Opinion Magazine
Number of visits: 9576797
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Howdy Modi: Bypassing Travails Being Faced by India

Ram Puniyani|English Bazaar Patrika - OPED|24 September 2019

In Houston, America, a grand spectacle was created with Narendra Modi in presence of Donald Trump. The massive rally of nearly 50000 people cheered both the leaders. Both these leaders praised each other and criticized ‘Islamic Terrorism’ and Pakistan. It is true that the South Asia, West Asia have been suffering the cancer of terror, what is forgotten in the hysteria created in the name of ‘Islamic terrorism’ is the fact that the seeds of this terrorism were sown by the American policy, which not only had designed the syllabus for brain washing of Muslim youth, using the retrograde version of Islam, the whole exercise was funded by America to the tune of 8000 million dollars and seven thousand tons of armaments. The dreaded activity was programmed to fight the Russian army which was occupying Afghanistan. America in a shrewd manner deployed the products of terror training to its benefit and now is trying to wash its hands off the whole thing. As Hillary Clinton had pointed out “let them come from Saudi Arabia and other countries, importing their Wahabi brand of Islam so that we can go beat the Soviet Union.”

courtesy : "The Hindu", 24 September 2019

There are many sidelights of the gala event. The media is full of the massive response to the Modi event, while what was equally important and has been hidden. The protests by different groups, protests against policies of Modi in India have been ignored by media. In America while a substantial number of those from Indian origin are supporters of Hindu nationalism and many are Modi Bhakts too, there is a good number of those who are concerned about the state of human rights and health of democracy back home. Right from America, Bernie Sanders, the Democrat leader tweeted about Trump endorsing Modi overlooking the violation of the norms of freedom of religion and violation of human rights here in India. Sanders in a tweet said, “When Donald Trump stays silent in the face of religious persecution, repression and brutality, the dangerous message this sends to autocratic leaders around the world is: “Go ahead, you can get away with it.” In his long speech the central point of what Modi said was that ‘all is well’ in India.

Modi can say so despite the gross violation of basic citizen’s rights of large number of Indians, including those in Kashmir. His primary constituency is away from the ‘last man’, to focus on whom ‘father of our nation’ Gandhi had suggested for us. While the large section in the audience lapped everything which Modi said, large number of protesters outside the stadium did drew attention to the reality of Indian situation under Modi rule.

From among the protestors the most apt comment came from the Coalition of groups ‘Alliance for Justice and Accountability’. Sunita Vishwanathan, part of the alliance and member of ‘Hindus for Human Rights’, hit the nail on the head, when she stated “We are horrified that our religion, which teaches Vasudaiva Kutumbakam, (whole World is my family) is being hijacked by extremists and nationalists who are lynching Muslims, trampling democracy and law and order and arresting, if not murdering, those who are speaking out,…We are especially appalled by the most recent nightmare of the Kashmiri people and the situation of 1.9 million people in India who are rendered stateless due to the imposition of the travesty called the National Register of Citizens.”

One is at loss to understand the direction which India as a nation is taking at present, more so from last few years. While our Prime Minster is celebrating and addressing the rallies in America the Indian economy is taking a nose dive. Lakhs of workers are being retrenched; the average people are feeling the pinch of the policies being pursued by the Government in power. These policies do not want to solve the problems average people of the country. As such last few years have seen a total change in the pattern of issues being brought to fore by BJP led Government. It has gone on to give importance to issues like abolition of triple talaq, abrogation of Article 370, focusing on NRC in Assam while there is a talk the air that NRC will be extended to the whole of the country and Uniform Civil Code will be, implemented.

The central focus of the policy making and concerns of the ruling Government has seen a drastic change. In the initial years of republic, solid foundations of industries, Universities and irrigation system were laid. The idea was this is what the nation needs; focus on issues related to livelihood. There were many weaknesses in the planning and implementation of these policies, but the direction was right. This did lead to improvement in levels of literacy, health related indices, economic growth, agricultural production, milk production to list the few.

The identity issues like Ram Temple or Holy Cow-beef, Conversions, love jihad were on the margins. Not influencing the direction of the policy making. With such a focus on infrastructure, India became global economic power. Now the nation’s track has been shifted away from the role of India as a guardian state focusing on basic issues of people, to the one which just makes claims to have welfare schemes, but in reality is withdrawing from responsibility in the areas which are the dire need of the vast sections of society.

After the launch of Ram Temple campaign BJP started emerging and claimed that it is ‘Party with a difference’. It is true. This is the party guided by the agenda of Hindu nationalism. Such Religious nationalism thrives on issues related to identity, hatred for religious minorities. It creates violence and polarization. It is this polarization which gives electoral strength to religious nationalist parties all over, BJP, in case of India. In the din of hysteria created by Howdy Modi type events how to bring the national focus back to the problems faced by average people of the society is the question staring us in our face.

Loading

એટમ બોમ્બ કરતાં વધારે જોખમી પ્લાસ્ટિકે હવે માનવશરીરમાં પણ દેખા દીધી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 September 2019

પર્યાવણમાં ઠેરઠેર પડેલા, પ્રસરેલા પ્લાસ્ટિકમાંથી જો ક્લિંગ રૅપ બનાવાય તો આખી પૃથ્વી ફરતે તે વિંટાળી શકાય એટલું પ્લાસ્ટિક પ્રદૂષણ થઈ ચુક્યું છે.

યુનાઇટેડ નેશન્સ કન્વેનશન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશનની ચૌદમી કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝમાં આપણ વડાપ્રધાને જાહેરાત કરી કે, ‘હવે એ સમય આવી ગયો છે કે આખું વિશ્વ સિંગલ યુઝ પ્લાસ્ટિકને અલવિદા કરે.’ ૨જી ઑક્ટોબર, ગાંધીજીની ૧૫૦મી જન્મી જયંતીનાં રોજ વડાપ્રધાન પ્લાસ્ટિકનાં ઉપયોગને ઘટાડવા અંગે જાહેરાત કરે તેવી વકી છે, ત્યારે હજી આપણે કઇ કઇ ચીજોને સિંગલ યુઝ પ્લાસ્ટિક તરીકે નિયત કરીએ છીએ એ અંગે હજી સ્પષ્ટતા નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જેમાંથી બનેલી ચીજોનો એકથી વધારે વાર ઉપયોગ કરવો જોખમી ગણાય. તે ડિસ્પોઝેબલ હોય, એકવારનાં ઉપયોગ પછી તેને ફેંકી દેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી હોતો. જો કે હાલમાં સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા બાર ચીજો પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.  આ બાર ચીજોમાં પ્લાસ્ટિકની પાતળી થેલીઓ, રૅપિંગ ફિલ્મ્સ, સ્ટ્રૉઝ, સ્ટિરર, ડિસ્પોઝેબલ કટલરી, ફુગ્ગામાં, ઇયર બડ્ઝ અને પેપરમિન્ટ કે લૉલીપૉપ્સમાં વપરાતી પ્લાસ્ટિકની સળીઓ, સિગરેટ બટ્સ, થર્મોકૉલ, ૨૦૦ એમ.એલ.થી નાના કદની ઠંડા પીણાની બૉટલ અને રસ્તા પર લગાડાતા બેનર્સનો સમાવેશ કરાયો છે.

મજાની વાત છે કે આ યાદીમાં ચિપ્સ, નટ્સ વગેરે જે મલ્ટિ લેયર પૅકેજિંગમાં વેચાતું હોય છે તેનો તો ઉલ્લેખ પણ નથી કરાયો. આ પૅકેટ્સ ક્યારે ય રિસાઇકલ નથી થતાં અને એટલે જ કાગળ છત્તર ઉપાડનારાં પણે તે વીણતાં નથી. આપણાં શહેરો પાણીમાં જ નહીં પ્લાસ્ટિકમાં પણ ગરકાવ થઇ રહ્યાં છે. ભારતમાં દર વર્ષે પ્રતિ વ્યક્તિ ૧૧ કિલો પ્લાસ્ટિક વપરાય છે, આ આંકડો અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ઘણો ઓછો છે પરંતુ, આપણી વસ્તીને ધ્યાનમાં લેશો, તો આ આંકડો અધધધધ કરતાં ય મોટો થશે. વળી આપણે ત્યાં રોજેરોજ ૨૬ હજાર ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા થાય છે અને એમાંથી કેટલો પ્લાસ્ટિકી કચરો રિસાઇકલ થાય છે તેનો કોઇ ચોક્કસ આંકડો નથી. મોટાભાગનો આ પ્લાસ્ટિક કચરો નદીઓ, દરિયા કે મોટાંમસ ઉકરડા ભેગો જ થાય છે.

પ્લાસ્ટિકનું સંશોધન માણસજાત માટે એટમ બોમ્બ કરતાં કંઇકગણું વધારે જોખમી છે. ‘ધી ઇન્ડિપેન્ડન્ટ’માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ આપણી દુનિયાનાં સમુદ્રમાં આપણી આકાશગંગામાં રહેલા તારાઓ કરતાં પ૦૦ ગણાં વધારે માઇક્રોપ્લાસ્ટિકનાં હિસ્સા છે. જે રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તે જોતાં ૨૦૫૦ સુધીમાં આખા વિશ્વનાં સમુદ્રોમાં જેટલી માછલી છે તેનાં કરતાં પ્લાસ્ટિક વધારે હશે. આપણી રોજિંદી જિંદગીમાં ટુથપેસ્ટની ટ્યૂબ, ગરણી, ડોલ, ડબલાં, સૉપ કેસિઝથી માંડીને થેલીઓ, ટૂથ બ્રશ, ડબ્બાં વગેરે જેવી કેટલકેલી ચીજોમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આપણે પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તેમાં કંઇ નવાઇ નથી કારણ કે પ્લાસ્ટિક સસ્તું છે, ટકાઉ છે અને ધારીએ એ આકારમાં તેનો ઉપયોગ કરી શકાય છે. વૈજ્ઞાનિકોને મતે જે બેકાબૂ રીતે પ્લાસ્ટિક વપરાય છે અને પછી ફેંકી દેવાય છે તે જોતાં પૃથ્વી પર એક અનિયંત્રિત પ્રયોગ થઇ રહ્યો છે જેનું પરિણામ માઠું જ આવવવાનું છે. દુનિયામં દર મિનિટે દસ લાખ પ્લાસ્ટિકની પાણીની બૉટલ ખરીદાય છે. આપણે જે વાપરીએ છીએ તેમાંથી પચાસ ટકા પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે.

વિશ્વમાં ક્યાં છે પ્લાસ્ટિક બૅગ્ઝ પર પ્રતિબંધ?

1.   અમેરિકામાં વૉશિંગ્ટન ડી.સી.માં પ્લાસિ્ટક બૅગ્ઝના ઉપયોગ પર ટૅક્સ લાદવામાં આવ્યો અને તેમાંથી મળતા રેવન્યુનો ઉપયોગ એનાકોસ્ટિયા રિવર ક્લિન અપમાં કરાયો. ૨૦૦૯માં આ ટૅક્સ જાહેર કરાયા પછી પ્લાસ્ટિક બૅગ્ઝનાં ઉપયોગમાં ૮૫ ટકા ઘટાડો છે. યુ.એસ.એ.નું સાન ફ્રાન્સિસ્કો ૨૦૦૭માં એવું પહેલું શહેર બન્યું, જ્યાં પ્લાસ્ટિક બૅગ્ઝ પર પ્રતિબંધ મુકાયો અને તેનાથી થતાં પ્રદૂષણમાં ૨૦૧૦થી ૭૨ ટકા ઘટાડો નોંધાયો છે. ત્યાં સિએટલમાં પ્લાસ્ટિક બૅગનાં ઉપયોગમાં ૭૮ ટકા ઘટાડો છે તો બૉસ્ટનમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પ્લાસ્ટિક બૅગ્ઝ પર પ્રતિબંધ મુકાયો છે.

2.     કેન્યામાં ૨૦૧૭માં આધા રાષ્ટ્રમાં પ્લાસ્ટિક બૅગ્ઝ પર પ્રતિબંધ મુકાયો જેથી ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને ટુરિઝમ સુરક્ષિત રહે. આ પ્રતિબંધ સિંગલ યુઝનાં વિક્રેતા અને ઉત્પાદકો પર પણ લાગુ કરાયો. જરૂર પડી ત્યાં કાયદો તોડનારને ચાર વર્ષની જેલ અથવા ૪૦,૦૦૦ દંડની સજા પણ ફટકારાઇ.

3.     ચીલે[Chile]માં પણ રાષ્ટ્રીય સ્તરે ૨૦૧૭માં કાયદો પસાર કરાયો પણ તે દરિયાકાંઠે આવેલા શહેરોમાં જ લાગુ પડે છે. આ નીતિ હેઠળ ૨૩૦ શહેરો પ્રભાવિત છે જેમાં મેટ્રો સિટીઝ અને સહેલાણી શહેરો પણ સમાવિષ્ટ છે. અહીં સજા રૂપે કાયદાનું ઉલ્લંઘન કરનારને ૩૦૦ અમેરિકન ડૉલર્સનો દંડ ફટકારવામાં આવે છે.

4.     યુનાઇટેડ કિંગ્ડમમાં  ૨૦૧૫નાં ઑક્ટોબરથી સ્ટોર્સ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બૅગ્ઝ માંગનારા ગ્રાહકો પાસેથી પાંચ પેન્સ ઉઘરાવવાની શરૂઆત થઈ. જે પણ બિઝનેસમાં ૨૫૦થી વધારે કર્મચારીઓ હોય ત્યાં પ્લાસ્ટિક બૅગ્ઝની કિંમત ગ્રાહકો પાસેથી લેવાય છે. યુનાઇટેડ કિંગ્ડમમાં પ્લાસ્ટિક બૅગ્ઝનાં વપરાશમાં ૮૦ ટકા ઘટાડો થયો છે વળી કચરા સાફ કરાવવાનાં કામમાં પણ ૬૦ મિલિયન પાઉન્ડનો તો કાર્બન સેવિંગ્ઝમાં ૧૩ મિલિયન પાઉન્ડનો ખર્ચ ઘટ્યો છે.

5.     ઑસ્ટ્રેલિયામાં ૩૫ માઇક્રોન્સથી ઓછી ઘનતા ધરાવતી બૅગ્ઝ પર ૨૦૧૧માં પ્રતિબંધ મુકાયો. સરકારે નાગરિકોને રિ-યુઝેબલ બૅગ્ઝ વાપરવા પ્રોત્સાહન આપ્યું. પરિણામે ઉકરડા(લેન્ડ ફિલ્સ)માં જતા વેસ્ટમાંથી એક તૃતિયાંશ પ્લાસ્ટિક વેસ્ટ ઓછો થઇ ગયો. નાગરિકોએ આ પ્રતિબંધને ૭૦ ટકા સફળ બનાવ્યો છે.

6.     ચીનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બૅગ્ઝ પર સદંતર પ્રતિબંધ મુકાયો. કાયદો તોડનારી કંપનીઓને ૧૦,૦૦૦ યુઆન એટલે કે ૧,૫૯૩ યુ.એસ. ડૉલર્સ જેટલો દંડ ભરવો પડે છે.  પ્રતિબંધથી પોલિથીન બૅગ્ઝનાં ઉપયોગમાં ૬૬ ટકા ઘટાડો જોવા મળ્યો છે વળી કાયદાનું કડક પાલન થાય તે માટે કુલ ૬ લાખ રેગ્યુલેટર્સને આખા દેશનાં ગ્રોસરી સ્ટોર્સમાં મોકલવામાં આવ્યા જેથી તેઓ ખાતરી સાથે નિયમનું પાલન કરાવી શકે.

7.     આપણા દેશમાં કર્ણાટકમાં બૅગ્ઝ જ નહીં પણ પ્લાસ્ટિકની ડિશ-ચમચી વગેરેનાં ઉપયોગ અને ઉત્પાદન પર  પર ૨૦૧૬ની સાલથી પ્રતિબંધ મુકાયો છે.

 
પ્લાસ્ટિક વેસ્ટ પ્રત્યેની આ જાગૃતિની ધાર અચાનક જ નીકળી હોવાનાં બે મુખ્ય કારણો છે; એક તો પ્લાસ્ટિકમાં ખૂબ હાનિકારક રસાયણો હોય છે અને બીજું કે પ્લાસ્ટિક બહુ ઝડપથી અન્ય ઝેરી, હાનિકારક રસાયણોને પોતાની તરફ ખેંચે છે, ખાસ કરીને તે દરિયામાં હોય ત્યારે, જેને કારણે જળચરોને પણ ભારે નુકસાન થાય છે. પ્લાસ્ટિકની મોટામાં મોટી સમસ્યા એ છે કે એકવાર બન્યા પછી તેનાથી છુટકારો મેળવવો લગભગ અશક્ય હોય છે. ઉકરડામાં પડ્યાં પડ્યાં સડી રહેલું પ્લાસ્ટિક પૂરેપૂરી રીતે ‘ડિકમ્પોઝ’ થાય તેમાં ૧૦૦૦ વર્ષ લાગી શકે છે. પ્લાસ્ટિકની પાણીની બૉટલ્સમાં આ પ્રક્રિયા થતાં ૪૫૦ વર્ષ લાગે છે તો રોજેરોજ વપરાતી પૉલિથીન બૅગ્ઝ ડિકમ્પોઝ થવામાં ૧૦ વર્ષથી માંડીને ૧૦૦૦ વર્ષ જેટલો સમય લે છે. સાધારણ રીતે સ્વાર્થી માણસજાતે આમ તો પૃથ્વીનું નિકંદન કાઢવામાં કંઇ બાકી નથી રાખ્યું, પણ પ્લાસ્ટિકને કારણે થતી સરળતાને માણતા પહેલાં આપણે એ જાણવું રહ્યું કે પ્લાસ્ટિકમાં રહેલા માઇક્રો પ્લાસ્ટિક્સ ધીરે ધીરે માણસનાં શરીરમાં પણ પ્રવેશી રહ્યાં છે. પાણીમાં રહેલા પ્લાસ્ટિક પર જ્યારે અલ્ટ્રા વાયોલેટ કિરણો પડે ત્યારે આ પ્લાસ્ટિક વધુ સૂક્ષ્મ હિસ્સાઓમાં વહેંચાય છે. આ સૂક્ષ્મ હિસ્સાઓ બેક્ટેરિયા ગ્રહણ કરી શકે તેવા હોય છે અને અંતે તે આપણી ફુડ-ચેઇનમાં પણ પ્રવેશી શકે છે. આખા વિશ્વનાં માણસો દર વર્ષે પાંચ ગ્રામ જેટલું (બેંકનાં ડેબિટ કાર્ડ જેટલું વજન) પ્લાસ્ટિક તેમના શરીરતંત્રમાં પધરાવે છે.

નાકનું ટિચકું ચઢી જાય એવા એક સંશોધનનો ઉલ્લેખ કરવો રહ્યો. ફિનલેન્ડ, નેધરલેન્ડ, પોલેન્ડ, રશિયા, યુનાઇટેડ કિંગ્ડમ અને ઑસ્ટ્રેલિયા – આઠ દેશોમાંથી સ્વસ્થ ગણાતા લોકોનાં સ્ટુલ સેમ્પલ લેવાયાં. ટેસ્ટ અનુસાર દરેકની ઉત્સર્જન સામગ્રીમાં પોલિપ્રોપિલિન અને પોલિથાયલિન ટેરેફ્થાલેટ જોવા મળ્યાં. આ એક પ્રકારનાં માઇક્રોપ્લાસ્ટિક્સ છે જે આ સ્ટુલ સેમ્પલમાં રહેલા અન્ય માઇક્રોપ્લાસ્ટિક્સની સાથે આઠે-આઠ રાષ્ટ્રની વ્યક્તિના શરીર તંત્રમાં હાજર છે તેમ સાબિત થયું. માઇક્રોપ્લાસ્ટિક્સ લિવર, આંતરડાં અને શરીરમાં રહેવા જરૂરી પોષક તત્ત્વોને હાનિ પહોંચાડી શકે છે. પર્યાવણમાં ઠેરઠેર પડેલા, પ્રસરેલા પ્લાસ્ટિકમાંથી જો ક્લિંગ રૅપ બનાવાય તો આખી પૃથ્વી ફરતે તે વિંટાળી શકાય એટલું પ્રદૂષણ થઈ ચુક્યું છે.

બાય ધી વેઃ

ગ્રાહકો ધારે તો કંપનીઓને પોતાની વેચાણપદ્ધતિમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ફરજ પાડી શકે છે. જ્યાં જરૂર નથી ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પણ આપણે જાગૃત હોવું જરૂરી છે. પ્લાસ્ટિકનું વિભાજન મુશ્કેલ છે પણ હવે એવી ટૅક્નોલૉજી અસ્તિત્વમાં આવી છે જેને કારણે એ.આઇ.-આધારિત રોબોટ  દૂધની થેલી, પાણની બૉટલ જેવી સામાન્ય ચીજોનું વર્ગીકરણ કરી શકે છે. વિશ્વભરનાં દેશ રિસાઇકલ્ડ પ્લાસ્ટિકમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવાની દિશામાં પણ કામ કરી રહ્યાં છે. ઇકો બ્રિક્સનાં ફર્નિચર, દિવાલો વગેરે બને છે તો ભારતમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને એક લાખ કિલો મિટરનો રસ્તો બનાવવાની તજવીજ થઇ રહી છે. પ્લાસ્ટિકમાંથી ઇંધણ અથવા તો પ્લેક્સ તરીકે ઓળખાતું પ્લાસ્ટિક ઓઇલ પણ બની શકે છે. યુનાઇટેડ કિંગ્ડમની એક કંપની આ પ્રયોગ કરવામાં સફળ રહી છે અને ૭,૦૦૦ ટન પ્લાસ્ટિકમાંથી ૫,૨૦૦ ટન તેલ બનાવી શકાય છે. પ્લાસ્ટિકની હાનિથી તો આપણે વાકેફ થયાં જ છીએ પણ હવે જે છે તેનું રિ-સાયકલિંગ અને અપ-સાયકલિંક કરવાની દિશામાં વિચારવું રહ્યું. 

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2019

Loading

કવિતા અને કહેવતના પ્રેમી જમશેદજી

દીપક મહેતા|Opinion - Opinion|23 September 2019

કાળચક્રની ફેરીએ

માત્ર બત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં જમશેદજી નશરવાનજી પીતીત (પુસ્તકો પર એવણનું નામ એ જ રીતે છાપ્યું છે)  કેટલાંક મોટાં કામ કરી ગયા. ૧૮૫૬ના જાન્યુઆરીની ૨૪મી તારીખે જન્મ. મમ્મા દીનબાઈ હતાં મેહરવાનજી જીજીભાઈ મુગાનાં બેટી. મુંબઈના કોટ વિસ્તારમાં બજાર ગેટ સ્ટ્રીટમાં આવેલા એ કુટુંબના મકાનમાં જમશેદજીનો જન્મ. નસરવાનજી પીતીતને  બે બચ્ચાંઓ — એક જમશેદજી અને બીજાં આવાંબાઈ. એક તો  દોલતમંદ ખાનદાન. વળી એકનો એક નબીરો. એટલે ચાંદીના નહિ, પણ સોનાના ઘૂઘરે રમેલો. મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં અને પછી બોમ્બે પ્રોપ્રાયટરી સ્કૂલમાં ભણ્યા. ત્યારથી પરગજુ અને ખેરાતી સ્વભાવ. પોતાની સાથે ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પૈસા, પુસ્તકો, કાગળ, પેન્સિલ, વગેરેની અવારનવાર મદદ કર્યા કરતા.

અંગ્રેજી સાહિત્યની લગન પણ ત્યારથી જ લાગેલી. પોતીકું નાનકડું પણ સમૃદ્ધ પુસ્તકાલય વસાવેલું. એ વખતે જાણીતા કવિઓના કાવ્યસંગ્રહો ઉપરાંત શેક્સપિયરની તમામ કૃતિઓ તેમાં હતી. શેક્સપિયરનું કોઈપણ નાટક મુંબઈમાં ભજવાય તો તેમાં જમશેદજી અચૂક હાજર હોય. તેમની સાથે ભણતા બીજા કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચવા બોલવામાં નાનમ માનતા, પણ જમશેદજી અંગ્રેજી ઉપરાંત ગુજરાતી પુસ્તકો, સામયિકો, અને વર્તમાનપત્રો પણ નિયમિત વાંચતા. ૧૮૭૫માં મેટ્રિક થયા પછી જમશેદજી એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા પણ સેકન્ડ લેંગ્વેજ અંગે કશીક મુશ્કેલી ઊભી થતાં બીજા પારસી વિદ્યાર્થીઓ સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા ગયા. જો કે મુશ્કેલી દૂર થતાં થોડા વખત પછી જમશેદજી ફરી એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયા. પણ પોતાની અપેક્ષાઓ નહીં સંતોષાતાં થોડા જ વખતમાં તેમણે કોલેજનો અભ્યાસ છોડ્યો. નશરવાનજીએ તરત જ તક ઝડપી લીધી. એ જ વખતે તેમને ઓરિયેન્ટલ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની એજન્સી મળી હતી એટલે  પિતાએ પોરિયાને ધંધામાં લગાડી દીધો. થોડા વખતમાં જમશેદજી ઓરિએન્ટલ સ્પિનિંગ ઉપરાંત બીજી સાતેક કંપનીમાં ડિરેક્ટરના પદે નિમાયા. જમશેદજીનો વાચનનો શોખ તો પહેલાંની જેમ જ જળવાઈ રહ્યો હતો એટલે તેઓ કેટલાંક જાહેર પુસ્તકાલયોના વહીવટ સાથે પણ સંકળાયા. તેમાં ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાઈબ્રેરી, દીનશાહ પીતીત લાઈબ્રેરી અને નવસારીના મહેરજી રાણા કિતાબખાનાનો થાય છે.

સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીએ ગુજરાતીમાં કવિતા લખવાનું શરૂ કર્યું હતું. ૧૮ ભાગમાં વહેંચાયેલી લાંબી કૃતિ ‘માહરી મજેહ’નો ઘણોખરો ભાગ ૧૮૭૩ સુધીમાં, એટલે કે જમશેદજી મેટ્રિક થયા તે પહેલાં લખાઈ ચૂક્યો હતો અને એ જ અરસામાં ‘જ્ઞાનવર્ધક’ નામના સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયો હતો. તે ઉપરાંત વિદ્યામિત્ર, ગુલ અફશાન, ફુરસદ, પખવાડિયાની મજા નામનાં સામયિકોમાં પણ તેમનાં કાવ્યો અવારનવાર છપાતાં. પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે માટે જમશેદજી સ્વાભાવિક રીતે જ આતુર હતા પણ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’ તેમના મૃત્યુ બાદ ૧૮૯૨માં પ્રગટ થયો.  આ સંગ્રહ લગભગ ૫૦૦ પાનાંનો છે. તેમાં જમશેદજીના નિકટના મિત્ર અને પુસ્તકના સંપાદક જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ જમશેદજીના જીવનનો અહેવાલ આપ્યો છે, તેમનાં કાવ્યોની ચર્ચા કરી છે, અને જમશેદજીની કવિતાને ગુજરાતી કવિતાની પરંપરામાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહમાંનાં કાવ્યોને કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. પહેલા ભાગમાં મારી મજેહ નામનું લાંબુ કાવ્ય સમાવાયું છે તે ૧૬૬ પાનાં રોકે છે. બીજા ભાગમાં તેમની છૂટક કવિતા આપી છે. ત્રીજા ભાગમાં જમશેદજીએ કરેલા અનુવાદ કે રૂપાંતર મૂકવામાં આવ્યાં છે અને ચોથા ભાગમાં અગાઉ પ્રગટ ન થઈ હોય તેવી કવિતાઓ મૂકવામાં આવી છે. પુસ્તકને બને એટલું આકર્ષક કરવા માટે તેમાં ઠેરઠેર ચિત્રો મૂકવામાં આવ્યાં છે જે ખાસ ઈંગ્લેન્ડથી આ પુસ્તક માટે મગાવવામાં આવ્યાં હતાં. જમશેદજીની બધી જ કવિતા પારસી ગુજરાતીમાં લખાયેલી છે. તેમણે પરંપરાગત રીતે પંક્તિને અંતે પ્રાસ મેળવવાનો આગ્રહ રાખ્યો નથી પણ અંગ્રેજીમાં જેને રનઓન લાઇન કહે છે તે રીતે કાવ્યોની રચના કરી છે. પારસી ગુજરાતી કવિતામાં આ રીતે કાવ્યરચના કરનાર જમશેદજી કદાચ પહેલા જ છે.

અલબત્ત આ કાવ્યો વાંચતી વખતે આજે આપણને સંતોષ થાય તેવાં કાવ્યો બહુ ઓછાં મળે છે. પણ આ કાવ્યો વાંચતી વખતે એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે હજી તો જેને જુવાનીનો મૂછનો દોરો માંડ ફૂટ્યો છે તેવા એક પારસી યુવાને પોતાના કવિતા માટેના પ્રેમથી પ્રેરાઇને આ રચનાઓ કરી છે. આ સંગ્રહમાંનાં કાવ્યો કાવ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે, એવો નથી તેમનો દાવો, કે નથી પુસ્તકના સંપાદકનો દાવો. જમશેદજીની કવિતાનો અંદાજ મેળવવા તેમના માહરી માશુક નામના કાવ્યની થોડી પંક્તિઓ જોઈએ.

‘અંધારી રાતે હું ઝબકી ઊઠું છ,
વિચાર તાહારો કરવા, ઓ માશુક માહરી!
પવન જ્યારે ધીમેથી બારીની માંહે
સરકતો હોય છ, ને તારાઓ બાહર,
ગુલમહોરનાં ઝાડોમાં ધુજતા દિસે છ.
મલસકું થતાં હું આશાની માંહે,
મેલાપ તાહરો કરવા, ઓ માશુક માહરી!
બારીથી સામેનાં ઝાડોમાં જોઊં છ,
કે તેઓની ડાહલોમાં તાહરો આકાર,
ઘાસોમાં સરકતો આવે છ કે નહિ.’

(અવતરણચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

માહરી મજેહ  નામના લાંબા કાવ્યમાં જમશેદજીએ આ બે પંક્તિઓ લખી છે:

કવિતા લખવી, ને ચાહવાનું સુખ,
એ બે મળ્યાં મહને, ત્યાં બીજી શી ભૂખ?

કવિતા લખવી એ જ જમશેદજીને મન મોટી વાત હતી.

કવિતા લખવાની સાથોસાથ સ્કૂલના અભ્યાસકાળથી જ જમશેદજીને કહેવતો એકઠી કરવાનો શોખ લાગ્યો હતો. આ રીતે તેમણે એકઠી કરેલી ૧૦ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા નામ સાથે વિદ્યામિત્ર સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીએ એ બધી કહેવતોને અકારાદિ ક્રમે ગોઠવી હતી. તેમના અવસાન સુધીમાં ફ અક્ષર સુધીની કહેવતો વિદ્યામિત્રમાં છપાઈ હતી. એમના અવસાન પછી ૧૯૦૩માં બે ભાગમાં કહેવતમાળા પુસ્તક પ્રગટ થયું હતું.  જમશેદજીના મરણ પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ આ બંને પુસ્તકોને પ્રગટ કરવા માટે ઘણી મહેનત કરી હતી. બંને પુસ્તકો સાથે સંપાદક તરીકે તેમનું નામ જોડાયું છે.

જમશેદજીનાં બે પુસ્તકોમાંથી કહેવતમાળા પરિશ્રમ અને અભ્યાસને કારણે તેમ જ તેના વ્યાપ અને વિસ્તારને કારણે પણ વધુ ધ્યાનપાત્ર બને તેમ છે. ગુજરાતીની લગભગ ૧૨ હજાર જેટલી કહેવતો અહીં અકારાદિ ક્રમે ગોઠવીને તેમણે રજૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં ગુજરાતી કહેવતો આ પહેલી વાર અહીં સંગ્રહાઈ છે. પણ જમશેદજી એટલેથી અટક્યા નથી. ગુજરાતી કહેવતને સમાંતર એવી બીજી કહેવત જ્યાંથી મળી ત્યાંથી તેમણે સાથોસાથ રજૂ કરી છે. આ માટે તેમણે બે-પાંચ જાણીતી ભાષાઓ સુધી જ નજર દોડાવી નથી. ભારતની સંસ્કૃત, હિન્દી, મરાઠી, કાશ્મીરી, અને તેલુગુ જેવી ભાષા ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, ડેનિશ, ફારસી, વગેરે ભાષાઓની કહેવતો પણ અહીં સમાવાઈ છે. જમશેદજીના અવસાન પછી તેમના અધૂરા રહેલા કાર્યને પૂરું કરી પ્રગટ કરવામાં તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ ઘણી મહેનત કરી હતી એટલે આ પુસ્તક જે રૂપે આપણી સામે છે તે રૂપ તેને આપવામાં જીજીભાઈનો ફાળો પણ નાનો સુનો નહીં જ હોય. પણ જમશેદજી અને જીજીભાઈમાંથી કોને કેટલું શ્રેય આપવું એ નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. પણ એટલું તો જરૂર કહી શકાય કે ગુજરાતી કહેવતોના દસ્તાવેજીકરણનો આ એક અત્યંત સમર્થ પ્રયત્ન છે.

અલબત્ત, જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી કહેવતો અંગેનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. આથી કહેવતો અંગેનાં પુસ્તકોની એક લાંબી પરંપરાનો વારસો જમશેદજીને મળ્યો, અને વીસમી સદીની શરૂઆતમાં, ૧૯૦૩માં જમશેદજીનું પુસ્તક આપણને મળ્યું. તે પછી આજ સુધીમાં  કહેવતો વિશેનાં બીજાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાંનાં ઘણાંએ સીધી કે આડકતરી રીતે જમશેદજીના પુસ્તકની મદદ લીધી છે. કેટલાકે ઋણસ્વીકાર સાથે, તો કેટલાકે તેવું સૌજન્ય દાખવ્યા વગર પણ. જમશેદજીનું પુસ્તક ૧૯૦૩માં પહેલી વાર પ્રગટ થયું તે પછી ૧૦૬ વર્ષે તે ફરી પ્રગટ થયું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેનું પુનર્મુદ્રણ યથાતથ રૂપે – ફેક્સીમિલી પદ્ધતિથી — કર્યું એટલે મૂળ લખાણમાં કશો જ ફેરફાર થયો નથી.

જમશેદજીનાં લગ્ન સર દીનશાહજી માણેકજી પીતીત બેરોનેટનાં બેટી બાઈ હીરાબાઈ જોડે થયાં હતાં. તેમને સંતાન થયું નહોતું. ૧૮૮૭થી જમશેદજીની તબિયત લથડવા માંડી હતી અને ૧૮/૧૯ માર્ચ ૧૮૮૮ની પાછલી રાતે લગભગ દોઢ વાગે તેમનું અવસાન થયું. જમશેદજીના અવસાન પછી તેમની સૌથી વહાલી લાઇબ્રેરી ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાઈબ્રેરીને નસરવાનજીએ ૨૫ હજાર રૂપિયાનું માતબર દાન આપતાં લાઇબ્રેરી સાથે જમશેદજીનું નામ જોડાયું હતું અને તે જમશેદજી નસરવાનજી ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરી તરીકે ઓળખાવા લાગી હતી. આ ઉપરાંત મુંબઈમાં બીજી ત્રણ અને અંકલેશ્વરની એક લાઇબ્રેરી સાથે પણ જમશેદજીનું નામ જોડાયું હતું. કેળવણી અને તાલીમ માટેની કેટલીક સંસ્થાઓ સાથે પણ તેમનું નામ જોડવામાં આવ્યું જેમાંની એક મુખ્ય સંસ્થા તે જમશેદજી નસરવાનજી પીતીત પારસી ઓર્ફનેજ. તેમનાં બંને પુસ્તકો આ સંસ્થાએ જ પ્રગટ કર્યા છે.

માત્ર ૩૨ વર્ષની જિંદગી. ધન-વૈભવનો પાર નહિ. સાધન સગવડ માગ્યા પહેલાં જ મળે. પણ એ બધાંનો ઉપયોગ જમશેદજીએ મોજ મજા માટે ન કર્યો. કવિતા અને કહેવતો માટેના પોતાના પ્રેમને, લગાવને પોષવા માટે કર્યો.

xxx xxx xxx

(પ્રગટ : “શબ્દસૃષ્ટિ”,  સપ્ટેમ્બર 2019; પૃ. 60-63

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

...102030...2,6762,6772,6782,679...2,6902,7002,710...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved