Question-poems – પ્રશ્નકાવ્યો
૧
કહો મને : ગુલાબ નગ્ન છે કે
એ જ એનું વસ્ત્ર છે?
૨
વરસતા વરસાદમાં ઊભેલી ટ્રેન જેટલું
દુ:ખી આ દુનિયામાં છે કોઈ બીજું?
૩
હું મરી જાઉં ને મને એની ખબરેય ન પડે,
તો હું કોને પૂછીશ કે કેટલા વાગ્યા છે?
૪
તો એ સાચું ન્હૉતું કે
ઈશ્વર ચન્દ્રમા પર રહેતા હતા?
૫
એક દિવસમાં કેટલાં હોય છે અઠવાડિયાં
ને એક માસમાં કેટલાં હોય છે વર્ષ?
૬
તરબૂચને વધેરી નાખો પછી
એ કોની સામે હસે છે?
૭
ગરીબો ગરીબ મટી જાય કે તરત
સમજી જતા કેમ નથી?
૮
તારા સપનામાં વાગે એવી ઘંટડી
તને ક્યાં મળે ભલા માણસ?
૯
સૂર્ય અને નારંગીઓ વચ્ચે
રાઉણ્ડ મીટર્સમાં કેટલું અંતર હશે?
૧૦
પોતાથી તપ્ત પથારીમાં સૂર્ય
ઊંઘી જાય છે, પછી, એને જગાડે છે કોણ?
૧૧
એ શું સાચું છે કે વિષાદ સદા ઘન
પણ વિષાદી જન સદા પાતળાં?
૧૨
દરેક માણસ માટે ૪
શું એ જ ૪ હોય છે?
૧૩
મારું બાળપણ મર્યું એ જ વખતે
અમે બન્ને કેમ ન મરી ગયાં?
= = =
(ક્રમશ:)
(Sep2001 – 26Jan25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



બાળકને વહેલે શીખવવાની દષ્ટિએ શિક્ષક મારે છે પણ મારથી તેની બુદ્ધિનું ઢાંકણ બંધ થઈ જાય છે. માર મારવો એ બુદ્ધિ ખીલવવાનો રસ્તો નથી. આવું જ જીવનમા અનેક વાર બનતું હોય છે. જે રસ્તે જવું છે તેની શરૂઆત સાધન છે;
ગુંગા પહેલવાન તરીકે જાણીતો થયેલો વિરેન્દ્ર સિંહ યાદવે નાની વયે જ કુસ્તીના દાવપેચ ચાલુ કરી દીધા હતા. કુસ્તીમાં દિવસે ને દિવસે કાબેલિયત પ્રાપ્ત કરનારા ગુંગા-પહેલવાને અખાડાની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને સતત જીતતો રહ્યો. એ જ્યાં પણ કુસ્તી લડવા જાય ત્યાંથી જીતીને આવતો.
વરસો પહેલાં અમદાવાદના દિગ્દર્શકો વિવેક ચૌધરી, મિત જાની અને પ્રતીક ગુપ્તાએ ‘ગુંગા પહેલવાન’ વિશે જાણ્યું હતું. એમનાં સંઘર્ષની પ્રેરણાદાયી વાતથી પ્રેરાઇને તેમણે ડૉક્યુમેન્ટરી બનાવવાનું નક્કી કર્યું હતું. વિવેક ચૌધરીએ એના વિશેનો એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો ત્યારથી ડૉક્યુમેન્ટરી બનાવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો.