Opinion Magazine
Number of visits: 9575761
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

यह सांप्रदायिकता कोरोना है

कुमार प्रशांत|Opinion - Opinion|6 April 2020

अभी जब मैं यह लिख रहा हूं, देश-दुनिया में कोरोना अपनी कहानी के अगले पन्ने लिख रहा है. भारत में उसने अभी तक 2056 लोगों को दबोचा है और 53 लोगों को उठा ले गया है. आंकड़ा बहुत बड़ा नहीं है लेकिन यह जिस तेजी से रंग बदल रहा है उससे यह जरूरी हो गया है कि हम आपस में न लड़ें, बीमारी से लड़ें. लेकिन आदमी का दुर्भाग्य तो यही है न कि वह आपस में लड़ कर भले कट मरे लेकिन लड़ता है जरूर !

दिल्ली के निजामुद्दीन इलाके में मुसलमानों की एक रूढ़िवादी जमात तबलीगी जमात की अंतरराष्ट्रीय आॉफिस है- निजामुद्दीन मरकज ! देश का जागरूक, तरक्कीपसंद मुसलमान समाज इससे कोई निस्बत नहीं रखता है. वे इसे मुसलमानों का आर.एस.एस. कहते हैं. इसी मरकज से कोरोना से संक्रमित लोगों की बड़ी संख्या मिली है. इतनी बड़ी संख्या में कोरोना संक्रमित लोग किसी जगह से दिल्ली में अब तक नहीं मिले थे. इसी 13-14 मार्च 2020 को इस अंतरराष्ट्रीय केंद्र पर देशी-विदेशी 4000 लोगों का धार्मिक सम्मेलन हुआ था. सम्मेलन में आए प्रतिनिधि बाद में देश के विभिन्न इलाकों में गये. यहां से कोरोना के फैलाव की वह भयंकर कहानी शुरू हुई जो अब फैलती हुई दानवाकार हुई जा रही है. लोग मरे भी हैं, अलग-थलग भी कर दिए गये हैं और सारे देश में छानबीन हो रही है कि इन्होंने कहां, कितनों को संक्रमित किया है. यह असंभव-सा काम संभव बनाने में वे लोग जुटे हैं जिन्हें इससे भी जरूरी काम करने थे कुछ लोगों की शैतानियत भरी अंधता, बेहद गैर-जिम्मेवाराना व्यवहार और धार्मिकता की अधार्मिक समझ ने आग में घी डालने का काम किया है. तबलीगी जमात ने पूरे होश-ओ-हवाश में यह काम किया है. मरकज के प्रमुख हजरत मौलाना शाद को हम सुनें व उनका रवैया देखें तो लगता ही नहीं है कि इन महाशय का अक्ल से कोई नाता भी है. यह मानसिक कोरोना है. नहीं, यह जमात कोरोना बीमारी फैलाने में नहीं लगी थी, यह अपने लोगों को मानसिक कोरोना की जकड़ में रखने में लगी रही है, लगी हुई थी. इन्हें अपने जमात के इस अंधविश्वास को और गहरा करना था कि खुदा, कुरान और मस्जिद और उनका मौलाना सब किसी भी ‘ शक्ति’ से ज्यादा शक्तिमान हैं.

इनका धंधा ही धोखे पर चलता है जैसे सारे धर्म-संगठनों का चलता है. ऐसे अंधों में भी ये सबसे बड़ी अंधता के शिकार हैं. अब जब कि सभी पकड़े गये हैं, पकड़े जा रहे हैं और इनका ‘निजामुद्दीन मरकज’ बंद कर दिया गया है, हमें यह पूरा मामला दिल्ली सरकार, दिल्ली पुलिस और भारत सरकार के हवाले कर देना चाहिए और अपना पूरा ध्यान करोना से सुरक्षा, दूसरों की मदद और सावधानियां रखने में लगाना चाहिए. यही सब कोरोना से लड़ने और उसे हराने का तरीका है.

लेकिन ऐसा कैसे हो भला ? देश में अविकसित बुद्धि वाले ‘बच्चों’ की संख्या कम तो नहीं है ! इन अल्पबुद्धि विशाक्त ‘बच्चों’ ने इस सारे मामले को हिंदू-मुसलमान में बदल डाला है और कोरोना सांप्रदायिक हो गया है. अब इसकी मारक क्षमता हजार गुना बढ़ गई है. तबलीगी जमात के बारे में कहते हैं कि यह जमीन के नीचे (कब्र) और आसमान के ऊपर (स्वर्ग) की जिंदगी की बात करती है. लेकिन मुसलमान हों कि हिंदू कि कोई और, सबका समाज तो धरती पर रहता है न ! उसे धरती पर कैसे जीना है और धरती पर कैसे मरना है, यह बताना-सिखाना सच्चा धर्म है, धार्मिक काम है. नीचे और ऊपर की जिन्हें फिक्र है उन्हें वहीं जा कर धरती पर रहने वाले समाज का इंतजार करना चाहिए.

हमें यह देखना और समझना ही चाहिए कि संकट के इस दौर में हमें वही और उतना ही कहना-लिखना-दिखाना-बताना चाहिए जितना संकट का मुकाबला करने में सहायक हो. बाकी बातें दबा देने की, पीछे कर देनी हैं ठीक वैसे ही जैसे सांप्रदायिक दंगों के वक्त संप्रदायों का नाम नहीं लेने की समझदारी की जाती है. आखिर  कोरोना से ठीक दिल्ली के आयोजित दंगे के वक्त भड़काऊ भाषण देनेवाले अपराधियों पर मुकदमा चलाने की बात अदालत ने क्यों की थी ? किसी भी आग में घी डालना अमानवीयता है, अनैतिकता है. कोई पूछे कि मुंबई के वर्ली पुलिस कैंप में 800 पुलिस का जमावड़ा क्यों था कि जिनमें से एक कांस्टेबल को कोरोना निकला है और अब सबको अलग-थलग किया जा रहा है ? और ये 800 पुलिसकर्मी अपनी जिम्मेवारी निभाने कितनी जगहों पर, कितने लोगों के बीच गये कोई पता कर भी सकता है क्या ? लेकिन जब आपने पुलिस को ही  समाज में स्वतंत्र छोड़ा है और उसे ही हर जिम्मेवारी निभानी है तो उनके कैंपों का, उनके जमावड़े का आप विरोध कैसे कर सकते हैं ? मुंबई का ही वर्ली कोलिवाडा वहां का सबसे खतरनाक संरक्षित इलाका घोषित किया गया है और वहीं से निकल कर तीन लोग सैर करते पकड़े गये तो कोई हंगामा किया जाए कि क्या और कैसी निगरानी-व्यवस्था है ? और मध्यप्रदेश में विधायकों को जिस तरह भेंड़-बकरियों की तरह होटलों-होटलों में घुमाया गया, खरीदा गया और फिर सरकार गिराने के लिए उनका जमावड़ा किया गया, क्या वह कोरोना के खतरे से सावधान करने का तरीका था ? और अयोध्या में रामलला की मूर्ति का मुख्यमंत्री द्वारा स्थानांतरण इसी वक्त करने की योजना क्यों बनी और कैसे उसकी अनुमति हुई ? सवाल तो यह भी किया जाना चाहिए कि हरिद्वार जैसे स्थानों पर भीड़ लगी है और वहां से निकल कर लोग यहां-वहां जा रहे हैं तो वह कैसे हो  रहा है ? क्या ये सवाल हंगामा करने लायक नहीं हैं ? हैं, लेकिन क्या अभी हंगामा किया जाना चाहिए ? अभी अपनी सामाजिक व निजी कमजोरियों पर पछताते हुए हमें सावधानी और एकता की ही बात नहीं करनी चाहिए ?  इस कोरोना-काल से जो बचेंगे वे इन सारे मामलों की जांच भी करें और सजा भी दें और आगे के यम-नियम भी बनाएं – जरूर बनाएं; लेकिन अभी तो इसे अधिकारियों के हाथ में सौंप कर हमें अभी की चुनौती का एकाग्रता से मुकाबला करना चाहिए न ?

वे सारे लोग, संगठन और चैनल और एंकर देश के लिए कोरोना से भी ज्यादा खतरनाक हैं जो इसे सांप्रादायिक कोरोना में बदल रहे हैं. कहते हैं कि इस कोरोना विषाणु की उम्र 14 दिनों की होती है, इतिहास बताता है कि सांप्रदायिक कोरोना की उम्र हजारों साल की होती है. लाखों के थाली व ताली बजाने और दीप जलाने से भी यह मरता नहीं है. इसके लिए मन के दीप जलाना जरूरी है.

(05.04.2020)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लौग पढ़ें 

My Blog : http://kumarprashantg.blogspot.in/

Loading

કોરોના-કાળે (13)

સુમન શાહ|Opinion - Opinion|6 April 2020

= = = = જ્યારે પણ અસર અનુભવાય, ઍક્સિલરેટર અને બ્રેક પરથી પગ નથી ઉપાડવાનો બલકે એવો દાબ આપવાનો છે કે ઍક્સિલરેટર ડાઉન થાય = = = =

= = = પણ હકીકત એ છે કે કોઈ ફાવતું નથી – ન તો જ્ઞાની, ન વૈરાગી કે ન ભક્ત. કેમ? કેમ કે આખા પ્રશ્નમાં શાસન અને શાસને ઊભી કરેલી વ્યવસ્થાઓ મોટો ભાગ ભજવે છે = = = =

ભારતીય પરમ્પરમાં ઈશ્વરપ્રાપ્તિ માટેના ત્રણ માર્ગ દર્શાવાયા છે : જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ.

આ કોરોના-કાળે કેટલાક – બહુ જ ઓછા – ભારતીયોએ જ્ઞાનમાર્ગ અપનાવ્યો છે. એઓ તાકી રહ્યા છે કે વિજ્ઞાન વડે રસી શોધાશે ને ત્યાં લગી ઘરે બેસીને બધું સહી લેશું. એમણે એવા જ્ઞાનનો, એટલે કે સમજદારીનો સાથ કર્યો છે.

કેટલાક – બહુ જ ઓછા – વૈરાગી થઈ ગયા છે. તેઓ એક એવી વાતના સહારે જીવી રહ્યા છે – શું લઈને આવ્યા’તા, શું લઈને જવાના’તા … એમની વાત ગળે ઊતરી જાય એવી છે તેમ છતાં જાતે જવા માટે એમનામાંનું કોઈ તૈયાર નથી. એમનો વૈરાગ્યભાવ એમને જિવાડી રહ્યો છે ને એટલે તેઓ જાહેરમાં બેફામપણે ભટકી શકે છે.

ત્રીજા ભારતીયો – ઘણા જ ઘણા – ભક્તિમાર્ગી છે. તેઓ આ ભયાનક સમયમાં તાળી અને થાળીવાદનથી તેમ જ દીવા પ્રગટાવીને એક અને અખણ્ડ ભારતવાસી હોવાનો પરસ્પરને અહેસાસ કરાવી રહ્યા છે – સારી વાત છે. એથી કરીને, એટલે કે એવી એકતા જોઈને, બને કે કોરોના-દેવ રાજી થઈ જાય ને સુખાશીર્વાદ આપીને જતા રહે … થાય તો, સારું …

ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે : મગ જે પાણીએ ચડતા હોય ચડવી લેવા. એટલે ડાહ્યા માણસો એમ કહે છે કે જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ – જેનાથી પણ આ મહા મહામારી ટળે તો ટાળો. એ ડાહ્યાઓ ઠાવકા છે. એટલું કહીને બેસ્યા રહે છે.

પણ હકીકત એ છે કે કોઈ ફાવતું નથી – ન તો જ્ઞાની, ન વૈરાગી કે ન ભક્ત. કેમ? કેમ કે આખા પ્રશ્નમાં શાસન અને શાસને ઊભી કરેલી વ્યવસ્થાઓ મોટો ભાગ ભજવે છે. જો શાસન અને વ્યવસ્થાઓ બન્ને સુભગ સુન્દર હોય તો આવકાર્ય પરિણામોની હળવાશભરી દિશાઓ ખૂલી શકે છે. પણ કદાચ, એટલે જ, આવા હરેક મહાસંકટ ટાણે માનવજાત સામે એવી દિશાઓ નથી ખૂલી અથવા અરધીપરધી ખૂલીને બંધ થઈ ગઈ છે. યાદ કરો, વિશ્વયુદ્ધના સમયો. પહેલાએ બીજાને જનમાવ્યું અને બીજાએ ત્રીજાને – જે 'શીત યુદ્ધ'-ને નામે ઓળખાયું …

આ પ્રસ્તાવના સાથે કહું કે પશ્ચિમની પ્રજાઓ આવા સમયે મોટા ભાગે જ્ઞાન-વિજ્ઞાનનો માર્ગ પકડતી હોય છે ને તેથી સાંપડતા શાણપણને અપનાવતી હોય છે. પણ, ત્યાં પણ, દિશાઓ ખોલ-બંધ થવાની ઘટનાઓ ઘટતી હોય છે. એ સંદર્ભમાં, અમેરિકાના એક જ્ઞાનીનું આ દૃષ્ટાન્ત સમજવાલાયક છે :

કોરોના વાઇરસ અથવા COVID-19 બાબતે અમેરિકામાં આજકાલ એ જ્ઞાની વ્યક્તિ અત્યન્ત ચર્ચાસ્પદ બની છે. તે છે, ઍન્થની ઍસ. ફૉચિ.

૭૯ વર્ષના મિસ્ટર ફૉચિ સ્પષ્ટવક્તા છે, આખાબોલાયે ખરા. ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ઍલર્જી ઍન્ડ ઇન્ફૅક્શિયસ ડિસીઝિસ’ના ડિરેક્ટર છે. COVID -19 અંગેના અમેરિકન સરકારના પ્રયાસોમાં એમનો મોટો હિસ્સો છે. એટલું જ નહીં, તેઓ COVID-19 માટેની રસીના સંશોધન-કાર્યમાં પણ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.

ફૉચિ આ વિષયની એક સુજાણ વ્યક્તિમત્તા છે. પોતાની એ હેસિયતે એમણે કોરોના વાઇરસના ફેલાવા વિશે ખાતરીપૂર્વકની ચેતવણીઓ અવારનવાર ઉચ્ચારી છે. એમણે કહ્યું છે કે વાઇરસની અસરોને મન્દ કરવા જતાં આપણે કેટલાંયે બલિદાન આપવાં પડશે. વ્હાઇટ હાઉસના 'ટાસ્ક ફોર્સ' સાથેની મીટિન્ગમાં ફૉચિએ આ મતલબનું કહેલું કે : હવે એ સમય આવી લાગ્યો છે, જ્યારે પણ અસર અનુભવાય, ઍક્સિલરેટર અને બ્રેક પરથી પગ નથી ઉપાડવાનો બલકે એવો દાબ આપવાનો છે કે ઍક્સિલરેટર ડાઉન થાય : એમણે ભયંકર સંભાવના વ્યક્ત કરેલી કે ૧૦૦,૦૦૦-થી ૨૪૦,૦૦૦ અમેરિકાવાસીઓનાં મૃત્યુ થઈ શકે છે.

કથળી રહેલા જાહેર સ્વાસ્થ્ય બાબતે માર્ગદર્શનો આપવામાં તેઓ સૌ ઑફિસરોની મૉખરે રહ્યા છે. પ્રૅસિડેન્ટને સુધારવા બધા ડરતા હોય પણ ફૉચિએ ટ્રમ્પનાં અનેક ભ્રાન્ત વિધાનોને સુધાર્યા છે. દાખલા તરીકે, ટ્રમ્પને એમણે સોશ્યલ ડિસ્ટન્સિન્ગની ગાઇડલાઇન્સની ટાઇમલાઇન વધારવા કહ્યું છે – આ પૅન્ડામિકથી આંકડો કેટલે પ્હૉંચવાનો છે એ એમણે ગ્રિમ મૉડેલ્સ – ગમ્ભીર નિદર્શનો – રજૂ કરીને સમજાવેલું. દાખલા તરીકે, ટ્રમ્પે લલકારેલું કે રસી બે મહિનામાં મળી જશે, ત્યારે, ફૉચિએ જણાવેલું કે રસી હમણાં નથી મળવાની, વરસ-દોઢ વરસ લાગી શકે છે.

પણ વૈચિત્ર્ય જુઓ, ફૉચિના વરતારાની ટીકાઓ થવા લાગી છે. એમને ધમકીઓ અપાઈ રહી છે. એમની સુરક્ષા સામે જોખમો ઊભાં થયાં છે. શું કરવાનું? જ્ઞાન સામે અજ્ઞાનની લડાઈ ! સમજુને શૂળીએ ચડાવવાની વાત !

ધમકીઓ ખરેખર કેવી છે તે બહાર નથી આવ્યું પણ કેટલાક રાઇટ-વિન્ગ કમૅન્ટેટર્સ અને બ્લૉગર્સ માટે ફૉચિ હવે પબ્લિક ટાર્ગેટ છે. તેઓ ફૉચિને એમની નિપુણતા બાબતે આક્રમક ભાવે પ્રશ્નો કરી રહ્યા છે. ફૉચિને રીપોર્ટરોએ પૂછ્યું કે – તમને સિક્યૉરિટી પ્રોટેક્શન અપાયું છે? એમણે કહ્યું – એ માટે તમે HHS-ને પૂછો, મારે કમૅન્ટ નથી કરવી. આ બાબતે પ્રૅસિડેન્ટ ટ્રમ્પશ્રી શું બોલ્યા તે જાણવા જેવું છે. કહે – એમને (ફૉચિને) સિક્યૉરિટીની કોઈ જરૂર નથી. ઍવરિબડી લવ્ઝ હિમ – એમને તો હર કોઈ ચાહે છે.

નકરી હકીકત એ છે કે અમેરિકા પણ હાલ બે પાર્ટીઓમાં ચુસ્તતાથી વિભાજિત દેશ છે. ને એટલે જ ફૉચિને બીજે છેડે લઈ જઈને રંજાડવાની કોશિશ થઈ રહી છે. જો કે એ લોકશાહીય દેશમાં એમને સિક્યૉરિટી તો અપાઈ જ છે …

એવા જ બીજા જ્ઞાની બિલ ગેટ્સે પણ ઉપકારક સૂચનો કર્યાં છે. એ વાત હવે પછીના દિવસે.

= = =

(March 6, 2020 : Ahmedabad)

Loading

કોરોના પછીની દુનિયા : એકહથ્થુ જાપ્તો કે નાગરિક સશક્તિકરણ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 April 2020

કોરોના વાઈરસ માત્ર સ્વાસ્થ્યને લગતી જ બીમારી નથી, પરંતુ આપણે ભવિષ્યમાં કેવી રીતે જીવીશું અને આપણી સામાજિક અને રાજકીય વ્યવસ્થાઓ કેવી રીતે કામ કરશે, તે પણ આ મહામારી નક્કી કરશે. આપણે આ મહામારીનો સામનો કરી લઈશું, આપણે તેની સારવારને પણ શોધી લઈશું, પરંતુ આજથી એક દાયકા પછી, આપણી દુનિયા એ નહીં હોય, જે આજે છે. કોરોના વાઇરસે દુનિયાના મૂળભૂત માળખામાં બુનિયાદી પરિવર્તનો લાવી દીધાં હશે. વ્યક્તિગત સ્તરે આજે આપણી પ્રાથમિકતા આપણાં સ્વાસ્થ્ય માટેની છે, તે સમજી શકાય તેમ છે, પરંતુ સામૂહિક કે વૈશ્વિક સ્તરે તેની શું અસર પડશે, તે જાણવું પણ એટલું જ અગત્યનું છે.

બેસ્ટ સેલર પુસ્તક 'હોમો સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઈતિહાસ'ના લેખક અને ઇઝરાયેલી ઈતિહાસકાર યુવલ નોઆ હરારીએ, લંડનના ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ સમાચારપત્રમાં, કોરોના વાઈરસ પછીના ભવિષ્યની કલ્પના કરી છે. અહીં તેમના થોડા વિચારો રજૂ કર્યા છે, જે તમને કોરોના વાઈરસની બીમારીને વ્યાપક દ્રષ્ટિકોણ જોવામાં મદદ કરશે.

તેઓ કહે છે કે આ વૈશ્વિક કટોકટીમાં લોકો અને સરકારો નજીકના ભવિષ્યમાં કેવાં પગલાં ભરે છે, તેના પર આવતીકાલની અર્થવ્યવસ્થા, રાજકીય અને સામાજિક સ્થિતિ આધાર રાખે છે. આપણે ઝડપથી પગલાં ભરવાં પડશે, પરંતુ તેના લાંબાગાળાનાં પરિણામોની પણ ચિંતા કરવી પડશે. આપણે જે પગલાં ભરીશું, તેનાથી મહામારીમાંથી ઉભરવામાં મદદ મળશે, પરંતુ એમાં જમ ઘર ભાળી જાય, તેવી શકયતા પણ છે.

હરારી કહે છે કે કટોકટીમાં લેવામાં આવેલાં ટૂંકા ગાળાનાં પગલાં કાયમ માટે રહી જાય, તેનો એક ઇતિહાસ છે. કટોકટીની પરિસ્થિતિઓની લાક્ષણિકતા છે કે સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાગુ કરતાં વર્ષો લાગે, તે કટોકટીનાં નામે કલાકોમાં અમલી બની શકે છે. સામાન્ય સંજોગોમાં આઘી રાખવામાં આવેલી ખતરનાક ટેકનોલોજીઓ કટોકટીના સમયમાં બહુ સરળતાથી સક્રિય કરી શકાય છે, કારણ કે તેની સામે કોઈ વિરોધ થતો નથી અને લોકો પણ સહજ રીતે તેનું સમર્થન કરે છે. આખાને આખા દેશો મોટા પાયે સામાજિક-પ્રયોગો માટે બલીના બકરા બની જાય છે. લોકો ઘરેથી કામ કરતા થાય અને દૂરથી જ વાત કરતા થાય, તો શું થાય? તમામ સ્કૂલો અને યુનિવર્સિટીઓ ઓન-લાઈન કામ કરતી થાય, તો શું થાય? સામાન્ય સંજોગોમાં, સરકારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ આવો પ્રયોગ ના કરવા દે, પણ સંજોગો સામાન્ય નથી.

હરારી કહે છે કે વિશ્વ સામે બે નોંધપાત્ર વિકલ્પો મ્હોં ફાડીને ઊભા છે; એક વિકલ્પ એકહથ્થુ જાપ્તો (ટોટેલિટેરીઅન સર્વેલન્સ) અને નાગરિક સશક્તિકરણ (સિટિઝન એમ્પાવરમેન્ટ) વચ્ચે છે, અને બીજો વિકલ્પ રાષ્ટ્રવાદી અળગાપણું (નેશનાલિસ્ટિક આઈસોલેશન) અને વૈશ્વિક એકતા વચ્ચે છે. આપણે આમાંથી શું પસંદ કરીએ છીએ, તેના પર આપણા ભાવિનો આધાર છે.

કઠોર જાપ્તાવાળી વ્યવસ્થા :

મહામારીને રોકવા માટે થઈને, આખી વસ્તીએ અમુક પ્રકારના નિયમો પાળવા જરૂરી બની જાય છે. એ માટેના બે રસ્તા છે; એક રસ્તો એ છે કે સરકાર લોકો પર જાપ્તો રાખે અને જે લોકો નિયમ તોડે, તેને સજા કરે. આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે સરકારો દરેક લોક પર હર સમય નિગરાની રાખી શકે. હરારી સોવિયત સંઘનું ઉદાહરણ આપીને કહે છે કે પચાસ વર્ષ પહેલાં, (સોવિયત ગુપ્તચર સંસ્થા) કે.જી.બી. પાસે ના તો એવી તાકાત હતી કે ૨૪ કરોડ લોકોની પાછળ-પાછળ ફરી શકે કે ના તો એટલા બધા લોકોની માહિતીઓનું વિશ્લેષણ કરી શકે. ત્યારે કે.જી.બી. એજન્ટો અને વિશ્લેષકો પર આધાર રાખતું હતું. આજે સરકારો કોટ-પેન્ટ અને ચશ્માં પહેરેલા એજન્ટોને બદલે સાધારણ લાગતાં સેન્સર્સ અને શક્તિશાળી અલગોરિધમની મદદથી આ કામ કરી શકે છે.

હરારી લખે છે કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં ઘણી સરકારોએ નવા પ્રકારનાં જાસૂસી યંત્રો ગોઠવ્યાં છે. એમાં નોંધપાત્ર ચીન છે. લોકોના સ્માર્ટફોન પર નિગરાની રાખીને, ચહેરાઓ પહેચાનતા લાખો કેમેરાઓ ગોઠવીને તથા લોકોને તેમના બોડી ટેમ્પરેચર અને મેડિકલ પરિસ્થિતિની જાંચ કરાવવાની ફરજ પાડીને ચાઇનીઝ સત્તાવાળાઓ બહુ ઝડપથી કોરોના વાઇરસ ધરાવતા શંકાસ્પદ લોકોને ઓળખી કાઢે છે એટલું જ નહીં, તે લોકોની તમામ ગતિવિધિ પર નજર રાખીને તે કોના સંપર્કમાં આવ્યા હતા, તેની માહિતી પણ એકઠી કરે છે. ચીનમાં એવી અનેક મોબાઇલ એપ્લીકેશન્સ છે, જે નાગરિકોને શંકાસ્પદ રોગીઓથી દૂર રહેવાની ખબર આપે છે.

આ પ્રકારની ટેકનોલોજી ઇઝરાયેલમાં આતંકવાદી સામે લડવા માટે પણ છે, પરંતુ પ્રધાનમંત્રી નેતન્યાહુએ કોરોનાના દર્દીઓઓ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. કોઈ તેવી દલીલ કરી શકે કે આવી મહામારીથી બચવા માટે આકરાં પગલાં જરૂરી હોય છે, પરંતુ આ પ્રકારની નિગરાનીમાં એક મહત્ત્વનો ફર્ક એ આવ્યો છે કે અગાઉ તમે તમારા મોબાઇલના સ્ક્રીન પર કોઈ લીંક પર ક્લિક કરો, તો સરકારને એ જાણવામાં રસ હતો કે તમે શું ખોલીને વાંચ્યું છે. કોરોના વાઈરસમાં સરકારને જે તમારી આંગળીમાં કેટલું ટેમ્પરેચર અને કેટલું બ્લડ-પ્રેસર છે, તે જાણવામાં રસ છે. મતલબ કે અગાઉ શરીરની બહાર જાપ્તો રાખવામાં આવતો હતો, હવે શરીરની અંદર રાખવામાં આવે છે.

ટેકનોલોજીઓ અત્યંત તેજ ગતિએ વિકસી રહી છે. હું ક્યા સમાચાર વાંચું છું અને મારા રાજકીય વિચારો કેવા છે, હું કોઈ વીડિઓ જોઉં તો મારા બોડી ટેમ્પરેચરમાં, બ્લડ પ્રેસરમાં અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે, હું ક્યારે હસું છું, ક્યારે ગુસ્સો કરું છું અને ક્યારે દુઃખી થાઉં છું, તે જાણવામાં સરકારોને રસ છે. મને તાવ આવે કે ખાંસી આવે, તેવી જ રીતે મને સુખમાં હસવાનું અને દુઃખમાં રડવાનું પણ આવે. સરકારને માત્ર મારી ખાંસીમાં જ રસ હશે, એવું માનવું ભૂલ ભરેલું છે. મારા વ્યક્તિત્વને જાણવામાં સરકારો અને કોર્પોરેશનોને રસ પડે છે. આખા દેશની પ્રજાનો આવો ડેટા સરકારો માટે બહુ કામનો છે. તે વિરોધીઓને ઓળખી શકે અને તેમને ‘સીધા’ કરવા માટે પગલાં ભરી શકે. બાયોમેટ્રિક પદ્ધતિથી એ પણ જાણી શકાય કે પ્રેસિડેન્ટ-પ્રાઈમ મિનિસ્ટરનું ભાષણ સાંભળીને મને મજા પડી કે આક્રોશ આવ્યો. ગુસ્સો આવ્યો હોય તેવી સરકારને ખબર પડે, તો વાત ગઈ.

કોરોના વાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એકવાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધવેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોના વાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.

હરારી કહે છે કે આ ગલત ચોઈસ છે. આપણે પ્રાઈવસી અને સ્વાસ્થ્ય બંનેના આનંદ લઇ શકવા જોઈએ. તેના માટે નાગરિક સશક્તિકરણનો બીજો રસ્તો છે. દક્ષિણ કોરિયા, તાઈવાન અને સિંગાપોર જેવા દેશોએ લોકોની ઓછામાં ઓછી જાસૂસી કરીને અને કોરોના વાઈરસનું વધુને વધુ ટેસ્ટીંગ, રિપોર્ટીંગ અને લોક-જાગૃતિ કરીને મહામારીને કાબૂમાં રાખી છે.

ઉપર બેઠેલી સરકાર બધા લોકો પર જાપ્તો રાખે અને આકરો દંડ કરે, એ એક જ ઉપાય નથી. લોકોને વૈજ્ઞાનિક તથ્યો આપવામાં આવે અને લોકોને વિશ્વાસ હોય કે સત્તાધારીઓ તેમને સત્ય કહી રહ્યા છે, તો લોકો જોર-જબરદસ્તી વગર યોગ્ય રીતે જ વર્તે છે. જાપ્તા હેઠળની અજ્ઞાની પ્રજાની સરખામણીમાં જાતે જ સભાન અને જાણકાર પ્રજા વધુ સશક્ત અને અસરકારક હોય છે.

(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 ઍપ્રિલ 2010)

Loading

...102030...2,4882,4892,4902,491...2,5002,5102,520...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved