Opinion Magazine
Number of visits: 9692330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Controlling Thought and Food Habits

Ram Puniyani|English Bazaar Patrika - OPED|14 September 2015

The intolerance does not grow in one field of social life in isolation. In different arena of our life it tends to run in a parallel manner. In Maharashtra, with the BJP majority Government in seat of power, we had a ban on the storing, selling and eating of beef few months ago. This ban increased the problems of a large section of society, the workers in abettor, those consuming beef and those selling beef. The workers of Devnar abettor, located in Mumbai, the biggest one in the area, rendered jobless due to this decision of the Government are writhing in the pain of unemployment. Then came the Government order that any criticism of Government servants will be treated as sedition. This is an attempt to put a total cap on the basic democratic rights, on freedom of expression and on the right to dissent. During this period the state witnessed the murder of two of its foremost rationalist thinkers and leaders, Dr. Narendra Dabholkar and Comrade Govind Pansare (who was also a political worker) for taking on the forces of blind faith and for promoting scientific temper. In the neighboring Karnataka the ex-Vice Chancellor of Kannada University, Hamphi, the tall scholar of Kannada and rational intellectual was done to death.

On the heels of this comes the decision of Mira Bhaynder Municipal Corporation to ban the non vegetarian food, except fished and eggs, during Paryushan, a Jain festival, for eight days. This ban has been put for four days in Mumbai area under Mumbai Corporation. BJP is in lead in taking decisions in this direction. As such over a period of time the number of days for which this ban has been there is proportionally going up with the rise of sectarian politics in the nation and in the state. As such earlier during Paryushan the ban was there for one day in 1960s, two day in 1990s, now it is four days in Mumbai and eight days in Mira Road-Bhayander area. Interestingly fishes and eggs which Jains don’t consume have been spared from the wrath of the zealots who think imposing your sentiments is part of one’s religion. Will there be such a demand for prohibiting garlic and root vegetable, which are also prohibited by Jain practices, next?

Country as a whole has been the victim of this food fundamentalism of the dominant forces. There are housing societies in Mumbai where the non-vegetarians are not allowed to stay. In Ahmadabad, Gujarat I came across an interesting incident. I was staying with a friend, who was living in a rented accommodation. Suddenly one morning when we were sipping our morning tea, the landlord barged in and headed straight to the kitchen. And then after few minutes he made his exit. I was puzzled. My friend explained that it is “Kitchen Check’ to examine whether any non vegetarian food is being cooked or consumed! It was very baffling moment for me. One knows that there is a sort of ‘food curfew’ during the day time during Ramzan month in many Gulf countries, where Sheikhs are ruling with iron hand, in the name of Islam. Which community and whose sentiments will prevail in a diverse society is a complex question.

How does one handle the food habits in a diverse society like ours? As such earlier also many a kings have respected the sentiments of the minorities. Akbar when approached by the Jain delegation did impose restriction on Non vegetarian food for some time.  Babar in his will to his son Humayun instructs that cow slaughter should not be permitted as deference to Hindu sentiments. As such the basic aspect of teachings of religion is to respect the feelings of other people in the society. What is taught is that the followers of that religion implement these in their lives. The question of imposing one’s sentiments on the others is the sign of one’s social dominance in the society. Communal parties for the sake of vote bank and for their political social agenda are feeling they can have their way and impose such practices on the society. There are others who feel grateful enough if they can practice their own things in their own family and social space without imposing it upon others.

As such what should happen in a democratic society? It’s very complex question at one level. Point should be to respect each other’s feelings and accommodate for that. Ideal is that the ‘other’ calls for such a self imposition out of volition and respect. That’s what Mahatma Gandhi teaches us time and over again. Be it the matter of religious practices or food habits, his path was clear, lets follow our path without imposing it upon others. As such, imposing one’s sentiments on ‘others’, is the highest form of violence. One of Gandhi’s writing on the issue of beef eating- cow slaughter is very illuminating, he writes “I maintain that Muslims should have full freedom to slaughter cows, if they wish, subject of course to hygienic restrictions and in a manner not to wound the susceptibilities of their Hindu neighbors. Fullest recognition of freedom to the Muslims to slaughter cows is indispensable of communal harmony, and is the only way of saving cow.” (http://www.mkgandhi.org/g_communal/chap14.htm)?

Our country has diverse food habits, from Arunchal Pradesh to Kerala to Punjab and Gujarat, we inherit the rich diversity. With the rise of the sectarianism and politics in the name of Hindu religion, Hindutva, such intolerant things are being brought in with bigger aggression. The section of Jain leadership, which getting this done, is close to the BJP.  BJP in turn has an agenda in all aspects of our socio-cultural life. Ban on Beef eating is a deliberate ploy to sharpen the divisive politics, the politics which is polarsing the communities. One recalls the 1946 V. Shantaram Classic film Padosi, where the two neighbors, Hindu and Muslim, love and respect each other’s sentiments and feelings. There are legions of stories in times past where such camaraderie amongst these communities was a matter of celebrating each other’s practices not just tolerating them. It is this intermixing at all the levels which gave us the diverse plural heritage, the culture of joy and celebration of diversity in our country.

Such issues related to bans have become an integral part of identity politics, Islamism in Gulf countries and Hindutva in India. This is painfully gripping our democratic society by the neck and imposing suspicion and dislike for the ‘other’. The economic aspects of banning beef, and banning selective non vegetarian food during the Paryushan is of no concern to the political leaders who keep deepening their hold on the section of community not by harping on issues of dignity and rights of the people but by the intolerant attitude for the ‘other’.

From over last one year, this stifling attitude is a retrograde step, putting chains on our democratic freedoms. This is a regressive march inching towards the pattern of countries where democratic freedoms have been put under the carpet in the name of religion.

Key words: #beef ban, # ban on meat eating, #murder of rationalists

Loading

Super Marketni Century : Graahakoni Aazaadine Konun Laagyun Grahan ?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|14 September 2015

સુપરમાર્કેટની સેન્ચ્યુરી : ગ્રાહકોની 'આઝાદી'ને કોનું લાગ્યું ગ્રહણ?

આપણે ત્યાં મોલમાં મહાલનારા પોતે 'આધુનિક' હોવાનો ફાંકો રાખતા હોય એવા ઘણા મળી જશે. જો કે, આમાં એમનો ય વાંક ન કાઢી શકાય. મોલ અને સુપરમાર્કેટ આપણે ત્યાં હજુ હમણે આવ્યાં છે, બાકી અમેરિકા જેવા દેશોમાં તો તે એક સદી જૂની વાત છે. ૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ અમેરિકાના મેમ્ફીસ શહેરમાં 'પિગલી વિગલી' નામનું વિશ્વનું પહેલું સુપરમાર્કેટ શરૂ થયું હતું.

આજે આપણે જેને સુપરમાર્કેટ કે મોલ જેવાં નામોથી ઓળખીએ છીએ, તે ખરેખર તો એક સેલ્ફ-સર્વિંગ ગ્રોસરી સ્ટોર હતો. આ એવી દુકાન હતી, જ્યાં ગ્રાહક પોતાની મરજીથી મહાલીને ખરીદી કરી શકે છે. ગ્રાહક જાતે જ ગુણવત્તા અને કિંમત ચકાસીને વસ્તુની પસંદગી કરી શકે છે અને છેલ્લે કેશ કાઉન્ટર પર બિલ ચૂકવીને ખરીદી પૂર્ણ કરી શકે છે. અહીં ગ્રાહક અને વસ્તુઓ વચ્ચે કોઈ આવતું નથી. અહીં નથી હોતી કોઈ સેલ્સમેનની કચકચ કે દુકાનદારની ખોટી ટકટક. ગ્રાહકો અહીં પોતાની 'આઝાદી'નો અહેસાસ કરી શકે છે.

સેલ્ફ સર્વિંગ ગ્રોસરી સ્ટોરનો કોન્સેપ્ટ મૂળભૂત રીતે કોનો છે, એ અંગે વાદવિવાદ છે, પણ આ પ્રકારના સ્ટોરના કોન્સેપ્ટને સાકાર કરવાનું બહુમાન અમેરિકાના ક્લારેન્સ સોન્ડર્સને જાય છે. વળી, આ પ્રકારના સ્ટોર માટે ૧૯૧૭માં પેટન્ટ મેળવવામાં સફળ થનાર સોન્ડર્સને જ સુપરમાર્કેટના જનક માનવામાં આવે છે. દુકાન અને બજારના માળખામાં ધરમૂળથી ફેરફાર લાવનારા સોન્ડર્સનું જીવન રોલરકોસ્ટર રાઇડ જેવું હતું. વેપારી તરીકે અમેરિકામાં જબરદસ્ત નામના કમાનારા સોન્ડર્સ નિષ્ફળતાની નાગચૂડમાંથી પણ બાકાત રહી શક્યા નહોતા. સોન્ડર્સનો જીવ ખરા અર્થમાં સર્જનાત્મક વેપારીનો જીવ હતો. ૯ ઓગસ્ટ, ૧૮૮૧માં વર્જિનિયામાં જન્મનારા સોન્ડર્સે માત્ર ૧૪ વર્ષની વયે ભણવાનું છોડીને એક જનરલ સ્ટોરમાં ક્લાર્ક તરીકેની નોકરી શરૂ કરી હતી. માત્ર ૧૯ વર્ષની વયે હોલસેલ કરિયાણાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ શરૂ કરેલું. ૧૯૦૨માં તેઓ મેમ્ફીસ શહેરમાં ગયા, જે શહેરમાં તેમણે પોતાનાં સપનાં સાકાર કરી બતાવ્યાં હતા. મેમ્ફીસમાં જ તેમણે દુનિયાનો પહેલો સેલ્ફ-સર્વિંગ કરિયાણા સ્ટોર શરૂ કર્યો, જેણે સુપરમાર્કેટના યુગનો પ્રારંભ કર્યો. દરેક ચીજવસ્તુ પર તેના ભાવની કાપલી, ચેકઆઉટ સ્ટેન્ડ અને ખરીદીની વસ્તુઓ રાખવા માટેનું શોપિંગ બાસ્કેટ, એ આ 'પિગલી વિગલી' સ્ટોરની ખાસિયત હતી. લોકોને અહીં મુક્ત મને ખરીદી કરવાની મજા પડવા લાગી હતી. એમાં ય હોલસેલ વેપારનો અનુભવ હોવાથી સોન્ડર્સ પોતાના સ્ટોરમાં ઓછી કિંમતે વસ્તુઓ વેચી શકતા હતા અને એને કારણે તેમના સ્ટોર્સ બહું ટૂંકા ગાળામાં લોકોથી ઉભરાવા માંડયા હતા.

એક જ વર્ષમાં સોન્ડર્સના આ નવતર સ્ટોરે એટલી લોકપ્રિયતા હાંસલ કરી કે અમેરિકાનાં ૪૦ રાજ્યોમાં 'પિગલી વિગલી'ના ૬૦૦ જેટલા સ્ટોર્સ ઊભા થઈ ગયા હતા. આ અસાધારણ સફળતાએ સોન્ડર્સને અધધ કમાણી કરાવી હતી. સોન્ડર્સે મેમ્ફીસમાં એક વિરાટ બંગલો બાંધવાનું કામ શરૂ કર્યું, જે પિંક પેલેસ તરીકે જાણીતો બનેલો, પણ કમનસીબે એનું કામ સોન્ડર્સ પૂરું કરી શક્યા નહોતા. સોન્ડર્સે 'પિગલી વિગલી'નું લિસ્ટિંગ ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં કરાવેલું, પણ શેરબજાર તેમને સદ્યું નહીં અને જેટલી ઝડપથી તેઓ સફળ થયા એટલી જ ઝડપથી તેમનાં વળતાં પાણી પણ થયાં. તેમણે પોતાની પ્રોપર્ટીઝ વેચી દેવાનો વારો આવ્યો હતો. પિંક પેલેસ પણ વેચી દેવો પડેલો. જો કે, સોન્ડર્સની યાદમાં આજે આ બંગલામાં તેમના સર્વપ્રથમ પિગલી વિગલી સ્ટોરની પ્રતિકૃતિ સાથે મ્યુિઝયમ તૈયાર કરવામાં આવ્યું છે.

સોન્ડર્સે સેલ્ફ સર્વિંગ સ્ટોર ઉપરાંત કીડૂઝલ અને ફૂડઇલેક્ટ્રિક જેવા કોન્સેપ્ટ પણ રજૂ કર્યા હતા, જેણે આધુનિક સુપરમાર્કેટના વિકાસમાં પાયાનું પ્રદાન આપ્યું છે. સોન્ડર્સ માટે કહી શકાય કે તેમણે ગ્રાહકોને ખરા અર્થમાં 'આઝાદી' અપાવી હતી. માર્કેટનો 'રાજા' હોવાની ફીલ કરાવી હતી. જો કે, ગ્રાહકોની આઝાદીને અનેક ગ્રહણો લાગ્યાં છે, જેના માટે માર્કેટિંગની અનૈતિક રણનીતિઓ અને ભ્રષ્ટ વ્યવહારો જવાબદાર છે. સુપરમાર્કેટના સંચાલકો વધુ કમાવાની લાયમાં એવા સમાધાન કરતા હોય છે, જેને કારણે ગ્રાહકોની સાથે અનેક રીતે છેતરપિંડી થતી હોવાનું જોવા મળે છે. અમુક વિશેષ જગ્યાએ કેટલીક ખાસ કંપનીઓની જ ચીજવસ્તુઓ મૂકવાથી માંડીને એક્સપાઇરી ડેટ સાથે ચેડાં સહિતની અનેક ફરિયાદો મળતી હોય છે. વળી, આવા સ્ટોર્સ નાના દુકાનદારની આજીવિકા પર પણ તરાપ મારે છે, એ પણ હકીકત સાબિત થતી જાય છે.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 સપ્ટેમ્બર 2015 

Loading

Sangathan PaththarnI Masjid Todi Shake Parantu Maanasne n Badli Shake. Vichaar j E Kaam krI Shake. RSSnI Aa Bahu Moti Maryaadaa Chhe

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|11 September 2015

સંગઠન પથ્થરની મસ્જિદ તોડી શકે પરંતુ માણસને ન બદલી શકે. વિચાર જ એ કામ કરી શકે. RSSની આ બહુ મોટી મર્યાદા છે

સંઘ એક વાત ભૂલે છે કે વિચારનો કોઈ વિકલ્પ નથી. મહોરા, મોરચા અને મોઢા દ્વારા સત્તા સુધી પહોંચી જવાયું છે; પરંતુ સમાજને બદલવો હશે તો એ વિચાર જ કરી શકશે

જે ઘટના બની એ નવી નથી, આ વખતે ઉઘાડી રીતે બની એટલું જ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ કેન્દ્રના પ્રધાનોને અને અંતમાં વડા પ્રધાનને સુધ્ધાં સંઘના દરબારમાં ઊભા કર્યા અને સવા વરસમાં શું કામ કર્યા છે એનો હિસાબ માગ્યો. તેમને કેટલીક સલાહો આપવામાં આવી, કેટલીક ચેતવણીઓ આપવામાં આવી અને કેટલીક બાબતે સક્રિય સહયોગ કરવાની ખાતરી આપી. BJP અને સંઘના નેતાઓ આને સમન્વય બેઠક તરીકે ઓળખાવે છે, જ્યારે વિરોધ પક્ષો અને લોકતંત્રના ચાહકો આને બંધારણબાહ્ય સત્તાકેન્દ્રના વધતા પ્રભાવ તરીકે ઓળખાવે છે. જે લોકોની વચ્ચે શાસનનો એજન્ડા લઈને ગયા નથી અને જેને લોકોએ ચૂંટ્યા નથી એવા લોકો પાછલા બારણેથી ભારત પર શાસન કરી રહ્યા છે. ભારતની ચૂંટાયેલી સરકાર એક ફ્રન્ટ માત્ર છે.

પ્રારંભમાં જ કહ્યું એમ આમાં કોઈ નવી વાત નથી. કેન્દ્રમાં પહેલી વાર બાવીસ પક્ષોની ટેકણલાકડી સાથે અટલ બિહારી વાજપેયીએ સરકાર રચી ત્યારે અમેરિકા અને યુરોપના દેશોના રાજદૂતો મળીને BJPના એ સમયના પ્રવક્તા, આઇડિયોલોગ અને રણનીતિ ઘડનારા ગોવિંદાચાર્યને મળવા ગયા હતા. તેઓ સમજવા માગતા હતા કે ભારતમાં પહેલી વાર રચાયેલી જમણેરી અને હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર કેવી હશે? અટલ બિહારી વાજપેયી – અલબત્ત પોતાની ભાષામાં પણ ગયા વર્ષે નરેન્દ્ર મોદી જેમ કહેતા હતા એમ – સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે તો શું ખરેખર કેન્દ્ર સરકાર ધર્મના નામે ભેદભાવ કર્યા વિના બધાને બાથમાં લઈને ચાલશે? ગોવિંદાચાર્યે તેમને કહ્યું હતું કે ‘ભાઈ, સરકાર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. અટલ બિહારી વાજપેયી તો એક મહોરું છે. એજન્ડા સંઘનો હશે, પરંતુ અત્યારે સંપૂર્ણ બહુમતી BJP પાસે ન હોવાથી ઉદારમતવાદી ગણાતા વાજપેયીને મહોરા તરીકે આગળ કરવામાં આવ્યા છે.’

અક્ષરશ: આ તમામ શબ્દો એક સમયના BJPના અને સંઘના લાડકા ગોવિંદાચાર્યના છે. એ વાતચીત કોઈ એક રાજદૂતે ટૅપ કરી અને પછી બહાર આવી. ગોવિંદાચાર્ય પોતાને ખેલદિલ, સ્પષ્ટવક્તા અને સત્યપરાયણ માને છે અને એમાં તથ્ય પણ છે. ગોવિંદાચાર્યને માંડીને અને જાણે નર્સરીના વિદ્યાર્થીને ભણાવતા હોય એવી સરળ ભાષામાં વાત કરવાની ફાવટ છે. અસંદિગ્ધ ભાષામાં કહેવાયેલી આ અંદરની વાત બહાર આવી એ પછી વાજપેયી ગિન્નાયા હતા. ગોવિંદાચાર્યને રાજકીય વનવાસ આપવામાં આવ્યો હતો. એ સમયે સંઘને મહોરાની જરૂર હતી અને વાજપેયી જાણતા હતા કે મહોરા વિના ચહેરાનું કોઈ ભવિષ્ય નથી. ચહેરાને પણ ખબર હતી કે રામજન્મભૂમિ આંદોલન અને બાબરી મસ્જિદ તોડ્યા પછી તેમ જ સેંકડો કોમવાદી હુલ્લડો કર્યા પછી ચહેરો ખરડાયેલો છે અને એ ચહેરો ઢાંકવા માટે વાજપેયીની ઉદારમતવાદી ઇમેજની જરૂર છે જેને સંઘના પોતાના આઇડિયોલોગ ગોવિંદાચાર્યે મહોરા તરીકે ઓળખાવ્યા હતા.

વાત એમ હતી કે જ્યાં સુધી સંઘના અસલી ચહેરાને ભારતના બહુમતી હિન્દુઓ ન સ્વીકારે ત્યાં સુધી મહોરાંઓની, મોરચાઓની અને અનેક મોઢાંઓની જરૂર છે. અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને ગોવિંદાચાર્યનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. ૧૯૨૫માં સ્થપાયેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દશેરાના દિવસે ૯૦ વર્ષ પૂરાં કરશે. સંઘની સ્થાપના ગાંધીની કલ્પનાના ભારતને નકારવા માટે કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાને સાથે લઈને આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રની સ્થાપના કરવી અને સમય સાથે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું એ ગાંધીની કલ્પનાનું ભારત હતું જેને આજકાલ આઇડિયા ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે. ગાંધીજીએ ભારતના પહેલા વડા પ્રધાન તરીકે જવાહરલાલ નેહરુને પસંદ કર્યા એની પાછળનું મુખ્ય કારણ આ હતું. નેહરુ ગાંધીના આઇડિયા ઑફ ઇન્ડિયામાં ગાંધીજી કરતાં પણ વધુ શ્રદ્ધા ધરાવતા હતા. ભારતનું બંધારણ ઘડનારાઓએ ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયાને સ્વીકૃતિની મહોર મારી હતી અને એ રીતનું બંધારણીય રાજ્ય અસ્તિત્વમાં આણ્યું હતું. જવાહરલાલ નેહરુએ તેમના ૧૭ વર્ષ લાંબા વડા પ્રધાનપદ દરમ્યાન લોકતાંત્રિક સંસ્થાઓ અને પરંપરાઓ વિકસાવી હતી.

સંઘના નેતાઓની તેમ જ કાર્યકરોની ધીરજ, સાતત્ય અને ખંતની કદર કરવી જોઈએ. સંઘની નવ દાયકાની યાત્રા દરમ્યાન છ દાયકા તો બહુ કપરા હતા અને સામે પૂરે તરવા જેવી સ્થિતિ હતી. સરેરાશ હિન્દુ જેની મજાક ઉડાડતો હતો અને બાળકોને જેનાથી સાવધાન રહેવાની સલાહ આપતા હતા તેમની વચ્ચે જગ્યા બનાવવાની હતી. આખું વિશ્વ જેને ધીરે-ધીરે સ્વીકાર કરતું થયું છે એ ગાંધીને, ગાંધીની જ ભૂમિમાં, ગાંધીના જ સહધર્મીઓ વચ્ચે અસ્વીકૃત કરાવવાના હતા.

બે વિકલ્પો હતા સંઘ પાસે. એક ગાંધીની વિચારધારા સામે વૈકલ્પિક વિચારધારા વિકસાવવાનો અને બીજો વિકલ્પ મહોરાંઓનો, મોરચાઓનો અને અનેક મોઢાંઓનો ફરેબી માર્ગ અપનાવવાનો. પહેલો વિકલ્પ વધારે પ્રામાણિકતાપૂર્વકનો હતો, જ્યારે બીજામાં છેતરપિંડી મુખ્ય હતી. પહેલો વિકલ્પ વધારે ચિરંતન કે સ્થાયી છે, જ્યારે બીજા વિકલ્પમાં સમયે-સમયે સ્થિતિ બદલાય એમ પેંતરાબાજી બદલવી પડે. અનેક મોઢે વાત કરો તો સરવાળે પ્રતિષ્ઠા ઝાંખી તો પડે જ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીની વિચારધારા સામે વૈકલ્પિક વિચારધારા વિકસાવવાનો પ્રયાસ કરી જોયો હતો જેમાં એને સફળતા મળી નહોતી. જો ઈમાનદારીપૂર્વકની સ્પષ્ટ વિચારધારા અપનાવે તો હિટલર અને મુસોલિનીની નજીક ધકેલાઈ જવાનો ડર હતો અને એ એને પરવડે એમ હતું નહીં. એક તો બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિ અને એમાં વળી નાત-જાત અને પેટા-સંપ્રદાયોમાં વહેંચાયેલા હિન્દુઓ. વિખરાયેલા હિન્દુઓને ભેગા કરવા એ જ જ્યાં મોટો પડકાર છે ત્યાં તેમને હિટલરકાલીન જર્મનો જેવા કે સલ્ફી મુસલમાનો જેવા રેડિકલ બનાવવા એ તો બહુ દૂરની વાત છે. જો ભારતના હિન્દુઓને માફક આવે એવી હળવી વિચારધારા વિકસાવવામાં આવે તો ગાંધીની નજીક સરકી જવાનો ડર હતો. લોકો કહેશે કે ગાંધીની જ વાત કરો છો તો પછી ગાંધીનો વિરોધ શા માટે કરો છો? હિન્દુઓને એક કરવા માટે એક દર્શન તરીકે તમે સર્વસમાવેશકતાના અને ઉદારતાના તત્ત્વનો સ્વીકાર કરો તો પછી અન્ય ધર્મીઓને બાકાત રાખો એ કેવી રીતે બને? મહાન આદર્શ પસંદગીના ધોરણે તો લાગુ કરી શકાય નહીં.

આ કૂટપ્રશ્નનો સંઘને નવ દાયકાની યાત્રા પછી પણ કોઈ ઉપાય નથી જડ્યો. ત્રણ વાત નક્કી હતી. એક, ગાંધીજીની સર્વસમાવેશકતા કબૂલ નથી; બે, ભારતીય રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ અને ત્રણ, એને માટે ભારતના હિન્દુઓને સંગઠિત કરવા પડે એમ છે. જો વૈકલ્પિક વિચારધારા વિકસાવી શકાઈ હોત તો ત્રણેય કામ એકસાથે થઈ શક્યાં હોત, પરંતુ એમ બન્યું નહીં એટલે સંઘે હિન્દુઓને સંગઠિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લોકોને ગળે ઊતરે એવી, ચોક્કસ મંઝિલે પહોંચાડનારી અને સ્પષ્ટ વિકલ્પ સૂચવનારી વિચારધારાનું ભાથું સાથે હતું નહીં એ સ્થિતિમાં હિન્દુઓને સંગઠિત કરવાના હતા. કામ ભગીરથ હતું અને કરવું જરૂરી હતું એટલે સંઘે મહોરાંઓનો, મોરચાઓનો અને અનેક મોઢાંઓનો ફરેબ કરવો પડે છે.

સંઘ એક વાત ભૂલે છે કે વિચારનો કોઈ વિકલ્પ નથી. મહોરા, મોરચા અને મોઢા દ્વારા સત્તા સુધી પહોંચી જવાયું છે; પરંતુ સમાજને (હિન્દુને) બદલવો હશે તો એ વિચાર જ કરી શકશે. કાર્લ માર્ક્સ અંગત જીવનમાં દરિદ્ર અને કાયર માણસ હતો, પરંતુ તેના વિચારે સમાજમાં પરિવર્તન આણ્યું હતું. ખિસ્સામાં દમડી નહોતી એવા માણસના વિચારે સંગઠિત સ્વરૂપ પકડ્યું હતું, પરંતુ સંગઠન ગમે એવું શક્તિશાળી હોય એ વિચારની જગ્યા ન લઈ શકે. સંગઠન પથ્થરની મસ્જિદ તોડી શકે, પરંતુ સંગઠન માણસને ન બદલી શકે. એ કામ તો વિચાર જ કરી શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મોટી મર્યાદા છે. નવ દાયકાથી હિન્દુ રાષ્ટ્રનો જપ કરવામાં આવે છે, પરંતુ હિન્દુ રાષ્ટ્ર શું છે અને કેવું હોય એ સમજાવતું એક પણ પ્રકાશન આજે ઉપલબ્ધ નથી. ૯૦ વર્ષ એ કોઈ ટૂંકો સમય નથી. મારી વાત ગળે ન ઊતરતી હોય તો લૅમિંગ્ટન રોડ પર આવેલા નાઝ કમ્પાઉન્ડમાં સંઘની ઑફિસ છે ત્યાં આંટો મારી આવો. ત્યાં જે સંઘસાહિત્ય મળે છે એમાં તમને હિન્દુ રાષ્ટ્ર વિશેનાં કાલીઘેલી ભાષામાં લખાયેલાં ચોપાનિયાં મળશે, પરંતુ હિન્દુ રાષ્ટ્રની થીસિસ કહી શકાય એવું એક પણ પુસ્તક નહીં મળે. સંઘના ખુલ્લા અધિવેશનમાં માન્ય રખાયેલી થીસિસ તો બહુ દૂરની વાત છે. આજ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એના ખુલ્લા અધિવેશનમાં હિન્દુ રાષ્ટ્રની કલ્પના વિશે મુક્ત ચર્ચા કરી હોય અને એની રૂપરેખા વિકસાવી હોય એવું બન્યું નથી, કારણ કે ૯૦ વર્ષ દરમ્યાન એક પણ વાર સંઘનું ખુલ્લું અધિવેશન મળ્યું નથી જેમાં સ્વયંસેવકને પોતાની વાત કરવાની તક મળે. સંઘના સ્વયંસેવકો દશેરાના દિવસે ભેગા મળે છે, ડ્રિલ કરે છે, સંઘ-પ્રતિનિધિનું ભાષણ સાંભળે છે અને ગુરુદક્ષિણા ચૂકવીને ઘરે આવે છે.

આ બુદ્ધિદરિદ્રતાનું પરિણામ આપણી સામે છે. તાજેતરના મહિનાઓમાં કેન્દ્ર સરકારે શિક્ષણસંસ્થાઓમાં જે લોકોની નિમણૂકો કરી છે એના પર એક નજર કરી લો. જેણે જીવનમાં અભિનયમાં કોઈ સિદ્ધિ મેળવી નથી એ ગજેન્દ્ર સિંહ ચૌહાણને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જે માણસે જીવનમાં એક અભ્યાસપેપર (પુસ્તક નહીં, પેપર) લખ્યો નથી એ વાય. એસ. રાવ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચના અધ્યક્ષ છે. ખાતરી કરવી હોય તો કાઉન્સિલની ઑફિશ્યલ વેબસાઇટ પર અધ્યક્ષ મહાશયનો બાયોડેટા જોઈ જાઓ. કોઈ ચોપાનિયામાં ચાર લાઇન લખી હોવાનો પણ એમાં દાવો કરવામાં આવ્યો નથી. ચૌહાણ અને રાવ કરતાં વધુ તેજસ્વી અને બુદ્ધિશાળી માણસો સંઘ પાસે નથી. મુંબઈ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરની એકમાત્ર લાયકાત સંઘના ડૉક્યુમેન્ટેશન સેન્ટરમાં કામ કર્યું હોવાની છે. આવી જ સ્થિતિ ગુજરાતની યુનિવર્સિટીઓની છે. આ દરિદ્રતાનું કારણ વિચારની ઉપાસનાનો અભાવ છે.

આજે હવે સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સંઘની સરકાર રચાઈ છે. નેવું વર્ષે અનુકૂળતા બની છે, પરંતુ આ અનુકૂળતા જેટલી ધારવામાં આવે છે એટલી અનુકૂળ નથી.

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-06092015-14

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કૉલમ, ‘સન્નડે સરતાજ‘ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 સપ્ટેમ્બર 2015

Loading

...102030...3,7503,7513,7523,753...3,7603,7703,780...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved