Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—269

દીપક મહેતા|Opinion - Opinion|28 December 2024

નવા જમાનાની જાદુઈ લાકડીની ‘નવલ’- કથા

નોકર અને શેઠની હાજરજવાબી     

દુનિયાની ૬૯ ભાષાઓમાં જુદી જુદી રીતે જોવા મળતી સિન્ડ્રેલાની પરીકથા અને આજની આપણી આ કથા વચ્ચે એક જ ફરક છે. આજની કથાનું મુખ્ય પાત્ર કોઈ છોકરી નહિ, પણ એક છોકરો છે. એનું નામ નવલ. બાવાજીનું નામ હોરમસજી. એવનને તન પોરિયા. નવલ સૌથી નાહ્લો. હોરમસજી અમદાવાદની એડવાન્સ મિલમાં સ્પિનિંગ માસ્તરની મામૂલી નોકરી કરે. નોકરીમાં નહિ પેન્શન કે નહિ કોઈ બી જાતનો વીમો. હજી તો નવલ માંડ ચાર વરસનો થિયો તેવામાં હોરમસજી ખોદાયજીને પ્યારા થઈ ગિયા! થોરા દિવસ તો નવસારીના પરગજુ પારસીઓએ તન છોકરા અને તેમની માયને સાચવિયાં. પન પછી? તન પોરિયાઓને લઈને મમ્મા ગિયાં સુરત. ભરત-ગૂંથન, શીવણકામ અને બીજા ન્હાલ્લાં મોટ્ટાં કામ કરીને માંડ માંડ ચાર દોઝરાં ભરે.

એક વેળાએ દોરાબજી તાતા ગિયા હુતા સુરત. ખોદાયજીની એવી મરજી હોસે તે મળિયા પેલા તન છોકરાનાં માયજીને. દોરાબજીએ એવનને સમજાવિયાં : તન તન છોકરાને તમે એકલે હાથે મોટા નહિ કરી સકસો. એમને અહીંના ઓર્ફનેજમાં મૂકી દો. સુરતનું આય અનાથાશ્રમ મુંબઈના રહેવાસી જમશેદજી નસરવાનજી પીતીતની યાદમાં એવનના બાવા નસરવાનજીએ સુરુ કિધેલું. નસરવાનજી હુતા એ જમાનાના એક મોટ્ટા વેપારી. એકનો એક પોરિયો જમશેદજી. માત્ર બત્રીસ વરની આવરદા ભોગવનાર જમશેદજી એક અચ્છા પારસી લેખક હુતા, જુદી જુદી ભાષાઓના જાણકાર ચાહક હુતા. ‘માહરી મજેહ’ એવનની કવિતાની કિતાબ. જુદી જુદી ભાષાઓની કહેવતોનો દળદાર સંગ્રહ તે ‘કહેવતમાળા.’ બંને ચોપડી એવનના ગુજરી ગિયા પછી છપાઈ. નસરવાનજીએ જમશેદજીની યાદમાં મુંબઈમાં બંધાવેલી જે.એન. પીતીત લાઈબ્રેરી આજે બી ફ્લોરા ફાઉન્ટન પાસે અડીખમ ઊભી છે.  

પણ આ તો વાત જરા આરે પાટે ચરી ગઈ. તન પોરિયાઓને લઈને દોરાબજી ગિયા પેલા ઓર્ફનેજમાં. પન એના મેનેજર કહે કે અમે બે છોકરાને રાખસ. પણ આય તીજો નવલ, હજી બૌ નાલ્લો છે એટલે આવતે વરસે તેને દાખલ કરસું. અને એક વરસ વેરે નવલ બી ગિયો બે મોટા ભાઈની સાથે ઓર્ફનેજમાં. 

નવલ તાતા

અને હવે આવે છે આય વાતમાં જબરો ટવીસ્ટ! ૧૯૧૮માં દોરાબજીના ભાઈ રતનજી (આર.ડી.) એકાએક લંડનમાં ગુજરી ગિયા. નહિ રતનજીને ઓલાદ, નહિ દોરાબજીને. પન રુવાન(મૃતદેહ)ને અવલમંજલ પહોંચારવા માટે દીકરો તો જોઈએ! એટલે કોઈ છોકરાને દત્તક લેવો પરે. અને બરાબર એ જ ટાણે દોરાબજીને સાંભરી આયા પેલા તન પોરિયાઓ જેને સુરતના ઓર્ફનેજ્માં પોતે જ દાખલ કીધા હુતા. અને ભલે દૂરના, પણ એ તને પોરિયા તાતા ખાનદાનના હુતા. એ વલી કઈ રીતે? દોરાબજી અને રતનજીનાં માયનું નામ હીરાબાઈ, જે હુતાં સર જમશેદજીનાં ધણિયાણી. પોરિયા નવલનાં દાદી અને હીરબાઈ, બે સગ્ગી બહેનો! એટલે રતનજીના વિધવા નવાજબાઈને લઈને ગિયા સુરતના ઓર્ફનેજમાં. તન ભાઈઓને બતલાવીને બોલિયા કે આ તનમાંથી કોઈ બી એકને પસંદ કરી લો. જોતાં વેંત નવાજબાઈની નજરમાં નાલ્લો પોરિયો નવલ વસી ગિયો. વરસો પછી આય વાતને યાદ કરતાં નવલ તાતા બોલિયા હુતા કે એ દહાડે નવાજ મમ્મા મારે વાસ્તે તો હાથમાં જાદુઈ છડી લઈને જ આયાં હુતાં. એવને મુને એ છડી અડકાવેલી બી નહિ. અને છત્તાં તે દહારે હું ઓર્ફનેજમાંથી તાતા ખાનદાનના રાજમહેલ જેવા બંગલામાં પૂગી ગિયો!

પન એ જ દહારે નહિ હોં! કેમ વારુ? નવલ અને એના બંને ભાઈ ઓર્ફનેજમાં ફી ભરીને નહિ, બિલકુલ ફ્રીમાં રહેતા હુતા. અને ઓર્ફનેજનો નિયમ હૂતો કે આય રીતે ફ્રીશિપ મેળવનાર પોરિયા મેટ્રિક(આજની એસ.એસ.સી.)ની પરીક્ષા પાસ કરે તે પછી જ ઓર્ફનેજ છોરી સકે. એટલે મેટ્રિક થયા પછી જ નવલજી તાતા ખાનદાન સાથે રહેવા ગિયા. મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ બનિયા, લંડન જઈ અભ્યાસ કીધો અને ૧૯૩૦માં તાતા ગ્રૂપમાં કોઈ ઊંચા હોદ્દા પર નહિ, એક સામાન્ય ડિસ્પેચ ક્લાર્ક તરીકે જોડાયા. મજૂરોને લગતા કાયદા-કાનૂન, મજૂરોની સુખાકારી, વગેરેમાં નવલજીને જબરી જાણકારી. ફક્ત આપરા દેશમાં જ નહિ, બીજા દેશોમાં પન એ માટે તેમની જબરી નામના. પૂરાં ૩૮ વરસ સુધી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનિઝેશન(ILO)માં એવને હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કીધું. પોતાની કંપનીના મજૂરો સાથે બી નવલજી હસી મજાક બી કરી પણ શકતા અને સામી મજાક ઝીલી બી શકતા. એક વાર એક મજૂર તેના મશીન પરથી પૂરા એક કલાક માટે ગાયબ થઈ ગયેલો માલમ પડ્યો. પાછો આવ્યો ત્યારે સુપરવાઈઝર તેને નવલજી પાસે લઈ ગિયો અને ફરિયાદ કીધી. નવલજીએ પૂછયું : ‘કામ છોડીને એક કલાક સુધી ક્યાં ગિયો હૂતો?’ મજૂર: ‘સાહેબ! વાળ કપાવવા ગયો હતો.’ ‘એટલે જે ટાઈમમાં કામ કરવા માટે હું તુને પગાર આપું છ, એ ટાઈમનો ઉપયોગ તું વાળ કપાવવા માટે કરે છ?’ મજૂર હતો હાજરજવાબી. કહે : ‘ના, સાહેબ. મેં બધ્ધા વાળ નથી કપાવ્યા. આપ જે ટાઈમનો પગાર આપો છો એ ટાઈમમાં ઊગેલા એટલા જ વાળ કપાવ્યા છે!’ આય સાંભળી નવલજી ખડખડાટ હસી પડિયા અને આંગળીનો ઈશારો કરી કહ્યું કે ‘જા.’

ભારતની હોકી ટીમ સાથે નવલ તાતા (વચમાં કાળા સૂટમાં બેઠેલા)

નવલજીનો બીજો ખાસ શોખ તે રમતગમત. ઇન્ડિયન હોકી ફેડરેશનના લાગલાગટ પંદર વરસ સુધી એવન પ્રેસિડન્ટ હુતા. આપરો દેસ આઝાદ થિયો તે પછી પહેલવહેલી ઓલિમ્પિક્સ ગેમ્સ ૧૯૪૮માં લંડનમાં રમાવાની હુતી. નવલજીનો ખાસ આગ્રહ કે આઝાદી પછીની આ પહેલી ગેમ્સમાં હિન્દુસ્તાનની હોકીની ટીમે ભાગ લેવો જ જોઈએ. લાંબા વખત સુધી સરકાર સાથે લખાપટ્ટી કીધી. પન સરકારી અમલદારો જેનું નામ! ન હા પાડે, ન ના પાડે. કારણ? કારણ ટીમનો આવવા-જવાનો, રહેવા કરવાનો ખરચ કયે ખાતે ઉધારવો એની વિમાસણ. છેવટે નવલજી ગિયા પંડિત જવાહરલાલ નેહરુ પાસે. અને એવણને હોકી ટીમને મોકલવા રાજી કીધા. આઝાદ ભારતની હોકી ટીમ ગઈ, અને ગ્રેટ બ્રિટનને (૪-૦) હરાવીને પહેલો ગોલ્ડ મેડલ જીતીને પાછી આવી. એ પછી ૧૯૫૨માં નેધરલેન્ડને (૬-૧) હરાવ્યું. ૧૯૫૬મા પાકિસ્તાન સામે ત્રીજો ગોલ્ડ મેડલ. પણ જીત મળી હુતી થોરી નાલ્લી : ૧-૦ ગોલથી. નવલજી નેહરુને મલવા ગિયા તે વારે નેહરુ થોરા નારાજ હુતા. કહે : ‘૧-૦ એ તે કાંઈ જીત કહેવાય? આવી જીત ટેનિસમાં ચાલે, પણ હોકીમાં? શું આપણી ટીમની રમતનું ધોરણ કથળવા લાગ્યું છે?’ તરત નવલજીનો જવાબ મળ્યો : ‘ના, જી. પન બીજા દેશોનું ધોરણ સુધરવા લાગ્યું છે.’ ૧૯૬૯માં ભારતના રાષ્ટ્રપતિએ નવલ તાતાને પદ્મભૂષણથી નવાજ્યા હતા. નવલ તાતાના હોકી માટેના લગાવની યાદગીરી સાચવવા માટે જમશેદપુરમાં ૨૦૧૭માં નવલ તાતા હોકી એકેડેમીની સ્થાપના કરવામાં આવી. 

૧૯૬૯માં રાષ્ટ્રપતિ ડો. ઝાકિર હુસેનને હાથે પદ્મ ભૂષણ

૧૯૭૧ની લોકસભાની ચૂંટણી વખતે નવલજી દક્ષિણ મુંબઈ મતદાર વિભાગમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારે ઘણાને નવાઈ લાગેલી. તેમની સામેના બે ઉમેદવારો હતા જ્યોર્જ ફર્નાન્ડીસ અને ડોક્ટર એન.એન. કૈલાસ. એ જમાનામાં મુંબઈના ‘બેતાજ બાદશાહ’ ગણાતા સદોબા પાટીલને હરાવીને આગલી ચૂંટણીમાં ફર્નાન્ડીસ જીતેલા. પણ પરિણામ કોઈએ ધારેલું નહિ એવું આવ્યું : ફર્નાન્ડીસ અને નવલ તાતાને હરાવીને લગભગ અજાણ્યા ગણાય એવા ડો. કૈલાસ જીતી ગયા!  

કેન્સરના રોગથી પીડાઈને ૧૯૮૯ના મે મહિનાની પાંચમી તારીખે નવલ તાતા મુંબઈમાં બેહસ્તનશીન થિયા.

નવલજી પછીના તાતા ખાનદાનના મોભીની અજીબોગજબ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 ડિસેમ્બર 2024 

Loading

માણસ આજે (૨૩) 

સુમન શાહ|Opinion - Opinion|28 December 2024

સુમન શાહ

મારે આર્કિટૅક્ટ થવું’તું પણ s.c.c.-માં માંડ ૩૫ % આવેલા, એટલે m.s. Univercity-માં ઍડમિશન નહીં મળેલું. એ પછી ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ થવા કૉમર્સમાં ગયેલો, બે વર્ષ બગડેલાં કેમ કે બે વાર નાપાસ થયેલો. એ પછી વતન ડભોઈમાં આર્ટ્સમાં જોડાયેલો. બહુ ફાવી ગયેલું – એટલું બધું કે પહેલી સત્રાન્ત પરીક્ષામાં કૉલેજમાં ફર્સ્ટ આવેલો!

એથી શું યે ચાનક ચડેલી કે અંગ્રેજી સાહિત્ય વાંચવા માંડેલું. મને બરાબર યાદ છે કે કૉલેજની લાઇબ્રેરીમાંથી હૅમિન્ગ્વેની નવલકથા “A Farewell to Arms” લઈ આવેલો અને વાંચવા માંડેલી. સમજાય ન સમજાય, પણ વાંચ્યે જતો. એ સાલ હતી, 1959. ત્યારે જરા ય ખયાલ પણ હોય ખરો કે 2024-ના ડિસેમ્બરમાં આમ બનશે? 

પ્રૉફેસર થયા પછી “The Old Man and the Sea” વિશે એકથી વધુ વાર વ્યાખ્યાનો આપેલાં, એ વિશે દીર્ઘ લેખ પ્રકાશિત કરેલો, “The Snows of Kilimanjaro” વગેરે વાર્તાઓ વાંચેલી, ત્યારે કલ્પના પણ શી રીતે હોય કે આમ બનશે? 

ગયા વીકે ચિ. પૂર્વરાગ, અ.સૌ. પાયલ અને પૌત્રો પ્રિયમ અને આસવ સાથે હું ફ્લોરિડાના Key West ટાપુના પ્રવાસે ગયેલો. ત્યારે પણ વિચાર આવે ખરો કે આમ બનશે? 

પણ શું? એ કે હું હૅમિન્ગ્વેના ઘરે જઈ આવ્યો! 

ફ્લોરિડાથી દૂર પશ્ચિમમાં Key West નામના ટાપુ પર એમનું વિલક્ષણ શૈલીનું બે માળનું સુન્દર ઘર છે, અને તેને એક મ્યુઝિયમ રૂપે સરસ વિકસાવાયું છે. મને તો એની Key West પ્હૉંચ્યા પછી જ ખબર પડી. 

દેશ-વિદેશના સહેલાણીઓની મોટી લાઇન હતી, તડકો હતો. પણ અમે ગયાં. ગાઇડ બધું બતાવે, સમજાવે, આપણે પૂછીએ, એ જવાબો આપે. હૅમિન્ગ્વેના અનેક ફોટોગ્રાફ્સ, એમનો બેડરૂમ, સોફા, એમનું ડાઇનિન્ગ ટેબલ, એમનું એ જમાનાનું ટૉયલેટ, પાણી ભરી રાખવા માટેની કોઠી, શું ગણાવું ને શું નહીં ! 

પણ એક પેઇન્ટિન્ગ એવું જેમાં હૅમિન્ગ્વે અને એમનો old man સાન્ટિયાગો સામસામે છે, મને બહુ જ ગમેલું. 

પછી આપણે સ્વન્ત્રપણે એ ઘરના ગાર્ડનમાં વૃક્ષોની ભરપૂર છાયા માણતા માણતા ચાલતા રહેવાનું.

હૅમિન્ગ્વે બિલાડીઓ-પ્રેમી હતા. આ ઘરમાં એમણે ‘સ્નો વ્હાઈટ’ નામની બિલાડી પાળેલી. એ સિક્સ-ટો ધરાવતી polydactyl cat હતી. એ પછી આ ઘર એ વિશિષ્ટ જાતિની કૉલોની બની ગયેલું. પણ મજાની વાત એ છે કે એની વંશજ બિલાડીઓ હજી આ ઘરના બૅકયાર્ડમાં કે વૃક્ષો નીચે આળોટતી કે ઊંઘતી જોવા મળે છે – કોઇ કાળી – કોઈ તપખીરિયા રંગની …

આપણાં અચરજો જાગે ને શમે ને ક્રમે ક્રમે થાક શરૂ થાય. પૂરા દોઢેક કલાકનો અનુભવ. 

હૅમિન્ગ્વે ૪ વાર પરણેલા. પહેલી પત્ની Hadley Richardson; બીજી Pauline Pfeiffer; ત્રીજી Martha Gellhorn; ચૉથી Mary Welsh. 

Hemingway home in Key West —

હૅમિન્ગ્વે આ ઘરમાં Pauline Pfeiffer સાથે 1931-થી 1939 લગી રહેલા. એ એમનાં late 30s and early 40s દરમ્યાનનાં વર્ષો હતાં. 

સાવ વાસ્તવધર્મી બલિષ્ઠ અને ઘટનાભરપૂર જીવન હતું, છતાં હૅમિન્ગ્વે લેખનને એકાકી જીવનની કક્ષાએ મૂકે છે. નોબેલના સ્વીકાર વખતે કહેલું — Writing, at its best, is a lonely life.

આ અગાઉના લેખમાં મેં કહેલું કે મારા અધ્યવસાય દરમ્યાનના સમ્પ્રત્યયો મને ટુકડાઓમાં વેરવિખેર લાગે છે. પણ મારા અનુભવો તો એકબીજા સાથે જોડાતા ચાલે છે; એટલું જ નહીં, એક-અનુભવ રૂપે જુદા તરી આવે છે : 

પ્ર-સિદ્ધ સાહિત્યકારોનાં સ્થળે જઈ એ દેશકાળને ફરીથી ‘જીવન્ત’ થતો અનુભવવો, અને તેથી તેમાં એમની સાહિત્યકલાના મારા રસાનુભવને આપોઆપ ઉમેરાઈ જતો જોવો, અને તેથી તત્ક્ષણે રચાતા એક સમ્મિશ્ર નવા જ અનુભવમાં ખોવાઇ જવું … એવી લાક્ષણિક રૂપે ઉત્તરોત્તર વર્ધમાન ચાર અનુભવયાત્રાને હું મારી કારકિર્દીમાં નૉંધપાત્ર ગણું છું : 1990-માં રવીન્દ્રનાથના શાન્તિનિકેતનની યાત્રા; 1992-માં શેક્સપીયરના સ્ટ્રેટફર્ડ અપૉન એવનની યાત્રા, એ જ વર્ષમાં વર્ડ્ઝવર્થના લેઇક ડિસ્ટ્રિક્ટની યાત્રા :  2016-માં ફિલસૂફીની લોકચર્ચા  માટેના સૉક્રેટિસના બજારધામ અગોરા, ઍથન્સની યાત્રા; અને  આ પાંચમી યાત્રા હૅમિન્ગ્વેના હોમની … 

બીજી મજાની વસ્તુ તો એ બને છે કે એમાં જીવન અને સાહિત્યકલા અવિશ્લેષ્ય થઈ જતાં હોય છે બલકે ફિલસૂફી અને ટૅક્નોલૉજિવિષયક ફિલસૂફી વિશેની મારી સમજદારી પર જીવન મને સરસાઇ ભોગવતું લાગવા માંડે છે : 

મારા વતન ડભોઇમાં, 1940-50s-ની વાત, કૂકડા બોલે ને સવાર પડે. એવી જ સવારો 2024-ના ડિસેમ્બરમાં કૂકડાઓના કૂકડે કૂકથી મેં Key West -માં અનુભવી; ઉપરાન્ત, કૂકડાઓને શેરીઓમાં અને જાહેર ફૂટપાથ પર ભમતા જોયા. ચોપાસ લોકો બધાં જીવનનો આનન્દ મેળવી રહેલાં, ત્યારે તેઓ માત્ર સહેલાણી ન્હૉતાં, મનુષ્ય હતાં.

અત્યન્ત નૉંધપાત્ર હકીકત તો એ હતી કે આ યાત્રામાં કોઈને AI ટૅક્નીનોલૉજિ ખબર ન્હૉતી એમ ન કહું પણ કોઈ એથી જરા ય ડરતું ન્હૉતું બલકે એ વડે પાવર્ડ  કેટલીક સગવડોની સૌ લિજ્જત લેતાં’તાં. 

નગરદર્શન કરાવનારી ટુરિન્ગ ટ્રેનના સ્ટેશનની એક બૅન્ચ પર હું સ્વજનોની રાહ જોતો એકલો બેઠેલો. નક્કી રાખેલા સમય કરતાં વધારે વાર થઈ એટલે હું મારો ફોન જોડવા ગયો, પણ બૅટરી જ ખતમ નીકળી! મને ઊંચોનીચો થતો જોઈને બૅન્ચના છેડે બેઠેલી એક જાડી બાઇ મારી મુશ્કેલી પામી ગઈ અને કહેવા લાગી – If it’s, I-phone, I can recharge … મારી પાસેનો ફોન ત્યારે સૅમ્સન્ગનો હતો એટલે મેં no please કહ્યું, તો પોતાનો ફોન મને ધરીને બોલી – you can use this. અપરિચિત સ્ત્રીનો ફોન વાપરવાની વાતે હું અવઢવમાં હતો, એટલે કહ્યું – will you please dial yourself for me? એ એટલા બધા ઉલ્લાસથી બોલેલી – of course! but, you use it, no problem! એટલે પછી, પૂર્વરાગ જોડે વાત થઈ ગયેલી, એ લોકો થોડાક સમયમાં આવી પ્હૉંચવાનાં’તાં. બાઈએ મને કહ્યું – I’m a train driver, injured last month, here I’m today to sign some papers. મેં જોયું કે એનો પગ પા’નીથી ઊંચે લગી cast હતો, એટલે કે સિમેન્ટ જેવા સખત plaster-માં બન્ધ હતો. 

હું ફિલસૂફી અને ટૅક્નોલૉજિવિષયક ફિલસૂફીનો ચાહક નથી એમ જરા ય નથી. પણ મને થાય, આવાં સ્થળો, આવી બાઈઓ, અને આવા કૂકડા હજી છે – મતલબ એવી નિર્દોષતા છે – ત્યાંલગી AI-ને લીધે મોટું નુક્સાન નથી થવાનું. મને એમ પણ થયું કે પૃથ્વીનો મોટો ભાગ એ નિર્દોષતાથી વધારે જીવન્ત છે એ કારણે પણ નુક્સાનને પ્રસરતાં વાર લાગશે. 

કેમ કે હજી સમગ્ર માનવજાતના જી-વ-નની ગતિ ધીમી છે – slower pace. દાખલા તરીકે, ભારતીય જીવનનો મોટો હિસ્સો કલ્પો. મહાનગરોની પ્રજાને બાદ રાખો. સમજાશે કે લોક અને લોકડિયાંને ફોન પર કે FB પર સન્તત જોડાયેલા રહેવાની તલબ નથી કે તત્ક્ષણે ખુશ થઈ જવાની લ્હાય પણ નથી. વળી, ખાસ તો એમને વર્ચ્યુઅલમાં નહીં પણ વાતે વાતે એકબીજાના સાથસંગાથ માટે રૂ-બ-રૂ થવાની, ઍક્ચ્યુઅલમાં રહેવાની, ટેવ છે. એમને ટૉક્નોલૉજિ ગમે છે, પણ ખપ-પૂરતી. 

ટૂંકમાં, જીવનશૈલી હજી analog feel-થી રસિત છે. માણસોથી કમ્પ્યુટર-ડેટાની જેમ 0s and 1s જેવી બાયનરી સિસ્ટમથી, એવાં વિલક્ષણ પ્રવાહિત મૂલ્યોથી, નથી જિવાતું. તાત્પર્ય, જીવન હજી પૂર્ણતયા dijital નથી થયું, નિષ્ણાતોને ભલે લાગે કે બૌદ્ધિકોનો સમાજ dijital devide-થી વિભક્ત થઈ રહ્યો છે.  

એ જ પ્રકારે La Costa કે CheesFactory-ની વેઇટ્રેસ સ્મિતપૂર્વક, અરે, ઉમળકાથી હસી હસીને, ઑર્ડર લેતી’તી. એકે તો સ્ટાર્ટર તરીકે અમારા ટેબલ પર જ લાકડાના ખરલમાં ‘આવોકાડો’-નો ગર્ભ, લૅમન જ્યુસ, ઝીણા સમારેલાં કાંદા, ટામેટાં, મને અજાણ્યું બીજું પણ, બધું ભેગું કરી લાકડાના બત્તાથી વાટી આપેલું, જેને અમે ટોર્ટિલા ચિપ્સમાં લઈને, બીયરના ઘૂંટ સાથે, ફટાફટ આરોગવા લાગેલાં. એ ડિશનું નામ મૅક્સિકન છે – guacamole. 

ત્યારે એ યુવતી, “Being and Nothingness”-માં સાર્ત્ર કહે છે એવો વેઇટર તરીકેનો play ન્હૉતી કરતી; as an actor તરીકે ન્હૉતી વર્તતી; અધિકૃત વ્યક્તિ તરીકેના, authentic individul તરીકેના, દાયિત્વને avoid પણ ન્હૉતી કરતી. ખરેખર તો શૉર્ટ-ટીશર્ટમાં સજ્જ એ યુવતી પોતાની જિન્દગીમાં પોતાને ભાગે આવેલા વ્યવસાયને દિલચસ્પીથી માણતી હતી. મેં જોયું કે જીવન, ફિલસૂફીને કેટલું હંફાવે છે. સાર્ત્રનું ‘Bad Faith’ વિભાવનાનું એ દૃષ્ટાન્ત મને સયુક્તિક નથી લાગ્યું. 

હું Key West-ની વાત પૂરી કરું : 

સ્પેનિશ વસાહતીઓ Cayo Hueso કહેતા એ પરથી key West. એ US-નો અતિપશ્ચિમે આવેલો અને Florida Keys-નો અતિદક્ષિણે આવેલો એક ટાપુ છે. એનું ક્ષેત્રફળ માંડ ૬ ચૉરસ માઈલ છે. ફ્લોરિડાથી અમે ડ્રાઇવ કરીને નીકળેલાં. સાગરમાંથી પસાર થતા Overseas highway પર કાર દોડતી હોય અને બન્ને તરફ સાગરનાં ભૂરાં અપાર જળ દૂર સુદૂરની ક્ષિતિજે જઈ મળી-ભળી જતાં હોય – અવાક થઈ જવાય ! વચ્ચે, સાત માઇલ લગીનો Seven Mile Bridge આવે – માત્ર આશ્ચર્ય ! 

મને થાય, આપણે સાહિત્યમાં અને તેમાંયે ગુજરાતી સાહિત્યની નાનકડી ઓરડીમાં જીવીએ છીએ – જાણે એ જ આપણી નિયતિ હોય !  

= = =

(27Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

बाबासाहेब अम्बेडकर: हिन्दू दक्षिणपंथी और भारतीय राष्ट्रीय कांग्रेस

राम पुनियानी|Opinion - Opinion|28 December 2024

राम पुनियानी

हाल (दिसंबर 2025) में संसद में चर्चा के दौरान गृहमंत्री अमित शाह ने अपने भाषण में एक ओर बाबासाहेब अम्बेडकर का अपमान किया तो दूसरी ओर यह साबित करने का प्रयास भी किया कि भारतीय राष्ट्रीय कांग्रेस ने अम्बेडकर के साथ बहुत बुरा बर्ताव किया था. शाह को उनकी टिप्पणियों का माकूल जवाब मिला. कई विरोध प्रदर्शन हुए और उनके इस्तीफे की मांग भी की गई. उन्हें उनके इस कथन के लिए माफ़ी मांगने के लिए कहा गया कि “अम्बेडकर का नाम लेना एक फैशन बन गया है”. इस तीखी प्रतिक्रिया से शायद उनके अहंकार और राजनैतिक वजन में कुछ कमी आई हो.

अपने भाषण में अपनी पीठ खुद थपथपाते हुए शाह ने बताया कि उनकी पार्टी ने कैसे बाबासाहेब के साथ न्याय किया. उन्होंने कहा कि उनकी पार्टी की सरकारों ने जगह-जगह अम्बेडकर की मूर्तियाँ लगवाईं. क्या एक सीमा के बाद बाबासाहेब इसे पसंद करते? शाह ने अपनी पार्टी को यह श्रेय भी दिया कि उसने बाबासाहेब के जन्मदिन को ‘सामाजिक समरसता दिवस’ के रूप में मनाना शुरू किया. ‘सामाजिक समरसता’ की भाजपाई परिकल्पना, बाबासाहेब के सपनों के एकदम खिलाफ है. बाबासाहेब जातियों की बीच समरसता की नहीं बल्कि जाति के विनाश के हामी थे. सामाजिक समरसता अभियान के जरिये संघ-भाजपा जो एजेंडा आगे बढ़ा रहे हैं, वह अम्बेडकर के जातिविहीन समाज की स्थापना के सपने को धूल में मिलाने वाला है. यह एजेंडा जाति प्रथा को बनाये रखते हुए विभिन्न जातियों के बीच सद्भाव की स्थापना की बात करता है.

वैसे भी, भाजपा दीनदयाल उपाध्याय के ‘एकात्म मानवतावाद’ में यकीन रखती है जिसके अनुसार हिन्दू समाज का उद्भव परमब्रह्म से हुआ – ब्राह्मण उसके मुख से निकले, क्षत्रिय उसकी बाहुओं से, वैश्य उसकी जंघा से और शूद्र उसके पैरों से. संघ-भाजपा के अनुसार यह सामाजिक विभाजन, समाज को मजबूती देता है.     

अगर संघ-भाजपा सचमुच अम्बेडकर का सम्मान करते होते तो उनकी सरकार आर्थिक दृष्टि से कमज़ोर वर्गों के लिए आरक्षण का प्रावधान नहीं करती क्योंकि इससे दलित / आदिवासी / एसटी कोटा में कमी आई है. उनकी सरकार दलितों पर अत्याचार की घटनाओं में कमी लाती, महिलाओं के खिलाफ हिंसा में कमी लाती.

जहाँ तक संघ-भाजपा के इस दावे का प्रश्न है कि कांग्रेस ने अम्बेडकर को नज़रअंदाज़ किया और उनके साथ न्याय नहीं किया, इसकी गहराई से पड़ताल की जानी होगी. मगर एक बात तो पक्की है – सामाजिक न्याय के लिए अम्बेडकर की लड़ाई में हिन्दू राष्ट्रवादी ताकतों ने अम्बेडकर का न तो साथ दिया और न उनकी मदद की.

भारत के राष्ट्रीय नेतृत्व ने अछूत प्रथा और जाति व्यवस्था के मुद्दों को गंभीरता से लिया – विशेषकर 1930 के दशक के बाद से. सन 1932 के बाद से महात्मा गाँधी ने अछूत और जाति प्रथा के उन्मूलन को इतनी गंभीरता से लिया कि अगले कुछ वर्षों तक उनका ध्यान केवल इन्हीं मुद्दों पर केन्द्रित रहा. उन्होंने तय किया कि वे ऐसे किसी विवाह में नहीं जाएंगे जो अंतरजातीय न हो. उन्होंने एक दलित परिवार को अपने साबरमती आश्रम में सम्मानपूर्वक रखा. इससे नाराज़ होकर दानदाताओं ने आश्रम को चंदा देना बंद कर दिया और आश्रम में ताले लगने की नौबत आ गई. मगर गांधीजी नहीं झुके.

यह सही है कि कांग्रेस ने लोकसभा चुनाव में अम्बेडकर के खिलाफ अपना उम्मीदवार खड़ा किया था मगर यह भी सही है कि इस चुनावी लड़ाई में हिन्दू महासभा भी अम्बेडकर के खिलाफ थी. बाद में बाबासाहेब को राज्यसभा में नामांकित किया गया. महात्मा गाँधी ने यह सुनिश्चित किया कि अम्बेडकर को अंतरिम सरकार में मंत्री बनाया जाए. गांधीजी की सलाह पर ही अम्बेडकर को संविधान सभा की मसविदा समिति का अध्यक्ष नियुक्त किया गया.  

अमित शाह यह प्रचार भी कर रहे हैं कि अम्बेडकर ने केन्द्रीय मंत्रिमंडल से इस्तीफा इसलिए दिया था क्योंकि वे कांग्रेस सरकार की विदेश नीति और संविधान के अनुच्छेद 370 के खिलाफ थे. वे जिस कैबिनेट के सदस्य थे, वह प्रजातान्त्रिक तौर-तरीकों से काम करती थी. कश्मीर के मामले में अम्बेडकर की राय थी कि कश्मीर घाटी, जम्मू और लद्दाख में अलग-अलग जनमत संग्रह करवाए जाएँ ताकि जम्मू-कश्मीर की आतंरिक नस्लीय विविधता के साथ न्याय हो सके. यह कहना पूरी तरह गलत है कि उन्होंने इस मुद्दे पर मंत्रिमंडल से इस्तीफा दिया था.

उनके इस्तीफे का असली कारण यह था कि हिन्दू कोड बिल को संसद ने उसके मूल स्वरुप में स्वीकृति नहीं दी. हिन्दू कोड बिल का मसविदा तैयार करने का अनुरोध नेहरु ने अम्बेडकर से किया था. इस मसविदे को तैयार करते समय आंबेडकर ने सबसे ज्यादा जोर महिलाओं की समानता सुनिश्चित करने पर दिया. इस बिल की पृष्ठभूमि में यह तथ्य था कि विभिन्न धार्मिक समुदायों के अपने-अपने पर्सनल लॉ थे. पर्सनल लॉ शादी, तलाक, उत्तराधिकार और  बच्चों की अभिरक्षा के मामलों में लागू होता है. इस बिल का मसविदा सार्वजनिक होते ही तूफ़ान मच गया. आरएसएस और उसके संगी-साथियों ने यह प्रचार करना शुरू कर दिया कि इस बिल का उद्देश्य सनातन धर्म का खात्मा करना है. विशाल विरोध प्रदर्शन आयोजित किये गए और आरएसएस के अनुयायियों ने 12 दिसंबर 1949 को अम्बेडकर और नेहरु के पुतले जलाये.

ढेर सारी आमसभायें आयोजित की गईं और अम्बेडकर व हिन्दू कोड बिल के खिलाफ वातावरण बनाने का भरपूर प्रयास किया गया. कांग्रेस के भीतर भी इस बिल के कई विरोधी थे. बिल पारित नहीं हो सका और इससे अम्बेडकर को इतना धक्का पहुंचा कि उन्होंने मंत्रिमंडल से इस्तीफा देने का निर्णय कर लिया. ऐसे में, यह कहना कि उन्होंने इस्तीफा इसलिए दिया क्योंकि कांग्रेस उन्हें नज़रअंदाज़ और अपमानित कर रही थी, सफ़ेद झूठ है. 

वैसे भी, अम्बेडकर और संघ परिवार की विचारधाराएँ एक-दूसरे की धुर विरोधी हैं. पिछले कुछ दशकों से आरएसएस-भाजपा दलितों और आदिवासियों को लुभाने की कोशिश कर रहे हैं और इसके लिए उन्होंने कुछ सतही कदम उठाए हैं. मगर इस कवायद का उद्देश्य केवल और केवल चुनाव जीतना है. दलितों का एक बहुत बड़ा वर्ग संविधान का सम्मान करता है क्योंकि उसे मालूम है कि संविधान ने ही दलितों को जातिगत गुलामी से मुक्ति दिलाई है. और यही कारण है कि 2024 के आम चुनाव में कुछ हद तक दलित मतदाताओं ने कांग्रेस का समर्थन किया था.

हमें यह भी नहीं भूलना चाहिए कि भाजपा के पितृ संगठन आरएसएस ने भारत के संविधान – जो भारत को अम्बेडकर की सबसे बड़ी और सबसे महत्वपूर्ण भेंट हैं – का जम कर विरोध किया था.  आरएसएस के  मुखपत्र ‘आर्गेनाइजर’ ने 30 नवम्बर 1949 के अपने अंक में लिखा था, “भारत के नए संविधान के बारे में सबसे बुरी बात यह है कि उसमें कुछ भी भारतीय नहीं है….भारत के प्राचीन संवैधानिक कानूनों, नामकरणों और भाषा का इसमें नामोनिशां तक नहीं है.” हिंदुत्व की राजनीति के पितामह सावरकर ने भी कहा था था कि भारत के संविधान में कुछ भी भारतीय नहीं है.

अमित शाह की पार्टी बाबासाहेब के बनाये संविधान और हिन्दू कोड बिल दोनों की विरोधी थी. मगर इसके बावजूद उनका दावा है कि भाजपा ने उन्हें उचित सम्मान दिया. दरअसल, भाजपा ने जो कुछ भी किया है, वह केवल प्रतीकात्मक है. उसने बाबासाहेब के सपनों को पूरा करने के लिए कोई ठोस काम नहीं किया है. अपनी पुस्तक “थॉट्स ऑन पाकिस्तान” के संशोधित संस्करण में अम्बेडकर ने लिखा था कि पाकिस्तान का निर्माण हम सबके लिए एक बड़ी त्रासदी होगी क्योंकि उससे हिन्दू राज की राह खुलेगी, जिसमें दलित गुलाम होंगे. हिन्दू राष्ट्र की स्थापना, अमित शाह और उनके साथियों का केन्द्रीय एजेंडा है, जो बाबासाहेब के स्वतंत्रता, समानता, बंधुत्व और सामाजिक न्याय के आदर्शों के ठीक विपरीत है. 

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...308309310311...320330340...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved