Opinion Magazine
Number of visits: 9683530
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અતિથિગૃહ

ભદ્રા વડગામા|Opinion - Opinion|3 April 2020

આ મનુષ્ય શરીર એક અતિથિગૃહ છે.
જ્યાં પ્રતિદિન એક નવું આગમન થાય છે.
હર્ષ, હતાશા, અધમતા,
તો ક્યારેક ક્ષણિક સભાનતા
કોઈ અણધાર્યા અતિથિની જેમ આવી ચડે છે.

બધાંને આવકારો અને તેમની સરભરા કરો!
પછી ભલે ને તે ઉદાસતાનું ટોળું ન હોય,
જે વંટોળની જેમ આવી
તમારા ઘરનો સરસામાન 
એકદમ બહાર ફંગોળી દે!

દરેક અતિથિનું માનપૂર્વક સ્વાગત કરો.
શક્ય છે કે આગામી કોઈ નવી ખુશી
માટે એ તમારું ઘર ખાલી કરતો હોય!

કોઈ ધુંધળો વિચાર, શરમ, દુર્ભાવના,
સૌને સ્મિત સહિત દ્વાર પર મળી
ઘર મહીં આવકારો.

જે કોઈ આવે તેના આગમન માટે કૃતજ્ઞ થાવ,
કેમ કે દરેકને કોઈ અગમ્ય સ્થળેથી
તમને માર્ગદર્શન આપવા માટે
મોકલવામાં આવ્યો છે.

[Rumi’s poem ‘The Guest House’ translated by Bhadra Vadgama]

March 2020

•

The Guest House

 

by Rumi

 

This being human is a guest house.
Every morning a new arrival.

 

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

 

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

 

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

 

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

 

Loading

દેશભરમાં સૌથી મોટો પડકાર બિહાર સરકારને છે

આર્ષ મહેતા|Opinion - Opinion|2 April 2020

કોવિડ-૧૯

ગયા અઠવાડિયે ઓફિસના કામે બિહારના મુઝફ્ફરપૂર જિલ્લામાં જવાનું થયું. મુઝફ્ફરપુર જિલ્લો બિહારમાં પટણા અને પૂર્વી ચંપારણ પછી વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજા નંબરનો જિલ્લો. અમદાવાદથી નીકળતી વખતે કોરોનાનું ભારતમાં તો આગમન થઈ ગયું હતું, પરંતુ ગુજરાત કે બિહારમાં આ બાબતે કોઈ પણ કેસ પોઝિટિવ નોંધાયો ન હતો. તેથી અન્ય લોકોની જેમ મેં પણ માની લીધું કે અત્યારે બિહાર જવું સેફ છે. જો કે આ વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સેફ્ટીનાં કેટલાંક પગલાં અમે પણ લીધેલાં. બિહાર પહોંચ્યા બાદ મુઝફ્ફરપુર જિલ્લાના કેટલાંક ગામોમાં કામ અર્થે જવાનું થયું. આ દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત પણ થઈ અને આ ઉપરાંત ગામોમાં સ્વચ્છતા અને આરોગ્યરક્ષા અંગે લોકોની તૈયારી જોતાં સમજાયું કે આ બીમારી સામે લડવા માટે ખૂબ જ તૈયારીની જરૂર છે. અને આ તૈયારીઓ સામે સૌથી મોટી અડચણો છે અહીંના લોકોની માનસિકતા, જીવનશૈલી અને સામાજિક માન્યતાઓ. બિહાર, ભારતનું એ રાજ્ય છે જે કુલ વસ્તીના પ્રમાણમાં દેશમાં ત્રીજા નંબર ધરાવે છે. અહીં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જન સંખ્યા ૧,૧૦૦થી પણ વધુ છે જે ભારત દેશની દર ચોરસ કિલોમીટરે સરેરાશ વસતીના ત્રણ ગણાથી પણ વધુ છે. આ ઉપરાંત ઓછો શિક્ષણ દર, વધુ બેરોજગારી, અસમાનતા, પીવા માટે શુદ્ધ પાણીનો અભાવ, ગરીબી જેવી અનેક મુશ્કેલીઓનો બિહાર સામનો કરી રહ્યું છે આવા સમયે શું કોરોનાનો માર ઝીલી શકવા બિહાર તૈયાર છે?

બિહાર રાજ્યમાં કોરોના વાઇરસ સંક્રમિત દરદીનું તા. રરમીએ મૃત્યુ થયું એ કોરોનાના કારણે દેશમાં છઠ્ઠું મૃત્યુ હતું. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ મૃત્યુ પહેલાં બિહાર રાજયમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા શૂન્ય હતી. આ ઘટનાએ ઘણા સવાલો ઊભા કરી દીધા, સવાલ સરકારની તૈયારીઓ પર, સવાલ લોકોની જાગૃતતા પર, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર તો લોકોમાં સ્વચ્છતા તથા હાઇજિનની જાણકારી પર.

નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ જ્યારે વિશ્વમાં વધી રહ્યું છે, વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા આઠ લાખ ઉપર પહોંચી ગઈ છે અને મૃત્યુ આંક લગભગ ૩૯,૪૦૦ સુધી પહોચી ગયો છે ત્યારે સમગ્ર ભારતમાં પણ આના ગંભીર પરિણામોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા ૧,રપ૦ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક ૩ર સુધી. ટેલિવિઝન, સોશિયલ મીડિયા, ન્યૂઝ પેપર્સ દરેક જગ્યા એ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે લોકોને અપીલ કરાઇ રહી છે. ત્યારે સવાલ એ થાય કે બિહારમાં આ કેટલું શક્ય છે?

બિહાર રાજ્ય નેપાળ સાથે પણ ઘણી લાંબી સરહદ ધરાવે છે. અને સ્થાનિકો જાહેર તથા ખાનગી વાહનો દ્વારા આ સરહદ ખૂબ જ સરળતાથી પાર કરી શકે છે. આ સમયે નેપાળમાંથી પણ કોરોના સંક્રમિત વ્યક્તિ બિહાર રાજયમાં આવી શકવાની સંભાવના ઘણી રહેલી છે. જો કે કોરોના વાઇરસના ભારતમાં આગમન પહેલાં જ બિહાર રાજ્ય સરકારે અગમચેતીના ભાગ રૂપે નેપાળ બોર્ડર પર જરૂરી સ્ક્રિનિંગ વ્યવસ્થા ગોઠવી દીધી હતી, જેથી નેપાળથી આવતા કોરોના સંક્રમિત લોકો પર નજર રાખી શકાય, પરંતુ બિહાર સરકાર સામે સૌથી મોટો પડકાર ભારત દેશના વિભિન્ન ભાગોમાંથી પરત ફરી રહેલા બિહાર રાજ્યના લોકો છે. બિહાર એક એવું રાજ્ય છે જ્યાં રોજગારીની પૂરતી તકો ન હોવાથી અહીંના યુવાનો રોજગારી માટે ભારત દેશના અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરતાં હોય છે. સ્થળાંતર કરનારા મોટા ભાગના યુવાનો બિહાર રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે જે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર તરફ રોજગારી અર્થે જાય છે. આ એવાં રાજ્યો છે જ્યાં નોવેલ કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા પણ વધુ છે. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી કોઈ બિહારનો યુવક પોતાના ગામ સુધી પહોંચે તે દરમિયાન જો તેની યોગ્ય તપાસ કરવામાં ન આવી તો આવનારા દિવસોમાં આ રાજયમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. જો નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ બિહારના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોચી ગયું તો તેના પર અંકુશ મેળવવો ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. બિહારના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસ પ્રત્યેની સામાન્ય જાગૃતિનો અભાવ ખૂબ જ છે, ગામોમાં સ્વચ્છતા અને હાઇજિનનો ખૂબ જ મોટો અભાવ વાઇરસ ફેલાવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત જે સૌથી મોટો પડકાર છે તે ગ્રામ્ય સ્તરે મેડિકલ ઇનફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ પૂરી પાડવાનું. બિહાર રાજ્યની કુલ વસ્તીના ૮૮ ટકાથી વધુ વસ્તી ગામડાંઓમાં વસેલી છે, તો આવામાં સવાલ એ થાય કે શું રાજ્યની સરકાર રાજ્યના દરેક ગામના લોકોની તબીબી સારવાર થઈ શકે તે માટે સજ્જ છે ખરી?

આજે વિશ્વના ઘણા નિષ્ણાતોએ ભારત દેશમાં પ્રસરી રહેલા કોરોના વાઇરસ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ભારત ઇટાલી જેવી પરિસ્થિતિ વધુમાં વધુ એક મહિનો દૂર છે તો અમેરિકાથી માત્ર પંદર દિવસ દૂર છે. પરંતુ હકીકત જોવા જઈએ તો બિહારની કુલ વસ્તી ઇટાલીની કુલ વસ્તી કરતાં દોઢ ગણી છે. જો યોગ્ય સમયે યોગ્ય પગલાં ન લેવાયા તો ભારત તો દૂરની વાત છે પરંતુ માત્ર બિહાર જ બીજું ઇટાલી બની શકે છે. આથી કદાચ જરૂરત છે તો માહિતીને લોકો સુધી પહોંચાડવાની, લોકોને કોરોના અને તેનાથી થતી અસરોથી અવગત કરાવાની અને ગ્રામ્ય વિસ્તારો સુધી હોસ્પિટલ્સ તથા અન્ય મેડિકલ સુવિધા પહોંચાડવાની. જેથી કોરોના સંક્રમિત લોકોને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી શકે. કેન્દ્ર સરકાર અને બિહાર રાજ્ય સરકાર આ માટે જરૂરી નિર્ણયો લઈ આ મહામારી સામે લોકોને રક્ષણ આપે તેવી અપેક્ષા રહેશે.

[લખ્યા તા.ર૩-૦૩-ર૦, આંકડાકીય વિગત તા.૩૧-૦૩-ર૦]

Email: mehtaaarsh90@gmail.com

સૌજન્ય : “નિરીશક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 07, તેમ જ 09

Loading

ત્યારે કરવું શું ?

રમણીક અગ્રાવત|Opinion - Opinion|2 April 2020

દસ ટકા એવું તો એમને સાંભળવું ય ગમતું નથી.
તમે પંદર કે પચીસ ટકા કહો.
અરે પચાસ ટકાયે પણ ખરીદવી છે કોને ?
શા માટે ?
ચોપડી વળી.
ચોપડીની વાત થાય છે.
ચોપડી કંઈ ખરીદીને વંચાય ?
કવિ કે લેખક કઈ વાડીમાં પરસેવો પાડવા જાય છે ?
આકાશેથી ઊતરે એમનેમ.
ખાતર પાણી કંઈ નહીં.
નકરી મોજમાં લખવાનું.
એના તો વળી પૈસા હોય ?
રૂપિયાથી તોળીને એ આકાશી પદારથને હલકો કરી દેવો ?
તો પછી લેખક બિચારો ધરૂજતો ફફડતો
આવે મારે દ્વાર.
કંઈ ખોટું કરતો હોય એવા ભાવથી થમાવી દે
એનું જતનથી ઉછેરેલું બાળ તમારા હાથમાં.
મફત ભેટ.
મફતમાં મળેલી વસ્તુનાં શાં મૂલ?
જરીક આમતેમ ઉથલાવી
કે ફગાવે ઊંચે માળિયે.
કાં રમે છોકરાં.
પસ્તીવાળો તો છે જ.
“ચોપડી રે બાઈ ચોપડી
કેવાં તમારાં મૂલ?”
“આમ રઝળીએ રેઢિયાળ
આમ અમે અમૂલ.”

નર્મદાનગર, જિલ્લો ભરૂચ

e.mail : ramnikagravat@@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 14

Loading

...102030...2,5332,5342,5352,536...2,5402,5502,560...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved