Opinion Magazine
Number of visits: 9664629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાષામાં સ્ત્રી-વિરોધીતા; ત્રિયા, નાર, બૈરું, ઔરત, બાઈ અને લુગાઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 March 2025

રાજ ગોસ્વામી

શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો. તે નિમિત્તે થોડા આમતેમ વિચારો. સ્ત્રી પુરુષ પ્રધાન સામાજિક વ્યવસ્થાની શિકાર છે, એટલું જ નહીં, તે ભાષાની પણ શિકાર છે. ભાષાએ પણ સ્ત્રીને ઘણો અન્યાય કર્યો છે. ખુદ સ્ત્રી શબ્દમાં પણ એક પ્રકારની નકારાત્મકતા આવી ગઈ છે.

સંસ્કૃતમાં મહિલા માટે સ્ત્રી અને ત્રિયા બંને શબ્દ છે. આપણી  લોકબોલીમાં ત્રિયા વપરાય છે. આમાં સંસ્કૃત શ્લોક ત્રિયા ચરિત્રમ્‌…ની  ભૂમિકા મોટી છે, કારણ કે સ્ત્રીથી બનેલી ત્રિયામાં નારી ક્રિયાકલાપનો નકારાત્મક પ્રશ્ન ઉજાગર થાય છે. ત્રિયા ચરિતર, ત્રિયા હઠ જેવા શબ્દોમાં આ સ્પષ્ટ છે. 

ગુજરાતી સમાજમાં મહિલાનું સ્થાન શું હતું, એ આપણી કહેવતોમાં ઉજાગર થાય છે : દીકરી અને ગાય દોરે ત્યાં જાય, દીકરી સાપનો ભારો, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેટલી, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, લાડી અને પાડીના નિવડ્યે વખાણ, મળે ચાર ચોટલા તો ભાંગે ઓટલા, ધોકે નાર પાંસરી – ધોકે ડોબું દોહવા દે અને ધોકે જાર પાંસરી વગેરે. આપણી ગુજરાતી ગાળો પણ સ્ત્રીલક્ષી છે.

સ્ત્રી શબ્દના મૂળમાં સંસ્કૃત સત્યૈ ધાતુ છે. આ સમૂહવાચી શબ્દ છે, જેમાં ઘણુંબધું, સંચય, ઘનીભૂત, સ્થૂળ વગેરે ભાવ છે. એમાં કોમળ, મૃદુ, સ્નિગ્ધ વગેરે ભાવ પણ છે. સ્ત્રી માનવજીવન ધારણ કરે છે. એનો સંચય કરે છે. નર અને નારીમાંથી માત્ર નારીમાં જ એ કોષ છે જ્યાં જીવનનું સૃજન થાય છે. કોખ શબ્દ આ કોશ પરથી આવે છે. ગર્ભમાં સૃષ્ટિ સૃજનનું સ્વરૂપ સ્નિગ્ધ, મૃદુ અને કોમળ હોય છે. 

‘સત્યૈ’ પરથી બનેલા સ્ત્રી શબ્દમાં પણ બધા જ ભાવ છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ ઋગ્વેદકાલીન આર્યો અને ફિનિશિયનો (હાલના લેબેનોન, સીરિયા અને ઉત્તરીય ઈઝરાયેલના સમુદ્ર કાંઠે આવેલી પૌરાણિક સંસ્કૃતિ) વચ્ચે  ભાષાયી-સામાજિક સંબંધ જોડે છે અને કહે છે કે ફિનિશિયનોની પ્રમુખ દેવી ઈશ્તરનો સંબંધ સંસ્કૃત સ્ત્રી સાથે છે. આનું કોઈ પ્રમાણ નથી, પરંતુ ઈશ્તરનું ભારતીય દેવીઓ સાથે સામ્ય જરૂર છે. દેવી દુર્ગાની જેમ એનું વાહન પણ સિંહ છે. ઈશ્તર શૌર્ય, યુદ્ધ અને કામની દેવી છે. દેવી લક્ષ્મીની જેમ એની સાથે પણ ઉલક અથવા ઉલ્લુ નજરે ચઢે છે.

સ્ત્રી માટેનો સર્વાધિક પ્રચલિત શબ્દ મહિલા સંસ્કૃત મહ ધાતુ પરથી આવે છે. મહિલા શબ્દ સકારાત્મક છે, કારણ કે મહ ધાતુમાં મહિમાનો ભાવ છે. મહિલા શબ્દ એ પુરાણકાલીન સમાજનો શબ્દ છે જ્યારે આપણે માતૃસત્તાત્મક વ્યવસ્થા અમલમાં હતી. 

આ એક એવી વ્યવસ્થા હતી, જેમાં મહિલાઓ બહુપતિત્વનું આચરણ કરતી હતી, લગ્નવ્યવસ્થા ન હતી, યૌન ક્રિયા સંબંધોની મર્યાદામાં ન હતી અને સમાજમાં પુરુષ કરતાં સ્ત્રીને શ્રેષ્ઠ માનવામાં આવતી હતી. મહાનતા, મહાન, મહા, મયત્તર જેવા પ્રધાનતા સ્થાપિત કરતા શબ્દો મહ ધાતુ પરથી આવ્યા છે અને મહિલા પણ અહીંથી જ આવે છે. મહિલા શબ્દમાં સન્માન અને મહત્તાનો ભાવ છે.

હિન્દી ભાષાના આપ્ટે કોશમાં મહિલાનો અર્થ વિલાસિની, મદમત્ત સ્ત્રી અપાયો છે. એ ત્યારની માતૃસત્તાક વ્યવસ્થાનું પ્રતીક છે, જ્યાં સ્ત્રી એના યૌન સંબંધ ખુદ નક્કી કરતી હતી. એ કાળમાં સમાજ નાનાં નાનાં જૂથોમાં વહેંચાયેલો હતો. અને એની સરદાર મહિલા રહેતી હતી. ત્યારે સંબંધોની  વ્યવસ્થા ન હતી અને પોતાના કબીલાને વિસ્તૃત કરવા સ્ત્રી એકથી વધુ પુરુષો  સાથે રહેતી હતી. 

સમયાંતરે વધુ સામાજિક શક્તિ પ્રાપ્ત કરી ચૂકેલા પુરુષોને કદાચ આ માતૃસત્તાક વ્યવસ્થા ખૂંચતી હશે એટલે આપણા મનીષીઓએ મહિલા શબ્દને વિલાસીનતા સાથે  જોડ્યો હશે.

મહિલા શબ્દ પુરુષના ડરનું પ્રતીક છે. કેટલાક બબૂચકો મહિલા શબ્દનો અર્થ મહેલમાં રહેતી હોય એવો કરે છે. મહેલ ઉર્દૂ શબ્દ છે. પરંતુ ઉર્દૂમાં મહિલા શબ્દ ક્યાં ય નથી. લોકબોલીનો બીજો એક શબ્દ છે લુગાઈ જે હિન્દી, રાજસ્થાની અવધી અને ભોજપુરીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે પત્નીને લુગાઈ કહે છે, પરંતુ મૂળ અર્થમાં એ સ્ત્રી, ઔરત, નારી માટે જ વપરાતો હતો. 

લોકોનું સ્ત્રીવાચક એટલે લુગાઈ. લોક (હિન્દીમાં લોગ) પુલ્લિંગ છે. હિન્દી લોગ સંસ્કૃત લોક પરથી આવ્યો છે, જેનો મતલબ છે નજર નાંખવી, જોવું અથવા પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું. (અંગ્રેજી લૂક આ લોક પરથી આવે છે) એટલે લોકનો મતલબ દુનિયા, સંસાર.

લોક એટલે મનુષ્ય સંસાર. પુલ્લિંગ હોવા છતાં લોક શબ્દમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી. પરંતુ લોકભાષાઓ સૂક્ષ્મ અભિવ્યક્તિ માટે નવા નવા  શબ્દો રચતી રહે છે. એટલે લોગનું સ્ત્રીવાચક લુગાઈ આવ્યું. હવે જો સ્ત્રી-પુરુષ બંનેનો ઉલ્લેખ કરવો હોય તો હિન્દીમાં લોગ-લુગાઈ શબ્દ પણ છે.  

નરનું સ્ત્રીવાચક નારી છે, એવી પ્રચલિત માન્યતા ખોટી છે. સંસ્કૃત ધાતુ નૃનો અર્થ માનવ અને મનુષ્ય થાય છે. નૃમાં સ્ત્રી – પુરુષનો ભેદ નથી. નૃમાં જ સિંહ, પાલ અથવા પતિ જેવા શબ્દોની સંધિથી નૃસિંહ, નૃપાલ અને નૃપતિ જેવા શબ્દો બને છે. આ ત્રણેયનો અર્થ પ્રભુ, રાજા અથવા અધિપતિ થાય છે. 

નૃપશુનો અર્થ નરપશુ થાય છે. એમાંથી બનેલા નર પશુમાં પુરુષના પશુત્વનો આભાસ થાય છે તે ગલત છે. સ્ત્રીને પણ નરપશુની ઉપમા આપી શકાય છે. આ તર્ક પ્રમાણે નૃમેઘ એટલે મનુષ્યો માટે કરવામાં આવતો યજ્ઞા.  

સ્ત્રી માટે ઔરત શબ્દ વપરાય છે જેને નારીવાદી લોકો અપમાનજનક માને છે. ગુજરાતીમાં આપણે ત્યાં બૈરું શબ્દ પણ અપમાનજનક છે. એવું મનાય છે કે પુરુષ સાથે જીસ્માની સંબંધો બાંધી ચૂકેલી સ્ત્રી માટે ઔરત શબ્દ વપરાય છે. 

ઔરત મૂળ ફારસી અરબી શબ્દ છે. અરબીમાં એનો બીજો શબ્દ ઔરાહ છે. જેનો મતલબ થાય છે ગુપ્તાંગને ઢાંકવું. ઈસ્લામી નજરથી ઔરાહ માત્ર સ્ત્રી માટે નથી, કારણ કે ગુપ્તાંગ ઢાંકવાની ક્રિયામાં પુરુષનો પણ સમાવેશ થાય છે.

ઔરત શબ્દ પુરુષોની ઈજાદ છે. બાઈ શબ્દ સન્માનજનક છે. મરાઠીમાં પત્નીને બાઈકો કહે છે જે અંગ્રેજી વાઈફ સાથે મળતો આવે છે. ઉત્તર ભારતમાં બાઈને હીન મનાય છે, પરંતુ માળવીમાં મોટી બહેનને બાઈ કહે છે. મરાઠીમાં ભાભીને વહિની કહે છે જે ભગિની પરથી આવે છે. મરાઠીમાં મહિલા શિક્ષકને પણ બાઈ કહે છે. આપણે ગુજરાતીઓએ આ બાઈમાંથી બૈરું બનાવી દીધું. સાફસફાઈનું કામ કરે એને આપણે બાઈ કહીએ છીએ, પરંતુ નોકરાણી ફારસી શબ્દ છે. 

નોકર અથવા નોકરી ફારસી શબ્દ છે. એમાં આ પ્રત્યયથી નોકરાણી બને છે. એક શબ્દ મહેતરાણી પણ છે, અર્થ થાય છે ‘જે હલકું’ કામ કરતી હોય તે.’ રાણી શબ્દ રાજી પરથી આવે છે. રાજા પણ ત્યાંથી જ આવે છે. રાજાની પત્ની એટલે રાણી, રાજરાણી. ઠકુરાઈન પણ રાણી પરથી આવે છે.

સ્ત્રીઓનાં નામ પણ અપમાનજનક હોય છે. અનસૂયા એટલે સમાગમ માટે યોગ્ય એવો અર્થ ચંદ્રકાન્ત બક્ષીએ આપ્યો છે. અરુંધતી એટલે જે માર્ગ રૃંધે નહીં તેવી. મતલબ કે કામક્રીડામાં સહકાર આપે તેવી. સાલી શબ્દ અપમાનજનક છે. સુધીર મિશ્રાની ‘યે સાલી જિંદગી’માં સેન્સરે વાંધો ઉઠાવ્યો હતો. પણ ‘સાલા મેં તો સાહબ બન ગયા’ સામે ૧૯૯૦માં કોઈને વાંધો ન હતો.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 09 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાર્યસંસ્કૃતિ, કાર્યજીવનનું સંતુલન, કાર્યબોજ  અને કાર્યસપ્તાહ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 March 2025

ચંદુ મહેરિયા

જાપાનીઝ શબ્દ હારાકિરી(આત્મહત્યા)થી તો આપણે સુપરિચિત છીએ, પણ ‘કારોશી’  આપણા ભાવજગત અને વિચારજગતમાં શાયદ નવો શબ્દ છે. અત્યાધિક કાર્યબોજ તળે કામ દરમિયાન કે કામના કારણે થતું મોત એટલે કારોશી. જાપાનમાં વરસે દહાડે પચાસેક લોકોના મોત આ કારણે થાય છે. ભારતમાં જ્ઞાતિ કે આર્થિક વ્યવસ્થાના લીધે ગટર કામ, સફાઈ કામ અને હાથથી થતી મળ સફાઈનાં કામમાં જોતરાયેલા કામદારોના, કામના જોખમ અને સલામતીનાં સાધનોના અભાવે, દર વરસે હજારેક મોત થતાં હશે, પણ તેની ખાસ કોઈ નોંધ લેવાતી નથી કે તેમનાં કામને ટોક્સિક વર્ક અને તે કાર્યસંસ્કૃતિને વિષાક્ત કહેવામાં આવતી નથી. આપણે આ પ્રકારના કામો અને કાર્યબોજ અંગે એટલે પણ વિચારતા નથી કે કામ કરનારા બધા સમાજના કથિત નીચલા તબકાના અને નિર્ધન લોકો હોય છે. જો કે ભારે કામગરા જાપાનીઓ કારોશી મોતથી ચિંતિત છે અને તેમણે તેનો ઉકેલ પણ શોધ્યો છે. જાપાનની અનેક કંપનીઓએ વીકલી વર્કિંગ ડે ઘટાડીને ચાર કર્યા છે. 

ઈન્ટનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર ભારતમાં અડધાથી વધુ કર્મચારી અઠવાડિયે ૪૯ કલાકથી વધુ અને દૈનિક ૧૦ કલાક કામ કરે છે. દક્ષિણ એશિયાના દેશોમાં કામના અધિક કલાકોમાં ભારતનું સ્થાન ભૂતાન પછીના બીજા ક્રમે છે. આ સ્થિતિ હોવા છતાં અહીં કામના કલાકો વધારવાની ચર્ચા છે ત્યારે દુનિયાના બહુ બધા દેશોમાં સાપ્તાહિક કાર્ય દિવસો ઘટાડવાનો વાયરો વહી રહ્યો છે. ૨૦૨૪ના વરસથી સિંગાપોરમાં ફોર ડે વર્કિગ વીક અમલી બન્યુ છે. સિંગાપોર આ બાબતમાં એશિયાનો પ્રથમ દેશ છે. 

જાપાન સરકારના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશની ૮૫ ટકા કંપનીઓ અઠવાડિયે બે રજા અને આઠ ટકા કંપનીઓ અઠવાડિયામાં ત્રણ રજા આપે છે. ૨૦૨૧માં ફોર ડે વીક-નો વિચાર પહેલીવાર રજૂ થયો હતો અને હવે તો તેને સરકારનું પણ સમર્થન છે. સરકારના વર્ક સ્ટાઈલ રિફોર્મ અભિયાનમાં કામના કલાકો ઘટાડવા, સૌને અનુકૂળ આવે તેવો કાર્યસમય, મર્યાદિત ઓવરટાઈમ અને વાર્ષિક રજાઓમાં વૃદ્ધિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આરંભના નબળા પ્રતિસાદ પછી હવે આ પગલું લોકપ્રિય થઈ રહ્યું છે. વર્ક લાઈફ બેલેન્સમાં વધારા માટે સાપ્તાહિક કાર્ય દિવસો ચાર કરવાનું પગલું મોટું પરિવર્તન આણનારું બની શકે છે. 

જાપાન ઉપરાંત જર્મની, અમેરિકા, યુ.કે, સિંગાપોર, ચીન, સ્પેન, પોર્ટુગાલ, કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં પણ ચાર દિવસીય કાર્ય સપ્તાહ અંશત: અમલી બની રહ્યું છે. સાપ્તાહિક કામના દિવસોમાં ઘટાડો થવાના અનેક સારા પરિણામો જોવા મળી રહ્યા છે. કર્મચારીઓમાં જે કામનો થાક અને તાણ જોવા મળતા હતા તે ઘટ્યાં છે. વધુ આરામ અને ઊંઘ લઈ શકે છે. નવા અઠવાડિયે ઉત્સાહિત જણાય છે. વૃદ્ધ વસ્તીમાં વધારો અને ક્રિયાશીલ વસ્તીમાં ઘટાડાનો ઉકેલ મળી શક્યો છે. કર્મચારીના શારીરિક-માનસિક આરોગ્યમાં સુધારો જણાયો છે. બળતણની બચત થાય છે. પરિવારને વધુ સમય આપી શકે છે. ત્રણ રજાઓમાં ફેમિલી ટુર કે લાંબા સમયથી પડતર પારિવારિક કામો આટોપી શકાય છે. કાર્ય દિવસોમાં ઘટાડાથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. વળી આ પગલું ફુગાવો અને વેતન માટે સુરક્ષારૂપ બની શકે છે. નિયમિત કામદારો માટે તે બહેતર જીવન સંતુલન સાધી શકે છે તો અંશકાલીન કામદારોને વધુ કલાક રોજી આપી શકે છે. સાપ્તાહિક કાર્ય દિવસોમાં ઘટાડાને વિશ્વવ્યાપી બનાવવા માટે ‘ફોર ડે વીક ગ્લોબલ’ સંસ્થાની રચના પણ થઈ છે. 

કામકાજી અઠવાડિયાના દિવસો ઘટવાથી ખરાખોટા કારણોસર બીમારીની રજાઓ લેતા કર્મચારીઓની સંખ્યામાં ૬૫ ટકા ઘટાડો થયો છે. પરંતુ હજુ ય કશું ખૂટતું હોય તેમ ચીનની એક કંપની, જો કર્મચારીનું કામ પર જવાનું મન નથી, દિલ ઉદાસ છે, તણાવ મહેસૂસ થાય છે તો ભલે કામ પર ના આવો તે તમને અનહેપ્પી લીવ આપશે. વાર્ષિક ૧૦ વધારાની અનહેપ્પી લીવ આપતી આ કંપની આ રજાનો મેનેજમેન્ટ ઈન્કાર નહીં કરે તેવો પણ નિયમ ઘડે છે! જાપાનની આઈ.ટી. કંપનીએ ચાલુ નોકરીએ દારુ પીવાની છૂટ આપી છે અને જો દારુ ચડી જાય તો હેંગઓવર લીવની ઓફર કરી છે! ભારતમાં અસમની રાજ્ય સરકારે તેના સરકારી કર્મચારીઓને માતા-પિતા કે વિકલ્પે સાસુ-સસરા સાથે સમય વિતાવવા દર વરસે બે રજા આપવાનો નિર્ણય કર્યો છે. તેલંગણા અને આંધ્ર સરકારે તેના મુસ્લિમ કર્મચારીઓને રમજાનના મહિનામાં રોજ એક કલાક વહેલા કામ છોડવાની મંજૂરી આપી છે. 

કામદારો- કર્મચારીઓ પર સરકારો કે કંપનીઓ ઓવારી જાય છે કે તેમને અછોવાના કરે છે તેમ લાગે પણ તેનું કારણ તેમનો સ્વાર્થ છે અને આવાં પગલાં પાછળ તાજેતરની મહારાષ્ટ્ર્ની બે ઘટનાઓ જવાબદાર લાગે છે. બર્ન આઉટ કે થાકનો સામનો વિશ્વભરના કામદારો-કર્મચારીઓ કરી રહ્યા છે. છવ્વીસ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ કામના અત્યાધિક બોજથી તંગ આવીને જીવનનો અંત આણ્યો હતો. પુણેની એક કંપનીના સેલ્સ એસોસિયેટે ટોક્સિક કહેતાં વિષાક્ત વર્ક પ્લેસ અને એથી પણ વધુ ઝેરીલા બોસથી તંગ આવીને નોકરી છોડી હતી. પરંતુ તેમની રાજીનામાની ઘટના એટલે પણ છાપરે કે છાપે ચડી હતી કે આ મહાશયે બોસની ઉપસ્થિતિમાં ઢોલ નગારાં સાથે વાજતેગાજતે કામને અલવિદા કરી હતી. કાશ! આવું આ દેશના બહુમતી અસંગઠિત ક્ષેત્રના કામદારો કરી શકે! 

ફોર ડે વર્કિગ વીક, વર્ક સ્ટાઈલ રિફોર્મ, ટોક્સિક વર્ક કલ્ચર, ટોક્સિક વર્ક, ટોક્સિક વર્ક પ્લેસ, બર્ન આઉટ, સર્વિસ ઓવર ટાઈમ, વર્કલોડ, વર્કફોર્સ, વર્ક લાઈફ બેલેન્સ, ઈમોશનલ સેલેરી ટ્રેન્ડ આ અને આવા બીજા માત્ર અંગ્રેજી ભાષાના નહીં નવા જમાનાના શબ્દો છે અને તે પ્રત્યેકની પાછળ આહ, આંસુ અને શોષણ સામેના સંઘર્ષનો દીર્ઘ ઇતિહાસ છે. હરિકથા અનંતાની જેમ આ કામપુરાણ પણ અનંત છે. પરંતુ અંતે એક વધુ નવી વાત. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે અમેરિકી કોમેડિયન ટ્રેવર નોઆનાના કાર્યક્રમ ‘વ્હોટ નાઉ?’માં ગંભીરતાથી કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામની આરામદાયક અને સંતુલિત સ્થિતિ ઊભી કરશે. તે લોકોની નોકરીઓ છીનવી લેશે નહીં. ભવિષ્યમાં કામના દિવસો ઘટીને ત્રણ જ રહેશે તેમ પણ ગેટસે કહ્યું હતું. તેમનું માનવું હતું કે માનવશ્રમ ઓછો થશે અને યંત્રો કામ કરશે. એ.આઈ. માનવી માટે ખાવાનું ય તૈયાર કરશે અને ઓફિસ કામ પણ કરશે. લાગે છે સ્વર્ગ ઢુકડું છે નહીં? 

e.mail : maheriyachandu@gmail.com

Loading

इतिहास के औरंगजेब

कुमार प्रशांत|Opinion - Opinion|12 March 2025

कुमार प्रशांत

इतिहास तीन ही काम करता है – दर्ज करता है, भूलता है आौर आगे चलता है ! जो लोग, समुदाय या देश ऐसा नहीं कर पाते हैं, वे खुद की तरह ही इतिहास को भी कूड़ा घर बना डालते हैं. हमारा देश आज ऐसा ही कूड़ा घर बनता जा रहा है. चरित्रत: इतिहास न सदय होता है, न क्रूर; न किसी के पक्ष में झुका होता है, न किसी की तरफ़ तना होता है. वह सिर्फ होता है ताकि हम उसके आईने में अपनी बीती सूरतें देख कर, अपनी आज की सूरत सजा व संवार सकें. हम यह कर्तव्य जितनी शिद्दत से निभा पाते हैं, इतिहास हमारे भविष्य को वैसा ही आकार देता है. मतलब, इतिहास भूत–वर्तमान–भविष्य के तिहरे धागे से हमें जोड़ने वाली वह जीवंत शक्ति है जिसे हम पहचानने में अक्सर चूक जाते हैं.

इतिहास की त्रासदी यह है कि यह बनता है कितनी ही जानी–अनजानी ताकतों के सम्मिलित प्रभाव व प्रवाह से लेकिन हमेशा लिखा जाता है किसी एक आदमी की समझ व आकलन से. यह अत्यंत खतरनाक बात है. इसलिए इतिहास कभी एक स्रोत से न तो पढ़ा जाना चाहिए, न समझा जाना चाहिए. इतिहास के हर अध्येता के लिए जरूरी है गंभीर तटस्थता, खोज करने की बालसुलभ व्यापक उत्सुकता तथा उद्देश्य के बारे में साफ समझ. यह न हो तो आप इतिहास के अध्येता या जानकार न हो कर इतिहास के विदूषक बन कर रह जाते हैं. हमारे यहां पिछले दसेक वर्षों में कुकुरमुत्तों की तरह इतिहासकारों की जो फसल पैदा हुई है, वह विदूषकों को भी शर्माने की कूवत रखती है. इनमें से कई ऐसे हैं जो सत्ता की अनुकंपा से पैसा कमाने के लिए इतिहासकार बन गए हैं. इनमें से कई नया इतिहास लिख रहे हैं तो कई ऐतिहासिक फिल्में बना रहे हैं. सच यह है कि ये दोनों अपना व्यवसाय कर रहे हैं. 

इतिहास के इस बाज़ार में सब से ताजा व्यापारी बन कर उत रेहैं दिनेश विजयन ! उनकी फिल्म ‘छावा’ बक़ौल प्रधानमंत्री छा गई है. ‘छावा’ के निर्देशक हैं लक्ष्मण उत्तेकर. मराठीकथा–लेखक शिवाजी सावंत की इसी नाम की किताब, इस फिल्म का आधार है, ऐसा निर्देशक का दावा है. बताया जा रहा है कि ‘छावा’ ने भी वैसी ही कमाई की है जैसी तरह–तरह की फाइलों के नाम से बनी फिल्मों ने की है. अभी तक यह खबर कहीं देखी तो नहीं है कि प्रधानमंत्री अपने पूरे मंत्रिमंडल के साथ ‘छावा’ देखने बैठे. वैसे यह जरूरी है, क्योंकि प्रधानमंत्री ऐसी फिल्मों से ही अपना इतिहास जान पाते हैं. उन्होंने ही तो देश को बताया था कि जब तक रिचर्ड एटनबरो ने ‘गांधी’ फिल्म नहीं बनाई थी, तब तक दुनिया गांधी को जानती नहीं थी. यह सच हैया नहीं, इसकी बहस हम करते रहें लेकिन प्रधानमंत्री के लिए यह बिल्कुल सच है, यह हमें मान लेना चाहिए. 

हम अब ‘छावा’ और औरंगजेब–विवाद की और आते हैं. 1526 में मुगल साम्राज्य बाबर के साथ शुरू होता है आौर अकबर, जहांगीर, शाहजहां से होता हुआ आौरंगजेब के हाथ आता है. हम देखते हैं कि बाबर से शाहजहां तक मुगल साम्राज्य अपेक्षाकृत सहजता से पिता से पुत्र तक पहुंचता रहा है लेकिन शाहजहां के वक्त इसमें पहली बार बड़ा व्यवधान पड़ता है. जैसी राजतंत्रकी रवायत थी, शाहजहां अपने बड़े बेटे दाराशिकोह को राजगद्दी सौंपना चाहते हैं. लेकिन दूसरे नंबर के बेटे औरंगजेब को यह गंवारा नहीं है. उसे लगता है कि वह गद्दी का असली व सबसे योग्यअधिकारी है. वह असहमत पिता से बगावत करता है, दाराशिकोह को युद्द के मैदान में परास्त करता है और फिेर उसकी हत्या कर, पिता शाहजहां को मृत्यु तक के लिए जेल में डाल कर गद्दी पर कब्जा करता है. ‘छावा’ जैसी फिल्म व दूसरे माध्यमों से, सरकारी समर्थन व प्रोत्साहन से यह प्रचारित करने की घुआंधार कोशिश की जा रही है कि औरंगजेब मदांध, क्रूर, धर्मांध तथा कई दूसरे कुटैवों का सिरमौर था. मेरे लिए यह समझना असंभव की हद तक कठिन है कि यदि औरंगजेब ऐसा था तो उससे कौन–सा ऐसा रहस्योद्घाटन होता है जिससे हमें आज अपना जीवन जीने या अपना देश चलाने में मदद मिलेगी ? मैं ऐसा कहता हूं तो सामने से तपाक से एक ‘ असली इतिहासकार’ बोल उठता है : “ तो आपको इतिहास की सच्चाई जानने–बताने में कोई दिलचस्पी नहीं है ? … अगर ऐसा है तो आपसे क्या बात की जाए… आप इतिहासकार ही नहीं हैं.”  

मैं पूरी विनम्रता व दृढ़ता से कहता हूं, कहना चाहता हूं कि मैं वैसा इतिहासकार नहीं हूं जिसकी रोजी–रोटी सत्ताधीशों की भृकुटि से मिलती या छिनती है. ऐसा इतिहास उन्हें ही मुबारक हो जिन का जीवन–व्यापार इसी से चलता है. मैं उस इतिहास को खोलता–पढ़ता–समझता व समझाता हूं जो बताता है कि मेरा देश व मेरी दुनिया की ऐसी शक्ल-ओ–सूरत बनाने वाले प्रवाहकौन–कौन–से रहे हैं, वे कब व कैसे बने और उनसे हम क्या सीखें कि आज से बेहतर देश व दुनिया बना सकें. समय की इस आंधी में सूखे पत्तों जैसे उड़ते–गिरते अनेक पात्र भी आते ही हैं. वेअपने वक्त के आका नहीं होते, अधिकांश: उसके शिकार होते हैं. इतिहास पर इससे ज्यादा उनका प्रभाव होता नहीं है. मैं जानना चाहता हूं, आौर अपने समाज को बताना चाहता हूं किआौरंगजेब से पहले जो मुगल राजा हुए वे सब भी उतनी ही मनमानी करने वाले दमनकारी थे. कोई भी सत्ता बगैर दमन व कठोरता के न चलती है, न टिकती है. 

मैं उसे बताना चाहता हूं कि बाबर से अकबर ( 1526-1605) के बीच के 79 वर्षों में यदि भारत में एक ऐसा बड़ा साम्राज्य खड़ा हुआ जैसा देश ने इससे पहले कभी देखा नहीं था, तो वह वैसे ही खड़ा तो नहीं हुआ होगा. साम–दाम–दंड–भेद सबका का पूरा इस्तेमाल हुआ होगा, हत्याएं करवाई गई होंगी, षडयंत्र रचे गए होंगे, विभीषणों को पाला–पोसा गया होगा. नवरत्न बना कर उन की वफादारी सुनिश्चित की गई होगी. राज्य के हित व विस्तार के लिए रोटी–बेटी के संबंध बनाए गए होंगे. तब कोई भी साम्राज्य बनाने–टिकाने के लिए यह सब करना जरूरी होता था, सह जमाना जाता था. आज अपनी सरकार बनाने–चलाने–टिकाने के लिए यही सारे मोहरे नहीं चले जाते हैं क्या ? फिर औरंगजेब का इतना जाप क्यों हो रहा है ? यह क्यों नहीं बताते हैं कि आरंगजेब से पहले क जहांगीर भी था जिसने सिख गुरु अर्जनदेव को मरवाया था. यह भी तो याद रखें हम कि अकबर ने अपने ही बेटे को काबू में करने के लिए हर हिंसक उपाय किए थे. उसने बेटे के समर्थक सरदारों को मरवाया नहीं था ? अनारकली की कहानी फिल्मी है कि सच्ची, इस पर थोड़ा विवाद है लेकिन इस पर भी कोई विवाद कर सकता है क्या कि राजमहल के भीतर ऐसी कितनी की लड़कियों की जिंदगी दफ्न होती रही है ताकि साम्राज्य निष्कलंक चलता रहे ? 

औरंगजेबने ज्यादा क्रूरता व संकीर्णता से अपना राज चलाया, क्योंकि उसे राज आसानी से मिला नहीं था. शाहजहां से उसके सर पर साम्राज्य का मुकुट नहीं धरा था, उसने कितने ही सरकाट कर, पिता को कारावास में धकेल कर मुकुट छीन लिया था. जो छीन कर मिलता है, वह ज्यादा असुरक्षित होता है. उस पर ज्यादा गिद्ध–दृष्टि लगी होती है. इसलिए औरंगजेब को हर वक्त चौकन्ना रहना पड़ता है, और कहीं से छाया भी उठे तो उसका सर कलम करने की तैयारी रखनी पड़ती है.  वह छाया हिंदू की है कि मुसलमान की कि किसी दूसरे मतवाद वाले की, यह देखने काअवकाश भी उसके पास नहीं है. लेकिन दूसरे सम्राटों की तरह औरंगजेब को पता है सबको साथ भी रखना जरूरी है. इसलिए उसने भी मंदिरों को दान दिया है, विद्वानों का सम्मान किया है, हिंदूशासकों से समझौते किए हैं. उसके दरबार में बड़ी संख्या में हिंदू अधिकारी व सिपहसालार हैं. सवाई राजा जयसिंह को भूल जाएं आप तो इतिहास का क्या होगा भाई ! आौर यही जयसिंह हैंजो संभाजी को शरण भी देते हैं. संभाजी को धोखे से कैदी बनवाने वाले कौन हिंदू सिपहसालार थे, यह भी याद कीजिए. संभाजी की हत्या के बाद संभाजी का अबोध बेटा साहूजी महाराजकिसके यहां पला ? आौरंगजेब के यहां ! इस तरह उसकी परवरिश हुई कि आौरंगजेब की मृ्त्यु के बाद वह नंगे पांव उनकी कब्र पर जाता रहा. यह सब भी तो इतिहास ही है न ! इसे हम नहीं पढ़ेंक्या ? फिर इतिहास पढ़ें ही क्यों ?  

औरंगजेब में जिन की इतनी दिलचस्पी है, वे अशोक का अध्ययन क्यों नहीं करते ? वह तो ‘चंडाशोक’ कहलाता था. कहते हैं कि कलिंग–युद्ध से पहले तक उसे अपनी तलवार सूखीदेखना बहुत नागवार होता था. वह अपने अनगिनत भाइयों को मरवा कर राजा बना था. राजशाही के इतिहास में भाई सबसे बड़ा खतरा होता था. वह हर तरह से बराबरी की हैसियत रखता था, राज्य में उसके अपने लोग हुआ करते थे. वह हमेशा राज्य के उत्तराधिकारी के सर पर तलवार की तरह लटकता होता था. इसलिए अधिकांश सम्राटों ने अपने भाइयों को साफ़ कर, अपना रास्तासाफ़ किया है. आौर आज ? प्रधानमंत्रियों ने प्रधानमंत्री पद हथियाने के लिए अपनी पार्टी के भीतर कितना ग़दर मचाया है, इसका देश–दुनिया का इतिहास भी पढ़िए, फिर क्रूरता आदि काफैसला कीजिए. 

इतिहास ही हमें बताता है कि क्रूरता व वीरता के बीच रत्ती–मासे का फर्क होता है. यह भी होता है कि एक के लिए जो क्रूरता है, दूसरे के लिए वही वीरता है. इसलिए इतिहास तटस्थता की मांग भी करता है और विवेक की भी. उसकी नक़ल करना, उसके प्रेत से लड़ना, तब का बदला आज चुकाना जहरीली अभद्रता है, अश्लीलता है, सांप्रदायिकता है. यह आदमी को वहशी बनातीहै, समाज को तोड़ती है, राष्ट्रों को धूल में मिला देती है. हम अपना 1947 याद रखें जब हमने अपना ही मुल्क धूल–धूल कर लिया था. उस इतिहास के खलनायकों को खोजिए व पढ़िए ! 

इतिहास सावधान करता है:  देखो, मुझे समझे बग़ैर पढ़ते–लिखते–आंकते हो, प्रचारित व प्रसारित करते हो तो तुम भी औरंगजेब हो, क्योंकि हम सबके भीतर औरंगजेब नाम का एक सांप पलता है. उसे दूध पिलाना अपने अंतर्मन को जहर से भरना है. इसलिए मैंने जो दर्ज किया है, उसे जरूरी हो तो पढ़ो; पढ़ो तो गहराई से समझो; और समझो तो यह समझो कि आज इससे आगे चलने में क्या मदद मिलती है. आज के भारत राष्ट्र को समेट–संभाल कर आगे ले चलने में ‘छावा’ मदद नहीं करती है, क्योंकि यह इतिहास का व्यापार करती है, इतिहास समझाती नहीं है.

(11.03.2025)         
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...355356357358...370380390...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved