સર્વવ્યાપી સર્વદિશામાં રહે છે,
મંત્ર-યંત્રો તોય ખીસામાં રહે છે.
ઉમ્રની પાછળ છુપાઈને જીવે પણ,
સૃષ્ટિ એક આખી અરીસામાં રહે છે.
ક્ષણ મહીં ઇશ્વરને નશ્વરમાં ડુબાડે,
એવું ગાંડું પૂર શીશામાં રહે છે.
લાખ ચાહો તોય એ ભટક્યા જ કરતું,
મન સદા કોઈ મનીષામાં રહે છે!
કાલિદાસે વર્ણવેલા નાગરો શું –
રૂપ 'વ્યાપમ' લઈ વિદિશામાં રહે છે?
London, 1/10//2015
![]()


સામાન્ય રીતે કોમ્યુિનટીમાં કોઈ ગુજરી જાય, ત્યારે ઇ-મેઈલ મારફતે મેસેજ મળતા હોય છે. જીવીકાકી નામ તો જાણીતું હતું પણ ચહેરો યાદ આવતો ન હતો. કદાચ વર્ષોથી કાકી બિમાર હોવાના કારણે મિટિંગમાં કે પિકનિકમાં દેખાતાં ન હતાં.
ગાંધીજીના જીવનકાળની લગભગ દોઢ સદી બાદ તેમના વિશે કંઈ મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ છે. કારણ ઘણું લખાયું અને બોલાયું છે. પણ સ્મૃિતયોગ્ય કાળ અને ગાંધીજી જેવા મહાન આત્મા વિશેની આપણી સહિયારી સમજને સમયાંતરે વાગોળતા રહીએ, તો સ્વસ્થ સમાજનવરચનાની અવિરત પ્રક્રિયાને સાચી દિશા મળે. વૈશ્વિક સ્તરે એક સ્વીકૃતિ બની છે કે મનુષ્ય પ્રજાતિએ પોતાના સમગ્ર અસ્તિત્વકાળમાં છેલ્લા શતકમાં અજોડ ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે. એ માટે સક્ષમ સાબિત થયેલા વિજ્ઞાન અને ટેકનોલોજીથી આવનાર સમયમાં તમામ મુશ્કેલીઓ પણ હલ કરી શકાશે તેવો અંહકાર વ્યાપક બન્યો છે. ઉપરાંત એ અહેસાસ પણ તીવ્રતાથી કરાવાઈ રહ્યો છે કે વ્યક્તિથી દેશ સુધી કોઈ પણ સ્તરે ભૌતિક સમૃદ્ધિ – સુખાકારી હાંસલ કરવા માટે સાધનશુદ્ધિ આવશ્યક નથી.