Opinion Magazine
Number of visits: 9579621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Love-till it hurts :

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2018

દર્દ કા હદ સે ગુજર જાના હે દવા હો જાના

અરુણ, અનિતા અને આદિત્યના દર્દની દાસ્તાન…

ડહાપણ (વિઝ્ડમ) એટલે શું? ડહાપણ એટલે નિજી જીવન અને અનુભવોને માનવ જાતિના અનંત સવાલોના જવાબમાં તબ્દીલ કરવાં તે. એક બાળક છે. એને જીવલેણ બીમારી છે, અને એ ભયાનક કષ્ટમાં છે. કેમ? કારણ કે ઈશ્વર પાસે પીડાને રોકવાનો પાવર નથી એટલે? કે પછી પાવર છે, પણ એને ખબર નથી? કદાચ એને પાવરની ખબર છે, પણ એને એ પીડાની દરકાર નથી, એવું તો નથી ને? કે પછી બાળકે ગયા ભવમાં પાપ કર્યા હતા, એટલે એ સજા ભોગવે છે?

આ અસ્તિત્વવાદી સવાલો અનંત અને યુનિવર્સલ છે. આપણા અથવા આપણા કોઈક ઓળખીતાના પરિવારમાં આવા સવાલ થયા હશે. આમ તો એના કોઈ જવાબ નથી, આપણે આપણી રીતે એનાં સમાધાન શોધ્યાં હશે. જીવનમાં અનિવાર્ય પીડા હોય તો એની સાથે જીવતાં શીખી લેવું પડે છે. કોઈ માણસ આજીવન, અંદરોઅંદર, એકલા હાથે, કષ્ટ સહન કરીને, એની ગહેરાઈ અને પહોળાઈમાં જઈને કોઈક સમાધાન શોધી લાવે, અને એ કોઈક બીજી વ્યક્તિના આવા જ સવાલોને કૈંક અંશે સહ્ય બનાવે તો એ ડહાપણ કહેવાય.

મુંબઈના પત્રકાર-મિત્ર દીપક દોશીએ હમણાં એક વિડીઓ વોટ્સએપમાં મોકલ્યો. મોટાભાગનાં વોટ્સએપ ફોરવર્ડ આમ તો નકામાં કે ફર્જી હોય છે, અને એ ઓપન થયા પહેલાં જ ડિલીટ થઇ જાય છે. આ એક અપવાદ હતો, એટલે એ ઓપન કર્યું. એમાં અરુણ શૌરીનો ઇન્ટરવ્યુ હતો. શૌરી એટલે એક વખતે વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા-ઇન્ડિયન એક્ષ્પ્રેસના સંપાદક અને વાજપેઈ સરકારમાં માહિતી-પ્રસારણ મંત્રી. ઇન્ટરવ્યુમાં જન્મથી જ સેરેબ્રલ પાલ્સીથી (મગજના લકવાથી) પીડાતા શૌરીના દીકરાની વાતો છે. ઉપર જે સવાલો પૂછ્યા તે આ વિડીઓ જોયા પછી આવ્યા. એમાં શૌરી મધર ટેરેસાનું એક વિધાન ટાંકે છે, જેણે ધ્યાન ખેંચ્યું – લવ, ટીલ ઈટ હર્ટસ ( love, till it hurts).

એટલે શું?

આ ખૂબસુરત વિધાન છે, જે નિજી પીડાને આધ્યામિક સ્તરે લઇ જાય છે. મધરના આ વિધાનને સમજવા માટે મારે શૌરીના દીકરાની બીમારી અને એની સાથે શૌરીની નિજી જીદ્દોજહદને સમજવી પડી. ઘણું બધું વાંચ્યું. ૩૪ વર્ષનો એમનો દીકરો, આદિત્ય, જન્મથી જ પગ પર ઊભો નથી રહી શકતો, જમણો હાથ ઉપયોગમાં લઇ નથી શકતો, એની દ્રષ્ટિ બેઢંગ છે, એ અટકી-અટકીને બોલે છે, અને એનું મગજ નાના બાળક જેવું છે. શૌરી અને એમની પત્ની અનીતાએ ૩૪ વર્ષ આદિત્યની સેવા પાછળ ગાળ્યાં છે. જિંદગી એટલી સરળ નથી કે ઉદાર પણ નથી – અનિતા ખુદ પાર્કિન્સનની બીમારીથી પીડાય છે. શૌરી બંનેની સેવા કરે છે. સર્વન્ટ ઇન ચીફ, એવો શબ્દ શૌરી વાપરે છે.

શૌરીએ આ દર્દની દાસ્તાનનું પુસ્તક લખ્યું છે. મથાળું છે, Does He Know A Mother's Heart? (એને માંનું દિલ ખબર છે?). આ મથાળું વિચારક જે. કૃષ્ણમૂર્તિ સાથેના એક પ્રસંગ પરથી આવ્યું હતું. શૌરી ઇન્ડિયન એક્ષ્પ્રેસમાં રિપોર્ટર હતા હતા, અને એક્ષ્પ્રેસના માલિક રામનાથ ગોયંકાએ દિલ્હીમાં કૃષ્ણાજીનો ઈન્ટરવ્યુ કરવાનું કામ સોંપ્યું હતું. વાત વાતમાં ત્યારે કૃષ્ણમૂર્તિએ સાથે દીકરાને લઈને આવવા કહ્યું. ફરી મળવાનું થયું ત્યારે કૃષ્ણાજી શૌરીની પત્ની વિષે પણ પૂછ્યું. શૌરીએ પત્નીની ગેરહાજરીનું બહાનું કાઢ્યું. પત્ની અનિતાને ગુરુને કે કોઈને મળવામાં રસ ન હતો કારણ કે, "એની આશાઓ વારંવાર બંધાઈને તૂટી પડી હતી."

પણ એક દિવસ, કૃષ્ણમૂર્તિએ એમને બનારસના કેમ્પસમાં બોલાવ્યાં. શૌરીએ પત્નીને પણ સાથે આવવા આજીજી કરી. બંને બનારસ ગયાં. કૃષ્ણાજીએ અનિતાને સોફામાં બાજુમાં બેસાડી, હાથ પકડીને વાતો શરુ કરી. અચાનક, એમણે પૂછ્યું કે, એને એના બાળક માટે કેવું લાગે છે? અનિતાએ કહ્યું કે, એ બહુ આનંદી દીકરો છે. કૃષ્ણાજીએ સવાલ દોહરાવીને કહ્યું કે, એ દીકરો કેવો છે એ નથી પૂછતા.

અનિતાએ કહ્યું, "એ અમારી જિંદગી છે." આ વખતે કૃષ્ણાજીએ જરા જોરથી સવાલ દોહરાવ્યો, અને અનિતા રડી પડી, જાણે મિસાઈલે ડેમ તોડ્યો હોય. પતિ અરુણ શૌરીએ, દીકરો આદિત્ય જન્મ્યો ત્યારથી, અનિતાના આંસુ જોયાં ન હતાં. કૃષ્ણમૂર્તિ શૌરી તરફ ફર્યા અને બોલ્યા, “See, I told you, you don't know a mother's heart” (જોયું, મેં તને કહ્યું હતું ને, તને માંના દિલની ખબર નથી." શૌરી લખે છે, "અને હું એમ માનતો હતો કે – મારામાં મારી માતાનું દિલ છે."

Does He Know A Mother's Heart? પુસ્તક આ ગહેરા, ચિરસ્થાઈ પ્રેમ વિષે છે — જે કઠે પણ છે, અને જીવવા માટે સક્ષમ પણ બનાવે છે. શૌરી, જેને દુનિયા પત્રકાર અને રાજકારણી (અને હવે તો મોદી વિરોધી) તરીકે ઓળખે છે, તે આ પુસ્તકમાં એમના ઘરમાં પીડા, કાળજી અને સ્નેહનું જે અંગત જીવન છે, તેને સાર્વજનિક કરે છે. આ પુસ્તક પ્રેમનું છે, એ પીડાથી શરૂ થઇ પીડામાં અંત પામે છે. અહીં પીડા એટલે કષ્ટ (સફરિંગ), જે અધ્યામિક છે, દર્દ નહીં (જે શારીરિક છે), જેનો ઉપચાર હોય.

૭૦ વર્ષના શૌરી એક સવાલ પૂછે છે, "ઉંમરની સાથે હું કમજોર પડીશ પછી, આદિત્યને કોણ પથારીમાંથી ઊંચકશે? અમે જઈશું પછી કોણ એનું ધ્યાન રાખશે?" આનો જવાબ નથી. શૌરી આ અંગત દર્દમાંથી ઉભરતા 'કેમ?' અને 'કેમ મારી સાથે?' જેવા સંકુચિત સવાલોથી આગળ જઈને, પીડાને ધાર્મિક અથવા યુનિવર્સલ ફિલોસોફીમાં કન્વર્ટ કરે છે, અને કહે છે કે, પીડાને એટલો પ્રેમ કરો કે એ પીડા જ ના રહે.

Love till it hurts. શૌરીએ એ કર્યું છે.

જે લોકો સ્પર્ધાત્મક સ્પોર્ટ્સમાં હશે એને ખબર હશે કે, તમે જેમ જેમ તકલીફ ઉપાડતા જાવ તેમ તેમ તમારું પરફોર્મન્સ બહેતર બનતું જાય. સૈન્યની ટ્રેનીંગમાં ફિઝીકલ પીડા એટલી હોય છે કે માણસ તૂટી જાય. એ તકલીફ તમે સહન કરે રાખો તો, એક થ્રેસહોલ્ડ આવે જ્યાં તકલીફ પરફોર્મન્સમાં તબદીલ થઇ જાય છે. તમે જો ફરહાન અખ્તરની 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મ જોઈ હોય તો, એમાં પીડાના અંતિમ થ્રેસહોલ્ડ સુધી મિલ્ખા દોડે છે. એની પેલે પાર એ પીડા સમાપ્ત થઇ જાય છે. પ્રેમમાં પણ આવું જ છે, એ અહીં આ બધું વાંચતી વખતે સમજાયું.

જેને આપણે પ્રેમ કહીએ છીએ, તે પરીકથા નથી, સુખ નથી, વૈભવ નથી. પ્રેમ એ યાતના છે, ધીરજ છે, સહનશીલતા છે. પ્રેમ એ પીડા છે, કારણ કે તકલીફોમાં જ પ્રેમ પુરવાર થાય છે. પ્રેમ એ પોતાની જાતને બીજી વ્યક્તિની સામે ધરી દેવાની ક્ષમતા છે. પ્રેમ એ સ્વ-હિતનું બલિદાન છે. પ્રેમ એ સ્ટેટમેન્ટ છે – હું તારા માટે છું, તારી સાથે છું, નો મેટર વોટ.

પ્રેમ એ નિજી પીડાની પાર જવાની તાકાત છે. મધર ટેરેસા રોજ સવારથી સાંજ સુધી પૂરી જિંદગી દુનિયાના સૌથી કંગાળ, કમજોર, રોગીષ્ઠ અને ઉજ્જડ લોકોની વચ્ચે સેવા કરતી હતી. મધર પીડા પકડીને ખાટલામાં બેસી નો'તી જતી. એ વધુને વધુ સેવા કરતી હતી. મધર મિલ્ખા સિંઘની જેમ પીડાના થ્રેસહોલ્ડની પાર જતી રહી હતી, જ્યાં પીડા જ પ્રેમ બની ગઈ હતી. એટલે જ એણે કહ્યું હતું, "I have found the perfect paradox, that if you love until it hurts, there can be no more hurt, only more love." ( મને એક આદર્શ વિરોધાભાસ સમજમાં આવ્યો છે – તમે તકલીફની સીમા સુધી જઈને પ્રેમ કરો તો એની પીડા ના થાય, વધુ પ્રેમ થાય.)

ગાલિબે પણ આવું નો'તું કહ્યું?

ઈશરતે કતરા હે દરિયા મેં ફના હો જાના,
દર્દ કા હદ સે ગુજર જાના હે દવા હો જાના

(ઈશરતે કતરા = ટીપાંની ખુશી)

આ કેવી રીતે શક્ય છે? ઇન્ટરવ્યુમાં અરુણ શૌરી સુંદર જવાબ પૂરો પડે છે, "મેં આખી જિંદગી પત્ની અને પુત્રની સેવા કરી છે. મેં આફતને આરાધનામાં તબદીલ કરી નાખી" (I have converted suffering into service).

આ ઈન્ટરવ્યુ સાંભળીને અને શૌરીની કહાની વાંચ્યા પછી સમજનું (અને અહેસાસનું) એક ઔર પડ ખૂલે છે: તમે તમારી પીડાને બીજાની સેવામાં તબ્દીલ કરી નાખો તો એ પીડા પીડા નથી રહેતી.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 10 જૂન 2018

Loading

Will RSS consider Pranab Da’s Inclusive Indian Nationalism?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|12 June 2018

Dialogue is the core part of democratic process. The question comes; can there be dialogue between two opposite ideologies on Indian horizon, the one of Indian nationalism and the other of Hindu nationalism? We witnessed a strange spectacle when the Pranab Mukherjee, the lifelong congressman and believer in plural, inclusive Indian nationalism accepted to speak on the platform of RSS, the apex organization promoting narrow, divisive, exclusive Hindu nationalism. The visit of Ex-President to address RSS event was strongly opposed by large section of Congress leaders and many others, on the ground that RSS is adept at gaining legitimacy from such visits while at the same time working at cross purpose to the message of the invited guests.

Mahatma Gandhi was one such visitor to RSS, who was killed due to the ideology of hate propagated by RSS “All their (RSS) leaders’ speeches were full of communal poison.  As a final result the poisonous atmosphere was created in which such a ghastly tragedy (Gandhi’s murder) became possible. RSS men expressed their joy and distributed sweets after Gandhi’s death.” (Sardar Patel’s letter). Whether there can be a dialogue with RSS has been a question on the minds of many.

What happened in Nagpur event when Pranab Mukherjee paid visit to Nagpur (June 7th 2108)? To begin with Mukherjee visited RSS founder K B Hedgewar’s birth place and wrote, “Today I came here to pay my respects & homage to a great son of Mother India KB Hedgewar ji.” Whether out of courtesy for the host one should write in such a manner is a matter of debate again as Hedgewar guided by his Hindu nationalism called Muslims a Yavan snakes. Hedgewar-RSS also kept aloof from the freedom movement, which gave us Independence and later Indian Constitution.

Mukherjee to his credit did talk of pluralism and inclusive nature of Indian Constitution, India being a meeting ground of different people, “It is our composite culture which makes us into a nation. India’s nationhood is not one language, one religion, one entity.” He advised the RSS swayamsevaks, “You are young, disciplined, well trained and athletic. Please wish for peace, harmony and happiness. Our motherland is asking for that, our motherland deserves that”, and also that “any attempt at defining our nationhood in terms of dogmas and identities of religion, region, hatred and intolerance will only lead to dilution of our national identity.” The highlight of his speech was his recalling Surendranath Bannerjee for his phrase “Nation in the making” as this phrase aptly defines the emergence of Indian nationalism during freedom movement, in contrast to RSS assertion that we are a Hindu nation from times immemorial.

He also remembered the values of Gandhi and Nehru in trying to understand India’s past and Sardar Patel’s contribution in merging the princely states into India. Mukherjee toed the line of Indian culture as a synthesis of different streams, “It is our composite culture which makes us into a nation. India’s nationhood is not one language, one religion, one entity.” And more significantly he pointed out that secularism and pluralism are the soul of India which is constituted by "It is Perennial Universalism of 1.3 billion people who use more than 122 languages and 1600 dialects, practice seven major religions and belong to three major ethnic groups, who live under one system, one flag and one identity of being Bharatiya,” He proceeded to reflect on the vast pluralism enshrined in the Indian society. “India's nationhood is not one language, one enemy and one religion,”

In a way, despite slipping on the point of praising Hedgewar, he did speak about the values enshrined in Indian constitution. Mostly what one does not speak on such occasions also matters a lot. The present scenario created due to RSS Hindu nationalism, where hate has been created around emotive issues like Ram Temple, Cow-beef, love jihad needed to be underlined. The direct connection of the present atmosphere of narrowness and intolerance needed to be drawn out. He did not mention the important fact that the current intimidating, sectarian atmosphere which is building up in the country is due to Hindu nationalist agenda. While he correctly articulated the pluralism and diversity of the country, he failed to mention the political fallout of RSS agenda and left an open space where vague homilies, ‘we respect different opinions’ are put forward by the RSS ideologues without at all registering the differences which are too deep for such ‘respecting others opinions’. The contrast between agenda of two nationalisms, Hindu nationalism and Indian nationalism needed to be drawn out.

True, RSS has grown into huge organizations, and the discourse emanating from its stable is dominating the social scene. Today undoubtedly values of pluralism, which Mukherjee talked about, need to be underlined more than before. In the aftermath his speech what is more likely to happen is the attempt to show that what RSS says and what Mukherjee said are complimentary. It will be an exercise in creating further legitimacy for RSS. For RSS, building Ram Temple (demolishing Babri mosque) is part of nation building, for RSS taking up the issue of cow-beef is nation building. While for the stream of Gandhi-Nehru-Patel-Indian nationalism such issues have no place on political horizon. What matters for this stream is what Mukherjee pointed out apty “People are at the centre of all activities of the State and nothing should be done to divide them. The aim of the State should be to galvanize them to fight a concerted war against poverty, disease and deprivation. Only then can we create a nation where Nationalism flows automatically,”

Surely despite good articulation of Indian nationalism by ex-President, the likely outcome of the visit has been well described by his daughter Sharmishtha Mukherjee, who said, ‘the speech will be forgotten and pictures will remain’. The pictures will be circulated with different content, enhancing legitimacy to the divisive agenda of RSS.

Loading

જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય

અનુવાદ – નિલય ભાવસાર|Opinion - Opinion|12 June 2018

ધરપકડ કરાયેલ દલિત માનવાધિકાર કાર્યકર્તાઓને વિનાશરતે મુક્ત કરો

જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (એન.એ.પી.એમ.) મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જન આંદોલનો સાથે જોડાયેલ માનવાધિકાર કાર્યકર્તાઓ પ્રોફેસર શોમા સેન, એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ, સુધીર ધાવલે, રોના વિલ્સન તથા મહેશ રાઉતના ઉત્પીડન અને ધરપકડની આકરી ટીકા કરે છે તથા તેઓને કોઈ પણ શરત વિના જલદી મુક્ત કરવાની માંગ કરે છે.

૯ જૂન ૨૦૧૮: તારીખ ૬ જૂન ૨૦૧૮ની સવારે 6 વાગ્યાની આસપાસ નાગપુર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિભાગની અધ્યક્ષ તથા લાંબા સમયથી મહિલા અને દલિત અધિકારો પર કામ કરનાર કાર્યકર્તા પ્રોફેસર શોમા સેન, લાંબા સમયથી માનવાધિકારના હનનની લડાઈ લડી રહેલ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીપલ્સ લોયર(એ.આઈ.પી.એલ.)ના મહાસચિવ સુરેન્દ્ર ગડલિંગ, મરાઠી પત્રિકા વિદ્રોહીના સંપાદક તથા જાતિ નિવારણ સંબંધિત આંદોલન રિપબ્લિકન પેન્થરના સંસ્થાપક સુધીર ધવલે, માનવાધિકાર કાર્યકર્તા તથા રાજનૈતિક કેદીઓની મુક્તિ સંબંધિત સમિતિ(સી.આર.પી.પી.)ના સચિવ રોના વિલ્સન તથા ગઢચિરોલી ખનન ક્ષેત્રોમાં ગ્રામ સભાની સાથે કામ કરી રહેલ વિસ્થાપન વિરોધી કાર્યકર્તા તથા પ્રાઈમ મિનિસ્ટર્સ રૂરલ ડેવલોપમેન્ટ ફેલો રહી ચૂકેલ મહેશ રાઉતના ઘરો પર મહારાષ્ટ્ર પોલીસ દ્વારા છાપામારી કરવામાં આવી તથા નાગપુર, પૂણે અને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાઓથી ધરપકડ કરવામાં આવી. એવું જણાવવામાં આવ્યું કે આ ધરપકડ જાન્યુઆરી ૨૦૧૮માં ભીમા-કોરેગાંવમાં થયેલ પ્રદર્શનના સંદર્ભમાં કરવામાં આવી છે.

મહેશ રાઉત રાજ્ય તથા કોર્પોરેટ દ્વારા જમીન પર કબ્જો કરવો, પ્રાકૃતિક સંસાધનોના દોહનની વિરુદ્ધ સ્થાનીય સમિતિઓની સાથે આદિવાસી હકોની માટે લડી રહ્યા છે. એડવોકેટ ગડલિંગ આ પ્રકારની જ લડાઈઓ કોર્ટમાં લડી રહ્યા છે. તેઓ આવા ઘણા દલિતો તથા આદિવાસીઓનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કે જેઓને જૂઠા આરોપો તથા કઠોર કાયદા અંતર્ગત આરોપી બનાવવામાં આવ્યા અને તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર તથા શારીરિકરૂપે ૯૦ ટકા દિવ્યાંગ એવા ડૉ. જી.એન. સાઈબાબાના કેસમાં વકીલ પણ છે. તેમના પર માઓવાદીઓની સાથે સંબંધ રાખવાના આરોપ છે. તેમના કેસની સુનાવણી પણ જલદી જ શરૂ થશે.

આ રીતે પ્રોફેસર શોમા સેન પણ રાજ્ય દ્વારા આચરવામાં આવતા દમન વિરોધી માનવાધિકાર આંદોલનો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. શિક્ષક અને કાર્યકર્તા એમ બંને ભૂમિકાઓમાં તેઓ જીવનનું કડવું સત્ય બહાર લાવી રહ્યા છે.

સુધીર ધવલે જાણીતા દલિત અધિકાર કાર્યકર્તા અને લેખક છે. તેમની વર્ષ ૨૦૧૧માં યુ.એ.પી.એ. અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી, પણ પુરાવાના અભાવે વર્ષ ૨૦૧૪માં તેઓને મુક્ત કરવામાં આવ્યા.

રોના વિલ્સન વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા છે. તેઓ એ.એફ.એસ.પી.એ. (આફ્સપા), પી.ઓ.ટી.ઓ. (પોટા), યુ.એ.પી.એ. જેવા કઠોર કાયદાઓના મુખ્ય વિરોધી રહ્યા છે.

અમારું માનવું છે કે ભીમા કોરેગાંવ એ માત્ર એક બહાનું છે. આ લોકોની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેનાથી આ સામાજિક કાર્યકર્તાઓને ન્યાયની લડાઈ, દમન તથા આદિવાસી ક્ષેત્રોમાં પ્રાકૃતિક સંસાધનોની લૂંટ વિરુદ્ધ લડતા રોકી શકાય.

એપ્રિલમાં પણ આ કાર્યકર્તાઓના ઘરે છાપામારી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસે ઇલેક્ટ્રોનિક સાધનો અને કાગળો પણ જપ્ત કર્યા હતા. આ દરમિયાન પોલીસે કબીર કલા મંચના સંસ્કૃિતકર્મીઓ રૂપાલી જાધવ, જ્યોતિ જગતપ, રમેશ ગાયેચોર, સાગર ગોખલે, ધવલા ધેંગાલે તથા રિપબ્લિકન પેન્થર કાર્યકર્તા હર્શાલી પોતદારનાં ઘરે પણ છાપા માર્યા હતાં. પૂનાના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ શરૂઆતની એફ.આઈ.આર.માં સુધીર તથા કબીર કલા મંચના અન્ય સભ્યોનાં નામ પણ નોંધવામાં આવ્યાં હતાં. દલિત કાર્યકર્તા અને ગુજરાતના વિધાયક જીજ્ઞેશ મેવાણી તથા છાત્ર કાર્યકર્તા ઉમર ખાલીદ પર પણ એફ.આઈ.આર. કરવામાં આવી. તેઓને ભીમા કોરેગાંવ ઉત્સવમાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાદમાં, અભિયોજન પક્ષે ચાર્જશીટમાં સુરેન્દ્ર ગડલિંગ તથા રોના વિલ્સનનું નામ જોડવા માટેની અપીલ કરી. કોર્ટના કાગળમાં મહેશ રાઉત તથા શોમા સેનના નામનો ક્યાં ય કોઈ ઉલ્લેખ જ નહોતો.

ભીમા કોરેગાંવ ઉત્સવના સંદર્ભમાં હાલમાં આ કાર્યકર્તાઓની ધરપકડ સંશય ઉત્પન્ન કરે છે. જેઓની ધરપકડ કરવામાં આવી છે, તે પૈકી કેટલાંક લોકો આ ઉત્સવ અથવા આ પ્રદર્શનમાં સામેલ નહોતાં. અમારું માનવું છે કે સરકાર સુનિયોજિતરૂપે તે અવાજને દબાવવા માંગે છે કે જે અવાજ તેમને પડકાર ફેંકે છે અને તેમની આલોચના કરી રહી છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કાશ્મીર, પૂર્વોત્તરના રાજ્યો તથા બાકીની અન્ય જગ્યાઓ પર પણ આ કરવામાં આવી રહ્યું છે.

આ શાસન વ્યવસ્થામાં કાર્યકર્તાઓ પર હુમલા થવા એ કોઈ નવી વાત નથી. તર્કપૂર્ણ વિચારકો નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ. કલબુર્ગી તથા ગૌરી લંકેશની હત્યા દક્ષિણપંથી હિન્દુત્ત્વ સમૂહના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જુનૈદ, અખલાક તથા પહલૂ ખાન જેવા સામાન્ય લોકોને પણ માર મારીને હત્યા કરવામાં આવી. ઝારખંડમાં મજૂર સંગઠન સમિતિ જેવા ટ્રેડ યુનિયન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. અધિકારો માટે લડત ચલાવનાર સમૂહો તથા વ્યક્તિઓને કામ કરતાં રોકવામાં આવ્યાં તેમ જ તેઓના બેંક ખાતાઓને સીલ કરવામાં આવ્યા અથવા તેઓને જૂઠા આરોપમાં ફસાવવામાં આવ્યાં. ઉત્તરપ્રદેશના ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ તથા ઝારખંડના બચ્ચા સિંહ જેવા નેતાઓ, તીસ્તા સેતલવાડ જેવા પત્રકાર, ડૉ. જી.એન. સાઈબાબા જેવા પ્રોફેસર, છાત્ર કાર્યકર્તા, કાર્ટૂનિસ્ટ, તેમ જ જનતાનો અવાજ ઉઠાવનારની કડક કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. મીડિયા ટ્રાયલ, ખોટાં ન્યુઝની સંસ્કૃિત તથા સોશિયલ મીડિયા દ્વારા અભિયોગ ચલાવીને જનમાનસમાં તે લોકો વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે કે જેઓ સત્તાની સામે સત્ય બોલવાનું સાહસ દાખવી રહ્યા છે. આવું કરીને અન્ય લોકોનાં મનમાં પણ ડર પેદા કરવામાં આવી રહ્યો છે. તમિલનાડુના તુતીકોરિનમાં સ્ટરલાઈટ કોપર ફેક્ટરી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં નાગરિકોની પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા હોય અથવા હાલમાં ‘માઓવાદ’ના નામ પર ગઢચિરૌલીમાં નાના-નાના બાળકો સહિત ૪૦ લોકોનું નકલી એન્કાઉન્ટર હોય – રાજ્ય પોતાનાં લોકો પર જ દમન ગુજારી રહ્યાં છે. આ એ પ્રકારની હિંસાના કેટલાંક ઉદાહરણ છે કે જે આપણને યાદ અપાવે છે કે આ કેટલાંક કથિત ભૂમિગત સંગઠન નથી કે જેનાથી ખતરો હોય પરંતુ તે આપણી સરકાર જ છે, કે જેને લોકો ચૂંટે છે, જેમાં તેઓની આસ્થા છે, આજે તે જ સરકારો લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે.

અમે નિંદા કરીએ છીએ:

૧. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સદીઓથી શોષિત ઉત્પીડિત દલિત અવાજને દબાવવા માટે.

૨. રાષ્ટવિરોધી તત્ત્વ તથા નક્સલી આતંકને દબાવવાના નામ પર વંચિત સમૂહોના અધિકાર માટે લડનારા વિરુદ્ધ સતત થઇ રહેલ હિંસક દમનની.

૩. મહારાષ્ટ્ર સરકાર તથા ભારત સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં લોકોનાં અવાજને દબાવવા માટે યુ.એ.પી.એ. આફ્સપા તથા પોટા જેવા કઠોર કાયદાનો ઉપયોગ કરીને સત્તાની શક્તિનો દુરુપયોગ કરવાની.

૪. કેટલાંક સમૂહોને ખુલ્લી છૂટ આપવા માટેની, જે આપણા દેશનાં ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક મૂલ્યો વિરુદ્ધ હિંદુ રાષ્ટ્રના વિચારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.

૫. મીડિયા ટ્રાયલ અને ખોટી વાર્તા રજૂ કરનારની. ન્યાય વ્યવસ્થાની ઢીલ તથા વિસંગતિઓ, કારણકે તે આ ધરપકડ કરાયેલ લોકો અને સંગઠનો વિશે જનમાનસમાં ઝેર પ્રસરાવવાનું કાર્ય કરે છે.

અમે માંગ કરીએ છીએ:

૧. પ્રોફેસર શોમા સેન, એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ, સુધીર ધાવલે, રોના વિલ્સન તથા મહેશ રાઉતના ઉત્પીડન અને ધરપકડની આકરી ટીકા કરે છે તથા તેઓને કોઈપણ શરત વિના જલદી મુક્ત કરવાની માંગ કરીએ છીએ.

૨. ભીમા-કોરેગાંવ મહોત્સવ બાદ દલિત સમુદાય વિરુદ્ધ વ્યાપક હિંસાની ઉચ્ચ સ્તરીય તપાસ.

૩. યુ.એ.પી.એ. તથા આફ્સપા અને પોટા જેવા કઠોર કાયદાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે કે જેનાથી દેશભરમાં લોકોને ભયભીત કરવામાં આવે છે. આ કાયદો પોલીસ તથા સેનાને એવી શક્તિ આપે છે કે જેનાં પર કોઈ સવાલ ઉઠાવી શકાય એમ નથી.

૪. ભીમા કોરેગાંવના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત સમારોહના આયોજકો અથવા તેમાં ભાગ લેનાર લોકો પર થઇ રહેલાં રાજકીય દમન તથા બદલાની કાર્યવાહીને તરત બંધ કરવામાં આવે.

૫. સંભાજી ભીડે પર એસ.સી./એસ.ટી. અત્યાચાર નિરોધક કાયદાના અંતર્ગત તોફાન ફેલાવવા, હત્યાના પ્રયાસ કરવાનાં આરોપમાં તરત ધરપકડ કરવામાં આવે અને મિલિંદ એકબોટેની બેલ રદબાતલ કરવામાં આવે.

મેધા પાટકર, નર્મદા બચાઓ આંદોલન અને જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (એન.એ.પી.એમ.); અરુણા રોય, નિખિલ ડે અને શંકર સિંહ, મજૂર કિસાન શક્તિ સંગઠન (એમ.કે.એસ.એસ.), નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટૂ ઇન્ફોર્મેશન અને એન.એ.પી.એમ.; પી. ચેન્નીયા, આંધ્રપ્રદેશ વ્યવસાય વૃથીદારુલા યુનિયન (એ.પી.વી.વી.યુ.), નેશનલ સેન્ટર ફોર લેબર અને એન.એ.પી.એમ. (આંધ્રપ્રદેશ), રામકૃષ્ણમ રાજૂ, યુનાઇટેડ ફોરમ ફોર આર.ટી.આઈ. અને એન.એ.પી.એમ. (આંધ્રપ્રદેશ); પ્રફુલ્લા સામંતરા, લોકશક્તિ અભિયાન અને એન.એ.પી.એમ. (ઓરિસ્સા); લિંગરાજ આઝાદ, સમાજવાદી જનપરિષદ, નિયમગિરિ સુરક્ષા સમિતિ, અને એન.એ.પી.એમ. (ઓરિસ્સા); બિનાયક સેન અને કવિતા શ્રીવાસ્તવ, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝ (પી.યુ.સી.એલ.) અને એન.એ.પી.એમ.; સંદીપ પાંડે, સોશલિસ્ટ પાર્ટી અને એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); રિટાયર્ડ મેજર જનરલ એસ.જી. વોમ્બત્કેરે, એન.એ.પી.એમ. (કર્ણાટક); ગેબ્રિયલ દીએત્રિચ, પેન્ન ઉરીમય ઈયક્કમ, મદુરાઇ અને એન.એ.પી.એમ. (તમિલનાડુ); ગીથા રામકૃષ્ણન, અસંગઠિત ક્ષેત્ર કામગાર ફેડરેશન, એન.એ.પી.એમ. (તમિલનાડુ); ડૉ. સુનીલમ અને આરાધના ભાર્ગવ, કિસાન સંઘર્ષ સમિતિ અને એન.એ.પી.એમ., રાજકુમાર સિંહા (મધ્યપ્રદેશ); અરુલ ડોસ, એન.એ.પી.એમ. (તમિલનાડુ), અરુંધતી ધુરુ અને મનેશ ગુપ્તા, એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); ઋચા સિંહ, સંગતિન કિસાન મજૂર સંગઠન, એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); વિલાયોદી વેણુગોપાલ, સી.આર..નીલાકંદન અને પ્રો. કુસુમમ જોસફ, સરથ ચેલૂર એન.એ.પી.એમ. (કેરલ); મીરાં સંઘમિત્રા, રાજેશ શેરુપલ્લી એન.એ.પી.એમ. (તેલંગાના અને આંધ્રપ્રદેશ); ગુરુવંત સિંહ, એન.એ.પી.એમ., પંજાબ; વિમલ ભાઈ, માટૂ જનસંગઠન, એન.એ.પી.એમ. (ઉત્તરાખંડ); જબર સિંહ, એન.એ.પી.એમ. (ઉત્તરાખંડ), સિસ્ટર સીલિયા, ડોમેસ્ટિક વર્કર્સ યુનિયન અને એન.એ.પી.એમ. (કર્ણાટક); આનંદ મઝ્ગઓંકર, કૃષ્ણકાંત, સ્વાતિ દેસાઈ, પર્યાવરણ સુરક્ષા સમિતિ અને એન.એ.પી.એમ. (ગુજરાત); કામાયની સ્વામી અને આશિષ રંજન, જન જાગરણ શક્તિ સંગઠન અને એન.એ.પી.એમ. (બિહાર); મહેન્દ્ર યાદવ, કોસી નવનિર્માણ મંચ અને એન.એ.પી.એમ. (બિહાર); સિસ્ટર ડોરોથી, ઉજ્જવલ ચૌબે એન.એ.પી.એમ. (બિહાર); દયામની બારલા, આદિવાસી મૂળનિવાસી અસ્તિત્ત્વ રક્ષા સમિતિ અને એન.એ.પી.એમ.; બસંત હેતમસરિયા, અશોક વર્મા (ઝારખંડ); ભૂપેન્દ્ર સિંહ રાવત, જન સંઘર્ષ વાહિની અને એન.એ.પી.એમ. (દિલ્હી); રાજેન્દ્ર રવિ, મધુરેશ કુમાર, અમિત કુમાર, હિમશી સિંહ, ઉમા, એન.એ.પી.એમ. (દિલ્હી); નાન્હૂ પ્રસાદ, નેશનલ સાઈકિલિસ્ટ યુનિયન અને એન.એ.પી.એમ .(દિલ્હી); ફૈઝલ ખાન, ખુદાઈ ખિદમતગાર અને એન.એ.પી.એમ. (હરિયાણા); જે.એસ. વાલિયા, એન.એ.પી.એમ. (હરિયાણા); કૈલાશ મીના, એન.એ.પી.એમ. (રાજસ્થાન); સમર બાગચી અને અમિતાવ મિત્રા, એન.એ.પી.એમ. (પશ્ચિમ બંગાળ); સુનિતિ એસ.આર., સુહાસ કોલ્હેકર, અને પ્રસાદ બાગવે, એન.એ.પી.એમ. (મહારાષ્ટ્ર); ગૌતમ બંદોપાધ્યાય, એન.એ.પી.એમ. (છત્તીસગઢ); અંજલી ભારદ્વાજ, નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટૂ ઇન્ફોર્મેશન અને એન.એ.પી.એમ.; કલાદાસ ડહરિયા, રેલા અને એન.એ.પી.એમ. (છતીસગઢ); બિલાલ ખાન, ઘર બચાઓ ઘર બનાઓ આંદોલન અને એન.એ.પી.એમ.

રાષ્ટ્રીય કાર્યાલય : 6/6, જંગપુરા બી, નવી દિલ્હી – ૧૧૦ ૦૧૪

ફોન : 01124374535 | 9971058735

ઈ-મેઈલ : napmindia@gmail.com | વેબ : www.napm-india.org

Loading

...102030...3,0793,0803,0813,082...3,0903,1003,110...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved