કોરોનાએ તો
અણુશસ્ત્રને કર્યાં
નિરર્થક જ !
કોરોનાએ તો
માનવને પામર
કર્યો સાબિત !
કોરોનાએ તો
મહાસત્તાનું સપનું
દીધું ઉડાડી !
કોરોનાએ તો
ભગવાનને પણ
કર્યા રે કેદ !
કોરોનાએ તો
માનજાતને કરી
લકવાગ્રસ્ત !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020
![]()


સામાન્ય સંજોગોમાં તો એ જાણવામાં કદાચ રસ ન પડે, પણ અત્યારે એ જાણવા જેવું છે કે વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૧૫ ઑક્ટોબરનો દિવસ વિશ્વભરમાં ‘વર્લ્ડ હૅન્ડ વૉશિંગ ડે’ તરીકે ઉજવાય છે. કોરોનાથી પહેલાં પણ હાથ ધોવાનું આટલું બધું મહત્ત્વ શી રીતે ઊભું થયું, તેની પાછળ વિજ્ઞાનની રસિક અને કરુણ કથા રહેલી છે. જીવાણુઓનાં કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે તેવા મતલબની ‘જર્મ થિયરી’ની ઘોષણા કરનાર લૂઈ પાશ્ચર કે જીવાણુઓના નાશ માટેની એન્ટીસેપ્ટિકની પ્રક્રિયાના પ્રર્વતક જોસેફ લિસ્ટર હજુ પોતાના અભ્યાસો-સંશોધનોનાં પરિણામોને ચકાસતા હતા. કોઈ એક ચોક્કસ જીવાણુ અને તેના કારણે ફેલાતા ચોક્કસ રોગ અંગેનો રોબર્ટ કોખનો સિદ્ધાંત ૪૦ વર્ષ પછી પુરવાર થવાનો હતો. જીવાણુથી થતા રોગનો સામનો કરતી પહેલી એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક એલેકઝાન્ડર ફ્લેમિંગનો જન્મ થયો ન હતો. પાઉલ એહરલિકની જીવાણુને શોધી શોધી મારી શકે તેવી જાદુઈ ગોળી (મૅજિક બુલેટ) ‘સાલવરસન’ના આગમન માટે વિશ્વને ૭૦ વર્ષ રાહ જોવાની હતી. વિષાણુ ઉર્ફે વાઇરસની ઓળખ ઘણી દૂર હતી.
દેશે હવે કોરોના વાઈરસ સાથે જીવવાનું શીખવું પડશે એવા એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર અજાણતાં કે પછી જાણીબૂઝીને સરકારના એક અધિકૃત પ્રવક્તા-અધિકારી દ્વારા આપવામાં આવ્યા, તે ભારે નવાઈની વાત છે. આ જાણકારીમાં અત્યાર સુધી દેખાડવામાં આવતાં હતાં તેવાં કોઈ આશાનાં કિરણ દેખાતાં નથી. એ અંગે કોઈ આશ્વાસન કે જાહેરાત પણ નથી કરવામાં આવી કે કોરોનાસંકટ ક્યાં સુધી કાબૂમાં આવી જવાની ઉમેદ છે, દવા કે વૅક્સિનની શોધનું કામ ક્યાં પહોંચ્યું છે, આવનારા કેટલા દિવસોમાં જીવન રાબેતા મુજબ થઈ શકશે, નાગરિકોએ સરકાર પાસેથી ક્યા પ્રકારની મદદની અપેક્ષા રાખવી જોઈએ વગેરે … આવા કોઈ સવાલ ન પત્રકારોએ પૂછ્યા કે ન તો પ્રવક્તાએ આ બાબતે કંઈ કહ્યું. આટલા મોટા સમાચાર શાકભાજી સાથે મફત અપાતાં આદુમરચાંની જેમ આપવામાં આવ્યા અને જેમણે આ બાબતે માહિતગાર થવાનું હતું તે તો તરતોતરત ભૂલી પણ ગયા.