Opinion Magazine
Number of visits: 9554855
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય રાષ્ટ્રવાદના સામાજિક અને સાંસ્કૃિતક પાસાઓનું મનોવિશ્લેષણ

એમ.એન. રોય|Opinion - Opinion|13 April 2016

(એમ.એન. રોયે સને ૧૯૩૧થી ૧૯૩૬ના પોતાના જેલ સમય ગાળામાં જે જુદા જુદા વિષયો પર પોતાના ચિંતનાત્મક લેખો લખ્યા હતા, તેમાંનો અગત્યનો લેખ ભારતની રાજકીય આઝાદી પછી સામાજિક અને સાંસ્કૃિતક આઝાદી કેવી રીતે પ્રાપ્ત કરવી તે હતો. ઉપરના લેખની વિગત પ્રો. જયંતી પટેલ અને પ્રો. દિનેશ શુક્લ દ્રારા અનુવાદ કરેલ પુસ્તકના પ્રથમ પ્રકરણમાંથી લીધેલા છે. પુસ્તકનું મૂળ અંગ્રેજી નામ Essence of Royism by Prof. G.D. Parekh અને ગુજરાતીમાં તેનું નામ “રોય વિચાર દોહન” છે. ગુજરાતી પુસ્તકનું પ્રકાશન – યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ ૩૮૦ ૦૦૬, કરેલ છે.  − બિપીનભાઈ શ્રોફ, તંત્રી, “માનવ વાદ”.)

રાષ્ટ્રીય આઝાદી એ ભારતમાં રહેતા  કરોડો સ્ત્રી–પુરુષો માટે સામાજિક, સાંસ્કૃિતક પ્રગતિ અને વિવેકબુદ્ધિ આધારિત સ્વાયત્તતા સિદ્ધ કરવાનું એક માત્ર સાધન છે. પણ રાષ્ટ્રીય આઝાદીને જ સ્વયંમેવ ધ્યેય ગણીને  તે સિદ્ધ કરવા સારુ સ્વાતંત્ર્યના વ્યાપક ખ્યાલ સહિત બીજા બધાનો ભોગ આપવાનો હોય તો સ્વાતંત્ર્યનું જે મુક્તિદાયી મૂલ્ય છે, તે ખુદ જ શંકાસ્પદ બની જાય. ખરેખર તો આવી રાષ્ટ્રીય આઝાદી માટની ઝનૂની, આક્રમક હાકલો એ સ્વાતંત્ર્યની વ્યાપક વિભાવનાનો જ નકાર ગણાય. રાષ્ટ્રીય આઝાદી માટેની ઝનીની હાકલોને કારણે ભારત સ્વાતંત્ર્ય તરફ આગેકૂચ કરી રહ્યું હોય તેમ લાગતું નથી. એથી ઊલટું તેણે ફાસીવાદને પોષણ આપે એવા વાતાવરણને જન્મ આપ્યો છે. આપણા દેશનું રાષ્ટ્રવાદી રાજકીય વાતાવરણ અને તેની સામાજિક તથા સાંસ્કૃિતક પરંપરાઓ ફાસીવાદ માટે ફળદ્રુપ ભૂમિકા પૂરી પાડે છે. આ હકીકત પ્રત્યે આંખમીંચામણાં કરવાં એનાથી વધુ મોટી ભૂલ કે વધુ મોટો ખતરો બીજો એકે ય નહીં હોય …..

આ હકીકત માનવ જાતના કોઈ પણ સમાજને લાગુ પડે છે.આ અમુક પ્રકારના મધ્યયુગી માનસની પેદાશ છે. સામાજિક ઉત્ક્રાંતિના અમુક તબક્કે જોવા મળતી એ એક સાર્વત્રિક ઘટના છે. ભારતમાં ફાસીવાદના ઉદયમાં મૂળભૂત રીતે ફાળો આપનાર એક પરિબળ તરીકે  જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે આપણામાંના ઘણા લોકો આવું માનસ ધરાવે છે એમ સૂચવવા માંગીએ છીએ. આવું મધ્યયુગી માનસ વ્યાપક અને હકારાત્મક અર્થમાં સ્વાતંત્ર્યનો વિચાર કરી શકતું નથી. તેથી આવું માનસ સંયુક્ત કુટંબ અને સામંતશાહી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાંથી વ્યક્તિઓને મળતી સલામતીની લાગણીથી છૂટા પડી ગયેલા (વિચ્છેિદત) એવા એકાકી. નિ:સહાય લોકોની બિહામણી અવસ્થા તરીકે  સ્વાતંત્ર્યને ખપાવવાના પ્રત્યાઘાતી તત્ત્વોના હાથમાં એક સરળ સાધન બની બેસે છે. આવા સમાજમાં સ્વાતંત્ર્યને અનૈતિક, અધાર્મિક, નાસ્તિક, ઇશ્વરના ઈન્કાર તરીકે વર્ણવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં ઈશ્વરી કે દૈવી સત્તા પર જ પારંપારિક રીતે આધાર રાખતા સમાજમાં વ્યાપક અને વિધાયક અર્થમાં સ્વાતંત્ર્યનો ખ્યાલ બિલકુલ અસ્વીકાર્ય બની રહે એ દેખીતું છે.

ભારતના લોકોની જે નાની લઘુમતી સામાજિક અને સાંસ્કૃિતક રીતે તેમ જ સમયાનુક્રમે  વીસમી સદીમાં જીવે છે, તેમાંના લોકો પણ પ્રત્યાઘાતી, આક્રમક રાષ્ટ્રવાદને પોષક એવા બહુજન સમાજના માનસના જબરજસ્ત દબાણ હેઠળ નમતું જોખે છે. આપણે એ રખે ભૂલીએ કે આવી ઝનૂની આક્રમક રાષ્ટ્રીયતા એ જાતિ અગર વંશીય ધિક્કારની જ એક પ્રકારની અભિવ્યક્તિ છે. અને એમ એક અર્થમાં તે લઘુતાગ્રંથિનો (ઇનફ્યોરિટી કોમ્પલેક્સ) જ આવિષ્કાર છે. …… ભારતમાં પ્રવર્તતી સામાજિક મનોદશા હજુ મધ્યયુગી છે. તો બીજી બાજુએ ફીક્કા પડતા મૂડીવાદી આદર્શો, આધુનિક શિક્ષીત ભારતવાસીને પણ આ મધ્યયુગી સામાજિક મનોદશા ભેદીને બહાર આવવાનું મજબૂત કહેવાય એવું કોઈ પ્રોત્સાહન પૂરા પાડતા નથી. દેશના લોકો આ સંક્રાંતિ સમયના સ્વતંત્રતાના ખ્યાલ વચ્ચે ત્રિશંકુની જેમ ઝોલા ખાય છે. જેઓ આધુનિક સભ્યતાને એક અનિષ્ટ ગણતા હોય, તેમને લોકશાહી સમાજવાદના માનવીય મૂલ્યો પણ કોઈ અપીલ કરી શકતા નથી. આવા લોકોની સ્પષ્ટ માન્યતા હોય છે કે જે અનિષ્ટ (આધુનિક સભ્યતા) છે તેમાંથી કશું સારું નીકળી શકવાનું નથી ……..

મનુષ્યની સ્વતંત્રતા એટલે શું?

સ્વાતંત્ર્ય એ કોઈ કલ્પનામાં રચવાનો  હવાઈ કિલ્લો નથી. માનવવાદ, વ્યક્તિવાદ અને વિવેકબુદ્ધિવાદ(રેશનાલિઝમ)ના ત્રણ મજબૂત પાયા પર સ્વાતંત્ર્ય પ્રતિષ્ઠીત થયેલું છે …….. સુખ પ્રાપ્તિના સામેના તમામ અવરોધોનો અભાવ એટલે સ્વાતંત્ર્ય. તે આપણી ઇચ્છાઓની પરિતૃપ્તિમાં રહેલું છે. તેથી સારાંનરસાંનાં, સદ્દઅસદ્દ ના અપરિવર્તનશીલ ધોરણોની સ્થાપના કરતી જડ અથવા સ્થિતિચુસ્ત નીતિમત્તા એ સ્વાતંત્ર્યની મોટામાં મોટી શત્રુ ગણાય. સ્વાતંત્ર્યના આ અર્થની જો જરા પણ કદર આપણા રાષ્ટ્રવાદને હોય તો ગાંધી તેના પયગંબર હોઈ શકે નહીં ! ……

વૈજ્ઞાનિક જ્ઞાન થકી ગતિશીલ થયેલ આધુનિક ચિંતન મનુષ્યને વિશ્વના કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત કરે છે. મનુષ્ય એ કોઈ પડદા પાછળ રહેતા કાલ્પનિક ઈશ્વરના તરંગો અનુસાર નાચતી કથપૂતળી નથી. જીવન એ અન્ય કશા સાધ્યનું સાધન નથી. જીવન એ તો સ્વયમેવ ધ્યેય છે. જીવવું અને સારી રીતે જીવવું એ જ જીવનનું ધ્યેય છે. જીવનના નાના વિવિધ આનંદો માણવા એ જ જીવવું. કુદરત ઉપર પ્રભુત્વ સ્થાપવાની અને પોતાની બધી ઈચ્છાઓ સંતોષવી, જે મનુષ્યના અસ્તિત્વની ભાગરૂપ છે, તે બંને શક્તિઓ, જ્ઞાન, મનુષ્યને આપે છે. ઈચ્છાઓની પરિતૃપ્તિમાં જ જીવનનું સાફલ્ય, જીવનનો સાક્ષાત્કાર રહેલો છે. સ્વાતંત્ર્ય એ મનુષ્યનો સર્વોચ્ચ આદર્શ છે, કારણ્ કે માત્ર સ્વાતંત્ર્ય થકી જ મનુષ્ય જીવનનો પૂરેપૂરો આનંદ માણી શકે છે. આમ સ્વાતંત્ર્ય એ જીવનસાફલ્ય, જીવનના સાક્ષાત્કાર પૂર્વશરત છે…… આત્માના ખ્યાલ દ્વારા બાહ્ય સત્તા વ્યક્તિની ચેતનામાં સત્તાના સિંહાસને બીરાજે છે. તેનાથી વ્યક્તિનાં સ્વતંત્ર, આગવા વ્યક્તિત્વનો ઈન્કાર થાય છે. કોઈ પણ ચઢિયાતી સત્તાને કબજે ન થવું એ જ તો સ્વાતંત્ર્યનું સાર તત્ત્વ છે.

….આપખુદશાહી ને રૂઢિદાસ્યતા(ટ્રેડીશનલાઝીમ)નાં ગંધાતાં સ્થગિત પાણીમાં તરણું શોધતી નિ:સહાય વ્યક્તિઓ ફાસીવાદનો સહેલાઈથી ભોગ બને છે. આ અર્થમાં રાષ્ટ્રવાદી ભારત ફાસીવાદનું આધ્યાત્મિક પિયર ગણાય. યુરોપની રણભૂમિમાંથી પરાજિત થયેલ એ જંગલી પશુ (બીસ્ટ) ભવિષ્યમાં જે ભારે ઊથલપાથલો થવાની છે એવા અત્યારના શાંત અને સહીસલામત વિસ્તારમાં ધીરે ધીરે પગપેસારો કરે એવી પૂરી શક્યતા છે. એ વિકરાળ પશુનો તેની આધ્યાત્મિક બોડમાં જ નાશ કરવો જોઈએ, જો આપણે ભારત સહિત સમગ્ર મનુષ્ય જાતિના સ્વાતંત્ર્યની રક્ષા કરવા માંગતા હોઈએ તો.

રાષ્ટ્રધર્મ એટલે શું?

આપણા રાષ્ટૃવાદીઓ, રાષ્ટ્રહિત, રાષ્ટ્રગોરવ, રાષ્ટ્રપ્રેમ કે ભાવના વગેરને નામે બડી બડી વાતો કરે છે, પણ એ બધા ભારેખમ શબ્દસમૂહો પાછળ એક નાની લઘુમતીનાં સ્વાર્થી હિતો રહેલાં છે. રાષ્ટ્રવાદના નામે ઓળખાતા રાજકીય સંપ્રદાયના જબરજસ્ત ઘેન હેઠળ લોકોનો સમૂહ એક રાષ્ટ્ર બને છે. એ સમૂહ જે વ્યક્તિઓનો બનેલો છે, તે વ્યક્તિઓની આગવી અસ્મિતોનો જ નાશ કરે છે. લોકોના નામે ઉદ્દભવતું અને સત્તા પ્રાપ્ત કરતું આ રાષ્ટ્ર લોકોના જ સ્વાતંત્ર્યનો જ નાશ કરે છે. રાજ્‌ય આખરે તો સમાજનું રાજકીય સંગઠન છે. પણ રાજ્ય એ જ રાષ્ટ્ર એવું સમીકરણ મૂકવામાં આવે છે ત્યારે આવી એકરૂપતા ઐતિહાસિક રીતે બરાબર નથી. કારણ કે તેથી તો રાષ્ટ્ર લોકોના હિતો અને સ્વાતંત્ર્યનું વિરોધી બને છે. આવી બંનેની એકરૂપતાનો ખ્યાલ જ સર્વસત્તાવાદી છે. લોકોને સામાજિક રીતે સ્વાતંત્ર્ય પ્રદાન કરનાર કોઈ સિદ્ધાંત વગરનું રાષ્ટ્રવાદી રાજકારણ એ માત્ર સત્તાલક્ષી રાજકારણ જ બની રહે છે……….

સામાન્ય લોકોને રાષ્ટ્રવાદ ધર્મની જેમ અપીલ કરે છે. તો આપણો શિક્ષિત મધ્યમ વર્ગ વિશ્વમાં ભારતે જે ‘આધ્યાત્મિક વિશ્વ ગુરુની ભૂમિકા' ભજવવાની છે તેની જબરજસ્ત ભૂરકીથી અંજાઈ ગયો છે. આપણા સામાન્ય અભણ લોકોનાં વહેમ અને અંધશ્રદ્ધા તેમ જ ભણેલ, મધ્યમવર્ગની હતાશ રંગદર્શીતામાંથી( ફ્રસ્ટ્રેટેડ રોમાન્ટીસીઝમ) પેદા થતી લઘુતાગ્રંથિને અપીલ કરીને, ધનિક લઘુમતીને પોતાની ઈચ્છાને જ ‘રાષ્ટ્રની સંકલ્પશક્તિ’ તરીકે ખપાવવામાં સફળતા મળી છે. આપણા રાષ્ટ્રવાદી રાજકારણીઓ નવી દેવીના પૂજારી બની ગયા છે. અગાઉ ‘જૂના ઈશ્વરની ઈચ્છા’ શું છે તેનું અર્થઘટન બ્રાહ્મણ અને પુરોહિતો કરતા, તેમ આજે આ નવા પુરોહિતો ‘રાષ્ટ્રમાતાની ઈચ્છા શું છે' તેના અર્થઘટન કરવાનો ઈજારો ધરાવે છે. રાષ્ટ્રીય રાજ્ય એ નવી દેવીનું મંદિર બનશે: લોકોના ભોગે આ મંદિર ચણાશે અને ત્યાર બાદ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પામેલ રાષ્ટ્રદેવીનાં ચરણોમાં સામાન્ય લોકોના( રોહિત વેમુલા જેવા : તંત્રી, “માનવ વાદ”) બલિદાનો અપાશે. રાષ્ટ્રવાદના વિજયી સંપ્રદાયના બધા લાભ ખાટનારા તે આપણા રાજકીય પૂજારીઓ હશે, જે રાષ્ટ્રદેવીના મંદિરની દિવસ–રાત ચોકી કરશે ……..

આથી, રાષ્ટૃવાદી રાજકારણ, પછી ગમે તેટલી સારી વ્યક્તિઓ અથવા રાજકીય પક્ષો દ્રારા સંચાલિત થતું હોય એ આખરે તો સત્તાલક્ષી રાજકારણ બની રહે છે. તે એવું રાજકારણ છે, જેમાં લોકોની નાની લઘુમતી, લોકોના નામે છેતરપીંડી કરીને, સત્તા કબજે કરે છે. અને એ સત્તાનો ઉપયોગ લોકોના સ્વાતંત્ર્યના અને કલ્યાણના ભોગે પોતાના સ્વાર્થી હિતો સાધવા માટે કરે છે.

….. રાષ્ટ્ર રાજ્ય વચ્ચેના અભેદ પર આધારિત રાષ્ટ્રવાદ છેવટે તો અનિવાર્ય પણે ફાસીવાદમાં પરિણમે તે દેખીતું છે. ફાસીવાદમાં રાષ્ટ્રના આધ્યાત્મિક ખ્યાલને તેની અર્થહીન પરાકાષ્ટાએ લઈ જવામાં આવે છે. તો બીજી બાજુએ ફાસીવાદ રાષ્ટ્રના ખ્યાલના સર્વસત્તાવાદી ગુણધર્મોને ( સારતત્ત્વને) સાવ ખુલ્લા કરે છે. રાષ્ટ્રનો આવો ખ્યાલ, જેમના થકી તે બનેલ છે, તે વ્યક્તિઓના અસ્તિત્વના ભોગે તગડા થતા અને તેમનાથી સાવ અલગ એવા રાજયકર્તા સમૂહનો તે ખ્યાલ બની જાય છે ……

“જે કંઈ છે તે બધું રાષ્ટ્ર માટે છે, રાષ્ટ્રની બહાર કશું જ નથી, તેની વિરુદ્ધનું તો કશું જ હોઈ શકે નહી.” – બેનિટો મુસોલિની ઈટાલીનો ફાસીસ્ટ નેતા. રાષ્ટ્રની ઈચ્છા એ લોકોની ઈચ્છા કરતાં ચઢિયાતી ગણાય. એકલી લઘુમતી ટોળકીએ યેનકેન પ્રકારે મેળવેલી રાજ્યસત્તા જ રાષ્ટ્રની ઈચ્છાને વાચા આપી શકે. “આ દુનિયા પરની ઈશ્વરની ઈચ્છા” ( એટલે રાજ્યની ઈચ્છા) પાસે બધા લોકોએ પોતાના મસ્તક ઝુકાવવા કે નમાવવા જ પડે. સામાજિક આઝાદી કે સામાજિક રાજકારણનો ખ્યાલ તો મહામૂર્ખતા છે. તે સમયે જર્મનની ગિસેન યુનિવર્સિટી( Giessen Uni- Germany Established in 1607)ના પ્રો.અર્નેસ્ટ હોર્નફેરની જેની બે વિશ્વયુદ્ધ વચ્ચેના જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે સારી ઊઠબેસ હતી અને જેણે રાષ્ટ્રવાદની આંધળી ભક્તિ કરવા જે નિબંધ લખેલો હતો તેનું મથાળું હતું કે “સમાજવાદને જર્મનઉદ્યોગનો મૃત્યુસંઘર્ષ”. તેમાં જણાવવામાં આવ્યું છે કે ‘કામદારોની આર્થિક સ્થિતિ સુધારી શકાય તેમ હું માનતો નથી. અત્યારે તેમની જે આર્થિક હાલત છે, તેનાથી તેમણે કાયમ માટે સંતોષ માનીને ચાલવું પડશે. જીવન ટકાવી રાખવા અત્યંત જરૂરી છે, તાકીદનું છે, અનિવાર્ય છે, ટૂંકમાં તેમના ખોળિયામાં જીવ ટકે તેટલી રોજી તેમને મળે છે. તેનાથી તેમને સંતોષ માની લેવો પડશે. કામદારોના આર્થિક દરજ્જામાં કોઇ મૂળભૂત ફેરફાર, આર્થિક કલ્યાણના એક જુદા સ્તરે કામદારોનો ઉદય, એ કદાપિ થનાર જ નથી. જે કદાપિ ફળિભૂત થવાની નથી એવી આ ઈચ્છા છે.”

રાષ્ટ્રવાદના આથી ઓછાં ભયંકર પરિણામો ભારતમાં આવશે એમ માનવાને કોઈ કારણ નથી. લોકોને નામે સત્તા મેળવવા તાકતા રાષ્ટ્રવાદીઓ શા માટે, કયા હેતુ માટે સત્તા પ્રાપ્ત કરવા માંગે છે, તે જાહેર કરતા નથી. કારણ કે તેઓ પોતાના ગંજીફાનાં પાનાં ખુલ્લા રાખીને પોતાની બાજી રમી શકે તેમ નથી. અને છતાં પોતે લોકોનું પ્રતિનિધિત્વ ધરાવે છે તેવો દાવો કરતા રહે છે. આમ હોવાથી તેઓ માત્ર સત્તાનું રાજકારણ ખેલે છે એમ જ કહેવું પડે છે ……. આમ રાષ્ટ્રવાદી રાજકારણનો હેતુ સમાજવિરોધી છે. લોકોનાં સ્વાતંત્ર્ય અને કલ્યાણ વિરૂદ્ધનો છે. રાષ્ટ્રીય રાજ્યના મૂળભૂત કાયદાઓ સામાજિક દ્રષ્ટિએ મુક્તિદાતા હોવાના નહીં. તેમનો ઉદ્દેશ તો સામાજિક ‘જૈ સે થે’ સ્થિતિ ટકાવી રાખવાનો જ રહેવાનો છે. રાષ્ટ્રીય રાજ્ય તો આખરે તો, સામાન્ય લોકો પર એક જુલ્મ ગુજારનાર, તેમનું દમન કરનાર, તેમને આતંકીત કરનાર એક એન્જિન જ બની રહેશે. તે એક પ્રકારનો સાચેસાચ સર્વસત્તાધીશ સરમુખત્યાર જ બની રહેશે. 

સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ એ એક મોટું હમબગ ( છેતરપીંડી) છે ––––––

સંસ્કૃિત એટલે શું? માનવી પોતાની તમામ સંભવિત શક્તિઓનો કે ક્ષમતાઓનો વિકાસ કરી શકે તે માટેનાં સ્વાતંત્ર્ય અને તક પૂરાં પાડે એવા સામાજિક વાયુમંડળોની( સોશિયલ એનવિરોનમેન્ટ) નીપજ તે સંસ્કૃિત. સંસ્કૃિતને રાષ્ટ્રવાદ સાથે સાંકળવી અને રાષ્ટ્રીય રાજ્યે લોકોની સાંસ્કૃિતક આગેકૂચમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે એમ માનવું એ, ઐતિહાસિક રીતે ખોટું છે. સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ એક મોટી છેતરપીંડી છે ……. સાચાં માનવ મૂલ્યો( જેવાં કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, સમાજિક ન્યાય, વિવેકબુદ્ધિ ને ધર્મનિરપેક્ષ નીતિ) તો સાર્વદેશીય અને સાર્વત્રિક હોય. તેના પર કોઇ ચોક્કસ વર્ગ કે રાષ્ટ્રની છાપ લાગેલી હોતી નથી. આમ તમામ સાંસ્કૃિતક યોગદાન એ સમગ્ર માનવજાતિનો સહિયારો વારસો છે …… ભૂતકાળમાં સામાજિક ઉત્ક્રાંતિના બધા લાભો પર શાસક લઘુમતીઓનો ઈજારાશાહી અંકુશ હતો …… રાષ્ટ્રનો સર્વસત્તાવાદી ખ્યાલ વ્યક્તિઓનો ઈન્કાર કરતો હોવાથી રાષ્ટ્રવાદ સાચી સંસ્કૃિતનું સંગોપન કરે એ શક્ય લાગતું નથી. સાંસ્કૃિતક મૂલ્યો સાર્વત્રિક–સર્વદેશીય હોય તેના પર કોઇ ચોક્કસ વર્ગ કે રાષ્ટ્રની છાપ લાગેલી હોતી નથી. તેથી તમામ સાંસ્કૃિતક યોગદાન એ સમગ્ર માનવજાતિનો સહિયારો વારસો છે …… રાષ્ટ્રીય બનવા માટે સંસ્કૃિતએ કોઈ ચોક્કસ બીબાંઢાળ ચોકઠામાં ઢળવું પડે. આપણા દેશમાં કહેવાતા આધ્યાત્મિક વ્યવહારો અને સમાજના શાસક લઘુમતીની ઈચ્છા તે બંનેનો આબાદ બરાબર મેળ બેસે છે. જેને આપણે રાષ્ટ્રીય સંસ્કૃિત એમ કહીએ છીએ. તેમાં કશું માનવીની વિવેકબુદ્ધિને આધારે નિર્ણય કરીને અનુસરવાનું હોતું નથી. તેમાં તો હા માં હા કહેવાની ઘેટાવૃત્તિ પ્રવર્તમાન હોય છે. આવી સાંસ્કૃિતક ગુલામી માનવીને સર્વપ્રકારે અધ:પતિત કરે છે. નૈતિક રીતે વિકૃત કરે છે અને તેની ઊર્મિલતાને ઠુંગરાવી દે છે. લશ્કરી શિસ્ત જેવી બીંબાઢાળશાહી, યાતનાઓ,વિકૃતિઓ: જ્ઞાન, વિવેકબુદ્ધિ અને ઊર્મિલતાની આવી કુત્સિકતા નામ તે રાષ્ટ્રીય સંસ્કૃિત …… જાતીય, વંશીય ને પરધર્મી ધિક્કાર એ ભારતીય રાષ્ટ્રવાદનું ચાલકબળ છે. ધિક્કાર કે ઇર્ષા જેવા હીન આવેગો કારણે સંસ્કૃિત સાથે જોડાયેલ એવી માનવવાદમાં અભિપ્રેત સાર્વત્રિકતાની ભાવનાનો તો તેમાં સાવ છેદ ઊડી જાય છે …… સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના આવા આત્યાંતિક અને રોમેન્ટીક પણ ઉપરછલ્લી રીતે નિર્દોષ દેખાતા દાવાઓએ જાતીય ધિક્કારના અગ્નિને પવન નાંખવાનું કામ કર્યું છે. બીજી જાતિઓ પ્રત્યે હાડોહાડ ધિક્કાર એ તો રાજકીય રાષ્ટ્રવાદની અમૂલ્ય મૂડી કે અસ્કયામત છે.

સૌજન્ય : “માનવ વાદ”; વર્ષ – 3; અંક – 22-23; માર્ચ-અૅપ્રિલ 2016; પૃ. 11- 13 

Loading

How Communalism Divides the Nation?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|13 April 2016

How Communalism Divides the Nation?

Dictate to Chant ‘Bharat Mata Ki Jai’ as an Example !

Today in India the gulf between religious communities is widening at a rapid pace. The ‘Hate other ideologies’ abound and are percolating down to the social levels at dangerous pace. As such India is a plural, multi-religious society, where diverse people have been living together for centuries. The Ganga Jamuna Tehjeeb, the mixed culture present in our society gets manifested in its food habits, dressing pattern, celebrations, festivals and religious traditions. These show how over a period of centuries the people of different communities have been adopting to each other in the spirit of ‘Vasudhaiv Kutumbakan’ (Whole World is my family) and ‘Love thy Neighbor’. While ethnic strife was there; the violence in the name of religions, Hindu-Muslim-Christian was conspicuous by its absence. The sectarian strife: Shaiv-Vaishnav, Shia-Sunni was there but the social scenario was by and large marked by amity. The highest points of these interactions can be seen in the traditions like Bhakti, Sufi and even the coming into fore of a new religion Sikhism and a new language: Urdu.

The problem begins with the British colonial period when the rulers adopt the policy of ‘divide and rule’ and in pursuing that policy they introduce communal historiography where the focus of history becomes Kings’ religion and selective picking up of points related to temple destructions, forcible conversion, taxation policies and atrocities on women, become the ground for spreading hatred. This hatred is the foundation on which violence is based. India comes to become a nation through its struggle against colonial powers and during the formation of this nation large sections of population are included in the newly forming India on the grounds of Liberty, Equality Fraternity. The Indian nationalist streams reject the British presentation of communal historiography and base their understanding on National historiography, one of the manifestations of which comes in Gandhi’s Hind Swaraj, where he talks of inclusive character of different rulers of the past, cutting across the religious boundaries.

In contrast to Gandhi-Indian nationalists, the communalists take up the divisive communal history and adopt it to suit their narrow goals of Muslim Nation or Hindu nation. The Muslim League presents the case as if India (rather sub continent) was being ruled by Muslims so British should hand over power to Muslims. Hindu Mahasabha-RSS presented the ideology of this land being a Hindu Nation from times immemorial. Here the pattern of production, hunter society, nomadic society, agricultural society with kingdoms and the then society with changes of Industrialization are glossed over and a lineage of present Hindu society with hunter-nomadic communities is presented to claim the ruler ship, as being the original inhabitants of the land. Hindu kings-Hindu society is presented as an ideal, trouble free society which gets problems due to Muslim invasion, so need to bring back Hindu nation becomes the agenda of Hindu Mahasabha-RSS.

These communal streams, the one’s vouching for Muslim nation or Hindu nation, had no interest in the problems of ‘people’, the dalits, adivasis, women or workers. Their focus was the interests of lineages of earlier rulers, the landlords, Kings in whose times the birth based hierarchies, operating at political, social and gender level were the basic hallmarks of society. They began a double ideological battle. On one hand to demonize the kings of ‘other’ religion-glorify the rulers of their own religion and two to present the birth based hierarchies in a glorified manner.

Their social reach was limited but they started spreading their version of History and promoting the hatred for other community. This was at a time when National movement was uniting the people cutting across the boundaries o religion, caste, region and gender. The communalists took up emotive issues, music before the mosque, pig-cow in their sacred place, creating nuisance when others have religious festivals and so on. The hatred forms the basis of violence and consequently polarization in the society. While we have seen the intensification of this polarization during last few decades, we have also seen a gradual rise in the intensity of hatred against some and insecurity among those who are being made the object of hate around many issues. Be it cow slaughter, temple destructions, forcible conversion, ‘our women’ being subjected to atrocity, global terror and what have you. Now a new emotive issue has been thrown up very recently, its fresh from the Bakery, so can serve a good example of understanding the anatomy of construction of object ‘Hate’ , demonization of the ‘other’.

RSS Sarsanghchalak, Mohan Bhagawat (March 2016) gives a statement on his own that ‘the time has come to ask the new generation to chant ‘Bharat mata ki Jai’ ‘ (BMKJ). This acts like letting loose the cat among the pigeons. For being ‘politically correct’, he later says that nobody should be forced to chant this slogan. As if on a cue, while it was not necessary to respond to this unwarranted, communal intervention by Bhagwat, Asaduddin Owaisi supplements the game by saying that he will not chant this slogan even if a knife is put on his throat. At the same time he says that he has no problem in saying Jai Hind. In the talk shows which follow the RSS-BJP spokespersons deliberately begin the story with Owaisi, forgetting the statement by Bhagawat. In a holier than thou spirit Javed Akhatar chants the same slogan thrice to win the kudus from the sectarian and many other elements.

To take the story further, and this shows how such emotive issues are constructed, Congress-NCP, trying to play the role of B team of Hindutva, against the prevalent laws of the land, asks for suspension of Waris Pathan (Owaisi party) who refuses to chant the slogan; from Maharashtra Assembly. Communal politics of RSS combine has a good back up in these so called secular parties like Congress-NCP so to say. Then steps in Devendra Fadanvis, Maharashtra Chief Minster, one brought up on the ideology of Hindu nationalism: RSS. This gentleman has been brought up more on ‘Bunch of thoughts’ of Golwalkar rather than the values of Indian Constitution. He does not want to know about the values of Indian Constitution despite being a Chief Minster.  Taking further his mentor Bhagwat’s statement he asserts that those who do not chant this slogan (BMKJ) have no right to live in India! So India of 125 Crore has now has an ideology and its soldiers are out to maul the Indian Constitution. To take the matters to the streets and community comes in RSS fellow traveler, Baba Ramdev. He picks up from Owaisi and blurts, ‘If no law would have cut the heads of those who don’t say Bharat Mata Ki Jia’

While many of these worthies now will be trying and explaining their outpourings towards and acceptable language, the damage has been done. The communal force is now equipped with one more weapon to consolidate its social and electoral base. My earlier article on the topic explains as to how BMKJ can be a voluntary for those who want to chant it and it is equally OK if someone does not chant it. With Ramdev’s statement one more emotive issue has been constructed ‘successfully’. Celebrations may be on among those who want to distract the attention from the problems of Bharat Mata of Jawaharlal Nehru (125 crore people of India), the problems of dalit students (Rohith Vemula) the problems of University autonomy, (Kanhaiya Kumar), the problems of farmers suicide, the rising prices, lack of employment generation and what have you.

It’s time that the India wakes up to realize the game of communal forces and vow not to fall prey to their machinations around such slogans or other emotive issues which are manufactured by them on regular basis and are pulling us back on the scale of Indian nationalism.

–

Key words

#Baba Ramdev #cutting heads #hate speech  Bharat Mata ki Jai #emotive issues # Hindutva  # Mohan Bhagwat # Indian Constitution #Maharashtra CM # Waris Pathan # Owaisi

Loading

સંબંધ

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|13 April 2016

લાભા સરપંચે બોલાવેલી સભા પૂરી થતાં જ ચોકમાં બેઠેલા બધા ઉઠવા માંડ્યા. અંદરોઅંદર ઘુસપુસ ચાલુ થઈ ગઈ. ગોરખપુરના ગામલોકોની સભામાં આજે ગરમાગરમી થઈ હતી. અનાવૃષ્ટિનો માર સહન કરી કરીને એક સમયની હરિયાળા ખેતરોવાળી જમીન હવે બિનઉપજાઉં થઈ ગઈ હતી. જમીનમાં ઠેર ઠેર ચીરા પડ્યા હતા. સુક્કા ખેતરો છોડીને ઘણા ખેડૂત પરિવારો શહેરે નશીબ અજમાવવા નીકળી ગયા હતા. ગામમાં બાકી રહેલા પરિવારોનાં પુરુષો અને સ્ત્રીઓ આજુબાજુના ગામના માલધારીઓને ત્યાં નાની મોટી મજૂરી તેમ જ ઘરકામ કરી થોડું ઘણું કમાઈ લાવતા જેના ઉપર એમના કુટુંબો નભતાં. ક્યારેક કમાણી ન થાય તો ફાકા જ થતા. આના પરિણામે પરિવારમાં ઝઘડાઓ તેમ જ કુટુંબોમાં આપસ આપસમાં નજીવી વાતોમાં ડાંગો ય ઉછળી જતી.

સભાને અંતે શહેરીઓને ખેતરો વેચી દેવાનો જ નિર્ણય લેવાયો. ગામનું અસ્તિત્વ જ ખલાસ થાય એવા પ્રચંડ ભણકારા  વાગી ચુક્યા હતા. ગામનો ઇતિહાસ બદલવા જઈ રહ્યો હતો. 

'બહુ માઠા સમાચાર છે, બાપુ,' પરસેવે રેબઝેબ  એવા બાબુ વેસ્તાએ ડેલીમાં પ્રવેશ કયો. 

'કાં …?' ગાભા પટેલ ઓટલે આવ્યા. એમણે પટલાણીને કળશિયો લાવવા ઈશારો કર્યો. 

'લાજપોરનો પેલો ગભો પટેલ ..'

‘ગભો …?'

'પેલો સરકારી મદદ માટે કલેકટર કચેરી પાસે આમરણાંત ઉપવાસ પર જવાનો હતો એ ..'

'અરે હા, ઓળખ્યો, તેનું શું …?'

'આજે ઝાડે લટકી ગ્યો …'

'નો' ય ..' લાભો પટેલ ચોંક્યા. કળશિયો લઈને આવતી પટલાણી પણ  સ્તબ્ધ  જ થઈ ગઈ !

'એની ઘરવાળી  ને  બે  છોડિયું ય લટકી ગઈ ….'

'અરે ભગવાન ..' કહેતા લાભા પટેલ લમણે હાથ દઈ ઓટલે જ બેસી પડ્યા. જાણે એમના માથે વીજળી જ ત્રાટકી. 

આ સમાચાર ખરેખર ખૂબ જ ચોંકાવનારા હતા. 'હવે શું થશે?'ની ચિંતા લાભા પટેલને ઘેરી વળી. 

'ભાયગ જ ફૂટ્યા છ ખેડૂતના .. અને સરકારને આંખ, કાન, જીભ છે જ ક્યાં? ' કહેતાં પટલાણીએ બાબુ વેસ્તા આગળ કળશિયો મુક્યો. 

શહેરીઓ સાથેની વાટાઘાટ આડે માંડ થોડા કલાકો જ હતા. ત્યાં એક જ પરિવારના ચાર જણ ઝાડે લટકી ગયાંના સમાચાર સહુને વિહ્વળ કરી નાખે એવા હતા. 

લાભા પટેલે કોઠાસૂઝ વાપરીને આવતી કાલની સભામાં ડાંગો ન ઉછળે તે કાજે પોલીસ પટેલને પણ હાજર રહેવા તાબડતોબ કહેણ મોકલાવી દીધું. 

દિવસ ઢળતો જતો હતો. 

ઓટલે બેસી હરિયાએ સુક્કાં પાનની બીડી વાળી. પછી એમાં ક્ચરેલાં સુક્કા પાંદડાનો ભૂકો નાખી તે સળગાવી. 

'હવે ફેંક તારી બીડીને' કહેતી માટીના શકોરામાં એક રોટલો, ચપટી મીઠું અને કાંદાની ચાર કટકી  લઈને જશી પણ ઝૂંપડીની અંદરથી બહાર આવી.

હરિયાએ છેલ્લો દમ મારી બીડીનું ઠુંઠું હેઠે ફેંક્યું. પછી રોટલાનું બટકું ભરવા બંને ખાટલે બેઠાં. તાપમાં રમી રમીને થાકેલો ગુરિયો રોટલો ખાધા વિના જ સુઈ ગયો હતો. 

'હું થ્યું …?' જશીએ રોટલાનું બટકું ભરતાં આજની સભા બાબતે હરિયાને પૂછ્યું. 

'શે'રવાળા કાલ આવવાના છે' કાંદાની કટકી મોંમાં મુકતાં હરિયો બોલ્યો. 

'ખેતર જોવા? '

'બધાએ ખેતર વેચી રોકડા જ લઇ લેવા છે …'

એ સાંભળી જશીને હતાશા ઘેરી વળી. 

'તું હું વિચાર છ ?'

'ગભો તો  ગયો … ને સુખી થયો’ ..'

જશી ચુપ હતી. 

હરિયાએ થોડું પાણી પીધું પછી કળશિયો જ્શીને ધર્યો અને ખાટલે લંબાવ્યું.

ભારીખમ ક્ષણો વહેતી હતી. બે ભૂખ્યા પેટમાં એક રોટલો વહેંચાઇ ગયો હતો. પાણી પીને જશી પણ એની બાજુમાં જ ખાટલે લાંબી થઈ. કાલની ગામસભામાં જવાનો એણે પણ મનોમન નિર્ણય કરી જ  દીધો. ચુપ ક્ષણો વહેતી હતી ….

'ગુરિયાએ આજે મને એક સરસ વાત કરી હોં  ….' જશીએ ચુપકીદી તોડતાં હરિયા સાથે વાત શરુ કરવા પ્રયાસ કર્યો. 

'શું ?' 

'મને કે' ક હું ય ખેતી કરીશ  ….' 

એ સાંભળી હરિયો તો લાગલો બેઠો જ થઈ ગયો !

'એવું ગુરિયાએ કીધું?'

'એ … હા, કેવું હારું હારું લાગ્યું … નૈઇ..?'

હરિયો ચુપ રહ્યો. ફરીથી સન્નાટો છવાઈ ગયો. 

હરિયાનો આંતરિક વલોપાત જશી સમજવા મથતી હતી. 

સાંજ ઢળી ચૂકી હતી. બહાર હળુ હળુ પવન શરુ થયો.  દખ્ખણ તરફથી કાળાં ડીબાંગ વાદળો ધીમા પવનમાં આવવા માંડ્યા.  અસ્તાચળ તરફ ગયેલો સૂરજ ધીમે ધીમે ઢંકાવવા માંડ્યો. પછી તો  વાદળી  ધબાકાઓ પણ ધીમે ધીમે શરુ થયા.  ડરીને જાગી ગયેલો અણસમજ ગુરિયો રોવા માંડ્યો. હરિયો અને જશી પણ બહાર આવ્યાં. વીજ ચમકવા લાગી. હવામાન બદલાયું હતું. ઘરોમાંથી બહાર આવી લોકોએ આકાશ ભણી નજર કરી. બધાના ચહેરે આનંદ ડોકાયો. તડકે સૂકવવા નાખેલાં છાણાં અડાયાં ટોપલે લેવા સ્ત્રીઓ  હોંશે હોંશે દોડી. ચારેકોર શરુ થયેલ કુદરતી સંગીત સાથે જનજીવનમાં ય ચહલપહલ શરુ થઈ. શોર થયો, મસ્તી જામી. આબાલવૃદ્ધ સહુની આંખો આકાશે મંડાઈ. હરેકના મનમાં આશા જન્મી. આંખોમાં ચમકારા થયા, હોઠે સ્મિત ડોકાયાં. બાળકો આંગણામાં દોડી ગયા. ગુરિયો પણ આ નવાઈનું વાતાવરણ ચકળવકળ આંખોએ જોવા લાગ્યો. ઘનઘોર વાદળો છવાયા. તેવામાં વીજળીનો એક વધુ ચમકારો થયો અને વાદળોના ગડગડાટ ભેગી બાળકોની ચિચિયારીઓ પણ વધી. જોરદાર ઠંડો આહ્લાદક પવન પણ શરુ થયો … લોકો ઘરોના ઓટલેથી ઉતરીને હવે બહાર રસ્તા ઉપર દોડી આવ્યા. કુદરત કરવટ બદલી રહી હતી. ઝીણા દાણેદાર છાંટાં પણ ધરતી ઉપર પડવાના પછી તો  શરુ થયા. છમ છમ છમ નું .. ઉત્સવી સંગીતમય વાતાવરણ જામી જ ગયું. તમામ કામ છોડીને ગોરખપુરના આબાલવૃદ્ધ સહુ ખુલ્લા આકાશતળે અલભ્ય એવો ભીનાશનો શારીરિક સ્વર્ગાનુભવસમ સ્પર્શ પામવા  દોડ્યા …. નાગાપૂગાં બાળકો નાચવાં માંડ્યાં. 

‘ગુરિયા … અહીં આવ ……' એક ટેણિયાએ બૂમ પાડી. અને ગુરિયો ત્યાં લાગલો દોડયો. કાગળના ડૂચા શોધી લાવી બાળકો ઉત્સાહભેર કાગળની હોડી બનાવવા માંડ્યા. ઘણાં લાંબા સમયગાળા બાદ આવું વરસાદી ખુશનુમા વાતાવરણ આજે ગોરખપુરના આકાશમાં સર્જાયું હતું ! ઘણી આંખો ભીની થઈ, …. પ્રફુલ્લિત હૈયે લોકો નાચતાં હતાં.

મારું મન મોર બની થનગાટ કરે ….. મન મોર બની થનગાટ કરે …. રંગત જમવા માડી હતી … થનગાટ થવા માંડ્યો હતો …

છમ …. છમ … છમ ….. ટપ ટપાક ટપ …

કુદરતી સંગીત જામવા માંડ્યું. ઘણાં વખતથી ખીંટીએ ટીંગાઈને ધૂળ ખાતું ઢોલ લેવા ગણપત એની ઝૂંપડીએ  દોડી ગયો. 

સૌ ઉત્સવી ઘેનમાં ગળાડૂબ ખોવાયા હતા. ચારેકોર હરખશોર હતો. આકાશેથી સહુની નજર હટીને ભીની થતી ધરા તરફ ગઈ. ધરતી પલળવા માડી હતી. છબછબિયા કરવાનો રાજીપો મળવાનો હતો ને !!! સહુ મસ્ત હતા. 

થોડી ક્ષણો બાદ ….

કોલાહલ ઓછો થવા માંડ્યો, વાદળી ગડગડાટ ગયો, છાંટા બંધ થઈ ગયા, છમ છમ અને ટપ ટપક ટપ થતું સંગીત ધીમે ધીમે ગયું. બાળકો નાચતાં અટકી ગયાં. ભૂલકાંઓના હાથમાં કાગળની હોડીઓ એમની એમ જ રહી ગઈ .. શું થયું એ કોઈને ખબર જ ન પડી ..  ગાંડોતુર વહેતા થયેલા પવને પાણી ભરેલા એ બધા વાદળોને પછી તો લાજપોરની દિશામાં જ ધકેલી દીધાં અને સરી જતા આછા આછા વાદળોની પાછળથી હળવેકથી સૂરજે જ્યારે એનું આખું ડોકું બહાર કાઢ્યું, ત્યારે જ ઉત્સવઘેલાઓને પરિસ્થિતિ બદલાયાની જાણ થઈ !!! વાદળો ગયાં. આકાશ દેખાયું. પવન શમ્યો .. ધરતી માત્ર પલળી પરંતુ છબછબિયા ન થયાં !  હોડીઓ તરી નહીં. રંગમાં ભંગ પડી ગયો. સૂરજ હવે  ફરીથી પૂર્ણ રૂપે પ્રકાશી  ચૂક્યો હતો. … પળવારમાં જ બધું બદલાઈ ગયું. ગોરખપુરનાં ઉત્સવી વાતાવરણમાં એકદમ સોપો પડી ગયો. મોં સુધી આવેલો કોળિયો જાણે ઝૂંટવાઈ ગયો !!  જળભર્યાં વાદળો હવે દૂર નીકળી ગયા હતાં … કુદરતી સંગીત ગયું … સહુએ મરશિયા જેવા  નિહાકા નાખ્યા .. બાળકો રડ્યાં, આબાલવૃદ્ધોની ભીની આંખો કુદરતને જ કોસતી  રહી …

ઝૂંપડીની અંદર જતી જશીએ નિસાસો નાખ્યો, 'ગાજ્યા મેહ વરસે નહીં ….'

માથે હાથ દઈ ઓટલે બેઠેલ હરિયાથી પણ રે'વાયુ નહીં જ 'ખરો નફફટ! ગાજ્યો ગોરખપુરમાં અને વરસ્યો લાજપોરમાં !'

હવે અંધારું થઈ ગયું હતું. ચોગરદમ શાંતિ હતી. નિરાશ ચહેરે હરિયો ખેતરમાં નીકળ્યો. એના મનમાં જબરો કોલાહલ હતો. ભીની થયેલી ક્યારીની માટીમાંથી આવતી મીઠી સોડમ એના હૈયાને ટાઢક આપતી હતી. ઊંડા ઊંડા શ્વાસ ભરીને તન અને મનને માટીની મીઠી સુગંધથી તરબતર કરતો એ બેઠો. જમીનમાં પડેલી તિરાડોને એણે સ્પર્શ કર્યો. જાણે કોઈ ઘાને રૂઝવવાનો પ્રયાસ કરતો હોય એમ જ! મન ભરીને ત્યાં આળોટવાની એને ઈચ્છા જાગી. ખેતરમાં એ ચત્તોપાટ  લાંબો થયો. ખુલ્લા કાળા આકાશમાં નજર માંડી.  આ ખેતરમાં  રમીને  જ તો એનું બાળપણ વીત્યું હતું ને !  એ બાળપણની યાદોમાં પછી તો હરિયો ખોવાયો.

'તમે એ  શું  કરતા ‘તા ..?' પગરખાં કાઢી વાડીમાં દાખલ થતા જ વલ્લભ બાપાને આંખો બંધ કરી બે હાથ જોડી વાંકા વળી ધરતીને પગે લાગતા નાનકડા હરિયાએ એકદા' જોયાં કે તરત એમને પૂછ્યું હતું. 

'આ ધરતી તો આપણી મા  છે, સો દાણાના હજાર દાણા કરીને એ આપણને પાછા આપે છે, એને નમીને પછી જ બીજાં બધાં કામ કરવાના.' એમ ત્યારે બાપાએ એને હળવેથી સમજાવેલું. 

બસ, ત્યારથી આ વાત હરિયાના મગજમાં બરાબર ગોઠવાઈ ગયેલી. એટલે ખેતરમાં જતા આવતા ખેતરને પગે લાગવાનો એણે પણ ત્યારથી નિયમ બનાવી જ દીધો. પછી એનો એ નિયમ એટલો તો વિસ્તર્યો કે મિત્રો સાથે ખેતરમાં એ લુકાછુપી રમવા જાય ત્યારે ય એ ખેતરને નમીને પછી જ રમવાનું ચાલુ કરે ! હરિયાને આવું કરતા જોઈને એના જેવા બીજા ટેણિયાઓએ પણ આ નિયમ અપનાવી જ દીધેલો. જ્યારે વલ્લભબાપાને એમના આ નાટકની જાણ થઈ ત્યારે એ ખૂબ ખડખડાટ હસેલા.

ગાય, બળદને ખીલેથી છોડવાના કે બાંધવાં જેવાં નાનાં નાનાં કામના બદલામાં ગોળની ગાંગડી મેળવવા તે વખતે હરિયો પણ હોંશે હોંશે એને સોપાતાં બધાં જ કામ કરતો. ચારે તરફ ખેતરમાં પણ ત્યારે કેવી સુંદર હરિયાળી હતી. પવનમાં ડોલતા પાક સાથે અડપલાં કરતાં કરતાં બાળમિત્રો સાથે લુકાછુપી રમવાની કે નાના હાથો વડે નીકોમાં પાણી વહેતું કરવાની તેમ જ વરસાદમાં ભીના ભીના થઈ પલળવાની પણ કેવી ગમત પડતી હતી ત્યારે ! મોલની વચમાં સંતાયેલા ભેરુઓ જ્યારે આંખે ચડતા નહીં ત્યારે એમની હલનચલનથી થતા અવાજ સાંભળી એમને પકડવાનું કાશીમાએ જ તો હરિયાને શીખવેલું! … અને પછી બાપાને દૂરથી આવતા જોઈને ખેતરમાં કેવી ભાગમભાગ થઈ જતી !   

'હું ય મોટો થઈને ખેતી કરીશ,' એક વાર એણે બાપાને  કહ્યું  હતું અને ત્યારે વલ્લભબાપાએ એના બરડે હાથ ફેરવીને એનું શેર બશેર લોહી વધારી જ દીધેલું ! અને વળી કાશીમાએ તો ત્યારે એને તરત છાતી સરસો જ લગાવી દીધેલો. 'ખમ્મા મારા દીકરા' એટલું કહેતાં તો એમની આંખે ઝળઝળિયાં જ આવેલાં!  

હરિયો વિચારતો જ રહ્યો . 

'ઊભો રહે, લ્યા, ઉતાવળો ના થા' વલ્લભ બાપાએ એને  કહ્યું હતું. 

'ધરતીને પહેલા પગે લાગ, પછી ઘોડીએ ચડ', અને હરિયો પણ તરત ખેતરને પગે લાગ્યો હતો અને ત્યારપછી  જ વલ્લભ બાપાએ હરિયાની જાન પણ કાઢી હતી. તેવી જ રીતે પૈણીને આવ્યા બાદ પણ વરઘોડિયાએ આખા ખેતરમાં પહેલાં ફરીને સ્પર્શઆશિષ લઈને તે પછી જ ઝૂંપડીમાં પ્રવેશ કર્યો હતો. 

આ બધું યાદ આવતાં એની આંખો ભીની થઈ. ખુલ્લા આકાશ તળે ભાવ વિભોર બની એ ક્યાં ય સુધી લાંબો થઈ રહ્યો. 

આજે તો સ્થિતિ સાવ જ જુદી થઈ ગઈ હતી. સામે પારના ખેતરોની હરિયાળી ઊંચા બિલ્ડિંગો અને કારખાનાંએ છીનવી લીધી હતી. એક જમાનામાં ખળખળ પાણી વહાવતી ગોમતી નદી આજે બે ફૂટની પહોળાઈમાં  ચગદાઈને રહી ગયેલ એક અસ્પૃશ્ય વહેળો જ બની ચુક્યો હતો.

બાળપણની એ રમતો ગઈ, ભેખડો પરથી નદીમાં બાળકોના કૂદવાના ધબાકા ગયા, હરિયાળી ગઈ, ચિચિયારીઓ ગઈ, લીલા  ખેતરો ગયા, ખળખળ વહેતી ગોમતી ગઈ. બધું જ ગયું. રહી ગઈ માત્ર ખેતર તરીકે હજીયે ઓળખાતી સુક્કી ધરા અને ખેડૂત પરિવારોના ખાલી પેટ ….

બાળપણની યાદોમાં ખોવાયેલા હરિયાને સમયનું ભાન રહ્યું નહીં. રાત ઘણી વીતી ચૂકી હતી. પછી ….  

'હું ખેતર નહીં જ વેચું. મારા ખેતરમાં  કારખાનું નહીં  જ લગાવવા દઉં' એમ દ્રઢ સંકલ્પ હરિયાએ લઇ જ લીધો ! 

આ બાજુ રાત ઘણી વીતી ચૂકી હોવા છતાં હજી હરિયો ખેતરેથી ઝૂંપડીએ પાછો ફરેલો ન જોતાં જશી ઝૂંપડીની બહાર આવી.  હરિયો ઓટલે પણ ન હતો. એના ધબકારા વધી જ ગયા. ઓટલે હરિયાની ડાંગ ન પણ ન હતી. 'નક્કી હરિયો હજી ખેતરે જ શંકર અને ખુશાલ જોડે વાતો કરતો બેઠો હશે' એમ માનવાને એને કારણ મળ્યું. આ મિત્રોની ત્રિપુટી ઘણીવાર મોડી રાત સુધી ખેતરે બેસીને વાતો કરતી રહેતી. એ વિચારથી જ્શીને રાહત થઈ. પરંતુ બીજી જ ક્ષણે બહારના ભારઠ ઉપર લટકાવેલું દોરડું ત્યાં ન દેખાતાં એને ફરી ધ્રાસ્કો પડ્યો. 'અહીં જે દોરડું હતું એ લઈને અટાણે  હરિયો  કયાં  ઉપડ્યો હશે?' એને સવાલ થયો. પછી  કૈક  વિચાર આવતાં એ એક ક્ષણનો પણ વિલંબ કરવા વગર તરત જ ખેતર તરફ ઝડપથી બૂમો પાડતી દોડી ગઈ … 'હરિયા …. ', 'હરિયા ….'

આટલી મોડી રાતે જ્શીનો અવાજ ખેતરમાં સાંભળી હરિયો પણ વિચારોમાંથી જાગીને ચોંકી જ ગયો ! 

'આંય છું …' હરિયાને ખેતરમાં હેમખેમ સૂતેલો જોઈ જ્શીના જીવમાં જીવ આવ્યો. 

'કેમ આવી? હું થયું? ગુરિયો .. ક્યાં?'

એટલામાં જશી ત્યાં આવી પહોંચી એને શ્વાસ ચડ્યા હતા. 

'ગાંડો થ્યો છે…. ? આમ અમને એકલા મૂકીને …' કહેતાં તો એ હરિયાની છાતી ઉપર માથું મૂકીને  રોવા જ માંડી. 

હરિયાને કશું સમજાયું નહીં. એ બેઠો થયો.

'એકલા મૂકીને … એટલે?'

'બોલ, દોરડું ક્યાં છે?'

'દોરડું?' 

'ભારઠ ઉપર હતું એ ..'

‘કેમ …?

'પૂછું એનો જ જવાબ દે'

'ત્યાં પીપળે ઝૂલો બાંધ્યો છે.’

'ઝૂલો?'

'હા, ગુરિયા  માટે … પણ કેમ પૂછે છે? તને થયું છે શું એ તો બોલ … ?'

અને પીપળે ઝૂલો બાંધેલો જોતાં જશી એકદમ જ ખીસિયાણી પડી ગઈ. 

'મારો તો જીવ જ બેહી ગ્યો ‘તો …' હરિયાની ખુલ્લી છાતી પર પોતાનું માથું મૂકી એની છાતીના વાળમાં આંગળીએ કુંડાળા કરતી જશી ધીમેથી માંડ માંડ બોલી. 

'પણ કેમ …?'

'જા હટ …' જશી એકદમ શિયાળ થઈ ગઈ. 

'બોલ તો ખરી' 

'નૈ કઉં, જા' જ્શીએ છણકો કર્યો.  

'ઓહ, હવે હમજાયું … તને એમ કે હું ય ગાભા પટેલની જેમ દોરડું બાંધી ઝાડે …. .' હજી તો એ વાક્ય પૂરું કરે એ પહેલાં તો જશીએ હરિયાના મોં ઉપર પોતાનો હાથ દાબી એને બીજું કશું બોલવા  જ ન  દીધો ! 

જ્શીનો હાથ હટતાં હરિયો ખડખડાટ હસવા જ માંડ્યો … 'વ્હાલી મારી .. હું કાંઈ એની જેમ ઝાડે લટકું એમ નથી, હું તો તારા ગળે જ……' કહેતાં એણે જોરથી જ્શીને જકડી જ લીધી …

'હટ ભૂંડા ..' કહેતાં હરિયાની વ્હાલપ જાણે નામંજૂર કરતી હોય એમ સાવ ખોટમખોટો ગુસ્સો કરતી જશી એની  સોડમાં વધુ ભરાઈ. 

થોડી વધુ વ્હાલપી પળો વીતી.

 *                                            *                                     * 

બીજે દિવસે સવારે શે'રવાળા આવે એ પહેલાં લાભા સરપંચે ગામની વચોવચ મેદાનમાં ચાર વાંસ દટાવી આચ્છાદન કરાવી તંબુ બનાવડાવી દીધો. એની અંદર ત્રણ ખાટલા, પાણીના બે માટલાં અને બે પ્લાસ્ટીકના ડોલચા પણ મહેમાનો માટે મૂકાવી દીધાં. 

દૂરથી બે મોટરકાર ધૂળ ઉડાડતી ગામમાં પ્રવેશી. બાળકો દોડયાં.

લાભા સરપંચ અને પોલીસ પટેલે બધા મહેમાનોનું હાથ જોડી સ્વાગત કર્યું. ગામલોકો ય ભેગા થવા માંડ્યા. તંબુમાં થોડો વિસામો કરી મહેમાનો ગામ અને ખેતરો જોવા નીકળ્યા. લાભા સરપંચે અને તલાટી બાબુ વેસ્તાએ મહેમાનોને જોઈતી માહિતી આપી. આઠેક મહેમાનો આવ્યા હતા. સરપંચ, તલાટી અને પોલીસ પટેલ તરફથી મળતી માહિતી એમના ચોપડે લખાતી જતી હતી. સૂરજ ચડતો જતો હતો. આવી કાળઝાળ ગરમીમાં મહેમાનોને ત્રાસ વધુ થતો હોવાનું લાગતું હતું. કેવળ ઠેર ઠેર ચીરાવાળી ખેતરો તરીકે ઓળખાતી બિન ઉપજાઉ જમીન હતી. જમીનની જ કિંમત નક્કી કરવાની હતી, એકબીજા સાથે એ સમજ અંદરો અંદર મહેમાનોએ કેળવી દીધી. પછી તપતા સૂરજની ગરમીથી બચવા એમણે તરત તંબુ તરફ જવા પગ ઉપાડ્યા. 

બપોર બાદ ગામજનો સાથે બેઠક શરુ થઈ. 

"ગામવાસીઓ, પ્રત્યેક માનવ શરીરને હાલતું ચાલતું રાખવા હવા પાણી અને ખોરાકની મુખ્ય જરૂરિયાત હોય છે. આપને પડતી હાડમારીનું અમને બહુ દુ:ખ છે. આપ સૌ પ્રત્યે અમારી ખૂબ હમદર્દી છે. આપને આ આપદાના સમયમાં મદદરૂપ થવા કાજે અમે અમારાથી બનતા બધા જ પ્રયાસો કરીશું. આપ સહુને માટે રોજગારીની તકો ઊભી કરીશું અને દરેક પરિવાર ખાધેપીધે સુખી થાય એની પણ કાળજી રાખીશું. આજની સ્થિતિમાં હવે કુદરતને ભરોસે રહી ખેતી ઉપર નિર્ભર રહેવું શક્ય જ નથી. દરેક પરિવારની કાયમી આવક હોવી ખાસ જરૂરી છે. અહીં આ બિન ઉપજાઉ જમીન ઉપર એક મોટું કારખાનું નાખવાની જરૂર છે. એનાથી રોજીરોટીના તમામ પ્રશ્નો ઉકલી જશે. સરકાર પાસે પણ એ માટે આપણે મદદ લઈશું. એ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. તે કાજે પ્રત્યેક વીઘા દીઠ પચાસ હજાર રૂપિયાનું વળતર પ્રત્યેક જમીનદારને અમે આપવા માગીએ છીએ. આપ સહુ જો આપના ખેતરની જમીન અમને વેચવા બાબતે સહમતી આપો તો કાગળિયાં કરી તમામ જમીનદારને આ સોદાના બીયાના પેટે એમની જમીનની કુલ કિમતના ત્રીજા ભાગની રકમ પણ રોકડેથી આજે જ અમે ચૂકવવ માગીએ છીએ.  આપણે ભેગા મળીને ભવિષ્યની તમામ ચિંતા આ કરવા દ્વારા દૂર જ કરી શકીશું, બોલો મંજૂર છે ને ?"

શેઠ હીરામલે આમ કહેવું જેવું પૂરું જ કર્યું કે એમને ધ્યાનથી સાંભળી રહેલા ગામવાસીઓએ તરત  'મંજૂર છે …' ના જવાબ સાથે પ્રચંડ તાળીઓથી એમને વધાવી જ દીધા !  

પછી તો સભામાં આપસમાં આનંદસંવાદો  શરુ થતા કોલાહલ પણ વધ્યો. 

ત્યાં તો …. 

'નથ વેચવું અમારે  ખેતર … ' કહેતી કાંખમાં ગુરિયાને  સમેટતી મહિલાઓની વચ્ચેથી જશી ઘૂમટો ખેંચીને ઊભી થઈ. બધાનું ધ્યાન ત્યાં ગયું.  '… અને નથ જોતું કારખાનું …' કહેતાં એણે હરિયાની તરફ જોઈ કહ્યું, ‘ચાલ, હેંડ અહીંથી  …'.

સૌ અવાક થયા. એ સાંભળીને ક્ષણેક તો હરિયાનું પણ વાણીહરણ જ થઈ ગયું.  પુરુષ સમોવડી થવાનું જાણે એલાન કરતી હોય એ રીતે આમ જાહેરમાં બોલવાનું સાહસ કરનાર જશી ગોરખપુરની પહેલી સ્ત્રી હતી ! આવું સાહસ આ અગાઉ કોઈએ કર્યું જ ન હતું ! હરિયામાં તાકાત આવી. 

સભામાં ડાંગ ઉછળી જવાનો ભય લાભા સરપંચને લાગતાં એમણે કોઠાસૂઝ વાપરીને બાબુ વેસ્તાને ચોપડે કામગીરી તરત શરુ કરવા ઈશારો કરી દીધો. 

'વેચનારા બધા અંગૂઠો દેવા અને રોકડા લેવા આવવા માંડો …' મામલો થાળે પાડવાનાં આશયે પોલીસ પટેલે પણ સભામાં જાહેરાત કરી. 

'બઈરા માણહને હું હમજ પડે? ' બાબુ ગુમડિયો અંગૂઠો દેવા ઊઠયો.

'સાહેબ, હું કાઈ બોલી શકું?' જશી સાથે ડેલી સુધી પહોંચેલા હરિયાએ પાછા ફરીને મહેમાનને પૂછ્યું. 

‘હા .. બોલોને' મહેમાને કહ્યું. 

બધાની નજરો હરિયા તરફ ગઈ. કાન સરવા થતાં સભાશોર શમ્યો. 

હરિયાએ ગુરિયાને જશીની કેડેથી  તેડી લીધો. 

પછી કહ્યું, 'આ અમારો ગુરિયો છે સાહેબ, ને એણે પણ ખેડૂત બનવું છે.'

'એ તો ઘણી આનંદની  વાત છે,' મહેમાને કહ્યું. 

'પરંતુ એણે ક્યારે ય હરિયાળા ખેતર જોયા નથી, કોદાળી, હળ કે પાવડો જોયો નથી કે આકાશેથી વરસાદ બનીને પડતું પાણી ય કોઈ દી' જોયું નથી, સાહેબ, એણે નથી જોયું ગોમતીમાં પાણી. એણે જોયા છે તો માત્ર ખભે ડાંગ લઈને સુક્કા ખેતરમાં આખો દી' ફરતા માણહને, એને મન એ જ ખેડૂતગીરી છે! અને … એવા ખેડૂત બનીને એણે તો ખેતી કરવી છે, હળ ચલાવતાં, વાવણી  કરતાં, નીકોમાં પાણી વહેતું કરતાં કે ધરતીને વ્હાલ કરતાં ખેડૂતને તો એણે કદી જ નથી જોયો,  કોઈ પણ  જાતનું કામ કર્યા વગર એણે તો  ફરતા રહેવાની ખેડૂતગીરી કરવી છે …. અને તમે એને આનંદની વાત કહો છો? ' એટલું કહી હરિયો જરીક  રોકાયો. સભા ચૂપ હતી. પછી હરિયાએ આગળ ચલાવ્યું.

'અમે તો કુદરતી કોપથી લાચાર છીએ. અસમર્થ છીએ, એવા સંજોગોમાં અમારી જમીન પણ અમારી પાસેથી ઝુંટવીને અમને વધુ લાચાર અને વધુ અસમર્થ ન કરો, સાહેબ, અમારી જે જે ઉણપ છે, જે ખોટ છે એ જ દૂર કરવામાં જો અમારી સહાયતા કરી અમને અમારા પગ ઉપર   ઊભા થવામાં મદદ કરી શકો તો એની અમને તો વધુ જરૂર  છે …. અને એક વાત કહું, સાહેબ? અમે જે કુદરત ઉપર અત્યાર સુધી આધાર રાખીને ખેતી કરતા હતાને, એ કુદરતનો કર્તાહર્તા ભગવાન અમારા કરતાં હમણાં તમારી પર ઘણો મેં'રબાન છે. એણે આપની ઉપર ખૂબ જ મહેર કરી છે. હવે અમારા ઉપર મેરબાની કરી અમારા ખેતરો અને અમારી ખેડૂતગીરી તો ન છીનવો! અમને હરિયાળા ખેતરોની જરૂર છે, કારખાનાંના ધુમાડાની નહીં .. બની શકે તો ખેતરોને હરિયાળા કરવામાં મદદ કરો, ગોમતીને સજીવન કરવામાં મદદ કરો .. ખેડૂતગીરી તો અમારી પેઢીમાં છે અમારી આવનારી પેઢીને એનાથી વંચિત ન કરો … કુદરતે અમારો વરસાદ લઈ લીધો અને તમારાં કારખાનાંઓએ અમારી ગોમતી જેવી નદીઓ … ખેડૂત ખેતી કરે તો કોના આધારે કરે? ' પેટછૂટી વાત હરિયાએ એક શ્વાસે  સભામાં કહી જ દીધી. 

મંડપમાં  સોપો પડી ગયો. ચોપડે ચાલતા બાબુ વેસ્તાના હાથ પણ અટકી ગયા. 

'અરે સાહેબો, ખેડૂતોને ઝાડે લટકાવવાના કામો કરવા કરતાં ખેડૂતોએ ઝાડે લટકવું જ ન પડે એવું કરો તો તે મદદ કરેલી કહેવાય. એવા કોઈ કામ કરો તો ઠીક. માણહના કામમાં આવે ઈ જ તો ખરો માણહ કે'વાય, બાકી બીજા હું કામના? પછ તમે જે હમજો ઈ … પણ ટૂંકમાં અમારે ખેતર નથ વેચવા ઈ હમજી લ્યો ' કહેતી જશી બહાર નીકળી ગઈ. હરિયા  જોડે. 


એની પાછળ પછી તો બધા જ ગામલોકો પણ ઓસરીની બહાર નીકળી ગયા! એક પણ અંગૂઠો ચોપડે છપાયો નહીં. 

જશી  અને હરિયાની વાતોએ તો મહેમાનોને હચમચાવી જ દીધા. પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી.

*                                        *                                       *

આ બનાવ પછી લાભા સરપંચ અને પોલીસ પટેલની સંગાથે બધા મહેમાનોએ ગોરખપુર ગામને અને ત્યાંના ખેતરોને સુજલામ સુફલામ કરવાના હેતુસર પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ  ઇત્યાદિ પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થિત આયોજ્નના શ્રીગણેશ કરી ગોરખપુર જોડે સંબંધ સ્થાપી જ દીધો. 

e.mail : gunvantvaidya@outlook.com

Loading

...102030...3,5843,5853,5863,587...3,5903,6003,610...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved