Opinion Magazine
Number of visits: 9575603
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીની કલમે ફ્લૉરેન્સ નાઇટિંગેલનું સેવાકાર્ય

કિરણ કાપુરે|Opinion - Opinion|13 May 2020

નર્સિંગની નાયિકા ફ્લૉરેન્સ નાઇટિંગેલની જન્મ દ્વિશતાબ્દી

નર્સિગનાં સેવાક્ષેત્રનો મહામૂલો વારસો આપી જનાર ફ્લૉરેન્સ નાઇટિંગલ(12 મે, 1820)નાં જન્મને બસો વર્ષ થયાં છે. ફ્લૉરેન્સનો જન્મદિન ‘ઇન્ટરનેશનલ નર્સિસ ડે’ તરીકે ઉજવાય છે. નર્સિંગના ક્ષેત્રમાં તેમણે કરેલાં કાર્યની નોંધ ગાંધીજીએ પણ લીધી હતી. ગાંધીજીનાં શબ્દોમાં વાંચીએ ફ્લૉરેન્સનું સેવાકાર્ય ….

“… 1851ની સાલમાં જ્યારે ક્રિમિયાની ભારે લડાઈ થઈ ત્યારે બ્રિટિશ સરકાર ધારા મુજબ ઊંઘતી હતી. કંઈ તૈયારી ન હતી. અને જેમ બોઅરની લડાઈમાં થયું તેમ ક્રિમિયાની લડાઈમાં પણ શરૂઆતમાં ભૂલો કરી સજ્જડ હાર ખાધેલી. આજે જેટલાં સાધનો જખમી માણસોની સારવાર કરવાનાં છે તેટલાં આજથી 50 વર્ષ ઉપર ન હતાં. આજે જેટલા માણસો મદદ કરવા નીકળે છે તેટલા તે વખતે ન હતા. શસ્ત્રવિદ્યાનું જોર આજ છે તેટલું તે વખતે ન હતું. ઘાયલ માણસોને મદદ કરવા જવામાં પુણ્ય છે, તે દયાનું કામ છે, એવું સમજનારા તે વેળા થોડા માણસ હતા. એવે વખતે આ બાઈ ફ્લૉરેન્સ નાઇટિંગેલ કેમ જાણે ફિરસ્તો થઈ ઊતરી ન હોય એવાં તેણે કામ કર્યાં! સોલ્જરો દુઃખી થાય છે એ તેણે જાણ્યું; ત્યારે તેનું હૃદય ભેદાયું.

પોતે મોટા કુળની પૈસાદાર બાઈ હતી. પોતાના એશઆરામ છોડી પોતે દરદીઓની સારવાર કરવા ચાલી નીકળી પડી. તેની પછવાડે બીજી ઘણી બાઈઓ ગઈ. પોતે 1854ના ઑક્ટોબરની 21મી તારીખે નીકળી પડી. ઇંકરમેનની લડાઈમાં તેણે સજ્જડ મદદ કરી. આ વખતે જખમીઓને ન હતાં બિછાનાં, કે ન હતી બીજી સગવડો. આ એક બાઈની દેખરેખ નીચે 10,000 જખમીઓ હતા. તે બાઈ પહોંચી તે વખતે મરણની સંખ્યા સેંકડે 42ની હતી, તેણીના જવા પછી એકદમ 31 ઉપર આવી, ને છેવટે તે સેંકડે 5 સુધી સંખ્યા આવી. આ ચમત્કારી બનાવ છે છતાં સહેજે સમજી શકાય એવો છે. આટલા હજારો ઘાયલ થયેલા માણસોને લોહી ચાલતું અટકાવવામાં આવે, જખમ બાંધવામાં આવે, અને જોઈતો ખોરાક આપવામાં આવે, તો બેશક જાન બચે. માત્ર દયાની અને સારવારની જરૂર હતી તે નાઇટિંગેલે પૂરી પાડી.

એમ કહેવાય છે કે મોટા ને મજબૂત માણસો કામ ન કરી શકે તેટલું નાઇટિંગેલ કરતી. પોતે દહાડોરાત મળી 20 કલાક સુધી કામ કરતી. જ્યારે તેની નીચેની બાઈઓ સૂઈ જતી ત્યારે પોતે એકલી મધ્યરાતે મીણબત્તી લઈ દરદીઓના ખાટલા પાસે જતી, તેઓને આસાએશ આપતી અને જે કંઈ ખોરાક વગેરે જોઈએ તે પોતાને હાથે આપતી. નાઇટિંગલ જ્યાં લડાઈ ચાલતી હતી ત્યાં જતાં પણ ડરતી નહીં, ને જોખમમાં શું છે તે સમજી ન હતી. ભય માત્ર ખુદાનો રાખતી. જ્યારેત્યારે પણ મરવું છે એમ સમજી દુઃખ ઓછું કરવાને ખાતર જે ઈજા ઉઠાવવી પડે તે ઉઠાડતી.

આ બાઈ કદી પરણી ન હતી. પોતાની જિંદગી આવાં સારાં કામોમાં ગાળી. જ્યારે તે મરી ગઈ ત્યારે હજારો સોલ્જરો નાનાં બાળકની માફક પોતાની મા મરી ગઈ હોય તેમ પોકેપોકે રડેલા એમ કહેવાય છે. આવી બાઈઓ જ્યાં પેદા થાય તે દેશ કેમ આબાદ ન હોય!

[इन्डियन ओपीनियन, 9-9-1905માંથી સંપાદિત]

e.mail : kirankapure@gmail.com

Loading

સૂચનાઓ

સાહિલ પરમાર|Opinion - Opinion|12 May 2020

મારું નામ પૂછો છો?
જસવંત જગા મકવાણા
સરનામું પૂછો છો?
જીવણલાલની ચાલી, સાહેબ
મારું ઘર?
તમે જુઓ છો ને સાહેબ,
આ મારી માની ખોલકીની બાજુમાં.
થોડીક ખુલ્લી જગામાં.
ઊભું ખોલકું કે ઘોલકું, જે ગણો તે સાહેબ
કુટુંબના સભ્યો?
સાત પાતાળો છે.
સાત રંગો છે
સાત સૂરો છે
એમ અમે પણ સાત, સાહેબ.
“ટી.વી. પર કોરોનાને લગતી
સૂચનાઓ જોતા તો હશો જ, નહીં?"
હા સાહેબ.
મોદીસાહેબ, બચ્ચનસાહેબ
જાતજાતના સાહેબો
ભાતભાતની સૂચનાઓ આપતા જાય છે
મારા ભાઈનો ફોન હતો
કહેતો હતો
આ અક્કલબુઠ્ઠાઓને એ પણ ખબર નથી
કે આને સોશિયલ કે પર્સનલ
પેલું શું કહે છે, તે ના કહેવાય
ખબર નથી મને પણ,
ફિઝિકલ કહેવાય
એવું મારો ભાઈ કહેતો હતો
એ જે કહેવાતું હોય એ
પણ મને ક્યોને સાહેબ
આઠ બાય બારના આ ઘોલકામાં
મારે કઈ સૂચનાનું પાલન કઈ રીતે કરવું.

માથુ ના ખંજવાળો સાહેબ
હું પણ માણસ છું
જવાબ આપો સાહેબ.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020

Loading

બાબુશાહીની બોલબાલા : ચાર મહિનામાં ચાર હજારથી પણ વધુ હુકમ-નિયમ-માર્ગદર્શિકા

સાન્યા ધીંગડા સૃજન શુક્લ, સાન્યા ધીંગડા સૃજન શુક્લ|Opinion - Opinion|12 May 2020

કોરોનાકાળમાં મોડે મોડેથી ચર્ચાનું કારણ બનેલો એક મુદ્દો છેઃ ગુંચવાડાભર્યા સરકારી નિયમનો ખડકલો.

દુનિયામાં સૌથી કડક મનાતા લૉક ડાઉનના અમલ દરમિયાન દરેકેદરેક બાબતનાં સરકારી નિયમ-ફરમાન-હુકમ નીકળ્યા. શું વેચાય, શું ખરીદાય, અંતિમ યાત્રામાં કેટલા લોકો હાજરી આપી શકે, રસ્તા પરના શ્વાનોને ખવડાવવા માટે બહાર નીકળાય કે નહીં …. દિલ્હીસ્થિત સ્વૈચ્છિક સંસ્થા પૉલિસી રિસર્ચ સ્ટડીઝ(PRS)ના લૅજિસ્લેટિવ રિસર્ચ દ્વારા જાળવવામાં આવેલી સરકારી નિયમોની યાદીનો અભ્યાસ કરતાં જણાય છે કે છેલ્લા ચાર મહિનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ બધું મળીને ૪,૦૫૭ હુકમ, જાહેરનામાં અને માર્ગદર્શિકાઓ જારી કર્યાં છે. તેમાંથી ૬૦૦ કેન્દ્ર સરકારનાં અને બાકીનાં આશરે ૩,૪૦૦થી પણ વધુ રાજ્ય સરકારોનાં. તેમાંથી ૫૬ ટકા એટલે કે ૨,૨૭૭ હુકમો અને જાહેરનામાં સીધાં નાગરિકો માટે હતાં. બાકીનાં સરકારમાં આંતરિક વ્યવહારમાં કે વેપારઉદ્યોગો માટે હતાં.

સરકાર સૅક્યુલર હોય કે ન હોય, પણ બધું ચાલે છે રામભરોસે.

(કાર્ટૂનઃ હેમંત મોરપરિયા)

સરકારી હુકમો-નિયમોના આ વરસાદ અંગે અમે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના ડિરેક્ટર જનરલનો સંપર્ક કર્યો હતો, પણ તેમના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. તેમના એક પૂર્વસૂરિએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે આ તો સમયની જરૂરિયાત હતી અને તેમાં સરકાર ચોખ્ખીચટ તથા સીધીસટ પેશ થઈ છે. અલબત્ત, બીજા ઘણાને તેમાં સરકારનો વિક્ટોરિયાના જમાનાનો તુમારશાહી અને બાબુશાહી માટેનો અનંત પ્રેમ દેખાયો છે.

ભારતની અફસરશાહી વિશે પુસ્તક લખનારા ભૂતપૂર્વ આઇ.એ.એસ. અફસર ટી.આર. રઘુનંદને સરકારી હુકમો-નિયમોના ખડકલા વિશે કહ્યું કે તેનાથી ભારતીય બાબુશાહીમાં રહેલો કાર્યક્ષમતાનો ગંભીર અભાવ ખુલ્લો પડી ગયો છે. તેમણે કહ્યું કે બાબુશાહીને નિયંત્રણો, પરમિટ, નિયમો વગેરેનું હદ બહારનું વળગણ હોય છે. ફરક એટલો કે અત્યાર લગી તેમને લોકો સાથે આટલા નજીકથી અને વારંવાર પનારો પાડવાનું બન્યું ન હતું … એટલે તેની ઊણપો હવે લોકોને બરાબર સમજાઈ રહી છે. 

સવાલ ફક્ત સંખ્યાનો જ નથી. રઘુનંદને કહ્યું કે સરકારી કાગળિયાંની ઉપલબ્ધતા અને તેના અર્થઘટનની સમસ્યા પણ મોટી છે. તે આઇ.એ.એસ. હોવા છતાં લૉક ડાઉનને લગતા સરકારી હુકમો-નિયમોનો અર્થ કાઢવામાં તેમને કલાકો લાગી જતા હતા. સૅન્ટર ફોર પૉલિસી રિસર્ચનાં અધ્યક્ષ યામિની ઐયરે સરકારી હુકમો-નિયમોના ખડકલા માટે મુખ્ય બે કારણ જવાબદાર ગણાવ્યાં. એક, હુકમો-નિયમો જાહેર કરતાં પહેલાં પૂરતા વિચાર અને આયોજનનો અભાવ. બીજું, અંગ્રેજોના જમાનાની કઢંગી બાબુશાહી ને કાયદાકીય પરિભાષા. તેમણે કહ્યું, બાબુશાહીની રચના જ એવી છે કે તેમાં બાબુઓ લખે તે બાબુઓ જ સમજે. તેની ભાષા સામાન્ય લોકોને પલ્લે પડે એવી હોતી જ નથી.

ચોક્સાઈનું બહાનું ધરીને બચાવ તો આવી ભાષા ને અભિવ્યક્તિનો પણ કરવામાં આવે છે, પરંતુ એવી જ ચોક્સાઈ હોય તો ફક્ત ચાર મહિનામાં કેન્દ્ર સરકારને ૬૦૦ હુકમ-નિયમ-માર્ગદર્શિકાઓ કેમ કાઢવાં પડ્યાં હશે?

ધ પ્રિન્ટના લેખનો સાર-અનુવાદઃ ઉર્વીશ કોઠારી

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020

Loading

...102030...2,3922,3932,3942,395...2,4002,4102,420...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved