લઘુવાર્તા
આરોહી આજે ખૂબ જ ઉત્સાહમાં હતી. હવેથી તેને હંમેશની જેમ દાદીમાને લઈને ડાયાલેસિસ માટે હોસ્પિટલમાં નહીં આવવું પડે. કિડની મેળવવા માટે ચાર વર્ષ રાહ જોયા પછી એની દાદીનો નંબર લાગ્યો હતો. આરોહી કિડની ટૃાન્સફર વિશે દાદીને સમજાવતી હતી. દાદી પણ કૌતુકતાથી પૌત્રીની વાત સાંભળતાં હતાં. ક્યારેક હળવેથી આરોહીનો હાથ પકડીને ચૂમી લેતાં ને કહેતાં, ‘ઓ દીકરી, તું મને બહુ વહાલી છો!’
આરોહી મધુર સ્મિત કરીને કહેતી, ‘બા, મને ખબર છે. મને એ પણ ખબર છે કે તમે મારાથી થોડાં નારાજ છો. હું પર્વતારોહણ માટે જઉં છું, તે તમને ઓછું ગમે છે. તમને એમ છે કે આવાં જોખમી સાહસ કરીને હું ક્યાંક હાથ-પગ ભાંગી બેસીશ. પણ બા, તમારે ચિંતા નહીં કરવાની. ઉપર ચડવાની મજા જ કાંઈ ઓર છે!!!’
દાદીમાં ફીક્કું હસ્યાં ને આરોહીનો હાથ જોસથી પકડી રાખ્યો. આરોહીએ પૂછ્યું, ‘બા, તમને બીક લાગે છે?’
બા જવાબ આપે તે પહેલાં કિડનીના વિશેષજ્ઞ ને સાથે બેચાર ડૉક્ટરોનું ટોળું એમની પ્રાઇવેટ રૂમમાં જાણે ધસી આવ્યું ! ક્ષણેક તો દાદીમા ગભરાઈ ગયાં. પણ ડૉક્ટરે એમના ખબર-અંતર પૂછીને વિનંતીના સૂરમાં કહ્યું, ‘માજી, અમને ખબર છે કે તમે ઘણાં સમયથી રાહ જુઓ છો. પણ એક વીસ વર્ષની પેશન્ટ ઇમરજન્સીમાં આવી છે. અને તમને આપવાની કિડની એને મેચ થાય છે. જો તમે હા પાડો તો કિડની એમને આપીએ તો એને નવું જીવન આપી શકાય ને બીજી કિડની મળતાં જ … … ’
ડૉક્ટર કશું કહે તે પહેલાં જ દાદી બોલ્યાં, અરે, એમાં વિનંતી શું કરવાની ? કિડની એને આપી દો!’ આરોહી દાદીને અટકાવતાં બોલી, ‘દાદી … તમે કેમ હા પાડો છો?’
દાદીએ પ્રેમથી આરોહીને કહ્યું, ‘દીકરી, એ પણ કોઈની આરોહી હશે ને? અને તને સમજાય છે, આ તો મારું આરોહણ છે ! તું કહે છે તેમ ઉપર ચઢવાની મજા જ કાંઈ ઓર છે.’ ને દાદીએ આંખો મીંચી. એમના ચહેરા પર મૌન ભરી પ્રસન્નતા ફરી વળી!
આરોહી મનોમન બોલી ઊઠી, ‘બા, તમારી વાર સાચી, આ જ તમારું આરોહણ.’ ને તે દાદીમાને એકી ટશે, બસ, જોતી જ રહી !!!
e.mail : mdinamdar@hotmail.com
![]()


આજકાલ અમદાવાદ ખાતે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિઓથી ધમધમે છે. વિવિધ પ્રકારનાં કાર્યક્રમો અને પ્રદર્શનો, વક્તવ્યો ત્યાં યોજાય છે. જેનો રસિક અને ઉત્સુકજનો પૂરતો લાભ લે છે. તા. પમી સપ્ટેમ્બરના રોજ આવો જ એક કાર્યક્રમ યશવંત દોશી સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીનો યોજાઈ ગયો. એમાં જાણીતા રાજકીય સમીક્ષક, અનુવાદક, ઇતિહાસ તથા બંધારણના અભ્યાસી નગીનદાસ સંઘવીએ ‘યશવંત દોશીનું જીવન અને કવન’ વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. આ નિમિત્તે ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક દીપક મહેતાએ વક્તાનો વિગતે પરિચય આપ્યો હતો અને દીપક મહેતા લિખિત ‘ગ્રંથના પંથના અનોખા યાત્રી યશવંત દોશી’ વિશેની ૭૨ પાનાંની નાનકડી પુસ્તિકાનું શતાયુ નગીનદાસ સંઘવીએ વિમોચન પણ કર્યું હતું.
કશા કારણ વિના ૧૯૭૭ના વર્ષ દરમ્યાન ‘ગ્રંથ’ મુંબઈથી અમદાવાદ ગયું અને કવિ નિરંજન ભગતે તે સમય દરમિયાન તેનું સંપાદન કર્યું. માતાના ખોળામાંથી બાળક ઝૂંટવી લેવાય એવી વેદના એ કાળે ય.દો.એ અનુભવી. પોતાની વ્યથા તેમણે કદી પ્રગટ કરી નહીં. ફરીથી સંપાદન સંભાળવાનું આવ્યું ત્યારે એક માતાની લાગણીથી એ બાળકને પુનઃ તેડી લીધું! ડગલીના અવસાન પછી ડગલીનાં પત્ની ઇન્દિરાબહેન ટ્રસ્ટમાં દાખલ થયાં. ક્રમશઃ યશવંતભાઈ તેમાંથી મુક્ત થયા. ૨૨ વર્ષ તેમણે ‘ગ્રંથ’નું સંપાદન સભાળ્યું. તે પછી ‘સમકાલીન’ અને અન્ય પત્રમાં તેમણે કોલમ-લેખન કર્યું, જે લેખોના ત્રણેક સંચયો પ્રગટ થયા છે.
એક સાધુ તેના ગુરુ કે તેના ઈશ્વરને લઈને એટલો જ કટ્ટર હોઈ શકે, જેટલો એક પિતા તેની પુત્રીનાં અફેરને લઈને કટ્ટર હોય. ફરક એટલો છે કે આપણે સાધુના ચરણસ્પર્શ કરીએ છીએ અને પિતાને જેલમાં મોકલીએ છીએ. ધર્મોની કટ્ટરતા આપણને ઉચિત લાગે છે, કારણ કે એમાં પૂરા સમુદાયનું કલ્યાણ દેખાય છે. પુણ્યપ્રકોપ જેવો કોઈ અલગ પ્રકોપ નથી હોતો. તે એક સામાન્ય માણસના ક્રોધ જેવી જે એક બીમારી છે, જેનો ઈલાજ થવો ઘટે.