ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના વહીવટી તંત્ર પાસે આ મહામારીને સામાજિક રીતે હેન્ડલ કરવા માટેની જરૂરી સમજદારી, સહાનુભૂતિ અને સંવેદનાનો અભાવ છે, તેવું વારંવાર દેખાઈ આવે છે! સાત શાકભાજી વેચનારા લારીવાળાઓ કોરોના પૉઝિટિવ નીકળ્યા, તેને સમાચાર બનાવીને મીડિયામાં પીરસી કાઢ્યું! ગુજરાતમાં હાલમાં કોરોના પૉઝિટિવનો આંકડો બે હજારને આંબી ગયો છે, તો એમાંથી કોઈ બિઝનેસમૅન, નોકરિયાતો કે બીજા લોકો નહીં હોય? પણ આ સાત શાકભાજીવાળાને કેમ વિલન બનાવીને રજૂ કરવાના? શાકભાજીવાળા અને કરિયાણાવાળાને સુપર-સ્પ્રેડર (સૌથી વધુ ચેપ ફેલાવનાર) તરીકે પણ જાહેર કરવામાં આવે છે. તો પોલીસ પણ એ જ કૅટેગરીમાં ન આવે? મેડિકલ સ્ટાફ એમાં ન આવે? તમામ ધાર્મિક સ્થળોએ મેળાવડા કરતા ભક્તો, ધર્મના ભેદભાવથી પર રહીને, એમાં ન આવે?
શાકભાજીવાળા કોરોના પૉઝિટિવ થયા તે મુદ્દો માહિતી તરીકે મીડિયાને અપાય તેમાં કોઈ વાંધો નથી, પરંતુ તેમને આમ અલગ પાડવાનું અને જેની સતત ના પાડવામાં આવે છે તે, કોઈ પણ પ્રકારના કોરોનાગ્રસ્તોને કલંકિત કરવાનું કેટલું યોગ્ય છે? એટલું જ નહીં, એવો વીડિયો પણ જોયો છે, જેમાં પોલીસવાન સોસાઇટીઓમાં ફરીને માઇક ઉપર રહીશોને આ શાકભાજીવાળાઓ બાબતે માહિતી આપે છે. એ પણ એટલા જ અવિચારી, અસંવેદનશીલ અભિગમથી કહેવાતું જોયું છે કે વહીવટી તંત્ર જ અંતે પ્રજાકીય અશાંતિ માટે જવાબદાર બનીને ઊભું રહેશે. એ પોલીસ અફસરના શબ્દો હતા, "આ શાકભાજીવાળા જ સૌથી વધુ કોરોના ફેલાવે છે … બહેનો, તમે બે દિવસ શાક નહીં બનાવો તો કોઈ ફેર પડી નથી જવાનો." આ વાત માત્ર શાકભાજીવાળા પ્રત્યે નહીં, સ્ત્રીઓ પ્રત્યે પણ એટલી જ પૂર્વગ્રહપ્રેરિત નથી? જાણે કે સ્ત્રીઓ જ સમજતી નથી! "ઘરમાં રોટલી-શાક તો બનવાં જ જોઈએ”, આવું માનનારા મોટે ભાગે પુરુષો જ હશે, આમાંના કેટલાક પોલીસ ઓફિસરો પણ એવા હશે!

હજી પાછળ શું આવે છે, ખબર છે?
શાકભાજીવાળા કે કરિયાણાવાળા ભલે પોતાના ધંધા માટે કરે છે, પણ હાલના સંજોગોમાં તેમનું કામ સમાજસેવાથી જરા પણ ઓછું નથી. એ સ્વીકારવાને બદલે તંત્ર લોકોના મનમાં તેમના વિશે ખરાબ છાપ ઊભી કરી રહ્યું છે. અસંવેદનશીલતાની આ ગંગા છેક ઉપરથી વહેતી વહેતી આવે છે, એ વધુ નિરાશાજનક હકીકત છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 ઍપ્રિલ 2020
![]()


તા. ૧૮મી એપ્રિલે મારી નાની બહેન હેમાંગિનીનો રાત્રે ફોન આવ્યો. એનો નિકટનો મિત્ર અક્રમ એમ. આર. તરીકે કામ કરે છે. તે કોરોનાનાં લક્ષણ ધરાવતો હતો, એવી જાણ થઈ. અક્રમ ૧૮મી એપ્રિલની સાંજથી ૧૦૪ નંબર પર સતત ફોન કરી રહ્યો હતો કે કૉર્પોરેશનની ટીમ આવીને તેને હૉસ્પિટલ સુધી પહોંચાડે. ઘણા ફોન છતાં કોઈ ન આવ્યું, એટલે તે જાતે સવારે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયો. ૧૯મીની રાત્રે એક વાગ્યે તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. મારે તેની સાથે ૨૦મી એપ્રિલે સવારે વાત થઈ. એ દિવસે સવારના અગિયાર વાગ્યા સુધી કોઈ દરદીને ચા-નાસ્તો કંઈ જ અપાયું ન હતું. દરદીઓ વચ્ચે પાણીનો એક જ જગ, એક જ ટોઇલેટ અને ગંદકીથી ભરેલો વૉર્ડ. ૧૯મીની સવારે દાખલ થયેલા અક્રમે ૨૨મી એપ્રિલ સુધી એક પણ ડૉક્ટર કે મૅડિકલ સ્ટાફને એક પણ વાર જોયાં નહીં. એક માત્ર રિસેપ્શનિસ્ટથી કામ ચાલતું હતું. સિવિલની ૧,૨૦૦ પથારીવાળી અલાયદી હૉસ્પિટલની ગુનાઇત બેદરકારી વિશે છાપાં, ન્યૂઝ ચેનલોમાં ભરપૂર આવ્યું. એટલે એની વિગતોમાં નથી જતી. દરરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, રાજ્યના આરોગ્ય સચિવ અને શહેરના મ્યુનિસિપલ કમિશનરની વીડિયો કોન્ફરન્સના અહેવાલથી લોકો સમક્ષ આપણા તંત્રની સજ્જતાનું જે ફૂલગુલાબી ચિત્ર ઊભું થયું હતું, તે તાજેતરના અહેવાલોથી સાવ ભાંગી પડ્યું.
पूरा देश तालाबंदी में गया तो जैसे कोई एक ताला खुला ही रह गया. नई दिल्ली के गांधी शांति प्रतिष्ठान के बंद द्वार में बंद हुआ मैं देखता रहा सामने की सूनी पड़ी सड़क पर वह अबाध मानव-झुंड जो अपना पूरा अस्तित्व संभाले चल रहा था- लगातार-लगातार ! कोरोना से डरी नगरीय सभ्यता ने उनके मुंह पर अपने दरवाजे बंद कर दिए थे. वे सब जा रहे थे – भाग या दौड़ नहीं रहे थे, बस जा रहे थे. मैं जब-जब उन्हें देखता, मन कहीं दौड़ कर ‘पान सिंह तोमर’ के पास पहुंच जाता था ! यह फिल्म देखी है आपने ? मैंने जब से देखी तब से आज तक वैसी दौड़ दोबारा देख नहीं पाया हूं. इरफान उस फिल्म में बहुत कुछ कर गये हैं लेकिन जिस तरह दौड़ गये वह भारतीय सिनेमा का एक मानक है. ये अनगिनत और अनचाहे दिहाड़ी मजदूर, जो पता नहीं देश के किस कोने से निकले थे और पहुंचे थे अपनी राजधानी दिल्ली- और बिना स्वागत, बिना आवाज, बिना सूचना उन्होंने राजधानी का सारा कल्मष खुद पर ओढ़ लिया. मुझे खूब पता है कि उनमें से किसी ने भी दिल्ली की राजधानी वाला चेहरा देखा भी नहीं होगा, उनके लिए दिल्ली का चेहरा रोटी का चेहरा था.