Opinion Magazine
Number of visits: 9456712
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંસાના પ્રકારમાં દેખાય છે નવું સામંતી વલણ 

નેહા શાહ|Opinion - Opinion|16 November 2024

નેહા શાહ

૧૧ નવેમ્બરની રાત્રે, અમદાવાદના બોપલ જેવા પ્રમાણમાં ધનાઢ્ય ગણાતા વિસ્તારના જાહેર રસ્તા પર ૨૩ વર્ષના પ્રિયાંશુ જૈનની થયેલ હત્યા કોઈ સામાન્ય ખૂન કે ગુંડા ગર્દીની ઘટના નથી, કે નથી હિટ એન્ડ રન જેવી બેદરકારીનો કિસ્સો. એ બદલાતા સમાજની બદલાતી તાસીરના એંધાણ છે. ઘટનામાં પ્રિયાંશુ અને એનો મિત્ર પૃથ્વીરાજ રાત્રે નાસ્તો કરી પોતાના બાઇક પર કોલેજ પાછા જઇ રહ્યા હતા. પાછળથી અત્યંત ઝડપે પસાર થયેલી ગાડીને સ્પીડ ઓછી કરવા અંગે ટકોર કરી. આટલી સામાન્ય લાગતી બાબતે બોલચાલ બાદ ગાડી ચાલક યુ-ટર્ન લઈ પાછો આવ્યો. ગાડીમાંથી ઉતરી મારામારી શરૂ કરી ત્યારે એના બંને હાથમાં ચાકુ હતા જે વડે એણે  પ્રિયાંશુના પેટમાં ઘા કર્યા જે જીવલેણ નીવડ્યા. 

પાછલાં બે-ત્રણ વર્ષમાં ઘટેલી આવી બીજી બે ઘટના આ લખનાર વ્યક્તિગત ધોરણે જાણે છે. બે વર્ષ પહેલાં, બે વિદ્યાર્થિની એસ.જી. હાઇવેના સાંકડા સર્વિસ લેનમાંથી સ્કૂટી લઈને પસાર થતી હતી અને પાછળથી આવેલી ઓડી ગાડી સહેજ અડતા, ગાડી ચાલક ઊભો રહ્યો અને ગંદી ગાળો બોલતા,  પોતાની ગાડીની ડીકીમાંથી લાઠી કાઢી અને સ્કૂટી ચલાવનાર વિદ્યાર્થિનીને પગ પર બે-ચાર વાર માર્યું, અને ગાડી ભગાવી ચાલ્યો ગયો. સામાન્ય રીતે એવું મનાય છે કે આવી મારપીટ છોકરીઓ સાથે નથી થતી, પણ આ ઘટનામાં એવો કોઈ ભેદ રહ્યો નહીં! આ ઘટનાથી હેબતાઈ ગયેલી વિદ્યાર્થિની ત્યાર બાદ કોલેજ આવવા જ નો’તી માંગતી. ઘણાં કોઉન્સેલિંગ પછી એણે  પરીક્ષા આપી. 

બીજો કિસ્સો કોમર્સ કોલેજ વિસ્તારમાં અન્ય એક પરિચિત વ્યક્તિ સાથે થયો. અત્યંત ઝડપથી આવતી પોશ ગાડીને જોઈ બાઇક ચલાવનાર વ્યક્તિએ મૌખિક ઠપકો આપ્યો. ઠપકો સહન ના કરી શકતા  કાર ચાલકે  ગાડીમાંથી ઉતરી ક્રિકેટના બેટ વડે બાઇક ચાલક પર હુમલો કર્યો. હુમલો કરનાર મોટા બાપનો નબીરો હતો એટલે વાત દબાઈ ગઈ. જો આ બંને ઘટનાની આ લખનારને વ્યક્તિગત ધોરણે જાણ છે તો આ પ્રકારની અન્ય ઘટનાઓ બની જ હોવી જોઈએ. બોપલની ઘટનામાં પ્રિયાંશુનું મૃત્યુ થઈ ગયું એટલે એની અખબારોએ નોંધ લીધી. અન્ય ઘટના તો જાણવા જોગ માનીને વિસરાઈ ગઈ. 

પ્રિયાંશુનાં માતા -પિતાએ પોતાનો જુવાન જોધ અને આશાસ્પદ લાડકવાયો ગુમાવ્યો, એટલે આ ઘટના ચોક્કસ પણે ભાવનાત્મક રીતે આપણી સંવેદનાને સ્પર્શે છે. પણ, એ સિવાય પણ ઉપરની ત્રણેય ઘટના ઘણું કહી જાય છે. આ દરેક કિસ્સામાં ગુનેગારની સામંતી માનસિકતા દેખાય છે. હાથમાં મોંઘી દાટ ગાડી હોય તો એને બેફામ ચલાવી શકવાનું ઘમંડ અને ઉધ્ધતાઈ દેખાય છે. જે વલણ હિંસક સ્વરૂપ લઈ રહ્યો છે. ચાકુ કે લાઠી જેવા હથિયાર લોકો પોતાની સાથે રાખીને ફરે છે. તેઓ બહાનું આત્મ સુરક્ષાનું આપતા હશે પણ, ગુસ્સો આવે ત્યારે એનો હુમલો કરવામાં પણ ઉપયોગ કરે છે! 

ઉત્તર પ્રદેશ અને બિહારમાં રસ્તા ઉપર આવી ઘટનાઓ થતી હોવાનું સાંભળ્યું છે. એ માટે આ વિસ્તારની સામંતવાદી સમાજ વ્યવસ્થાને જવાબદાર માનવામાં આવે છે. સામંતવાદી વ્યવસ્થામાં ઊંચ-નીચનો અધિક્રમ રહેલો છે. લોકશાહીની પ્રગતિ સાથે આ ઊંચ-નીચનો ક્રમ નાબૂદ થવો જોઈએ. પણ, જ્યાં એને સામાજિક માન્યતા મળેલી છે, ત્યાં નાબૂદ થતાં વાર લાગે છે. ગુજરાતમાં આ પ્રકારની હિંસા દલિતો વિરુદ્ધ વર્ષોથી જોવા મળે છે. પાછલાં થોડાં વર્ષોમાં મુસલમાનો વિરુદ્ધ પણ હિંસા થાય છે. પણ એ સિવાય જાહેરમાં સામાન્ય ખટરાગ હિંસક સ્વરૂપ લે એવું બનતું નથી. આ વલણ નવું છે. ચોરીની શંકાએ વડોદરા, કચ્છ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જેવી અલગ અલગ ઘટનામાં માણસ મરી જાય એ હદે લીનચિંગ થાય એ ચોંકાવનારું છે. આ બધી ઘટના છેલ્લા છ મહિનામાં નોંધાઈ છે. શું આ કથળતા માનસિક સ્વાસ્થ્યનું પરિણામ છે કે પછી એનાથી આગળ વધી સામંતી માનસિકતાનો નવો પ્રકાર છે? આ સવાલ પૂછવો વ્યાજબી છે કારણ કે જે રીતે લોકો કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ રહ્યા છે એમાં સત્તા અને શક્તિનું પ્રદર્શન કરતી એક પેટર્ન દેખાય છે. કોમી લીન્ચિંગને સત્તા તરફથી રક્ષણ મળતું રહે છે, પણ એ રીતે પોષાતુ હિંસક વલણ કોમી વૈમનસ્ય પૂરતું મર્યાદિત થોડું રહેવાનું? એ તો એક માનસિકતા છે જે દવની માફક ફેલાવાની.   

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. ૨૦૨૩ના ક્રાઇમ બ્યુરોની મહત્તમ ગુનો નોંધાયેલા દસ શહેરોની યાદીમાં ગુજરાત બે શહેરોનો સમાવેશ થયો છે – સુરત અને અમદાવાદ. આર્થિક પ્રગતિનો લાભ જ્યારે અમુક વર્ગ પૂરતો મર્યાદિત રહે ત્યારે વંચિત વર્ગમાં પોતાની આકાંક્ષાઓ પાર પાડવા ગેરકાનૂની રસ્તા અપનાવે એવું જોવા મળતું હોય છે. પણ, જે વર્ગ આ વ્યવસ્થાનો લાભાર્થી છે એ સત્તાની વધુ નજીક આવે છે, અને શક્તિશાળી બને છે. તેમને લાભનો નશો ત્યારે ચડે જ્યારે પોતે અન્ય કરતાં ચડિયાતા હોવાનો ઘમંડ સંતોષાય. તાકાતના પ્રદર્શન માટે હિંસાથી તેઓ છોછ નથી કરતાં. 

આ ઘમંડી વલણને સામંતી નહીં તો બીજું શું કહીશું?

સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૧૬)

સુમન શાહ|Opinion - Opinion|15 November 2024

સુમન શાહ

આપણે જોયું કે કલ્પિત વાર્તાઓથી, ભગવાનો, ચલણી નાણાં કે રાષ્ટ્રો જેવી ઇન્ટરસબ્જેક્ટિવ વસ્તુઓથી અને તે માટે રચાયેલાં નેટવર્ક્સથી લોકો પ્રભાવિત થઈ જતા હોય છે, અને નિરન્તર દોરવાતા રહે છે. 

એથી એવા કોઈપણ નેટવર્કને બે ગર્ભિત લાભ થાય છે, હરારી ઉમેરે છે, પણ સત્યને વેઠવું પડે છે. કેમ કે સત્ય સંકુલ હોય છે કેમ કે એ જે વાસ્તવિકતા રજૂ કરે છે તે સંકુલ હોય છે. 

નેટવર્ક ઘડનારાઓને પહેલો લાભ એ થાય કે એની વાર્તા સરળ બનાવી શકાય, જેથી લોકને સમજવામાં તકલીફ ન પડે. બીજો લાભ એ કે સત્યને મધમીઠું બનાવી લેવાય, જેથી એ ગમે તેટલું કડવું હોય તો પણ લોકને ગળે ઊતરી જાય. કેમ કે કેટલાં ય સત્ય કડવાં જ હોય છે. 

બહુ-સ્વીકાર અને ખુશામત વિસ્તરતાં રહે એ માટેનાં એ નેટવર્ક્સને પરિણામે, સત્ય સત્ય જ નથી રહેતું. હરારી સરસ કહે છે, સત્ય કરતાં તો વાર્તા વધુ સ્થિતિસ્થાપક કે નમનીય હોય છે. મને એમના મનમાં એ ખયાલ રહેલો વરતાય છે કે સત્ય પ્રખર અને અટળ હોય છે.

તેઓ જણાવે છે કે દરેક રાષ્ટ્રના ઇતિહાસમાં કેટલાક ડાર્ક ઍપિસોડ્ઝ હોય છે, એટલે કે, નક્કારભરી કે શરમજનક ઘટનાઓ, જેનો સ્વીકાર કે સ્મરણ પ્રજાજનો માટે સરળ કે શક્ય નથી હોતાં. પોતાના દેશનું દૃષ્ટાન્ત જોડીને તેઓ કહે છે કે ઇઝરાઇલી રાજકારણી પોતાની ઇલેક્શન સ્પીચમાં વીગતે જો એમ કહે કે પૅલેસ્ટાઇન પરના ઇઝરાઇલ ઑક્યુપેશનને કારણે ત્યાંના નાગરિકોને આટઆટલી યાતનાઓ ભોગવવી પડી છે, તો એને ઝાઝા મત નહીં મળે. એને બદલે જે રાજકારણી અસુખકર હકીકતોને બાજુએ મૂકીને, યહૂદી-ભૂતકાળની ઝગમગતી ક્ષણો ગૂંથીને, રાષ્ટ્રીય ગાથા – નેશનલ મિથ – ઘડી કાઢશે, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે વાસ્તવિકતાને અલંકૃત કરશે, તો સત્તા સરળતાથી પામશે. 

સ્મૂધી

એવી ગાથાને, મિથને, હું સાચ-જૂઠ-કલ્પનાની ‘સ્મૂધી’ કહું છું. સ્મૂધી જાણીતું પીણું છે, જે સ્ટ્રૉબેરી કે બ્લૂબૅરી જેવાં ફળ, કંઇક ગ્રીક યોગર્ટ અને બરફ નાખીને બનાવાયેલું લોકપ્રિય પીણું છે. 

હરારી કહે છે, આવો કેસ માત્ર ઇઝરાઇલમાં જ નહીં પણ બધા જ દેશોમાં જોવા મળે છે. હરારી પૂછે છે : કેટલા ઇટાલિયનો કે ઇન્ડિયનો પોતાના રાષ્ટ્રના લાંછનરહિત સત્યને સુણવા ઇચ્છશે? 

હરારીએ અહીં એવા લાંછનરહિત સત્યનો ઉલ્લેખ કર્યો હોત તો સારું કહેવાત. પણ એક ઇન્ડિયન તરીકે હું કહું કે અસ્પૃશ્યતા મારા રાષ્ટ્રનું ઘોર પાતક છે, બલકે માનવતાને કપાળે મહા કલંક છે.

ગાથાઓ રચીને જૂઠને ચલણી બનાવાય છે. એ સંદર્ભમાં પ્લેટોના “Republic”-નો ઉલ્લેખ કરી હરારી જણાવે છે કે એમના ‘યુટોપીયન’ રાજ્યનું કલ્પિત રાજ્યબંધારણ કેવું તો ઉમદા જૂઠ છે, noble lie.

સામાજિક વ્યવસ્થા અથવા સુગ્રથિત સમાજના મૂળ વિશે કાલ્પનિક વાર્તા રજૂ કરીને પ્લેટો દર્શાવે છે કે એ બંધારણથી નગરજનોની વફાદારી સુદૃઢ થાય છે, સાથોસાથ, રાજ્યબંધારણ વિશે તેઓએ કશા પ્રશ્નો પણ નહીં કરવા પડે. પ્લેટોએ લખ્યું કે નગરજનોએ જાણવું જોઈશે કે તેઓ પૃથ્વીનાં સન્તાન છે, ધરતી તેમની માતા છે, અને તેને વફાદાર રહેવું તે તેમનું કર્તવ્ય છે. નગરજનોએ એ પણ સમજવું જોઈશે કે તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે દેવોએ તેમાં સોનું રૂપું કાંસુ લોહ મિશ્રિત કરી દીધેલાં, અને તેને પ્રતાપે, સુવર્ણ રાજાઓ અને કાંસ્ય સેવકો વચ્ચે જે ઉચ્ચાવચતા છે તેને પ્રાકૃતિક સમજવી. 

પ્લૂટો

હરારી કહે છે કે પ્લેટોનું એ યુટોપીયન રાજ્ય વાસ્તવમાં કદી આકારિત થયેલું જ નહીં, પણ સદીઓ દરમ્યાન રાજકારણીઓએ પોતાના રહેવાસીઓને આ ઉમદા જૂઠ જુદા જુદા શબ્દોમાં કહ્યે રાખેલું.  

કાલ્પનિક કે દેવોથી સમર્થિત ‘ડિવાઇન ઓરિજિન’ ધરાવતા રાજ્યબંધારણમાં નહીં, પણ હરારીને જેનો મૂળાધાર માણસ હોય એવા ‘હ્યુમન ઓરિજિન’ રાજ્યબંધારણમાં શ્રદ્ધા છે. એટલા માટે કે હ્યુમન ઓરિજિન ધરાવતા રાજ્યબંધારણમાં સુધારા-વધારાની – ઍમેન્ડમૅન્ટ્સની – શક્યતા ખુલ્લી રહે છે. એમણે યુ.ઍસ.એ.-નો દાખલો ટાંકીને કહ્યું છે કે એ હ્યુમન ઓરિજિન છે, એનો પ્રારમ્ભ જ ‘We the people’ -થી થાય છે. જ્યારે, ‘ટેન કમાન્ડમૅન્ટ્સ’-નો પ્રારમ્ભ ‘I am the Lord your God’ -થી થાય છે. માનવ વડે થનારા સુધારા-વધારાને એ રોકે છે. 

૨૦૨૪-ના સપ્ટેમ્બર સુધીમાં ભારતના રાજ્યબંધારણમાં ૧૦૬ સુધારા-વધારા થયા છે. એમાં પ્રારમ્ભે શબ્દો છે, ‘We the people of India’.  

+  +

હરારીનાં મન્તવ્યો પરથી મને એક પ્રશ્ન થાય છે કે સ્ટોરી તો હિસ્ટરીના પેટમાં વસી હોય છે અથવા સ્ટોરી હતી તો હિસ્ટરી છે; તેથી, હિસ્ટોરિકલ ફૅક્ટ્સને સ્થાને એ વાર્તાઓ પણ હરતીફરતી થઈને પ્રભાવક બની જાય કે કેમ. આમે ય, ટ્રુથ, અન્ટ્રુથ, મૅમરી, ઇમેજિનેશન, હિસ્ટરી, સ્ટોરી અને મિથની પ્રજાજીવનમાં ભેળસેળ થતી જ હોય છે. 

નાનપણમાં આપણે સૌએ રાજાઓની વાર્તાઓ બહુ સાંભળી હોય છે, માનીતી-અણમાનીતીની કે એક રાજાને સોળ રાણીઓ હતી, વગેરે. ઉપરાન્ત, ભારતવાસીના જીવનમાં, નાના રાજવીઓ ઠાકોરો રાજાઓ મહારાજાઓ સમ્રાટો પ્રકારે વાસ્તવિક રાજાશાહીનો પહેલેથી પ્રભાવ રહ્યો છે. રાજા માટે, રાજ્ય માટે, માણસને અહોભાવ હોય છે, પોતે ત્યાંનો રહેવાસી હોય તો એ અહોભાવ વિભૂતિપૂજામાં પરિણમતો હોય છે. 

ગાયકવાડી રાજ્યના વડોદરા-ડભોઇમાં જનમેલા અને ઊછરેલા એવા મને રાજાઓ વિશે સ્વાભાવિકપણે ચાહતભર્યો સદ્ભાવ હતો. પિતાજી કહેતા કે દશેરાએ વડોદરામાં એમની સવારી નીકળે છે, આપણા રાજા હાથી પર સોનાની અંબાડીમાં બેઠા હોય છે, સેવકો સિક્કા ઉછાળતા હોય છે, લોક ઝીલી લે છે કે વીણી લે છે … મને એ સવારી જોવાની ઘણી ઇચ્છા હતી પણ શક્ય નહીં બનેલું. જો કે, 1964-માં, ઍમ. ઍસ.યુનિવર્સિટી વડોદરામાં, ઍમ.એ.-ના મારા કૉન્વોકેશન વખતે, મેં સાક્ષાત્ ફત્તેસિંહરાવને જોયા, એમના હાથે સ-નમસ્કાર સર્ટિફિકેટ સ્વીકાર્યું, ત્યારે મને એવું લાગેલું કે એમના રાજ્યનો હું એક ઉપયોગી આશાસ્પદ યુવાન છું.

હું માધ્યમિકમાં ભણતો’તો ત્યાંલગી એમ જ માનતો હતો કે અકબર તો એકદમ સારો મુઘલ સમ્રાટ હતો. કેમ કે મેં ‘દિને-ઇલાહી’, હાસ્યકાર બિરબલ સહિતનો એનો ‘નવરત્ન દરબાર’, ‘અકબર ધ ગ્રેટ’ જેવો બઝવર્ડ, વગેરે રસિક સ્ટોરીઝ સાંભળેલી. પણ જ્યારે જાણ્યું કે એક રાજા તરીકે અકબરે જાતે કેટલીયે હત્યાઓ કરેલી અને કેટલીયે કરાવેલી — ઇતિહાસકારો લખે છે કે 1568-માં ચિત્તોડગઢ કબજે કર્યા પછી એણે ૩૦ હજાર રાજપૂતોના general massacre-નો, કત્લેઆમનો, હુકમ કરેલો, મારું મન દુ:ખી થઇ ગયેલું. મારા માટે એ પ્રશ્ન વિચારણીય બની ગયેલો કે એ હત્યાઓ સામ્રાજ્યના વિકાસ માટે હતી કે પ્રજાના કલ્યાણ માટે.

એમ ધીમે ધીમે હું નિર્ભાન્ત થવા લાગેલો. હિસ્ટરી મારા માટે સ્ટોરીને સ્થાને હિંસ્ર ઘટનાઓના આઘાતક સમાચારો બનવા લાગેલી. અને હિંસાના કરનારા સત્તાધીશો જ હતા જેઓ પ્રજાકલ્યાણ અને ન્યાયસંગત શાસનનાં બણગાં ફૂંકતા’તા! ક્રમે ક્રમે હું કાન્ટ, સાર્ત્ર અને કામૂનાં દર્શનોમાં તેમ જ આધુનિક સંવેદનાનાં સાહિત્યસર્જનોમાં પ્રવેશ્યો હતો, ને ઊડો ઊતરેલો.

ઍમ.એ.ના અભ્યાસ પછી અને આધુનિક સાહિત્યના અધ્યયન દરમ્યાન મેં બન્ને વિશ્વયુદ્ધો વિશે વાંચ્યું. અનેક કત્લેઆમ વિશે પણ વાંચ્યું. 1919-ની ‘જલિયાનવાલા બાગ’-ની કત્લેઆમ; 1915-થી 1917 દરમ્યાન ઓટોમન ઍમ્પાયરે લાખથી પણ વધુ અમેરિકનોને વધેરી નાખેલા એ ‘ધ અમેરિકન જેનોસાઇડ’; બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી જર્મનીએ ૬૦ લાખ યહૂદીઓને ખતમ કરી નાખેલા એ ‘ધ હોલોકાસ્ટ’; 1994 -નો હુટુ અન્તિમવાદીઓ દ્વારા થયેલી આશરે ૮ લાખ લોકોની હત્યાનો ‘ર્-વાન્ડાન્ જેનોસાઇડ’; વગેરે જાણ્યું ત્યારે મનુષ્યજીવનના નેતૃત્વ વિશેનું મારું દૃષ્ટિબિન્દુ બદલાઇ ગયેલું.

એ જુદી વાત છે કે હિંસાને હું રાજશાસનના જરૂરી સત્ય તરીકે આજે પણ નથી સ્વીકારી શકતો. પરન્તુ એટલે મને મન:સમાધાન રહે છે કે લોકશાસનમાં ભલા એ તો નથી થતું! 

સત્યની ઉપર ઓછામાં ઓછું એક સત્ય હમેશાં હોય છે. ઇતિહાસ પૂર્વગ્રહદૂષિત, ખોટા અને અવિશ્સનીય હોય છે. ખાસ તો, ઘણા પાછળથી લખાયેલા અથવા અમુક સ્થાને અટકી જતા ઇતિહાસો અધૂરા હોય છે. 

એટલે, હરારી ‘સ્ટોન એજ’-નાં દૃષ્ટાન્તો આપે ત્યારે મને એમની વિદ્વત્તા વિશે કશો જ પ્રશ્ન થતો નથી, પણ એવાં દૂરવર્તી દૃષ્ટાન્તો મને બહુ અસરકારક નથી લાગતાં. એથી એમની દલીલ મને પૂરેપૂરી વસતી નથી. 

અફકોર્સ, આઈ નીડ ટુ લિસન ટુ હિમ ક્લૉઝલિ ઍન્ડ પે ઍટેન્શન ટુ ઍવરીથિન્ગ હી સેઝ. 

ક્રમશ:
(14Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

व्हाट्सएप इतिहास: सच या राजनैतिक एजेंडा

राम पुनियानी|Opinion - Opinion|15 November 2024

राम पुनियानी

पिछले कुछ समय से समाज की सामूहिक समझ को आकार देने में व्हाट्सएप यूनिवर्सिटी की भूमिका बहुत महत्वपूर्ण बन गई है.  कड़ी मेहनत से और तार्किक व वैज्ञानिक आधारों पर हमारे अतीत के बारे में खोज करने वाले इतिहासविदों का मखौल बनाया जा रहा है और वर्चस्वशाली राजनैतिक ताकतें उनके लेखन को दरकिनार कर रही हैं. यह सचमुच चिंता का विषय है कि व्हाट्सएप यूनिवर्सिटी द्वारा जिस सामाजिक सोच को आकार दिया जा रहा है, वह हिंदुत्व या हिन्दू राष्ट्रवाद के प्रतिगामी राजनैतिक एजेंडा  को लागू करने वालों का औजार बन गई है.

यह मुद्दा अभी हाल में एक बार फिर तब उठा जब इतिहासकार विलियम डालरेम्पिल, जिनकी कई पुस्तकें हाल में लोकप्रिय हुईं हैं, ने पत्रकारों के साथ बातचीत में कहा: ”….इसका नतीजा है व्हाट्सएप इतिहास और व्हाट्सएप यूनिवर्सिटी. यह भारतीय अध्येताओं की असफलता है कि वे सामान्य लोगों तक नहीं पहुँच सके हैं.” (इंडियन एक्सप्रेस, अड्डा, 11 नवम्बर 2024)

डालरेम्पिल के अनुसार इस कारण समाज में गलत धारणाएं घर कर गईं हैं जैसे, आर्य इस देश के मूल निवासी थे, प्राचीन भारत में संपूर्ण वैज्ञानिक ज्ञान उपलब्ध था, ‘हमारे पास’ पुष्पक विमान था, प्लास्टिक सर्जरी थी, जेनेटिक इंजीनियरिंग थी और न जाने क्या-क्या था. व्हाट्सएप यूनिवर्सिटी ही इस सामान्य सामाजिक समझ का स्त्रोत है कि इस्लाम और ईसाईयत विदेशी धर्म  हैं, मुस्लिम शासकों ने हिन्दू मंदिर गिराए और हिन्दुओं पर घोर अत्याचार किये और यह भी कि इस्लाम तलवार के बल पर भारत में फैला. यह धारणा भी है कि महात्मा गाँधी हिन्दू विरोधी थे और देश को आज़ादी, गांधीजी के नेतृत्व में चलाये गए राष्ट्रीय आन्दोलन के कारण नहीं मिली. ये गलत धारणाएं बहुसंख्यक लोगों के दिमाग में बैठा दी गईं हैं.

व्हाट्सएप यूनिवर्सिटी ने इस नैरेटिव को भले की अधिक व्यापकता दी हो, मगर इसे पहले से ही हिन्दू सांप्रदायिक धारा फैला रही थी. इस धारा का मुख्य प्रतिनिधि था आरएसएस और आगे चलकर उसके परिवार के विभिन्न सदस्य. आज़ादी के आन्दोलन के दौरान सबसे वर्चस्वशाली नैरेटिव थी राष्ट्रीय आन्दोलन से उपजी समावेशी सोच. यह नैरेटिव कहता था कि भारत एक निर्मित होता, आकर लेता राष्ट्र है. इसके विपरीत, हिन्दू राष्ट्रवादी नैरेटिव, जो उस समय हाशिये पर था, कहता था कि भारत हमेशा से एक हिन्दू राष्ट्र रहा है. दूसरी ओर, मुस्लिम राष्ट्रवादियों का कहना था कि आठवीं सदी में सिंध में मुहम्मद-बिन-कासिम का शासन स्थापित होने के बाद से ही भारत एक मुस्लिम राष्ट्र है.

सांप्रदायिक इतिहास लेखन ब्रिटिश शासनकाल में शुरू हुआ. अंग्रेज़ शासकों ने ऐसी पुस्तकों को प्रोत्साहित किया जो भारत के अतीत को तीन कालों में विभाजित करती थीं – हिन्दू, मुस्लिम और ब्रिटिश. ऐसी ही एक पुस्तक थी जेम्स मिल की ‘हिस्ट्री ऑफ़ इंडिया”. इलियट एवं डाउसन का बहु-खंडीय ग्रन्थ “हिस्ट्री ऑफ़ इंडिया एज़ टोल्ड बाय हर हिस्टोरियंस” भी इसी तर्ज पर लिखी गई थी. ये दोनों पुस्तकें इस धारणा पर आधारित थीं कि राजा और बादशाह, अपने-अपने धर्मों का प्रतिनिधित्व करते थे. हिन्दू सांप्रदायिक इतिहास लेखन की शुरुआत आरएसएस की शाखाओं में होने वाले बौद्धिकों से हुई. उसे विभिन्न चैनलों द्वारा फैलाया गया. इनमें शामिल थे सरवती शिशु मंदिर, एकल विद्यालय और संघ के गैर-आधिकारिक मुखपत्र आर्गेनाइजर एवं पाञ्चजन्य. लालकृष्ण अडवाणी के जनता पार्टी सरकार में केन्द्रीय सूचना एवं प्रसारण मंत्री बनने के बाद इस नैरेटिव ने सरकारी तंत्र में घुसपैठ कर ली और इसके प्रसार के लिए सरकारी मशीनरी का उपयोग किया जाने लगा. अब तो ऐसा लग रहा है कि आरएसएस हमारी पूरी शिक्षा व्यवस्था को ही बदल देना चाहता है. इतिहास, सामाजिक विज्ञानों और अन्य विषयों की पुस्तकों को नए सिरे से लिखा जा रहा है.

आरएसएस से जुड़ी एक संस्था ‘शिक्षा बचाओ आन्दोलन’ के दीनानाथ बत्रा द्वारा लिखित नौ पुस्तकों का गुजरती में अनुवाद कर उन्हें गुजरात के 42,000 स्कूलों में लागू कर दिया गया है.  भाजपा के साथी कॉर्पोरेट घरानों (अदानी, अंबानी) ने मीडिया पर लगभग पूरा कब्ज़ा कर लिया है और नतीजे में मीडिया का अधिकांश हिस्सा भाजपा की गोदी में बैठा नज़र आ रहा है. भाजपा अपने आईटी सेल को मजबूत कर रही है और व्हाट्सएप के ज़रिये अपने नैरेटिव को प्रसारित कर रही है. इस सबका बढ़िया विश्लेषण स्वाति चतुर्वेदी ने अपनी पुस्तक “आई वाज़ ए ट्रोल” में किया है.

गंभीर और निष्पक्ष इतिहासकारों ने सामान्य पाठकों के साथ-साथ, स्कूली पाठ्यपुस्तकों के लिए भी लेखन किया है. इनमें प्राचीन भारतीय इतिहास पर रोमिला थापर की पुस्तकें सबसे लोकप्रिय हैं. इरफ़ान हबीब ने मध्यकालीन इतिहास पर महत्वपूर्ण काम किया है और बिपिन चन्द्र की “भारत का स्वाधीनता संग्राम” के कई संस्करण प्रकाशित हो चुके हैं. सन 1980 के दशक तक इन इतिहासकारों द्वारा लिखित पुस्तकें, एनसीईआरटी के पाठ्यक्रम का हिस्सा थीं. भाजपा ने 1998 में सत्ता में आने के बाद से शिक्षा के भगवाकरण का अभियान शुरू किया. सन 2014 में पार्टी अपने बल पर केंद्र में सत्ता में आ गई, जिसके बाद इस अभियान ने और जोर पकड़ लिया. अब इस छद्म इतिहास और पौराणिक कथाओं को ‘इतिहास’ का दर्जा देने की कवायद जोर-शोर से चल रही है.

आम लोगों की धारणाओं और सोच को आकार देने में इतिहासविदों की सीमित भूमिका होती है. सत्ताधारी या वर्चस्वशाली राजनैतिक ताकतों की सोच, सामाजिक धारणाओं के निर्माण में सबसे महती भूमिका निभाती है. भाषाविद और मानवाधिकार कार्यकर्ता नोएम चोमोस्की ने “सहमति के निर्माण” की अवधारणा प्रस्तावित की है. इस अवधारणा के अनुसार, सरकारें जो करना चाहतीं हैं – जैसे वियतनाम या इराक पर हमला – उसके लिए वे जनता में ‘सहमति का निर्माण’ करती हैं. लोगों को यह समझाया जाता है कि यह करना समाज और उनके हित में है. इतिहासविद चाहे जो भी कहते रहे, सच छिप जाता है और राज्य या वर्चस्वशाली राजनैतिक विचारधारा अपनी ज़रुरत के हिसाब से सामान्य समझ को आकार देती है.

व्हाट्सएप के जरिये समाज में फैलाई जा रही अतार्किक बातों पर विलियम डालरेम्पिल की चिंता स्वाभाविक है. मगर असली मुद्दा यह है कि दक्षिणपंथी राजनीति का बोलबाला बढ़ने के साथ ही, उसने बहुत चतुराई से अपना राजनैतिक एजेंडा लागू करना शुरू कर दिया है. वे एक ऐसे इतिहास का निर्माण कर रहे हैं जो न तार्किक हैं और न तथ्यात्मक. भारत में इतिहासविदों को निशाना बनाया जा रहा है. एक समय भाजपाई रह चुके अरुण शौरी ने एक पुस्तक लिखी थी जिसका शीर्षक था “द एमिनेंट हिस्टोरियंस”. इसमें ऐसे इतिहासविदों को निशाना बनाया गया था जिनकी अंतर्राष्ट्रीय प्रतिष्ठा है और जिन्हें उनके साथी सम्मान की निगाहों से देखते हैं. आज भी ऐसे कई लोग हैं जो इतिहास के तोड़े-मरोड़े गए संस्करण का प्रचार करते हैं और हिन्दू राष्ट्रवादी विचारधारा से असहमत व्यक्तियों पर कटु हमले करते हैं.

हिन्दू राष्ट्रवाद के प्रचार के लिए जो तंत्र पहले से मौजूद था, उसमें अब व्हाट्सएप भी जुड़ गया है. तार्किक और वैज्ञानिक इतिहास लेखन करने वालों और आम जनता के बीच सेतु का काम करने के लिए सामाजिक और राजनैतिक समूहों को आगे आना होगा. तभी हम यह सुनिश्चित कर सकेंगे कि आम जनों की समझ और धारणाएं, समावेशिता, वैज्ञानिक सोच और भारतीय राष्ट्रवाद के मूल्यों पर आधारित हो. अगर अपने पेशे के प्रति प्रतिबद्ध इतिहासविद, स्कूलों के लिए या आम पाठकों के लिए पुस्तकें लिखते हैं, तो हमें उनका आभारी होना चाहिए. व्हाट्सएप यूनिवर्सिटी की सफलता के पीछे सांप्रदायिक राजनीति है. यह इतिहासकारों के असफलता नहीं है.

13 नवम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...353354355356...360370380...

Search by

Opinion

  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved