અધિકારીઓને ખુલાસો પૂછવા. તેઓમાંથી કોઈએ મુલાકાત ન આપી, અનુમાન કરો શું કારણ હશે? તેઓનો દાવો છે કે એપલ માટે 70,000 જેટલા કારીગરો-મજૂરો કામ કરે છે અને તે બધાનું હિત સચવાય તેના માટે નિયમો કર્યા છે અને જો કોઈ ફરિયાદ આવે તો તેના પર ધ્યાન અપાય છે, પરંતુ આ ટ્રૈઇલમાંથી એવી કોઈ સાબિતી ન મળી તેનું શું? શાંઘહાઈથી એક હજાર માઈલના વિસ્તારમાંથી રોજગારીની શોધમાં ખેડૂતોના સંતાનો આ ફેકટરીઓમાં કામ કરવા જતા રહ્યા જેથી એ ગામોમાં હવે કોઈ યુવાન બચ્ચો નથી રહ્યો. એક પિતાનો માત્ર 15 વર્ષનો કિશોર પોતાના કુટુંબની ગરીબીને ટાળવા એપલ માટે કામ કરવા ગયો, થયું શું એનું? બે અઠવાડિયામાં 280 કલાક કામ કર્યું અને મહિના બાદ તેનું મૃત્યુ થયું! અને છતાં એપલ કંપનીએ આ ઘટના માટે કામની ખરાબ અને અસલામત પરિસ્થિતિ જવાબદાર નથી એમ કહ્યું એટલું જ નહીં પણ નુકસાનીના પૈસાના બદલામાં તેના માતા – પિતા પાસેથી આ વિષે મૌન રાખવાનું વચન લીધું.

સમગ્ર વિગતો જાણ્યા પછી વિચાર આવ્યો કે આ તમામ ગેરરીતિઓ માટે કોણ જવાબદાર? એપલ કમ્પનીએ તો  iphone 6 બનાવા માટે ચીનની કંપનીઓને ઓર્ડર આપ્યો, તેને માટે ટિન પૂરું પાડવા બીજી કંપનીઓને ઓર્ડર આપ્યો; પછી તેમાં કામ કરતા કર્મચારીઓ અને મજૂરોને કેવી વ્યવસ્થા અને સગવડ તથા સલામતીના સાધનો પૂરા પાડવા, કેટલું વળતર આપવું એ બધું જોવાનું કામ તો એ કંપનીનું હોય એ સમજાય તેવું છે. આ કારણસર એ કંપનીઓને ગેરરીતિ અને શોષણ કરવા બદલ સખત સજા થવી ઘટે. પણ સાથે સાથે એપલ જેવી મોટી અને પ્રતિષ્ઠિત કંપની કે જે પોતે ન્યાયી અને નૈતિક રીતે પોતાની તમામ પ્રોડક્ટ્સ બનાવે છે એવો દાવો કરે છે તેથી એનો પણ આ દમનકારી ધંધામાં પૂરેપૂરો હિસ્સો ગણી શકાય.

એક આડ વાત કરવાનું મન થાય છે. ચીન તેના માનવાધિકારોની રક્ષા કરવાની અશક્તિ માટે એટલું ચર્ચાયું નથી જેટલું એ તેની આર્થિક પ્રગતિ માટે જાણીતું છે અને જે દેશો એ વિષે જાણે છે તે પોતાને ચીનના આર્થિક વિકાસથી મળતા લાભને કારણે તેની દમનકારી નીતિ માટે આંખ આડા કાન કરે છે અને ભારત તેમાંનું એક છે. હવે એ ધ્યાનમાં રાખવું ઘટે કે અમદાવાદમાં ચીનના સહકારથી જે વિશ્વની સહુથી મોટી હોલસેલ માર્કેટ બનવાની છે તેમાં ચીનના આવા શોષણયુક્ત નિયમો લાગુ પડે તો જ ભારતસ્થિત એ કંપનીને નાણાકીય ફાયદો થશે એ સંભવ છે.   

જરા ઊંડાણથી વિચારતાં ખ્યાલ આવશે કે માનવીની જીવન જરૂરિયાતને લગતા ઉત્પાદક વ્યવસાય, વ્યાપાર-ધંધા કે સેવા ક્ષેત્રોમાં આટલા લાંબા કલાકો કામ કરવાની ફરજ નથી પડતી, કામ કરવાની પરિસ્થિતિ માનવ અધિકારોનો ભંગ કરે તેવી નથી હોતી અને શોષણ આટલું હદ બહારનું કે સંસ્થાગત નથી હોતું. દાખલા તરીકે કાપડ મિલમાં કામ કરતા વણકરોએ સામૂહિક આત્મહત્યા કર્યાના ખબર સાંભળ્યાનું યાદ નથી કે ખેતરમાં કામ કરતા ખેડૂતોને કોઈ ઓળખપત્રો નથી હોતા કે તેમને પોતાને ઘેર જતા કોઈ નથી રોકતું. એવો પ્રશન પણ થાય કે જોડા બનાવનાર કંપનીના કર્મચારીઓને આવી ડોરમેટરીમાં રાખવામાં આવતા હશે? જેલની એક કોટડીમાં કેલા કેદીને રાખતા હશે? બીજા કયા વ્યવસાયના કર્મચારીઓ આટલી મોટી સંખ્યામાં એક જગ્યાએ રહે એ મારી જાણમાં નથી. જે તે વ્યવસાય માટે પૂરતી તાલીમના અભાવે પાકા માલની ગુણવત્તા સારી હોય એવી અપેક્ષા રાખવી વ્યાજબી નથી.  

જરા વિચાર કરો કે ખાદ્ય  પદાર્થો બનાવવા માટે આટલી ઓછી તાલીમ આપવામાં આવે તો એ માલ કેવો પેદા થાય? કોઈ કામ તેની સમય મર્યાદામાં પૂરું ન થાય કે તેના વપરાશની માગ ઉત્પાદનની ઝડપ કરતાં વધુ હોય તો જ નિયત સમયના કલાકો કરતાં વધુ સમય કામ કરવું પડે, પણ એ નિર્ણય કરવા કોઈ પણ મઝદૂર કે કર્મચારી સ્વતંત્ર હોવો જોઈએ, નહીં તો તે ગુલામ ગણાય.  કોઈ શિક્ષકને ઓવર ટાઈમ કામ કરવાની ફરજ પાડી શકે?  એવું જ મઝદૂર કે કર્મચારી ફરજ પર હોય ત્યારે થાકના માર્યા ઊંઘી જાય તે હકીકત જ તેમના મર્યાદા બહારના કાર્ય બોજનું સૂચક છે. જરા કલ્પના કરી જુઓ કે કોઈ કડિયો ઈંટ મુકતાં મુકતાં ઊંઘી જાય કે દરજી મશીન ચલાવતાં ઝોલે ચડી જાય તો શું થાય? વળી કડિયો કે દરજી દિવસ આખો કામ કરીને શરીરથી થાકતો હશે, પણ કંઇક ઉપયોગી કામ ઈમાનદારીથી કર્યાનો અને પ્રમાણિક રોજી મેળવ્યાનો સંતોષ લઈને સૂતો હશે. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે પ્રદૂષણનો પ્રશ્ન માનવ જાતને સતાવ્યા જ કરે છે જેમ કે ચામડા કમાવતી ફેકટરીઓ પણ આપણાં નદી-નાળાંને ખૂબ પ્રદૂષિત કરે જ છે અને એ બાબતમાં એપલ કંપની કંઈ ઓછી જવાબદાર નથી. બાળ મજૂરીનો ઉપયોગ બીજા શારીરિક શ્રમના ક્ષેત્રોમાં પણ થાય છે એ માનવ જાત માટે કલંક છે અને તેમાં એપલ કંપની અપવાદ નથી તેમ જાણવા મળ્યું. ગેરકાયદે કંપની ટિન પેદા કરી, કાયદેસરની કંપનીને આપે, જે એપલને વેંચે એ તો ગ્રાહકોને દૂધમાં પાણી ભેળવીને આપવા જેવી વાત થઈ. માત્ર ભરવાડો રોટલાનો ટુકડો મેળવવા બેઈમાની કરે છે જ્યારે એપલના માલિકો જેટ પ્લેનમાં ફરવા જવા માટે અનીતિના ધંધા સામે આંખ આડા કાન કરે છે.

ઘડીભર વિચાર આવે કે એપલના તમામ ગેજેટ્સનો બહિષ્કાર કરવો જોઈએ જ્યાં સુધી તેઓ ઉપર ઉલ્લેખ કર્યા તે પ્રશ્નોનો હલ ન લાવે. જો કે આવા ગેજેટ્સ બનાવતી બીજી કંપનીનો પણ આવો ઇતિહાસ ઉખેળીએ તો એમાં ય કીડા ખદબદતા જોવા મળે તો નવાઈ નહીં. આજે જ્યારે દુનિયા આખીની મોબાઈલ ફોન અને કમ્પ્યુટરનાં ઉત્પાદન-વેચાણ ક્ષેત્રે એપલની કંપનીનો એકાધિકાર સ્થાપિત થઈ જ ચુક્યો છે ત્યારે તેઓનો માલ ખરીદી ચુકેલા (મારા જેવા લોકો સહિત) લોકો પોતે ક્યાંક ને ક્યાંક અનીતિમય વેપારમાં ભાગીદાર અજાણપણે પણ થયા હોવાનો ડંખ રાખશે એમાં શંકા નથી, પરંતુ એપલની પ્રોડક્ટ્સ ખરીદવાની મહેચ્છા ધરાવતા ભાવિ ગ્રાહકોનું ધ્યાન દોરવા ઈચ્છું છું કે એપલની $650ની જે ચીજ વેંચાય તેમાં વેપારીને $250નો નફો થાય છે જે બનાવવાનો ખર્ચ ફેક્ટરીને માત્ર $5 આવે છે અને તેમાંથી એ બનાવનારને કેટલા ડોલર મળતા હશે એ તો માત્ર એ ફેકટરીના માલિકો જ જાણે. ટેકનોલોજી પાછળ પાગલ બનેલા અને આધુનિક સમૂહ સંદેશ વ્યવહારનાં સાધનોના માલિક બનવાની ઘેલછા ધરાવનાર તમામને જાણ થાય કે એવા ફોન અને કમ્પ્યુટરની માગ એટલી વધી છે કે કોઈ કોઈ મજૂરો-કર્મચારીઓને દિવસના અઢાર અઢાર કલાક કે અઠવાડિયાના 70 કલાક મજૂરી કરવી પડે છે એ હકીકત ધ્યાનમાં લઈને એપલની વસ્તુઓ ખરીદ કરે એવી વિનંતી છે.

હું અને મારા પરિવારના સભ્યો હવે એ વિષે જાગૃત રહીશું એવી પ્રતિજ્ઞા કરીએ છીએ, વાચકોને તેમાં સહભાગી થવાની વિનંતી.   

e.mail : 71abuch@gmail.com

Loading

એ ભાઈ, મૈં ના દેખ કે ચલું …….

આશા બૂચ|Samantar Gujarat - Samantar|22 January 2015

આગે ભી નહીં પીછે ભી, દાંયે ભી નહીં બાયેં  ભી, ઉપર ભી નીચે નીચે ભી

જયારે કોઈ પણ ગામ કે શહેરના માર્ગો પરથી પસાર થઈએ ત્યારે વાહન ચાલકો જાણે આવું ગાતા સંભળાય.

છેલ્લાં પાંત્રીસેક વર્ષોથી યુનાઇટેડ કિંગ્ડમમાં વસવાટ કરું છું, પરંતુ વતનની મુલાકાતે દર બે-પાંચ વર્ષે આવવાનું સદ્દભાગ્ય મળે છે. તે વખતે ભારતમાં થતો વિકાસ દેખાયા વિના ન રહે અને તેમાં ય ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અને ‘મેઇક ઇન ઇન્ડિયા’નાં સૂત્રો પોકારતી પ્રજાની દોટ જોઈને તો એવો પ્રશ્ન થાય કે ‘એ ભાઈ, આપ સબ લોગ કહાં ચલેં?’

મારે મોટે ભાગે રાજકોટ, જામનગર, અમદાવાદ અને વડોદરા જેવાં પ્રગતિશીલ શહેરોની સફરે વધુ જવાનું થાય છે એથી ત્યાં જે દરે વાહનોની સંખ્યામાં વધારો થતો અનુભવ્યો એ વર્ણવી શકાય તેમ નથી. સહુથી વધુ આશ્ચર્ય તો વાહન ચલાવવાના નિયમોના પાલનના સદંતર અભાવનું છે. તેમાં સીટ બેલ્ટ બાંધો તો પુલિસ પકડે અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી એટલું જ નહીં પણ કારમાં મોબાઈલ પડી જાય તો ચાલુ કારે નીચા વળી મોબાઈલ ઉપાડીને ‘હું શોપિંગ કરવા જાઉં છું’ જેવો મહત્ત્વનો સંદેશો આપો તો પણ કોઈ ટોકનાર ન હોય એ જોઈને તો દંગ થઈ જવાય.

‘મેરા નામ જોકર’ના પેલા પ્રખ્યાત ગીતના શબ્દોને થોડા બદલીને શહેરોમાં કઈ રીતે વાહનો ચલાવાય છે એ વાચકો સમક્ષ રજૂ કરું :

શેરી કે રસ્તા પર એક બાજુ ઊભા રહીને જોઈએ તો જાણે દરેક પ્રકારના વાહન ચાલકો કહી રહ્યા છે : એ ભાઈ, મૈં ના દેખ કે ચલું, આગે ભી નહીં પીછે ભી, દાંયે ભી નહીં બાયેં  ભી, ઉપર ભી નીચે નીચે ભી …

સામાન્ય નિયમ એવો છે કે નાની શેરીમાંથી મુખ્ય રસ્તા પર જોડાતા વાહને મુખ્ય રસ્તા પર આવતાં વાહનો પસાર થઈ જાય ત્યારે મુખ્ય રસ્તા પર જોડાવું અને ત્યાં સુધી ધીરજથી રાહ જોવી. પણ આપણે તો ભાઈ ‘ગીરને સે ડરતા મૈં ક્યોં, મરને સે  ડરતા મૈં ક્યોં’ એ ન્યાયે સાઈડની શેરીમાંથી મુખ્ય રસ્તા પર યુદ્ધમાં આગલી હરોળમાં ઘોડો દોડાવીને દુશ્મનને વાર કરતા હોય તેમ ધસી જાય અને તેમ કરવા માટે જોઈએ તો હોર્ન પર હોર્ન મારીને ધરાર આગળ વધી જાય.

આજકાલ નાનાં મોટાં શહેરોમાં વાહનોની સંખ્યા વસતી વધારાના આંક્ને ય આંબી ગઈ છે. કીડીના દરમાં હાથી સમાય? આપણો ભારતીય બચ્ચો કરી દેખાડે. એક તો નગર આયોજનની વ્યાખ્યા જાણતા ન હોવાને પ્રતાપે આડેધડ રહેણાક વિસ્તારો, વચ્ચે વચ્ચે દેરી અને મંદિરો, દુકાનો, રસ્તાની ધારે નિશાળો, કારખાનાંઓ અને અધૂરામાં પૂરું હવે બહુમાળી મકાનો અને તેની છાયામાં ઝુંપડપટ્ટીઓ ઊભી કરીને નિરાંતે રહેતાં આવ્યાં છીએ. મૂળે તો આપણો દેશ બળદ ગાડાં અને ઘોડાગાડીઓથી ટેવાયેલો. પણ પેલું અમેરિકા અને ઇંગ્લેન્ડના વાદે વાદે પેટ્રોલને પાણી માફક ઘટઘટાવતાં વાહનો રસ્તા પર દોડતાં ન કરી મુકીએ તો ‘વિકસિત દેશ’નું બિરુદ કેમ મળે? એટલે સાંકડી શેરીઓ અને નાના રસ્તાઓ હોય, ઘર કે દુકાનને છેડે પાકું બાંધકામ ન હોય તો ય અમારે પહેલાં સાઈકલ, પછી રિક્સા અને હવે સ્કુટર, મોટર બાઈક અને કાર પણ એટલા જ ફૂટની શેરી/રસ્તા પરથી ચલાવવા પડે. એમાં બસ મારું વાહન ઝડપથી નીકળી જાય એની જ તમા રાખતા લોકો ‘ઝીંદગી હૈ ક્યા નહીં જાન પાયેગા રોતા હુઆ આયેગા રોતા ચલા જાયેગા’ એ જાણે સહજ હોય, તેમ અકસ્માતનો ભોગ બનતા કે બનાવતા ચાલ્યા જ જાય છે.

કેટલાંક શહેરોમાં ટ્રાફિક લાઈટ્સ અને ટ્રાફિક પુલિસ પણ છે, પરંતુ એ નિયમોનું પાલન ધરાર નથી થતું. નેશનલ હાઈ વે પર દરેક વાહન ડાબી બાજુ ચલાવે અને ઓવર ટેક કરનાર જમણી બાજુથી કરે તેવો નિયમ છે, સિવાય કે તમે અમેરિકામાં હો. પણ ના, અમે તો ભાઈ રસ્તાની જમણી બાજુ નહીં પણ બે રસ્તાની વચ્ચોવચ્ચ ચલાવીએ અને વટથી ડાબી બાજુથી એટલે કે ઓવર ટેક નહીં પણ અંડર ટેક કરીએ ! ધોરી માર્ગો પર અકસ્માત અને તે પણ જાનહાનિ કરનારા અકસ્માતોની સંખ્યા ઘણી વધુ છે એની નવાઈ ન લાગે.

જેમ નવરાત્રીમાં નવ દિવસ રાસ-ગરબા લેવાય છે અને દિવાળીમાં પાંચ દિવસ તહેવાર ઉજવાય છે તેમ વર્ષમાં નક્કી કરેલ એક મહિના સુધી નિયમ મુજબ વાહનો ચલાવવાનું વ્રત લેવાય અને જો તેનાથી ફાયદો થાય તો એ મુદત વધારતા વધારતા બાર મહિના સુધી લઈ જવાની અપીલ કરીએ. અને પછી ‘એ ભાઈ, મૈં તો દેખકે ચલું, આગે હી સહી પીછે ભી, દાંયે હી સહી બાયેં ભી’ ગાઈ  શકીશું અને ત્યારે ખરા અર્થમાં વાહનોના માલિક થવાને લાયક બનશું.

સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞ કરી શકનાર પ્રજા નિયમ મુજબ વાહનો ચલાવવાની સમૂહ પ્રતિજ્ઞા જરૂર લઈ શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,8853,8863,8873,888...3,9003,9103,920...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved