Opinion Magazine
Number of visits: 9456739
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

हिन्दू त्योहारों के बहाने हिंसा और नफरत फ़ैलाने की कोशिश

राम पुनियानी|Opinion - Opinion|8 November 2024

राम पुनियानी

सांप्रदायिक हिंसा भारतीय समाज का अभिशाप है. पूर्व-औपनिवेशिक काल में कभी-कभार नस्लीय विवाद हुआ करते थे. मगर अंग्रेजों के आने के बाद धर्म और कौम के नाम पर विवाद और हिंसा बहुत आम हो गए. अंग्रेजों ने अतीत को तत्कालीन शासक के धर्म के चश्मे से देखने वाला सांप्रदायिक इतिहास लेखन किया. यहीं से वे नैरेटिव बने जिनसे हिन्दू और मुस्लिम सांप्रदायिक सोच और धाराएँ उभरीं. इन दोनों धाराओं ने अपने-अपने हितों को साधने के लिए आम सामाजिक समझ के अपने-अपने संस्करण विकसित किये और धर्म के नाम पर हिंसा भड़काने की नयी-नयी तरकीबें ईजाद कीं. पिछले करीब तीन दशकों में सांप्रदायिक हिंसा और तनाव में बहुत तेजी से बढोत्तरी हुई है. अध्येता, पत्रकार, सामाजिक कार्यकर्ता और शोधार्थी बहुसंख्यक समुदाय का साम्प्रदायिकीकरण करने और हिंसा भड़काने के नयी तरीकों को समझने के प्रयास में लगे हुए हैं.

निर्भीक पत्रकार कुणाल पुरोहित ने अपनी अनूठी और विचारोत्तेजक पुस्तक ‘एच-पॉप’ में हमारा ध्यान उन पॉप गानों की ओर खींचा है जो राष्ट्रीय आन्दोलन के नायकों – विशेषकर महात्मा गाँधी और नेहरु – व मुसलमानों के खिलाफ नफरत फैला रहे हैं. पुरोहित चेतावनी देते हैं कि हिन्दुत्ववादी पॉप गायक, उत्तर भारत की सामाजिक फिज़ा में नफरत घोल रहे हैं.

इस पुस्तक के बाद, इसी मुद्दे पर केन्द्रित एक अन्य महत्वपूर्ण पुस्तक प्रकाशित हुई है. इसका शीर्षक है: “वेपोनाइज़ेशन ऑफ़ हिन्दू फेस्टिवल्स”. इसके लेखक इरफ़ान इंजीनियर और नेहा दाभाड़े हैं और इसे फारोस मीडिया ने प्रकाशित किया है.  दोनों लेखक सामाजिक कार्यकर्ता व शोधार्थी हैं और लब्धप्रतिष्ठित लेखक व समाजसुधारक डॉ असगर अली इंजीनियर द्वारा स्थापित सेंटर फॉर स्टडी ऑफ़ सेकुलरिज्म एंड सोसाइटी से जुड़े हुए हैं. यह सेंटर लम्बे समय से सांप्रदायिक हिंसा की बदलती प्रकृति और बढ़ती उग्रता का अध्ययन करता रहा है. हिन्दू धार्मिक उत्सवों, विशेषकर रामनवमी, के दौरान हिंसा भड़काए जाने के मद्देनज़र लेखक द्वय का फोकस उस तंत्र और क्रियाविधि पर है जिसके ज़रिये हिन्दू त्यौहार, मुसलमानों को डराने और उनके प्रति आक्रामकता के प्रदर्शन के मौके बन गए हैं और इसके नतीजे में किस तरह हिंसा और ध्रुवीकरण हो रहा है.

जहाँ तक हिन्दू त्योहारों का प्रश्न है, वे सदियों से देश की सांस्कृतिक एकता को मजबूत करने वाले कारक रहे हैं. इसका एक प्रमाण तो यह है कि अधिकांश हिन्दू त्यौहार मुग़ल दरबारों में भी मनाये जाते थे और आम मुसलमान भी इनमें हिस्सा लेते थे. मुझे याद है कि बचपन में मेरे लिए रामनवमी कितनी ख़ुशी का अवसर होती थी. मैं जुलूस के साथ पूरे शहर का चक्कर लगाता था.

यह पुस्तक सन 2022-23 में त्योहारों, विशेषकर रामनवमी, के अवसर पर निकाले जाने वाले जुलूसों के दौरान भड़काई गई हिंसा की सूक्ष्म पड़ताल करती है. यह पड़ताल उन जांच दलों के अध्ययन और विश्लेषण पर आधरित हैं, जिन दलों के सदस्यों में लेखकगण शामिल थे. हिंसा की जिन घटनाओं को पुस्तक में शामिल किया गया है वे हैं: हावड़ा व हुगली, संभाजी नगर, वड़ोदरा और बिहारशरीफ व सासाराम (सभी 2023) एवं खरगोन, हिम्मत नगर व खम्बात व लोहरदगा (सभी 2022).

यह पुस्तल इसलिए प्रासंगिक है क्योंकि यह हिंसा रोकने में मददगार हो सकती है. वह हमें बताती है कि विभिन्न समुदायों के बीच शांति और सद्भाव बनाये रखने के लिए ज़रूरी है कि हिंसा भड़काने का जो नया तरीका विकसित किया गया है उससे मुकाबला किया जाए. पुस्तक की भूमिका में इरफ़ान इंजीनियर लिखते हैं:  “हिन्दू राष्ट्रवादियों का छोटा सा समूह भी धार्मिक जुलूस के नाम पर अल्पसंख्यक-बहुल इलाके से भीड़ में निकलने के अपने अधिकार पर जोर देगा. जब यह कथित जुलूस ऐसे इलाके से गुज़र रहा होगा तब राजनैतिक और अपमानजनक नारे लगाकर और भड़काऊ संगीत या गाने बजा कर यह कोशिश की जाएगी कि कोई एक व्यक्ति भी प्रतिक्रिया में एक पत्थर उछाल दे. बाकी काम प्रशासन कर देगा. बड़ी संख्या में अल्पसंख्यकों को गिरफ्तार कर लिया जाएगा और बिना किसी न्यायिक प्रक्रिया के उनके घर और संपत्तियां ढहा दी जाएँगी.”

इस तरह की घटनाओं पर रोक लगाने के लिए यह समझना ज़रूरी है कि अधिकांश मामलों में इन जुलूसों में भाग लेने वाले हथियार लिए होते हैं, इन जुलूसों को जानबूझकर मुस्लिम-बहुल इलाकों से निकाला जाता है, तेज आवाज़ में संगीत बजाया जाता है और भड़काऊ व मुसलमानों का अपमान करने वाले नारे लगाए जाते हैं. अक्सर, कोई व्यक्ति रास्ते में पड़ने वाली किसी मस्जिद के गुम्बद पर चढ़ कर हरे झंडे की जगह भगवा झंडा लगा देता है और नीचे खड़े लोग नाच कर और तालियाँ बजाकर इसका स्वागत करते हैं. यह एक पूरा पैटर्न है, जिसका दोहराव 2014 में भाजपा के केंद्र में शासन में आने के बाद से बहुत तेजी से हो रहा है. इस सन्दर्भ में खरगोन (मध्यप्रदेश) की घटना महत्वपूर्ण है. वहां की राज्य सरकार के एक मंत्री ने कहा कि जुलूस पर फेंके गए पत्थर मुस्लिम घरों से आए थे और इसलिए उन घरों को पत्थर के ढेर में बदल दिया जाएगा. जुलूसों में भाग लेने वाले गुंडों और इन जुलूसों के आयोजकों को कोई डर नहीं होता क्योंकि “सैयां भये कोतवाल तो डर काहे का”.

रामनवमी के जुलूसों के अलावा, स्थानीय त्योहारों पर निकाली जाने वाले यात्राओं, गंगा आरती, सत्संग और अन्य धार्मिक आयोजन भी इसी उद्देश्य से किये जाते हैं. कांवड़ यात्राओं के दौरान कांवड़ियों द्वारा अत्यंत आक्रामक ढंग से व्यवहार किया जाता है. जले पर नमक छिड़कते हुए इस साल उत्तर प्रदेश और उत्तराखंड की सरकारों ने यह आदेश जारी किये कि कांवड़ यात्राओं के रास्ते में खाने-पीने का सामान बेचने वाली सभी दुकानों में उनके मालिक के नाम के तख्ती लगाना आवश्यक होगा ताकि कांवड़िये मुसलमानों की दुकानों से सामान न खरीदें और उनकी होटलों में खाना न खाएं. सौभाग्यवश सुप्रीम कोर्ट ने इस आदेश पर रोक लगा दी.

इस तरह की घटनाओं से पहले से ही भयग्रस्त मुस्लिम समुदाय में और डर व्याप्त हो रहा है. इससे समाज में ध्रुवीकरण बढ़ रहा है और भय का वातावरण बन रहा है. त्योहार, जो आनंद और उत्सव के मौके होते हैं, का उपयोग डर और हिंसा फैलाने के लिए किया जा रहा है. पुस्तक कहती है कि सरकार और प्रशासन को सांप्रदायिक संगठनों के असली इरादों के प्रति जागरूक और सतर्क रहना चाहिए. जुलूसों में हथियार लेकर चलने, अल्पसंख्यक समुदाय को अपमानित व लांछित करने वाले गाने जोर-जोर से बजाने और डीजे के उपयोग को प्रतिबंधित किया जाना चाहिए. और यह सब करना कानून के अनुरूप होगा. हमारे देश में नफरत फैलाना अपराध है. धार्मिक त्योहारों का नफरत और हिंसा फैलाने के लिए दुरुपयोग रोकने में राज्य की महती भूमिका है.

ऐसी घटनाओं की समग्र जाँच, दोषियों के खिलाफ कार्यवाही और पीड़ितों को हुए नुकसान की भरपाई भी ज़रूरी है. इसके अलावा, हमें सांस्कृतिक कार्यक्रमों, फिल्मों और वीडियो आदि के जरिये समाज में एकता और सद्भाव को प्रोत्साहन देने के लिए भी काम करना चाहिए. पुस्तक की प्रस्तावना में महात्मा गाँधी के पड़पोते तुषार गाँधी लिखते हैं कि हमारे समाज को विवेकपूर्ण, समावेशी और सहिष्णु बनाने के लिए गांधीजी की शिक्षाओं का व्यापक प्रसार किया जाना चाहिए. यह आज के समय में अत्यंत महत्वपूर्ण और प्रासंगिक है.

06 नवम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

આવતા વર્ષે ભાનુમતીના પટારામાંથી શું નીકળશે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 November 2024
વર્ગ–વર્ણ

નવ –સીમાંકન અને જાતિગત જનગણના 

મહિલા આરક્ષણથી માંડીને ઉત્તર–દક્ષિણ સંતુલન તેમ જ નાતજાતકોમની રાજનીતિને વિષમતા નિર્મૂલનપૂર્વક નાગરિક ભૂમિકાએ ચડાવી આગળ વધવાનો સ્વરાજસંકલ્પ સાદ દે છે.

પ્રકાશ ન. શાહ

છેક અંગ્રેજ વારાથી, 1881થી આપણે ત્યાં જનગણના(સેન્સસ)ની પ્રણાલિકા રહી છે. વચમાં થોડો વખત એ સ્થગિત રહી હતી. 2002માં વાજપેયી સરકારે 84મા બંધારણીય સુધારાને સહારે એમાં મુદ્દત પાડી હતી. હવે આવતા વરસથી એ પ્રક્રિયા ફેર હાથ ધરાય એવા આધારભૂત સંકેત સાંપડે છે.

આપણે ત્યાં લોકસભાની બેઠકો માટેની સીમાંકન પ્રક્રિયા એકાધિક ચૂંટણીઓ સારુ જે બાબતો લક્ષમાં લેવાય છે તેમાંથી એક મહત્ત્વની બાબત સ્વાભાવિક જ વસ્તીની પ્રમાણ હોય છે. દેખીતી વાત છે કે નિયમિત જનગણના વગર સીમાંકન પ્રક્રિયામાંયે સ્થગિતતા તો આવી જ જાય.

આ વખતે જનગણના સંદર્ભે કેટલાંક તકાજા કહો તો તકાજા અને પડકાર કહો તો પડકાર બરાબરના સામે આવી ઊભા છે. એક પ્રશ્ન, જેમ કે, મહિલા આરક્ષણનો છે. રાજ્યની વિધાનસભાઓમાં અને દેશની લોકસભામાં તેત્રીસ ટકાને ધોરણે મહિલા આરક્ષણનો અમલ હવેથી કરવાનો છે. એક વાર નવેસર જનગણના થઈ જાય અન નવસીમાંકન હાથ ધરાય તે પછી તેત્રીસ ટકા મહિલા આરક્ષણની જોગવાઈને અમલી ન જામો પહોંરાવવામાં આવી શકે તે દેખીતું છે.

આ કામ સાવ સહેલું નથી તો છેક અઘરું પણ નથી. પરંતુ, ખરેખર તો બે મોટા કોઠા ભેદવાના છે. એક કોઠો બેઠક સંખ્યાને ધોરણે સીમાંકન નિર્ધારિત કરવાનો છે. દક્ષિણનાં રાજ્યમાંથી જે અવાજો ઊઠ્યા છે તે આ સંદર્ભમાં સવિશેષ ચિંત્ય છે. તામિલનાડુના સ્તાલિન કે બીજા વસ્તી વધારવાની ઝુંબેશ સારુ હાકલ કરતા સંભળાય છે તે નોંધ્યું તમે? વસ્તીવર્ધન ઝુંબેશમાં જરૂર એક નાટ્યાત્મક અપીલ રહેલી છે. એની પાછળ તર્ક (બલકે મનોવિજ્ઞાન) એ છે કે વસ્તીને ધોરણે મતવિસ્તારો નિર્ધારિત થાય છે એ સંજોગોમાં ઉત્તર ભારતની સંભવિત બેઠક સંખ્યા સામે દક્ષિણ ભારતની સંભવિત બેઠક સંખ્યા સ્વાભાવિક જ ઓછી થઈ જાય. કુટુંબકલ્યાણ કાર્યક્રમ ઉત્તરને મુકાબલે દક્ષિણનાં રાજ્યોએ અસરકારક રીતે હાથ ધર્યો અને સફળતા મેળવી, એ જાણે કે કોઈ દંડ લાયક પ્રવૃત્તિ ન હોય!

જેમ વસ્તીનો કોઠો ભેદવાનો છે તેમ બીજો જે એક કોઠો ભેદવો રહે છે તે જાતીય જનગણનાનો છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં આ મુદ્દો, જેમ એકંદર બંધારણનો પણ, ખાસો ઉછળેલ છે. વિષમતા નિર્મૂલનની બાબત આપણા પ્રજાસત્તાક સ્વરાજ સારુ એક મહત્ત્વની બાબત નિઃશંક છે. વધતાં અબજોપતિઓ સામે એ એક દુર્દૈવ વાસ્તવરૂપે આપણાં અમૃત વર્ષોને ડારે પડકારે છે. બને કે કોઈને કદાચ કૂડ પણ લાગે એ રીતે કઈ નાતજાતના પ્રમાણમાં કેટલા અધિકારીઓ અગર ધનિકો કે બીજા લાભાર્થી છે એવા પ્રશ્નો ઊઠતા રહ્યા છે. ઉદ્યોગીકરણ પછીની દુનિયાનું વર્ગવાસ્તવ એક વાત છે અને આપણું પરંપરાગત વર્ણવાસ્તવ વળી બીજી વાત છે. જેમ વર્ગીય વિપન્નતા તેમ વર્ણગત વિષમતા પણ એક વાસ્તવિકતા છે. જાતીય જનગણનાનો આશય આ વાસ્તવિકતા પકડી વિકાસ તે ધોરણે ઝમે એવી આયોજનાનો છે.

જેમ ઓછીવત્તી વસ્તીને ધોરણે સીમાંકનના સવાલમાં ઉત્તર વિ. દક્ષિણની રાજનીતિનો ભય છુપાયેલો છે તેમ જાતિગત જનગણનાના સવાલ સાથે આપણી નાતજાતની રાજનીતિનાંયે લટિયાજટિયા ગુંથાયેલા ગુંચવાયેલ છે. આ એક એવી ભરીબંદૂક વાત છે જે અત્યાર સુધીની રાજનીતિની સિકલ વળી એક વાર ફેરવી શકે. હિંદુત્વ રાજનીતિ સામે સામાજિક રાજનીતિનો એક દોર હતો. મંદિર અને મંડલ સામસામાં મુકાયાં એનો ઉત્તર ભા.જ.પે. મંદિરમંડલ સાયુજ્યની રાજનીતિથી આપ્યો. લાલુ, મુલાયત, માયાવતી ઝળક્યાં તે પછીની આ ઘટના હતી. હવે આજે મંદિરમંડલવિકાસ વ્યૂહે કેવળ સર્વસામાન્ય અભિગમે નહીં અટકતાં જાતિગત જનગણનાને ધોરણે વિકાસથી વંચિત વર્ગ-વર્ણનો હિસાબ આપવો રહે અને એનું સમાધાન શોધવું રહે.

લોકસભાના પરિણામ સાથે કાઁગ્રેસને નવજીવન અનુભવતું હશે પણ સ્વરાજયાત્રામાં અને પ્રજાસત્તાક વર્ષોમાં આપણા નાતજાતગ્રસ્ત ને કોમવિભક્ત સમાજને નાગરિકતાની સીડી ચડાવવામાં જે ન્યૂનતા રહી એની ક્ષતિપૂર્તિનો એક પડકાર લઈને જનગણનાનો નવો તબક્કો આવે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 30 ઑક્ટોબર 2024

Loading

દરેક ખાનગી સંપત્તિ જાહેર હિતને નામે સરકાર આંચકી શકે નહીં… 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 November 2024

રવીન્દ્ર પારેખ

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ત્રણ મહત્ત્વના ચુકાદા આપ્યા, જેમાંનો એક એ છે કે સુપ્રીમે, યુ.પી. બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટને માન્ય રાખીને સ્પષ્ટ કર્યું છે કે યુપીમાં 16,000 મદરેસાઓમાં ભણતા 17 લાખ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં મોકલવામાં નહીં આવે. સાથે જ સુપ્રીમે એ પણ જણાવ્યું છે કે મદરેસા એકટની જોગવાઇઓ મૂળભૂત અધિકારો કે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી. જો કે, સુપ્રીમ કોર્ટે એ જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પી.જી. અને સંશોધનનો અભ્યાસક્રમ નક્કી કરવાનો અધિકાર હતો. એ અધિકાર મદરેસા બોર્ડને રહેશે નહીં ને તે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસક્રમ કે પુસ્તકો નક્કી કરી શકશે નહીં. આ પ્રતિબંધ અનેક શંકા-કુશંકાઓનું નિવારણ કરે એવો છે. 

22 માર્ચ, 2024ને રોજ હાઇકોર્ટની લખનૌ બેન્ચે મદરેસાને ગેરબંધારણીય જાહેર કરી હતી અને યુ.પી. સરકારને મદરેસાનાં બાળકોને સરકારી શાળાઓમાં મોકલવા જણાવ્યું હતું. એની સામે સુપ્રીમે રોકડું કર્યું છે કે મદરેસાનાં વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં મોકલવાનો નિર્દેશ યોગ્ય નથી. દેશમાં ધાર્મિક શિક્ષણ ક્યારે ય અભિશાપ રહ્યું નથી. આ મદરેસા અધિનિયમ ધર્મનિરપેક્ષતાનું ઉલ્લંઘન કરે છે એમ કહેવું યોગ્ય નથી. આમાં યુ.પી. સરકારનો પોતાનો તર્ક છે, પણ અત્યારે તો સુપ્રીમે મદરેસા એક્ટને માન્ય રાખ્યો છે, એટલે એ ચુકાદાને જ માન્ય રાખવો ઘટે. 

બીજો ચુકાદો ‘બુલડોઝર ન્યાય’ની વિરુદ્ધનો છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં 2019માં કોઈ પણ નોટિસ વગર બુલડોઝર ફેરવી દેવાની રાજ્ય સરકારની કાર્યવાહી સામે સુપ્રીમે ભારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે આમ રાતોરાત કોઈના પણ ઘર પર બુલડોઝર ફેરવી ન શકાય. અરાજકતાનું આ સૌથી ગંભીર ઉદાહરણ છે. તમે જેમનું વારસાઈ મકાન તોડ્યું છે તે મનોજ ટિબરેવાલને વચગાળાની રાહત તરીકે 25 લાખનું વળતર આપો. સરકારનું કહેવું એમ હતું કે રસ્તો પહોળો કરવા બુલડોઝર ફેરવાયું હતું, તો મુખ્ય ન્યાયમૂર્તિનું કહેવું હતું કે એ બધું બરાબર, પણ એ માટે કોઈ નોટિસ અપાઈ નથી કે ઘર ખાલી કરવાની કોઈ તક અપાઈ નથી ને કાર્યવાહી દરમિયાન જે સામાન તૂટયો તેની ભરપાઈ કેવી રીતે થશે તેની પણ કોઈ વાત નથી. વળી જેટલા વિસ્તાર પૂરતું દબાણ હતું, એટલો ભાગ તોડવાને બદલે આખું મકાન ધ્વસ્ત કરવાની જરૂર કેમ પડી એનો કોઈ જવાબ નથી. ટૂંકમાં, આ મામલે ઘટતી કાર્યવાહી થઈ નથી. સરકારનું આ મનસ્વી અને અત્યાચારી વલણ છે. સરકારે 123 મકાનો એ રીતે તોડ્યાં તો સુપ્રીમનો સોંસરો સવાલ એ હતો કે એ બધાં મકાનો ગેરકાયદે હતાં એનો પુરાવો છે? જે મકાન તોડવામાં આવ્યું, તે 1960થી ત્યાં છે, તો અત્યાર સુધી સરકારને ખબર જ ન પડી કે મકાન ગેરકાયદે છે? 

બુલડોઝર ન્યાયનો પવન બીજા રાજ્યોમાં પણ ફૂંકાયો હતો ને એવા ન્યાયની હવા કોઈ ફેશનની જેમ ફેલાઈ હતી, પણ સુપ્રીમે યુ.પી. સરકારને એક મહિનામાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની તાકીદ કરી છે. સાથે જ તમામ રાજ્યોને તોડફોડ માટેનાં દિશા નિર્દેશોનું પાલન કરવા પણ જણાવાયું  છે. એ ખરું કે ગેરકાયદે બાંધકામો માટે જવાબદારો સામે કાર્યવાહી કરવા સરકારો મુક્ત છે, પણ તોડફોડ અંગે આપવામાં આવેલા દિશા નિર્દેશોનું ચુસ્તપણે પાલન થાય એ પણ જોવાનું રહે જ છે. ગેરકાયદે બાંધકામોનો બચાવ ન જ હોય, પણ કાયદેસર બાંધકામોને વેઠવું પડે એ પણ બરાબર નથી. 

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અધિકારીઓને આ જ મુદ્દે હાઇકોર્ટે એવી નોટિસ પાઠવી છે કે તેમણે કોઈ પણ નોટિસ આપ્યા વગર ઉધના ઝોન વડોદમાં વર્ષોથી રહેતા પરિવારને ઘરની બહાર કાઢી, સામાન બહાર ફેંકી દઈ ડિમોલિશન કરી નાખ્યું હતું. વધુ સુનાવણી તો 19 નવેમ્બરે થશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ બુલડોઝર ફેરવી દેવાની ઘટનાઓ બની છે. એ સ્થિતિમાં સુપ્રીમનો ચુકાદો શકવર્તી સાબિત થાય તો નવાઈ નહીં. 

ઉપલા બંને ચુકાદાઓ યુ.પી.ની સરકાર સંદર્ભે અપાયા છે, પણ તેનો પ્રભાવ અન્ય રાજ્યો સુધી પણ વિસ્તરી શકે એમ છે. ત્રીજો ચુકાદો કેન્દ્ર સરકાર સંદર્ભે છે ને તેની અસર વધુ વ્યાપક હોઈ શકે છે. આમ તો આ ત્રણે ચુકાદાઓ સ્થળ સંદર્ભે છે. ત્રીજો ચુકાદો બંધારણને આગળ કરીને કોઈ પણ સરકાર જનહિતને નામે ખાનગી મિલકત પોતાના કબજામાં લઈ શકે કે કેમ એની વાત કરે છે. સરકાર કોઇ પણ ખાનગી સંપત્તિને જનહિતને નામે કબજે લઈ શકે, એવું અગાઉના ચુકાદામાં હતું, પણ એ ચુકાદો મુખ્ય ન્યાયમૂર્તિની વડપણ હેઠળની બેન્ચે પલટાવ્યો છે. એ ખરું કે સરકારો કેટલાક કિસ્સાઓમાં ખાનગી સંપત્તિઓ માટે દાવો કરી શકે, પણ દરેક ખાનગી સંપત્તિ માટે દાવો કરીને સરકાર તે સંપત્તિ આંચકી શકે નહીં એવું સુપ્રીમના આ ચુકાદામાં છે.

સુપ્રીમના 9 ન્યાયમૂર્તિઓની પીઠે 7 વિરુદ્ધ 2ની બહુમતીથી ચુકાદો આપ્યો છે. એમાં એક ન્યાયમૂર્તિ ધુલિયા આ ચુકાદાની વિરુદ્ધ હતા ને બીજા એક ન્યાયમૂર્તિ નાગરત્ના મુખ્ય ચુકાદા સાથે સંમત હતા, પણ કેટલાક મુદ્દે અસંમત હતા. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે એ જણાવ્યું કે બહુમતીએ 1978ના જસ્ટિસ કૃષ્ણા ઐયરના ચુકાદાને રદ્દ ઠેરવ્યો છે, જેમાં જણાવાયું હતું કે જનહિત માટે સરકાર કોઇ પણ ખાનગી સંપત્તિ પોતાના કબજામાં લઈ શકે છે. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે જણાવ્યું કે એ ચુકાદામાં ત્રુટિ હતી. એ ચુકાદો ખાનગી મિલકત પર સરકારનાં નિયંત્રણની તરફેણ કરતો હતો. એ ખરું કે જૂનું શાસન આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતું, પણ છેલ્લા ત્રણેક દાયકામાં ગતિશીલ આર્થિક નીતિથી ભારત ઝડપી અર્થવ્યવસ્થા બન્યું છે. આ ચુકાદા પછી સરકાર રિવ્યૂમાં જાય તો તેણે નવી પીઠનો સામનો કરવાનો થશે, કારણ મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ હવે નિવૃત્ત થવાના છે. 

આ ચુકાદાના કેટલાંક પાસાંઓ વિચારવા જેવાં છે. આ ચુકાદો સરકારના અધિકારોને નિયંત્રિત કરે છે. એ ખરું કે કોર્ટનું કામ આર્થિક નીતિઓ નક્કી કરવાનું નથી, પણ એ જોવાનું છે કે દેશમાં એક આર્થિક લોકતંત્ર સક્રિય હોય. ખાનગી સંપત્તિઓ ભૌતિક સંસાધનો નથી અને તેને આધારે સરકાર બળજબરીથી તેનો કબજો લઈ શકે નહીં. બંધારણની કલમ 39(બી) સામુદાયિક સંપત્તિને જાહેર હિતોમાં વિતરણની વાત કરે છે. એનો અર્થ એવો નથી કે બધી જ ખાનગી સંપત્તિઓ સામુદાયિક સંપત્તિ તરીકે જોઈ શકાય. આ સંદર્ભે મુખ્ય ન્યાયમૂર્તિએ વધુ ફોડ પાડતા જણાવ્યું છે કે ખાનગી સંપત્તિ સાથે સંકળાયેલી 16 અરજીઓ પર સુપ્રીમે ચુકાદો આપ્યો છે. આ ચુકાદો ઐતિહાસિક જ નથી, સમાજવાદી વિચારને તેણે આયનો પણ બતાવ્યો છે. સુપ્રીમનો આ ચુકાદો સમાજવાદી અને વામપંથી વિચારકોને આંચકો આપનારો પણ છે, જે એમ માને છે કે ગરીબી અને અસમાનતા ત્યારે જ દૂર થઈ શકે જો સરકાર સંપત્તિનું વિતરણ કરવામાં સક્ષમ હોય અને એને એ અધિકાર હોય કે તે કોઇની પણ સંપત્તિ કબજે લઈ શકે છે. 

પોતાના ચુકાદાથી સુપ્રીમે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય શાસન વ્યવસ્થામાં સમાજવાદી રીત-રસમો અપનવવાનું જે કામ થયું તે નિરર્થક હતું. દુનિયાનો અનુભવ તો એ જ કહે છે કે જે દેશોએ લોકોની ભલાઈ માટે આત્યંતિક સમાજવાદી વિચારસરણી અપનાવી તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો. આ ચુકાદાથી હવે એ શંકા પણ ન રહેવી જોઈએ કે શું સામુદાયિક સંપત્તિમાં જશે ને શું નહીં? હકીકત તો એ છે કે કોઈ પણ વિચાર કે રીતિ-નીતિ, દેશ-કાળ અને પરિસ્થિતિને અનુરૂપ અપનાવવાનાં રહે. સમય સાથે બદલાવું એ સમયની માંગ છે, તો એ જ પ્રગતિનો આધાર પણ છે. 

સુપ્રીમના ત્રણે ચુકાદાઓ ભૂતકાળને જ નહીં, ભવિષ્યને પણ લક્ષ્ય કરે છે એ ભૂલવા જેવું નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 નવેમ્બર 2024

Loading

...102030...363364365366...370380390...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved