Opinion Magazine
Number of visits: 9456712
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

तालिबान, महिलाओं की समानता और हिंदुत्व राष्ट्रवाद

राम पुनियानी|Opinion - Opinion|13 December 2024

राम पुनियानी

तवलीन सिंह एक जानी-मानी स्तंभ लेखक हैं. गत 8 दिसंबर 2024 को द इंडियन एक्सप्रेस में प्रकाशित उनके कॉलम में उन्होंने अफगानिस्तान में महिलाओं के चिकित्सा विज्ञान पढ़ने पर प्रतिबंध की चर्चा की है. यह प्रतिगामी कदम उठाने के लिए उन्होंने अफगानिस्तान की तालिबान सरकार की  बहुत तीखे शब्दों में आलोचना की है और यह ठीक भी है. इसी स्तंभ में उन्होंने यह भी लिखा है कि वामपंथी-उदारवादी तालिबान के प्रति सहानुभूति का रूख रखते हैं. यह कहना मुश्किल है कि उदारवादी-वामपंथियों के तालिबान और ईरान  (जहां के शासकों की भी महिलाओं के बारे में वैसी ही सोच है) के प्रति रूख के बारे में तवलीन सिंह की टिप्पणी कितनी सही है. तवलीन सिंह ने उन लोगों की भी आलोचना की है जो हिन्दू राष्ट्रवादियों की नीतियों औैर कार्यक्रमों की तुलना तालिबान से करते हैं.

हिन्दू राष्ट्रवादियों और तालिबान की नीतियां और कार्यक्रमों में परिमाण या स्तर का फर्क हो सकता है मगर दोनों में मूलभूत समानताएं हैं. तालिबान, खाड़ी के कई देशों और ईरान के महिलाओं के प्रति दृष्टिकोण एक-दूसरे से मिलते-जुलते हैं परंतु एकदम एक समान नहीं हैं. बल्कि किन्हीं भी दो देशों की नीतियां एकदम एक-सी नहीं हो सकतीं. परंतु सैद्धांतिक स्तर पर हम उनमें समानताएं ढूंढ सकते हैं. इन देशों में धार्मिक कट्टरता में बढ़ोत्तरी की शुरूआत 1980 के दशक में ईरान में अयातुल्लाह खौमेनी के सत्ता में आने के साथ हुई. खौमेनी ने ईरान का सामाजिक-राजनैतिक परिदृश्य पूरी तरह से बदल दिया.

धार्मिक कट्टरता से क्या आशय है? धार्मिक कट्टरता से आशय है चुनिंदा धार्मिक परंपराओं को राज्य की सत्ता का उपयोग कर समाज पर जबरदस्ती लादना. कई बार यह काम सरकार की बजाए वर्चस्वशाली राजनैतिक ताकतों द्वारा किया जाता है. जो परंपराएं लादी जाती हैं वे अक्सर प्रतिगामी, दकियानूसी और दमनकारी होती हैं. इस दमन का शिकार महिलाओं के साथ-साथ समाज के अन्य कमजोर वर्ग भी होते हैं. धार्मिक कट्टरता स्वयं को मजबूत करने के लिए हमेशा एक भीतरी या बाहरी दुश्मन की तलाश में रहती है. अधिकांश खाड़ी के देशों में निशाने पर महिलाएं हैं. कई देशों में “शैतान अमरीका”‘दुश्मन के रूप में प्रस्तुत किया जाता है. जो भी दुश्मन चुना जाता है, समाज और देश की सारी समस्याओं के लिए उसे ही दोषी ठहरा दिया जाता है. जर्मनी में जन्मे फासीवाद और धार्मिक कट्टरतावाद में यह एक समानता है. जर्मनी में देश की सारी समस्याओं के लिए यहूदियों को जिम्मेदार ठहरा दिया गया और उनके खिलाफ नफरत इस हद तक पैदा कर दी गई कि जर्मनी के लोग यहूदियों के कत्लेआम को भी नजरअंदाज करने लगे. और यह सब केवल सर्वोच्च नेता की सत्ता को मजबूती देने के लिए किया गया था.

फासीवाद और धार्मिक कट्टरतावाद में एक और समानता है- महिलाओं के प्रति उनका दृष्टिकोण. फासीवादी जर्मनी में कहा जाता था कि महिलाओं की भूमिका रसोईघर, चर्च और बच्चों तक सीमित है. दूसरे देशों में भी धार्मिक कट्टरतावाद, महिलाओं पर कुछ इसी तरह के प्रतिबंध लगाता है.

हिन्दू राष्ट्रवादियों के निशाने पर मुसलमान और कुछ समय से ईसाई भी हैं. हमने पिछले कुछ दशकों में साम्प्रदायिक हिंसा को भयावह ढंग से बढ़ते देखा है. साम्प्रदायिक हिंसा का परिमाण भी बढ़ा है और उसके तौर-तरीके अधिक व्यापक और खतरनाक बन गए हैं. पहले अयोध्या में एक मस्जिद को ढहाने का भयावह कृत्य किया गया. उसके बाद जमकर खून-खराबा हुआ और अब हर मस्जिद के नीचे मंदिर ढूंढा जा रहा है. इसके अलावा गाय और गौमांस के मुद्दे पर लिंचिंग हो रही है और गौरक्षकों की पूरी एक सेना खड़ी हो चुकी है. ‘’जिहाद’ शब्द का इस्तेमाल मुस्लिम अल्पसंख्यकों को निशाना बनाने के लिए किया जा रहा है. लव जिहाद से शुरू होकर कोरोना जिहाद, लैंड जिहाद, यूपीएससी जिहाद आदि की बातें की जा रही हैं.

यह सही है कि मुसलमानों को निशाना बनाने के अलावा भारत में धार्मिक कट्टरतावाद के अन्य लक्षण उतने स्पष्ट नहीं दिखलाई दे रहे हैं. मगर उनके अस्तित्व से इंकार नहीं किया जा सकता. जहां तक महिलाओं का प्रश्न है, सती प्रथा पर प्रतिबंध लगाया जा चुका है. देश में सती की आखिरी घटना 1980 के दशक का रूपकुंवर कांड था. लेकिन फिर भंवरी देवी मामले मे ऊंची जाति के बलात्कारी को अदालत ने यह कहते हुए बरी कर दिया कि भला कोई ऊंची जाति का व्यक्ति नीची जाति की महिला से बलात्कार कैसे कर सकता है. यह मानसिकता जाति प्रथा से उपजी है.

हिंदू राष्ट्रवादी नीतियों को बारीकी से देखने पर यह समझ में आता है कि वे मूलतः महिला विरोधी हैं. जैसे लव जिहाद की अवधारणा को लें. यह परिवार के पुरूष सदस्यों को ‘उनकी’‘महिलाओं  और लड़कियों पर नजर रखने का एक बहाना देता है. जो लोग लव जिहाद का विरोध करते हैं वे ही लड़कियों को जींस नहीं पहनने देना चाहते. हिंदू राष्ट्रवादियों के हिंसा के प्रति दृष्टिकोण की झलक हमें बिलकिस बानो मामले से मिलती है. इस मामले में बलात्कार और हत्या के दोषियों का जेल से रिहा होने पर स्वागत किया गया था. यह अच्छा है कि अदालत ने उन्हें वापिस जेल भेज दिया. गोवा की एक महिला प्रोफेसर, जिसने मंगलसूत्र की तुलना जंजीर से की थी, को गाली-गलौच का सामना करना पड़ा.’ मनुस्मृति’ को आदर्श बताया जाता है.

तवलीन सिंह हिंदू राष्ट्रवादियों के हमलों को हिंदू धार्मिकता बताती हैं. यह एकदम गलत है. उन्होंने स्वयं जय श्रीराम न कहने पर तीन मुसलमानों की चप्पलों से पिटाई का उदाहरण दिया है. क्या यह धार्मिकता है? ऐसी घटनाओं को ‘धार्मिकता’ बताना, धार्मिक कट्टरतावाद से उनके जुड़ाव को छिपाना है. मुस्लिम कट्टरतावाद को जिहादी इस्लाम कहना भी ठीक नहीं है. मुस्लिम कट्टरतावाद के कई स्वरूप हैं. मिस्त्र और कई अन्य देशों में उसे मुस्लिम ब्रदरहुड कहा जाता है. फिर ईरान की अयातुल्लाह सरकार तो है ही.

धार्मिकता तो उसे कहते हैं जिसका आचरण लाखों-करोड़ों हिंदुओं द्वारा अन्य धर्मों के लोगों के साथ रहते हुए सदियों से किया जा रहा है. इसीने भारत को बहुवादी और विविधवर्णी देश बनाया है. हिंदू राष्ट्रवाद की वर्तमान नीतियां सावरकर और गोलवलकर की विचारधारा पर आधारित हैं. ये दोनों उपनिवेशवाद के खिलाफ संघर्ष से उपजे भारतीय राष्ट्रवाद के कटु विरोधी थे. बीसवीं सदी के महानतम हिंदू महात्मा गांधी को बहुवादी भारत का पक्षधर होने की कीमत अपने सीने पर गोलियां खाकर चुकानी पड़ी.

तवलीन इस ‘धार्मिकता’ से नफरत करती हैं. मगर उन्हें यह समझना चाहिए कि जिहादी इस्लाम और इस्लामिक कट्टरतावाद भी इसी रास्ते से उभरा था. राजनीति को धर्म से जोड़ा जाता है और फिर धर्म के नाम पर राजनीति पूरे समाज को बर्बाद कर देती है. भारत में अभी यही हो रहा है. चाहे वह मस्जिदों पर दावा करना हो, मुसलमानों के घरों पर बुलडोजर चलाना हो, तृप्ता त्यागी द्वारा मुस्लिम विद्यार्थियों को पिटवाना हो या मांसाहारी भोजन स्कूल में लाने के लिए बच्चों को स्टोर में बंद करना हो या फिर मंगलौर में पब से बाहर आ रही लड़कियों की पिटाई लगाना हो – ये सब उसी का नतीजा हैं जिसे तवलीन सिंह ‘धार्मिकता’‘कहती हैं.

बुधवार, 11 दिसम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ઇચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 December 2024

ચંદુ મહેરિયા

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિના પહેલાં ઇચ્છામૃત્યુ અંગે માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો હતો અને લોકોનાં સૂચનો માંગ્યાં હતા. એટલે ઇચ્છામૃત્યુના કાનૂની, નૈતિક, તબીબી અને ભાવનાત્મક પાસાંની ફરી એકવાર ચર્ચા ઊઠી છે.

ગ્રીક વાક્યાંશ ‘યૂ થાનાટોસ’ પરથી યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ) શબ્દ ઉતરી આવ્યાનું કહેવાય છે. જેમાં યૂ નો અર્થ સારું અને થાનાટોસનો અર્થ મૃત્યુ થાય છે. ઇચ્છામૃત્યુ એટલે આસાન, સરળ કે પોતાની મરજીથી મોત. સત્તરમી સદીમાં ફ્રાન્સિસ બેકને આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ભારતસહિત આખી દુનિયામાં ઇચ્છામૃત્યુની અવારનવાર માંગ ઊઠે છે અને ચર્ચા થાય છે. વિશ્વના બહુ થોડા દેશોએ ઇચ્છામૃત્યુની શરતી કે બિનશરતી, પૂર્ણ કે અંશત: મંજૂરી આપી છે.

મુંબઈની એક હોસ્પિટલમાં વિનયભંગનો ભોગ બનેલાં નર્સ અરુણા શાનબાગ બેતાળીસ વરસો સુધી બેહોશીની અવસ્થામાં જીવતાં (?) હતાં. તેમનાં ઇચ્છામૃત્યુની માંગ દેશની સર્વોચ્ચ અદાલત સુધી કરવામાં આવી હતી. સંતાનવિહોણા વૃદ્ધ, અશક્ત અને બીમાર દંપતીઓ પણ આવી માંગ કરતાં હોય છે. એક બુઝુર્ગ દંપતીએ અગિયાર વરસથી ગંભીર રીતે અચેત અને પથારીવશ પુત્રના ઇચ્છામૃત્યુની માંગણી કરી હતી. નળી વાટે ખોરાક અપાતો રહે અને દિવસો કાઢે તેવા દર્દીઓ પણ ઇચ્છામૃત્યુ ચાહે છે. ઉત્તર પ્રદેશની ટ્રાયલ કોર્ટના મહિલા જજ વર્કપ્લેસ પર યૌન શોષણથી એ હદે ત્રસ્ત હતાં કે તેમણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખી ઇચ્છામૃત્યુની યાચના કરી હતી. અન્યાય અત્યાચારોનો ભોગ બનેલા દલિત-આદિવાસી ઘણીવાર સરકાર સમક્ષ ન્યાય આપો કે મોત આપોની માંગ કરે છે. મારું શરીર અને મારી મરજી કે મારી ઇચ્છા મહત્ત્વની કે સરકારનો કાયદો?  એવા તર્ક પણ  ઇચ્છામૃત્યુની ચાહત રાખનાર આપતા હોય છે.

ભારતમાં ઇચ્છામૃત્યુની અનુમતિ આપતો કોઈ કાયદો નથી. સર્વોચ્ચ અદાલતે ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં તેમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવી હતી. બંધારણના અનુચ્છેદ ૨૧નો હવાલો આપીને અદાલતે કહ્યું હતું કે  જીવનના અધિકારમાં ગરિમાપૂર્ણ મોતનો અધિકાર પણ સામેલ છે. એટલે તેણે ઇચ્છામૃત્યુની માંગ સ્વીકારીને તે અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગેનો કાયદો ઘડવા વિનંતી કરી હતી. કેન્દ્રે કાયદા પંચને કાયદાની વ્યવહાર્યતા પર વિચાર કરવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને લો કમિશને અસાધ્ય રીતે બીમાર માટે તબીબી ઉપચાર (દર્દી અને ડોકટરોનું સંરક્ષણ) વિધેયક, ૨૦૦૬ તૈયાર કર્યું હતું. પરંતુ હજુ તે ચર્ચામાં આવ્યું નથી. એટલે જ્યાં સુધી સંસદ આ અંગેનો કાયદો ના ઘડે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ કાયદો છે.

સક્રિય ઇચ્છામૃત્યુની ભારતમાં અનુમતિ નથી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ કે અન્ય જાણીબૂઝીને સભાન રીતે દર્દીને ઘાતક ઈન્જેકશન આપે કે જેનાથી તેનું મરણ થાય તે સક્રિય ઇચ્છામૃત્યુનો પ્રકાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની જ મંજૂરી આપી છે. જેમાં ડોકટરને અને પરિવારને ખાતરી હોય કે દર્દીના રોગનો હવે કોઈ ઈલાજ નથી અને જીવન રક્ષક પ્રણાલીથી માત્ર દર્દીની પીડા વધી રહી છે કે જિંદગીના થોડા કલાકો કે દિવસો વધી રહ્યા છે, પરંતુ તેમના જીવવાના જરા ય ચાન્સ નથી. એટલે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવી કે વધુ તબીબી સારવાર બંધ કરવી તે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતાં ચુકાદામાં કહ્યું હતું તેમ ડોકટર કોઈને સક્રિય બની મારી નાંખતા નથી પરંતુ તેને બચાવવાના પ્રયાસો અટકાવી દે છે.

નિષ્ક્રિય ઇચ્છામૃત્યુનો નિર્ણય મેડિકલ, પેથિકલ અને લીગલ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાનો હોય છે. આ નિર્ણયને કારણે દર્દીને અસહ્ય દર્દ અને પીડાથી મુક્તિ મળી શકે છે. પરિવારના સભ્યોનો માનસિક તણાવ પણ તેનાથી ઘટે છે. આર્થિક બાબતોનો પણ ખ્યાલ રાખીને આ નિર્ણય કરવામાં આવે છે. એટલે દર્દીને દવા અને સારવારનો કોઈ જ ફાયદો ના થવાનો હોય તો બિનજરૂરી આર્થિક અને ભાવનાત્મક બોજો વધારવાની જરૂર નથી. જે તબીબી ઉપચારો જીવનને થોડું લંબાવે પણ મોતને ટાળી ન શકે તો મોત શું ખોટું? એવી તરફદારોની દલીલ છે. સંસાધનો કે રિસોર્સિસની દૃષ્ટિએ પણ આ બાબતનો વિચાર કરવો ઘટે. મર્યાદિત હેલ્થ રિસોર્સ ધરાવતા દેશમાં તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. જો કોઈ દર્દીના બચવાની કોઈ ઉમ્મીદ જ ન હોય તો તેની પાછળ સંસાધનો રોકી રાખવાને બદલે જેના બચવાની તક રહેલ છે તે દર્દી માટે આ સંસાધનો વપરાય તે વધુ યોગ્ય ગણાશે.

માનવ જીવન અમૂલ્ય છે અને આયુષ્યની દોરી આમ ટૂંકાવી ના દેવી જોઈએ તેવા નૈતિક અને ધાર્મિક તર્ક ઇચ્છામૃત્યુના વિરોધમાં આપવામાં આવે છે. વળી આવા નિર્ણયનો દુરપયોગ થવાની પણ શક્યતાઓ જણાવાય છે. ખાસ કરીને સંતાનો જેમને બોજારૂપ ગણતા હોય તેવાં ઘરડા માતા-પિતાના કિસ્સામાં કે મિલકતના ઝઘડાના કિસ્સામાં આવું બની શકે છે. તબીબો તેમના મેડિકલ પ્રોફેશનના એથિક્સનો મુદ્દો આગળ ધરે છે. ડોકટરી વ્યવસાય લોકોની જિંદગી બચાવવાનો છે. આખરી ક્ષણ સુધી તે દર્દીને બચાવવા મથે છે અને શક્ય તે તમામ ઉપચારો અજમાવે છે. જેનો વ્યવસાય જ જિંદગી બચાવવાનો કે લંબાવવાનો છે તે જીવન ટૂંકાવે કે જિંદગીના અંત માટે હા ભણે તે યોગ્ય નથી તેમ તબીબોને લાગે છે. પ્રોફેશનલ એથિક્સની દૃષ્ટિએ વિચારતાં તેમની વાતમાં દમ છે. પરંતુ નાઈલાજ બીમારીના કિસ્સામાં આ નિર્ણય તેમણે કરવાનો છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સના ડ્રાફટમાં ઇચ્છામૃત્યુનો નિર્ણય લેવાની જવાબદારી ડોકટરોના શિરે મુકવામાં આવી છે. તેનાથી તબીબી આલમમાં અસંતોષ અને વિરોધ ઊભો થયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવાના નિર્ણયની જવાબદારી ડોકટરોને આપી છે તેને અયોગ્ય ગણાવી છે. જો કે સરકારના મુસદ્દામાં દર્દીને બ્રેનસ્ટેમ ડેડ જાહેર કરાયો હોય, ડોકટરને પૂર્ણ તબીબી તપાસ પછી ખાતરી થાય કે વધુ ઈલાજનો કોઈ લાભ નથી, દર્દીના સગાંવહાલાં જીવન રક્ષક પ્રણાલી હઠાવવા કે સારવાર બંધ કરવા સંમત હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબની હોય તો જ ડોકટરો નિષ્ક્રિય ઇચ્છામૃત્યુનો નિર્ણય કરે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી સરકારના ડ્રાફ્ટમાં પ્રાઈમરી અને સમીક્ષા માટે સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરીને નિર્ણય કરવા અને તમામ બાબતોમાં દર્દીના કુટુંબીજનોની સંમતિ આખરી ગણવા જણાવ્યું છે. સરકાર લોકોના સૂચનો સામેલ કરેલી માર્ગદર્શિકા જાહેર કરે તેની પ્રતીક્ષા છે.

સરકાર પાસે માર્ગદર્શિકાની નહીં કાયદાની અપેક્ષા છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો, પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇચ્છામૃત્યુના કાયદાની દિશામાં આ બાબત નોંધપાત્ર છે. આધુનિક વિશ્વમાં  ઇચ્છામૃત્યુનો વિચાર પ્રાસંગિકતા પ્રાપ્ત  કરી રહ્યો હોય ત્યારે ભારત પણ તર્ક્સંગત અને માનવીય દૃષ્ટિકોણ અપનાવે તે ઇચ્છનીય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

અતીતનું વેર નહીં વાળી શકો, પણ અતીતના નામે ઝેર વાવી શકો છો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 December 2024

રમેશ ઓઝા

એક નગર હતું. એ નગરમાં પુરુષો મનફાવે એ રીતે પત્નીનાં ચારિત્ર્ય વિષે શંકા કરતા હતા, તેનાં અતીતને ઉખેળતા હતા, આરોપો અને આક્ષેપો કરતા હતા, પોતાના સમાજના લોકોને એકઠા કરીને અને મોરચા કાઢીને પત્નીઓને ચેતવણી આપતા હતા કે ‘ઇસ ઘર મેં રેહના હો તો …’ વગેરે વગેરે. આ જોઇને નગરનાં ડાહ્યા લોકોએ વિચાર્યું કે જો આવું થતું રહેશે તો કુટુંબ સંસ્થા, પારિવારિક અને સામજિક વ્યવસ્થા ખોરવાઈ જશે. અરાજકતા અને અશાંતિ પેદા થશે અને આવનારી પેઢીના વિકાસ પર તેની અસર થશે. આવનારી પેઢીના પુરુષો પણ આ જ માર્ગ અપનાવશે અને આનો કોઈ દિવસ કોઈ અંત જ નહીં આવે. તેમણે ગામના કાજી સમક્ષ આવો ભય વ્યક્ત કરીને કહ્યું કે નગરમાં જે થઈ રહ્યું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે અને આ સિલસિલાનો અંત આવવો જોઈએ. કાજીને પણ લાગ્યું કે વાત તો સાચી છે. આ ગૃહકલેશ અને અરાજકતાનો માર્ગ છે. તેમણે ચુકાદો આપ્યો કે ફલાણી તિથિ પછીથી જે લોકોએ કગ્ન કર્યાં છે એ લગ્ન કર્યાં પછી માત્ર શંકાના આધારે પત્નીને છૂટાછેડા નહીં આપી શકે. અજાણ અતીતનાં કહેવાતા કુકર્મોને સાચાં ઠેરવીને પત્નીઓને રંજાડવાનો પુરુષોને હક નથી. જો કોઈ એમ કરશે તો એને ગુનો ગણવામાં આવશે.

એ ચુકાદાને બહુ વધાવવામાં આવ્યો. લોકોએ પ્રસંશા કરી કે ચાલો હવે ગૃહકલેશ નહીં થાય અને સુખશાંતિ જળવાશે. નવી પેઢી શંકાના આધારે સ્ત્રીઓને નહીં રંજાડે. ઘરમાં શાંતિ જળવાશે અને લોકોનો વિકાસ થશે. પણ કેટલાક લોકો એ ચુકાદાથી ખુશ નહોતા. આખરે પૌરુષત્વનો સવાલ હતો. પુરુષાર્થથી વર્ચસ્વ ન રળી શકીએ તો નબળાને રંજાડીને તો એ મેળવી જ શકાય છે. થોડાં વર્ષો વીત્યાં અને કાજી બદલાયા. નવા કાજી વાચાળ હતા. દરેક જગ્યાએ અને દરેક અવસરે તેઓ કાયદાના રાજની, માનવીય મૂલ્યોની, આધુનિક સભ્યતાની, સમાનતાની વાત કરતા હતા. એ કાજીની અદાલતમાં જેને આગલા કાજીનો ચુકાદો નહોતો ગમ્યો એ લોકો અપીલ લઈને ગયા. સાહેબ, આગલા કાજીએ આપેલા ચુકાદા વિષે પુનર્વિચાર  કરો. એક પવિત્ર પુરુષ સંભવતઃ વ્યભિચારી સ્ત્રી સાથે કેવી રીતે જીવી શકે? આ પુરુષોની બનેલી પવિત્ર કોમને કરવામાં આવેલો અન્યાય છે.

અને એક દિવસ એ કાજીસાહેબે ચુકાદો આપ્યો કે તમે શંકાના આધારે છૂટાછેડા નહીં આપી શકો, પણ હા, તમે પત્નીનાં ચારિત્ર્ય વિષે અને તેણે અતીતમાં કરેલા સંભવિત કુકર્મો વિષે શંકા કરી શકો છો અને તમારી શંકા સાચી છે કે ખોટી એ વિષે તપાસ પણ કરી શકો છો. ખબરદાર ઠરાવેલી તિથિ પછીથી છૂટાછેડાની વાત કરી છે તો.

હવે વિચારો કે એ કાજીસાહેબ વિષે તમે શું કહેશો? એમની બૌદ્ધિક ક્ષમતા વિષે, તેમના વિવેક વિષે, તેમની પ્રામાણિકતા વિષે, તેમની સામાજિક નિસ્બત વિષે તમે શું કહેશો?

ડી.વાય. ચન્દ્રચૂડ

એ કાજીનું નામ છે હમણાં જ નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ધનંજય યશવંત ચન્દ્રચૂડ અને તેમણે ‘ધ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧’ની જોગવાઈમાં ફેરફાર કરીને શંકા કરવાનો અને અતીતમાં કરેલાં કહેવાતા શંકાજન્ય કુકર્મની તપાસ કરવાની છૂટનો ચુકાદો આપ્યો હતો. શંકા જ કલહ અને અશાંતિનું મૂળ છે એ વાત તેમને ધ્યાનમાં નહોતી આવી કે નહોતી લીધી. અને શંકા પણ પાછી અતીત વિષે જેને વર્તમાન સાથે કોઈ સંબંધ નથી અને હોય તો પણ એ તમે સો ટકા સિદ્ધ કરી શકવાના નથી. વળી અતીત પણ કેટલો અતીત? તમે ઇચ્છો એટલો. અતીતને તળિયું નથી અને ભવિષ્યને છાપરું નથી, માત્ર વર્તમાન જ બંધાયેલો છે. ધનંજય ચન્દ્રચૂડ સાહેબે કહ્યું કે તમે શંકાના આધારે તપાસ કરી શકો છો કે તમારી શંકા સાચી છે કે નહીં. બીજા શબ્દોમાં ચુકાદો એમ કહે છે કે તમે અતીતનું વેર નહીં વાળી શકો, પણ અતીતનાં નામે ઝેર વાવી શકો છો. જજ હોય તો આવા! લાખોમાં એક! અરે ભાઈ, ઝેર તો વેર વાળવા માટે કે વેર પેદા કરવા માટે જ વાવવામાં આવે છે. સો વરસથી આ જ તો કરવામાં આવી રહ્યું છે.

અયોધ્યામાં બાબરી મસ્જીદની જગ્યાએ રામમંદિર હતું એવી શંકા ૧૯મી સદીથી ચાલી આવે છે. ભારતમાં કંપનીનું રાજ હતું અને અયોધ્યા અવધના નવાબની હકુમતમાં હતું ત્યારથી ઝઘડો ચાલ્યો આવે છે. ૧૮૯૫ની સાલથી તો મામલો અદાલતમાં ઊભો હતો. ૧૯૪૮ પછીથી હિન્દુત્વવાદીઓએ એમાં રસ લેવાનું શરૂ કર્યું, કારણ કે મસ્જીદની જગ્યાએ રામમંદિરવાળી શંકા સાર્વત્રિક હતી અને તેને આધારે હિંદુઓને સંગઠિત કરવાનો તેમને મોકો મળ્યો. ૧૯૮૭ પછી સ્થિતિ વકરતી ગઈ. તેઓ જ્યારે તીન (અયોધ્યા, કાશી અને મથુરાની મસ્જીદ) નહીં, તીન હજારની વાત કરવા લાગ્યા ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે આ રીતે તો દેશમાં કોમી અરાજકતા પેદા થશે. નાગરિક સમાજના આગ્રહથી અને સર્વોચ્ચ અદાલતના નિર્દેશથી સરકારે ૧૯૯૧માં કાયદો કર્યો કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જે ધાર્મિક સ્થળો જે સ્વરૂપમાં હતાં અને જેનાં કબજામાં હતાં તેને અફર માનવામાં આવશે અને તેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. બની શકે કે જ્યાં પહેલાં બૌદ્ધ ધર્મસ્થાન હતું અને ત્યાં અત્યારે મંદિર કે મસ્જીદ હોય, બની શકે કે પહેલાં ત્યાં મસ્જીદ હતી અને અત્યારે મંદિર હોય, બની શકે કે એક જ સ્થળે મંદિર અને મસ્જીદ બન્ને હોય, બની શકે કે પહેલા જે દિગંબરોનું ધર્મસ્થાન હતું તે અત્યારે શ્વેતાંબરોના કબજામાં હોય (જૈનો વચ્ચે એક ડઝન જેટલા વિવાદો છે) બની શકે કે પહેલાં જ્યાં મસ્જીદ હતી ત્યાં ગુરુદ્વારા હોય કે તેનાથી ઊલટું. જો અતીતને ઊલેચો તો પાર જ ન આવે. સંભાવનાઓ અનેક છે અને શંકા? શંકાને જણવા માટે માબાપની જરૂર પડતી નથી. એ કાનથી જન્મ લે છે અને કર્ણોપકર્ણ તેનું કદ વધે છે. રાક્ષસી કદ પણ ધારણ કરે.

માટે એક અયોધ્યા બસ છે. હવે પછી આ શંકા અને સંભાવનાની રમત બંધ. હવે પછી શંકા કરીને અતીતને ઊલેચવામાં નહીં આવે. ઊલેચો તો કાદવ નીકળે અને દેશની આબરુ ખરડાય. અશાંતિ પેદા થાય અને વિકાસ ખોરવાય. કોઈ પણ શાણો સમાજ શંકા અને સંભાવનાને  હકીકત માનીને પોતાનો વર્તમાન ન બગાડે. પણ એ પછી આગળ કહ્યું એમ નવા કાજી આવ્યા અને તેમણે પત્નીના ચારિત્ર્ય વિષે શંકા કરવાની અને તેનાં અતીતની તપાસ કરવાની છૂટ આપી દીધી. પરિવાર નર્ક બની જાય પછી છૂટાછેડા તો થઈને જ રહેશે. બસ એ જ વાત ધર્મસ્થાનકોને લાગુ પડે છે. શરૂઆત થઈ ગઈ છે.

ભારતનું ન્યાયતંત્ર મૃત્યુશૈયા પર છે, પરંતુ એ છતાં ય અરુણ શૌરી કહે છે એમ અદાલતોના, વિશેષ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવતા રહેવા જોઈએ. ન્યાયમૂર્તિઓની અગ્નિપરીક્ષા કરતા રહેવું જોઈએ. આવનારી પેઢીને ખબર તો પડે કે ધનંજય ચન્દ્રચૂડ પણ એક જજ હતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચ્યા હતા અને તેમણે આવો એક વિલક્ષણ ચુકાદો આપ્યો હતો. બીજા હીરામોતી પણ ભવિષ્યની પેઢી માટે ઇતિહાસમાં અમર થવાના છે.

આની સામેની રીટ પીટીશન સર્વોચ્ચ અદાલત સાંભળવાની છે. જોઈએ શું થાય છે. પવિત્ર સ્થાને બેઠેલા લોકોની પવિત્રતા ચકાસતા રહેવું જોઈએ. કરોડરજ્જુને તપાસતા રહેવું જોઈએ. ન્યાય ન મળે તો કશો વાંધો નહીં, ન્યાય નહીં કરનારાઓનો ન્યાય થઈ જાય છે અને તેટલું પૂરતું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ડિસેમ્બર 2024

Loading

...102030...325326327328...340350360...

Search by

Opinion

  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved