Opinion Magazine
Number of visits: 9456787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

व्हाट्सएप इतिहास: सच या राजनैतिक एजेंडा

राम पुनियानी|Opinion - Opinion|15 November 2024

राम पुनियानी

पिछले कुछ समय से समाज की सामूहिक समझ को आकार देने में व्हाट्सएप यूनिवर्सिटी की भूमिका बहुत महत्वपूर्ण बन गई है.  कड़ी मेहनत से और तार्किक व वैज्ञानिक आधारों पर हमारे अतीत के बारे में खोज करने वाले इतिहासविदों का मखौल बनाया जा रहा है और वर्चस्वशाली राजनैतिक ताकतें उनके लेखन को दरकिनार कर रही हैं. यह सचमुच चिंता का विषय है कि व्हाट्सएप यूनिवर्सिटी द्वारा जिस सामाजिक सोच को आकार दिया जा रहा है, वह हिंदुत्व या हिन्दू राष्ट्रवाद के प्रतिगामी राजनैतिक एजेंडा  को लागू करने वालों का औजार बन गई है.

यह मुद्दा अभी हाल में एक बार फिर तब उठा जब इतिहासकार विलियम डालरेम्पिल, जिनकी कई पुस्तकें हाल में लोकप्रिय हुईं हैं, ने पत्रकारों के साथ बातचीत में कहा: ”….इसका नतीजा है व्हाट्सएप इतिहास और व्हाट्सएप यूनिवर्सिटी. यह भारतीय अध्येताओं की असफलता है कि वे सामान्य लोगों तक नहीं पहुँच सके हैं.” (इंडियन एक्सप्रेस, अड्डा, 11 नवम्बर 2024)

डालरेम्पिल के अनुसार इस कारण समाज में गलत धारणाएं घर कर गईं हैं जैसे, आर्य इस देश के मूल निवासी थे, प्राचीन भारत में संपूर्ण वैज्ञानिक ज्ञान उपलब्ध था, ‘हमारे पास’ पुष्पक विमान था, प्लास्टिक सर्जरी थी, जेनेटिक इंजीनियरिंग थी और न जाने क्या-क्या था. व्हाट्सएप यूनिवर्सिटी ही इस सामान्य सामाजिक समझ का स्त्रोत है कि इस्लाम और ईसाईयत विदेशी धर्म  हैं, मुस्लिम शासकों ने हिन्दू मंदिर गिराए और हिन्दुओं पर घोर अत्याचार किये और यह भी कि इस्लाम तलवार के बल पर भारत में फैला. यह धारणा भी है कि महात्मा गाँधी हिन्दू विरोधी थे और देश को आज़ादी, गांधीजी के नेतृत्व में चलाये गए राष्ट्रीय आन्दोलन के कारण नहीं मिली. ये गलत धारणाएं बहुसंख्यक लोगों के दिमाग में बैठा दी गईं हैं.

व्हाट्सएप यूनिवर्सिटी ने इस नैरेटिव को भले की अधिक व्यापकता दी हो, मगर इसे पहले से ही हिन्दू सांप्रदायिक धारा फैला रही थी. इस धारा का मुख्य प्रतिनिधि था आरएसएस और आगे चलकर उसके परिवार के विभिन्न सदस्य. आज़ादी के आन्दोलन के दौरान सबसे वर्चस्वशाली नैरेटिव थी राष्ट्रीय आन्दोलन से उपजी समावेशी सोच. यह नैरेटिव कहता था कि भारत एक निर्मित होता, आकर लेता राष्ट्र है. इसके विपरीत, हिन्दू राष्ट्रवादी नैरेटिव, जो उस समय हाशिये पर था, कहता था कि भारत हमेशा से एक हिन्दू राष्ट्र रहा है. दूसरी ओर, मुस्लिम राष्ट्रवादियों का कहना था कि आठवीं सदी में सिंध में मुहम्मद-बिन-कासिम का शासन स्थापित होने के बाद से ही भारत एक मुस्लिम राष्ट्र है.

सांप्रदायिक इतिहास लेखन ब्रिटिश शासनकाल में शुरू हुआ. अंग्रेज़ शासकों ने ऐसी पुस्तकों को प्रोत्साहित किया जो भारत के अतीत को तीन कालों में विभाजित करती थीं – हिन्दू, मुस्लिम और ब्रिटिश. ऐसी ही एक पुस्तक थी जेम्स मिल की ‘हिस्ट्री ऑफ़ इंडिया”. इलियट एवं डाउसन का बहु-खंडीय ग्रन्थ “हिस्ट्री ऑफ़ इंडिया एज़ टोल्ड बाय हर हिस्टोरियंस” भी इसी तर्ज पर लिखी गई थी. ये दोनों पुस्तकें इस धारणा पर आधारित थीं कि राजा और बादशाह, अपने-अपने धर्मों का प्रतिनिधित्व करते थे. हिन्दू सांप्रदायिक इतिहास लेखन की शुरुआत आरएसएस की शाखाओं में होने वाले बौद्धिकों से हुई. उसे विभिन्न चैनलों द्वारा फैलाया गया. इनमें शामिल थे सरवती शिशु मंदिर, एकल विद्यालय और संघ के गैर-आधिकारिक मुखपत्र आर्गेनाइजर एवं पाञ्चजन्य. लालकृष्ण अडवाणी के जनता पार्टी सरकार में केन्द्रीय सूचना एवं प्रसारण मंत्री बनने के बाद इस नैरेटिव ने सरकारी तंत्र में घुसपैठ कर ली और इसके प्रसार के लिए सरकारी मशीनरी का उपयोग किया जाने लगा. अब तो ऐसा लग रहा है कि आरएसएस हमारी पूरी शिक्षा व्यवस्था को ही बदल देना चाहता है. इतिहास, सामाजिक विज्ञानों और अन्य विषयों की पुस्तकों को नए सिरे से लिखा जा रहा है.

आरएसएस से जुड़ी एक संस्था ‘शिक्षा बचाओ आन्दोलन’ के दीनानाथ बत्रा द्वारा लिखित नौ पुस्तकों का गुजरती में अनुवाद कर उन्हें गुजरात के 42,000 स्कूलों में लागू कर दिया गया है.  भाजपा के साथी कॉर्पोरेट घरानों (अदानी, अंबानी) ने मीडिया पर लगभग पूरा कब्ज़ा कर लिया है और नतीजे में मीडिया का अधिकांश हिस्सा भाजपा की गोदी में बैठा नज़र आ रहा है. भाजपा अपने आईटी सेल को मजबूत कर रही है और व्हाट्सएप के ज़रिये अपने नैरेटिव को प्रसारित कर रही है. इस सबका बढ़िया विश्लेषण स्वाति चतुर्वेदी ने अपनी पुस्तक “आई वाज़ ए ट्रोल” में किया है.

गंभीर और निष्पक्ष इतिहासकारों ने सामान्य पाठकों के साथ-साथ, स्कूली पाठ्यपुस्तकों के लिए भी लेखन किया है. इनमें प्राचीन भारतीय इतिहास पर रोमिला थापर की पुस्तकें सबसे लोकप्रिय हैं. इरफ़ान हबीब ने मध्यकालीन इतिहास पर महत्वपूर्ण काम किया है और बिपिन चन्द्र की “भारत का स्वाधीनता संग्राम” के कई संस्करण प्रकाशित हो चुके हैं. सन 1980 के दशक तक इन इतिहासकारों द्वारा लिखित पुस्तकें, एनसीईआरटी के पाठ्यक्रम का हिस्सा थीं. भाजपा ने 1998 में सत्ता में आने के बाद से शिक्षा के भगवाकरण का अभियान शुरू किया. सन 2014 में पार्टी अपने बल पर केंद्र में सत्ता में आ गई, जिसके बाद इस अभियान ने और जोर पकड़ लिया. अब इस छद्म इतिहास और पौराणिक कथाओं को ‘इतिहास’ का दर्जा देने की कवायद जोर-शोर से चल रही है.

आम लोगों की धारणाओं और सोच को आकार देने में इतिहासविदों की सीमित भूमिका होती है. सत्ताधारी या वर्चस्वशाली राजनैतिक ताकतों की सोच, सामाजिक धारणाओं के निर्माण में सबसे महती भूमिका निभाती है. भाषाविद और मानवाधिकार कार्यकर्ता नोएम चोमोस्की ने “सहमति के निर्माण” की अवधारणा प्रस्तावित की है. इस अवधारणा के अनुसार, सरकारें जो करना चाहतीं हैं – जैसे वियतनाम या इराक पर हमला – उसके लिए वे जनता में ‘सहमति का निर्माण’ करती हैं. लोगों को यह समझाया जाता है कि यह करना समाज और उनके हित में है. इतिहासविद चाहे जो भी कहते रहे, सच छिप जाता है और राज्य या वर्चस्वशाली राजनैतिक विचारधारा अपनी ज़रुरत के हिसाब से सामान्य समझ को आकार देती है.

व्हाट्सएप के जरिये समाज में फैलाई जा रही अतार्किक बातों पर विलियम डालरेम्पिल की चिंता स्वाभाविक है. मगर असली मुद्दा यह है कि दक्षिणपंथी राजनीति का बोलबाला बढ़ने के साथ ही, उसने बहुत चतुराई से अपना राजनैतिक एजेंडा लागू करना शुरू कर दिया है. वे एक ऐसे इतिहास का निर्माण कर रहे हैं जो न तार्किक हैं और न तथ्यात्मक. भारत में इतिहासविदों को निशाना बनाया जा रहा है. एक समय भाजपाई रह चुके अरुण शौरी ने एक पुस्तक लिखी थी जिसका शीर्षक था “द एमिनेंट हिस्टोरियंस”. इसमें ऐसे इतिहासविदों को निशाना बनाया गया था जिनकी अंतर्राष्ट्रीय प्रतिष्ठा है और जिन्हें उनके साथी सम्मान की निगाहों से देखते हैं. आज भी ऐसे कई लोग हैं जो इतिहास के तोड़े-मरोड़े गए संस्करण का प्रचार करते हैं और हिन्दू राष्ट्रवादी विचारधारा से असहमत व्यक्तियों पर कटु हमले करते हैं.

हिन्दू राष्ट्रवाद के प्रचार के लिए जो तंत्र पहले से मौजूद था, उसमें अब व्हाट्सएप भी जुड़ गया है. तार्किक और वैज्ञानिक इतिहास लेखन करने वालों और आम जनता के बीच सेतु का काम करने के लिए सामाजिक और राजनैतिक समूहों को आगे आना होगा. तभी हम यह सुनिश्चित कर सकेंगे कि आम जनों की समझ और धारणाएं, समावेशिता, वैज्ञानिक सोच और भारतीय राष्ट्रवाद के मूल्यों पर आधारित हो. अगर अपने पेशे के प्रति प्रतिबद्ध इतिहासविद, स्कूलों के लिए या आम पाठकों के लिए पुस्तकें लिखते हैं, तो हमें उनका आभारी होना चाहिए. व्हाट्सएप यूनिवर्सिटी की सफलता के पीछे सांप्रदायिक राजनीति है. यह इतिहासकारों के असफलता नहीं है.

13 नवम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

‘ધ વેજિટેરિયન’: એક માફકસરની સ્ત્રીમાં વસતો વિદ્રોહ

સોનલ પરીખ|Opinion - Opinion|15 November 2024

જ્યાં જીવવું હોય એમ જિવાતું નથી, ખાવું હોય એમ ખવાતું નથી, વર્તવું હોય એમ વર્તી શકાતું નથી, અસ્તિત્વ માગે તે આપી શકાતું નથી ને મરવું હોય તો મરી પણ શકાતું નથી એ કેવા પ્રકારની સ્થિતિ છે? આવી સ્થિતિમાં માણસ ડહાપણની સીમામાં ક્યાં સુધી રહી શકે?

—     હાન કાંગ

હાન કાંગ

વર્ષ ૨૦૨૪નું નોબેલ લિટરેચર પ્રાઇઝ દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને મળ્યું. દક્ષિણ કોરિયામાં સાહિત્ય માટે ગયેલું આ પહેલું નોબેલ પ્રાઇઝ છે. નોબેલ આપનાર રોયલ સ્વીડિશ એકેડમીએ આ સન્માનની જાહેરાત કરતાં કહ્યું, ‘આ સન્માન હાન કાંગને તેમના તીક્ષ્ણ અને કાવ્યાત્મક ગદ્ય માટે મળે છે, જેમાં અતીતના આઘાતો સાથે મૂઠભેડ અને માનવજીવનની કોમળતા બંનેનાં દર્શન થાય છે.’

હાન કાંગ કોરિયન ભાષામાં લખે છે અને દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં વસે છે. આ સિઓલને પશ્ચાદભૂમિકામાં રાખી લખાયેલી એમની નવલકથા ‘ધ વેજિટેરિયન’ને 2016નું બૂકર પ્રાઇઝ મળ્યું છે ને તે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયેલી એમની પહેલી નવલકથા છે. આ નવલકથા વાંચવા મળી નથી પણ એના વિષે ઈન્ટરનેટ પર ઘણું બધું ઉપલબ્ધ છે. જિજ્ઞાસા સાથે થોડું વાંચ્યું. એક સ્ત્રી અચાનક એક સ્વપ્ન જોઈને શાકાહારી બનવાનું નક્કી કરે અને એને લીધે એ એના કુટુંબથી વિખૂટી પડી જાય એવું વાંચીને કુતૂહલ વધ્યું. જેમ વધારે જાણતી ગઈ તેમ વધારે અંદર ઊતરતી ગઈ. પાત્રની સાથે મારી પરતો પણ ખૂલતી ગઈ. એવું તો શું હતું એમાં?

માંડ 200 જેટલાં પાનાંની આ નવલકથાની ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગનું નામ છે ‘ધ વેજિટેરિયન’ કથક છે નાયિકા યાંગ-હાઈનો પતિ. પતિપત્ની બંને સામાન્ય માણસો છે. પતિ ઓફિસમાં કામ કરે છે, પત્ની સાધારણ ને કામગરી છે. એ કહે છે, ‘મારી પત્નીમાં આકર્ષણ થાય એવું કશું નથી, પણ એ કદરૂપી પણ નથી. બહુ ઊંચી નથી, બહુ નીચી નથી. મને તે ફાવી ગઈ હતી. મારા મધ્યમ દેખાવ અને કઢંગી ટેવો એની સાથે ચાલી જતા હતા. તે ફરિયાદ કરતી નહોતી, કશું માગતી નહોતી. તેને જીતવા મારે કોઈ બૌદ્ધિક કસરત કરવાની જરૂર પડતી નહોતી. હું ઘેર હોઉં ને ટી.વી.માં ડૂબી ગયો હોઉં તો એ પોતાના કમરામાં જતી રહેતી. અમારી વચ્ચે બહુ પ્રેમ હતો એમ તો ન કહેવાય, પણ ખાસ વાંધો ય નહોતો.’

આગળ કહે છે, ‘પણ એ બ્રા પહેરતી નથી.’ અને આપણને એક ઇંગિત મળે છે, જો આપણે સાવધ અને સંવેદનશીલ હોઈએ તો. એનું બ્રા ન પહેરવું કોઈ વિદ્રોહ છે? આ મામલામાં એ કોઈ દલીલ નથી કરતી, પણ કોઈને ગણકારતી પણ નથી.

સીધી દિશામાં ચાલ્યું જતું તેમનું લગ્નજીવન પહેલી વાર ખળભળી ઊઠે છે જ્યારે યાંગ-હાઈને કતલ થતાં પ્રાણીઓનાં સ્વપ્ન આવે છે અને એ માંસ ખાવાનું બંધ કરી દે છે. ‘વૃક્ષ જેવા’ જીવનની ઝંખનામાં એનું ખાવાનું ઓછું થતું જાય છે, વજન ઘટતું જાય છે. ઘરના કોઇની સમજાવટ એના પર અસર કરતી નથી. જ્યાં શાકાહારનું બિલકુલ પ્રચલન નથી અને સામાજિક નિયમોને ઉવેખી શકાતા નથી એવા દક્ષિણ કોરિયન સમાજમાં યાંગ-હાઈનો વેજિટેરિયન થવાનો અત્યંત આઘાતજનક અને વિદ્રોહી નિર્ણય પતિને પચતો નથી અને તેને સીધી કરવા એ જાતીય આક્રમણ સહિતના અનેક કઠોર ઉપાયો અજમાવે છે. પરિવારમાં રાખેલા એક જમણમાં પતિ અને ભાઈ એના હાથ પકડી રાખે છે અને પિતા તેના મોંમાં પોર્ક ઠાંસે છે. યાંગ-હાઈ પોર્ક થૂંકી નાખે છે અને પોતાના કાંડા પર બ્લેડ ફેરવી દે છે અને તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. પહેલા ભાગના અંતે હોસ્પિટલમાંથી ભાગી નીકળેલી યાંગ-હાઈ મળે છે ત્યારે તેના હાથમાં એક ઘાયલ પક્ષી હોય છે. તેને ઉડાડી મૂકતાં તે કહે છે, ‘મેં કઈં ખોટું કર્યું છે?’

બીજા ભાગનું નામ છે ‘મોંગોલિયન માર્ક’. આ બધું બન્યાના બે વર્ષ બાદ યાંગ-હાઈનો બનેવી એક પ્રસંગ યાદ કરે છે. એ વીડિયો આર્ટિસ્ટ હતો. એને શરીર પર ફૂલો ચીતરાવેલાં સ્ત્રીપુરુષનો સંભોગ શૂટ કરવો હતો. યાંગ-હાઇના શરીર પર જન્મથી ફૂલો આકારનાં નિશાન છે તેથી તે તેને મૉડેલિંગ કરવાનું કહે છે. યાંગ-હાઈ સંમત થાય છે. બનેવી તેના શરીર પર રંગીન ફૂલો આકારે છે. સંભોગની વાત થતાં પુરુષ મોડેલ ચાલ્યો જાય છે. યાંગ-હાઈ કહે છે કે એ પુરુષના શરીર પર ચીતરેલાં ફૂલોએ તેનામાં ઉત્તેજના જગાડી છે. બનેવી પોતાના શરીર પર રંગીન ફૂલો ચીતરાવી યાંગ-હાઈ પાસે જાય છે અને તેની સાથે શરીરસંબંધ બાંધે છે. દરમ્યાન યંગ-હાઈનો પતિ તેના પર છૂટાછેડાની નોટિસ મોકલી ચૂક્યો છે. યાંગ-હાઈની બહેન આખી વાત જાણે છે ત્યારે પોતાના પતિને અને બહેનને માનસિક બીમાર કહે છે. બનેવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં બાલ્કનીમાંથી પડતું મૂકે છે પણ બચી જાય છે.

ત્રીજા ભાગ ‘ફ્લેમિંગ ટ્રીઝ’ની કથક છે યાંગ-હાઈની બહેન ઇન-હાઈ. એ હવે પતિથી અલગ છે. દીકરાને મોટો કરવા સાથે મેન્ટલ હોસ્પિટલમાં રહેતી યાંગ-હાઈની સંભાળ પણ લે છે. તેને સ્ક્રિઝોફેનિયા અને અનોરેક્સિયા નર્વોસાની સારવાર આપવામાં આવે છે. અનોરેક્સિયા નર્વોસા એક ઇટિંગ ડિસઑર્ડરનું નામ છે. તેમાં વ્યક્તિ શરીરનો આકાર બદલવાની ઘેલછામાં ખાવામાં ખૂબ આત્યંતિક કક્ષાના ફેરફાર કરે છે. યાંગ-હાઈ હવે પોતે વૃક્ષ હોય એમ વર્તવા લાગી છે. એક વાર હોસ્પિટલમાંથી ભાગીને તે વૃક્ષ શાંત ઊભું રહીને ભીંજાતું હોય તેમ વરસાદને ઝીલે છે. ઇન-હાઈ પોતે ડિપ્રેશન અને માનસિક અસ્વસ્થતાની શિકાર છે છતાં વારંવાર બહેનને મળવા હોસ્પિટલ જાય છે અને તેને ખાવા માટે સમજાવતી રહે છે. એક વાર એ યાંગ-હાઈને જબરદસ્તી ખવડાવતાં ડૉક્ટર-નર્સ અને છૂટવા મથતી યાંગ-હાઈને જુએ છે. તેનાથી આ કરુણ દૃશ્ય જોઈ શકતું નથી. અંતે બીજી બંને હોસ્પિટલમાં જતી બંને બહેનો રસ્તા પર પસાર થતાં વૃક્ષોને જુએ છે. ઇન-હાઈને થાય છે કે યાંગ-હાઈ વૃક્ષ બની ચૂકી છે અને પોતે યાંગ-હાઈ બનવાની તૈયારીમાં છે.

આમ શીર્ષક ‘ધ વેજિટેરિયન’ હોવા છતાં તેમાં સિદ્ધાંત તરીકે શાકાહારની કોઈ વાત નથી. એનાં સ્તરો ખૂલતાં આવે છે તેમ હિંસા, નિર્દોષતાની સંભાવના, પાગલપણું, બીજાને સમજવાની અશક્તિ, અભિવ્યક્તિના માધ્યમ તરીકે શરીરની અનિવાર્યતા અને મર્યાદા, પિતૃસત્તાકતા આ બધું ઊઘડતું આવે છે. હાન કાંગ હે છે, ‘ભૂલભૂલમણીમાં માર્ગ શોધતી હોઉં તેમ મેં લખ્યું છે. જ્યાં જીવવું હોય એમ જિવાતું નથી, ખાવું હોય એમ ખવાતું નથી, વર્તવું હોય એમ વર્તી શકાતું નથી, અસ્તિત્વ માગે તે આપી શકાતું નથી ને મરવું હોય તો મરી પણ શકાતું નથી એ કેવા પ્રકારની સ્થિતિ છે? આવી સ્થિતિમાં માણસ ડહાપણની સીમામાં ક્યાં સુધી રહી શકે?’

વિવેચકો શું કહે છે? ‘જુદી હોવાના કારણે, પોતાની ઓળખ સ્થાપિત કરવાના પ્રયત્નોને કારણે થતો યાંગ-હાઈનો સર્વનાશ એ માત્ર એક સ્ત્રીની વાત નથી. કોરિયાની સભ્યતા સ્ત્રીઓ પર કચડી નાખતું દબાણ લાદે છે.’ ‘આ એવી સ્ત્રીની વાત છે જે પોતાના જીવનમાં પોતાને શોધી રહી છે. આ સફરમાં તેને સમજાય છે કે પરિવારજનો અને સંબંધો લાગે છે તેટલા નિર્દોષ નથી.’ એવું નથી લાગતું કે આ આપણી પણ વાત છે? ‘કશું જ ન બચે અને કશું જ ન થઈ શકે ત્યારે જે ખાલીપણું અને આક્રોશ જન્મે, આદિમ સૌંદર્ય અને ખળભળાવી મૂકતો છટાદાર સંયમ – હાન કાંગ તેની માસ્ટર છે.’ ‘જુદી જુદી સંસ્કૃતિના લોકો જુદી જુદી રીતે જોઈ શકે એવી મોકળાશ અહીં છે.’

તમિલ અને નેપાળી સહિત ૨૭ ભાષામાં તેનો અનુવાદ થયો છે. પહેલો અનુવાદ અંગ્રેજીમાં કરનાર ડેબોનેર સ્મિથ કહે છે, ‘મારે જેટલો ડિકશનરીનો તેટલો ડિકશનરીની બહાર જવાનો પ્રયત્ન કરવો પડ્યો હતો.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ઑક્ટોબર  2024

Loading

સ્મિતા પાટિલ અને હંસા વાડકરની ‘ભૂમિકા’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 November 2024

રવીન્દ્ર પારેખ

રવિવારે  વિન્ટેજ વેટરન્સમાં શ્યામ બેનેગલની ફિલ્મ ‘ભૂમિકા’ જોઈ. સ્મિતા પાટિલની જન્મતારીખ 17 ઓક્ટોબરે નજીકમાં જ ગઈ એટલે આ લખવું પ્રસ્તુત થશે.

સ્ત્રીઓનું ફિલ્મોમાં કામ કરવું તિરસ્કારથી જોવાતું હતું, એ જમાનામાં હંસા વાડકર 13 વર્ષની ઉંમરે મરાઠી અને હિન્દી ભાષામાં બનેલી ફિલ્મ ‘વિજયાચી લગને’(1936)માં હિરોઈન બનેલી. તેણે ફિલ્મમાં કામ કરવું ન હતું, પણ પછી ફિલ્મોમાં જ ખપી ગયા જેવું થયું. 24 જાન્યુઆરી, 1923માં મુંબઇમાં જન્મેલી રતન સલગાઉંકર પાછળથી હંસા વાડકર તરીકે ઓળખાઈ. તેની મા સરસ્વતી દેવદાસીની દીકરી હતી ને બાપ ભાલચંદ્ર સલગાઉંકરની મા અને નાની દરબારમાં ગાનારીઓ હતી. તેનો બાપ શરાબી હતો એ સ્થિતિમાં રતનનું ભણવાનું છૂટી ગયું. આવામાં ભાઈને ભણવાનો વાંધો નથી આવતો, પણ બહેનનો ભોગ લેવાય છે …

રતનના બાપની એક બહેન માસ્ટર વિનાયકને પરણેલી. આ વિનાયક તે ફિલ્મ અભિનેત્રી નંદાના પિતા. બીજી બે બહેનો કેસર અને ઇન્દિરા ફિલ્મોમાં કામ કરતી. અલબત્ત ! અટક વાડકર રાખીને ! રતનની નાની ઉંમરે આવતા, મહિનાના અઢીસો રૂપિયા ભાઈને કડવા નથી લાગતા, પણ ફિલ્મોનો વાંધો તો તેને હતો જ ! એટલે રતન, હંસા બની ને તેણે અટક વાડકર અપનાવી. હંસાએ ફિલ્મોમાં કામ નહોતું કરવું, પણ તેની ફિલ્મો ચાલી નીકળી. બોમ્બે ટોકીઝ, પ્રભાત ફિલ્મ, વ્હી. શાંતરામની કંપનીમાં કામ કરતાં  કરતાં ફિલ્મો જ તેની કારકિર્દી થઈ ગઈ. પ્રભાત ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સંત સખુ’ બહુ જ પ્રશંસા પામી. અનંત માને દિગ્દર્શિત ફિલ્મ ‘સાંગતે ઐકા’ ફિલ્મ તમાશા પરથી 1939માં બની ને તે પુનામાં જ સવાસોથી વધુ અઠવાડિયા ચાલી. આ ઉપરાંત નોંધપાત્ર ફિલ્મોમાં ‘દુર્ગા’, ‘અપના પરાયા’. ‘રામશાસ્ત્રી’, ‘નવ જીવન’, ‘આઝાદ’, ‘સંત જનાબાઈ’, ‘રામ જોશી’ , ‘પુઢચે પાઉલ’, ‘ધર્મકન્યા’ વગેરે ગણાવી શકાય. મહિલાઓ દબાઈ-ચંપાઈને રહેતી હતી એ જમાનામાં હંસા વાડકર આધુનિક અભિનેત્રી તરીકે જાણીતી થઈ.

હંસા વાડકર

ફિલ્મોમાં હંસાને ભારે સફળતા મળી, પણ જિંદગીમાં એટલી જ નિષ્ફળતાઓ પણ મળી. 15 વર્ષની ઉંમરે 10 વર્ષ મોટા જગન્નાથ બંદરકર સાથે તેનાં લગ્ન થયાં. લગ્ન જીવન સફળ ન થયું – એમાં અન્ય ફિલ્મી હીરો સાથેના હંસાના સંબંધો અંગે પતિનો શંકાશીલ સ્વભાવ ભાગ ભજવી ગયો. તે એ હદ સુધી કે તેની સગી દીકરીને પણ તેને મળવા દેવાતી ન હતી. નાટકમાં, ફિલ્મોમાં કામ અપાવવાને બહાને પતિ જગન્નાથે તેને ખૂબ ફસાવી. 15 વર્ષની હંસાને તેણે ગર્ભવતી કરી એટલે કુટુંબની મરજી વિરુદ્ધ હંસાએ તેની સાથે પરણવું પડ્યું. પોતાના ધંધામાં જગન્નાથ નિષ્ફળ જતાં તે હંસાનો બિઝનેસ મેનેજર બની ગયો. પતિના શારીરિક, માનસિક અને આર્થિક ત્રાસથી છૂટવા હંસા શરાબની લતે ચડે છે.  એક વાર જાગે છે તો તે પોતાને અજાણ્યા પુરુષની ત્રીજી પત્ની તરીકે જુએ છે જે તેને ગુલામની જેમ રાખે છે ને  ત્યાંથી તે પતિની મદદથી છૂટે છે. ફરિયાદ કરવા મેજિસ્ટ્રેટ પાસે જાય છે તો તે લાગ જોઈને હંસા પર બળાત્કાર કરે છે. તેણે ગૃહિણીની જિંદગી જીવવી હતી, પણ તેનો પતિ તેને ફિલ્મો તરફ જ ધકેલતો રહ્યો. તેણે ઘરને બદલે હોટેલમાં રહેવું પડે છે. 1971માં 48 વર્ષની ટૂંકી જિંદગીથી ત્રાસીને હંસા દુનિયાથી વિદાય લે છે.

અનેક સંઘર્ષ અને પીડાને વાચા આપતી આત્મકથા હંસાએ ‘સાંગત્યે ઐકા’ મરાઠીમાં લખી. 1966માં ‘માણૂસ’ નામના મરાઠી સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈને 1970માં તે પુસ્તક તરીકે બહાર આવી ત્યારે તેણે ખાસી ચર્ચા જગાવેલી. એ આત્મકથા પર આધારિત એક ફિલ્મ જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલે ‘ભૂમિકા’ બનાવી. આ અદ્દભુત ફિલ્મને અનેક એવોર્ડસ મળ્યા ને તેની હિરોઈન સ્મિતા પાટિલને 1977નો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. અમોલ પાલેકર, અનંત નાગ, કુલભૂષણ ખરબંદા, નસીરુદ્દીન શાહ, સુલભા દેશપાંડે, દીના પાઠક જેવાં કલાકારોના અદ્દભુત અભિનયથી ઓપતી આ ફિલ્મનું સંગીત વનરાજ ભાટિયાનું હતું. ‘મંથન’માં ‘મેરો ગામ કાંઠા પારે…’માં ઉત્તર ગુજરાતની જે મહેક અનુભવાય છે એવી જ સુગંધ મરાઠી લાવણીમાં પણ વનરાજ ભાટિયા ફેલાવી શકે છે. ફોટોગ્રાફી ગોવિંદ નિહલાનીની હતી, જેમણે પછી સ્વતંત્ર રીતે ‘આક્રોશ’, ’અર્ધસત્ય’ જેવી ફિલ્મો બનાવી. પાત્રોની ઉંમર વચ્ચેનો તફાવત, સ્મૃતિનો કૌટુંબિક ગામઠી માહોલ અને તેની સાથે વર્તમાનનો શહેરી રંગીન લિબાસ વિરોધાવવા ફિલ્મમાં ફોટોગ્રાફીનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ભૂતકાળની ઉદાસ સ્મૃતિઓ બ્લેક એન્ડ વ્હાઇટમાં અને વર્તમાનની પીડાના વિવિધ રંગો ઉપસાવવા રંગીન ફોટોગ્રાફીનો સહેતુક ઉપયોગ ‘ભૂમિકા’માં થયો છે. સ્ક્રિપ્ટ ગિરીશ કરનાર્ડ, સત્યદેવ દુબે અને શ્યામ બેનેગલની હતી. સંવાદો સત્યદેવ દુબેના હતા, તેમાં વળી સ્ક્રિપ્ટ એટલી ટાઈટ હતી કે ઉત્તમ ફિલ્મ નીપજીને જ રહે. સ્ક્રિપ્ટ માટે પણ આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. આ ફિલ્મને શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગોલ્ડ પ્લેક’ એવોર્ડ પણ મળેલો.

ફિલ્મ ઉત્તમ કેવી કેવી રીતે કરી શકાય તેનો આ ફિલ્મ ઉત્તમ નમૂનો છે. અમોલ પાલેકરની તમામ ભૂમિકાઓમાં આ યાદગાર ભૂમિકા છે. આમ તો તે હસમુખ, ભોળા નાયકની ભૂમિકાઓથી પ્રેક્ષકોને પરિચિત, પણ આમાં તે શઠ, આક્રમક, શંકાશીલ અને ગણતરીબાજ પતિની ભૂમિકામાં છે. સ્મિતા અને  અમોલ સામસામે આવે છે તો બંનેની આંખો જ ધારદાર સંવાદનું કામ કરે છે.

સ્મિતા પાટિલ

ફિલ્મમાં બે પ્રવાહ છે. એક વર્તમાનનો ને બીજો વીતેલા સમયનો ! બંને વચ્ચે દાયકાઓનું અંતર છે. નાનકડી ઉષા (સ્મિતા) અને કેશવ(અમોલ)નું સાંગીતિક ઘરાનામાં વીતતું જીવન બહુ અસરકારક રીતે બતાવાયું છે. એમાં ઉષા તો બીજી બાળકી બને છે, પણ તેનાથી ઉંમરમાં મોટો કેશવ તો અમોલ જ બતાવાયો છે. એ અભિનય વડે ઉંમરનો જે તફાવત ઊભો કરે છે તે કાબિલે દાદ છે. ફ્લેશબેકનો અમોલ અને વર્તમાનનો અમોલ જુદા જ અનુભવાય છે. આ ભેદ ઉપસાવવામાં ફોટોગ્રાફી મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમણે શ્યામ બેનેગલની ફિલ્મ મંથન’ જોઈ છે એમને ખ્યાલ હશે કે ગામના સરપંચ તરીકે એક આંખ મીંચીને બોલતો કુલભૂષણ ખરબંદા અને ‘ભૂમિકા’ના સેટ પર લીલા નાળિયેરની મલાઈ ખાતો હરિલાલ (ખરબંદા) સાવ ભિન્ન જણાશે.

એ ખરું કે હંસા વાડકરે તેના સમયમાં ઘણી પડકારજનક ભૂમિકાઓ કરી, પણ સ્મિતા પાટિલ માટે ઉષા કે ઉર્વશી તરીકે વધારે પડકારો ઝીલવાના હતા. તેણે ફિલ્મ અભિનેત્રી ઉર્વશી તરીકે જુદી જુદી બ્લેકએન્ડ વ્હાઇટ અને રંગીન ફિલ્મોની અનેક ભૂમિકાઓ ભજવવાની હતી, એટલું જ નહીં, અભિનય દ્વારા ભૂમિકાઓ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરવાનો હતો. એ સાથે જ ભૂતકાળ અને વર્તમાનની કૌટુંબિક જિંદગીમાં ઊભી થયેલી કડવાશને પણ તીવ્રતાથી પ્રગટ કરવાની હતી. હંસા/ઉષા/ઉર્વશીની વ્યથા એ છે કે તેણે જે નહોતું કરવું એ જ કરવાનું આવ્યું ને ખુમારી એ હતી કે તેણે કરવું છે તે જ તે કરશે. આ સંઘર્ષ જિંદગી ખાઈ જનારો હોય છે.

નાની હતી ત્યારે ઉષાએ કેશવને પરણવું ન હતું ને માને ત્યારે વાંધો ન હતો. ઉષા ફિલ્મોમાં કમાતી થાય છે તો મા શાંતાબાઈ(સુલભા દેશપાંડે)નું મન ફરી જાય છે ને તે કેશવને ન પરણવાનું ઉષાને કહે છે. ઉષા માને સંભળાવે પણ છે કે કેશવે મદદ કરી ત્યારે તો કૈં ન બોલી. તેણે પરણવું પડે છે, કારણ કેશવે તેને ગર્ભવતી કરી છે. તેણે ફિલ્મો નથી કરવી ને પતિ કેશવ તેને પૂછ્યા વગર જ ઉષા/ઉર્વશી ફિલ્મો કરશે એવું કમિટ કરી આવે છે. ઉષાએ સાથી અભિનેતા રાજન (અનંત નાગ) સાથે કામ નથી કરવું ને પતિ તેની સાથે જ કામ કરવાની યોજના કરી શકે છે. વિધિની વક્રતા એ છે કે પતિ સાથે ઝઘડો કરીને ઘર છોડતી ઉષાએ જવું તો રાજનને આશરે જ પડે છે. એ પણ વિચિત્ર છે કે ધનાઢ્ય (અમરીશપુરી)ની ત્રીજી પત્ની બનેલી ઉષાએ તેની કેદમાંથી છૂટવા પત્ર લખીને જાણ તો પતિને જ કરવી પડે છે. આવા અનેક વિરોધાભાસોને સ્મિતા પાટિલે જીવી-જીરવી બતાવ્યા છે. સ્મિતા ઉત્તમ અભિનેત્રી હતી ને તે પણ હંસા વાડકરની જેમ જ નાની ઉંમરમાં ગુજરી ગઈ.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી શિવાજીરાવ પાટિલની દીકરી સ્મિતાનો જન્મ 1955માં પુનામાં થયો અને મૃત્યુ 1986માં મુંબઇમાં થયું. જોવાની ખૂબી એ છે કે અભિનયની કોઈ પણ તાલીમ લીધા વગર જ તે ઉત્તમ અભિનેત્રી પુરવાર થઈ હતી. શ્યામ બેનેગલે જ તેને અભિનયની પહેલી તક ‘ચરણદાસ ચોર’માં આપી. અભિનય તો તેણે 12 વર્ષ જ કર્યો, પણ એટલા ઓછા સમયમાં તેણે 66 ફિલ્મો કરી. ભૂમિકા ઉપરાંત ‘ચક્ર’, ‘મંથન’ અને મરાઠી ફિલ્મ ‘ઉંબરઠા’ માટે તેને અભિનયના રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા. તેને પદ્મશ્રી સન્માન પણ મળ્યું.

31 વર્ષની ટૂંકી જિંદગીમાં દેશ-વિદેશમાં માન-સન્માન મળે તેવું ઓછું બને. સ્મિતાએ અભિનય દ્વારા એવી સ્ત્રીને ફિલ્મી પડદે પ્રસ્તુત કરી જે શોષિત અને પીડિત તો છે જ, પણ એ મામલે તે વેઠ્યા નથી કરતી, અપેક્ષિત પરિણામ માટે મથે પણ છે. હંસા વાડકરને નિમિત્તે સ્મિતા પાટિલના સર્વોત્તમ અને સર્વાંગી અભિનયનો પરિચય ’ભૂમિકા’માં પ્રેક્ષકોને મળ્યો એ નાનીસૂની વાત નથી, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 નવેમ્બર 2024

Loading

...102030...354355356357...360370380...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved