Opinion Magazine
Number of visits: 9552946
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયપ્રકાશ નારાયણ, કાલીઘેલી વાતો નહીં ક્રાંતિના લોકનાયક

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|11 October 2015

બિહાર વિધાનસભાની ચૂંટણીની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. બિહારની ચૂંટણીમાં વારંવાર લેવાતું એક નામ છે – જયપ્રકાશ નારાયણ, ટૂંકમાં જેપી. એક તરફના નેતાઓ ખુદને જેપીના શિષ્યો ગણાવી રહ્યા છે તો બીજી તરફનાં લોકો પણ જયપ્રકાશનું સપનું સાકાર કરવાનો દાવો કરી રહ્યા છે. અલબત્ત, ખુદને જેપીના શિષ્યો ગણાવનારા હોય કે જેપી માટે ભારોભાર માન હોવાનો દાવો કરનારા હોય, તમામને જેપીનાં નામે 'સારા' દેખાઈને મતો મેળવવા છે, બાકી લોકનાયક જયપ્રકાશ નારાયણે કલ્પેલી સંપૂર્ણ ક્રાંતિ અંગેની સમર્પણભરી સમજ કે પછી સંપૂર્ણ ક્રાંતિ માટે જરૂરી સંઘર્ષ આદરવાનું સાહસ ભાગ્યે જ કોઈનામાં શોધ્યું જડે એમ છે.

યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા. ૧૯૭૦ના દાયકામાં દેશભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને રાજકીય અંધાધૂંધી પ્રવર્તતી હતી એવા માહોલમાં દેશના યુવાનો અકળાઈ ઊઠયા હતા. યુવાનોની અકળામણ અને આક્રોશની એ આગને યોગ્ય દિશા દઈને દેશહિતમાં વાળનારા જયપ્રકાશ જેવા નેતાની ખોટ આજે 'આંદોલનમય' ગુજરાતને પણ સાલી રહી છે ત્યારે ચાલો, આજે ૧૧મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણના જન્મદિવસ નિમિત્તે તેમનાં વ્યક્તિગત કદ અને કાર્યક્ષેત્રની વિશાળતાની ઝલક મેળવવા સાથે તેમના ક્રાંતિકારી વિચારો વાગોળીએ …

આજીવન રાજકીય ક્ષેત્રે સક્રિય અને લોકપ્રિય છતાં સત્તાનો મોહ તેમને ભાગ્યે જ ચળાવી શક્યો હતો. જયપ્રકાશના ક્રાંતિકારી જીવે તેમને ક્યારે ય સત્તાકારી બનવા જ ન દીધા. બાકી ભારતને હજુ આઝાદી નહોતી મળી ત્યારે જ તેઓ પોતાનાં વિચારો અને કાર્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે  ખ્યાતિ ધરાવતા હતા. ૧૯૪૨ના આંદોલન વખતે તેઓ 'યુવાહૃદય સમ્રાટ'નું બિરૂદ પામેલા. એક જમાનામાં જવાહરલાલ પછી ભારતના વડા પ્રધાન તરીકે તેમની જ યોગ્યતાનાં ગુણગાન ચારેકોર ગવાતાં હતાં. જેપી થોડીક 'વ્યાવહારિકતા' દાખવીને કોંગ્રેસમાં જ રહ્યા હોત તો વડા પ્રધાનપદ માટે તેમણે કોઈ ખાસ પ્રયાસો કરવાની જરૂર પડી ન હોત પણ તેમની દૃષ્ટિ ક્યારે ય ખુરશી-સત્તા તરફ રહી જ નહીં, દેશના આમ આદમીની ભલાઈ પર રહી અને તેઓ સામાન્ય જનતાની સેવા માટે અવિરત કાર્યરત રહ્યા. જેપી ક્રાંતિદૃષ્ટા હતા. જેપી ઝુઝારુ લડવૈયા ખરા પણ એ ઉપરાંત તેમનામાં બાહોશ સેનાપતિના ગુણો અને ચતુર મંત્રી તથા શાણા રાજા પેઠે દેશનું લાંબા ગાળાનું ભલું વિચારવાની કુનેહ પણ હતી અને એને કારણે જ તેઓ કાલીઘેલી ને ઠાલી વાતો નહિ ક્રાંતિના 'લોકનાયક' પુરવાર થયા હતા.

સ્વાતંત્રોત્તર ભારતમાં આંદોલનોનો ઇતિહાસ લખાશે ત્યારે જેપીનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન સુવર્ણ અક્ષરે લખાશે. જેપીએ આદરેલું દરેક આંદોલન વિશાળ પટે ફેલાયેલું રહેતું, તે કદી એકાંગી જોવા ન મળે. જયપ્રકાશ નારાયણે જ્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ચાલી રહેલા આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે માત્ર નેતાઓ અને સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટ છે, એ દૃષ્ટિએ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને દરેક સ્તરેથી તેને દૂર કરવો જરૂરી છે, એવી દીર્ઘદૃષ્ટિ સાથે આંદોલન આગળ વધારેલું. બિહાર આંદોલન સંદર્ભે ગુજરાતે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના યુવાનોએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ચીમનભાઈ પટેલની સરકાર વિરુદ્ધ ચલાવેલા નવનિર્માણ આંદોલ થકી જેપીને આશા અને દિશા સાંપડેલી. નવનિર્માણ આંદોલનથી સફળતા બાદ દેશના યુવાનોમાં ચેતના વ્યાપી ગયેલી. ૧૯૭૪ના પ્રારંભમાં બિહારમાં પણ કોંગ્રેસી સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પોતાની મેળે આંદોલન શરૂ કરેલું, જેની કુલ ૧૨ માગણીઓ હતી. આઠ માગણીઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત હતી જ્યારે બાકીની ચાર માગણીઓ રાષ્ટ્રજીવન સંબંધિત હતી, જેમાં ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘવારી દૂર કરો, બેકારી દૂર કરો અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની માગણી સામેલ હતી. બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલનને લક્ષ્યમાં લીધું નહોતું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. લાઠીચાર્જ તો ઠીક ગોળીબારો પણ કરાયા હતા. જેપીની તબિયત સાથ નહોતી આપતી છતાં તેમણે વિદ્યાર્થીઓની વિનંતીઓ અને સરકારનાં અમાનુષી વલણ-વર્તન જોઈને આંદોલનનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો.

તેમણે આંદોલન પૂર્ણપણે અહિંસક રાખવા માટે લોકો-યુવાનોનું ઘડતર શરૂ કરેલું. તેમણે પટનામાં મૌન સરઘસ યોજ્યું અને જાહેરસભામાં જે વાત કરેલી એ યાદ રાખવા જેવી છે, "આ શાંતિમય આંદોલનનો પ્રારંભ છે, હવે પછી આપણે સત્યાગ્રહની ભૂમિકામાં કામ કરવાનું છે. એક સરકાર જશે અને બીજી સરકાર આવશે તેટલા માત્રથી આપણું કામ સરવાનું નથી, એ તો ભૂત જશે અને પલીત જાગશે! માટે આપણે સમાજના રોગોનાં મૂળમાં જવાનું છે. હું તમારી સામે કાર્યક્રમ રજૂ કરીશ, પરંતુ આ લાંબી યાત્રા છે. આ કાંઈ અમુક પ્રધાનમંડળને ઊથલાવવાનું કામ નથી." અહિંસક આંદોલનની નીંભર સરકાર પર કોઈ અસર જ નહોતી જોવા મળતી, ઊલટું સરકાર તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને કચડવા અને જેપીને બદનામ કરવા પર ઊતરી આવી હતી, આખરે જેપીને વિધાનસભા વિસર્જનની માગણી કરવાનું ઉપયુક્ત લાગ્યું હતું.

પાંચ જૂન, ૧૯૭૪ના રોજ પટણામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું. રાજ્યભરમાં લાખો લોકોએ વિધાનસભાનાં વિસર્જનનાં આવેદનપત્રો પર સહીઓ કરી હતી. સહી કરેલાં આવેદનપત્રોની એક આખી ટ્રક ભરાયેલી જે રાજ્યપાલને સોંપવામાં આવેલી ત્યાર બાદ જનસભામાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનું એલાન કર્યું હતું. તેમણે પોતાનાં ભાષણમાં કહેલું કે "હવે આ સંઘર્ષ માત્ર વિદ્યાર્થીઓના બાર મુદ્દા પૂરતો અને સરકારની બરતરફી અને વિધાનસભાનાં વિસર્જન પૂરતો જ મર્યાદિત રહેતો નથી, આ હવે સમગ્ર જનતાની સંપૂર્ણ ક્રાંતિ માટે લડત બને છે." જેપીનું બિહાર આંદોલનથી સરકાર ઊથલવા જેવું દેખીતું મોટું પરિવર્તન નહીં આવેલું, પરંતુ આ આંદોલને દેશની ચેતનાને જગાડી હતી. દેશનો યુવાન સરકારના અનાચાર-ભ્રષ્ટાચાર સામે જાગ્રત થઈ ગયો હતો, જેણે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની ઊંઘ પણ હરામ કરી હતી.

જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિને સપ્તક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાજનાં સર્વ અંગોના ઝડપી પરિવર્તનની આહ્લેક હતી, જેપી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં, પરંતુ મૂલ્યોનું, મનોવૃત્તિનું, સંબંધોનું, માળખાનું પરિવર્તન ઇચ્છતા હતા. જેપીએ કહેલું કે "સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે – સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃિતક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ. આ ક્રાંતિ શબ્દમાં પરિવર્તન અને નવનિર્માણ બંને અભિપ્રેત છે." આમ, જેપી જડમૂળમાંથી પરિવર્તન આવે એવી ક્રાંતિમાં માનનારા હતા.

સંપૂર્ણ ક્રાંતિના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા હતા, તેવામાં ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ દેશ પર કટોકટી લાદી. જયપ્રકાશ જેવા મોટા મોટા તમામ નેતાઓને રાતોરાત જેલભેગા કરી દેવામાં આવેલા, જો કે જયપ્રકાશે જગાવેલી આંદોલનની જ્યોતિને પ્રતાપે ઇન્દિરાજીએ ઝૂકવું પડયું અને કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરવી પડી, જેમાં ઇન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયેલાં. દેશમાં મોરચા સરકાર આવેલી, જે આંતરિક ડખાઓને કારણે લાંબું ટકી શકેલી નહીં અને જેપીનું ભ્રષ્ટાચાર નાબૂદીનું સપનું રોળાઈ ગયેલું.

જેપીનું આ સપનું સાકાર કરવાની દાનત આજે કોનામાં દેખાય છે?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય-સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 અૉક્ટોબર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3144733

Loading

ભલા ભાઇ, જેપીનું નામ લેતાં જરી તો લાજો

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|11 October 2015

આઠ સૈકા પુરાણા બૃહન્મઠે તેનું અતિપ્રતિષ્ઠિત બસવશ્રી સન્માન મરણોત્તર ધોરણે કલબુર્ગીને આપ્યું

હિતભાષી એટલાં જ સ્પષ્ટભાષી નયનતારા સહગલ અને યથાપ્રસંગ વાકચતુર એટલા જ મૌનમુખર નમો, કિયે છેડેથી વાત શરૂ કરીશું એ વિમાસણમાં જરી ઇદં તૃતીયમ જેવી મારી પસંદગી દેશની સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિશ્નાથ પ્રસાદ તિવારી ભણી ઢળતી હતી, કેમ કે નયનતારાએ એવોર્ડની રકમ ભલે પાછી વાળી પણ અમારે પ્રતાપે (મારા ને તમારાં નાણે ચાલતી અકાદમી થકી) એમને જે નફો (રિપીટ, નફો), વિશ્વસનીયતા અને શુભેચ્છાઓ મળી એનું શું એવું પ્રશ્નાસ્ર તિવારીજીએ ઉગામ્યું છે. એમ તો દાદરી ઘટના પછી ‘કેવળ શંકાથી થયેલી હત્યા’ ખરેખર જ ખોટી કહેવાય – એટલે કે ધારો કે આ વાત સાચી હોત તો તે હત્યા ખરેખર જ આતતાયીવધ રૂપે ધર્મ્ય લેખાત એવી સુફિયાણી સબબ ‘પાંચજન્ય’ના પૂર્વતંત્રી અને ભાજપ સાંસદ તરુણવિજયે પણ ઠીક ઉડ્ડાનબિન્દુ (‘ટેક ઑફ પોઇન્ટ’) પૂરું પાડ્યું હતું.-

– પણ આ લખવા બેસું છું ત્યાં ચિત્તનો કબજો ચિત્રદુર્ગનો આઠ સૈકા પુરાણો બૃહન્મઠ સહસા લઈ લે છે. એ સમાચાર પટ્ટી નજર સામે દોડતી જોઉં છું, કે આ મઠે એનું અતિપ્રતિષ્ઠિત બસવશ્રી સન્માન મરણોત્તર ધોરણે કલબુર્ગીને આપ્યું છે. આ એ કલબુર્ગી છે જેઓ એમની વિદ્વતા માટે અને રૂઢિદાસ્ય સામેની સક્રિયતા માટે કર્ણાટકમાં પોંખાયા અને એ જ ધારામાં ‘કદર’ રૂપે કથિત સામેવાળાઓ તરફથી આતતાયીરૂપે વધ પણ પામ્યા. પણ બૃહન્મઠનો સમ્યક, સુચિંતિત, સમુદાર મત જુઓ : બસવશ્રી પ્રશસ્તિમાં એણે કહ્યું છે કે કલબુર્ગી બસવેશ્વરની જેમ જ પોતાની સમજ પ્રમાણેના સમાજપરિવર્તન માટે સક્રિય જિંદગી જીવ્યા હોઈ સન્માનાર્હ છે.

વાચકને યાદ હોય જ કે દાભોલકર, પાનસરે અને કલબુર્ગી ‘સનાતન સંસ્થા’ પ્રકારના ધર્મઝનૂનીઓનો ભોગ બન્યા છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ બાબતમાં તપાસ તેમ જ ન્યાયને મુદ્દે જ્યારે નામકર ન હોય ત્યારે પણ આઘીપાછી તો અચૂક પેશ આવે જ છે. સરકારોનું વલણ આવાં સાંપ્રદાયિક તત્ત્વો બાબતે પનાહ આપવાથી માંડીને આંખ આડા કાન લગીની સાનુકૂળ ફ્રિકવન્સી પરનું રહેતું આવ્યું છે. અધૂરામાં પૂરું, હાલ જેઓ દિલ્હીમાં તખ્તનશીન છે એમની પાસે હિંદુત્વ વિચારધારા જેવા વાજબીપણાની એક સુવિધા પણ છે. આ સંજોગોમાં ચિત્રદુર્ગનો બૃહન્મઠ જ્યારે કલબુર્ગીને બસવશ્રી સન્માન આપે ત્યારે તે અવશ્ય જ એક વ્યાપકમતિ અર્થઘટનનો પથ પ્રશસ્ત કરે છે. બલકે, એમ પણ માનવાનું મન થાય કે, ‘હિંદુ વ્યૂ ઑફ લાઇફ’ (‘હિંદુ જીવનદર્શન’) પરનાં વિશ્વપ્રતિષ્ઠ વ્યાખ્યાનોમાં રાધાકૃષ્ણને હિંદુ ધર્મની જે વસંત કલ્પી હશે એનો એક હૃદ્ય સંકેત આ પણ છે. 

આરંભે જ મૌનમુખર નેતૃત્વની જિકર કરી. આવતી કાલે (રવિવારે) આ નેતૃત્વ એકદમ જ મુખર અને સોળે કલાએ વાકચતુર પેશ આવશે. 11મી ઑક્ટોબરના જેપી જયંતી પર્વ નિમિત્તે કટોકટીકાળે પોતે અને પક્ષપરિવારે કરેલા સંઘર્ષને બઢાવીચઢાવીને રજૂ કરવાની, કૉંગ્રેસને ઝૂડવાની, અને બિહારમાં ‘ભટકી ગયેલા’ જેપી અનુયાયીઓને બદલે ‘અસલી માલ’ ખપાવવાની એ ચેષ્ટા હશે. 

એક પક્ષપરિવાર તરીકે આ પક્ષ અને એના નેતાની જેપી આંદોલન તેમજ જેપી ચિંતન સંદર્ભે એવી તે શી હેસિયત છે વારુ, એમ કોઈ પણ પૂછી તો શકે. એટલું જ નહીં પણ ઈંતદરાઈ એકાધિકારવાદ બાબતે કરોડરજ્જુ વગરની પ્રજાતિ લેખે ઉભરેલી કૉંગ્રેસ જમાતને તે ચોક્કસ જ ઠમઠોરી પણ શકે. પણ સરસંઘચાલક દેવરસે જેલબેઠાં કરેલા વિષ્ટિપ્રયાસો (અને શરણાગતી ચેષ્ટા) વિશે મહારાષ્ટ્ર વિધાનસભાના રેકર્ડ પર પડેલ સામગ્રીનું શું કરીશું? જેલમાંથી જનસંઘની એક પછી એક હસ્તી સંદિગ્ધ સંજોગોમાં બહાર જવાવાળી ચાલી એ વિશે ભાજપસાથી સુરજિતસિંહ બરનાલાની સાહેદીનું શું કરીશું? દત્તોપંત ઠેંગડી અને માધવરાવ મૂળે જેવા અપવાદરૂપ પ્રચારકો બાદ કરતાં ઘણા બધા કોઈ જુદી જ પેરવીમાં હતા એવી તે વેળાના આર.એસ.એસ.ના કલૈયા કુંવર (બ્લુ આઇડ બૉય) સુબ્રમણ્યમ સ્વામીની સાફ વિશે શું કહીશું? (મૂળેએ સ્વામીને દર્દભરી અપીલ કરી કે તું દેશ છોડીને ભાગી જા – સંઘશ્રેષ્ઠીઓ લગભગ કાંડુ કાપી આપવાની અણી પર છે.) અને હા, કુમાર પ્રશાન્તે નોંધ્યું છે તેમ કોમવાદમાં ઘસડાવા સામે જેપીએ ચિંતા અને ચેતવણીનાં જે હિતવચનો (ખાસ જનસંઘને લક્ષમાં રાખીને) ટપકાવ્યાં હતાં તે હજારો પત્રિકા બિહારમાં પહોંચે એ પહેલાં જ જનસંઘની કડી મારફતે વચ્ચેથી વગે થઈ ગઈ હતી એ વિગતને કેવી રીતે જોશું? 

આખી વાતને આ રીતે જોવીમૂલવવી ગમતું નથી, પણ સમ્યક ચિત્રની દૃષ્ટિએ એની રજૂઆત કદાચ અનિવાર્ય છે. જનસંઘના જનતા અવતાર પછી ભાજપરૂપે શરૂનાં વર્ષોમાં ઠીક ચાલ્યા બાદ અયોધ્યજવર સાથે પલટી મારીને આ પક્ષપરિવારે જે રીતે દેશની યથાસંભવ એકંદરમતી તોડી છે એ ઈતિહાસતપાસ માગી લે છે. કોંગ્રેસના વિકલ્પની રાજનીતિ, લોહિયા-જેપી અભિગમમાં રાષ્ટ્રીય ચળવળની ધારામાં હતી. અયોધ્યાજ્વર સાથે આ એકંદરમતી તૂટી. આ તૂટન…અને 1991થી શરૂ થયેલી નવી આર્થિક નીતિ! ભલા ભાઈ, જેપીનું નામ લેતાં જરી તો લાજો. 

અહીં આટલી લાંબી ચર્ચામાં નહીં જતાં એક એટલો જ મુદ્દો કરીશું કે કટોકટી સામેની એક પ્રમુખ ફરિયાદ સેન્સરશિપ કહેતાં અભિવ્યક્તિ સ્વતંત્રતાને ધોરણે હતી. જાણે કે નિ:શેષ, નિ:શંક વિચારધારાકીય સંમતિ સાથે આજે ગુજરાત અને ભારતનો સત્તાપક્ષ જે રીતે ચાલી રહ્યો છે એમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા બિલકુલ સવાલિયા દાયરામાં છે. શિવસેના ગુલામઅલીને ગાવા ન દે અગર તો અમદાવાદમાં ‘ફના’ કે ‘પરઝાનિયા’ (સેન્સર બોર્ડની રજા છતાં) બતાવી ન શકાય તે શું સૂચવે છે? કટોકટી જેનું નામ તે ઘોષિત જ હોવી જરૂરી નથી.

ભાજપ અને સમાજવાદી પક્ષ પહેલાં મુઝફ્ફરપુરમાં વર્ત્યા હતા તેમ અત્યારે પણ દાદરીમાં વરતી રહ્યા છે. બિહારની ચૂંટણી હાલ તો ભાજપની પ્રત્યક્ષ હાજરી અને સામેવાળાની પ્રોક્સી પદ્ધતિએ કદાચ દાદરીમાં જ લડાઈ રહી છે… વિકાસના પેકેજિંગમાં એ જ કોમી ધ્રુવીકરણ, રાબેતા મુજબ! આ સંજોગોમાં એકાદ નયનતારા કે ઉદયપ્રકાશ અગર અશોક વાજપેયી જેવા નરવા અવાજો વચ્ચે સત્તા-પ્રતિષ્ઠાનની ભેર તાણતા અકાદેમી અધ્યક્ષ તિવારી વિશે શું કહેવું, સૂઝતું નથી.

તમને કોઈ આ કે તે પક્ષના પ્રચાર માટે તો કહેતું નથી, વીરા મોરા. પણ એક સાહિત્યસેવી વીરગતિ પામીને અક્ષરશ: અક્ષરવાસી બને ત્યારે એને સારુ જેની કને બે ઉરબોલ પણ ન બચ્યા હોય તે સાહિત્યસંસ્થાઓ અને સંસ્થાપુરુષોને શું કહેવું, કોઈક તો કહો.

સૌજન્ય : ‘હિંદુ ધર્મની વસંતનો સંકેત’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉક્ટોબર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-good-brother-jp-name-being-necessary-to-the-ashamed-5137199-NOR.html

Loading

Worshipping Cow: Killing Humanity

Ram Puniyani|English Bazaar Patrika - OPED|9 October 2015

Just over a decade ago (2002) in Dulina village of Jhajjar in Haryana a mob of over a thousand people lynched five dalits who were skinning a dead cow to sell the hide. A few months ago in Malegaon Mahahrashtra police arrested three Muslims on the charge of storing beef. On the back of this come the news from Bisara that a Muslim was killed and his son injured seriously on the charges of storing-eating beef.

In the context of Dulina lynching VHP’s Acharya Giriraj Kishore in a press conference stated that "the life of a cow is more precious than that of a human being." The recent incidents, the above quoted may be a sampler of what is happening, this is becoming a ‘new normal’ after the new Government at Center has taken charge. States with BJP ruled Governments beginning with Maharashtra have been bringing in legislations banning storage of beef.

For Hindu nationalist politics identity issues have been the hallmark and they pursue it to divide the society and polarize the communities along religious lines. Today the insecurity amongst minority is going through the roof, making their life very difficult. For implementing the polarizing agenda, so far Ram Temple issue was the core one. Over a period of time as it has played its role; now lately Holy cow, ‘cow as mother’ is the major tool. As such ‘Cow as mother’ was the ploy used by Hindu communalism all through from late nineteenth century. At that time, there was a matching slogan of ‘pig as an object of hate’ from Muslim communalism on the battleground. As classic serial Tamas (Bhism Sanhi) showed the use of pig being thrown in a mosque to instigate the riots was running parallel to beef in the temple, such incidents leading to communal violence and boosting communal politics in turn.

After independence the ‘pig in the mosque’ is heard of less often. Occasionally one did hear of beef in the temple being put in by Bajrang Dal elements. But not too many casualties were heard on this ground. On subconscious level the issue of beef has been kept very much alive and now this issue has become more important one as far as communal polarization keeping in mind electoral arithmetic is concerned. It has added to the worsening scenario as far as communal harmony is concerned.

It is remarkable that in our country to begin with cow could be presented as ‘mother’ and then used as a tool of communal propaganda and action. Talking at economic level cow has been an important part of the agricultural economy. The old bullocks and cows being used for food by large sections of society has been the norm. Apart from Adivasis, large sections of dalits, Muslims, Christians and even upper caste Hindus consumed beef, as a cheap and rich source of protein. Being a large country with big cattle strength, India is also the major exporter of beef.

Historically; it is interesting to note that beef was part of food habits from Vedic times. Cow got transformed in to mother hood and a major tool of identity politics later. Bhimrao Ambedkar in his celebrated essay “Did Hindus never eat beef?” demonstrates this very well. At popular level Swami Vivekananda confirms the findings of historians like Prof D.N.Jha, who traces the history of beef consumption in Vedic times. Swamiji points out, “You will be astonished if I tell you that, according to old ceremonials, he is not a good Hindu who does not eat beef. On certain occasions he must sacrifice a bull and eat it.”

[Vivekananda speaking at the Shakespeare Club, Pasadena, California, USA (2 February 1900) on the theme of ‘Buddhistic India’, cited in Swami Vivekananda, The Complete Works of Swami Vivekananda, Vol 3 (Calcutta: Advaita Ashram, 1997), p. 536.]

This is corroborated by other research works sponsored by the Ramakrishna Mission established by Swami Vivekananda himself. One of these reads: “The Vedic Aryans, including the Brahmans, ate fish, meat and even beef. A distinguished guest was honoured with beef served at a meal. Although the Vedic Aryans ate beef, milch cows were not killed. One of the words that designated cow was aghnya (what shall not be killed). But a guest was a goghna (one for whom a cow is killed). It is only bulls, barren cows and calves that were killed.”

[C. Kunhan Raja, ‘Vedic Culture’, cited in the series, Suniti Kumar Chatterji and others (eds.), The Cultural Heritage of India, Vol 1 (Calcutta: The Ramakrishna Mission, 1993), 217.]

It is not that society cannot resolve the issue of contrasting food habits and faith in an amicable way. Gandhi shows the way and one wishes that we he has to say on the issue of beef eating, “…beef is not their (Muslims, added) ordinary food. Their ordinary food is the same as that of the millions. What is true is that there are very few Muslims who are vegetarians from religious motive. Therefore, they will take meat, including beef, when they can get it. But during the greater part of the years, millions of Muslims, owing to poverty, go without meat of any kind. These are facts. But the theoretical question demands a clear answer. As a Hindu, a confirmed vegetarian, and a worshipper of the cow whom I regard with the same veneration as I regard my mother (alas, no more on this earth!) I maintain that Muslims should have full freedom to slaughter cows, if they wish, subject of course to hygienic restrictions and in a manner not to wound the susceptibilities of their Hindu neighbours. Fullest recognition of freedom to the Muslims to slaughter cows is indispensable of communal harmony, and is the only way of saving cow.

(http://www.mkgandhi.org/g_communal/chap14.htm)

By now the Muslim as the ‘Cow killer’ has been propagated so much by communal forces that yeoman efforts by those; wanting peace, tolerance and pluralism; are needed to overcome the hate built around this propaganda. 

Loading

...102030...3,6763,6773,6783,679...3,6903,7003,710...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved