Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Does Babasaheb’s Ideology match with the Hindu Nationalist Politics?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|11 January 2025

Ram Puniyani

As the insult hurled on Babasaheb by Amit Shah in Lok Sabha is coming under heavy criticism from all over the country, the right wing Hindu Nationalist ideologues are trying to create a narrative that Babsaheb was on same page as the politics of those from Savarkar- RSS- and BJP in particular. (Balbir Punj on X: “The resurrection of Dr Ambedkar ” / X) They are trying to pick and choose selectively from Ambedkar’s (BA) massive work, a bit from here and a bit from there, to construct a picture as to how much Babasaheb appreciated the ideology of Hindutva.

They go on to quote that Swami Shraddhanand was the “the greatest and most sincere champion of the Untouchables” by BA. They ignore the fact that that same Swami was involved in Shuddhi, ‘Conversion of Muslims to Hinduism’. This is what annoyed the Muslim clerics. To this Shuddi, Ambedkar responded, “If the Hindu society desires to survive, it must think not of adding to its numbers but increasing its solidarity and that means the abolition of caste. The abolition of castes is the real sangathan of the Hindus, and when sangathan is achieved by abolishing castes, shuddhi will be unnecessary.” It was parallel and opposite to Tanzim by Tablighi Jamaat which was trying to convert Hindus into Islam. Though Shraddhanand later became part of Indian National Congress, he was also part of Hindu Sangthan, a part of revitalized Hindu Mahasabha committed to Hindu Nation.

New constructs are being floated that Ambedkar and Savarkar are two sides of the same coin. True that Savarkar started the Patit Pavan temple which allows entry of dalits into temples. As per Babasaheb this will create a seperate temple where only dalits will visit. “An editorial in the April 12, 1929 issue of “Bahishkrit Bharat” states that Ambedkar had opposed the construction of the Patit Pawan temple from the very beginning. He believed that these temples would later be called temples for the untouchables.” However Ambedkar did appreciate Savarkar’s efforts. Though he felt they were irrelevant.

These are some points which are raised by Hindutva ideologues. They go hyper while describing Ambedkar’s relation with Congress. Some of them argue that after the death of Gandhi and Patel, Nehru became authoritarian and ignored the opposition. As Amit Shah said Ambedkar resigned from the Nehru Cabinet for his differences with Nehru on the issue of Article 370, Foreign policy and on the condition of SC/STs. The real crux is that the major point of Ambedkar resigning from Cabinet was his disappointment due to the shabby treatment given to Hindu Code Bill. A huge opposition and meetings were organized by RSS. Their volunteers were coming and demonstrating in front of Parliament. The peak of this was the massive protest in Ramlila Maidan on 11December 1949, in which effigies of Ambedkar and Nehru were burnt.

Opposing the Hindu Code bill The Organiser, 7 December 1949, “We oppose the Hindu Code Bill. We oppose it because it is a derogatory measure based on alien and immoral principles. It is not a Hindu Code Bill. It is anything but Hindu.” The result of this aggressive campaign by RSS, on the Hindu code Bill was that it had to be delayed and diluted. This was the painful moments for Babasaheb, due to which he resigned,

The question of Manusmriti, Chaturvarnya, was the crucial part of differences between Ambedkar on one hand and Savarkar to BJP on the other. While in 1927, 25th December Babasaheb burnt the Manusmriti, the second Sarsanghchalak of RSS, M.S. Golwalkar went on to write eulogies for Manusmriti. Savarakar details his support to Chaturvarnya and praises Manusmiriti ““Manusmriti is that scripture which is most worshipable after Vedas for our Hindu Nation and which from ancient times has become the basis of our culture-customs, thought and practice. This book for centuries has codified the spiritual and divine march of our nation. Even today the rules which are followed by crores of Hindus in their lives and practice are based on Manusmriti. Today Manusmriti is Hindu Law. That is fundamental.” And “The worst [thing] about the new Constitution of Bharat is that there is nothing Bharatiya about it… [T]here is no trace of ancient Bharatiya constitutional laws, institutions, nomenclature and phraseology in it”.

The central point of difference of Ambedkat from the Hindutva ideology is totally put under the carpet. In 1935 Ambedkar spoke in a meeting in Yeola near Nasik, On October 13, 1935, B.R. Ambedkar dropped a ‘bombshell’ when he said, “I will not die as a person who calls himself a Hindu! As per him this religion has no place for liberty, compassion and equality. In the revised edition of his book ‘Thoughts on Pakistan’ he opposed the formation of Islamic Pakistan as that may pave the way for Hindu Raj or Rashtra and that will be a big calamity for its people.

As he declared this, there were many pressures on him to embrace Sikhism or Islam. Dr. Moonje from Hindu Mahasabha struck a pact with Ambedkar that if he avoids conversion to Islam, Hindu Mahasabha will not stand to oppose his move. Babasaheb’s own deeper studies led him to choose Buddhism.

Today BJP is trying to project that they have honored Babasaheb by erecting his statues, raising the International Museum in his memory and other symbolic things. These are identity related issues while the crux of Babasaheb’s values remains undermined. When the Mandal Commission was implemented BJP resorted to Kamandal politics. As Advani was arrested during his Rath Yatra (as a part of Kamandal politics), BJP which was part of the parties supporting V P Singh’s Government withdrew its support and V.P. Singh’s Government fell.

Congress along with Hindu Mahasabha opposed Ambedkar in Lok Sabha elections. Still it was Congress again which ensured that he was made a member of Rajya Sabha. He was made a member of the Interim Government and also Chairman of the drafting committee of Indian Constitution. BJP’s anxiety to prove that Ambedkar was part of Hindutva politics is a pure concoction to derive legitimacy from the memory of a person who totally stood against their very ideology of Hindu Nation. What an irony, those who stood/stand for Hindu nation are trying to project Ambedkar, who was opposed to Hindu Rashtra and wanted to have democratic, secular republic, as a part of their ideological parivar!

Loading

સોક્રેટીસ ઉવાચ : અવિચારી દેશભક્તિ વિ. સમજદારી ભારતીય દેશભક્ત અને સોક્રેટીસ વચ્ચેનો કાલ્પનિક સંવાદ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|11 January 2025

પ્રવીણભાઈ જે. પટેલ

પ્રાચીન ગ્રીસમાં થઈ ગયેલ સોક્રેટીસ(ઈ.પૂ. ૪૭૦-૩૯૯)નો એક મહત્ત્વનો વારસો તેની સંવાદ પદ્ધતિ છે. તે આજના જટિલ વિશ્વમાં પણ સુસંગત છે. તેમનો અભિગમ પ્રશ્નોત્તરીના માધ્યમથી, સત્યની શોધ માટે, આત્મ-પરીક્ષણ, વિવેચનાત્મક વિચારસરણી અને નૈતિક જાંચ-પડતાલને ઉત્તેજન આપે છે. સીધા જવાબો આપવાને બદલે, સોક્રેટિક પદ્ધતિ પૂછપરછ-આધારિત અભિગમને પ્રોત્સાહન આપે છે, જે લોકોને સતત પ્રશ્નોત્તરી અને સ્વ-પરીક્ષા દ્વારા સત્ય શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રવચનોથી વિપરીત, સોક્રેટિક સંવાદો લોકોના વિચારોમાં દેખાતા વિરોધાભાસને ઉજાગર કરે છે. અને લોકોને તેમની માન્યતાઓ અને ધારણાાઓ પર સવાલ કરવા, તેમની સમજણને સુધારવા, અને વધુ તર્કબદ્ધ પરિપ્રેક્ષ્ય અપનાવવા પ્રેરિત કરે છે. આજના માહિતીના ફુગાવાવાળા અને ખોટી માહિતીને ઝડપથી ફેલાવતા જમાનામાં આ પદ્ધતિ અમૂલ્ય છે. કારણ કે, તે ખુલ્લા મનથી જુદા જુદા વિચારોની ઊંડી વિચારણા કરવા પ્રેરે છે.

સોક્રેટિક સંવાદો, વિવેચાનત્મક વિચારસરણી ઉપરાંત બૌદ્ધિક નમ્રતાને પ્રોત્સાહિત કરતા શક્તિશાળી ઉપાય તરીકે પણ અત્યંત મૂલ્યવાન ગણાય છે. આવી સંવાદાત્મક પ્રક્રિયા વિશ્લેષણાત્મક કૌશલ્યને તીક્ષ્ણ બનાવે છે અને માનવજ્ઞાન અને નીતિશાસ્ત્રની જટિલતાઓ પ્રતિ જાગૃતિ આણે છે. સોક્રેટિક સંવાદોમાં સામેલ થનારાઓને નિખાલસતાથી સ્વતંત્ર રીતે વિચારવાની અને તાર્કિક રીતે સંવાદ કરવાની તાલીમ મળે છે. કોઈપણ સમાજમાં વિચારશીલ અને જાણકાર નાગરિકોના વિકાસ માટે આવા ગુણો જરૂરી છે. આથી સામાજિક એકતા મજબૂત બને છે અને ન્યાયી સમાજના સર્જન માટે અનુકૂળતા ઊભી થાય છે. આથી જ વિશ્વની શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીઓમાં મહદંશે આ પદ્ધતિ દ્વારા શિક્ષણ અપાય છે.

અહીં, સોક્રેટીસ અને સ્વર્ગસ્થ ભારતીય દેશભક્ત વચ્ચે સ્વર્ગમાં થયેલ એક કાલ્પનિક સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. સ્વર્ગના શાંત પ્રાંગણમાં, સોક્રેટીસ એક પ્રખર ભારતીય દેશભક્તને મળે છે. દેશભક્ત ભારતની પ્રાચીન સંસ્કૃતિની પ્રશંસા કરે છે અને પોતાની દેશભક્તિનું નિરૂપણ કરે છે. સોક્રેટીસ તેને પૂછે છે કે : શું સાચી દેશભક્તિનો અર્થ એ નથી કે પોતાની દેશની પ્રાચીન પરંપરાઓ બદલાયેલ સંજોગોમાં પણ પ્રસ્તુત છે, ન્યાયી છે, અને સારી છે તેની ખાતરી કરવી ? અને તે માટે આલોચનાત્મક અભિગમ અપનાવવો જરૂરી નથી ? દેશભક્ત ભારતની એકતા અને સાંસ્કૃતિક જાળવણીનો બચાવ કરે છે, અને બતાવે છે કે પોતાના દેશની એકતા માટે એક જ સંસ્કૃતિ હોવી તે હિતાવહ છે. તે  માને છે કે પોતાના દેશની પરંપરાગત સંસ્કૃતિની વિવેચના કરવી કે તેથી ભિન્ન વિચારો વ્યક્ત કરવા એ દેશની એકતા માટે જોખમકારક છે. સોક્રેટીસ દલીલ કરે છે કે આલોચનાત્મક અભિગમ કે વિચારવૈવિધ્ય દેશની એકતાને મજબૂત બનાવે છે. અંતે, દેશભક્ત સ્વીકારે છે કે અવિચારી અભિગમ કરતાં પોતાના દેશ પ્રત્યે સતત વિવેચનાત્મક દૃષ્ટિકોણ અપનાવવો એ જ સાચી દેશભક્તિ છે. આમ, આ સંવાદમાં તાર્કિક વિચારવિમર્શ થકી, ઉત્સાહી દેશભક્તની સમજ વિકસતી જોવા મળે છે. તે વધુ શાણપણ-યુક્ત બને છે.

પાર્શ્વભૂમિ : સ્વર્ગના નીરવ પ્રખ્યાત ફિલસૂફ સોક્રેટીસ શાંત વિચાર અવસ્થામાં બેઠા છે. દેશપ્રેમ અને ઉત્સાહથી ભરપૂર એક ભારતીય દેશભક્ત તેમની નજીક આવે છે.

ભારતીય દેશભક્ત (ગૌરવ અને જુસ્સા સાથે) : ઓહ, સોક્રેટીસ ! એથેન્સના પ્રખ્યાત ફિલસૂફ. મેં તમારી શાણપણની ઘણી વાતો સાંભળી છે. ભારતને તમે તો જાણો જ છો કે અદ્ભુત દેશ છે. એક પ્રાચીન ભવ્ય સંસ્કૃતિથી સમૃદ્ધ ભૂમિ, જ્યાં દેવતાઓ, યોદ્ધાઓએ માતૃભૂમિ માટે ….

સોક્રેટીસ (ઉપર જોઈને, માયાળુ સ્મિત કરતા) : આવો, આવો, મારા મિત્ર ! તમારો જુસ્સો અદ્ભુત છે. હા, મેં તમારા ભારત દેશ વિષે ઘણું સાંભળ્યું છે. પરંતુ તમારી દૃષ્ટિએ ‘મહાનતા’ એટલે શું ? શું ભારત તેની પ્રાચીન પરંપરાઓને કારણે મહાન છે કે તેના યોદ્ધાઓની બહાદુરીને કારણે ? કે ભારતમાં તેથીયે કાંઈ વિશેષ છે જે તેને મહાન બનાવે છે ?

દેશભક્ત (ખચકાટ વિના) : બધે બધું, સોક્રેટીસ ! ભારતની પ્રાચીન સંસ્કૃતિનું શાણપણ, અમારા ચાર વેદ, અમારે ત્યાં થઈ ગયેલ શક્તિશાળી રાજાઓ અને નિ:સ્વાર્થ યોદ્ધાઓ એ બધું જ ભારતની ભૂમિને મહાન બનાવે છે. અમે અનેક વિદેશી આક્રમણકારોનો પ્રતિકાર કર્યો છે, અમારી પવિત્ર પરંપરાઓનું રક્ષણ કર્યું છે, અને જેઓ અમને વિભાજિત કરવા ઇચ્છતા હતા તેમની સામે અમે સદીઓથી અમારી એકતા અડીખમ જાળવી રાખી છે.

સોક્રેટીસ (વિચારપૂર્વક) : ઓહ, તમે એકતાની વાત કરો છો. પરંતુ આ એકતાનું મૂળ શું છે ? શું તે શસ્ત્રબળ છે, દુ:શ્મનોનો ડર છે, કે તેથી પણ કંઈક વિશેષ છે ?

દેશભક્ત (ગર્વથી) : તે માતૃભૂમિ માટેનો પ્રેમ છે ! ભારત માતા, અમારી માતા ! તે અમારી ઓળખ, અમારું ગૌરવ, અને અમારા જીવનનો ઉદ્દેશ્ય છે. અમે તેને ભરપૂર પ્રેમ કરીએ છીએ. અને તેના માટે અમારું સર્વસ્વ બલિદાન કરવા તત્પર રહીએ છીએ. અમારો પ્રાણ પણ, કોઈ પણ ખચકાટ વિના.

સોક્રેટીસ (હકારમાં) : તમારી વાત સાચી છે. પોતાની માતૃભૂમિ અને પોતાના બાંધવો માટેનો પ્રેમ એ દેશવાસીઓ માટે એક પ્રબળ બંધન હોય છે. અમે ગ્રીક લોકો પણ અમારી માતૃભૂમિને અનહદ પ્રેમ કરતા હતા. તેથી હું તમારો દેશપ્રેમ સમજી શકું છું. પણ, મને કહો, ઘણા બધા ધર્મો અને સંસ્કૃતિઓ ધરાવતા તમારા દેશમાં એકતાનો અર્થ શું છે ?

દેશભક્ત : સાચી એકતા માટે અમારા બધા દેશવાસીઓએ સમાન માન્યતાઓ અને મૂલ્યો રાખવાની જરૂર છે. વધુ પડતી વિવિધતા આપણને નબળા પાડે છે. જો આપણે ખરેખર એક થવું હોય તો આપણે બધાએ એક આસ્થા અને એક સંસ્કૃતિનું પાલન કરવું જોઈએ.

સોક્રેટીસ : તમે કહો છો કે એક જ પ્રકારની વિચારસરણીથી દેશ શક્તિશાળી બને છે. પણ મને કહો, જો લોકો સમજણને બદલે ડરને કારણે એકરૂપ બને તો શું તેને ખરેખર શક્તિ કહી શકાય?

દેશભક્ત : ડરથી કે સમજણથી યેન કેન પ્રકારેણ એકતા હોવી જરૂરી છે. એકતા માંગે છે સમાનતા. દરેક વ્યક્તિ સમાન માર્ગે ચાલે. પસંદગીની વધુ પડતી સ્વતંત્રતા સમાજની સંવાદિતા ડહોળી નાખે છે. એક રાષ્ટ્ર એક કુટુંબ જેવું હોવું જોઈએ, જેમાં દરેક વ્યક્તિ સમાન નિયમોનું પાલન કરે છે.

સોક્રેટીસ : શું કોઈ પણ કુટુંબમાં, વિવિધ સભ્યો જુદાં જુદાં મંતવ્યો નથી ધરાવતા ? જો દરેક વ્યક્તિ એકરસખું વિચારે, તો શું તેને સાચી સમજદારી કહી શકાય?

દેશભક્ત : જો દરેક વ્યક્તિ સમાન મૂલ્યોનો આદર કરે તો સમજણ અપ્રસ્તુત છે. મતભેદો માત્ર વિભાજન પેદા કરે છે.

સોક્રેટીસ : તો, તમારી દૃષ્ટિએ, અન્ય માન્યતાઓને સહન કરવી એ સદ્દગુણને બદલે જોખમ છે ?

દેશભક્ત : બરાબર, સહિષ્ણુતા સિદ્ધાંતમાં ઉમદા લાગે છે, પરંતુ તે સમાજના ફેબ્રિકને નબળી પાડે છે. જ્યારે તમે બધી માન્યતાઓને સહન કરો છો, ત્યારે તમે નબળા પડો છો. આપણા સમાજને મજબૂત રાખવા માટે આપણે એક જ પ્રકારનાં મૂલ્યો અને એક જ પ્રકારની જીવનશૈલીનો આગ્રહ રાખવો જોઈએ.

સોક્રેટીસ : પણ શું એકરૂપતાનો આગ્રહ રાખવાથી રોષ પેદા થતો નથી ? કદાચ કોઈ વ્યક્તિ તમારી માન્યતાઓને અનુકૂળ હોવાનો દેખાડો કરે પણ અંદરથી ગૂંગળામણ અને નારાજગી અનુભવે તો શું તે જોખમરૂપ ન બની શકે ?

દેશભક્ત : તે હોઈ શકે છે. પરંતુ દેશની એકતા માટે આપણે કોઈ કિંમત તો ચૂકવવી જોઈએ. એકતા મફતમાં નથી આવતી, તેની કિંમત હોય છે. દેશની એકતા માટે લોકોએ પોતાના વ્યક્તિગત મત જતા કરવા જોઈએ. એક મજબૂત રાષ્ટ્રને તેના નાગરિકો પાસેથી બલિદાનની જરૂર હોય છે.

સોક્રેટીસ : પરંતુ, તમારા જેવા વૈવિધ્યસભર દેશમાં કઈ એક વિચારસરણી એકતા લાવી શકે ?

દેશભકત : અમારી સદીઓથી ચાલી આવતી પ્રાચીન સનાતન સંસ્કૃતિ, અમારી પરંપરાઓ, ઉદાર અને સર્વસમાવેશી છે. તે અમારા દેશમાં નિ:સંદેહ એકતા લાવવા સક્ષમ છે.

સોક્રેટીસ : પરંતુ, તમે માનો છો કે સાચો દેશભક્ત પોતાની સંસ્કૃતિ કે પરંપરાઓ અંગે ક્યારે ય સંદેહ કરતો નથી ? શું તમને નથી લાગતું કે : જેમના પ્રતિ તમને સાચો પ્રેમ હોય, જેમ કે તમારાં માતા-પિતા કે તમારાં બાળકો, તેમના વિષે, તેમના ભલા માટે, તેઓ સચ્ચાઈ અને ન્યાયના માર્ગથી ચલિત ન થાય તે માટે પ્રસંગોપાત્ત ચાંપતી નજર રાખવી જરૂરી હોય છે ?

દેશભક્ત (જુસ્સાપૂર્વક) : જેની મહાનતા વિષે લવલેશ પણ શંકા ન હોય તેની પર સંદેહ શા માટે કરવો જોઈએ ? ભારતની પરંપરાઓ પવિત્ર છે, સ્વયં દેવતાઓ દ્વારા જ તે અમને પ્રાપ્ત થઈ છે. જેમ કે અમારો સનાતન ધર્મ, અમારી વર્ણ વ્યવસ્થા, અમારી જ્ઞાતિ વ્યવસ્થા. તેના પર સવાલ ઉઠાવવાથી અમારી સંસ્કૃતિ નબળી પડી જાય. અને જેઓ અમને નિર્બળ કરવા માગે છે તેવા લોકોને મોકળો રસ્તો મળી જાય.

સોક્રેટીસ (ભમર ઊંચી કરીને) : ઓહ, તો તમે માનો છો કે તમારી મહાન સંસ્કૃતિ જોખમમાં મુકાઈ શકે છે. પણ, મિત્ર તમે મને કહો, તમે કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકો કે પરાપૂર્વથી ચાલતું આવ્યું છે તે બધું જ સાચું કે ડહાપણ ભરેલું છે. અને માની લો કે જે તે સમયે જે ખરેખર સાચું મનાતું આવ્યું હોય, તે બદલાયેલ સંજોગોમાં તેટલું જ અનુરૂપ કે પ્રસ્તુત રહી શકે છે ? શું તેનું વગર વિચાર્યે કરેલું પાલન ડહાપણભર્યું કહેવાય ? જો કોઈ પણ પરંપરાની યથા યોગ્યતાની કદી પણ ચકાસણી કરવામાં ન આવે તો શું તે યાવચ્ચંદ્ર દિવાકરૌ પ્રસ્તુત કે હિતકારી રહી શકે ?

દેશભક્ત (ગુસ્સાથી) : તમે ફિલોસોફરો ! હમેશાં શંકા કરો છો, હંમેશાં ઊહાપોહ કરો છો ! અમારી ગીતામાં લખ્યું છે કે સંશયાત્મક વિનશ્યતિ. કોઈ પણ રાષ્ટ્રની તાકાત તેના લોકોની પોતાના રાષ્ટ્ર પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પિતતામાં રહેલી હોય છે, નહીં કે અર્થવિહીન અને અનંત વાદ-વિવાદમાં. જ્યારે આપણે અંદરોઅંદર ઝઘડીએ છીએ ત્યારે દુ:શ્મનો તેનો ફાયદો ઉઠાવે છે. તેઓ આપણને તોડવા માટે તૈયાર જ હોય છે. તેથી સૌએ આવા વાદવિવાદથી દૂર રહેવું જોઈએ.

સોક્રેટીસ (શાંતિથી) : છતાં, મારા મિત્ર, જો આપણું ઘર ગમે તેટલું મજબૂત હોય તો પણ શું તે કોઈ પણ તોફાનમાં ટકી રહેશે કે નહીં તે માટે આપણે તેના માળખાનું નિયમિત નિરીક્ષણ કરવું જોઈએ નહીં ? તે જ રીતે, જો રાષ્ટ્રના લોકો પોતાના વ્યવહાર ખરેખર ન્યાયી, કાનૂનસંમત, અને વાજબી છે કે નહીં તે પોતાને ન પૂછે તો કોઈ પણ રાષ્ટ્ર મજબૂત બની શકે ?

દેશભક્ત (રક્ષણાત્મક રીતે) : ન્યાય ? ન્યાય આપણા લોકોનું રક્ષણ કરવાથી અને આપણી જીવનશૈલીના અસ્તિત્વને સુનિશ્ચિત કરવાથી મળે છે. જો ન્યાય વિભાજન તરફ દોરી જાય અથવા આપણો સંકલ્પ નબળો પાડે તો તે શું આપણું ભલું કરશે ?

સોક્રેટીસ (વિચાર કરીને) : તમે તમારા લોકોના રક્ષણની વાતો કરે છો, તમારી અસ્મિતાને જાળવી રાખવાની વાત કરો છો. હું માનું છું કે પોતાના લોકોનું રક્ષણ કરવું કે પોતાની અસ્મિતા જાળવી રાખવી સૌ કોઈની ફરજ છે. અને મને લાગે છે કે તમે તમારી આઝાદીની લડાઈ આ માટે જ લડ્યા હતા. પરંતુ, જો તમે જેને તમારા માનતા હો તેમાંથી કોઈ લોકો અન્યાયી હોય તો શું તમે તેમના વર્તનને ખરેખર વખાણવા યોગ્ય ગણશો ? શું આપણે એ પૂછવું જોઈએ નહીં કે એકતાના નામે આપણા લોકોએ કરેલાં બધાં જ કૃત્યો ખરેખર પ્રશંસનીય હોય છે ? કે પછી, આવા લોકો માત્ર આપણી સંસ્કૃતિને બહાને આપણી સત્તા જાળવી રાખવા વાસ્તે મદદરૂપ છે માટે આપણે તેમને સારા ગણીએ છીએ, આપણા ગણીને તેમનો બચાવ કરીએ છીએ ?

દેશભક્ત (આંખો સાંકડી કરીને) : થોભો, શું તમે એમ સૂચવો છો કે અમારો આઝાદીનો સંઘર્ષ અન્યાયી હતો ?

સોક્રેટીસ (નમ્રતાથી) : ના, હું એમ નથી કહેતો. પરંતુ, હું પૂછું છું : તમે તમારી આઝાદીની લડાઈ શા માટે લડ્યા હતા ? શું તે ફક્ત વિદેશી શાસકોથી સ્વતંત્ર થવાની લડાઈ હતી ? કે પછી, અન્યાય અને શોષણ સામેની લડાઈ હતી ? વધુ શિષ્ટ, ન્યાયી અને સુસંસ્કૃત જીવન જીવી શકાય તેવી આઝાદી માટેની લડાઈ હતી ?

દેશભક્ત (નરમ, પરંતુ મક્કમ) : અમે અમારી માતૃભૂમિ અને અમારા લોકોને વિદેશી શાસનથી મુક્ત કરવા માટે લડ્યા હતા. અંગ્રેજોએ અમારી સંપત્તિ અને અમારી પ્રતિષ્ઠા છીનવી લીધી હતી. તેથી અમારે લડવું પડ્યું હતું. શું તે ન્યાય માટેની લડાઈ નહોતી ?

સોક્રેટીસ (માથું હલાવતાં) : જુલમથી મુક્ત થવાની ઇચ્છા ન્યાયી છે. પરંતુ જુલમી શાસકો ચાલ્યા ગયા પછી શું ? શું તેથી દેશભક્તની ફરજ પૂરી થાય છે ? શું સાચા દેશભક્તે નવા શાસકોનું શાસન પણ ન્યાયી હોય તે સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખવું ન જોઈએ ?

દેશભક્ત (વિચારીને) : હા, તમારી વાત સોએ સો ટકા સાચી છે. અમે અન્યાયી શાસકોને દૂર કરવા, તેમનાથી મુક્ત થવા, અમે અમારી આઝાદીની લડાઈ લડ્યા હતા. પરંતુ, કમનસીબે આઝાદી પછી પણ, કેટલાક પડકારો ચાલુ રહ્યા છે. કેટલાક દેશદ્રોહી લોકો અમારા દેશની એકતા પર સવાલ ઉઠાવતા રહે છે, તેઓ અમને વિભાજિત કરવા માંગે છે.

સોક્રેટીસ (હળવાશથી) : તમે કેવી રીતે નક્કી કર્યું કે કોણ દેશદ્રોહી છે ? શું તે એવા લોકો છે જેઓ ભારતની એક રાષ્ટ્ર તરીકેની અમારી કલ્પના સાથે અસમંત છે. અથવા તેઓ રાષ્ટ્ર નિર્માણ અંગે તમારાથી અલગ વિચારો ધરાવે છે અને જુદા માર્ગે ચાલવા માગે છે ?

દેશભક્ત (ચિંતિત થઈને) : સોક્રેટીસ, કેટલાક વિચારો ખતરનાક હોય છે ! બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ, સમાનતા, સામાજિક ન્યાય જેવા કેટલાક વિચારો અમારી સદીઓથી ચાલતી આવતી પરંપરાઓથી વિરુદ્ધ છે. તે અમારી એકતાને નબળી પાડે છે. અમને દુર્બળ બનાવે છે. એક સંસ્કૃતિ, એક વિચારધારા, અને એક દૃષ્ટિકોણ ધરાવતા લોકો જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

સોક્રેટીસ (વિચારપૂર્વક) : હં, એક દૃષ્ટિકોણ, એક સંસ્કૃતિ … પરંતુ શું એક રાષ્ટ્ર વિવિધ વિચારો સાથે મજબૂત ન બની શકે ? શું વિવિધ ફૂલોવાળો બગીચો માત્ર એક જ જાતનાં ફૂલોવાળા બગીચા કરતાં વધુ સુંદર નથી હોતો ? શું કુદરત પણ વિવિધતાને ઉત્તેજન નથી આપતી ?

દેશભક્ત (ખચકાતાં) : સોક્રેટીસ, વિચારોની વિવિધતા સિદ્ધાંતમાં સારી લાગે છે. પરંતુ, વાસ્તવમાં તે વિભાજન અને સંઘર્ષ તરફ દોરી જાય છે. ભારત એક મજબૂત દેશ હોવો જોઈએ. જો અમે હંમેશાં વાદવિવાદ કરતા રહીએ તો અમે એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે મજબૂત બની શકીએ ?

સોક્રેટીસ (હસતાં) : મારા મિત્ર, શક્તિ ખામોશીમાં નથી, વિવિધતાને દબાવી દેવામાં નથી. સાચી તાકાત તો ડર્યા વિના વિચાર-વિમર્શ કરવાની અનુમતિ આપે છે. એક મજબૂત રાષ્ટ્ર અસંમતિને સહન કરી શકે છે. કારણ કે, તે જાણે છે કે સચ્ચાઈ જાંચ પડતાલ કે છાનબીનનો સામનો કરી શકે છે.

દેશભક્ત (નિસાસો નાખતાં) : થોભો, કદાચ તમે સાચા છો. પરંતુ જેઓ પોતાના ફાયદા માટે રાષ્ટ્રને નુકસાન પહોંચાડવા માંગે છે તેનું શું ?

સોક્રેટીસ (વિચારપૂર્વક) : જેઓ રાષ્ટ્રને નુકસાન કરવા માગે છે તેમનો સામનો તો કરવો જ જોઈએ. પરંતુ શું આપણે ક્યારેક સત્ય શોધકો અને નુકસાન પહોંચાડનારાઓ વચ્ચે ગોટાળો નથી કરતા ? ક્યારેક જુસ્સામાં આવીને શું આપણે એવા લોકોને દબાવી નથી દેતા જેઓ કદાચ આપણને વધુ શાણા અને સમજદાર બનાવવાનો પ્રયાસ કરતા હોય છે ?

દેશભક્ત (ધીમેથી) : સોક્રેટીસ, મેં મારું જીવન ભારતના ગૌરવ માટે લડવામાં વીતાવ્યું હતું. પણ હવે મને લાગે છે કે શું હું પ્રશ્ન ઉઠાવનારાઓને ચૂપ કરવામાં ખોટું કરતો હતો ? શું હું ન્યાય અને વધુ સારા ભારતની તેમની શોધને સમજી શક્યો નહોતો ? શું દેશભક્તિમાં હું આંધળો થઈ ગયો હતો ?

સોક્રેટીસ (માથું હલાવતાં) : સરસ. આવા પ્રશ્નો ઊભા થવા એ શાણપણની નિશાની છે. આપણા જીવનની અને આપણાં કૃત્યોની તટસ્થતાથી તપાસ કરવી એ પણ એક પ્રકારની દેશભક્તિ છે, તે પણ જરૂરી છે. વિચારશીલતા, એ તમે તમારા દેશને આપેલી તમારી સૌથી મોટી ભેટ છે. તે તમારો સાચો રાષ્ટ્રપ્રેમ બતાવે છે, નહીં કે આંધળી ભક્તિ કે અવિચારી આજ્ઞાપાલન.

આ વાર્તાલાપ પછી બંને વિદ્વાનો હસતા હસતા સ્વર્ગની કેન્ટીનમાં ચા પીવા જાય છે.

૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા-૩૯૦ ૦૦૨.
E-mail: pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 નવેમ્બર 2024 – પૃ. 04 – 06 

Loading

શાંતાકલોઝ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|11 January 2025

પીટર બગીચામાં બેન્ચ પર બેઠો હતો. પીટર અને મેકનો રોજ સાંજે બગીચામાં મળવાનો નિયમ હતો. પીટર આજે થોડો વ્યગ્ર અને ચિંતામાં હતો. આજે તેને બગીચામાં શું બની રહ્યું છે એ તરફ જરા પણ ધ્યાન નહોતું. તેને મેક ક્યારે બાજુમાં આવીને બેસી ગયો એ ખ્યાલ ન રહ્યો. આટલો વ્યગ્ર પીટર ક્યારે ય નહોતો થયો. તેને નાતાલના ઉત્સવની ચિંતા હતી.

“પીટર, તું આજે કંઈક ચિંતામાં હો એવું લાગે છે. હું, તારી બાજુમાં ક્યારનો આવીને બેઠો છું પણ તારું ધ્યાન જ નથી. શું વાત છે મને કહે. તારી ચિંતાનો કોઈક રસ્તો શોધી કાઢશું. મેં પહેલાં તને આટલો ચિંતામાં ક્યારે ય નથી જોયો.”

“મેક, નાતાલનો તહેવાર આવે છે. તને તો ખબર છે કે નાતાલ ઈવમાં હું શાંતાક્લોઝ બનીને બાળકો, યુવાનો અને વડીલોને મનગમતી ભેટ આપું છું. પછી એ લોકો સાથે ડિનરમાં જોડાઉ છું. ઘણાં વરસોથી મારો આ ક્રમ ચાલ્યો આવે છે. પણ આ વરસે હું શું કરીશ તેની ચિંતા છે.”

“હા, પણ એમાં તને તકલીફ શું છે. નાતાલ તો દર વર્ષે આવે છે. આ વર્ષે પણ તું શાંતાક્લોઝ બનીને દર વર્ષની જેમ બધાંને મનગમતી ભેટ આપજે. આ વર્ષે હું પણ તારી પાસે ભેટ લેવા આવીશ.”

“મેક, હું આખું વર્ષ નાતાલની ઉજવણી માટે થોડા થોડા પૈસા બચાવીને નાતાલની ભેટ માટે ભંડોળ ઊભું કરતો રહું છું. પણ આ વર્ષે તેમ કરી શક્યો નથી. એક તો આ મોંઘવારીમાં કંઈ બચત થતી નથી. અને ઘરમાં બીમારીના લીધે બચાવેલા પૈસામાંથી અડધા પૈસા વપરાય ગયા છે. આ વર્ષે ભેટની ખરીદી કરવા માટે મારી પાસે પૂરતું બેલેન્સ નથી, એટલે શું કરવું એ દ્વિધા અને ચિંતામાં છું.”

“કરવાનું શું હોય. દર વર્ષની માફક આ વર્ષે પણ તારે શાંતાક્લોઝ બનવાનું અને બધાંને મનગમતી ભેટ આપી ડિનરમાં પણ સામેલ થઈ નાતાલની મજા માણવાની.”

“પણ મેં તને મારી મુશ્કેલી બતાવી તેનું શું કરું? કોઈ રસ્તો સૂઝતો નથી. નાતાલનો તહેવાર નજીક આવી ગયો છે અને મારી પાસે પૈસાની કોઈ વ્યવસ્થા નથી.”

“પીટર, પણ કે બણ કંઈ નહીં, તારે આ વર્ષે પણ શાંતાક્લોઝ બનવાનું એ નક્કી વાત છે. મારા મિત્રને બહુ મોટો મોલ છે. ત્યાં તારે જોઈએ એ પ્રકારની ભેટ તને મળી જશે. તારે ત્યાંથી  ભેટ આપવા માટેની મનપસંદ ભેટ ખરીદી લેવાની. પૈસાની ચિંતા કરમાં. તારી પાસે તારું જે કંઈ બેલેન્સ હોય એ મને આપી દેજે. બાકીના પૈસા હું ઉમેરી દઈશ. તારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બિન્દાસ થઈને ખરીદી કરજે.”

“મેક, તે મારો મોટો બોજ હળવો કરી દીધો. તે ઉમેરેલા પૈસા હું તને કટકે કટકે આપી દઈશ. હું કેટલા ય દિવસથી આ જ ચિંતામાં હતો કે જો હું શાંતાક્લોઝ બનીને ભેટ આપવા ન જાઉં તો બધાં નિરાશ થઈ જાય, ખાસ કરીને બાળકો. બાળકોને શાંતાક્લોઝે આપેલી ભેટનું બહુ મહત્ત્વ હોય છે.”

પીટરે મેકના મિત્રના મોલમાંથી ભેટ સોગાદની ખરીદી કરીને મન મૂકીને દર વર્ષની જેમ નાતાલની ઉજવણી કરી. પીટરનું મન ખૂબ આનંદમાં હતું. આ વર્ષે પીટરે મન મૂકીને બધાંને ભેટ આપી હતી. પીટર મેકના ઘરે પહોંચ્યો. “આવ, પીટર, તારા શાંતાક્લોઝવાળી ઇવેન્ટમાં બહુ મજા આવી. મેં પણ મન મૂકીને ભાગ લીધો હતો. ખૂબ આનંદ કર્યો. આ બધું તારા લીધે શક્ય બન્યું.”

“મેક, તારો આભાર માનવા અને બાકીના પૈસા જે મોલના બીલમાં તે ઉમેર્યા છે એ તને આપવા આવ્યો છું. નાતાલની આ વરસની ઉજવણી બહુ શાનદાર રહી.”

“ક્યાં પૈસાની વાત કરે છો? મારે તારી પાસેથી કોઈ પૈસા લેવાના બાકી નીકળતા નથી.”

“કેમ આપણે વાત થઈ હતી કે ભેટ સોગાદ માટેની વસ્તુઓ મારે તારા મિત્રના મોલમાંથી ખરીદી લઈને નાતાલની શાનદાર ઉજવણી કરવાની. અને મેં મન મૂકીને ખરીદી કરી હતી. આ વખતની નાતાલની ઉજવણી ખૂબ સરસ રહી. દર વર્ષ કરતાં મેં ભેટ પણ વધારે આપી. બધાં ખુશ થઈ ગયા હતા. તેમાં ય બાળકો તો બહુ દેખાતાં હતા.”

“હા, એ મેં પણ જોયું હતું પણ તારે એ પૈસા આપવાના નથી.”

“કેમ? એવું ન ચાલે. તે મને મદદ કરી અને મારી આબરૂ જાળવી લીધી. તારે પૈસા લેવા જ પડે.”

“જો, પીટર. તું શાંતાક્લોઝ બનીને બધાંને ભેટ આપતો હતો ત્યારે હું પણ ત્યાં હાજર હતો. તે આપેલી એ ભેટમાં મને બધું મળી ગયું. સાચું કહું મેં આજ સુધી આવી નાતાલની મજા માણી નથી. તને શાન્તાક્લોઝમાં જોઈને મને મારા ગ્રાન્ડફાધર યાદ આવી ગયા. એ પણ દર વર્ષે શાંતાક્લોઝ બનીને અમને અને સગાં સંબંધીઓને ભેટ આપતા હતા. મને આજે સમજાયું કે ગ્રાન્ડફાધર ભેટ આપીને અને અમે ભેટ લઈને કેમ ખુશ ખુશ થઈ જતા હતા. મારા ગ્રાન્ડફાધર કહેતા દરેક તહેવાર ખુશીઓ માણવા માટેનો હોય છે. આપણે પણ તહેવાર માણીને ખુશ થવાનું અને બીજાને ખુશ કરવાના. હું બધાંને મનપસન્દ ભેટ આપીને ખુશ કરું છું અને ખુશ થાઉં છું.”

“મેક, હું નાનો હતો ત્યારે શાન્તાક્લોઝને જોઈને મને પણ શાંતાક્લોઝ બનવાનું મન થઈ જતું. પણ ત્યારે એ ખબર નહોતી કે શાંતાક્લોઝ જે ભેટ આપે છે એ પોતે ખરીદ કરેલી હોય છે. ત્યારે તો શાંતાક્લોઝ ભેટ આપે એ લઈને ખુશ થઈ જતો. પણ, પછી જ્યારે આ બાબતની મને ખબર પડી એટલે મેં પણ નાતાલ પછી બીજી નાતાલ આવે ત્યાં સુધીમાં ભેટની ખરીદી કરી શકાય એટલું ભંડોળ એકઠું કરવાનું શરૂ કર્યું અને પછી શાંતાક્લોઝ બની લોકોમાં નાતાલની ખુશીમાં ભેટ આપીને નાતાલની મજા માણવાનું શરૂ કર્યું. આ વર્ષે તે મારી આબરૂ સાચવી લીધી.”

“પીટર, મેં તારી આબરૂ નથી સાચવી, પણ તારા લીધે મને નાતાલ અને શાંતાક્લોઝનું મહત્ત્વ સમજાયું. અત્યાર સુધી હું નાતાલના ઉત્સવને એક પ્રેક્ષક તરીકે જોતો હતો અને ક્યારેક ક્યારેક ભાગ લેતો હતો. હવે હું દર વર્ષે તને શાંતાક્લોઝ તરીકે જોઈશ અને તેમાં મારી છબી જોઈને નાતાલની ખૂબ મજા માણીશ.”

“હા, મેક, આ જ તો નાતાલની ખરી મજા છે. ખુશીઓ વહેંચો અને ખુશી માણો. તહેવારો આવે છે ખુશીઓ મનાવવા માટે અને સંબંધોને મજબૂત કરવા માટે.”

મેકે ઊભા થઈ પીટરને ભેટીને કહ્યું, “હેપી નાતાલ, હેપી શાંતાક્લોઝ, માય ફ્રેન્ડ.

ભાવનગર, ગુજરાત
E.mail :  nkt7848@gmail.com

Loading

...102030...293294295296...300310320...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved