Opinion Magazine
Number of visits: 9768407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે એકલા જાજો રે ….

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|17 January 2017

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો વિરોધ કરવા માટે ‘રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ’ના કન્વીનર  જિજ્ઞેશ મેવાણી અને ખેડૂત સમાજના મંત્રી સાગર રબારીની દસમી જાન્યુઆરીના મંગળવારની સવારે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી. તેમને આખો દિવસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાખીને રાત્રે દસ વાગ્યે છોડવામાં આવ્યા. તેમની સાથે ‘પાટીદાર અનામત આંદોલન સમિતિ’ના અતુલ પટેલની પણ આ જ રીતે ધરપકડ કરવામાં આવી હતી. તદુપરાંત સરોડા ગામમાં ૧૦૦ અને વીરમગામમાં ૧૫ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો પણ છાપાંમાં આવ્યા છે.

નવમી તારીખના સોમવારે સાંજે જિજ્ઞેશ, સાગર અને અતુલે ઉસ્માનપુરા બગીચામાં એક પત્રકાર પરિષદ યોજીને વાઇબ્રન્ટનો વિરોધ જાહેર કર્યો હતો. તેમાં તેમણે ‘કૉર્પોરેટ મોદી, ગો બૅક’, ‘વાઇબ્રન્ટના તાયફા, તમે રાખો, જમીનોના કબજા સોંપવાનું નાટક બંધ કરો’, ‘નરેન્દ્ર મોદી, હોશ મેં આઓ’, ‘ભૂપેન્દ્ર ચુડાસમાનું પૂતળું સળગાવો’ એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. એ માટે તેમના પર કરવામાં આવેલી એફ.આઈ.આર.ના પગલે મંગળવારે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થવાની થોડીક પળો પહેલાં જિજ્ઞેશે આ મુજબનો વૉટસએપ સંદેશો મોકલ્યો હતો :

‘વાઇબ્રન્ટ સમિટને ખલેલ પહોંચાડવાની જાહેરાત કરવા બદલ ગુજરાત પોલીસ મારી ધરપકડ કરી રહી છે. વાઇબ્રન્ટ સમિટ આ દેશમાં ચાલી રહેલું એક ફ્રૉડ – કૌભાંડ છે. ખેડૂત આગેવાનો, પાટીદાર આગેવાનો અને દલિતો બધાની ધરપકડ કરવામાં આવી રહી છે. જો અમારે શાંતિપૂર્વક દેખાવો કરવા હોય તો પણ  કોઈ અવકાશ નથી. અમે મોદીજીને પૂછીએ કે તમે વાઇબ્રન્ટ ગુજરાત થકી કેટલી નોકરીઓ ઊભી કરી, તેમની પાસે કોઈ જવાબ નથી. ખેડૂતોની ફળદ્રૂપ જમીનોને ઉદ્યોગો માટે શા માટે આપવામાં આવી રહી છે તો અમને વિકાસ વિરોધી તરીકે ચીતરવામાં આવે છે. વ્યવસાય જૂથો અને જંગી કૉર્પોરેટ કંપનીઓ માટે જમીન સુલભ છે, પણ દલિત અને આદિવાસીઓ માટે, જમીન વિહોણા વર્ગો માટે જમીન નથી.’

આ લખાય છે ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટ્યાને ચોવીસ કલાક પૂરા થાય તે પહેલાં જિજ્ઞેશની કાલુપુર સ્ટેશને રેલ રોકો કરવા બદલ અગિયારમી જાન્યુઆરીએ સાંજે ફરીથી ધરપકડ થઈ છે.

દલિત આગેવાન જિજ્ઞેશ તેમ જ કર્મઠ ખેડૂત નેતા સાગરે કરેલો વિરોધ અને તેમની થયેલી ધરપકડ, બંને બહુ જ મહત્ત્વની બાબતો છે. વિરોધ એ નિર્ધાર અને ધૈર્ય બતાવે છે. ક્રૉનિ કૅપિટાલિઝમના પ્રતીક અને આર્થિક-સામાજિક વાસ્તવની ક્રૂર ખરચાળ મજાક સમા વાઇબ્રન્ટ માટે અણગમો ધરાવનારા અનેક લોકો છે. પણ નાત-જાતથી ઊપર ઊઠીને તેનો આટલો સીધો વિરોધ આ વખતે આ બે કર્મશીલો સિવાય ભાગ્યે જ કોઈએ કર્યો છે. વાઇબ્રન્ટ બાબતે તેમને પ્રત્યક્ષ જમીન પરનો, રસ્તા પરનો  ટેકો બહુ ઓછો છે એમ જણાય છે. સામાન્ય જનતા ‘ આવડા મોટા સરકારી તંત્ર સામે આપણે શું કરી શકીએ?’ એવી મજબૂરી અનુભવે છે. પણ જે કરી શકવાની દિશામાં નીકળ્યા છે તેમાં જોડાવા માટેનાં સમજ-સમય-શક્તિ લોકો પાસે નથી. વાઇબ્રન્ટના જાહેરમાં સક્રિય વિરોધનો સંબંધ છે ત્યાં સુધી આપણો નાગરિક સમાજ આ વખતે લગભગ નિષ્ક્રિય છે.

જિજ્ઞેશ કે સાગરનાં આ પબ્લિસિટી સ્ટન્ટ કે રાજકીય લાભની યોજના છે એવું પણ કહેવામાં આવે છે. પણ સરકાર મહિનાઓથી સતત ટાંપીને બેઠી હોય છતાં ય જિજ્ઞેશ દલિત પ્રશ્ને વિરોધ કાર્યક્રમો આપતો જ રહ્યો છે. સાગરભાઈ દેશવ્યાપી ઇન્ડસ્ટ્રીઅલ કૉરિડૉર હાઇવે યોજના અંગે જાગૃતિ ઝુંબેશમાં સક્રિય છે. તાજેતરમાં ખેડૂત સમાજે નોટબંધીના વિરોધમાં દક્ષિણ ગુજરાતમાં મોટું વિરોધ પ્રદર્શન કર્યુ.

સાગરે હજુ બીજી તારીખે જ સાડા ચારસો કિલોમીટરની ખેડૂત વેદના પદયાત્રા પૂરી કરી. આવાં  ‘પબ્લિસિટી સ્ટન્ટ’ માટે પણ ગટ્‌સ જોઈએ. અને જો આવી ચળવળો થકી ‘રાજકીય લાભ’ મળવાના હોય તો એવું રાજકારણ ભલે થાય. નાગરિક સમાજના વિવિધ જૂથોમાં વિરોધ કરવાની રીત કે વ્યૂહરચનાની બાબતમાં મતભેદ હોઈ શકે, પણ વિરોધ સાવ હોય જ નહીં એ બાબત ખૂબ ગંભીર છે. દરેક પોતાની રીતે વિરોધ વ્યક્ત કરે એવું પણ લગભગ બની નથી રહ્યું. એમ પણ હોઈ શકે કે વિરોધ કરનારી અણુમતી હવે વિરોધ કરતાં કરતાં થાકી ગઈ છે અને એ કદાચ માનવીય પણ છે. વિરોધ પક્ષોની તાકાત અને વિશ્વસનીયતા, બંને અંગે લોકો સાશંક છે. નાગરિક સમાજના સંગઠનો, મોટા ભાગના કર્મશીલો અને એન.જી.ઓ.નું મૌન બહુ જ ચિંતાજનક છે. પ્રેસનોટો, ચર્ચાઓ કે ઇવન સોશિયલ મીડિયા થકી પણ તેમનો વિરોધ જવલ્લે જ દેખાય છે. યાદ કરીએ કે આ પહેલાંના વાઇબ્રન્ટમાં એટલે કે ૨૦૧૪ના વર્ષની અગિયારમી જાન્યુઆરીએ આ જ સરકારે વિરોધ કરનારા કર્મશીલોને એક દિવસ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં  રાખ્યા હતા. તે સહુ હતાં : સનત મહેતા, રોહિત શુક્લ, ઇન્દુકુમાર જાની, ગૌતમ ઠાકર, ભરતસિંહ ઝાલા, પર્સીસ જીનવાલા, લખન મુસાફિર, અને એ વખતે પણ સાગર રબારી.

વાઇબ્રન્ટને આપણે લલાટપરના લેખ તરીકે એકંદરે સ્વીકારી લીધું હોય એમ લાગે છે. ભક્તો અને નિર્લેપ આમ જનતા આંકડાની માયાજાળમાં અટવાય છે, માહોલની ઝાકઝમાળથી અંજાય છે. સામે પક્ષે સરકાર વધુ નિયંત્રણકારી બનતી જાય છે. રસ્તાના ડાયવર્ઝન, રસ્તાબંધી, પાસ, પાસવર્ડ, રજિસ્ટ્રેશન, સી.સી.ટી.વી. કૅમેરા, હથિયારધારી પોલીસોનો કાફલો એ જાણે હવે આપણને કોઠે પડી ગયું છે. તેમાં નામ સુરક્ષાનો ઇરાદો ઓછો અને આમ આદમી પર સત્તા ગજવવા, તેને દૂર રાખવાની દાનત વધુ હોય છે.

જ્યાં ચિત્ત ભયશૂન્ય નથી અને મસ્તક ઉન્નત રહેતું નથી તેવો એકંદર માહોલ છે. તેમાં જિજ્ઞેશ અને સાગરનો વાઇબ્રન્ટ સામેનો વિરોધ રવીન્દ્રનાથના પેલા વિશ્વપ્રસિદ્ધ ગીતમાં વ્યક્ત થતી – જાહેરજીવનમાં અનિચ્છનીય – પરિસ્થિતિનું ભાન કરાવે છે : જો સહુનાં મોં સીવાય, જ્યારે સહુએ બેસે મોં ફેરવી, સહુએ ડરી જાય, જો સહુએ પાછાં જાય, સહુ ખૂણે સંતાય, ત્યારે તું એકલો જાને રે …

૧૧ જાન્યુઆરી, ૨૦૧૭ 

E-mail : sanjaysbhave@yahoo.com               

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 02-03

Loading

અનિવાસી ભારતીયો : જેમનું ભારતના અર્થતંત્રમાં યોગદાન છે એ હાંસિયામાં છે અને જેમનું કોઈ યોગદાન નથી એ લાડકા થઈને ફરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 January 2017

૨૦૦૨થી ૯મી જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૯મી જાન્યુઆરી ૧૯૧૫ના રોજ મહાત્મા ગાંધી ૨૧ વરસ દક્ષિણ આફ્રિકામાં રહીને ભારત પાછા ફર્યા હતા અને એ દિવસનો એક મેસેજ છે. મહાત્મા ગાંધીએ વિદેશમાં રહીને ભારતીયો માટે કામ કર્યું હતું અને કામ પત્યે ભારતની સેવા કરવા વતન પાછા ફર્યા હતા. તમામ પ્રકારના અનિવાસી ભારતીયો પાસેથી ભારત આવી એક અપેક્ષા રાખે છે.

ભારતે આવી અપેક્ષા સાથે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનું શરુ કર્યું એને આજે ૧૭ વરસ થઈ ગયાં છે. એક પછી એક એકસરખા મેળાવડાઓ ઉજવાઈ રહ્યા છે અને એમાંથી ખાસ કાંઈ નીપજતું નથી. વડા પ્રધાન ઇન્ડિયન ડાયસ્પોરાનો મહિમા કરે છે, તેમની પાસેથી રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનની અપેક્ષા રાખે છે, અનિવાસી ભારતીયો વચનો આપે છે, કેટલાક લોકો ભારતનો જયજયકાર કરે છે, શાસકોની વાહવાહ કરે છે, હળવેકથી વિના શરત બેવડા નાગરિકત્વની વકીલાત કરે છે અને મેળાવડો પૂરો થાય છે. ભારતમાં જે મૂડીરોકાણ અને બુદ્ધિરોકાણ આવે છે એમાં અનિવાસી ભારતીયોનું યોગદાન નહીંવત છે.

બાય ધ વે, ડાયસ્પોરા શબ્દ યહૂદીઓ માટે વપરાય છે જે હવે જગતભરની નોન રેસિડન્ટ પ્રજા માટે વપરાવા લાગ્યો છે. યહૂદીઓ ઇઝરાયલ છોડીને જગતના જુદા જુદા દેશમાં જઈ વસ્યા તો નવા દેશમાં બને ત્યાં સુધી તેઓ એક જ મહોલ્લામાં નજીક નજીક રહેતા હતા. આવા યહૂદી વાડાઓ ડાયસ્પોરા તરીકે ઓળખાતા હતા. જગત આખામાં યહૂદીઓને ધિક્કારવામાં આવતા હતા અને બીજા વિશ્વ યુદ્ધ વખતે તેમને શિકાર બનાવવામાં આવ્યા હતા એનું મુખ્ય કારણ યહૂદીઓની બીજા સાથે નહીં ભળવાની મનોવૃત્તિ હતી. જે દેશમાં રહેતા હોય એ દેશનો લાભ લેવાનો, એ દેશની પ્રજાનું શોષણ કરવાનું, પણ પાછો પોતાનો ચોકો તો નોખો જ રાખવાનો એવું યહૂદીઓનું વલણ હતું.

અનિવાસી ભારતીયો માટે પણ આમાંથી શીખવાનું છે. ભારતમાં રહેતા તમામ લોકોએ દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનો તેઓ આગ્રહ રાખે છે, પરંતુ તેઓ જે દેશમાં વસે છે ત્યાં ભળવાનો તેઓ પ્રતિકાર કરે છે અને પોતાનો ઓળખનો નોખો ચોકો રચે છે. પશ્ચિમના વિકસિત દેશોમાં ભારતીય મૂળના લોકો માટે અણગમો છે એનું મુખ્ય કારણ આ છે, તેઓ તેમની રોજગારી છીનવી લે છે એ તો પ્રતિકારનું એક બહાનું છે. ભારતના મુસલમાનોએ પારસીઓની જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જવાની તેઓ સલાહ આપે છે, પરંતુ તેઓ પોતાના રહેવાસના દેશમાં પારસીઓ બનતા નથી. જો ભારતીયો પોતાનું વલણ નહીં બદલે તો એક દિવસ તેમની હાલત યહૂદીઓ જેવી થઈ શકે છે.

ચાર પ્રકારના અનિવાસી ભારતીયો છે. એક એ જેમને અંગ્રેજો ૧૯મી સદીમાં પોતાની માલિકીના સંસ્થાનોમાં મજૂરી કરવા માટે લઈ ગયા હતા જે ગીરમિટયાઓ તરીકે ઓળખાય છે. તેમને એવી રીતે વહાણમાં ભરીને લઈ જવાયા હતા કે આજે તેમને ખબર પણ નથી કે તેમનું વતનનું ગામ ક્યાં આવ્યું છે. આ પહેલા પ્રકારના ભારતીય મૂળના લોકો મોરેશિયસ, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને કરેબિયન દેશોમાં વસે છે. તેમની અંદર જે ભારતીયપણું છે એ ખૂનનું વધારે છે, સાંસ્કૃિતક ઓછુ છે. બીજા પ્રકારના અનિવાસી ભારતીયો ગીરમિટયાઓની પાછળ પાછળ અને સ્વતંત્રપણે ધંધો કરવા લગભગ એ જ દેશોમાં ગયા હતા. તેઓ ગીરમિટયાઓની તુલનામાં વધુ ભારતીય છે, પરંતુ ભારતીય હોવાપણાનો નશો તેમની અંદર ખાસ નથી.

ત્રીજા પ્રકારના અનિવાસી ભારતીયો આઝાદી પછી અને ખાસ કરીને ૧૯૬૦ પછી ભારતમાં સ્થપાયેલી આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં ભણીને પાશ્ચાત્ય દેશોમાં ગયા હતા. તેઓ ભારતીય હોવાપણાનો નશો પણ વધુ ધરાવે છે અને શોરબકોર પણ વધુ કરે છે. એન.આર.આઈ.ઝ નામની કોન્સ્ટિટ્યુઅન્સી તેઓ હાઈજેક કરી ગયા છે. તેઓ અનિવાસી ભારતીયોના પ્રવક્તા બનીને બોલે છે, જ્યારે કે કુલ અનિવાસી ભારતીયોમાં તેમનું પ્રમાણ વીસ ટકા પણ નથી. તેઓ ભારતીય મુસલમાનોને દેશપ્રેમના પાઠ ભણાવે છે, તેઓ પોતાને ત્યાં મંદિરો અને ગુરુદ્વારાઓ બંધાવે છે, તેઓ બાવાઓ અને બાપુઓને પોતાને ત્યાં બોલાવીને પોતાને ધર્મપરાયણ સમજે છે, તેઓ હિંદુની સર્વોપરિતામાં માને છે, તેઓ હિંદુ કોમવાદને પોષે છે, તેઓ ભારતીય સંસ્કૃિત જાળવી રાખવા માટે પોતાના દીકરાને પરણાવવા ભારત આવે છે અને છોકરા જણવા અને ઘરગૃહસ્થી સંભાળવા યુવતી શોધે છે, તેઓ બોટાદકરની જનનીની જોડ સખી નહીં મળે રે લોલ ગાઈને ગદગદ થઈ જાય છે અને તેઓ ડોલર કમાવા જનનીને ભારતમાં મૂકીને વિદેશ જતા રહે છે. એકંદરે આ એક વિચિત્ર જમાત છે, જે નથી પૂરી ભારતીય કે નહીં જ્યાં જઈને વસ્યા છે એ દેશની. આ ત્રિશંકુ જમાત છે અને ત્રિશંકુ જમાત સમસ્યા વધારે પેદા કરતી હોય છે. તેઓ કોઈના પણ માટે કોઈ કામના નથી, ઊલટું ભારત માટે સમસ્યાઓમાં વધારો કરે છે.

ચોથા પ્રકારના અનિવાસી ભારતીયો ગલ્ફ દેશોમાં વસે છે જે ખરા અર્થમાં અનિવાસી છે. તેમનું કાયમી વતન ભારત છે, તેમનું નાગરિકત્વ મોટા ભાગે ભારતીય છે, તેમનો પાસપોર્ટ ભારતીય છે અને તેઓ ગલ્ફના દેશોમાં વર્ક પરમીટ ધરાવનારા વસાહતીઓ છે. અનિવાસી ભારતીયોમાં સૌથી વધુ સંખ્યા તેમની છે અને ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટું યોગદાન તેમનું છે. તેમની કમાણી ભારતમાં આવે છે સામે તેઓ ભારત સરકાર પાસેથી કાંઈ જ માંગતા નથી. તેઓ મુસલમાનો છે, કેરળના ઈસાઈઓ છે અને કારીગરો છે એટલે તેમનો પ્રભાવ દિલ્હીમાં જરા ય નથી. ગલ્ફના દેશોમાં રાજકીય સંકટ પેદા થાય ત્યારે તેમને હેમખેમ ભારત લાવવા ભારતના વિદેશ પ્રધાન જહેમત ઉઠાવે છે, બાકી તેમની સમસ્યાઓમાં ભારત સરકારને કોઈ રસ નથી. જે સૌથી વધુ કમાઈને આપે છે એ હાંસિયામાં છે અને જેમનું મૂડીકીય અને બૌદ્ધિક રોકાણ શૂન્યવત છે એ લાડકા થઈને ફરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોની પરિષદમાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના કલરને નહીં, ખૂનના કલરને ઓળખે છે. સારી વાત છે, એ ખૂનનો કલર ભારતીય હોવો જોઈએ, હિંદુ નહીં.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ ડે”, ૧૧ જાન્યુઆરી ૨૦૧૭

e.mail : ozaramesh@gmail.com

Loading

Buy Modi !

Keshav|Opinion - Cartoon|16 January 2017

courtesy : 'Cartoonspace', "The Hindu", 16 January 2017

Loading

...102030...3,5383,5393,5403,541...3,5503,5603,570...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved