લાગણીનો પડ્યો છે કારમો દુકાળ,
તારા સંબંધો પાછા તું વાળ!
છાંયડાની આશાયું મેલી દે મનવા,
તડકાનાં ઉગ્યાં છે ઝાડ!
તારા સંબંધો પાછા તું વાળ!
ઝાંઝવાનાં જળથી છેતરાવું કેટલું?
સીંચી સીંચીને આંખ થાકે!
કાળઝાળ ફૂંકાતાં ઊનાં આ વાયરાથી
મનડુંયે માંય માંય દાઝે!
ચોખ્ખીચણાંક તારી ધસમસતી લાગણીને
જાતે બાંધી દે હવે પાળ!
તારા સંબંધો પાછા તું વાળ!
આભાસી વાદળો વરસે નહીં ઝાઝાં
ને વીજળીના વરતારા ખોટા!
ઘેરાતું આભ લાગે હાથવેંત ઢૂંકડું
ને અડકો તો નકરાં પરપોટા!
ભીતરે રીબાતાં લીલાછમ ઝાડની
કેમ કરી લેવી સંભાળ!
તારા સંબંધો પાછા તું વાળ!
e.mail : gor.uday.chandra@gmail.com
![]()




મનસુખભાઈનો પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે પછી અગિયાર વરસે તેમનો પહેલો વિવેચન સંગ્રહ પ્રગટ થયો. પણ વખત જતાં તેમના વિવેચનનાં પુસ્તકોની સંખ્યા કાવ્યસંગ્રહોની સંખ્યા કરતાં વધી ગઈ. મનસુખભાઈ વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય અને આદરણીય અધ્યાપક થયા તે માત્ર તેમની અસ્ખલિત વહેતી વાણીને લીધે જ નહિ. એ વાણી પાછળ સંગીન અભ્યાસ, કુશળ વિશ્લેષણ અને નિખાલસ મૂલ્યાંકનની તેમની શક્તિનું બળ હતું. વળી ૧૯૩૫માં મુંબઈ યુનિવર્સિટીમાં બીજી પ્રાદેશિક ભાષાઓની સાથોસાથ ગુજરાતીને પણ ઉચ્ચ શિક્ષણમાં સ્થાન મળ્યું તેથી વિદ્યાર્થીઓ માટે વિવેચનાત્મક લખાણોની જરૂર ઊભી થઈ. મનસુખભાઈના પહેલા બે વિવેચનસંગ્રહો જોતાં જણાય છે કે તેમાંના લેખો લખતી વખતે તેમની નજર સામે એ વખતના બી.એ.-એમ.એ.ના વિદ્યાર્થીઓ રહ્યા હશે. અલબત્ત, એનો અર્થ એવો તો નથી જ કે આપણા સર્વસાધારણ વિવેચન સાહિત્યમાં આ લેખોનું સ્થાન નથી.
આ લખનારનો મનસુખભાઈ સાથેનો સંબંધ લગભગ પચીસેક વરસનો. તેમાં બે વરસ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વિદ્યાર્થી તરીકેનો અને એક વરસ સોમૈયા કોલેજમાં સહકાર્યકર તરીકેનો. પણ તે સિવાયનાં વરસોમાં પણ મનસુખભાઈનાં માર્ગદર્શન, સલાહસૂચન, સદ્ભાવ, પ્રેમ, અને ક્યારેક – ક્યારેક જ – ક્રોધનો અનુભવ થતો રહ્યો. એક અધ્યાપકમાંથી મનોમન ક્યારે તેમની ગુરુ તરીકેની પ્રતિષ્ઠા થઈ ગઈ તે વિષે સભાનતા પણ ન રહી, એવો નિરામય તેમનો વ્યવહાર. ‘ગુરુ થઇ બેઠો હોંશે કરી’ એ શબ્દો મનસુખભાઈને તો ક્યારે ય લાગુ ન જ પડે.
