Opinion Magazine
Number of visits: 9687448
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

I am called ‘habit’

અનુવાદક : જયંત મેઘાણી|Opinion - Literature|5 January 2018

I am your constant companion; I am your greatest helper or your heaviest burden. I will push you onward or drag you down to failure.

I am at your command. Half of the tasks that you do you might just as well turn over to me and I will do them quickly and correctly.

I am easily managed; you must merely be firm with me. Show me exactly how you want something done. After a few lessons, I will do it automatically.

I am the servant of all great people and the regret of all failures as well. Those who are great, I have made great. Those who are failures, I have made failures.

I am not a machine but I will work with all its precision plus the intelligence of a person.


Now you may run me for profit or you may run me for ruin. It makes no difference to me. Take me, train me, be firm with me and I will lay the world at your feet.


I am called 'habit.'

— Author Unknown

°


હું તમારી નિત્યસંગિની છું, તમારાં કપરાં કામોમાં મોટી સહાયક છું. 


હું તમને આગળ ધપવામાં મદદ કરું, અને નહીં તો વિફળતાના ખાડામાં પણ પાડી શકું.


તમારો આદેશ માથે ચડાવવા સદા હાજર છું. તમારાં અરધોઅરધ કામકાજ મારી ઉપર છોડી દ્યો તો ઝટપટ સરસ રીતે પાર પાડી દઉં. મારી પાસેથી કામ લેવું સહેલું છે – બસ, એટલું કે તમારે મારી સાથે મક્કમ બનવું પડે! તમારું કયું કામ પાર પાડવાનું છે એ સમજાવવું પડે : થોડું શીખવશો પછી તો હું એ કામ સડસડાટ, એકધાર્યું કરીશ.

મહાન મનુષ્યોની હું દાસી છું. કેટલાક લોકો મહાન થયા છે એ મારા કારણે, તેમ બીજા એવા લોકોય છે જેમની નિષ્ફળતાનું કારણ પણ હું છું.

હું યંત્ર તો નથી પણ એના જેટલી જ ચોકસાઇથી કામ કરું છું, અને એમાં જીવતાજાગતા મનુષ્યની બુદ્ધિ પણ ઉમેરું છું. તમે મારો ઉપયોગ કરીને ખૂબ ફાયદો મેળવી શકો, તેમ બધું ગુમાવીને મને દોષ પણ દઇ શકો.


મને સાચવો, મને તાલીમ આપો, ને મારી સાથે મક્કમ રહો તો દુનિયા તમારાં ચરણ ચૂમશે.


મારું નામ ટેવ, આદત.

Loading

દરેક ભારતીયે સેક્યુલર ભારતના પડખે ઊભા રહેવાની આજે જરૂર છે, આ અત્યારના સમયની ડિમાન્ડ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 January 2018

જે મૌલાના મૌદ્દુદી માનતા હતા એ BJPના અનંતકુમાર અને સંઘપરિવાર માને છે. ફરક એ છે કે મૌલાના પ્રામાણિકતાપૂર્વક પોતાનો અભિપ્રાય આપવાની હિંમત ધરાવતા હતા. મને યાદ નથી કે તેમણે ક્યારે ય માફી માગી હોય. પાકિસ્તાનમાં જનરલ અયુબ ખાને તેમને જેલમાં નાખ્યા હતા ત્યારે પણ તેમણે માફી નહોતી માગી કે નહોતો તેમણે વિચાર બદલ્યો

કેન્દ્રના કૌશલ વિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડેએ કહ્યું છે કે BJPની સરકાર કેન્દ્રમાં આવી છે તો એ સત્તા ભોગવવા માટે નથી આવી, પરંતુ ભારતનું બંધારણ બદલવાની છે અને નજીકના ભવિષ્યમાં એ ઘટના બનવાની છે. કર્ણાટકમાં કોપ્પલ ખાતે બ્રાહ્મણ યુવા પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે એટલે બંધારણ બદલવું જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ માટે BJP સરકાર પ્રતિબદ્ધ છે અને એ વિશે કોઈએ ભ્રમમાં રહેવાની જરૂર નથી.

તેમણે સેક્યુલરિઝમમાં માનનારા લોકો વિશે કહ્યું હતું કે ‘આ એવી જમાત છે જેમને પોતાનાં માબાપ કોણ છે એની જાણ નથી. આજકાલ સેક્યુલરિસ્ટોની એક નવી જમાત પેદા થઈ છે જે મૂળિયાં વિનાની છે. તેમને તેમના લોહીની જાણ નથી અને તેમને જોઈને ચીડનો અનુભવ થાય છે. આ બાજુ જો કોઈ કહે કે હું હિન્દુ છું, મુસલમાન છું, ખ્રિસ્તી છું કે લિંગાયત છું તો મને રાજીપો થાય છે કે ચાલો, તેમને તેમના મૂળની તો જાણ છે.’

તેમણે મનુસ્મૃિતનો બચાવ કરતા કહ્યું હતું કે ‘સ્મૃિતઓ પ્રાચીન ભારતમાં બંધારણ તરીકે કામ કરતી હતી. અત્યારે દેશમાં આંબેડકર સ્મૃિત અમલમાં છે અને એ પહેલાં પરાશર સ્મૃિત અમલમાં હતી.’ એ પછી તેમણે કહ્યું હતું કે જે લોકો ઇતિહાસનું જ્ઞાન ધરાવતા નથી એ બેવકૂફ છે.

અનંતકુમાર હેગડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ઊછર્યા છે એટલે બૌદ્ધિક પ્રતિભા તેમને ગળથૂથીમાં મળી છે. ઇતિહાસ તેમણે એટલો પચાવ્યો છે કે તેઓ કોઈને પણ બેવકૂફ કહી શકે. અનંતકુમાર હેગડેને માત્ર એટલું જ કહેવાનું કે તેમને સ્મૃિતઓના ઇતિહાસની જાણ નથી. ભારતના ઇતિહાસમાં ક્યારે ય કોઈ એક સ્મૃિતએ આખા દેશમાં બંધારણ તરીકે કામ કર્યું નથી કે સ્મૃિતઓના બંધારણીય શાસનનો ક્રમ હતો નહીં. જેમ કે પહેલાં મનુસ્મૃિત પછી, પરાશર સ્મૃિત વગેરે. ભારતના અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ સ્મૃિતઓએ કહેલા રીતિરિવાજ સમાંતરે ચાલતા હતા. અનંતકુમાર હેગડેને એની પણ જાણ નથી કે ભારતમાં મનુસ્મૃિત અને પરાશર સ્મૃિત એમ માત્ર બે જ સ્મૃિત નહોતી, લગભગ બે ડઝન સ્મૃિતઓ સમાંતરે કે આગળ-પાછળ અમલમાં હતી.

તેમણે આના વિશે વધારે જાણવું હોય તો ભારત રત્ન પી.વી. કાણેના હિસ્ટરી ઑફ ધર્મશાસ્ત્રના છ ખંડ જોઈ જવા જોઈએ. કુલ મળીને ત્રણ હજાર પાનાં વાંચવાં એ થોડું અઘરું કામ છે, સ્વયંસેવક માટે કદાચ ગજાબહારનું કામ છે; પરંતુ ઇતિહાસ જાણવા મળશે. કોઈ સ્મૃિત ક્યારે ય કોઈ બંધારણ તરીકે કામ નહોતી કરતી અને સ્મૃિતઓના આદેશ કાલ અને સ્થળ મુજબ વિરોધાભાસી પણ હતા. જો કે જવા દઈએ ઇતિહાસના જ્ઞાનની વાત, તેમણે પોતે જ ઇતિહાસ ન જાણનારાઓને સર્ટિફિકેટ આપી દીધું છે.

વાત છે બંધારણ બદલવાની અને કુજાત સેક્યુલરિસ્ટોની જેમને પોતાના ગોત્રની જાણ નથી. સંઘપરિવાર બંધારણ બદલવા ઇચ્છે છે એ ઉઘાડી વાત છે, પરંતુ સંઘની પરંપરા મુજબ ફોડ પાડીને ઈમાનદારીપૂર્વક તેમણે પોતાનો ઇરાદો પ્રગટ નથી કર્યો. સંઘની પરંપરા અને રણનીતિ એવી છે કે ચેન્નઈ જવું હોય તો દિલ્હીનો રસ્તો પકડે. ત્રણ ડગલાં ચાલે અને બે ડગલાં પીછેહઠ કરે. અનેક લોકો અનેક મોઢે બોલે. ગુગલી ફેંકનારને બે જણ શાબાશી આપે અને એક જણ ઠપકો આપે. અનંતકુમાર હેગડેને શાબાશી પણ આપવામાં આવી છે અને ઠપકો પણ આપવામાં આવ્યો છે. લોકસભામાં બંધારણ બદલવાની વાત તેમણે પાછી લીધી છે અને બંધારણનું અપમાન કરવા માટે તેમણે માફી માગી છે. આમ તેલ અને તેલની ધાર જોઈને ધીરે-ધીરે જગ્યા બનાવવાની સંઘની નીતિ છે.

ભારતના સેક્યુલર બંધારણ સાથે કેટલાં ચેડાં થઈ શકે એમ છે અને કેટલી હદે દેશની જનતા ચેડાં ચલાવી લે એમ છે એનું પાણી માપવા માટે સૌપ્રથમ અટલ બિહારી વાજપેયીની સરકારે ૨૦૦૦ની સાલમાં ન્યાયમૂર્તિ વેન્કટચલૈયાના અધ્યક્ષમાં ધ નૅશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ કૉન્સ્ટિટ્યુશનની રચના કરી હતી. એ સમયે સંઘપરિવારની ગણતરી એવી હતી કે ધાર્મિક અને ઈશ્વરભીરુ વેન્કટચલૈયા બંધારણમાં ફેરફાર કરવા માટેનાં કારણો શોધી આપશે અને એક વાર દસ્તૂરખુદ ન્યાયમૂર્તિઓના કમિશન દ્વારા કારણો હાથ લાગે એટલે છીંડાં પાડવા માટેનાં બહાનાં મળી જશે. તેમના કમનસીબે કમિશને અહેવાલ આપ્યો કે બંધારણના મૂળભૂત ઢાંચામાં કોઈ ખામી નથી અને એને હાથ લગાડવો એ બંધારણદ્રોહ કહેવાય.

શું છે બંધારણનો મૂળભૂત ઢાંચો? શું છે બંધારણનો પ્રાણ? ન્યાયમૂર્તિ વેન્કટચલૈયાના કમિશન મુજબ સેક્યુલર સંસદીય લોકતંત્ર એ બંધારણનો પ્રાણ છે અને એના પર બંધારણનો ઢાંચો આધારિત છે. એ સમયે બંધારણમાં ફેરફાર કરવા માટે કારણો હાથ લાગ્યાં નહીં. ઊલટું કમિશને કઈ બાબતને હાથ લગાડવામાં ન આવે એ ફોડ પાડીને કહ્યું હતું. એક રમત નિષ્ફળ નીવડી એનો અર્થ એવો નથી કે તેઓ ભવિષ્યમાં બંધારણ સાથે ચેડાં કરવાની તક શોધવાના નથી. તેમનો ઇરાદો હિન્દુ રાષ્ટ્રની નિર્મિતિનો છે એટલે લોકતાંત્રિક સેક્યુલર બંધારણ તેમને આંખના કણાની જેમ ખૂંચે છે. અનંતકુમાર હેગડેએ પાણી માપવાની કોશિશ કરી હતી.

પ્રધાન મહોદયે સેક્યુલરિસ્ટોને નબાપી જમાત કહી છે અને જે લોકો ધર્મ કે જ્ઞાતિની ઓળખ ધરાવે છે અને એ ઓળખ માટે ગર્વ ધરાવે છે તેમની સરાહના કરી છે, પછી ભલે એ ઓળખ ધરાવનારાઓ મુસલમાન કે ખ્રિસ્તી હોય. અહીં આપણે તેમને મૌલાના મૌદ્દુદીની યાદ અપાવવી જોઈએ. ઇસ્લામના બહુ મોટા પંડિત હતા. જમાત એ ઇસ્લામી-એ-હિન્દના સ્થાપક અને રાહબર મૌલાના પ્રારંભમાં ભારતના વિભાજનના વિરોધી હતા. એટલા માટે નહીં કે તેઓ હિન્દુ-મુસ્લિમ એકતામાં માનતા હતા, પરંતુ એટલા માટે કે જો અવિભાજિત ભારતના મુસલમાનો અલગ મુસ્લિમ રાજ્ય લઈને ભારતની બહાર નીકળી જાય તો બાકીના ભારતને મુસ્લિમ ભારત બનાવવાની યોજના સમાપ્ત થઈ જાય. ઇસ્લામ વિશ્વનો એકમાત્ર સાચો ધર્મ છે અને હજી જેમણે સાચો ધર્મ અપનાવ્યો નથી તેમને મુસલમાન બનાવવા અને તેમનું કલ્યાણ કરવું એ સાચા મુસલમાનનું કર્તવ્ય છે.

આઝાદી પહેલાં મૌલાનાએ કહ્યું હતું કે આ મિશનમાં જો કોઈ મોટું વિઘ્ન હોય તો એ સેક્યુલરિઝમ છે. સેક્યુલરિઝમ એમ શીખવે છે કે તમારી ધર્મશ્રદ્ધા એ તમારી અંગત બાબત છે અને એ ઘરની ચાર દીવાલોની અંદર રહેવી જોઈએ. રાજ્યને કોઈ ધર્મ સાથે કે ધર્મના શ્રેષ્ઠત્વ સાથે લેવાદેવા નહીં હોય. સેક્યુલરિઝમ પ્રત્યેક ધર્મને એકસરખો આદર આપે છે એટલું જ નહીં, દરેક ધર્મને અને દરેક ઈશ્વરને સાચો માને છે.

હવે જો બધા ધર્મ એકસરખા હોય, બધા ધર્મ સાચા હોય, બધા ઈશ્વર સાચા હોય તો ધર્મબહુલતા સ્વીકારવી પડે અને અનેક ઈશ્વરનો સ્વીકાર કરવો પડે. ઉપરથી રાજ્ય ધર્મનિરપેક્ષ હોય તો ધર્મના નામે કાયદો હાથમાં લઈ શકાય નહીં, વિધર્મી પર કહેવાતો સાચો ધર્મ ઠોકી શકાય નહીં અને કહેવાતા તત્ત્વના નામે ધર્મયુદ્ધ કરી શકાય નહીં. સેક્યુલરિઝમ એવું એક દુષ્ટ તત્ત્વ છે જે ધર્મને ઘરની બહાર લઈ જવાની તક આપતું નથી તો પછી આખરે ઇસ્લામનો વિજય થાય કઈ રીતે? રણભૂમિ બચાવી રાખવી જોઈએ, હાર-જીત પાછળથી જોઈ લેવાશે.

એટલા માટે મૌલાના મૌદ્દુદીએ કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનોએ મળીને સેક્યુલરિઝમ સામે લડી લેવું જોઈએ. તેમણે અનંતકુમાર હેગડેની ભાષામાં કહ્યું હતું કે સેક્યુલરિસ્ટોને તેમના બાપની જાણ નથી. એ જ ભાષા, એ જ વાણી, એ જ તેવર જે અનંતકુમાર હેગડેમાં જોવા મળ્યા હતા. ૯૦ વરસના કાળખંડનું અંતર છે એટલો જ ફરક. મૌલાના મૌદ્દુદીએ હિન્દુઓને સલાહ આપી હતી કે ‘તેમણે પોતાનાં મૂળિયાં માટે ગર્વ અનુભવવો જોઈએ. તેમણે પોતાના ધર્મ અને જ્ઞાતિ માટે ગર્વ અનુભવવો જોઈએ. તેમણે જો તાકાત હોય તો હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈએ, મુસલમાનો પોતાનો રસ્તો શોધી લેશે. સેક્યુલરિઝમના નામે બહુમતી કોમે ઉદાર બનવાની જરૂર નથી અને લઘુમતી કોમની દયા ખાવાની જરૂર નથી. મુસલમાનોને ધર્મ ખાતર શહીદ થતાં આવડે છે. કુરાન મુજબ કોઈ જેહાદી નરકમાં જતો નથી.’

આનો અર્થ શું થયો? સહઅસ્તિત્વ માટે રસ્તા શોધવાની જરૂર નથી, જે ધર્મ સાચો હશે એનો વિજય થશે. મૌલાના મૌદ્દુદીને ખાતરી હતી કે ઇસ્લામ ધર્મ એકમાત્ર સાચો ધર્મ છે એટલે એનો વિજય થવાનો છે. બહુ-બહુ તો ધર્મયુદ્ધ કરવું પડશે જે માટે તેઓ તૈયાર હતા. સેક્યુલરિઝમ એ સહઅસ્તિત્વ માટે ઉપયોગી છે એટલે કોમવાદીઓ માટે એનો કોઈ ખપ નથી. જે મૌલાના મૌદ્દુદી માનતા હતા એ BJPના અનંતકુમાર અને સંઘપરિવાર માને છે. ફરક એ છે કે મૌલાના પ્રામાણિકતાપૂર્વક પોતાનો અભિપ્રાય આપવાની હિંમત ધરાવતા હતા. મને યાદ નથી કે તેમણે ક્યારે ય માફી માગી હોય. પાકિસ્તાનમાં જનરલ અયુબ ખાને તેમને જેલમાં નાખ્યા હતા ત્યારે પણ તેમણે માફી નહોતી માગી કે નહોતો તેમણે વિચાર બદલ્યો.

અહીં વાચકના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થશે કે મૌલાના મૌદ્દુદી ભારતના વિભાજનનો વિરોધ કરતા હતા તો પાકિસ્તાન કેમ જતા રહ્યા? બન્યું એવું કે દેવબંદના મુલ્લાઓ વિભાજનનો વિરોધ કરતા હતા એમ છતાં ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાનની સ્થાપના થઈ. તેમને એમ લાગ્યું કે ભારતીય ઉપખંડમાં જો મુસ્લિમ બહુમતી સેક્યુલર રાજ્ય અસ્તિત્વમાં આવશે તો ઇસ્લામને ફાયદા કરતા નુકસાન વધુ થશે. અવિભાજિત ભારત ઇસ્લામની ભૂમિ (દારુલ ઇસ્લામ) જ્યારે બનવું હશે ત્યારે બનશે, અત્યારે તાત્કાલિક જરૂરિયાત પાકિસ્તાન સેક્યુલર દેશ ન બને એની છે. તેઓ તેમના ચેલાઓ સાથે પાકિસ્તાન ગયા હતા અને એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

મોહમ્મદઅલી જિન્નાહ પાકિસ્તાનને સેક્યુલર દેશ બનાવવા માગતા હતા, પરંતુ તેઓ પાકિસ્તાનની બંધારણસભામાં પાકિસ્તાનના ઉદ્દેશનો મુસદો (ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન) પસાર નહોતા કરાવી શક્યા. પાકિસ્તાનની બંધારણસભાએ પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક જાહેર કર્યું હતું અને સાવર્ભૌમત્વ અલ્લાહને આપવામાં આવ્યું હતું. ભારતની જેમ નાગરિકના સાવર્ભૌંમત્વની જગ્યાએ પાકિસ્તાને અલ્લાહને સાવર્ભૌ મત્વ આપ્યું અને પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક બનાવ્યું એ પછી પાકિસ્તાન સેક્યુલર સ્ટેટ બને એવી કોઈ શક્યતા રહી નહોતી. આપણી જેમ ભેદભાવ વિનાના સેક્યુલર કાયદાઓની જગ્યાએ પાકિસ્તાનમાં ઇસ્લામિક કાયદાઓ સર્વોપરી છે.

પાકિસ્તાનની આજે જે અવસ્થા છે એ મૌલાના મૌદ્દુદીની વિચારધારાનું પરિણામ છે. પાકિસ્તાન આતંકવાદની ઉછેરભૂમિ બન્યું છે તો એ માટે મૌલાના મૌદ્દુદી જવાબદાર છે. પાકિસ્તાનની સ્થાપના વખતે જો પાકિસ્તાનની પ્રજાએ મૌલાનાની જગ્યાએ સેક્યુલર નેતાઓને ટેકો આપ્યો હોત તો પાકિસ્તાનનો ઇતિહાસ જુદો હોત.

આપણને કેવું ભારત જોઈએ છે? સેક્યુલર ભારત કે હિન્દુ રાષ્ટ્ર જે રીતે પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર છે? એ ન ભૂલવું જોઈએ કે અનંતકુમાર અને મૌલાના મૌદ્દુદી એક વેવલેન્ગ્થ પર છે. એ જ ભાષા, એ જ વાણી અને એ જ તેવર. એજન્ડા પણ એકસરખો છે. જે ડહાપણ આપણા વડીલોએ બતાવ્યું હતું એને ભૂલવા માગો છો? આજે દરેક ભારતીયે સેક્યુલર ભારતના પડખે ઊભા રહેવાની જરૂર છે. આ અત્યારના સમયની ડિમાન્ડ છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2018

Loading

આવનારા દિવસોમાં દેશમાં જાતીય વિગ્રહ થાય તો આશ્ચર્ય ન પામતા

રમેશ ઓઝા|Opinion - Opinion|5 January 2018

ગાંધી, નેહરુ અને આંબેડકરની કલ્પનાના ભારતને નકારવા અત્યારના શાસકો દેશના સામાજિક પોતને ચીરવાના કામમાં લાગ્યા છે

NDTVના રવિશ કુમાર કહે છે એમ, આજે આખો દેશ ઇતિહાસની પાઠશાળામાં પલાંઠી વાળીને બેઠો છે. કોઈ કહેતાં કોઈ સમાજને ભારતમાં લખાયેલા અને ભણાવાતા ઇતિહાસથી સંતોષ નથી. ધર્માનુયાયીઓને, જ્ઞાતિજનોને, પેટાજ્ઞાતિજનોને, આર્યોને, દ્રવિડોને, પ્રાંતીય જનોને, ભાષાભાષિકોને, દલિતોને, આદિવાસીઓને, પૂર્વાંચલીઓને, પહાડીઓને મળી કોઈને લખાયેલા ઉપલબ્ધ ઇતિહાસથી સંતોષ નથી. દરેક પાસે પોતપોતાની કલ્પનાનો ઇતિહાસ છે અને એ જ સાચો ઇતિહાસ છે એવો આગ્રહ રાખે છે. તેઓ માત્ર એટલેથી નથી અટકતા, બીજાએ પણ તેમના ઇતિહાસને માન્ય રાખવો જોઈએ એવો તેમનો દુરાગ્રહ છે. તેમને એ વાતની ચિંતા નથી કે તેમના દુરાગ્રહને કારણે ભારતના સામાજિક પોતમાં ઊભા-આડા ઉતરડા પડે છે અને દેશ નબળો પડે છે.

િવડંબના એ છે કે આ દેશમાં ક્યારે ય કોઈ આક્રમણકારનો પરાજય થયો જ નથી; શક, હુણ કે સિકંદરથી લઈને છેલ્લે અહમદશાહ અબ્દાલી સુધી કોઈનો નહીં. અંગ્રેજો તો ધંધો કરવા આવ્યા હતા અને છાતી પર ચડી બેઠા, પણ આપણે કાંઈ નહોતા કરી શક્યા. ૧૮૫૭ના વિદ્રોહમાં પણ વિદ્રોહ કરનારાઓનો પરાજય થયો હતો. આપણે ક્યારે ય વિચાર કર્યો છે ખરો કે આવું કેમ બનતું રહ્યું છે? શા માટે કાઠિયાવાડમાં ગામડે-ગામડે પાળિયા છે અને વિજયસ્મારક જવલ્લેજ જોવા મળે છે? અહીં અહમદશાહ અબ્દાલીનો ઉલ્લેખ કર્યો તો તેના નામે નોંધાયેલો એક પ્રસંગ ટાંકવા જેવો છે : ઈ. સ. ૧૭૬૧નું પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદશાહ અબ્દાલી અને બાજીરાવ પેશવાના નેતૃત્વમાં મરાઠાઓ વચ્ચે લડાયું હતું. યુદ્ધની એક રાતે અબ્દાલીએ તેના સેનાપતિને પૂછ્યું હતું કે સામે મરાઠાઓની છાવણીમાં આટલાં બધાં તાપણાં શા માટે છે? સેનાપતિએ કહ્યું કે તેઓ પોતપોતાની રસોઈ રાંધે છે. તેઓ એકબીજાના હાથનું ભોજન આરોગતા નથી. અબ્દાલીએ કહ્યું કે તો આપણો વિજય નક્કી છે, જે પ્રજા એકસાથે જમી શકતી નથી એ એકસાથે શું લડવાની. 

સરંજામશાહી કે ચોથ આધારિત જે કાંઈ મરાઠા સામ્રાજ્ય હતું એનો પાણીપતના ત્રીજા યુદ્ધમાં અંત આવ્યો હતો. જે થોડુંઘણું પુણેના પરગણામાં બચ્યું હતું એનો ૧૮૧૮માં ખડકીના યુદ્ધમાં અંગ્રેજો સામે થયેલા પરાજયમાં અંત આવ્યો હતો. એ વર્ષે પુણેમાં શનિવારવાડામાં યુનિયન જૅક લહેરાયો હતો. હકીકતમાં એ મરાઠા સામ્રાજ્ય હતું પણ નહીં, એ પુણેના બ્રાહ્મણ પેશવાઓનું રાજ હતું અને શિવાજીના વંશજો કહેવા પૂરતા શાસકો હતા. પેશવાઓની બ્રાહ્મણશાહી બહુજન સમાજને રંજાડનારી હતી. અંગ્રેજો સામેના યુદ્ધમાં પેશવાઓનો પરાજય થયો ત્યારે પુણે પરગણામાં બહુજન સમાજે દિવાળી ઊજવીને હર્ષ વ્યક્ત કર્યો હતો.

આ ઇતિહાસ શરમજનક છે, પરંતુ આજે એમાંથી ધડો લઈને રાષ્ટ્રીય એકતા વિકસવાની જગ્યાએ દરેક સમાજ ઇતિહાસ બદલીને વિજયી થવા માગે છે એટલે તેઓ ઇતિહાસની પાઠશાળા જમાવીને બેઠા છે અને બીજી પ્રજાનો છેદ ઉડાડવા માગે છે. દેશ ભલે નબળો પડે પણ આપણે વિજયી સાબિત થવા જોઈએ અને જેઓ આપણી સામે લડ્યા હતા તેઓ દેશના દુશ્મન હોય કે નહીં, આપણા દુશ્મન જરૂર છે.

પુણે નજીક ભીમા-કોરેગાવની ઘટના આનું પરિણામ છે. પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ અંગ્રેજો સામેના યુદ્ધમાં પેશવાઓ(મરાઠાઓ નાહક સમજે છે કે મરાઠાઓનો)નો પરાજય થયો હતો. અંગ્રેજોના સૈન્યમાં અંગ્રેજો તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હતા. તેમનું સૈન્ય બહુજન સમાજનું બનેલું હતું જેમને અંગ્રેજોએ માન સાથે નોકરી આપી હતી. સવર્ણ હિન્દુઓ જેમને અપમાનિત કરતા હતા તેમને અંગ્રેજો પોતાની પાંખમાં લેતા હતા. જો મરાઠાઓએ કે બીજા કોઈ પણ ભારતીય રાજવીઓએ બહુજન સમાજને માનસન્માન આપ્યું હોત અને સૈન્યમાં સ્થાન આપ્યું હોત તો તેમનો અંગ્રેજો સામે કે બીજા કોઈ પણ આક્રમણકારો સામે પરાજય થયો હોત.

પેશવાઓ સામેના યુદ્ધમાં અંગ્રેજો વતી મહાર દલિતો લડ્યા હતા અને તેમણે બ્રાહ્મણ પેશવાઓને હરાવ્યા હતા. દલિતો આને બ્રાહ્મણો સામેના વિજય તરીકે જુએ છે જે પણ ઇતિહાસનું જાતીય સરળીકરણ છે. દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ જાતીય અને કોમી સઘર્ષને પાતળો પાડવાની કોશિશ કરી હતી જેથી અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને નિરસ્ત કરી શકાય. ગાંધીજીને એમાં આંશિક સફળતા મળી હતી, પરંતુ આપણે તેમને પૂરા સફળ થવા નહોતા દીધા. આપણી અંદર બેઠેલા હિન્દુએ તેમની હત્યા કરી હતી. આઝાદી પછી ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ ભારતના નાગરિકોને સલાહ આપી હતી કે હવે આપણે આપણી નાગરિક તરીકેની ઓળખ વિકસાવવાની છે. માત્ર અને માત્ર નાગરિક ભારતમાં કાયદાનું રાજ વિકસાવી શકે અને દેશને આગળ લઈ જઈ શકે, જ્ઞાતિ અને કોમ નહીં. તેમને જાણ હતી કે કાયદાના રાજમાં જ દલિતો અને વંચિતોનું હિત છે જેનું પરંપરાગત સમાજે શોષણ કર્યું છે.

ગાંધીજી ૧૯૧૫માં ભારત આવ્યા હતા. ૧૯૧૫ પછીથી તેમણે દેશમાં જાતીય અને કોમી એકતા વિકસાવવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. બરાબર ૧૦૦ વર્ષ પહેલાં રાષ્ટ્રીય એકતાનો યજ્ઞ ચાલી રહ્યો હતો. આજે ૧૦૦ વર્ષ પછી પાછા આપણે ઇતિહાસની પાઠશાળામાં ગોઠવાઈને એ યજ્ઞને ઠારવાના કામમાં લાગ્યા છીએ. આવી પાછા ફરવાની મૂર્ખાઈ એ જ પ્રજા કરી શકે જેની રાષ્ટ્રીય કરતાં જાતીય અને કોમી અસ્મિતા પ્રબળ હોય.

સવર્ણો ગાંધીજીની શીખ માનીને બહુન સમાજને બાથમાં લેવા માગતા નથી અને દલિતો ડૉ. આંબેડકરની સલાહને અનુસરીને બ્રાહ્મણો સામેના વેરના ઇતિહાસને ભૂલવા માગતા નથી. કોઈને ઇતિહાસ ભૂલવો નથી અને પોતાને માફક આવે એવો ઇતિહાસ સ્થાપિત કરવો છે. આમાં બંધારણ આધારિત આધુનિક ભારતનો ખો નીકળે છે એની કોઈને પરવા નથી.

દલિતો દાયકાઓથી દર વર્ષે પહેલી જાન્યુઆરીએ ભીમા-કોરેગાવ ખાતે વિજયસ્તંભ પર દલિત શહીદોને અંજલિ આપવા હજારોની સંખ્યામાં પહોંચી જાય છે. એ વિજય દલિતોનો નહોતો, અંગ્રેજોનો હતો એ હકીકત સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેઓ એને કારણ વિના દલિતોના બ્રાહ્મણો સામેના વિજય તરીકે જુએ છે. આ વર્ષે એ ઘટનાને ૨૦૦ વર્ષ થયાં ત્યારે દલિતો મોટી સંખ્યામાં ભીમા-કોરેગાવ પહોંચી ગયા હતા.

આ બાજુ મરાઠાઓ પણ કારણ વિના પેશવાઓના પરાજયને મરાઠાઓના પરાજય તરીકે જુએ છે. તેઓ એ હકીકત સ્વીકારવા તૈયાર નથી કે મરાઠા રાજવીઓ નામ પૂરતા રાજવી હતા અને પેશવાઓ દ્વારા વર્ષાસન પર નભતા હતા. મહારાષ્ટ્ર સળગ્યું એ ખોટી અને વાંઝણી અસ્મિતાનું પરિણામ છે. સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે નામના બે મરાઠા આગ લગાડવામાં અગ્રેસર હતા. તેમને જાણ હતી કે ૧૮૧૮ની લડાઈની દ્વિશતાબ્દી નિમિત્તે દલિતો મોટી સંખ્યામાં ભીમા-કોરેગાવમાં ઉપસ્થિત રહેવાના છે. તેમણે જાણીબૂજીને ગોવિંદ ગાયકવાડ નામના મહારની સમાધિ તોડી નાખી હતી. આ પણ એક સાચો-ખોટો પણ સામાજિક પોતને ચીરે એવો ઇતિહાસ છે. એમ કહેવાય છે કે ૧૬૮૯માં છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીની હત્યા પછી ઔરંગઝેબે ફરમાન કાઢ્યું હતું કે જેકોઈ સંભાજીના અગ્નિસંસ્કાર કરશે તેની હત્યા કરવામાં આવશે. ડરને કારણે કોઈ મરાઠા આગળ આવતા નહોતા ત્યારે ગોવિંદ ગાયકવાડ નામના મહારે સંભાજીના અગ્નિસંસ્કાર કર્યા હતા અને પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટનાના કોઈ ઐતિહાસિક દસ્તાવેજ મળતા નથી, જે રીતે ચિત્તોડગઢમાં કોઈ સમયે પદ્મિની થઈ હોવાના કોઈ પુરાવા નથી. જેમને લડવું છે તેને લડવા માટે ઇતિહાસ ઉપલબ્ધ છે અને હજી વધુ લડવા માટે પોતાને અનુકૂળ આવે એ રીતે ઇતિહાસ બદલવાની જીદ છે.

સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે હિન્દુત્વવાદી છે અને એકબોટે એક સમયે પુણેના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક હતા. એકબોટે સામે એક ડઝન ફોજદારી કેસ છે. ભીડેગુરુજીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફૅન છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ગુરુજીના આર્શીવાદ લેવા તેમના ઘરે સાંગલી ગયા હતા અને પગે લાગીને પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ગુરુજીના આદેશથી ખાસ સાંગલી આવ્યો છું, મારી મેળે ચૂંટણીપ્રચાર માટે નથી આવ્યો. સુરતનો ટ્રોલ નિખિલ દધિચ અને ભીડેગુરુજી વગેરેને આપણા વડા પ્રધાન ફૉલો કરે છે.

ગાંધી, નેહરુ અને આંબેડકરની કલ્પનાના ભારતને નકારવા અત્યારના શાસકો દેશના સામાજિક પોતને ચીરવાના કામમાં લાગ્યા છે. આવનારા દિવસોમાં દેશમાં જાતીય વિગ્રહ થાય તો આશ્ચર્ય નહીં પામતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 જાન્યઆરી 2018

Loading

...102030...3,2453,2463,2473,248...3,2603,2703,280...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved